________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. જે જે ભવસ્થિતિથી તથા કાયસ્થિતિ અર્થાત્ દેવલોક કે મનુષ્ય વિગેરેમાં જન્મેલા હોય અને શરીરને રંગ વિગેરે જેટલે કાળ સુંદર રહે તે કાળપંડરીક જાણવા. બાકીના કંડરીક જાણવા. તેમાં ભાવસ્થિતિમાં અનુત્તરવિમાનના દેવે પ્રધાન છે. કારણકે એવે ત્યાં સુધી શુભ અનુભાવ હોય છે અને કાયસ્થિતિમાં મનુષ્ય સારાં કામ અને સારે આચાર પાળવાથી સાત કે આઠ ભવસુધી મનુષ્યજન્મમાં પૂવેકેડી વર્ષનું આઉખું પાળીને તરતજ ત્રણ પલ્યોપમના આઉષ્યવાળા મનુષ્ય તથા દેવનું સુખ ભોગવે છે. માટે તે કાયસ્થિતિએ પિડરીક છે. બાકીના કંડરીક છે. કાલપંડરીક પછી ગણના અને સંસ્થાન પાંડરીક બતાવે છે. गणणाए रज्जू खलु संठाणं जेव होंति चउरंसं । एयाई पोंडरीगाई होति सेसाई इयराई ।१५४/
ગણત્રી વડે પિંડરીક ચિતવતાં દશ પ્રકારનાં ગણિતમાં રજજુ ગણિત પ્રધાનપણે હેવાથી પિડરીક છે. દશ પ્રકારનું ગણિત આ પ્રમાણે છે. परिकम्म रज्जु रासी ववहारे तह कलासवण्णे य। पुग्गल जावं तावं घणं य घणवग्ग बग्गे य ।।
પરિકર્મ ૧ રજજુ ૨ રાશિ ૩ વ્યવહાર ૪ કલા સવર્ણ ૫ પુદગલ ૬ ઘન ૭ ઘનમૂલ ૮ વર્ગ ૯ અને વર્ગમૂલ ૧૦ છે