Book Title: Navyugno Jain
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jyoti Karyalay
Catalog link: https://jainqq.org/explore/034566/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ निबंध 167 8 1397 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ ગ્રંથમાળા ૧ - નાગકુમાર મકાતી, બી. એ. એલએલ.બી. શત્રુ યેદ્ધારક સમરસિંહ (એ॰ નવલકથા) –૧૩-૦ ૨ ધીરજલાલ ટોકરશી શાહ જૈનાની શિક્ષણસમશ્યા (નિષધ ) ૦-૨-૦ ૩ ધીરજલાલ ટા. શાહ તથા ધીરજલાલ યુ. શાહ સમસ્ત ભારતવર્ષની જૈન શિક્ષણ સંસ્થાઓની વીકૃત યાદિ ૦-૩-૦ ૪ માહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ. મી. સુજશવેલીભાસ ( ટીપણું વિવેચન સાથે ) ૦-૩-૦ ૫ મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા, સેાલીસીટર નવયુગના જૈન ( નિબંધ ) ૧-૦-૦ આ ગ્રંથમાળામાં બીજા પણ મનનીય પુસ્તક પ્રગટ થશે. બાળગ્રંથાવળી અત્યંત લાકપ્રિય નિવડેલી જૈન ધર્મના મહાપુરુષની ૧૨૦ જીવનકથાઓ — શ્રેણી ૧ થી ૬. દરેકની કિંમત રૂા. દોઢ. પાકું પુડું રૂા. એ જ્યાતિ કાયાલય શેઠનીપાળઃ રતનપાળઃ અમદાવાદ * આ પુસ્તક ખલાસ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અમારાં લોકપ્રિય પ્રકાશનો બાળગ્રંથાવલી ૧૨૦ પુસ્તકો ૮-૧૨-૦ પાકું પૂઠું ૧૧-૦– હિંદી બાળગ્રંથાવલી ૧લી શ્રેણું ૧-૧૨–૦ વિદ્યાથી વાંચનમાળા શ્રેણી ૧ થી ૪ દરેકને ૧–૮–૦ , , ૧થી ૧૦ લવાજમ ૧૫-૦–૦ છે , જે પાકું પૂંઠું ૧૭–૮–૦ કુદરત અને કળાધામમાં વીસ દિવસ –૮–૦ ઈલરાનાં ગુફામંદિર ૦–૮–૦ અજંતાને યાત્રી (સચિત્ર કાવ્ય) ૦–૮–૦ જળમંદિર પાવાપુરી કાવ્ય ૦–૨–૦ ફૂલવાડી ક્યારે ૧-૨ દરેકના –૪–૦ સોરઠી શૂરવીર ૦–– સિકમની વીરાંગના ૦-૫–૦ નેકીને રાહ –૪–૦ પાવાગઢનો પ્રવાસ ૦–૧-૬ અચલરાજ આબુ ૦–૧–૬ હિમાલયને સરપ્રદેશ ૦–૧-૬ દાર્જિલિંગના સંસ્મરણે ૦–૧-૬ સફેદ સાયામાં (ડિરેકટીવ નવલકથા) ૨–૦–૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રાણવાન વાત (૯૧૫ પાનાં) ૨–૦–૦ આદર્શ રામાયણ પાકું પૂંઠું (સુશીલ) ૧–૪-૦ વિમળશાહ ૦–૬–૦ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ૦–૧–૦ + + સુંદર આવૃત્તિ ૦–૩–૦ વિશ્વવંઘ પ્રભુ મહાવીર ૭૫ નકલ ૧–૦–૦ શ્રી. મ. સયાજીરાવ ગાયકવાડના ભાષણ પુ-૧-૨ નું દરેકના ૨–૦–૦ જ્યતિ ગ્રંથમાળામાં પ્રગટ થયેલાં ૫ પુસ્તકે જુદાં દર્શાવ્યાં છે. બીજાં પણ દરેક જાતનાં પુસ્તકો મળશે. વિસ્તૃત સૂચિપત્ર મંગાવે જૈન શિક્ષણપત્રિકા જૈન સમાજના શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરતી માસિક પત્રિકાઃ લવાજમ ફક્ત રૂ. ૧. પરદેશમાં રૂા. દોઢ. જ્યોતિ કાર્યાલય શેઠનીપળ, રતનપેળઃ અમદાવાદShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ કાર્યાલય એટલે સુંદર છાપકામ કરી આપનાર અનેક ગૃહસ્થોએ અમારી પાસે જુદી જુદી જાતનું છાપકામ કરાવી સંતેષ જાહેર કર્યો છે. છાપકામના મેટા ઓર્ડરે અને સ્ટેટેના કામ પણ લેવામાં આવે છે. એક જ વખત કામ કરાવી ખાત્રી કરે. દીલપસંદ પુસ્તકે પૂરાં પાડનાર અમારી પાસે ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે તમામ વિષયનાં પુસ્તકે સારા પ્રમાણમાં સંઘરવામાં આવે છે અને ગ્રાહકને વ્યાજબી કમિશને પૂરાં પાડવામાં આવે છે. વધારે જાણવા સૂચીપત્ર મંગાવો. ચિત્રકાર આ દિશાના અમારે અનુભવ વર્ષોને છે. તમામ જાતનું ચિત્રકામ કિફાયત ભાવે કરી આપવામાં આવે છે. ગૃહસ્થો તથા મુનિરાજેની અમારા હાથે બનેલી અનેક તસ્વીર વખણાયેલી છે. તીર્થોના પણ સુંદર ફોટાઓ થઈ શકશે. પત્રકાર અમારા તરફથી જૈન જ્યોતિ સાપ્તાહિક તથા જૈન શિક્ષણપત્રિકા માસિક બહાર પડે છે. જેની વિશેષ માહિતી અન્યત્ર આપેલી છે. તમારા ધંધાની જાહેરાત માટે એ સુંદર સાધન છે. આમાંના કેઈ પણ કામ માટે અમારું નામ નોંધી રાખશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ યે નિ ચ થ મા ળા – પુ ત ક ૫ મું નવયુગ નો જે ન : લેખક : મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસિટર અને નેટરી પબ્લિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: અવધાનકાર ધીરજલાલ ટોકરશી શાહ માલિક : જ્યોતિ કાર્યાલય શેઠની પોળ, રતનપોળ, અમદાવાદ. : પ્રકાશન કમ ૨૪૫: પ્રથમ આવૃત્તિ: સં. ૧૯૯૨ મૂલ્ય રૂ. ૧–૯–૦ મુદ્રક: બળવંતરાય કરુણાશંકર ઓઝા ગાયત્રી મુદ્રણાલય, ખજુરીની પિળ, અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉઘાત. મારે જે જે હકીકત કહેવાની છે તે ગ્રંથની શરૂઆતની ભૂમિકામાં તથા આખા ઉલ્લેખમાં છૂટી છવાઈ લખી છે. ઉપદ્યાતમાં બહુ થોડી હકીકત રજુ કરવાની રહે છે. મેં આ લેખમાં જે વિચારે બતાવ્યા છે તે મારૂં વર્તમાન ઈતિહાસના વાંચન અને અવલોકનનું પરિણામ છે. આપણે આપણી આંખોને ઉઘાડી રાખી અવલોકન કરીએ તે દુનિયામાં ઘણું જોવા જાણવાનું મળે છે. આપણે સર્વ અવકીએ તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તે તદન જૂદીજ વાત છે. આપણે અવકીએ તે લખી શકીએ તે અન્યને દિશાસૂચન થવા સંભવ છે. મને વર્તમાન ઇતિહાસ વાંચતાં તથા અવલોકતાં જે સમજાયું તે અત્રે આલેખવા પ્રયાસ કર્યો છે. અત્યારની જૈન દુનિયાના પ્રવાહ કયે માર્ગે વહે છે એની તુલના કરવાનાં સાધનો આપણે બને તેટલાં એકઠાં કરવાં એ એને મુદો છે અને એમ થાય તે ભવિષ્યની માગદરણી અને દરવણીમાં ઉપયોગી હકીકતે એકઠી થાય એ એનું ધ્યેય છે. જેઓ ભવિષ્યના નેતા થવાના હોય તેમને આ સાધને ઉપયોગી થાય તે તેને એકઠાં કરવાનો પ્રયાસ તેટલે અંશે સફળ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જનસ્વભાવનું અવલોકન કરવું એ પણ પિતાનાં દ્રષ્ટિબિન્દુ ઉપર આધાર રાખે છે. આપણું દ્રષ્ટિબિન્દુ વિશાળ હોય કે સંકુચિત હોય તે ઉપર આપણ અવલોકનના પરિણામ આવે છે. મેં અમુક દ્રષ્ટિબિન્દુથી વર્તમાન પરિસ્થિતિને જોઈ છે અને એની ભવિષ્યની દિશા જે લાગી તે અત્રે નોંધી છે. નવયુગમાં જૈન સમાજના પ્રશ્ન ખૂબ સંકીર્ણ થવાનો સંભવ છે અને પ્રત્યેક પરિસ્થિતિ અન્ય પરિસ્થિતિ પર પિતાની છાયા નાખવાની છે, એટલે જે પરિણામે આવવાનાં છે એમ દેખાય છે તેજ આવશે એ દાવો કરે છે તે ધૃષ્ટતા કહેવાય, પણ તેટલા ખાતર આપણું અવલોકનને સંગ્રહ ન કરવો એ વાત કાંઈ યોગ્ય ન ગણાય. દાખલા તરીકે રાષ્ટ્રભાવના કે જ્ઞાતિસંસ્થાનું ભવિષ્ય મેં મારી નજરે લખેલ હોય અને તે મારા અવલોકનનું પરિણામ હેય, છતાં નવયુગમાં એ તદન જૂજ ઝેક લે, એ તદન બનવા જોગ છે, અને તેમ થાય, તે તેની અસર આપણ અનેક સંસ્થા પર જરુર થાય જ તેમ હોવાથી, અહીં જે વિચાર સંગ્રહ કર્યો છે તે સામગ્રી સમીકરણ તરીકે ઉપયોગી થાય તે પણ યુક્ત જ છે. વર્તમાન અવલોકનનાં પરિણામો જેવાં સૂઝયાં તેવાં આળેખ્યાં છે તેની સાથે યોગ્યતાને વિચાર કરવાનું રહેતું નથી. આખા સમાજના પ્રકને આવે ત્યાં એના ગુણદોષ પર વિચાર કરનાર એક વ્યક્તિ કોણ માત્ર? પણ જેવું થશે એમ લાગ્યું તે સંગ્રહીત કરવાનું સકારણ ગ્ય લાગ્યું છે. સર્વ પ્રશ્નો નવયુગને નવયુવક વિચારતા હોય તે દ્રષ્ટિએ તેના મુખમાં મૂકેલ છે. એ અવલોકનની જવાબદારી તે લેખકની જ છે, પણ તેનું દ્રષ્ટિબિન્દુ નવયુવકની વિચારધારાને માર્ગે ચાલતું સતત જોવામાં આવશે. પ્રેરણું માટે આપણે ભૂતકાળ તરફ ભલે નજર કરીએ, પણ પરિણામ માટે તે ભવિષ્યકાળ તરફજ નજર રાખવી રહી. એમ કરવામાં જે સમાજ બેદરકાર રહે છે તેની પ્રગતિ કાં તે સંકુચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ થય છે અથવા અટકી પડે છે. શાસ્ત્રકારે ગીતાર્થના હાથમાં દેશી એટલા માટે જ મૂકી છે કે એ સે વર્ષ પછી થવાની સ્થિતિ પિતાની દ્રષ્ટિથી કલ્પી તેને આગળથી વિચાર કરી ઉપાય કરી રાખે. દેતાં દેડતાં જવું અને ભીંત આવે ત્યારે અફળાઈને માથું ચંચવાવું એ ગીતાર્થને ન પાલવે. એવા અવગત ગીતાર્થોને વિચારસારગ્રી પૂરી પાડવા, જેવું દેખાયું તેવું, ભવિષ્યને નજરમાં રાખી સંગ્રહ્યું છે. એમાં કઈ પ્રકારને ક્ષોભ નથી અને કોઈને કરાવવાને ઈરાં નથી. બનતા સુધી યાદ આવ્યા તે સર્વ જૈન પ્રશ્નને ચર્ચા વિચાર હતે. પણ જ્યારે આ લેખ લખે ત્યારે મારી પાસે જૈનનું એક છાપું નહાં કે સમાજ વિચારણાનું પુસ્તક નહતું. મારી સાથે કેદખાનામાં થોડા જૈન બંધુઓ હતા તેમાંના પણ ઘણા ખરા ચાલ્યા ગયા પછી આ ખ લખવા વિચાર થયો. બે જૈન મિત્રો હતા તેની સાથે કંઈ વાર ચર્ચા કરતે, પણ આ લેખ લખવા પહેલાં એક વર્ષથી મેં જૈન છાપું કે સમાચાર વાંચ્યા કે જાણ્યા ન હોવાથી કોઈ બાબત રહી ઈ હોય તે બનવા જોગ છે. આ લેખને આરંભ સને ૧૯૩રની આખરે નાસીક સેંટ્રલ જેલમાં કર્યો હતો અને લગભગ બે માસ તેની પછવાડે લગાડા હતા. દરમ્યાન બીજા ઉલેખે, અભ્યાસ, વાંચન અને ફરજીયાત કામ ચાલુ હતા. જેવું લખ્યું હતું તેવું જ છાપ્યું છે. માત્ર શબ્દવાક્યરચનામાં કાંઈક ફેરફાર અને શીર્ષક તથા પ્રકરણ પાડવા ઉપરાંત વિશેષ વધારે સુધારે અસલ ઉલ્લેખમાં પ્રાય કર્યો ની. ચપણું સમાજને અનેક દ્રષ્ટિબિન્દુથી વિચારવા જેવો છે, આપણી જવાબદારીઓ સમજવા જેવી છે, સમસ્ત હિંદ સમાજમાં આપણું થાન ક્યાં આવે તે અવલકવા ગ્ય છે અને ખૂબ વિશાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com '11 Mા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ળતાથી સમાજના પ્રકને પર ઉહાપોહ કરવા યોગ્ય છે. આ કઈ ઉપન્યાસ કે કાદંબરીનું પુસ્તક નથી કે એમાં ગમે તેવા ધોરણના વિચારેને સંગ્રહ થાય. અહીં તે માત્ર અવલોકનનું પરિણામ જ બતાવવું રહ્યું અને તે સફળ રીતે થયું હોય તે માટે પ્રયાસ ગ્ય થયો છે એમ હું માનીશ. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને જરા પણ દુઃખ લગાડવાને આ ઉલ્લેખમાં હેતુ નહેાતે, છતાં વિચારભેદ કે દષ્ટિબિન્દુના તફાવતને લઈને નવયુગના મુખમાં અશિષ્ટ ભાષાપ્રેગ પણ થઈ ગયો હોય તે તે માટે અંતઃકરણથી દીલગીર છું. કેટલાક મિત્રોનું એમ માનવું છે કે મેં જૈન સમાજનું ભવિષ્ય વધારે પડતું ઉજ્જવળ બતાવ્યું છે. તેમની નજરે ભવિષ્ય રૂટલું સુંદર દેખાતું નથી. આ વાતને ફેંસલે હું ન જ કરી શકું. તેરી સમજણ પ્રમાણે મને જે ભાસ્યું તે મેં અત્ર લખ્યું છે અને બતી રીતે ખૂબ વિચાર કરીને લખ્યું છે, છતાં તેમાં વિચારભેદ થાય તે સંતવ્ય ગણશો. વિચારભેદ એ સમાજસ્વાસ્થની નિશાની છે એવી મારી માન્યતા હોઈ મને તે એમાં પણ મેજ છે. મારે એક વખત સ્પષ્ટપણે જણાવવાની છે કે મને જે વિચારે થયા છે અને જેવું ભવિષ્ય નવયુગની નજરે દેખાયું છે તે મેં વગર સંકોચે અને પ્રમાણીકપણે બતાવ્યું છે, એ દ્રષ્ટિએ આના પર ચર્ચાઓ થા તો મારે ઉદ્દેશ જરુર પાર પડશે એમ હું માનું છું. મારી ભાવના વર્તમાન યુગને વિચાર કરવાની પ્રેરણા કુવાની છે. મારા અભિપ્રાય સાથે સર્વ સંમત થાય એવી ધૃષ્ટતા તે મારી માન્યતામાં પણ અશકય છે, પણ સમજીને વિચારક્રમ અને ર્યક્રમ ઘડવામાં આવે તે આનંદ છે, અત્યારે નવયુગ બેઠો નથી, પુરાણયુગ લગભગ પૂરો થયો છે અને આપણે પરિવર્તન કાળમાં, મધ્ય કાળમાં છીએ એહકીકત આ લેખ વાંચતા લક્ષ્યમાં રાખશે. આપણે પ્રશ્ન એ બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, અને એ એટલા જટીલ અને સંકીર્ણ છે કે એ સર્વને પરિપૂર્ણ ન્યાય આપો કે આપવાને દાવો કરવો મુશ્કેલ છે, પણ સમાજને ચરણે આ નૈવેદ્ય ધર્યું છે. કૃપા કરીને પ્રશ્નને પરસ્પર સંબંધ ધ્યાનમાં લેશે તે એકદેશીયતા નહિ થઈ જાય. એકદેશીયતાને અંગે અહીં ખાસ જણાવવાનું કે નીચેનાં મુખ્ય સૂત્રો ઉપર આ લેખ લખાય છે, એ સૂત્રે જેને અમાન્ય હેય તેને માટે લેખ નિર્થરક છે. જૈન ધર્મનાં ક્રિયાવિભાગને અંગે સ્વાતંત્ર્યને ખૂબ સ્થાન છે. વિધિ અને નિષેધ ભગવાને એકાંતે પ્રરૂપ્યાં નથી. “દવ્યાનુગમાં મતભેદ પાલવે નહિ, ચરણકરણમાં જે માગે પિતાનું શ્રેય સાધી શકાય તે માર્ગે સાધવું. વેગ અસંખ્ય છે અને પિતાને અનુકુળ વેગ માર્ગ શોધી લે, એની પસંદગીમાં આત્માને સ્વાતંત્ર્ય છે. આખા જૈન શાસનના ચરણકરણાનુયોગની રચના અહિંસા, સંયમ અને તપ પર થયેલી છે અને એ સાધ્ય લક્ષ્યમાં રાખી મૂળ માર્ગ શોધવાને છે. “ક્રિયા માર્ગમાં લાભાકાંક્ષી વ્યાપારી પેઠે આવ્યયની તુલના કરી જેમાં વધારે લાભ દેખાય તે ક્રિયાને સ્વીકાર કરે અને જ્યાં હાનિ દેખાય ત્યાં અટકી જવું. એમાં વ્યક્તિવાતંત્ર્યને પણ સ્થાન છે. અમુક હકીકત ચાલી આવે છે માટે જ તે શુદ્ધ છે એમ ધારી, લેવું નહિ, પણ તેની કોટિ કરવી. પુરાણું સર્વે સારું છે એમ ધારવું નહિ, તેમજ તે સર્વ ઉખેડી ફેંકી દેવા ગ્ય છે એવી ધારણાથી પણ ચાલવું નહિ.” આ સૂત્રે માન્ય હોય તે જ આ ઉલ્લેખમાંથી કાંઇ વિચારવા જેવું મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ બાકી ચર્ચા કરવામાં ડરવા જેવું નથી. ચર્ચા વગર વિચાર થાય નહિ અને વિચાર વગર કાર્ય થાય નહિ. પ્રગતિનું મૂળ ચર્ચા છે. અંગત રાગ દ્વેષ છડી, પૂર્વબદ્ધ વિચારેને કે અભિપ્રાયોને આગ્રહ છોડી, સત્યશોધન કરવાની અત્યારે તક સાંપડી છે એ જવા દેવા જેવી નથી. અત્યારે વિચારકેનું કામ છે અને તેને ખરે અવસર પ્રાપ્ત થયો છે. કાળબળ ખૂબ કામ કરી રહ્યું છે અને જૈન સમાજ તે પ્રત્યેક યુગમાં સમયધર્મ સ્વીકારતેજ આવેલ છે. જ્યારે જ્યારે એ મૂળ મુદો ચૂકી એકાંતને આશ્રય લીધો છે ત્યારે આપણે માર ખાધે છે અને અત્યારે તે અનેક રીતે પાછા પડી માર ખાઈ ખાઈને એવી સ્થિતિએ પહોંચી ગયા છીએ કે અત્યારની સ્થિતિ વધારે વખત નભાવી લેવા યોગ્ય નથી. પણ ભાઈ બાપુ કરીને દલપત્ત શૈલીએ સુધારા કરવા પાલવે તેમ નથી, પણ નર્મદ શૈલીએ યાહેમ કરી આગળ ધપવાને સમય આવી લાગ્યો છે. ફત્તેહ માટે શંકા નથી; પણ પ્રથમ પગલાં ભરનારને કદાચ થોડા વખત સહન કરવું પડે છે તેથી ડરવા જેવું નથી. આ સર્વ હકીકત લેખમાં એક અથવા બીજા આકારે આવશે. આ લેખનું નિર્માણ કરતી વખતે અંગત આકાર ન લઈ લે તે માટે “મહામંદિરના ભિષ્મના નામથી એને બહાર પાડવાને વિચાર હતે. એને હેતુ તદન શુદ્ધ હતું. સમાજને નામ સાથે લેવા દેવા ન હોય, એને તે વિચાર સાથે જ કામ છે, પણ પછી વિચારથય કે નામ છૂપાવવાનું તે કાંઈ કારણ નથી અને એક નિયમ તરીકે લેખકનું નામ ન આપવાથી ગેરસમજુતી થવાને સંભવ લાગવાથી મારા નામેજ એ લેખ પ્રકટ કર્યો છે. મારા નામ તરફ જોઈ વિચારનિર્ણય ન કરતાં નવયુગને લક્ષ્યમાં રાખી એ પર ચર્ચા કરશો એટલી વિજ્ઞપ્તિ છે. મને નવયુગને અવકતાં એ જેવા વિચારે કરશે, જેવું બોલશે, વર્તન કરશે, એમ લાગ્યું છે તે લખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિધિથી, અને મને વિશ્વ છે, પણ હું કાંઈ વિશેષજ્ઞ હેવાને દાવો કરી શકું તેમ તે છે જ નહિ. એટલે મતને મળતાં ન થાય તે શાંતિથી, દીર્ઘદ્રષ્ટિથી, વિચારવિશાળતાથી સમાજહિતને નજરમાં રાખી એ પર ચર્ચા કરે એટલી વિજ્ઞપ્તિ કરું અને સાથે જણાવી દઉં કે એના પર થતી ચર્ચા હું શાંતિથી વાંચીશ, વિચારીશ અને પચાવીશ, પણ ખાસ કારણ વગર અર્થ વગરની ચર્ચા કે પ્રકારની પરંપરામાં ઉતરીશ નહિ. એમ કરવાની મને ફુરસદ પણ નથી અને વિષયની મહત્તા જોતાં તેની જરુર પણ નથી. મેં તો મારા વિચાર અને અવલોકનનાં પરિણામ અત્ર રજુ કર્યો છે, તે નમ્ર ભાવે સમાજને ચરણે ધરું છું અને તેને જે ઉપયોગ તેને યોગ્ય લાગે તે કરે તેટલું જણાવવું અત્ર પ્રાસંગિક છે. કઈ કઈ બાબતની પુનરાવૃત્તિ લેખમાં થઈ છે તે સકારણ છે એ આગળ પાછળનો સંબંધ જેવાથી માલુમ પડશે. કોઈ વ્યક્તિ, કઈ સંપ્રદાય કે કઈ સમષ્ટિ, કઈ જ્ઞાતિ કે સંઘ કે સ્થાયી હક્કોને દુઃખ લગાડવાને ઈરાદે ન હોવા છતાં તેમની નજરે તેવું કાંઈ જણાય તે મને ક્ષમા કરે એવી મારી છેવટની વિજ્ઞપ્તિ છે. પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડીંગ, ) મૌન એકાદશી, મુંબઈ, મો. ગિ, કાપડીઆ. તા. ૬-૧૨-૧૯૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનુ નિવેદન જૈનજ્યાતિ સાપ્તાહિક પેાતાના ગ્રાહકાને દર વર્ષે એક સુંદર પુસ્તકની ભેટ ધરે છે. પ્રથમ વર્ષે શ્રી. નાગકુમાર મકાતી બી. એ. એલએલ. ખી.ની રસભરી કલમથી લખાયેલી શત્રુ જ્યાદ્વારક સમરસિંહ નામની ઐતિહાસિક નવલકથા આપવામાં આવી હતી અને ખીજા વર્ષીમાં કુદરત અને કલાધામમાં વીસ દિવસ એ નામનું મારું લખેલું દળદાર પુસ્તક ગ્રાહકેાને સાદર ભેટ આપવામાં આવ્યું હતું. ત્રીજા વર્ષે જૈનસમાજના અગ્રગણ્ય વિચારક અને વિદ્યાપ્રેમી લેખક શ્રી. મેાતીચ'દ ગિરધરાલ કાપડિયાએ ઇ. સ. ૧૯૩૧ની રાષ્ટ્રીય લડત પ્રસંગે મેળવેલા નિવાસ દરમિયાન તૈયાર કરેલું નવયુગના જૈન એ નામનું પુસ્તક ભેટ આપવામાં આવે છે. જૈનજ્યેાતિના વાર્ષિક પાણાચાર રૂપિયાના પ્રમાણમાં આવડું મારું પુસ્તક આપવાનું ભાગ્યે જ પરવડી શકે તેમ છતાં આ પુસ્તકની અંતર્ગત દર્શાવેલા વિચારે જ્યારે હું સાદ્ય ત અવલેાકી ગયા ત્યારે જૈનજ્યેાતિના દરેક ગ્રાહકે આ પુસ્તક મનનપૂર્ણાંક વાંચવું જોઈએ એ પૃચ્છા અત્યંત બલવતી થઈ અને તે કારણ જ આ પુસ્તક ભેટ તરીકે આપવાના નિર્ણય કર્યો. મને આશા છે કે ગ્રાહકબંધુઓને આ પુસ્તક નવયુગની ગીતા સમું મા દશક થઈ પડશે. શ્રી. મેાતીચંદભાઈ એ કાઇ પણ જાતના બદલાની આશા રાખ્યા સિવાય આ પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ આપી તથા શ્રીજી રીતે પણ પ્રકાશનના કાર્ટીમાં સરળતા કરી આપી તે માટે આ સ્થળે તેમને આભાર માનું છું. —પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૮ અનુક્રમણિકા પ્રકરણ ૧ લું. (૩-૧૩) પ્રકરણ ૨ જું (૧૫-૨૨) ભૂમિકા નવયુગના જૈનને પરિચય નવયુગને જૈન કેવો હશે? ૧૫ નવયુગનો જૈન કેવો થશે? એનું ઐતિહાસિક અવેલેન ૧૬ પ્રમાણિક મતભેદ ભૂષણ છે ૪ એ સોલંકી સમયને સુવર્ણયુગ આપણાથી અન્ય વિચારક માનશે હોઈ શકે ત્યાર પછીની સાત સદીઓ-ઝઘડા પુસ્તક રચના ક્યાં અને કેમ? –યુગ વર્તમાનયુગની ભિન્નતા માલ વગરના–અર્થ વગરના ઝઘડા ૧૯ ભિન્નતાના તન-કારણે મૂળ સિદ્ધાંતમાં મતભેદ પડે સાધનની વિપુલતા-ઉપલભ્યતા ૮ નથી આદર્શોને તફાવત ચરણકરણાનુગમાં વિચારવિચારકેની જવાબદારી સંકુચિતતાએ કરેલ નુકસાન ૨૦ ધર્મસનાતનતા ક્યાં અને કયારે ૧૦ સિદ્ધાન્તવાચનમાં પણ સંકોચ રર સાધન ધર્મોમાં પસંદગીને પ્રકરણ ૩ જું (૨૩-૪૬) અવકાશ વિધિનિષેધમાં એકાંતતા ન હોય ૧૩ સાત વર્ષના ઝઘડાએ પ્રાચીન નવીન વચ્ચે ભેદને ચોથ પાંચમને ઝઘડે ૨૩ સ્વીકાર ૧૩ દિગંબર વેતાંબરને ઝઘડે ર૫ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહિયાના અધડા પાંચ-છ કલ્યાણના ઝઘડા ચાથી થાયને ઝધડા વ્યાખ્યાન વખતે મુહપત્તિને ૩૪ અધડા મૂર્તિ પૂજનના ઝધડા ૩૭ ૩૯ ૪૧ ઝઘડાને પરિણામે પીછેહઠ બાળદીક્ષાના વર્તમાન ઝધડા નાના ઝધડાઓ પાર વગરના છતાં અનેક ખાખતા ફેરવાણી છે ૪૪ સમન્વય શકય છતાં ભૂલપરંપરા ૪૬ ૪૩ પ્રકરણ ૪થુ (૪૭-૫૧) સંખ્યાબળ ૨૮ ૩૦ ૩૨ ४७ ધર્મ ખાધની મહત્તા જૈનમાં જાતિભેદ નથી ૪૮ ૪૯ સ્વધર્મીનું સાચું સગપણ ધર્મીમાં ભરતી ન થવાનાં કારણેા ૪૯ સંખ્યા કેટલી ધટતી ચાલી ૫૦ અનેક કામેાની અવગણના ૫૧ પ્રકરણ ૫ મું ( પર-૫૭) કેળવણી અને ગૃહો કેળવણીપ્રશ્નને ખાસ મહત્તા વિદ્યાર્થી ગૃહ-યેાજના અને પર १२ ૫૩ ૫૫ ૧૫ ૫૬ ધર્મ પ્રકરણ ૬ હું (૫૮-૬૭ ) ચરણકરણાનુયોગ ધમની વ્યાખ્યામાં થયેલા સકાચ વિવેક અને સ્વતંત્ર વિચારણા મૂળ માની શેાધ જૈનપણાની વ`માન વ્યાખ્યાએને અમાન્ય લાભાલાભ–દેશ કાળનાં સૂત્રા ચરણકરણમાં સ્વાતંત્ર્ય ક્રિયા અનુષ્ઠાનની ઉપયાગિતાના સ્વીકાર એમાં સેવાધમને પ્રાધાન્ય ભભકા ઘટશે, ધામધૂમને સ્થાન નહિ રહે ક્રિયા માને નવા ઝાક ૫૮ ૫૯ ૫૯ ૬૦ ૬૧ ૬૩ ૬૫ ૬૫ ૬૭ પ્રકરણ ૭ સુ (૬૮-૭૨ ) અહિંસા ૬૯ સમાજરચના અહિંસા ઉપર નવયુગની પાજરાપેાળેા મનુષ્ય માટે અહિ'સાના પ્રકાર ૬૯ વિચારક્ષેત્રમાં અહિંસાને સ્થાન ૭૦ કાય કેળવણીના પ્રશ્નોનાં કેન્દ્રો નવ યુગની સહિતાની રચના વૈજ્ઞાનિક પદ્ધતિએ અહિંસા અહિંસાની સાર્વત્રિક સ્થાપના ગૃહના સચાલકોના આદર્શો ગેરસમજુતીના ખુલાસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૭૧ ૭૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પ્રકરણ ૮મું (૭૩–૧૦૪) નવયુગમાં સ્વાધ્યાય સંયમ નવયુગને વૈયાવચ્ચ વિચાર ૧૦૭ માર્ગાનુસારી ગુણને સ્વીકાર ૧૦૮ નવયુગના પ્રાયશ્ચિત્ત ૭૩ એના પ્રત્યેક ગુણ તરફ નવીનું એને યોગ અભ્યતર તપ ૧૦૮ વલણ પ્રકરણ ૧૦ મું (૧૦૯-૧૨૨) એની વ્યાખ્યામાં નવયુગની વિચારણા સાધુસાધ્વી મધ્યમ કક્ષા નવયુગની સાદાઈ-વેશને અગે છ૭ સાધુ સાધ્વીનું ચિત્ર અદ્ભુત છે ૧૦૯ એ શ્રોતા વક્તા કેવો હશે? ૭૮ જૈન ત્યાગ અપ્રતિમેય છે ૧૧૦ દીન અનાથને અંગે નવયુગ આદર્શ ત્યાગી-Supermanછે ૧૧૧ નવયુગનું સ્વામીવાત્સલ્ય કઠીનતાને અને મધ્યમ માર્ગ ૧૧૧ નવયુગને સત્યાગ્રહ મધ્યમ કક્ષાની આખી યેજના ૧૧૨ ગુણપરીક્ષા અને નવયુગ મધ્યમ કક્ષાનું બાહ્ય આંતર દેશકાળ–આચારની એની જીવન ૧૧૩ વ્યાખ્યા જૈન સર્વન્ટસ સોસાયટી ૧૧૪ નવયુગ અને દીર્ધ દૃષ્ટિ આદર્શ સાધુનું આદર્શ જીવન ૧૧૫ નવયુગને સેવાભાવ સાધુઓ અને નવયુગ ૧૧૬ નવયુગની લજ્જાનો પ્રકાર ખટપટી સાધુઓ અને નવયુગ ૧૧૭ પરોપકારનાં ક્ષેત્રો અને નવયુગ ૯૪ નવીને સાધુઓની પરીક્ષા નવયુગને ઇદ્રિયસંયમ કરશે નવયુગનાં બાર વ્રતો સાધુના બે પ્રકાર પડશે ૧૧૮ સામ્યવાદ સાથે એ સમન્વય સાધુ સંખ્યા નાની પણ કરશે સાધક થશે રાત્રિભોજનમાં શિથિલતા ૧૦૦ નવયુગની આદર્શ સાધ્વીઓ ૧૨૧ નાટક સિનેમા–અનર્થ દડ ૧૦૨ પ્રકરણ ૧૧ મું (૧૨૩-૧૨૮) નવયુગનું અતિથિસંવિભાગવત ૧૦૩ મંદિરે અને નવયુગ પ્રકરણ ૯મું ૧૦૫-૧૦૮) મંદિરની પવિત્રતા વધશે ૧૨૩ લીલામખાતાપણું બંધ થશે ૧૨૪ બાહ્યતને નવયુગમાં આકાર ૧૦૫ શાંતિ વધશે ધ્યાન વધશે ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com ૧૧૮ ૧૧૮ ૧ ૨૦. તપ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 ૧૪૫ ૧૪૧૭ તીર્થ સ્થાનને મહિમા ૧૨૫ સંઘબળને ઉપયોગ તીર્થના ઝઘડાઓ બંધ થશે ૧૨૬ સંધ બહારની સજા બંધ પૂજનનો આદર્શ ફરી જશે ૧૨૭ થવાની કારખાનાને બદલે પ્રભુસ્થાન નિર સાહિત્યની રચના ૧૪૫ થશે ૧૨૮ પ્રકરણ ૧૪ મું (૧૪૭-૧૬૦) પ્રકરણ ૧૨ મું (૧૨૯-૧૩૬) જ્ઞાનસ જૈન સંખ્યાબળ ઉપાશ્રયને નૂતન ઉપયોગ ૧૨૯ શુદ્ધિ શબ્દના પર્યાને નવયુગનાં પુસ્તકાલય ૧૩૦ ઉપયોગ ભાષણોમાં અભિનવશૈલી ૧૩૧ સંખ્યાબળ વધારવાનાં ભાષણમાં મેગેફોન આદિને પગલાંઓ ૧૪૭ ઉપયોગ ૧૩૨ સંખ્યાબળ વધારવાના પ્રેરક નવયુગનાં જ્ઞાન ભંડાર ૧૩૩ આંકડા ૧૪૮ પુસ્તકોને નાશ શાથી ઘટવાનાં કારણોને તપાસ ૧૪૯ થયો છે ? કયાં અને કેવો ઠાસ થયે ધાર્મિક જ્ઞાન પ્રસારની છે-દાખલાઓ ૧૫૦ યોજના ૧૩૫ ભૂતકાળની કર્મકથા સંદેશાઓ ઘેર ઘેર પહોંચાડવાની ખલના કયાં થઈ છે. તેનું ૧૩૬ દિગ્દર્શન કન્યા-ભજન-વ્યવહારને પ્રકરણ ૧૩ મું (૧૩૭–૧૪૬) સંખ્યા સાથે સંબંધ ૧૫૩ જ્ઞાતિમંડળ અને આગેવાની ફીરકાઓ વચ્ચે સહકાર ૧૩૭ અવ્યવસ્થા ૧૫૩ મુદ્દા વગરના ઝઘડા ૧૩૮ પ્રાચીનોને નવયુગના પ્રશ્નો ૧૫૪ તફાવતને લાક્ષણિક નિકાલ ૧૪૦ જ્ઞાતિભેદો પ્રાંતિક ભેદ ઉડી કેરટનાં નાટકો બંધ થશે ૧૪૧ જશે સંગઠન કાયમ કરવાના ગ્રંથવાચન-અભ્યાસનાં દ્વાર નિયમો ૧૪૨ ૧પ૭ સંખ્યાબંધ વધારે ૧૪૩ આકર્ષક સાહિત્ય ઉત્પન્ન કરશે ૧૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com ૧૨૩ ૧૫૧ ગોઠવણ ૧૫૨ ૧૫૬ ખુલ્લાં Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૮૦ ૧૮૩ ધર્મ સંબંધી ગેરસમજુતી જિનપ્રતિમા ધામધૂમ દૂર કરશે ૧૫૮ વિચારણા મધ્યમ કક્ષાનું સંખ્યાબળને આગમ અને મૂળ આદર્શ અશે કાર્ય ૧૫૯ અનુસાર દેવસેવા ૧૭૬ વિશ્વધર્મ બનાવવાના સીધા તીર્થોના ઝઘડા બંધ કરશે ૧૭૬ માર્ગો મંદિરમાં આવવાની સર્વને રજા મળશે ૧૭૭ પ્રકરણ ૧૫ મું (૧૬૧-૧૭૦) સાત ક્ષેત્રનો ક્રમ અને વહેચણું ૧૭૮ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા જ્ઞાનક્ષેત્રમાં નવયુગ ૧૭૯ નવયુગના સાધુના બે પ્રકાર ૧૬૧ અધિકારી ગ્ય વિશિષ્ટ યોગી તત્વજ્ઞાની સાહિત્ય સાધ્વીઓમાં મહાન રૂપાંતર ૧૬૩ સીદાતાં ક્ષેત્રની ખાસ પિષણે ૧૮૨ નવયુગના શ્રાવક–ગૃહસ્થ ૧૬૫ સાધારણ–દ્રવ્યને ખૂબ ધર્મ પ્રભાવક અને સાહિત્ય બહલાવશે રસિક એના ઉપયોગની નવીન અનેક ક્ષેત્રમાં એનું વર્ચસ્વ ૧૬૮ રીતિઓ નવયુગની શ્રાવિકા ૧૬૯ દ્રવ્યવ્યયમાં મતાધિકાર ૧૮૭ વિધવા તરફ પૂજ્ય બુદ્ધિ ૧૬૯ સામાન્ય વ્યવસ્થા માટે કેન્દ્રસ્થા આદર્શ શ્રાવિકા અને વિધવા મંડળ ૧૮૮ ક્ષેત્રો સામાજિક પ્રકરણ ૧૬ મું (૧૭-૧૮૮) દેવ-દ્રવ્ય, સાધારણ દ્રવ્ય, પ્રકરણ ૧૭મું (૧૮૯-ર૧૪) સાત ક્ષેત્રે સમષ્ટિ સંઘ દેવ—દ્રવ્યનો ઇતિહાસ ૧૭૧ ધર્મનું કેન્દ્રસ્થાને રહેશે ? દેવ-દ્રવ્યની નવયુગીન એને તોળવાનાં કાટલામાં વ્યવસ્થા ફેરફાર ૧૯૦ પ્રાચીન અને નવીન માન્યતાને સંઘનાં બંધારણ ૧૭૩ એનાં પ્રતિનિધિત્વને સ્થાન ૧૯૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૮૪ ૧૭૦ ૧૮૯ ૧૯૭૨ ૧૯૧ સમવય Page #21 -------------------------------------------------------------------------- ________________ વમાન પદ્ધતિનું એનું અવલાકન એક અખડ સમસ્ત હિંદુંસધની યાજના ૧૯૩ ૧૯૪ સ્ત્રીઓને સ્થાન, બહુમતિનું ધારણ શેઠને ખદલે સેવકે ઉત્પન્ન થશે. ૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯૭ હિંદ સંધ અને સ્થાનિક સધનાં કાર્ય ક્ષેત્રા સમસ્ત પરિષદીય બંધારણ પરિષદમાં કેવા પ્રશ્નો વિચારાશે ૧૯૮ પરિષદનું પ્રમુખસ્થાન કાને આપશે જ્ઞાતિ—જૈન ધર્મ અને નવયુગ ૨૦૨ શાસ્ત્ર વિચારણાને તેમાં સ્થાન ૨૦૩ જ્ઞાતિઓનું નવયુગમાં ભવિષ્ય નવયુગનાં લગ્નો ૨૦૦ ૨૦૫ ૨૦૭ લગ્ન ક્ષેત્રમાં નવીન વિશાળતા ૨૦૮ જૈન ધર્મીને કન્યા આપવાની ટ પુત્રીનાં લગ્નને અંગે પ્રશ્ના માતપિતા સલાહ દેનારને સ્થાને ૨૧૨ ૨૧૦ ૨૧૧ લગ્નવ્યવહારને સખ્યાબળ સાથે સબંધ વિધવાના પ્રશ્ન અત્યારની વિધવાની દશા શ્રીસ્વભાવ, સેવાભાવ ૨૧૪ પ્રકરણ ૧૮ મુ (૨૧૫–૨૪૩) સામાજિક (ચાલુ) १६ ૨૧૭ સ્ત્રીઓને તક મળી નથી વૈધવ્યનાં કારણા ૨૧૭ ૨૧૮ કારણનારો વૈધવ્ય દૂર વિધવાથમા ભાવી કા ક્ષેત્ર ૨૧૮ ૨૧૯ સ્ત્રી તરફ્ના વતનમાં પિરવત ન ૨૨૦ આપત્તિધમ તરિકે વિવાહ ૨૩૨ કન્યાવિક્રય વરવિય વરકન્યા પસંદગી વેવિશાળની પ્રથા એથી લાભ નથી, જોખમ માટુ છે એક સ્ત્રીની હયાતીમાં ત્રીજી એકપત્નીવ્રત વાર્તામાં પરણવાના ધંધા જમણવાર નવકારશી—સ્વામી વાત્સલ્ય લગ્નવય વિધવા માટે સગવડા જૈન વિધિએ લગ્ન ટા છેડા રડવાફૂટવાના રિવાજ ઉત્તર કા ૨૨૩ ૨૨૫ ૨૨૫ ૨૩૬ ૨૨૭ ૨૨૮ ૨૩૦ પ્રકરણ ૧૯ મુ′ (ર૪૪–૨૬૦) સામાજિક (ચાલુ) લાજ ભાજન કન્યાવ્યવહાર જૈન સખ્યાબળ ૨૩૪ ૨૩૫ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૪ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૫૦ ૨૩૫ ૨૧૫ ૨૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ २७७ ૨૮૩ ૨૬૩ ૨૮૪ ૨૬૪ ૨૮૫ જૈન ઘંટા દિગંતમાં તેની સામે બે આર્થિક પ્રસંગે ૨૭૪ પંચાયત ફંડ ૨૫૨ પરિર્વતનની દિશા ૨૫. સેવા અને બદલો ૨૫૩ વહેંચણી ધધ ખસતાં વાર મિલ્કત (પ્રોપરરી) નો સવાલ ૨૫૫ લાગશે નહિ ૨૭૬ શ્રમજીવી–સમાજવાદ ૨૫૭ તેના વર્તમાન અનેક