________________ 78 -જાતના ભય વિટંબણા અને પાપની ગુલામી હતી. ન ઈચ્છું -તોય આ સંસારવાસ કાનપટ્ટી ઝાલીને મારી પાસે પાપ કરાવે. - હવે છૂટો એટલે તે દહાડે સંયમ–જીવનમાં મુક્ત વિહાર મળશે! તત્વજ્ઞાનના અને ઉમદા અહિંસા–સંયમ–તપના ભાને આસમાનમાં જેટલું ઊડવું હોય એટલું ઊડવાનું મેદાન મળી જશે ! ચાલે, સેનેરી તક મળી ગઈ. હવે ખરેખરા આનંદને પાર નહિ રહે.” સંસારમાં સાચે આનંદ કેમ નહિ? : વાત પણ સાચી છે કે ખાનપાન અને મનગમતી વિષયસામગ્રીના ભેગવટામાં શા આનંદ છે? ખાનપાનાદિ બધું અમર્યાદિત જ મળે, ને મર્યાદિત જ ભેગવાય. એનાં આનંદ ક્ષણવાર આનંદ આવી ગયો એટલું જ, બાકી તે પૈસા અને વિષયેને લાવવા-વધારવા–સાચવવા વગેરેની ચિંતાની હેળી જ સળગતી હોય! તટસ્થ રહીને જીવન તપાસ તે આ જ અનુભવ દેખાશે. સંસારી જીવન એટલે આધિ અને ઉપાધિની -આગેનું જીવન. પૂછો - પ્ર - શું આધિ-ઉપાધિ એ આગ છે? ઉ - હા, કેમકે એ હૃદયને સતાવ્યા જ કરે છે, બાળ્યા જ કરે છે, ઉચાટ કરાવે છે. મહેલ-મહેલાત–પરિવાર વગેરે એ ઉપાધિ છે. એ રાખી બેઠેલા કેને એની ચિંતા નથી રહેતી? -આ ચિંતા એ શું શાંતિ છે? કે અશાંતિ? એ તે સચિંતતા