________________ એમ કુલાચારથી પણ જૈન ધર્મના આચારેની પર પરા ચાલુ રહેશે તે જૈનધર્મ પણ ટકશે, અને આ આચાર પાળનારાઓ માટે મળતાં આત્મા–કર્મ-ધર્મ–મેક્ષ વગેરે સમજતા થશે. આ પરથી નક્કી થાય છે કે જૈનકુળે બાંધવામાં આચાર્યોને અભિપ્રાય આ જ હતું કે ભલે મેક્ષના આશયથી નહિ પણ કુળાચારથી ય ધર્મ કરતા રહેશે તે ય તે પિતાની દષ્ટિએ ભાવી ઉદયના સંભવ માટે, અને શાસનની પરંપરા ટકવાના મહાલાભ માટે છે. હવે અહીં જે આગ્રહ રાખવામાં આવે કે “મેક્ષ સિવાય બીજા કોઈ આશયથી ધર્મ થઈ શકે જ નહિ, ધર્મ કરે તે એ અધર્મ છે, એનાથી દુર્ગતિ થાય, ભવભ્રમણ વધે!”—આ એકાંતવાદ સેવાય તે જેનકુળ સ્થાપનાર આચાર્યોને કેવા ગણવા? શાસ્ત્રાનુસારી? કે શાસ્ત્ર-વિરોધી? એ આચાર્યોએ સ્થપાવેલા જૈનકુળમાં મેક્ષની કોઈ સમજણ વિના માત્ર કુળાચારથી ધર્મ કરનારાઓને કેવા ગણવા? અધમ કરનારા ? દુર્ગતિગામી ? અને ભવના ફેરા વધારનારા ગણવા? કેમકે એમણે મેક્ષના આશય વિના બીજા લૌકિક કુળાચારની જેમ માત્ર આ. ધાર્મિક કુળાચાર પાળવાના આશયથી જ ધર્મ કરેલે. સારાંશ, કુળાચારથી પણ ધર્મ કરે એનું એને અમાપ ફળ મલે. હવે છેલ્લે કહે છે -