પરિગ્રહપ્રમાણવ્રતને વિસ્તાર ૨૫૮ દાખલાઓ પ્રકરણ ૨૦ મું (૨૬૧-૨૭૨) વ્યાપારી કેળવણી ૨૭૮ કેળવણીમાં વિજ્ઞાનને સ્થાન ૨૮૦ સામાજિક સંસ્થાઓ વ્યાપારી જ્ઞાનની વિવિધ દિશા ૨૮૧ પ્રાચીનેમાં સંસ્થાને અલ્પભાવ ર૬૧ વ્યાપારનાં ક્ષેત્રો અને પદ્ધતિ ૨૮૨ વિદ્યાથીગૃહ ૩૬૧ સાવકારી નાણું રોકાણ આદિ વિશ્વ વિદ્યાલય ૨૬૩ પ્રશ્નો કેળવણી મંડળ સદો અને નવયુગ બાળાશ્રમ—ગુરુકુળ જુગાર અને નવીને સેવાસંઘો ૨૬૫ સટ્ટો વ્યાપાર ન કહેવાય ૨૮૭ અનેક સમિતિ અને સંસ્થાઓ ૨૬૬ નાણું વિગેરે આર્થિક પ્રશ્નો ૨૮૮ વિચારનિર્ણયમાં બહુમતિને તદ્દન નવાં ક્ષેત્રે હાથ આવશે સ્થાન ૨૬૭ –જૂનાં જશે ૨૮૯ ચર્ચામાં સ્ત્રીઓને સ્થાન ૨૬૮ ટુંકી નજરે વ્યાપાર પર છીણું ૨૯૦ ધનવ્યય અને નવયુગ ૨૬૯ વ્યાપારી સાહસ અને નવયુગ ૨૯૧ એના પ્રકારની વિવિધતા ૨૭૦ વિવિધતામાં વિવેક અને પ્રકરણ ૨૨ મું (૨૯૩-૩૦૬) વ્યવસ્થા ૨૭૨ કેળવણું પ્રકરણ ૨૧ મું (ર૭૩-ર૯ર). એને જૂદા પ્રકરણમાં ચર્ચવાની વ્યાપાર અગત્ય વ્યાપાર એ વર્તમાન જૈનોને પ્રાથમિક કેળવણી ૨૯૪ મુખ્ય વ્યવસાય ૨૭૩ માધ્યમિક શિક્ષણ–ઉચ્ચ વ્યાપારમાં માત્ર વહેચણુ હાથ શિક્ષણ આવી ૨૭૪ પાઠશાળાનું કાર્ય ૨૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com ર૯૩ ૨૯૩ ૨૯૫, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્ત્રીય ૩૦૧ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૧૯ ૩૧૯ કેળવણી ગ્રહો ૨૯૭ તેના સંચાલકો તથા નિયામકે ર૯૮ કેન્દ્રસ્થ કેળવણું સંસ્થાઓ ૨૯૯ સાહિત્યને અંગે કર્તવ્ય પ્રકરણ ૨૪ મું (૩૧૭-૩૩૦) કેળવણનાં સાધન સિનેમા અને કેળવણી નવયુગમાં નારી ૩૦૨ ચિત્રો ફેટા આલ્બમ એને માટે અલગ ઉલ્લેખની વાંચનમાળા જરૂર ૩૧૭ નવયુગમાં વિચારને પૂર્ણ સ્ત્રીઓને થયેલા અન્યાય ૩૧૮ અમલ સવ બંધારણમાં સ્ત્રીની દષ્ટિને સાહિત્યનાં અનેક સાધને ૩૦૬ અભાવ ૩૧૮ એવી સ્થિતિ થવાનાં કારણેને રાજકીય ઇતિહાસ આંખમાંથી આંસુ ખરે તેવાં પરિણામ પ્રકરણ ૨૩ મું (૩-૭-૩૧૬) સ્ત્રી શક્તિને ખૂબ કચરી રાજકારણ તેવામાં એક મહાત્મા જાગી ૩૨૧ રાજકારણ અને વ્યાપારને સંબંધ૩૦૭ એણે સ્ત્રીઓમાં અદ્ભુત ભાવ રાજકારણની કેળવણી ૩૦૮ જે ૩૨૧ રાષ્ટ્ર અને સમાજ ૩૦૮ ખાસ પ્રતિનિધિ નવયુગ નહિ એને એણે પીકેટીંગનું કામ માગે સોંપ્યું પસંદગીમાં વિશાળતા ૩૧૦ નવયુગની નારી કેવી થશે ૩૨૧ સેવાને બદલે (માનવેતન) ૩૧૧ સ્ત્રીકૃત સેવાનાં પ્રકાર ૩૨૨ સેવા કરનારને ચિંતા ન સ્ત્રી તરફના વલણમાં મેટ રહેવી ઘટે ૩૧૨ ફેરફાર પડશે ૩૨૩ રાષ્ટ્રભાવના અને વિચાર પ્રગતિ ૩૧૩ ગૃહજીવન ૩૨૫ કાર્ય કરનારાઓની પ્રાપ્તિ ૩૧૪ નવયુગમાં આદર્શ દપત્ય ૩૨૬ ભવિષ્યના ઇતિહાસનાં મંડાણ ૩૧૬ આખી પદ્ધતિમાં મોટો ફેરફાર ૩૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૩૨૦ ઉઠો ૩૨૧ ૩૧૪ ૩૨૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ૨૨૮ લાજ, રાજકારણ, સંધના મેળાવડા વિધવાનો પ્રશ્ન નવયુગને નહિ મુંઝવે ૩૨૮ અનેક શક્તિને સહયોગ થશે ૩૨૯ બે સ્ત્રી કેજદારી ગુન્હો ગણાશે ૩૩૦ પ્રકરણ ૨૬ મું (૩૪૦-૩૪૮) નીતિ ૩૪૦ ૧૪૨ ૩૪3 ३४४ શારીરિક પ્રમાણિકપણું સત્ય અનેક સદ્ગણે ધર્મ નીતિને સંબંધ તુલનાત્મક ધર્મોમાં ગુચવણ ૩૪૫ જીવનરહસ્ય નીતિ પ્રકીર્ણ ગુણ ૩૪૭ નીતિમાર્ગ દુર્ધર છતાં સંગીન ૩૪૮ ૩૪૬ પ્રકરણ ૨૫ મું (૩૩ ૩૩૯). શરીર --- - શરીર પ્રત્યે અત્યાર સુધી શોધખોળ બેદરકારી ૩૩૧ એમ એ બનાકે કયું મેરી મિટ્ટી ખરાબ કીયા” ૩૩૨ પ્રકરણ ૨૭ મું (૩૪૯-૩૬૮) શરીર સુધારવાનાં પગલાં ૩૩૩ પુરાતત્વ પૂર્વકાળમાં તાલીમના દાખલા. ૩૩૪ પુરાતન બાબતેની શેખેળ ૩૪૯ તાલીમના લાભો ગ્રંથરનાં ભાષાંતરે ૩૫૦ નવયુગ અને રમતો ૩૩૬ સેવાભાવી આજીવન સભ્યો ૩૫૧ એ વર્ગની નવયુગમાં ખાસ સુધારાથી ગભરાવું નહિં ૩૩૭ જરૂર ઘેડા પતિતના દાખલા ધરવા સર્વન્ટસ ઓફ જૈન ઓરડર ૩૫૧ નહિ ૩૩૮ સુસંપ વિચારીને આગળ ધપવું ૩૩૯ પંચાયત પંડ ૩૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com છે ૩૫૧ ૩૫૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર—ખેતી નવયુગનુ ખળ સ્ત્રીશિકત નવયુગમાં સાધુનું સામાન્ય પ્લેટફામ જૈનેાનું સંખ્યાબળ મહાસભા અને રાષ્ટ્રભાવના બ્રહ્મચારિણી—કુમારિકા ક્રિયા કરતાં ચારિત્ર તરફ નવયુગ યુગપ્રધાનનું આવાગમન ભસ્મગૃહ ઉતરી ગયા ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૫૬ ૩૫૮ ૩૫૯ ૩૬૦ ૩૬૧ ૩૬૨ . २० ઉદયકાળની સમીપમાં ૩૬૨ ૩૬૩ સર્વ સામાન્ય પૂજા—પ્રાર્થના ૩૬૩ સ્થાનકવાસીએ પ્રત્યે શ્વેતાંબર મૂર્તિપૂજકો પ્રત્યે દિગબર બંધુઓ પ્રત્યે જૈન મહામદિરના ચણતરમાં ૩૬૩ ૩૬૪ સૂત્રા પ્રેરણા અને ભાવના શાંતિની પ્રાર્થના ૩૬૪ ૩૬૬ ૩૬૭ નવયુગ પ્રત્યે અબ્રાહમલિ‘કન ૩૬૮ શિવાસ્તે પથાન: સંતુ ૩૬૮ સવ મ'ગલમાંગલ્યમ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ નવયુગનો જન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લુ ભૂમિકા 6 કાઈ પણ પ્રજાને પ્રગતિ કરવી હાય તા તેણે ભવિષ્ય ઉપર નજર નાંખવી જોઈએ. જે પ્રજા માત્ર પોતાની ભૂતકાળની વિશિષ્ટતા ઉપર માન લઈ, તે પર ગૌરવ રાખી ખેસી રહે છે તે આ યુગમાં ટકી શકે તેમ નથી. એને ધસારાના રોગ લાગે છે અને એને ક્રમિક વિકાસ અટકી જઈ એ ધીમે ધીમે નાબૂદ થતી જાય છે, આ મુદ્દાથી નવયુગના જૈન કેવા થશે?' એ સહજ પ્રશ્ન પ્રાપ્ત થાય છે. એ વિચારણા ખૂબ અવલાકનને પરિણામે અનેક દષ્ટિબિન્દુઓથી કરવાની છે. એને લઈને આપણે નવયુગના જૈન રીતસર શિક્ષણ લઈ ઈતિહાસના જ્ઞાનથી સુસજ્જ થયેલે, ધર્મના શુદ્ધ તત્ત્વને સ્વીકારનારા, વચ્ચેના વખતમાં દાખલ થઈ ગયેલાં પાંગળાં સાધનાને વિવેકથી સમજનારા, પ્રાગતિક તત્ત્વને પાષનારા અને અનિષ્ટ તત્ત્વ સમજાય તેને પૂરતી સ્વતંત્રતાથી ફેંકી દેવાની જાહેર હિંમતવાળા કલ્પીએ. એ કેવા થશે, એની વિચારણામાં એ શું શું કરશે એની ચર્ચા સાથે, એ ભૂતકાળ તરફ કઈ દષ્ટિએ નજર નાંખશે તે પણ વિચારવાનું બની આવશે અને અનેક દૃષ્ટિબિન્દુથી આધુનિક જૈન પરિસ્થિતિ તપાસવાના પ્રસંગો તેની દૃષ્ટિએ આ ચર્ચામાં સ્થાન પામશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન પ્રમાણિક મતભેદ એ ભૂષણ છે આ ચર્ચા વિશાળ દૃષ્ટિએ કરવાની છે અને વાચકવર્ગને વિજ્ઞપ્ત કરવાની છે કે કઈ દષ્ટિબિન્દુ એની નજરમાં ન ઊતરે તે પણ સાવંત એક વાર આખો લેખ તેણે વાંચી જવો. એમાં ગળે ન ઊતરે એવી વાતથી ચિંતા કરવા કરતાં નવયુગની ભાવનાની દિશા સમજવાના અનેક પ્રસંગે જરૂર મળશે અને આ લેખ વિચાર્યા પછી પિતાના અભિપ્રાય બીજા વાચન વખતે તપાસી જેવાના પ્રસંગે પણ પ્રાપ્ત થશે. વિશાળ ચર્ચા કરતાં મગજનું સમતોલપણું જળવાઈ રહેવાની ખાસ આવશ્યકતા પર ભાર મૂકવાની ભાગ્યે જ જરૂરિયાત હોય. ભૂમિકા રૂપે જરૂરી ખુલાસા આવશ્યક છે. વર્તમાન કેળવણું જે અનેક નવી ભાવનાઓ આપણને શીખવે છે તેમાં એક મુદ્દાની વાત એ છે કે મતભેદથી જરા પણ ગભરાવું નહિ. પ્રમાણિક મતભેદ એ સમાજ શરીરનાં સ્વાસ્થનું અંગ છે, એ ભૂષણ છે, એ દૂષણભાવ છે. અનેકનાં નવનવાં દષ્ટિબિન્દુઓ સમજવાં અને સમજીને તેને ઘટાવવાં એ વિચારવિશાળતાને લહાવો છે. આપણા દેશમાં વિચારકશક્તિ ઘણી બળવાન હતી એ આપણે ન્યાયના અને દાર્શનિક ગ્રંથ વાંચતાં જરૂર જોઈ શકીએ છીએ, પણ વિચારપરિબળ સાથે વિચારસહિષ્ણુતા ઘણી ઓછી જોવામાં આવે છે. અન્યને મતભેદ ઘણી વાર ખેદકારક અંગત સ્વરૂપ પકડી લેતે અને સેંકડો બાબતમાં મત ઐક્ય હોય, પણ એક બાબતમાં મતફેર થાય તો કલેશનું રૂપ લઈ લેતે હતે. એવા અનેક પ્રસંગે આ ઉલ્લેખમાં પણ જોવામાં આવશે. અહીં પ્રસ્તુત વાત એ છે કે ચર્ચાના સ્વીકૃત ધોરણે સ્વીકારી ચર્ચા જરૂર કરવી, પણ આપણાથી અન્ય વિચારક હોઈ શકે જ નહિ, કે આપણું જ વિચારમાં સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું હેઈ શકે એવા ધોરણે કદિ વિચારણા કરવી નહિ. સત્યની જ ગષણા કરવી હોય તે તેને ઈજારે એક વ્યક્તિ કે એક કોમને નથી હોતે, હેઈ શકે નહિ અને વિચારપ્રમાણિકતા તદ્દન પરસ્પર વિરુદ્ધ લાગતાં પરિણામોમાં હોઈ શકે છે એ ધોરણ સ્વીકારી ચાલવું સ્વપરને હિતાવહ છે અને મતભેદ હોય ત્યાં પણ અપેક્ષા સમજતાં શીખવું એ જૈન તત્ત્વજ્ઞાન સમજવાનું અનિવાર્ય પરિણામ હોવું જોઈએ. જે દર્શને નય પ્રમાણ જ્ઞાનને અતિ મહત્વ આપી તે પર પૃથક્કરણ કરી માનસશાસ્ત્રની અપરિમિત સેવા બજાવી છે, ત્યાં સંકોચ અને સંકડાશ ન હોવી જોઈએ. આ સંબંધમાં અત્યંત દુર્દશા જોવામાં આવે છે તેથી આ મુદ્દો ભૂમિકામાં જ સ્પષ્ટ કરવાની જરૂર જણાઈ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નવયુગની ભાવનાઓ બંધબેસતી ન લાગે તે પણ ઉશ્કેરાઈ ન જતાં એનાં કારણ અને એને ઇતિહાસ તપાસવા પ્રયત્ન કરે અને મતભેદને મહત્ત્વ આપવાને બદલે સમન્વય કેમ થાય એની ચાવીઓ શોધવા ઉઘુક્ત થવું. એમ ન જ થઈ શકે તે સમભાવે આ પુસ્તક સાધંત એક વાર વાંચી જવાની કૃપા કરવી અને અભિપ્રાય આપવાની ઉતાવળ કરવા પહેલાં સમાજશરીરના અંતરંગમાં-ભીતરમાં પેસવા પ્રયત્ન કરવો. જે જે પરિસ્થિતિઓ થઈ છે અને તેને નવીન ઝોક મળ્યો છે, અથવા મળ સંભવિત છે, તેની પછવાડે લાંબો ઇતિહાસ હોય છે તે આવી સામાજિક વિચારણામાં ખૂબ ધ્યાનમાં રાખવું. ઘણી વાર અન્યને તદ્દન સામાન્ય અથવા બીનજરૂરી લાગે તેવી બાબતે સમાજને ઝોક આપી દે છે તે અનેક પ્રસંગે જોવામાં આવશે. બીજી સામાન્ય પ્રાસ્તાવિક સૂચના અનેક પ્રસંગે વિચારણા દરમ્યાન અને પુસ્તકના અન્તિમ ભાગમાં થશે એ પર ઘટતું ધ્યાન આપવા વિજ્ઞપ્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ - - નવયુગને જૈન, પુસ્તકનું નિર્માણ કેમ ને કેવી રીતે? આ આખું પુસ્તક નવયુગને તો સમજનાર, વર્તમાન પરિસ્થિતિના અભ્યાસક, ઈતિહાસના જાણકાર, ધાર્મિક પ્રવાહની ઊંચીનીચી ગતિના ગષક અને બની શકતી તટસ્થ ભાવનાના પષક મુમુક્ષુ પુરુષની સાથે થયેલી ચર્ચાવિચારણાના પરિણામે લખાયેલું છે. એમાં અનેક સ્થાને પ્રચ્છન્ન અને પ્રત્યક્ષ હૃદયવેદના પણુ દેખાશે. નવયુગના અનેક પ્રસંગો થવાની શક્યતા સાથે લેખક સમ્મત હોય એમ ધારી લેવાનું કારણ નથી, પણ જેવું દેખાયું તેવું લખી નાંખી તેમની પાસે નૈવેદ્ય ધરવાની ફરજ સમજી: આ ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક લખતી વખતે જૈન કેમને લગતે એક પણ લેખ વર્ષ ઉપરાંત સમયથી વાંચ્યો નથી. અનેક વર્ષોના અનુભવેલા પ્રસંગે પર થયેલ વિચારણું ને અવલોકને રજૂ કરવાની તક મળી તેનું આ વ્યક્ત પરિણામ છે. આ દષ્ટિમાં કાંઈ તટસ્થતા દેખાય તે આવકારદાયક ગણાવી જોઈએ. કોઈ પણ સાધનની ગેરહાજરીમાં એક પછી એક વિચાર આવ્યા કરશે એમ ધારી લઈ આ પુસ્તક લખવા માંડયું છે. એની પરિપૂર્ણતાને દાવો તે કઈ રીતે શક્ય નથી. લખતી વખતે સાધનની પણ અલ્પતા છે, ચર્ચા કરનારની સંખ્યા નહિવત થઈ ગઈ છે અને વાતાવરણ વિચિત્ર છે. આવા સંજોગોમાં એક દિવસ ફરતાં ફરતાં એક મહારાષ્ટ્રીય બંધુના હાથમાં પુસ્તક જોયું. તેનું નામ હતું નવયુગચા ધર્મ' એટલા નામાભિધાન પરથી નવયુગના જૈનની કેવી ભાવનાઓ થશે તે પર વિસ્તૃત ઉલેખ કરવા નિર્ણય થ આ પ્રમાણે પ્રસ્તુત અપ્રસ્તુત પ્રાસંગિક વાત કરી ભૂમિકારૂપે લેખકની દષ્ટિએ મહત્વની લાગતી સૂચના કરી હવે મુદ્દા પર આવી જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લુ આવું આ પુસ્તકનું નામ પાડવાનું કારણ શું? નવયુગ એટલે ક યુગ? એને જૂના યુગ સાથે સંબંધ ખરે કે નહિ? નવયુગના જૈનને પ્રાચીનથી જ કેમ પડાય? ધર્મસૂત્રની સનાતનતા સ્વીકારનારાને નવીન અને પ્રાચીન એ ભેદ કેમ હોઈ શકે? જે કોઈ વાત ન હોય તે તે કેમ લાવી શકાય? અને એ રીતે આ પુસ્તકની આખી પદ્ધતિ બીનજરૂરી હોઈ પ્રયાસ અર્થવિહીન છે એવો પ્રશ્ન સહજ છે, તેથી આ પુસ્તકની આવશ્યકતા પ્રથમ સિદ્ધ કરીએ. યુગભાવનામાં પરિવર્તન પ્રાચીન યુગથી આ યુગ ઘણી રીતે જુદો પડે છે. હિંદમાં વંશપરંપરાગત ભાવના, આદર્શ અને વ્યવહાર સૈકાઓ સુધી ચાલતા, વગર ફેરફારે એક યુગથી બીજા યુગને વારસામાં મળતા અને જીવ જેવા ફેરફાર વગર ઉત્તરોત્તર ચાલ્યા આવતા; મેચીને દીકરે મેચી થાય અને લુહારના લુહાર થાય. આ આખી ભાવના અને સંવ્યવહારપદ્ધતિમાં આ યુગમાં મહાપરિવર્તન થયું એ પ્રથમ ફેરફાર. બીજો ફેરફાર અભ્યાસના ધોરણને લઈને થયે. અમુક બ્રાહ્મણ વિદ્યાનિણાત થવા કાશી જતા અને ત્યાં વૈયાકરણ, નૈયાયિક, જ્યોતિષી આદિ થતા તેને હિસાબ તેમની અતિ અલ્પસંખ્યાને કારણે ન ગણુએ, તે સામાન્ય જનતાનું કેળવણીને અંગે ધોરણ બહુ સામાન્ય પ્રકારનું હતું. લુહાર, સુતાર, દરજી, સેની, કારીગર, મિસ્ત્રી આદિ વસવાયાને આ વર્ગ લગભગ નિરક્ષર હતા. એકંદરે એ વર્ગ ભણવા જાતે જ નહિ અને એમને ભણવાની જરૂર છે એવી જરૂરિયાત કઈ સ્વીકારતું પણ નહિ. આપણને આ લેખમાં સામાન્ય રીતે વણિકવર્ગ સાથે સવિશેષ લાગે વળગે છે. તેનું અભ્યાસનું ધોરણ પણ બહુ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન પ્રકારનું હતું. સોળ આંક, કક્કો, બારાખડી, નામા, સવસ્તીશ્રી (કાગળ લખવાની પદ્ધતિ) અને હિસાબ. ટૂંકામાં અંગ્રેજીમાં જેને ત્રણ આર કહે છે (Reading, Writing, Arithmetic વાચન, લેખન, અંકગણિત) આ સામાન્ય ધોરણ હતું. પંચોપાખ્યાન જેણે વાંચ્યું હોય તે પાંચમાં પૂછવા લાયક ગણાય – ડાહ્યો માણસ ગણાય, સલાહ લેવા લાયક ગણાય અને લવાદ તરીકે તકરાર પતાવવાને લાયક ગણાય. આ ધારણ હતું. એને અંગે અપવાદે હોવા જોઈએ, પણ તેને પ્રકાર તદ્દન નિર્જીવ હેઈ ઉપેક્ષાને પાત્ર છે. આ આખું ધોરણ નવયુગમાં તદ્દન ફરી