________________ 289 (3) પછી શરીરના મામુલી કષ્ટમાં મનને ન લાગવા દેવાને અભ્યાસ રાખવાને - દા. ત. ઋતુની ગરમી સહેજ વધી, પરંતુ સનને સમજાવી દીધું કે “નરકની ભઠ્ઠીઓની બારમી આગળ આ ગરમી શી વિસાતમાં હતી? આજે ય આફ્રિકા જેવા કે સહરાના રણ જેવા ગરમ પ્રદેશમાં લોકે કેવી ગરમી સહન કરે છે! ક્યાં એ મરી જાય છે કે સેસાઈ જાય છે!” એમ મન વાળી લઈએ તો ઋતુની ગરમી સહેજ વધી એમાં મન શાનું બગડે ? પછી મામુલી પ્રસંગમાં ટેવાઈ જતાં મોટા કષ્ટના પ્રસંગમાં પણ મનને સમજાવી દેવાય કે - (4) “આના કરતાં ભયંકર કષ્ટમાં આજે ય લોકો જીવે છે તે આમાં શું છે? અને (5) ખરી રીતે તે આ કષ્ટમાં મારાં અશુભ કમ ભગવાઈને ખપી જ રહ્યા છે, એને નાશ જ થઈ રહ્યો છે, એ મારા અંદરવાળા આત્માને લાભ જ છે, તે ભલેને શરીરે કષ્ટ આવ્યું; આમ મનને વાળી લેતાં મન ન બગડે. (6) મનને ભાવના આપવા પર સુખ–દુ:ખ છે. કોઈ પણ પ્રસંગમાં મનને સારી ભાવના આપે તે સુખ, નરસી ભાવના આ જ તો દુ:ખ મામુલી મામુલી પ્રગંગમાં મનને સારી જ ભાવના આપવાની ટેવ પાડે, પછી મોટા પ્રસંગમાં પણ મનને એ રીતે સારી ભાવના આપ્ટે જવાનું રાખવું, એટલે ત્યાં પણ મન બગડે નહિ, કષ્ટ લાગે નહિ. એવું શારીરિક કષ્ટમાં