Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર રહ્યો એટલે શું તેના સગુણનો નાશ થયો છે? નહી, પણ તે છતાં એવા ગરીબને તમે ઓળખતા નથી, એ ઉપરથી લાગે છે કે તમે માણસનો સ્નેહ રાખતા નથી, પણ પૈસાનો સ્નેહ રાખો છો આ વૃતિને ભુલી જાઓ અને મનુષ્યત્વનું, એટલે આત્માનું સન્માન કરતાં શીખો વ્યવહારમાં આપણે જોઈ ગયા છીએ કે, મનુષ્યને માન નથી, પણ વૈભવને માને છે, વળી કેટલીક વાર એક વસ્તુની સામાન્ય રીતે જે કીંમત નથી ઉપજતી તેનાથી અમુક સંજોગોને લીધે તેની વધારે કિંમત ઉપજે છે, નદીનો પ્રવાહ ઉછાળા મારીને દોડતો હોય ત્યાં આગળ શેર પાણીની કીંમત નથી, પણ એક પાણીનો લોટો સહરા કે કચ્છના રણમાં મુકો, હવે પછી કલ્પના કરો કે એક લક્ષાધિપતિ માણસ અત્યંત તરસથી પીડાતો રણમાં જાય છે, ત્યાં તેને પાણીનો છાંટો પણ મળતો નથી, તરસથી ગળું સુકાય છે; અને મરવાની તૈયારી ઉપર આવી રહે, ત્યાં તેને કોઈ હજાર કે દશ હજાર રૂપિયા લઈને એક પાણીનો લોટો આપવા તૈયાર થાય, તો પણ જરૂર એ લોટો ગમે તેટલી કીંમતે ખરીદી લેવાય, અહીં કરોડોની કીંમત એ કોનું મૂલ્ય થયું? પાણીનું? ના એક લોટા પાણીની કંઇજ કીંમત નથી એક લોટો પાણી તમે જોઈએ એટલું જોઈએ એટલી વાર ઢોળી નાંખી શકો છો. ત્યારે આ લોટા પાણીની કીંમત કેમ થઈ ? જવાબ એ છે કે સંયોગને અંગે, પાણી રણના પ્રદેશમાં પહોંચી ગયું, તેથી કીંમત વધી અર્થાત્ રણના સંયોગથી પાણીની કીંમત વધી, પણ મનુષ્યની કીંમત તમે એવા સંયોગથી પણ વધારતા નથી, કોઈ માણસના ઘેર દ્રવ્યનો ભંડાર ભરેલો હોય તો તેને ભાગ્યશાળી લેખો છો, અને જો તે ન હોય તો તેને નિભંગી માનો છો. કોઈ વ્યક્તિને ત્યાં આઠ દશ ખાનારા હોય તો તરત તમે કહેશો કે બીચારાને ત્યાં આટલા ખનારા છે કોઈને ઘેર પાંચ પચીસ ગાયો, બળદો કે ભેંસો હોય તેથી તમે તેને બીચારો માનતા નથી પણ જો તેને ત્યાં આઠ દશ માણસો ખાનારા હોય તો તરત તમે કહેશો કે એ બીચારો શું કરે? તેને ત્યાં તો આટલા ખાનારા છે, અર્થાત્ માણસોનો સંજોગ એને પણ તમે સારો માનતા નથી બીચારાને ત્યાં દશ માણસો છે એમ તમે કદી બોલતાં અચકાતાં નથી, સોનાવાળાને તમે બીચારો કહેતા નથી, પણ માણસવાલાને બીચારો કહો છો એનો અર્થ એ છે કે માણસના સંજોગ કરતાં સોનાનો સંજોગ તમને વધારે વહાલો છે. સંજોગથી અથવા સંયોગ વગર વસ્તુની જે કીંમત થાય છે તેજ તેની સાચી કીંમત છે, હવે મનુષ્યને અંગે જો તે દ્રવ્યવાન હોય તો તેની કીંમત કરો છો, અને દ્રવ્ય ન હોય અને તેને ઘેર માણસોનો મોટો જથ્થો હોય તો તેને બીચારો ગણો છો આ રીતે મનુષ્યની કીંમત ભારરૂપે કરી મુકી છે. તેજ વિનાનો હીરો. આત્માભાન વિનાના આત્માને ધારણ કરનારી દેહ જાનવરજ છે.
તેમ સમજી લેવું જોઈએ. બેવકુફ મનુષ્ય હાથે કરીને ચોરી કબુલ