ગયેલું જોઈ શકાય તેવું છે. સાધનાની વિપુલતા વિચાર કરવાનાં સાધને નવયુગમાં ઘણાં વિસ્તૃત થઈ ગયાં છે. મુદ્રણકળાથી અલભ્ય પુસ્તકે જનતા સુધી પહોંચી શક્યાં છે, રેલવેથી અંતરે ઓછાં થઈ ગયાં છે, વાયુયાનથી તેથી પણ ઓછાં અંતરે થતાં જાય છે અને પાશ્ચાત્ય પ્રજાના અને તેના વિચારોના સંગ—સંબંધમાં આવવાથી વિચારક્ષેત્રની મર્યાદા વધી છે. અત્યારે પૂર્વ અને પશ્ચિમના વિચારને સંઘર્ષણકાળ છે અને પરિવર્તન ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ અનિવાર્ય છે. આ યુગે પદ્ધતિસર ઇતિહાસ જાણે, અનેક દેશની પ્રજાઓ શા માટે લડી અને કેવાં પરિણામે અનુભવી શકી એ તેના જાણવામાં આવ્યું, એણે ધર્મ નિમિત્તે થતાં યુદ્ધો અન્ય પ્રજાના સંબંધમાં જાણ્યાં, આ રીતે એને તુલના કરવાનાં પ્રબળ સાધનો સાંપડ્યાં. આદર્શોમાં ફેરફાર અને મોટે ફેરફાર તે આદર્શો ફરવાને થયો. જ્યારે સાહિત્ય મેટા પ્રમાણમાં પ્રાપ્ત થાય, વાડ્મયપ્રવેશ એ જીવનShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ પ્રવેશનાં દ્વારા થાય અને વિચારશક્તિ ખુલવાના અનેક પ્રસંગા અન્ય પ્રજાનાં જીવતાં અને ભૂતકાળનાં જીવનાને અસર કરતાં દેખાય, જ્યારે જીવનવૃત્તાંતા સત્ય સ્વરુપે અનેક આદર્શોને પૂરા પાડે અને સંવ્યવહાર હિંદના ચાર ખૂણાની બહાર સહેલાઈથી થઈ શકે, સમુદ્રપ્રયાણનાં સાધના સુલભ થાય અને અનેક પ્રાણીઓને અન્ય સંસ્કૃતિએને અભ્યાસ કરી તેના ગુણોષની વિચારણા સાથે પેાતાની સંસ્કૃતિની તુલના કરવાનું બની આવે— આ વગેરે અનેક કારણેાથી પ્રાચીન આદર્શોમાં મહાન પલટ થઈ જતા જોવાય છે અને છતાં હજુ તે તેની શરૂઆત જ છે, એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે. અત્યારના યુગમાં વતા લેાકેા તા હજુ પરિવર્તન કાળમાં છે, પૂર્વપશ્ચિમના તરગા વચ્ચે અથડાય છે, પણ પાશ્ચાત્ય ભાવનાને પચાવનારી નવા યુગ તદ્દન નવીન પ્રકારના આવવાના છે તે આ વિચારચર્ચામાં આગળ જોઈ શકાશે, કેટલુંક કલ્પી લેવું પડશે અને ખીજાં સમય શું કાર્ય કરી શકે છે તેની શક્યતા પારખવાની આવડત ઉપર મુલતવી રાખવું પડશે. વિચારકોની વધુ જવાબદારી આ વગેરે અનેક કારણેાથી નવયુગને પ્રાચીનયુગથી જુદા પાડી શકાય તેમ છે, પરિવર્તનયુગ બહુ લાંષેા વખત ન ચાલે, પણ તે સમયના વિચારકેની જવાબદારી વધારે જરૂર જ ખરી. તેનામાં દી દર્શિતા હાય તે। તે નવયુગના આવતા પ્રવાહને ઝોક આપી શકે, અનિષ્ટ સામે તૈયારી કરવાની સૂચનાએ પણ આપી શકે અને સમન્વય કરવાનાં સાધને તૈયાર કરી રાખી અનેક પ્રકારે સમાજને ઉપયાગી તત્ત્વાને બહાર લાવી શકે. નવયુગ અને પ્રાચીનયુગ વચ્ચે આ કારણે તફાવત પડે છે. અત્યારે એક વિચારને સમજતાં, એને વલણ આપતાં અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ૧૧-,-, * * સ્વીકાર કરી કરાવી અમલમાં મૂકતાં વર્ષો લાગતાં નથી. વચ્ચે એ કાળ હતો કે વિચાર અને વાતો ઘણી થતી, પણ અમલી કાર્ય બહુ વખત મુલતવી રાખવામાં આવતું. એ સમય હવે ચાલ્યા ગયા છે. ચાળીશ વર્ષને છેલ્લે ઈતિહાસ તપાસીએ તે અમુક ફેરફાર થવા જોઈએ, ઈષ્ટ છે –એવી વાતે તે પુષ્કળ થઈ છે, પણ વાતેના પ્રમાણમાં અમલ તદ્દન નિર્જીવ ગણાય. એ પરિસ્થિતિ પરિવર્તનયુગમાં જરૂર થાય તેવી છે, પણ હવે તે પરિવર્તનયુગને પણ છે. સમાજ લગભગ આવી ગયું હોય તેમ જણાય છે. તેથી નવયુગને અને પ્રાચીનયુગને કાંઈ સંબંધ ખરે કે નહિ એ પ્રશ્નનો નિકાલ થઈ જાય છે. એને સંબંધ પરિવર્તનકાળની મારફતે છે અને તે કેટલું રહેશે, કેટલે રહે ઇષ્ટ ગણાય અને ક્યાં તૂટી જશે એને વિચાર કરવો એ આ પુસ્તકનો ઉદેશ છે. નવયુગના જૈનને પ્રાચીન જૈનોથી જુદા પાડવા નથી, પણ એ અત્યારે પ્રવર્તતી અનેક પરિસ્થિતિ દ્વારા જરૂર જુદા પડી જવાના છે એ તે આ ઉલ્લેખની ભૂમિકા જ છે. આ લેખન જેમ વિસ્તાર થતા જશે અને એનાં અભ્યતર કારણોમાં ઉતરવાનું બનશે, તેમ આ બન્ને યુગે ક્યાં જુદા પડશે તે જોવાના અનેક પ્રસંગે સ્વતઃ પ્રાપ્ત થશે. ધર્મસૂત્રની સનાતનતા અત્રે ધર્મસૂત્રની સનાતનતાને પ્રશ્ન પ્રાપ્ત થાય છે. કેટલાક એમ માને છે કે ધર્મ એ તે સનાતન સત્ય છે, એમાં પ્રાચીન, અર્વાચીન કે નવીન એવા પ્રકારે હેઈ શકે નહિ અને આ લેખ કે એની અંદરની ચર્ચા વ્યર્થ છે. આ વિચાર ઘણે ગેરસમજુતીથી ભરેલે છે અને પ્રગતિને વેધક છે. જૈન તત્ત્વજ્ઞાનના અને ક્રિયાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું વિભાગના ઊંડા અભ્યાસ વગર સનાતનતાના બાહુના આશ્રય નીચે કેઈ નવીન વિચારની શક્યતાને પ્રત્યવાય શક્ય નથી એ અને તે બહુ સંક્ષેપમાં બતાવવું પ્રાસંગિક ગણાય. બાકી એ પર સ્વતંત્ર ઉલ્લેખ કરવા જેવું છે. આપણે એ વિષયની મુદ્દાસરની દલીલમાં જરા ચંચુપ્રવેશ કરીએ. જૈનદર્શનના તત્ત્વવિભાગ અને અનુષ્ઠાન વિભાગ એ બે વિષય મુદ્દાના છે. કથાનુયોગ અને ગણિતાનુયોગ પણ એ દર્શનને અંગે છે, પણ કથા શ્રદ્ધાનો વિષય છે અને ગણિત અભ્યાસને વિષય છે. એને આપણા ચાલુ વિષય સાથે ખાસ સંબંધ નથી. સાધનધર્મોમાં વિશાળતા તત્ત્વ વિષયમાં છેલ્લે શબ્દ બોલાઈ ચૂક્યું છે. આત્માનું અસ્તિત્વ, તની વ્યવસ્થા, ચેતનને મેક્ષ, એને વિકાસક્રમ, કર્મનો સિદ્ધાન્ત, નિગદને સિદ્ધાન્ત, સપ્તભંગી, નયપ્રમાણવાદ, સતની વ્યાખ્યા, કર્મબંધનાં હેતુઓ, પ્રયત્નથી કર્મ સાથેની લડાઈ વગેરે નિર્ણિત થઈ ગયેલાં ત છે. એ સમજવા ચર્ચા થઈ શકે, એના ઉપર તર્કની કેટિઓ ચાલે, પણ અંતે જે આત્માનું અસ્તિત્વ, કર્મનો સંબંધ, આત્માને મેક્ષ ન માને, પરભવ ન માને તે જૈન રહી શકતું નથી. આ મુદ્દામ બાબતમાં મતભેદ ન હોઈ શકે, ન સંભવે. પણ આત્માન મેક્ષ સાધવા માટે અનેક સાધનધર્મોની યેજના કરવામાં આવી છે. એને અંગે ચારિત્રના અનેક રૂપ અને અધિકાર છે, સાધનાની ઉચ્ચનીચતા છે, વિશિષ્ટતા સામાન્યતા છે, તરતમતા છે અને એને અંગે અનેક ક્રમે બતાવવામાં આવ્યા છે. પ્રથમ તે સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે રાજમાર્ગો છે, તેને પ્રાપ્ત કરવા માર્ગાનુસારીનાં ઉપલક્ષણે બતાવ્યાં છે અને ગપ્રગતિમાં નીચામાં નીચી હદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન તે ધર્મ–શુકલ ધ્યાનના શેલેશીકરણ સુધી અનેક માર્ગો બતાવ્યા છે. આ વિષય ઘણું વિશાળ છે અને આકર્ષક છે. સાધનધર્મોને પાર ન હોવાથી તેમાં અનેક પ્રકારની છૂટ મૂકેલી છે. એક પ્રાણીને જંગલમાં રહીને પોતાની મુક્તિ સાધ્ય થઈ શકે તેવું લાગતું હોય તો તે સમાજ સાથે માત્ર આહારપાણને જ સંબંધ રાખે. બીજાને લેખ લખીને, પુસ્તકે બનાવીને, વ્યાખ્યાનો તૈયાર કરીને, ચર્ચાઓ યોજીને, અન્યને માર્ગે લઈ આવવા કરવાનું યોગ્ય લાગે અને તે દ્વારા પિતાની મુક્તિ સાધી શકે તેવું તેને લાગતું હેય તે તેણે તેમ કરવું. એમાં સમાજમાં રહી કામ કરનાર કે સમાજથી દૂર જઈ આત્મશ્રેયસ્ સાધનાર એકબીજાની ટીકા ન કરી શકે. આવા તો અનેક પ્રસંગે છે, અને પ્રત્યેક યુગે તે પ્રમાણે સાધનધર્મોમાંથી અમુકને મહત્તા અપાણી છે. જ્યારે દેરાસરની જરૂરિયાત વધારે જણાય ત્યારે એક મંદિર બંધાવનાર તીર્થંકર નામકર્મ બાંધે એ સૂત્રને મુખ્યતા અપાય, અને જ્યારે દેરાસરની સંખ્યા વધી પડે અને સારસંભાળમાં બેદરકારી કે અલ્પકાળજી દેખાય ત્યારે જિર્ણોદ્ધાર કરાવનારને દેરાસર બંધાવનાર કરતાં આઠ ગણું વધારે પુણ્ય થાય એ સૂત્રને વિશેષતા મળે. આમાં કઈ જાતને પ્રપંચ નથી, પણ પ્રત્યેક યુગે એમ થતું જ આવ્યું છે; એ જેનોને ઈતિહાસ જાણનાર બરાબર બતાવી શકે એવાં સાધન તેને હવે ઉપલબ્ધ થયાં છે. અને જૈનદર્શનને ઇતિહાસ જોતાં ચિત્યવાસ થવાના અને રદ થવાનાં કારણોમાં ઉતરીએ, ધોળાંને બદલે પીળાં કપડાં કરવાને ઇતિહાસ તપાસીએ, ક્રિયાઉદ્ધારને આખે ઇતિહાસ અને કરેલા અનેક ફેરફારની તુલના કરીએ તો સાધનધર્મોને અંગે પૂરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧લું વિશાળતા બતાવવાને રસ્તે અનેક વાર વ્યવહારમાં અમલ કરાયેલે દેખાય છે. સાધનધર્મોને અંગે આટલી વિશાળતા બતાવવામાં આવી છે તે જ જૈનદર્શનના અનેકાન્ત સ્વરૂપને આગળ કરે છે. વિધિમા અને નિષેધમાન અંગે જે એકાંત પ્રરૂપણ કરે તે જૈન નથી એ મહાન વિશાળ સૂત્રને ભૂલી જવાથી વચ્ચેના વખતમાં કેટલી અવદશા થઈ છે તે આ પુસ્તકમાં અનેક પ્રસંગે જોવામાં આવશે. અત્રે પ્રસ્તુત વાત એ છે કે કિયાવિભાગને અંગે જે વિશાળ દષ્ટિ જૈન શાસ્ત્રકારે ઠામ ઠામ બતાવી છે, તેને લઈને સનાતનતાની ગૂંચવણ ઊભી કરી સાચી જરૂરી પ્રગતિ અટકાવવી એ જૈનધર્મની સાચી સેવા ન ગણાય. તેથી નવયુગની સર્વ પ્રવૃત્તિ સાપેક્ષ દષ્ટિએ હોય તે તેમાં સનાતનતાની ગૂંચવણે પ્રાચીન અને નવીન વચ્ચે સંગ સંબંધ તૂટી જવાના ભયનું કાંઈ પણ કારણ રાખવા જેવું નથી. આ વિષય પર આગળ અનેક વાર ચર્ચા કરવાની છે, પણ શરૂઆતમાં આ પુસ્તકની વ્યર્થતા એ કારણે સિદ્ધ થાય તેમ નથી તેટલું બતાવી આપણે રસ્તે સાફ કરીએ. બને વચ્ચે ભેદ છે જ નવીન અને પ્રાચીન ભેદ છે જ. તે હોવા છતાં, દેખવા છતાં આંખ આડા કાન કરવા અને ભેદ કાંઈ નથી એમ કહેવું એ માત્ર બેલવા જેવું જ છે, વસ્તુતઃ તેમ નથી. પ્રાચીન અને નવીને વચ્ચે અનેક ભેદ છે. કેટલીક બાબતમાં તે આકરા ભેદ છે અને તે સકારણ છે, પણ સમજવા ગ્ય છે અને ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રાચીનનાં શુભ તને બરાબર સંગ્રહ કરે, પ્રગતિને અટકાવવી નહિ, નવયુગની સર્વ પ્રવૃત્તિઓને વિચાર કર્યા વગર ઉચ્છેદી નાખવી નહિ અને બન્નેના સંકર દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવયુગને જૈન સબળ જૈનદર્શન દુનિયા પાસે રજૂ કરવાના કેડ છે અને તે નવયુગની ભાવનામાંની એક ભાવના છે. આવી અનેક વાતે કહેવાની છે અને વિચારક વાંચનારે તેની તુલના કરવાની છે. શાંતિથી આ અતિ મહત્ત્વના વિષય પર વિચાર કરવાની વિજ્ઞપ્તિ કરી આ ભૂમિકા અહીં પૂરી કરી દઈએ. પુસ્તકની અંદર પ્રસંગે પ્રસંગે અનેક ખુલાસાઓ આવ્યા જ કરશે. નવયુગને જેને આપણું પ્રશ્ન પર કઈ દષ્ટિએ જોશે, કેવાં સાધનો યોજશે અને કઈ કઈ બાબતમાં જુદા પડશે તે પર સંક્ષિપ્ત દષ્ટિપાત કરી જઈએ. નવયુગે શાંતિથી આ પુસ્તક વાંચવું. કેઈના વિચાર પચાવતાં શીખવું અને દૃષ્ટિબિંદુઓ સમજવાં એ તેમને પણ જરૂરી છે. પ્રાચીને માટે તે એ વિજ્ઞપ્તિ કાયમ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ર નું નવયુગના જૈનને પરિચય સમય ઘણો ફરી ગયા છે. દેશ અને કાળ એ વિષય પૈકી દેશ હતું તે ને તે જ રહ્યો છે, પણ કાળમાં મહા પરિવર્તન થઈ ગયું છે. આપણે જે નવયુગના જનને સમજવા પ્રયત્ન કરીએ છીએ તેણે નવીન સંસ્કૃતિને અભ્યાસ કર્યો છે, એ ચર્ચા કરવામાં કુશળ છે, એ અનેક પ્રજાઓના ઈતિહાસના જ્ઞાનથી સંપૂર્ણ રીતે સજજ છે, એને ચર્ચા કરવામાં રસ પડે છે, અને પ્રાચીન માટે માન છે પણ સાર્વત્રિક નહિ. એ પ્રાચીની ભૂલેને જોઈ શકે છે, એ સર્વ બાબતોમાં પ્રાચીને અસાધારણ મનુષ્યો હતા એમ માનતું નથી, એ પ્રાચીનનાં પ્રત્યેક કાર્યોને ચર્ચાને સરાણે ચડાવે છે, પ્રાચીનએ અનેક ગ્રંથને અને આગમોને વારસો મહા કષ્ટ જાળવી રાખ્યો તે માટે તે તેને આભાર માને છે, અને કેટલીક પદ્ધતિ રીતરિવાજે તેમના સમયને ઉપયોગી અથવા જરૂરી હતા એમ અમુક અંશે સ્વીકારે છે, કેટલાકને તે વખોડે છે અને કેટલાકના સંબંધમાં સંભાળભરી ચર્ચા કરે છે. એને મન સર્વ પ્રાચીન છે એટલે સારું જ છે એ નિર્ણય નથી અને સાથે પ્રાચીનના શુભ તને સ્વીકારવામાં એને વાંધો પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ - નવયુગને જૈન આ નવયુગને જૈન મિલનસાર પ્રવૃત્તિઓવાળો, સત્યને શોધક, ધર્મના વિશુદ્ધ તત્ત્વને સમજનાર અને સંગ્રહનાર, નવયુગ પ્રમાણે સમાજરચના કરવાની તાલાવેલીમાં વિચારસરણી કેવા પ્રકારની દાખવશે એ પ્રથમ જોઈએ. એના વિચારના જેમને બરાબર તળવાની આવશ્યકતા એટલા માટે છે કે આ નવો યુગ આ એવારે પાણી પીનાર છે. તેને સમજવા માટે તેને વિચારપથ જરા જોઈ લઈએ. અને પછી તેની સમાજરચનાની શ્રેણીઓ વિચારી જઈશું. નવયુગને જૈન પ્રથમ પિતાનું ઘર તપાસશે. સંવત ૧૦૦૦ પછીને જૈન કેમને ઈતિહાસ દીવા જે એ જોઈ શકશે. એની પૂર્વકાળની સ્થિતિના સંબંધમાં એ શોધખેળ જરૂર કરશે અને અનેક નહિ જણાયેલા પ્રસંગે એ જગતને બતાવી આશ્ચર્યથી દિલ્મઢ કરશે. એ ગણિત, સાહિત્ય, ન્યાય, નાટક, કાવ્ય, તર્ક, કેશ, ઇતિહાસ, શિલાલેખ આદિ અનેક વિષયમાં નહિ જણાયેલાં તને શોધવા પ્રયત્ન કરશે અને અનેક સાધનને એકઠાં કરી એનું પૃથકકરણ કરી એ જૈન ધર્મને બહલાવવા પ્રયત્ન કરશે, પણ એ તે જુદો વિષય છે. ખાસ ઐતિહાસિક સમયમાં એ પડશે ત્યારે એની વિચારણું કેવી થશે એ પ્રથમ જોઈ જઈએ. સુવર્ણ જેનયુગ વનરાજ ચાવડાને જૈન ધર્મને ઉપદેશ કરનાર શિલગુણસરિથી માંડીને એ તરત સેલંકી વંશને ઇતિહાસ વાંચશે, ત્યારે ઐતિહાસિક સમયમાં જૈન કામનું કેવું ઉચ્ચ સ્થાન હતું અને એને ખ્યાલ થશે. એ ગુજરાતની સરહદ મુકરર કરશે, એને વિમળ મંત્રી, શાંતુ મંત્રી, મુંજાલ મંત્રી, જગડૂશા, ભામાશા, ઉદયન મંત્રી, વસ્તુપાળ તેજપાળ આદિના કારભાર ખૂબ આનંદ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું ૧૭ એને શ્રી હેમચંદ્રાચાર્યથી માંડીને અગિયારમા અને બારમા સૈકાની વિશિષ્ટ વિભૂતિઓને વાંચી રે માંચ થઈ જશે. એ જોશે કે સાહિત્યમાં છેલ્લે શબ્દ અલંકાર ચૂડામણિમાં આવી ગયું છે, અનેક પ્રકારના કેશ કરીને જનતાની મહાન સેવા એ યુગમાં થઈ છે, વેગને બહલાવવામાં આવ્યા છેકાવ્યને ઉત્કૃષ્ટ શ્રેણી પર સ્થાન અપાયું છે, ચરિત્રો ચમત્કાર ઉપજાવે તેવાં એ બન્ને સૈકાએ તૈયાર કર્યા છે, આગ ઉપર સુંદર સરળ ટીકાઓ એ યુગે કરી છે અને વાડ્મયની સર્વ દિશા અનેક રીતે ખેડી એણે જૈનદર્શનની સામાન્ય જનતાની ભારે સેવા કરી છે. સોલંકી સમય એ ઉપલબ્ધ ઐતિહાસિક સાધનની દૃષ્ટિએ જોઈએ તે નવયુગની નજરમાં સુવર્ણ જૈનયુગ દેખાશે. એ યુગે જે વ્યવહાર પ્રસંગોનો ઉપયોગ કર્યો છે એ એને ખૂબ આકર્ષક લાગશે. શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સ્વાનુભવી યોગી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની રાજસભામાં જાય, રાજ્યની હકીકતમાં ભાગ લે, રાજાને સલાહ આપે અને છતાં પિતાનું સાધુપદ અને યોગી– સાચવી રાખી તેને મહત્વ આપે એ પ્રસંગમાં અને વ્યવહાર નિશ્ચયનું સમન્વય દેખાશે. અગિયારમી અને બારમી શતાબ્દિમાં એક બે પ્રસંગે બાદ કરીએ તે એને એ આ યુગ સાહિત્યવિલાસી, પ્રાગતિક અને સમયજ્ઞ દેખાશે. કુમારપાળના દરબારમાં દિગમ્બરતાંબરને ઝઘડે એને સાલશે, પણ એકંદરે એ આખા યુગની રચના કરવાની શક્તિ, વ્યવહારદક્ષતા અને ધર્મસામ્રાજ્યને ખીલવવાની કુશળતા પર એ એકંદરે મોહિત થશે. એ અગિયારમી બારમી સદીના એકેએક કવિ, યોગી અને પ્રતિભાશાળી સાધુ અને શ્રાવકને અનેક પ્રકારે સુંદર આકારમાં જનતા સમક્ષ રજૂ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જન પછીની સાત સદીઓ પણ પછીની સાત સદીઓ એ જોશે ત્યારે અહીંતહીં થોડા ચમકારાને બાદ કરતાં એ ધર્મસામ્રાજ્યમાં ધીમે પણ મક્કમ ઘસારે જ જશે. સાત વર્ષમાં એ નિરર્થક ઝઘડાઓને જોશે ત્યારે એને અત્યંત ખેદ થશે. એ ઝઘડાઓનાં મૂળ તપાસશે ત્યારે એને ઝઘડામાં મહત્ત્વનું રહસ્ય નહિ જણાય. એ પ્રત્યેક ઝઘડાને ઈતિહાસ જેશે અને એની વ્યવહારૂ તર્કશક્તિ એમને એક પણ ઝઘડે કરવા યોગ્ય નહોતે એમ દાખવશે અને એ સર્વ ઝઘડાને એ સમન્વય કરી બતાવશે. એ પ્રત્યેક ઝઘડાને ન કરવા યોગ્ય બતાવવામાં એની વિચારશક્તિ, તુલનાશક્તિ અને સમન્વયશક્તિને ઉપયોગ કરશે. એને લાગશે કે આવી નજીવી બાબતમાં ચચોઓ-તકરારે ઉત્પન્ન કરીને જૈનદર્શનને પ્રચાર કરવાનું મહાન કાર્ય વિસારી દેવામાં આવ્યું છે અને ઝઘડાને પરિણામે જૈનદર્શન સંખ્યામાં, લાગવગમાં, વિચારબળમાં અને વિશિષ્ટ પ્રગતિમાં પાછું પડયું છે. ઝઘડાને પરિણામે આખા જૈનસિદ્ધાન્તને વિરૂપ દેખાડનાર વર્ણભેદના પ્રસંગે જૈન કેમમાં ઘૂસી ગયા છે અને અંદર અંદરના કલેશને પરિણામે જૈન કેમ પ્રગતિ કરવાને બદલે પ્રત્યેક યુગે પાછી પડતી ચાલી છે. એક સત્તરમી સદીમાં માત્ર તપગચ્છમાં બાવન પંડિત મહા જબરદસ્ત થઈ ગયા, છતાં તે વખતના ઐતિહાસિક ઝઘડાઓ જોઈએ અને એના રીસો તથા ઉલ્લેખ વાંચીએ તે આપણે શરમાઈએ એવી એ કર્મકથા છે. આ સર્વ સાહિત્ય નવયુગને જૈન વાંચી, વિચારી, પચાવી જૈન કેમને ચેતવશે, એને વર્તમાન કદાગ્રહમાંથી છોડાવવા દિવ્ય દર્શન કરાવશે અને જૈનને સાચે માર્ગ કયો હોઈ શકે અને ક્યાંથી ભૂલા પડ્યા છીએ એ સર્વને રજૂ કરવા પોતાના જ્ઞાનને ઉપયોગ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨જી ચાલ્યા કેટલાક ઝઘડા ઐતિહાસિક થયા છે અને માટી સંખ્યાનાં વર્ષો તે પછી વીત્યાં પણ એ ઝધડા પડ્યા નથી. વાતમાં કાંઈ માલ ન હેાય, જૈનધર્માંના મૂળ સિધાન્તને એની સાથે લાગેવળગે તેવું ન હોય અને છતાં પૂરતા ઉત્સાહથી એ ઝઘડા જ કર્યાં છેઃ અને એને સમન્વય તે વખતે શક્ય હતા અને મતભેદ કાં ા કાલ્પનિક હતા અથવા મહત્ત્વ વગરના હતા તે બતાવવા એવા મુખ્ય ઝધડાઓ પૈકી કેટલાકને એ કઈ નજરે જોશે અને એને સમન્વય કેમ કરશે, એમાં એક પણ ઝઘડે જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તને લગતા નથી પણ સાધનધર્માને લગતા એ સર્વ ઝઘડા હાઈ તે ન કરવા યોગ્ય હતા તે એ કેવી રીતે બતાવશે તે આપણે પ્રથમ જોઇ જઇએ જેથી નવયુગની વિચારસરણીને આપણને સહજ ખ્યાલ આવશે, સાધનધર્મી અને તત્ત્વજ્ઞાન વચ્ચેના તફાવત આ વિચારણાને અંગે સૂત્ર રૂપે એક વાત કરવાની છે. તેની સૂચના સહજ રૂપે ભૂમિકામાં થઈ ગઈ છે અને તે એ છે કે સાધનધર્માં અને તત્ત્વજ્ઞાન વચ્ચેના તફાવત બરાબર લક્ષ્યમાં રાખવા જોઈ એ જૈનદર્શનના મુખ્ય સિદ્ધાંતા આત્માનું વ્યક્તિત, કના સિદ્ધાન્ત, પ્રયાસથી સિદ્ધ, કર્માંથી મુક્તિ, મુક્તિ પછી અજરામરવ, નનિક્ષેપના સિદ્ધાન્ત, પ્રમાણજ્ઞાનના સિદ્ધાન્ત, નિગોદને સિદ્ધાન્ત, સપ્તભંગીનું સ્વરૂપ, તદ્નારા પ્રાપ્ય અનેકાંત વ્યવસ્થા, પરમાણુને સિદ્ધાંત, પરિણામીત્વવાદ, દ્રવ્યગુણપર્યાયવાદ, ગુણનું સહભાવિત્વ, પૉયનું ક્રમભાવિત, જીવ અને કર્માંને સંબંધ, સંબંધ છતાં વિયેાગની શકયતા અને સ પ્રયાસનું અંતિમ સાધ્ય મેક્ષપ્રાપ્તિ – આ મુદાસરના મૂળ સિદ્ધાન્તો છે. જૈન પરિભાષામાં કહીએ તો સમસ્ત દ્રવ્યાનુયાગના સમાવેશ પ્રાયઃ મૂળ સિદ્ધાંતમાં આવી જાય છે. એ સંબંધમાં જેની માન્યતા અસ્પષ્ટ હોય એને - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ -- - ૧૦. નવયુગને જૈન સમ્યકત્વ નથી અને જ્યાં સમ્યકત્વ ન હોય ત્યાં માર્ગોનુસારીત્વ હેઈ શકે છે, પણ જૈનત્વ ત્યાં રહેતું નથી. સમ્યકત્વ વગર જૈનદર્શન તરફ સન્મુખતા હોઈ શકે છે, પણ તે વગર મુપ્રિયાણ નથી; આ મુદ્દાની વાત છે. આમાં કઈ પ્રકારનો અપવાદ શક્યા નથી. ચર્ચા, શંકાસમાધાન અને વિજ્ઞાનબુદ્ધિએ એમાં વાદવિવાદને સ્થાન છે, પણ જે આત્મા, પરભવ, મુક્તિ વગેરે ઉપર્યુક્ત બાબતે ન સ્વીકારે તે જૈન રહી શકતું નથી. આ વાત જૈન સિદ્ધાંતેમાં ઠામ ઠામ ભાર મૂકીને કહી છે અને વિચાર કરતાં તે બેસી જાય તેવી સ્પષ્ટ બાબત છે. એ મુક્તિની સાધના માટે અનેક સાધને અનુષ્ઠાને ક્રિયાઓ માર્ગો અને ઉપાય બતાવવામાં આવ્યાં છે. સમ્યકત્વના સડસઠ લક્ષણથી માંડીને શ્રાદ્ધ જીવનનાં બાર વ્રત-દ્રવ્યશ્રાવકનાં લક્ષણે, ભાવશ્રાવકનાં લક્ષણે, દ્રવ્યયતિભાવનાં લક્ષણ ભાવસાધુતાને અંગે અનેક સાધનની યોજના કરી છે. એમાં અઢાર પાપસ્થાનકને ત્યાગ, આશ્રવનાં કારેને બંધ કરવાના પ્રસંગે, સંવરના અનેક પ્રસંગેનો આદર, નિર્જલાની વિશિષ્ટતા આદિ અનેક બાબતે આવી જાય છે. એમાં આખો નીતિ વિભાગને વિય જેને અંગ્રેજીમાં “એથિકસ' કહે છે કે, તેમજ ક્રિયાના અનેક વિભાગે બતાવવામાં આવ્યા છે. સામાન્ય અધિકારીને દ્રવ્યક્રિયા ભાવ નિમિત્તે બતાવી છે, સામાન્ય વિકાસવાળા માટે અણુવ્રતની યોજના છે, વિશેષ અધિકારી માટે મહાવત બતાવ્યા છે, સાધુ ધર્મ બતાવ્યો છે, સાધુ ધર્મમાં પણ સ્થવિરકલ્પ, જિનકલ્પ બતાવ્યા છે, એમાં વળી બાવીશ તીર્થકરના સમયની અને આદિ તથા અતિમ જિનના સમયની ચર્ચામાં ભેદ બતાવ્યા છે. ચોથા પાંચમા આરાને અંગે અનેક અનુષ્ઠાનમાં ભેદ પડ્યો છે અને આ સર્વ બાબતને સમાવેશ ચરણકરણાનુયોગ'માં કરવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું આ ચરણકરણાનુયોગ દેશ, કાળ, પરિસ્થિતિ, સંધયણ, અધિકારી, ક્ષય પશમ આદિ અનેક કારણે ફરતે જ રાખવામાં આવ્યું છે. એક એક પ્રસંગ લઈને એમ બતાવી શકાય તેવું છે કે એ વાત આમ જ કરવી જોઈએ એવો નિશ્ચય ક્રિયામાર્ગને અંગે હોઈ શકે જ નહિ. સાધુયોગ્ય અનુષ્ઠાન શ્રાવક કરે છે તે ગૂંચવાઈ જાય છે અને શાંત માર્ગે એકાંતમાં આત્મહિત સાધનાર ચગી તત્ત્વજ્ઞાનીનો માર્ગ સ્વીકારે છે અથડાઈ પડે છે. વિશિષ્ટ જ્ઞાનીઓએ તેટલા માટે ચરણકરણ અનુષ્ઠાન ક્રિયાને અંગે ખૂબ છૂટ રાખી છે. જેને જે માર્ગે પિતાના આત્માને ઉદ્ધાર દેખાય, જે રસ્તે સાધ્યપ્રાપ્તિ નજીક દેખાય તે માર્ગ તેણે આદર. એમાં એથી જુદે માર્ગ લેનાર જૈન નથી એવો શબ્દોચ્ચાર કરવાને કોઈને અધિકાર નથી, મિથ્યાત્વી શબ્દ કોઈને માટે વાપરવાની પરવાનગી પણ નથી અને મોક્ષમાર્ગને કે તેને ઉપદેશ કરવામાં કોઈને સદર પરવાને આપવામાં આવ્યું નથી. આ મુદ્દાની વાત છેલ્લા સાત વર્ષમાં તદ્દન ભૂલાણી નથી તે ઉપેક્ષાને પાત્ર રહી છે તે ઐતિહાસિક ઝઘડાનાં એક એકનું સ્વરૂપ જોતાં જણાઈ આવશે. આ પ્રથમ સૂત્ર થયું. સંકુચિતતાએ કરેલ સંહાર અને બીજું સૂત્ર એ છે કે સર્વ દર્શનને પિતામાં સમાવી શકે એ વિશાળ જૈન ધર્મ તે છેલ્લા સાત વર્ષોમાં અતિ સંકુચિત કરી નાંખવામાં આવે છે. એના સર્વગ્રાહી સિદ્ધાત જનતાને પાટલે રજૂ કરવાને બદલે એને ઉપાશ્રયમાં અને પુસ્તકમાં કેદ કરવામાં આવ્યા છે અને જતા કાળે ખૂદ પરમાત્માની વાણી વાંચવાને અધિકાર પણ અમુક નાના વર્ગ સિવાય અન્ય જૈન કે જૈનેતરને નથી એવું પ્રતિપાદન કરીને જ્ઞાન અને ચારિત્ર વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૨ નવયુગને જૈન - . . . . w w - *- ર - - - - મેટે ગોટાળો કરી નાખવામાં આવ્યો છે. ભગવાનના પ્રતિબોધેલા અને ગણધરના ગૂંથેલા સૂત્ર સિદ્ધાતે જનતા પચાવી શકે નહિ એ માન્યતા માત્ર સંકુચિત વૃત્તિનું અનિવાર્ય પણ અતિ ભયંકર પરિણામ છે. કોઈ ક્રિશ્ચિયનને બાઇબલ વાંચવાની ના કહેવામાં આવે, કે કઈ વેદાનુયાયીને ભગવદ્ગીતા વાંચવાની ના કહેવામાં આવે કે મુસ્લીમ બંધને કુરાનેશરીફ વાંચવાની ના કહેવામાં આવે; તેના જેવું એ અતિ વિચિત્ર કાર્ય છે. પણ તે ભલા ભોળા શ્રદ્ધાળુ જૈનોએ ચલાવી લીધું છે તેને પરિણામે આખી કેમ અને લગભગ સમસ્ત જનતા જૈન સિદ્ધાન્તજ્ઞાનથી બેનસીબ રહી છે. આ સંબંધમાં આગળ વિશેષ ઉલ્લેખ વિસ્તારથી કરવાનું છે, પણ અત્રે પ્રસ્તુત વાત એ છે કે જૈન ધર્મમાં અતિ વિશાળપણું હતું તેને બદલે અતિ સંકુચિત વૃત્તિ આ સમયમાં દાખલ થઈ ગઈ અને પરિણામે જૈન કેમમાં વધારે અટકી પડ્યો. જ્ઞાનની મંડાયેલી પરબ સૂકાઈ ગઈ અને અનેક કુળ, જાતિઓ અને કામે ધર્મવિમુખ થઈ ગઈ આ સંકુચિતતાનાં ભયંકર પરિણામો નવયુગ આગળ ચીતરશે ત્યારે આંખમાં આંસુની ધાર ચાલશે અને શી સ્થિતિ થઈ છે અને કેવી વિચિત્ર પદ્ધતિઓ સ્વીકારાઈ છે એને ખ્યાલ કરતાં આપણી મૂર્ખતા, અંધતા અને ગતાનુગતિકતા પર શકોગરેની શ્રેણીઓ નીકળશે. આ બે મુદ્દા ધ્યાનમાં રાખી આપણે ઐતિહાસિક ઝઘડાઓ અને તેને સમન્વય શક્ય હતું તે વાત અને તે ઝઘડાઓનાં અલ્પ મૂલ્ય અથવા અકર્તવ્યસ્વરૂપ ઉપર ઉપરથી તપાસી જઈએ. પ્રત્યેક ઝઘડાની વિગતેમાં તે પુસ્તક ભરાય એવી કરુણકથાઓ છે. એથી આપણે તે માત્ર અંગુલીનિર્દેશ કરી આગળ વધીશું. નવયુગને જૈન એ ઝઘડાઓને કઈ નજરે જોશે એ મૂળ મુદો વિસરવાને નથી – આ વાત ખાસ લક્ષ્યમાં રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું સાતસે વર્ષના ઝઘડાઓ ૧ ચેાથ-પાંચમન ઝઘડે સર્વથી લાંબા સમય સુધી ચોથ–પાંચમનો ઝઘડે ચાલ્યા. વાત એવી છે કે વાર્ષિક પર્વ – સંવત્સરી દીન ભાદરવા સુદ ચોથને દિવસે ઉજવવો કે પાંચમને દિવસે એ બાબતમાં ઝઘડા ચાલ્યા. અસલ ભાદ્રપદ પંચમીને દિવસે એ પર્વનું આરાધન સમસ્ત શ્વેતાંબરે કરતા હતા. કોઈ કારણે કાલિકાચાર્યે ચોથને દિવસે એ પ્રતિક્રમણ કર્યું ત્યારથી ચેપની રીતિ શરૂ થઈ આ મહાન દિવસ જ્યારે આખા વર્ષનાં કૃતકારિત અનુમોદિત દુષ્કૃત્ય માટે વિચારણા કરી ક્ષમા યાચવાની છે અને જે દિવસ સમસ્ત વૈરવિરોધ અંતઃકરણથી ખમાવવાનો છે તે દિવસ ચોથને રેજ ઉજવવો કે પાંચમને રોજ ઉજવવો એની મોટી તકરારે સેંકડે વર્ષથી ઊભી છે. પાંચમને સ્વીકાર કરનાર ચોથવાળાની નિંદા કરે અને ચોથવાળા પાંચમવાળાની; અને એના ઉપર અનેક ચર્ચાઓ ચાલી છે. પુસ્તક લખાયાં છે અને પરસ્પર ગહસ્પદ આક્ષેપો થયા છે. ચોથ–પાંચમના તકરારમાં પડેલા પરસ્પર સામા પક્ષને ઉત્સત્ર પ્રરૂપક, મિથ્યાત્વી, નરકગામી આદિ અતિ તુરછ પરિભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવયુગને જૈન આક્ષેપ કરે છે અને એ વૈરનું શમન જુગજૂ નું હોઈ વારંવાર પ્રચંડ સ્વરૂપ પકડે છે. વીતરાગના શાસનમાં આ ઝઘડે હૈઈ શકે? સંવત્સરી પર્વ સર્વ કવેતાંબરે સ્વીકારે છે. જે દિવસે વૈરવિધ ખમાવવાના છે તે દિવસ ક્યારે ઉજવવો તેની ચર્ચામાં ઉકળાટ આક્ષેપ અને સમયક્ષેપ વીતરાગના અનુયાયીને શોભે છે? વૈર શમાવવાના પ્રસંગને વૈર વધારવાનું કેન્દ્ર કરનાર શાસ્ત્ર રહસ્ય અને શમદમની વિભૂતિઓ કઈ રીતે પચાવી શક્યા હશે તે સમજવું પણ અશક્ય છે. જે પર્વ દિવસના કર્તવ્ય-અકાવ્યની તકરાર હેત તે વાત સમજી શકાય તેવી છે, પણ સામાન્ય પ્રતિક્રમણ કયે દિવસે કરવું એ સંબંધી જમાના સુધી તકરાર ચાલે અને તેને નિકાલ જ ન થાય તે વાત નવયુગને ગળે કોઈ રીતે ઉતરે તેવી નથી. અને સાંવત્સરી પર્વનું કર્તવ્યપણું સ્વીકારનાર એટલી ઉદારતા ન બતાવી શકે કે જેને એથે વૈરવિધ શમાવવો હોય તે તે દિવસે શમાવે અને પાંચમને દિવસે શમાવવો હોય તે પાંચમે સમાવે? મુદ્દો ક્યા દિવસે વૈરવિધ શમાવવો તે હોઈ શકે નહિ, વૈરવિરોધ માટે મિથ્યા દુષ્કૃત્યને જ મુદ્દો હોઈ શકે. મૂળ વાત તદ્દન હવામાં ઊડી ગઈ, પરસ્પર પ્રેમથી બન્ને એકબીજાની પ્રશંસા કરે, અંતરથી બોલે કે “હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ છે મારા જ્ઞાત અજ્ઞાત અપરાધો ખમે. મારે સર્વ જીવાત્માઓ સાથે મૈત્રી છે અને મારે કઈ સાથે વૈર નથી.” આવું મહાન આદર્શ સૂત્ર હૃદયથી બેલનાર એના દિવસની ગડમથલમાં પડી એ પર મરચાઓ કેમ માંડે? સમન્વય શક્ય હો, નહિ તે વિકલ્પમાં પણ જીવ જેવો વાં જણાતું નથી. આમાં મૂળ સિદ્ધાન્તની કાંઈ બાબત પણ નથી અને પરસ્પર ધર્મપ્રેમ વધારવાના દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~ પ્રકરણ ૩ જું ~~ ~ ~~~~~~ આ ઝઘડે અકથ્ય જણાય છે. સેંકડે વર્ષથી ચાલતા આ ઝઘડાને મુદ્દો, સાર્થકત્વ, હેતુ કે ઉપન્યાસ નવયુગને માત્ર ખેદ ઉત્પન્ન કરે તેવો છે. ૨, દિગમ્બર વેતાંબરને ઝઘડો આના કરતાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરનાર ઝઘડો દિગંબર અને તાંબર શાખાઓને છે. એનું મૂળ છેલ્લાં સાત વર્ષથી પણ પૂર્વકાળમાં છે, પણ જરા ઊંડા ઉતરતાં એ ઝઘડામાં દમ જેવું લાગશે નહિ. મુદ્દાના તફાવત બને શાખાઓ વચ્ચે બે છેઃ કેવળીની ભક્તિ અને સ્ત્રીની મુક્તિ. દિગંબરે માને છે કે કેવળજ્ઞાન થયા પછી કેવળી ખાય નહિ, શ્વેતાંબરે માને છે કે કેવળી આહાર કરે. દિગંબરે માને છે કે સ્ત્રી સ્ત્રી તરીકે તે ભવમાં મોક્ષ ન જાય, ત્યાર પછી તે એક ભવ કરી પુરુષને અવતાર લઈ લે ત્યારે એની મુકિત શક્ય છે. કિતાંબરે માને છે કે સ્ત્રી તદ્દભવમુક્તિગામી થઈ શકે. આ બન્ને મુદ્દામાં જૈન દર્શનના મૂળ સિદ્ધાન્તને કોઈ પ્રશ્ન નથી. દિગંબર રચિત અનેક આદર્શ ગ્રંથ પર વેતાંબર આચાર્યોએ ટીકા રચી છે, વેતાંબર તત્ત્વની પરબે દિગંબરેએ પાણી પીધાં છે અને તત્ત્વને જ પણ તફાવત બને શાખામાં નથી. અને ઉપરની બન્ને ગૂંચવણે આ કાળમાં ઊભી થાય તેમ પણ નથી. પાંચમા આરામાં – વર્તમાન યુગમાં કેવળજ્ઞાન કે મુક્તિ આપણા ક્ષેત્રમાંથી શક્ય નથી એમ બને શાખાવાળા માને છે. તે પછી કેવળજ્ઞાન થયા પછી આપણે ખાશું કે નહિ અને આપણો સ્ત્રી વર્ગ મેલે અહીંથી સીધો જઈ શકશે કે નહિ એ પ્રશ્ન સીધી રીતે ઉદ્ભવતા નથી. અને કેવળજ્ઞાન થયા પછી ખાવાનું હશે તે ખાશું અને નહિ હોય તે ત્યાગ કરશું. આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ཀ ཀ ན བཀ བཀའ ઘણી વાર ખાઈએ છીએ છતાં ખાવા તરફ લક્ષ્ય ન હોય, તેમાં તલ્લીનતા ન હોય તે ખાધું ન ખાધા જેવું જ છે એવા અનેક ખુલાસા શક્ય છે, પણ એવા ખુલાસા હોય કે ન હોય, પણ જે પરિસ્થિતિ હાલ આવવાની નથી અને આવે ત્યારે વીતરાગ દશા અનુભવનાર આત્મા મહાયોગી થાય તેની દશા માટે આપણે ઝઘડા કરવાનું હોય? અને સ્ત્રીની મુક્તિને ખુલાસે પણ શક્ય છે, સમન્વય દીવા જેવો છે પણ એ ભાંજગડમાં પડવાની શી જરૂર છે? જ્યારે એ પરિસ્થિતિ આવશે ત્યારે જોયું જશે. આ બંને મતભેદના મુદામાં કોઈ મહત્ત્વના–તત્ત્વને સવાલ નથી. નવ તત્ત્વ બનેને માન્ય છે, તત્વાર્થ સૂત્રનાં ઝરણાં બન્ને પ્રવાહમાં એક રૂપે જ પડ્યાં છે, ત્યારે કલ્પના પર રચાયેલી કૈવલ્ય દશાની બાબતમાં તકરાર કરીએ એ વિશાળ તત્ત્વજ્ઞાન અને નય નિક્ષેપ સમજનારને ન ઘટે. છતાં બે મુદ્દા પર પાર વગરનાં ખંડનમંડને થયાં છે. દિગંબર કવેતાંબર વચ્ચે બીજા નાના મતભેદે પણ છે. એક તીર્થકરની મુદ્રાની ધ્યાનસ્થ દશા માને છે, શ્વેતાંબર સમવસરણસ્થ દશામાં મૂર્તિને પૂજે છે. મૂર્તિને પૂજવામાં મતભેદ કેઈને નથી, માત્ર કઈ દિશાએ પૂજવી એ પ્રત્યેકની મરજી ઉપર રાખવામાં જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તને વાંધો નવયુગની નજરે નહિ દેખાય. અને જિનબિંબને ચક્ષુ ટીલાં ચઢાવવાં કે નહિ, એને અલંકાર પહેરાવવાં કે નહિ એ તે ભક્તિનો વિષય છે, તદ્દન સાધનધર્મને સવાલ છે અને જેને જે રીતે અંતર આનંદ થાય તે રીતે કરે એવી છૂટ આપવી ઘટે. કોઈને વીતરાગ દશામાં શોભા કે બાહ્ય અલંકારમાં વિરૂપતા દેખાતી હોય તે તે સાદા રૂપે સાલંબન ધ્યાન કરે. કોઈને અલંકારમાં મજા આવતી હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૨૭ - * * * * * * * * * * * * * * * તે તે રૂપે પૂજે. એ બાબતમાં મતભેદ તકરારનું રૂપ લે એ વાત કઈ રીતે નવયુગને ગળે ઉતરશે નહિ. અને પિતા પોતાના આદર્શ પ્રમાણે પૂજન ચાલુ રાખે અને અરસપરસ કેાઈની ચર્ચા નિંદા ન કરે એ રીતે આ બાબતને સમન્વય થઈ જશે. જરા વિશાળતાથી જોતાં આવી સામાન્ય બાબત શા માટે તકરારનું રૂપ લઈ બેઠી હશે એ વિચાર જ નવયુગને તદ્દન અકર્તવ્ય લાગશે. એને ભારે ગ્લાનિ થશે કે મહા ઉપકારી તીર્થો સુધી આ ઝઘડા પસી ગયા છે અને તેને બને શાખાઓએ તદ્દન ગેરવ્યાજબી રીતે અતિ મહત્ત્વ આપ્યું છે. એને સમન્વય દીવા જેવો લાગશે અને તે જરૂર કરી બતાવી સર્વને તે સંપૂર્ણ છૂટ આપશે અને તેને આવા મુદ્દા પર નિંદા ચર્ચા વિસંગત લાગશે. આ સિવાય નાના નાના મતભેદો બને શાખાઓ વચ્ચે છે તેમાં તત્ત્વને કે મૂળ મુદ્દાને સવાલ નથી. દિગંબરે સોળ દેવક માને છે, શ્વેતાંબરે બાર માને છે. આમાં કોઈ મુદ્દો નથી. બને શાખા વચ્ચે નવાણું ટકા સામ્ય છે અને એક ટકે મતભેદને છે તે સાધનધર્મો ક્રિયાઅનુષ્ઠાન અથવા દષ્ટિબિન્દુ સમજવાના પ્રયત્નની ગેરહાજરીને પરિણામે થયેલ છે. એને સમન્વય શક્ય ન જણાય ત્યાં માન્યતામાં વિકલ્પ આપવાની ઉદારતા અને ક્રિયાઅનુષ્ઠાનમાં બન્નેની રીતિ પિતાપૂરતી માન્ય રાખી ચાલે તેમાં જૈન સિદ્ધાન્તને જરા પણ વધે આવે તેવું નથી. નવયુગને તો નવાઈ લાગશે કે આવા મુદ્દા પર સેંકડે વર્ષ તકરારે ચલાવી તેને બદલે શક્તિ, સમય અને આવડતને ઉપયોગ પ્રચારકાર્યમાં થયે હેત તે અત્યારની સ્થિતિ થાત નહિ. તદ્દન મુદ્દા વગરના ઝઘડા કરી શક્તિને દુર્વ્યય થયેલો એ બરાબર જોઈ શકશે અને જ્યાં માલિકી હકની તકરાર ઉઠશે ત્યાં બંધુભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન વિશાળ નજરે હજારો લાખોનાં ખર્ચ કર્યા વગર એને નિકાલ લાવશે. જૈન અને બૌદ્ધ વચ્ચે મતભેદ મુદ્દાને છે. જેન અને વેદાંત વચ્ચે ચર્ચા તલસ્પર્શી છે, પણ કવેતાંબર દિગંબર જૈન વચ્ચેની ચર્ચામાં મુદ્દાને એક પણ સવાલ નથી. આવી રીતે તત્ત્વજ્ઞાન – દ્રવ્યાનુયોગમાં સંપૂર્ણ એકતા હોવા છતાં બનને વચ્ચેના વૈમનસ્ય અત્યંત ખેદકારક રૂપ શા માટે સદીઓ સુધી લીધું હશે એ નવયુગને એક માટે કેય લાગશે. ૩ “ઇરિયાવહિયાને ઝઘડે ઈરિયાવહિયામાં હાલતાં ચાલતાં, કાંઈ કામ કરતાં, લેતાંમૂકતાં કેઈ સૂક્ષ્મ બાદર છવને પીડા થાય તેને માટે ક્ષમાપના માગવાની છે. એના મુદ્દામ પાઠને ભાવ આ પ્રમાણે છે: “ગમનાગમન આદિ ક્રિયા કરતાં એકથી પાંચ ઈદ્રિયવાળા કોઈ પણ જીવને (1) પીડા ઉપજાવી હોય, (૨) આચ્છાદન કર્યા હોય, (૩) પરસ્પર કે જમીન સાથે મસળ્યા હોય, (૪) એકઠા ક્ય હોય, (૫) સ્પર્શ કરીને દુઃખ આપ્યું હોય, (૬) કષ્ટ પહોંચાડ્યું હોય, (૭) કિલામણું નીપજાવી હોય, (૮) ત્રાસ આ હેય, (૯) એક સ્થાનકેની બીજા સ્થાનકે નાંખ્યા હોય અને (૧૦) એના જીવનને નાશ કર્યો હોય તે પાપ મારે માટે મિથ્યા થાઓ.’ જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવના છે, નાનામાં નાના જીવને માટે ચિંતા છે, જરા પણ વ્યથા થઈ જાય એનું પૃથક્કરણ છે અને ભૂતયાને વિશિષ્ટ ચમકાર આ સૂત્રમાં છે. તપગચ્છ આદિ અનેક ગચ્છે કઈ પણ ધર્મક્રિયા – સામાયકાદિ શરૂ કરે ત્યારે આ મૂચ્ચારથી પ્રાયશ્ચિત્ત કરે છે અને ક્રિયા પૂરી કરે ત્યારે પણ બીજી વાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જ ખરતરગચ્છના વિશિષ્ટ લેખકોને સવાલ થયો કે ક્રિયા પૂરી કરતી વખતે આ આલોચના કરવી તે ઉચિત છે. આવશ્યક સૂત્રમાં “પછી ઇરિયાવહિયં કુજા” એ પાઠને અનુસરે છે, પણ શરૂઆતમાં શા માટે એ સૂત્રને ઉચ્ચાર કરે છે ? એ ક્ષમાપના કયા પ્રસંગ માટે છે? એમાં અતિવિધિ થાય છે વગેરે. આ “ઈરિયાવહિયા” એક વાર બોલવા કે આદિઅંતમાં બે વાર બેલવા એને ઝધડે સાતસે વર્ષથી બને ગો વચ્ચે ચાલે છે. એ ઉપર ગ્રંથ લખાયા છે અને વીતરાગના શમપ્રધાન દર્શનમાં પરસ્પરને ન દેવા યોગ્ય શબ્દોથી નવાજવામાં આવ્યા છે. તમે મિથ્યાત્વી છે એ ગાળ તે આ સાંપ્રદાયિકોને તદ્દન સાદી લાગે છે, પણ પરસ્પરને ગધેડા, મૂર્ણાનંદે, ધર્મપી આદિ પાર વગરની ગાળો આપવાની પરસ્પર હરિફાઈ ચાલી છે, અને હજુ સુધી એ ઝઘડાને અંત આવ્યું નથી. નવયુગને આ તદ્દન હસવા જેવી વાત લાગશે. એક વાર બોલવું હોય તે ભલે એક વાર બોલે, બે વાર બોલનારા ભલે આગળ અને પાછળ બે વાર બેલે. એમાં ક્યું મેલ દૂર ચાલ્યું જાય છે? અને ભગવાનના ધર્મમાં ગાળાગાળી અને આક્ષેપ અને તે પણ ગૃહસ્થના મુખમાં ન છાજે તેવા – અને તે પણ શેને માટે? આમાં કયો મુદ્દાને સવાલ હતે? અને આમાં મરચા, માંડવા જેવી કઈ મહત્ત્વની બાબત હતી? મેં મારા ઘાટીને હુકમ આપ્યો હોય કે તેણે બપોરે ચાર વાગે ઝાડુ કાઢી સર્વ સાફ કરવું. તે ચાર વાગે તે જરૂર ઝાડુ કાઢતે હોય, પણ સવારે ઉઠીને પણ કાઢે તે તેમાં શેઠના હુકમને વાંધ આવે? અને સાફ કરવાની ક્રિયા વધારે વખત કરવામાં આવે તે તેમાં આનંદ લેવાનું હોય કે આક્ષેપ કરવાના હોય? અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન બે વખત સાફ કરનાર એક વખત સાફ કરનારમાં જે એજ અને હૃદયંગમતા વધારે જુએ તે તેની પ્રશંસા કરે. અને આ રસ્તો પ્રાપ્ય ન જણાય તે બને પિતાને રસ્તે ટીકા નિંદા કે ગાળાગાળી કર્યા વગર કામ ચલાવ્યે રાખે. આવા અનુષ્ઠાનધર્મમાં ઝઘડે શોભે? અને તે યુગો સુધી ચાલે અને તેને આરે ન દેખાય એ કર્મને છતી મુક્તિ મેળવનાર માર્ગમાં કેમ હોઈ શકે એમ નવયુગ પ્રશ્ન કરશે. એને જવાબ હજુ સુધી મળ્યો નથી અને કઈ આપે એવું લાગતું પણ નથી. આવા વ્યર્થ ઝઘડાઓમાં શક્તિ, સાધન અને અવકાશનો ઉપયોગ કરી મુદ્દામ કાર્ય તરફ કેટલી ઉપેક્ષા બતાવવામાં આવી છે તેના જવાબ નવયુગને આપતાં ક્યાંયે પણ પરસેવો થઈ આવશે. ૪ પાંચ-છ કલ્યાણકને ઝઘડો તપગચ્છ ખરતર ગચ્છમાં આવા અર્થ વગરના એક બે મતભેદ છે, મુદ્દાને મતભેદ એક પણ નથી. બન્નેના આચાર્યાદિએ કરાવેલ પ્રતિષ્ઠા પરસ્પર માન્ય છે. તેઓ વચ્ચે ચોથપાંચમને મતભેદ છે તે નં. ૧માં આવી ગયો. એક ક્ષુલ્લક મતભેદ શ્રી મહાવીર પરમાત્માના છ કલ્યાણક માનવાં કે પાંચ માનવા એ છે. કલ્યાણક એક ભગવાનની પુણ્યતિથિ. એ પ્રત્યેક તીર્થકરને અંગે પાંચ હોય છે. માતાની કુખે આવે તે પ્રથમ, બીજે જન્મદિવસ, ત્રીજે દીક્ષાનો દિવસ, ચોથે કૈવલ્યપ્રાપ્તિને દિવસ અને પાંચમો નિર્વાણપ્રાપ્તિને દિવસ. ભગવાન શ્રી મહાવીરસ્વામી પ્રથમ દેવાનંદાના ગર્ભમાં આવ્યા, ત્યાં ૮૨ રાત્રી રહ્યા. પછી ક્ષત્રિયને ઘેર ત્રિશલા રાણીના ઉદરમાં ગર્ભસંક્રમણ થયું. આ પ્રસંગ જેકે આશ્ચર્યભૂત છે છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ૩૧ એને પણ કલ્યાણક માનવું જોઈએ એ ખરતરને મત છે અને તપગચ્છાદિ બીજ ગચ્છા પાંચ કલ્યાણક માને છે. આમાં કાંઈ વિચાર કરવા જેવો પણ તફાવત નથી, એમાં કોઈ મુદ્દો નથી. પાંચ માનનારા પાંચ માને અને કેઈને વધારે માનવા હોય તે. ભગવાનને નિશાળે મોકલ્યા એ તિથિને ઉજવે, ભગવાને ચંડકૌશિકને ઉપદેશ આપ્યો તે દિવસ ઉજવે, સંગમદેવ ભયંકર ઉપદ્રો કરી છ માસની આખરે પાછે સ્વર્ગમાં ગયો તે દિવસ ઉજવે, ગૌતમાદિ ગણધરની સ્થાપના કરી તે દિવસ ઉજવે – આવા તે અનેક પ્રસંગ છે તે ઉજવવા હોય તો વાંધો નથી; ભગવાનના જીવનને જેટલી દિશાએથી બહલાવી શકાય તેટલું તે અભિનંદવા યોગ્ય છે. એને કલ્યાણક કહે, પુણ્યતિથિ કહે કે ગમે તે નામ આપો. આમાં ઝઘડે શ? અર્થ શો ? મુદ્દો શો? હાટિઝમ એક ઈસાઈ ધર્મની દીક્ષાની ક્રિયા. છ સાત વર્ષનાં બાળકોને તે કરવામાં આવે છે. બ્રાહ્મણે ઉપનયન સંસ્કાર કરે છે તેની સાથે આ ક્રિયાને સરખાવી શકાય. એ ક્રિયા કરતી વખત બે આંગળી ઊંચી કરવી કે ત્રણ આંગળી ઊંચી કરવી તેના ઝઘડામાં લોહીની નદી યુરેપમાં ચાલી હતી. આપણને એ તકરાર મુદ્દા વગરની લાગે છે અને એવા નજીવા કારણ માટે લડનારને મૂર્ખ કહીએ છીએ. આ મૂર્ખાઈને શરમાવે તેવા ઝઘડા જૈન કેમે કર્યા છે અને તેમાં બન્ને પક્ષોએ યાહેમ ઝુકાવ્યું છે. આવો પ્રશ્ન નવયુગ પૂછશે અને તમને બે આંગળી ત્રણ આંગળીના ઉપર વર્ણવેલા ઝઘડાની ટીકા કરવાનો અધિકાર નથી તેને ઉત્તર અપાય તે એક પણ મુદ્દો પ્રાચીનએ રજૂ કરેલો જાણવામાં નથી. એટલી વિશાળતા કેમ ન રહી કે છ તે શું પણ ભલે કઈ છત્રીશ કલ્યાણક માને, પણ પાંચ કલ્યાણક માનવામાં તો આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન સર્વ એકમત છીએ. એકમતને આગળ કરવાને બદલે નિરર્થક વાતને મોટું રૂપ આપી તે પર શાસ્ત્રના પાઠે ચર્ચવા, તેના મનગમતા અર્થ લગાવવા અને તેને આધારે પરસ્પર આક્ષેપ કરવા એમાં જરા પણ દીર્ધનજર, સભ્યતા, વિવેક અને વ્યવસ્થા જળવાઈ હોય એમ સહદય જેનને લાગવું મુશ્કેલ પડશે. ૫ ચતુર્થ સ્તુતિને ઝઘડા આવો જ એક વિચિત્ર ઝઘડે લગભગ પોણસો વર્ષથી ચતુર્થસ્તુતિ સંબંધમાં ચાલે છે. એ સમજવા યોગ્ય છે, જોકે એનો સમન્વય તે દીવા જેવો છે. મોટા દેવવંદનમાં ચાર સ્તુતિ આવે છે. પ્રથમ સ્તુતિમાં એક તીર્થકરની સ્તુતિ હોય છે, બીજીમાં એવીશ તીર્થકરની, ત્રીજીમાં જ્ઞાનને મહિમા અને ચોથીમાં દેવ દેવી કે યક્ષની સ્તુતિ આવે છે. શ્રી રાજેંદ્રસૂરિએ સૂત્રને સારે અભ્યાસ કર્યો. રાજેદ્રકેશ તેમનું પ્રખર જ્ઞાન બતાવે છે. તેમને વિચાર આવ્યો કે દેવ દેવી કે યક્ષ સમકિતધારી હોય તે પણ ચોથા ગુણસ્થાનકે હેય, તેને પાંચમા ગુણસ્થાનકવાળા સાધુઓ શા માટે સ્તવે? માટે ઉપરની ચાર સ્તુતિઓ પૈકી ચોથી સ્તુતિ ન હોવી ઘટે. એ અસ્થાને હેઈ અવિસંગત છે વગેરે. આના ઉપર ચર્ચાઓ ચાલી, મરચા મંડાણ અને ગામેગામમાં ત્રણ થઈવાળા અને ચાર થઈવાળાના પક્ષો બંધાયા અને હજુ સુધી એ ઝઘડા ચાલ્યા જ કરે છે. આ ઝઘડે તદ્દન અર્થ વગરને છે. શાસનાધિષ્ઠાયક દેવદેવીને જે રીતે આગમમાં બતાવ્યાં છે તે રીતે તેમનું ચોથું ગુણસ્થાનક ચોક્કસ છે, જ્યારે આપણું શ્રાવકેનું દેશવિરતિધરપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૩૩ અને સાધુનું સાધુપણું વિકલ્પ છે. સમ્યકત્વ એ આત્મગુણ હોઈ બાહ્ય દેખાવ કે વેશ પર એના અસ્તિત્વ કે અભાવને નિર્ણય ન થઈ શકે. વાત ખરી છે કે દેવનું સ્થાન, દેવીનું સ્થાન અને યક્ષયક્ષિણીનાં સ્થાને ચોથા ગુણસ્થાનકથી આગળ નથી. પણ સવાલ એ ઊભો થાય છે કે આપણાથી નીચી હદના કે ગુણસ્થાનકમાં પાછળ પડેલાને આપણે સ્તવીએ, એમને ધર્મપ્રેમ, શાસનસંરક્ષણ, શાસનનાં સ્થાનોની રક્ષા આદિ માટે તેમની પ્રશંસા