________________
નિર્જાનુપ્રેક્ષા
નિશ્ચયથી સંવ૨સહિત નિર્જરા થાય
છે.
જીવમાત્રને ઉદયમાં આવેલાં કર્મો ઝરે છે. પરંતુ અજ્ઞાનીની નિર્જરા ગજસ્નાન જેવી છે. હાથી સરોવરમાંથી નાહીને સ્વચ્છ થઈને નીકળે, બહાર આવીને સૂંઢમાં ધૂળ લઈને શરીર પર ફેંકીને પાછો મલિન થાય. એમ અજ્ઞાની થોડાં કર્મોને ભોગવે અને પુનઃ ઘણાં નવાં કર્મો બાંધે, જ્ઞાની સમ્યદૃષ્ટિ અશુભ કર્મોની નિર્જરા કરે. શુભકર્મો બાંધે છતાં તે સંસારની વૃદ્ધિવાળો નથી. પરંપરાએ મોક્ષનું કારણ બને છે. વીતરાગ સમ્યગ્દષ્ટ પુણ્યપાપ બંનેની નિર્જરા કરી મોક્ષ પામે છે. નિર્જરાનુપ્રેક્ષા : નિર્જરા એ નવ તત્ત્વમાં
સાતમું તત્ત્વ છે. તેનું વિવિધ પ્રકારે ચિંતન કરી જીવ સકામ નિર્જરા કરીને કેમ છૂટે તેવી ભાવના. નિર્ણય : સંશયરહિત નિશ્ચય કરવો. ચોક્કસ વિચાર કરવો. નિર્દેડ મન-વચન-કાયાના ત્રણે દંડ યોગ્ય ભાવકર્મો તથા દ્રવ્યકર્મોનો અભાવ થવાથી આત્મા નિર્દેડ થાય છે. ચૌદમું ગુણસ્થાન.
નિર્દેશ: કોઈ વસ્તુના સ્વરૂપનું કથન કરવું. ઇશારો કરવો. નિર્દેઃ ક્લેશરહિત, ભોગરહિત, જન્મ
Jain Education International
૧૩૪
જૈન સૈદ્ધાંતિક
મરણ જેવા યુગલથી (જોડું) રહિત. નિર્મમ : મમત્વરહિત, ‘મમ’નો જેનામાં અભાવ છે.
નિર્માણ નામકર્મ : જે કર્મના ઉદયથી જાતિને અનુરૂપ શરીરનાં આંગોપાંગની રચના થાય. નિર્માણરજઃ એક લોકાંતિક દેવ. નિર્માલ્ય : ક્ષુદ્ર, કાર્યમાં અનઉપયોગી.
જેમ કે પૂજા કર્યા પછી રહેલાં અવશેષ દ્રવ્યો. નિર્મૂઢ: મૂઢતારહિત, પરમવીતરાગ સુખ આદિ અનેક ધર્મોના આધારભૂત નિજ પરમાત્વતત્ત્વને જાણવામાં સમર્થ આત્મા નિર્મૂઢ છે. નિશ્ચયથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સમ્યચારિત્ર સહિત આત્મા નિર્મૂઢ છે. સમ્યદૃષ્ટિ આત્મનિર્મૂઢ છે. (અમૂઢદૃષ્ટિ)
નિર્વ્યાપક : છત્રીસ ગુણ યુક્ત આચાર્ય સાધુ સંઘના નિર્વ્યાપક છે. જે સંસારથી ભયમુક્ત, પાપકર્મ ભીરુ છે. જિનાગમમાં પારંગત આચાર્યના ચરણમાં રહીને યતિમુનિ સમાધિમરણની સાધના કરી શકે છે. યદ્યપિ એવા જ ગુણો સહિત હોય તે મુનિ જ નિર્વ્યાપક હોય તેમ એકાંતે ગ્રહણ કરવું નહિ. પરંતુ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું
For Private & Personal Use Only
www.jainelibrary.org