________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વનસ્પતિને ક–વનસ્પતિ પતાને ખોરાક પ્રવાહી અને વાયુના રૂપમાં લે છે, નર સ્થિતીમાં તે ખેરાક લઈ શકતી નથી. વનસ્પતિના મૂળની બાજુમાં ઝીણું છિદ્ર હોય છે તેવડે તે વાયુ અને ખનીજ પદાર્થ શોધી લે છે. એ પાણું થડમાં થઈને પાંદડાંસુધી ચઢે છે. હવામાંથી પાંદડાં કારબોનિક એસિડ વાયુ ખેંચી લે છે. સૂર્યના પ્રકાશથી પાંદડાં માહેલાં પાણી અને કારબોનિક ઍસિડ વાયુનો સંગ થઈ એક નવો પદાર્થ બને છે જેને સ્ટાર્ચ કહે છે. એ સ્ટાર્ચ ઝાડમાં ફેલાય છે અને તેથી ઝાડના સર્વ ભાગની વૃદ્ધિ થાય છે. ઝાડમાં પાણીને જેટલો વધારે હોય છે તે તેના પાંદડાંવડે વરાળરૂપમાં બહાર નિકળી જાય છે. ઝાડના પાંદડામાં પેદા થયેલા સ્ટાર્ચ અને તેના મૂળ વડે શોષી લીધેલ પ્રવાહી સ્થિતીમાંના જન મિશ્ર પદાર્થ એ બન્નેના સંગથી આલખ્યુમીનાઈડ પદાર્થ બને છે અને એનાથી ઝાડ વધે છે.
તમામ ઝાડને બે પ્રકારના અવયવ હોય છે, પિષક અને પુનપાદક. મૂળ, થડ, અને પાન એ ઝાડના પિપાક અવયવ છે, કે જેનાથી ઝાડનું પાલન થાય છે અને જેથી કરીને તે પૂર્ણાવસ્થામાં આવે છે. કૂલ એ પુનરુત્પાદક ઇંદ્રિય છે.
ઝાડનું મૂળ જમીનની અંદર ઉતરી તેને જમીન ઉપર ઉંભુ રાખે છે તથા તેને છેડે ઝીણું તંતુ હોય છે, તેના છિદ્રવડે જમીનમાંથી તે ખોરાક લઈ ઝાડનું પોષણ કરે છે. કેટલાંએક મૂળે ઝાડના પિઘણું માટે ખોરાકનો સંગ્રહ કરી રાખે છે અને જ્યારે બીજી ઋતુમાં ઝાડને જમીનમાંથી રાક મળી શકતા નથી ત્યારે તેને તે પુરો પાડે છે.
મૂળ ચાર પ્રકારનાં છે; (૧) સિધું (ટયા રૂટ) એટલે જે જમીનમાં ઊંડુ અને સીધું જાય છે તે. આંબા અને બાવળને એવી જાતના
For Private and Personal Use Only