કરીએ તે તેમાં આપણે કાઈ ખોટું કરતા નથી. અને આપણુથી ઓછી પાયરીવાળે આપણને સામો મળે અને આપણે હાથજેડ કે હસ્તધૂનન તેની સાથે પ્રથમ કરીએ તે તેમાં આપણી લાયકી ઓછી થતી નથી. ઉલટું એ તે નમ્રતા-સભ્યતા-દક્ષતા બતાવે છે. અને આપણી લાયકીન વિકલ્પ હોય અને સામાની સેવા સ્વીકારાયેલી અને ગુણસ્થાન સ્પષ્ટ નિર્ણિત હોય ત્યાં સ્તુતિ કરવામાં વાંધો દેખાતો નથી. પણ આ તે ભાંજગડની વાત થઈ. કેઈને મનમાં એમ આવે કે એવી રીતે ઉચ્ચ સ્થાનવાળા નીચા સ્થાનવાળાની સ્તુતિ કરે એમાં ગૌરવહાનિ છે તે તે સ્તુતિ ન કરે. ત્રણ સ્તુતિમાં બને એકમત છે. જેથી સ્તુતિનો પ્રસંગ આવે ત્યારે સિદ્ધાણું બુદ્ધાણંને પાઠ પૂરો કરી એ બેસી રહે. એને કહેવું કે તમે જરા થંભ, અમે બે મિનિટમાં સાથે થઈ જઈશું. એ બે મિનિટ મનમાં નવકાર ગણે. જેને સ્તુતિ કરવી હોય તે “વૈયાવચ્ચગરાણું અનત્ય ઉસીસીએણું ને પાઠ કહી નવકાર ગણી સ્તુતિ કરી લે અને બાકી તે સર્વ સામાન્ય છે. આવી રીતે એક બાપના દીકરા નવસેને નવાણું બાબતમાં એકમત હોય તે આવા તદ્દન નિર્જીવ સવાલ ઉપર મરચા માંડે અને ગામેગામ બે પક્ષો પડે એ વાત નિગ્રંથ પ્રવચનમાં કેમ નભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ - - નવયુગને જૈન શકે? મોરચા માંડવા પહેલાં મરચાને યોગ્ય બાબત તે હોવી જોઈએ ને? નિરર્થક બાબતમાં સામસામી છાવણીઓ ઊભી કરી દેવી અને સેંકડે એકમતની બાબતને મુખ્યતા ન આપતાં, નિર્જીવ મતભેદની બાબતને અગત્ય આપવી અને હજુ તેવી બાબતે પર પુસ્તકે અને પુસ્તિકાઓ પ્રગટ થયા કરે અને જાણે જૈનદર્શનને મહાન અપકર્ષ આવા મામુલી પ્રશ્ન પર થઈ જતો હેય એવો દેખાવ કરે એ વાત નવયુગને ગળે કઈ રીતે ઉતરશે? આ ઝઘડામાં જે દીર્ધદષ્ટિ અને તુલનાશક્તિને અલ્પભાવ કે અભાવ બતાવવામાં આવ્યું છે તે નવયુગને ખરેખર આઘાતક લાગે તે છે. શાંતિથી વિચાર કરનાર વસ્તુનું મહત્ત્વ અને ઝઘડાની ખાનાખરાબી જરૂર લક્ષ્યમાં રાખી આ વાતને ન્યાય – નિર્ણય કરશે એવી આશા રાખી શકાય. ૬ મુહપત્તિને ઝઘડે આવો જ એક વિવેક-વ્યવસ્થા વગરને ઝઘડે સેએક વર્ષથી વ્યાખ્યાન વાંચતી વખતે મુહપતિ બાંધીને વાંચવું કે તેને હાથમાં રાખીને વ્યાખ્યાન કરવું તેને અંગે ચાલે છે. તેને પણ નિકાલ થયો નથી. ધર્મને નામે થતા ઝઘડાના કદિ નિકાલ થતા જ નથી. જેમ જ્ઞાન ઓછું તેમ આવા ઝઘડાનું ઝનૂન વધારે હોય છે એ દુનિયાને અનુભવ છે. અને બીજે નિયમ એ છે કે સારામાં સારા મિત્રે જ્યારે વિરુદ્ધ પડે ત્યારે ખરાબમાં ખરાબ દુશ્મન થાય છે. ભાઈઓ લડે ત્યારે અબોલાં તે લે છે પણ એકબીજાના ગેળાનાં પાણી પણ હરામ કરે છે. આ નીચેના ઝઘડામાં એવું જ થયું છે. વાતમાં કાંઈ માલ નથી. જીવ–નાનાં મગતરાં આદિની જયણા માટે બોલતી વખતે મુખ આગળ વત્રિકા હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જી અનેકના બચાવ શક્ય છે; એ ઉચ્ચ જીવયાના આશયથી મુખવસ્ત્રિકા—મુહપતિના ઉપયેગ સૂચવનાર મહા વિભૂતિએ જાણશે કે એ વસ્તિકાના નામ પર ભાંડા થયાં છે ત્યારે તે એ પતિ કરનાર માટે શું ધારશે? આ પ્રશ્નની ઉત્પત્તિના મૂળ કારણમાં જરા ઉતરવા જેવું છે જેથી પ્રાચીનાએ કરેલ શક્તિના દુરૂપયાગના પૂરા ખ્યાલ થાય. ૩૫ તાડપત્રની પ્રત લગભગ પંદરથી પચીસ ઈંચ લાંખી હાય છે અને પહેાળાઈમાં પાનાં ત્રણ ઈંચ લગભગ હાય છે, એમાં વચ્ચે એ કાણાં હાય છે અને તેમાં દોરી પરાવેલી હેાય છે, જે આખી પ્રતમાં સાંસરવી જાય છે. એ જ પાનાં ફેરવતાં બન્ને હાથના ઉપયાગ કરવા જ પડે, નહિ તે છણું પાનું તરત અટકી જાય. એ પ્રતા સાતસે વર્ષ પહેલાં લખાયેલી હેાય છે. આજ પાંચસે વર્ષોથી તે। તાડપત્ર પર તંખવાની કળા પણ નષ્ટપ્રાય થઈ ગઈ છે. કાઈ ગુરુને વ્યાખ્યાન વાંચતી વખત આ અગવડ જણાઈ હશે. વાંચે ત્યારે એક હાથમાં મુખવસ્ત્રિકા હોય, ક્ષેાક અડધા એક ખાજી હોય અને અડધા બીજી બાજુ હાય તા મુહુપત્તિ મૂકવી જ પડે. એણે ઉપાય શેાધી કાઢયો. તે વખતે સ` કાન વીંધાવતા હતા. એના કાણામાં એણે મુહુપત્તિ રાખી, એટલે મુખની જયણા જળવાણી હશે અને વ્યાખ્યાનભંગના પ્રસંગ એ રીતે દૂર કર્યો હશે. શિષ્યે તે! માત્ર એટલું જ જોયેલું કે મારા ગુરુ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ ખાંધે છે. ગુરુને એણે કારણ પૂછ્યું નહિ હાય. શિષ્યે તે ગમે તે કાગળની પ્રત વાંચતાં પણ બાંધવાનું ચાલુ રાખ્યું અને એ રીતે પર પરા ચાલી હશે. આ તે! કલ્પિત અનુમાન છે. પણ એમાં મુદ્દો શું છે ? જેને મુહપત્તિ બાંધવી હાય તે ભલે બાંધે, ન બાંધવી હાય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ર૬ નવયુગને જૈન હાથમાં રાખે. આમાં કયા મુદ્દાને સવાલ છે કે એવા પ્રશ્નને અંગે “પાસસ્થા” અને “ઉત્સુત્રભાષી' શબ્દનો ઉપયોગ કેઈન પણ મુખમાં શોભે! આ મુહપત્તિના સવાલમાં તે ભારે અંધારું ચાલ્યું છે, અને છતાં બે વર્ષ પર એના સંબંધમાં પણ એક નાનું પુસ્તક પ્રગટ થયું છે. અનેકની સાથે ચર્ચા કરતાં આ ચર્ચાને ભીતરમાં રહસ્ય તરીકે રહેલો કાંઈ મુદ્દો જણાતું નથી. કદાચ કાંઈ હશે એમ માનવામાં આવે તે પણ એમાં જૈનદર્શનને તે કઈ મૂળ બાબતને મુદો નથી જ જણાત. આવા સવાલ ઉપર વિશાળતા કેમ ન બતાવાય? બાંધવા ન બાંધવાને વિકલ્પ આપવામાં આવે તો તેમાં કયું શાસન ઊંધું વળી જાય તેમ હતું. કેઈ લેખ ટા કાગળમાં લખે, કેઈ બાંધેલ પુસ્તકમાં લખે – પણ બન્નેનું સાધ્ય એક જ હોય તે બાંધેલ પુસ્તક કે છૂટાં પાનાં સંબંધી ઝઘડે કરે એ સાદી સમજણમાં ઉતરે તેવી વાત નથી અને છતાં એ બાબતની તકરાર સે વર્ષ થવા આવ્યાં પણ હજુ અંત્ય વિરામ પામી નથી. કેટલીક વાર નિરર્થક વાદવિવાદ, ચર્ચા અને ઝઘડા કરવાની વૃત્તિ જ થઈ જાય છે, પછી એમાં વિષયની મહત્તા અને દર્શનને થતી – મૂળ મુદ્દાને થતી ખાનાખરાબીને ખ્યાલ પણ નીકળી જાય છે, એને પુરા આ મતભેદ છે. અને હજુ પિતાને સમજુ હવાને દાવો કરનારા વ્યાખ્યાતા ગમે તે વિદ્વાન હોય પણ જે તે મુહપત્તિ ન બાંધે છે તેનું વ્યાખ્યાન સાંભળવાની ના પાડે. તેવી જ રીતે ન બાંધવાના આગ્રહવાળા બાંધનાર વ્યાખ્યાતાને ન સાંભળે! આ તે કાંઈ વાત છે? વિપર્યાસ કઈ હદ સુધી ગયા છે તેને આ એક અપૂર્વ દાખલ છે. નવયુગ આ પ્રશ્ન કરશે ત્યારે આપણું શાસનાધિપતિ હોવાને દા કરનારા વડિલે શું જવાબ આપશે તે સાંભળવા ઉઘુક્ત રહેશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ૭ મૂતિ માનવાને ઝઘડે વેતાંબર સંપ્રદાયમાં છેલ્લાં અઢીસો વર્ષમાં સ્થાનકવાસી ભાઈઓ સાથે ઝઘડે ચાલે છે અને વીતરાગના મતમાં એ ઝઘડાએ ઘણું ભયંકર રૂપ પકડ્યું છે અને અનુયાયીઓ બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. લગભગ અઢી વર્ષ પહેલાં કેઈ અધ્યાત્મરૂચિવાળા અભ્યાસીને એક પ્રશ્ન થયે કે “વીતરાગ જેવી ન ભૂતે ન ભવિષ્યત આદર્શ ભાવના, જે ખરેખર ધ્યાન કરવા યોગ્ય છે, જીવવા ગ્ય છે, આચરવા યોગ્ય છે, તેને પથ્થર કે લાકડા જેવું સ્થૂળ રૂપ આપવું એ એ ભાવનાને ઉચ્ચ સ્થાનકેથી ઉતારી પાડવા જેવું છે. એમને કદાચ તે વખતના દ્રવ્યપૂજાના પ્રચારમાં પણ અત્યુદ્રિક જણાયો હશે. ગમે તે કારણે મૂર્તિપૂજા ન હોવી જોઈએ એ મત તેમણે બતાવ્યો અને ઉપદે. તેના અનુયાયની મોટી સંખ્યા થઈ મૂર્તિ તે માત્ર સાધન છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાનને યાદ કરાવનાર નિમિત્ત છે અને ભાવપૂજાનું કારણ છે. છતાં મૂર્તિ માનનારને એ સંબંધમાં એ આગ્રહ થયો કે મૂર્તિપૂજા ન સ્વીકારનાર જૈન જ નથી, મિથ્યાત્વીથી પણ ખરાબ છે અને તદ્દન નિંદવા યોગ્ય છે. આ પ્રકારનો ઉપદેશ શરૂ થયે. અને એક વાર ઘર્ષણ થયું એટલે પછી એને છેડે ક્યાં આવશે એને પ જ રહ્યો નહિ. અરસ્પરસ બને વર્ગો ખૂબ લડ્યા. લડ્યા તે એવું લડ્યા કે અનેક સ્થળે તે તોફાને થયાં. એકબીજાના વરઘોડા તેડી પાડવા, ન છાજે તેવા શબ્દોમાં ટીકા કરવી અને પારાવાર વૈરને પોષવું એ જાણે નિયમિત વાત બની ગઈ અને પદ્ધતિસરના ઉપદેશથી એ વાતને બન્ને વર્ગના ઉપદેશકોએ પિષી, પ્રચારી અને વધારી મૂર્તિને માનનારા વડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવયુગને જૈન - - - - - - - - - - કાઢે તે કોઈ કોઈ સ્થળે સ્થાનક પાસે ઊભા રહી કાનમાંથી કીડા ખરે એવું સ્થાનકવાસી માટે ગાય અને તેમ કરવામાં ધર્મ માને. એ ઝઘડાઓ રાજ્યારે પણ ગયા. ખીલીઓ ઠેકાણી. એ ખીલીઓ વચ્ચે વરઘોડે ઊભો ન રહે એમ રાજ્ય ઠરાવ્યું તે પહેલી ખીલી આગળ અને બીજી ખીલી પાછળ ભયંકર દયે થયાં. એ ઉપરાંત સાંસારિક ઝઘડાઓને પાર ન રહ્યો. કન્યાવ્યવહારમાં તૂટ પડવા માંડી અને વાત એટલે સુધી વધી પડી કે પૂજ્ય પુરુષેનાં મૃત દેહે ભર બજારમાં બે બે દિવસ રખડવા લાગ્યાં. આમાં કોઈને વિચાર ન આવ્યો કે આ ઝઘડા શેને માટે? કોને માટે? વીતરાગના ધર્મમાં આ વાત હોય? અને એમાં કયો મુદ્દાને સવાલ હતો? જેને મૂર્તિપૂજાની ઇચ્છા ન હોય તે તેને ન માને, ન કરે, ન આદરે છે તેમાં અન્યનું શું જાય? અને સ્થાનકવાસી ભાઈઓ પણ એટલી ઉદારતા ન રાખી શક્યા કે મૂર્તિને આલંબન માનનારા ભલે માને, બાળ જીવોને એ પ્રબળ નિમિત્ત છે અને સમાજને માટે ભાગ તે બાળ વર્ગને જ હેય છે. વયથી બાળ ન હોય તેવા અનેક માણસો આલંબનની બાબતમાં બાળ હોય છે અને વગર આલંબને ધર્મને વિસરી જાય છે. આટલી ઉદારતા તેઓ ન રાખી શક્યા અને બન્ને વર્ગ વચ્ચે અંતર વધતો જ ગયો અને વધતો જ ગયો. બને ફરકામાં તત્ત્વ સંબંધી જરા પણ મતફેર નથી. સર્વ ક્રિયા પણ એક મુદ્દા પર જ રચાયેલી છે, મહાવ્રતો ગુણવત શિક્ષાવતે અનુવ્રતે પણ એકસરખાં જ છે, બને ચૌદ ગુણસ્થાનક જ માને છે, આઠ મેં માને છે, એની ઉત્તર પ્રવૃત્તિ ૧૫૮ માને છે, અને વર્ગનું સાધ્ય મેક્ષ છે, મોક્ષની વ્યાખ્યામાં ભેદ નથી, મેક્ષ પ્રાપ્ત કરવાનાં સાધનો પૈકી માત્ર સ્થાપના નિક્ષેપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૩૯ એક નકારે છે, બીજો સ્વીકારે છે, પણ એ સિવાય જરા પણ મતભેદ નથી. કથા ચરિત્ર, દેવ-નરક ગતિનાં સ્વરૂપ બન્નેને એક છે. અને મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ જીવ જે મતભેદ નથી. બન્ને અહિંસા પરમોધર્મને સ્વીકારે છે, શ્રાદ્ધ-શ્રાવકના ગુણ બન્નેના એક જ નામે છે અને બન્નેના મૂળ ગ્રંથે એક છે – આવી આવી સેંકડે હજારે બાબતોમાં એકતા છે, એટલી બધી એકતા છે કે એનું વર્ગીકરણ કરવામાં આવે તે પુસ્તકે ભરાય; છતાં આવું માથું કાપનારું વૈમનસ્ય કેણે પિવું? શા માટે પડ્યું? કેમને એ કેટલું ભારે પડશે અને આગામી દીર્ઘ નજરે કેઈએ વિચાર કેમ ન કર્યો? કર્યો હોય તે કયારે કર્યો? અને આવા એક સાધનધર્મને અંગે બળતા અંગારા ફેંકવા પડ્યા અને હજુ પણ જેની જવાળા પૂરી શાંત થઈ શકી નથી એટલી મહત્તા આપવા જેવો એ પ્રશ્ન હતા? આવા સવાલે નવયુગ પૂછશે, અનેક આકારમાં પૂછશે, અને પૂછીને પ્રાચીને કહેશે કે તમારા આ છેલ્લા ઝઘડાને પરિણામે તમે કેટલાને કંઠી બાંધતા કરી દીધા છે, કેટલાને પરધર્મમાં ધકેલી દીધા છે, કેટલી આખી ને આખી કેમ તમારાથી કંટાળી પરાક્ષુખ થઈ ગઈ છે તેને કદિ તમે વિચાર કર્યો હતો? તમે સંખ્યાબળમાં વધારે તે કરવાને કદિ વિચાર નથી કર્યો, પણ આ રીતે તમારા ઝઘડાઓનું અનિવાર્ય પરિણામ આવ્યું છે એ સ્વીકારવાની સરળતા તે તમે દાખવશો ખરા કે ? આ છેલ્લા ઝઘડાએ જૈન કેમનું સમૂહબળ-જૂથબલ ભારે કાપી નાંખ્યું. એ ઝઘડા ગામેગામ થયા, આડોશીપાડોશી વચ્ચે થયા, ઝનૂની અને ઘેલડાઓ વચ્ચે થયા અને સામાન્ય રીતે સાત્વિક ગણાય એવા માણસો પાસે પણ એવે પ્રસંગે એણે ઝાંઝે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ - નવયુગને જૈન લેવરાવી, ગાળો દેવામાં ધર્મ મનાય અને મિથ્યાત્વી નરકગામી કહેવામાં ધર્મના રક્ષક હોવાને એણે દાવો કરાવ્યું. આ આખી વાત એવી બની છે કે એના પર જેમ જેમ વિચાર કરવામાં આવશે તેમ જૈન કેમ કેટલી હદ સુધી ઉતરી ગઈ છે અથવા એને ઉતારી દેવામાં આવી છે અને એને મૂળ માર્ગ કેટલો ભૂલાઈ ગયું છે એનો ખ્યાલ આવે. જે ધર્મના પ્રવેશદ્વારનાં લક્ષણમાં શમ, સંવેદ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા હેય અને જેના અનુયાયીઓમાં એ પાંચમાંનું એક પણ ન દેખાય અને છતાં પાંચમા ગુણસ્થાનક પર હોવાનો દાવો કરે અને તેના એ દાવાને છ સાતમા ગુણસ્થાનકને દાવો કરનારા સ્વીકારે – જ્યાં વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યાં ઊભા રહેવાને રસ્તે પણ કયાં રહે? આ સ્થિતિ પંચમકાળમાં થઈ છે કે હાથે કરીને અથવા વગર વિચાર કરી છે એને નિર્ણય કરવાનું કાર્ય નવયુગ કરશે ત્યારે આપણા વડિલે શો જવાબ આપશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને એ જવાબ સીધો અને સરળ જોઈએ. મૂળ મુદ્દાને ઉડાવનાર સરકારી જવાબ જેવા જવાબ આપવાને યુગ ચાલ્યો ગયો છે. અત્યારે તે નગદનાણું અને સરળ વ્યવહારને જ માન મળે છે અને નવયુગ દંભ, ઢેગ, ઉપર ઉપરના સ્વાંગને તિરસ્કાર કરનાર થવાનું છે તે સમજી શકે તેવા જવાબ દેવા એટલી વિજ્ઞપ્તિ છે. નરકને રસ્તો દેખાડો કે વ્યવહાર બંધ કરવાની કનિષ્ટ સજા કરાવવી એ જવાબ ન કહેવાય, એ તે દલીલની ગેરહાજરીને સ્વીકાર કહેવાય. અત્યાર સુધી કામના વિચારક વર્ગે ઉઠાવેલા સવાલેને જે ફેજ કરવામાં આવ્યું છે તે સત્તાબળે નભ્યો તેમાં વિશિષ્ટતા મનાણી હોય તે આવતો યુગ જુદી જ જાતને આવવાનો છે તે ધ્યાનમાં રહે આ મુદ્દા પર આગળ વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જી વક્તવ્ય થવાનું છે. અત્યારે તા જવામ શબ્દ ઉપર જ માત્ર પ્રાસગિક ઉલ્લેખ થયા. ૪૧ આલદીક્ષાના ઝઘડાનાં પરિણામ આવા અનેક ઝધડાએ થયા છે. વર્ષો સુધી ચાલ્યા છે અને કોઈ પણ ઝઘડો નીકળતાં શાંતિથી વિચાર કરવાને બદલે તેાફાનમાં પડી જવામાં ધર્મ મનાય છે. કામનું ઝનૂન ઉશ્કેરવું એમાં સાકતા મનાઈ છે અને આખી કામને લડાયક જીસ્સામાં રાખવી એ વ્ય મનાયું છે. છેલ્લાં પાંચ સાત વર્ષથી લધુ વયના બાળકને દીક્ષા આપવી યોગ્ય ગણાય કે નહિ એ સવાલની ચર્ચા જે રીતે ચલાવવામાં આવી છે, તેને અંગે છાપાંએમાં જે પરિભાષા વપરાઈ છે, તે કાઈ પણ સુજ્ઞ વ્યક્તિના મનમાં ભાગ્યે જ માન કે આદરની બુદ્ધિ ઉત્પન્ન કરે. કવ્ય પ્રશ્ન તદ્દન સાદા હતા, વ્યવહારબુદ્ધિથી સંતાષકારક નીવેડા લાવી શકાય તેવા હતા અને ધહિતને વિરાધ ન આવે તેવી રીતે સામાજિક દૃષ્ટિએ તેને ફેસલા શક્ય હતા. પણ શાંતિ સુલેહ કે વિચારવિનિમય શું ચીજ છે અને ધર્મના સંવ્યવહાર કઈ અપેક્ષાએ માગે છે અને કેવી રીતે અમલ કરતાં વ્યવહારનિશ્ચયને સમન્વય થઈ શકે એ જાતની વિશાળ શાળામાં અનભ્યાસી, ઔદાય અને સમાજજીવનના સાહચય સાધવાની ખીનઆવડતવાળા અને એકહથ્થુ સત્તા અને દરદમામમાં ઉલા વગે સમાજને એક વધારે ફટકા મારવાને પ્રયત્ન કર્યાં. કરતી વખતે આ દેશકાળ કેવા વર્તે છે તે સમજ્યા નહિ. શાસ્ત્રાજ્ઞાના અર્થ કરવાના વિશાળ સત્રામાં દેશકાળની વાતને વિસરી જઈ એવી ભયાનક સ્થિતિ ઊભી કરી કે અંતે એને ભાગ પાતે જ થાય છે એ વાત વિસરી ગયા. સમાજ શી વિશી થતા જતા હતા તેમાં ખૂબ વધારો કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નવયુગને જન .