________________
૮. ભગવાનનાં વચનો સૂત્રરૂપ હોય છે. એમાં શબ્દ ઓછા (થોડા) અને અર્થ વધારે હોય છે. ૯. ભગવાનનાં વચનોમાં પરસ્પર વિરોધ નથી હોતો. જેમ કે હિંસા પરમો થ' કહીને
પછી “વજ્ઞાર્થ પશa: સૃષ્ટ' અર્થાત્ પશુયજ્ઞના માટે જ બન્યા છે એવા પૂર્વાપર વિરોધી
વચન ભગવાન નથી બોલતા. ૧૦. ભગવાન એક પ્રસ્તુત પ્રકરણને પૂર્ણ કરીને પછી બીજાં પ્રકરણને શરૂ કરે છે. એક વાત
પૂરી થઈ નથી અને વચ્ચે બીજી વાત કરી દીધી, આવી ગરબડ નથી કરતા. એમનું
ભાષણ ક્રમબદ્ધ હોય છે. ૧૧. ભગવાન એવી સ્પષ્ટતા (ચોખવટ) કરીને ઉપદેશ આપે છે કે શ્રોતાઓને જરા પણ
સંશય (શંકા) ઉત્પન્ન થાય નહિ. ૧૨. મોટા-મોટા પંડિત પણ ભગવાનના વચનમાં જરા પણ દોષ નથી કાઢી શકતા. ૧૩. ભગવાનના વચન સાંભળતાં જ શ્રોતાઓના મન એકાગ્ર થઈ જાય છે. એમનાં વચનો
બધાંને મનોજ્ઞ લાગે છે. ૧૪. ખૂબ જ વિચક્ષણતા સાથે દેશ-કાળ અનુસાર બોલે છે. ૧૫. સાર્થક અને સંબંધિત વચનોથી અર્થનો વિસ્તાર તો કરે છે, પરંતુ સાથે વ્યર્થ અને
નિરર્થક વાતો કહીને સમય પૂરો કરતા નથી. ૧૬. જીવ વગેરે નવ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનાર સાર-સાર વચન બોલે છે, નિસ્સાર
વચન નથી બોલતા. ૧૭. સાંસારિક ક્રિયાઓની નિસ્સાર વાતો (કહેવી જરૂરી ન હોય તો) સંક્ષેપમાં પૂરી કરી દે
છે અર્થાત્ એવાં પદોને સંક્ષેપમાં સમાપ્ત કરીને આગળનાં પદ કહે છે. ૧૮. ધર્મકથા એવા ખુલાસાથી કહે છે કે નાનામાં નાનું બાળક પણ સમજી જાય. ૧૯. પોતાની શ્લાઘા (પ્રશંસા) અને બીજાની નિંદા નથી કરતા. ૨૦. ભગવાનની વાણી દૂધ અને સાકરથી પણ વધુ મીઠી (મધુર) હોય છે. આ કારણે
શ્રોતાઓ ધર્મોપદેશ છોડીને જવા તૈયાર થતા નથી. ૨૧. કોઈની ગુપ્ત વાત પ્રગટ કરતાં મર્મવેદી વચનો નથી બોલતાં. ૨૨. કોઈની પણ યોગ્યતાથી વધુ ગુણ-વર્ણન કરીને ખુશામત નથી કરતા, પરંતુ વાસ્તવિક
યોગ્યતા અનુસાર ગુણોનું કથન કરે છે. ૨૩. ભગવાન એવો સાર્થક ધર્મોપદેશ કરે છે કે જેનાથી ઉપકાર અને આત્માર્થની સિદ્ધિ થાય. ૨૪. અર્થને છિન્ન-ભિન્ન (તોડી-મરોડીને) કરીને તુચ્છ બનાવતા નથી. ૨૫. વ્યાકરણના નિયમાનુસાર શુદ્ધ શબ્દોનો પ્રયોગ કરે છે. ૨૬. વધુ જોરથી પણ નહિ, ખૂબ ધીમેથી પણ નહિ અને ઝડપથી પણ નહિ, પરંતુ મધ્ય
ગતિ-રીતિથી વચન બોલે છે. ૨૭. પ્રભુની વાણી સાંભળીને શ્રોતા એવા પ્રભાવિત થાય છે અને બોલી ઊઠે છે કે -
“અહો ! ધન્ય છે પ્રભુની ઉપદેશ આપવાની શક્તિ ! ધન્ય છે પ્રભુની પ્રવચન શૈલી !” [ પંચ પદનો અર્થ
છે કે આ ૧૫)