૫ /૮ મૂક્યો અને નવયુગને આખા સાધુવર્ગ તરફ અપ્રીતિ અને ધર્મ તરફ અશ્રદ્ધા થાય તેનાં કારણ બન્યા. જ્યાં પ્રશ્નની મહત્તા હેય અને જોખમ ખેડવાની જરૂર હોય ત્યાં છેલ્લે પેગડે પણ બેસવું પડે છે, પણ નિકાલ શક્ય હોય તેવી બાબતમાં થોડા અંતેવાસીની અદૂરદર્શી સલાહન ભોગ થઈ પડનાર એ ગીતાર્થો (?) માત્ર પૂર્વકાળથી ચાલી આવતી ઝનૂની વૃત્તિના પોષક જ થઈ શક્યા, તેડ ઉતારતાં ન આવડ્યો અને ગૂંચવણને નિકાલ કરવાને બદલે તેમાં પોતે જ ગૂંચવાઈ ગયા, અટવાઈ પડ્યા અને આખા સમાજને નિરર્થક ફટકો આપવા જતાં પતે તે ચક્કરમાં આવી પડ્યા. જે પદ્ધતિએ બાળદીક્ષાને પ્રશ્ન ચર્ચે છે તે જ પદ્ધતિથી ઉપર જણાવેલા બીજા ઝઘડા લડાયા છે, માત્ર તે કાળમાં છાપાં નહોતાં તેથી ઢેડફજેતે અત્યારના યુગ જેવો થતો નહત, બાકી પદ્ધતિમાં હજુ જરા પણ ફેરફાર થયો નથી એમ નવયુગ કળકળીને ઈન્સાફ કરશે ત્યારે કેમને ચકરાવે ચઢાવનારા તે ક્યાં વિરાજ ગયા હશે? વર્તમાનયુગના દીક્ષાના ઝઘડાની વાત લખતાં પણ શરમ થાય તેવું છે. એને સમન્વય છે, નિકાલ છે અને એ ઝઘડે તદન મામુલી હોઈ કરવા યોગ્ય નહોતો એ બતાવી શકાય તેવું છે. એને ફેંસલો આવતા યુગ ઉપર રાખી અત્ર તે તેની પદ્ધતિ ઉપર જ ટીકા કરીએ. એમાં ઝનૂન, ઈર્ષા, પ્રસંગને વલણ આપવાની આવડતની ગેરહાજરી, પરિસ્થિતિને પહોંચી વળવાની કમતાકાત અને દીર્ધદષ્ટિનો અભાવ ડગલે ને પગલે દેખાઈ આવશે એટલી જ ટીકા કરી એ વર્તમાનપ્રકરણને બંધ કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૪૩ નાના ઝઘડાઓની પરંપરા નાના ઝઘડાઓને પણ પાર રહ્યો નથી. એ પણ સર્વ સાધનધર્મને અંગેના અને મૂળ માર્ગ સમજ્યા વગરના જ થયા. છે. થોડા દાખલા આપી આ આખું ઝઘડા પ્રકરણ સમેટી લઈએ. કેવળીને ઇરિયાવહિયાની ક્રિયા લાગે કે નહિ એને ઝઘડે સત્તરમી સદીમાં ઉપડ્યો. શ્રી ધર્મસાગર જબરદસ્ત વિદ્વાન હતા, પણ તેમણે તથા તેમના સમકાલીનેએ તેમને માટે જે પરિભાષા વાપરી છે તે વાંચતાં ખેદ થાય તેવું છે. જાણે જૈન આમ્નાયમાં તર્ક કે ચર્ચાને સ્થાન જ ન હોય તેવું વાતાવરણ એ ધર્મસાગરને અંગે સત્તરમી સદીમાં ઊભું થયું. તેમણે પાંચ મેટા પ્રશ્નો ઉઠાવ્યા હતા. દરેક પ્રશ્નો ચર્ચા કરવા જેવા જરૂર હતા, પણ મેરા માંડવા જે એક પણ પ્રશ્ન નહોતે. આને લગતું સાહિત્ય નવયુગ વાંચી પૂછશે કે આ તે શક્તિને શે અપવ્યય થયો છે? તેના જવાબ આપવા પડશે. સવાલની મહત્તા પણ વિચારાણી નથી. એલચી સચિત્ત ગણવી કે અચિત ગણવી એ પ્રશ્ન પણ એક વખત જેન કામમાં મેટે ખળભળાટ મચાવ્યો હતો. - સાધુ વસ્ત્ર રંગી શકે કે નહિ એ પણ એ જ પ્રશ્ન છે. અમુક યુગમાં દેશકાળ જોઈને કોઈ શિથિલ વર્ગથી સંવેગ પક્ષને જુદે પાડવામાં લાભ માનવામાં આવ્યું અને કપડાંને પીળો રંગ આપવાનું તે વખતના આચાર્યોને યોગ્ય લાગ્યું. આવા દેશકાળને અનુસરતા અનેક ફેરફારે પ્રત્યેક યુગે કરવા પડ્યા જ છે. જે કોઈ એમ કહે કે પચીસ વર્ષમાં એક પણ ફેરફાર થયે જ નથી તે તે વાત ઇતિહાસની નજરે સ્વીકારાય તેવું લાગતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નવયુગને જૈન ફેરફાર થયા છે એવું જાણવા છતાં કેઈ સ્વીકારવા તૈયાર નથી એ જ કાળબળની ખૂબી છે. છતાં કપડાંને રંગાય કે નહિ તે વાતની ચર્ચા ચાલ્યા કરી છે. ખૂબીની વાત તે એ છે કે શ્રી સત્યવિજય પંન્યાસે ક્રિયા ઉદ્ધાર કર્યો ત્યારે ૪૮૦ બાબત ફેરવી, છતાં તેના અનુયાયીવર્ગને પૂછશે તે એક પણ બાબત ફેરવી છે એમ તે સ્વીકારશે નહિ અને પોતે સનાતન જૈન હોવાને દાવો કરશે. આ ફેરફારની ગ્યાયોગ્યતા પર નિર્દેશ નથી, પણ મુદ્દો માનસવિદ્યાને છે. થયેલી વાતને સ્વીકાર ન કરે અને જવાબ આપવામાં ગોટા વાળવા એ જ્ઞાનયુગમાં કદી નભી ન શકે એવી વાત છે એવું જાણનારા પણ આ ભ્રમમાં હજુ પૂર્વ સંપ્રદાયથી ચાલી આવતી પદ્ધતિને જાળવી રહ્યા છે એ તેમની ચુસ્તતાને અંગે તેમને માન ધટે કે શું ઘટે તે વિચારવાનું કાર્ય નવયુગ કરશે. નાના વાદવિવાદ અનેક થયા છે, ચર્ચાઓ પાર વગરની થઈ છે, પણ ઝઘડાઓ પણ ઘણા થયા છે. તત્ત્વવિચારણા કરતાં વાદવિવાદ કરવાની ઉપયોગિતા સમજી શકાય તેવી છે અને યોગ્ય પરિભાષામાં ચર્ચા થાય તેમાં પણ વધે ન હોઈ શકે, પણ મુદ્દા વગરના ઝઘડાને પરિણામે જુદાં મંડળે સ્થાપવામાં આવે, નવા ફિરકા કાઢવામાં આવે, ગચ્છમાં ભેદ પડે અને એ તકરારે અંગત રૂપ લે ત્યારે એ ઝઘડે કરવા જેવું હતું કે નહિ, તે ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ તપાસવાની જરૂર રહે જ. એટલું જ નહિ, પણ ઐક્યપ્રિય સાચા મુમુક્ષુની એ ફરજ જ ગણાય. આ ઝઘડાનું પ્રકરણ વધારે લંબાયું છે. હજુ ઘણા અર્થ વગરના સાધનધર્મોના ઐતિહાસિક ઝઘડા તપાસવાના બાકી છે તે કઈ અન્ય પ્રસંગે કરવાનું બાકી રાખી આ પ્રકરણ સમેટતાં એક બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જી વાત કરી દેવી જરૂરી છે. ઘણાને ‘ ઝધડા ' શબ્દ સામે વાંધા લાગશે, પણ એમાં કોઈ વ્યક્તિ કે સમૂહ તરફ આક્ષેપની ઇચ્છા નથી, પણ ઝધડા શબ્દના સાદી ગુજરાતીમાં જે અર્થ થાય છે તે રીતે જ એ લડાયા છે તેથી એ શબ્દપ્રયાગ વાસ્તવિક ગણાવાની આશા રાખી શકાય. આ ઝધડાના પ્રસંગો ચીતરવામાં અથવા એનેા સમન્વય કરવા જતાં જાણે અજાણે કેાઈ પક્ષની લાગણી દુહવાઈ ગઈ હોય તા તેઓએ કૃપા કરી ક્ષમા કરવી. કાઈ પક્ષ સાચા કે ખોટા છે એવું લખવાના આશય નથી. આશય સ્પષ્ટ છે કે ઝઘડા કરવા યોગ્ય નહેાતા અને સ્વાભાવિક રીતે જોઇએ તે એક પણ મુદ્દામાં જૈનદર્શનના મૂળ સિદ્ધાંતના સવાલ અંતત થતા નથી. છતાં અમુક વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ કદાચ એક બાજુ ઢળી જતી કાઈ પ્રસંગવનમાં જાય તો મૂળ મુદ્દા ઉપર ધ્યાન આપવા વિજ્ઞપ્તિ છે. આશય ઐક્ય કરવાને અને ગતકાળમાં જે ક્ષતિ અનુભવી છે તે દૂર કરવાને છે અને જૈનદર્શનને અને યાગ્ય સ્થાન પુનઃ પ્રાપ્ત કરવાની તૈયારી કરવાના છે. આ વાત આ વિચારણામાં ખાસ ધ્યાનમાં રાખવા વિજ્ઞપ્તિ છે. ખીજા નહિં વર્ણવેલા ઝઘડા પૈકી કેટલાયે ઐતિહાસિક છે તેમાં વિધિમાના મતભેદ, સમન્વયની શક્યતા છતાં બન્ને પક્ષ પોતપોતાના મતમાં ચુસ્ત રહે તેવી સ્થિતિ અને પરિણામે અનેકને જૈન કરવાને બદલે ધરના હેાય તેની પણ ક્ષતિ થઈ છે. આ સ્થિતિ સાત્રિક જોવામાં આવશે. એ દૃષ્ટિએ પ્રત્યેક ઝધડા તપાસવાની જરૂર છે. હૃદયની વિશાળતા અને દર્શનના મૂળ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તે ક્રિયા, અનુષ્ઠાન—વિધિવાદના મતફેરા તંદુરસ્ત ચર્ચા ઉત્પન્ન કરે, પણ કંકાસ વિદ્વેષ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવયુગના જૈન વૈરનું રૂપ કિદ ન લે, સામાન્ય વ્યવહારકુશળતાની નજરે, ધર્મના હિતની નજરે, પ્રાણી ઉપર ઉપકાર કરી તેને મેક્ષમાર્ગ તરફ સન્મુખ કરવાની કરજની નજરે કે સમુચ્ચય લાભાલાભની તુલનાની નજરે અત્યાર સુધી ભીંત ભૂલાણી છે એવા સવાલ નવયુગ રજી કરે ત્યારે જે પરિસ્થિતિ આવી પડે તેની અત્ર વિચારણા કરવા પ્રયત્ન થયા છે. હવે આ કલહમય વાતાવરણ વિચારકને પણ ગ્લાનિ કરે તેથી તેને અત્ર રાકી નવયુગના જૈનને વિવિધ દૃષ્ટિએ તપાસીએ. તત્ત્વ દૃષ્ટિમાં પરિપૂર્ણ માન્યતા રાખનાર, ધમ શાસ્ત્રાને સમજનાર વિવેકી વિચારક હવે એક બીજો સવાલ ઉપસ્થિત કરે છે તે પણ ઇતિહાસની નજરે તપાસવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ સંખ્યાબળ જૈનદર્શન મહા વિશાળ છે. એ સર્વ દાને પાતામાં સમાઈ ગયેલા બતાવે છે. એના નવિભાગ અંશ સત્યને સ્વીકારે છે અને એ વિભાગ અને અન્યની પરિસ્થિતિમાં મૂકતાં શીખવે છે. જૈનદન પ્રત્યેક આત્માની મેક્ષ જવાની યાગ્યતા શીખવે છે. અમુક દુવ્ય અભવ્ય જીવેાના પ્રશ્ન બાજુ પર રાખીએ અને અભવ્યાની સંખ્યા તે એટલી ઘેાડી છે કે એની વાતને ઉપેક્ષીએ તે ચાલે તેવું છે. આવી પ્રત્યેક પ્રાણીની બાહુલ્યતાએ મેક્ષ જવાની ચે।ગ્યતા હાઈ આડા માર્ગે ઉતરી ગયેલાને જૈનદર્શનના વિશિષ્ટ તત્ત્વ બતાવવાની ફરજ પ્રત્યેક જૈન ઉપર સામાન્યતઃ અને ઉપદેશક વર્ગ પર ખાસ ગણવામાં આવી છે. જૈન દર્શનકાર યેાગ્ય રીતે બતાવે છે કે એક વ્યક્તિને સહુના મેધ કરવામાં આવે । ચૌદ રાજલેાકના સર્વાં પ્રાણીઓને અભય આપવા જેટલે લાભ થાય છે. આ હકીકત અતિશયેાક્તિ વગર સાચી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૯ નવયુગને જૈન જાતિભેદને અસ્વીકાર આ એક વાત સાથે બીજી વાત એ છે કે જૈન ધર્મમાં જન્મથી જાતિ છે નહિ, હોઈ શકે નહિ. શ્રી વિરપરમાત્માનું ચરિત્ર વિચારતાં અને તત્વચર્ચાને આ દ્રવ્યાનુયોગ જોતાં જેનદર્શન જન્મથી જાતિભેદ કદિ સ્વીકારે તે વાત પાલવે તેવી નથી, જચે તેવી નથી અને કર્મનો સિદ્ધાંત સાથે અનુરૂપ થાય તેવી નથી. જૈનદર્શનની વિશિષ્ટતા એ જ કે ભગવાનના સમવસરણમાં કોઈ પણ જાતને પ્રાણ આવે. મનુષ્ય તે શું પણ તિર્યંચ પંચેન્દ્રિયને ત્યાં સ્થાન છે, દેવાને સ્થાન છે, અસુરેને સ્થાન છે, જે ચાલીને આવી શકે તે સર્વને સ્થાન છે. આ વિશાળતા કઈ દર્શનમાં જોવામાં નહિ આવે. બ્રાહ્મણ જૈન થયા છે, ક્ષત્રિએ રાજપાટ છોડ્યાં છે, વૈશ્ય એનાં અંગ બની રહ્યાં છે, સુતાર, લુહાર, કુંભાર, ઘાંચી સર્વ ભગવાનના પ્રાસાદમાં સમકક્ષાએ છે. હરિકેશિ જેવા ચંડાળના કુળમાં જન્મેલાને અને મેતાર્ય જેવા અસ્પૃશ્ય કુળમાં જન્મેલાને એણે એક જ ભૂમિકા પર બેસાડ્યો છે અને પાંચસે પાડાને નિરંતર વધ કરનાર કાલકસુરિ કસાઈ પણ એના સમવસરણમાં આવી શકે છે. જન્મથી જાતિ માનવામાં આવે તે જૈનદર્શનને એક પણ મુદ્દો ટકી શકે નહિ અને તેથી પ્રયાસસિદ્ધ મેક્ષ માનનાર જૈનદર્શને સર્વ પ્રાણીને પિતાની છત્ર નીચે આત્મિક ઉન્નતિ કરવા રજા આપી છે. ભગવાનના સમવસરણમાં ચંડાળ માટે અલગ સ્થાન નહોતું અને હરિકેશિમુનિ ઘરે વહેરવા આવે તે રસોડા સુધી જઈ શકતા હતા. જે દર્શન કમઠ અને ધરણેન્દ્ર ઉપર સમાન મનવૃત્તિ ઉપદેશે ત્યાં વ્યક્તિગત ભેદ કેમ હોઈ શકે? કોઈ પણ પ્રાણ અમુક ગોત્રમાં જન્મે તેથી ધર્મ સ્વીકાર કે ધર્મારાધન માટે નાલાયક થાય છે એ જૈન ધર્મને એક પણ સિદ્ધાંત નથી, એવો શબ્દપ્રયોગ પણ નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થુ ૪૯ * * *-- **-- **- ---***** **** * આખી જૈન ધર્મની ઈમારતનું રહસ્ય સમજનારને એ વાતમાં શંકાને સ્થાન પણ નથી. સાચું સગપણ આથી પિતાના આત્માની ઉન્નતિ કરવા ઈચ્છનાર કોઈ પણ વ્યક્તિ જૈન ધર્મને સ્વીકાર કરી શકે છે. અને જૈન ધર્મને સ્વીકાર કરનાર સ્વધર્મ બંધુ થાય છે, સર્વ પ્રકારે સંવ્યવહારને ગ્ય થાય છે અને “સાચું સગપણ જગમાં સામી તણું” એ વાત જે ધર્મ પોકાર કરીને કહે છે ત્યાં બીજી વાતને સંભવ પણ કેમ હોય? અહીં ‘સામી’ એટલે સ્વધર્મ સમજવો. જ્યાં જેને જૈન મળે ત્યાં ખરું સગપણ જામે છે, સાચાં સગાં એ કહેવાય છે અને એ સંબંધને અનેક રીતે બહલાવવા સ્વામીવાત્સલ્યના પ્રકારે અને બારમા વ્રતને મોટે ભાગે યોજાયેલ છે. આ સર્વ વાત દીવા જેવી છે છતાં નવયુગના જૈનને સવાલ થાય છે કે જૈન ધર્મને સ્વીકાર કરાવવાની જરૂરિયાત દષ્ટાઓએ સ્વીકારી છે અને જાતિભેદને જૈન દર્શનમાં સ્થાન નથી છતાં જૈનમાં આવક કેમ બંધ થઈ ગઈ? અને હતા તેમાંથી અનેક બહાર કેમ નીકળી ગયા? નવા જૈનેની ભરતી કેમ ન થઈ? દુઃખની વાત એવી બની છે કે છેલ્લાં પાંચ વર્ષમાં જૈન બનાવવાનું કામ જ બંધ પડી ગયું છે. અંદર અંદરની તકરારે, ગચ્છના ઝઘડા, પદવીની મારામારીઓ અને બાહ્ય ધમાલ આદિ અનેક કારણે હતું તે ગુમાવ્યું છે અને ન વધારે બંધ પડી ગયો છે. પાંચમા સૈકા આસપાસ રત્નપ્રભાચાર્યે ઓશવાળ ક્ષત્રિયોની દોઢ લાખ જેટલી સંખ્યાને જૈન બનાવી, હેમચંદ્રાચાર્યો બ્રાહ્મણોને ભોજક બનાવ્યા–એવા અનેક પ્રસંગોને બદલે પૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નવયુગને જૈન જૈનેની જાતિઓ –મોઢ, કપાળ કેમ જૈનેતરમાં ગયા? આખી કેમો કેમ બદલાઈ ગઈ? પિરવાડ અને દશાશ્રીમાળીમાં કેમ મોટે ભાગ જૈનમત છોડી ગયા? એમને પડતી અગવડે માટે કાંઈ પૃચ્છા થઈ હતી? એ દૂર કરવા સામાજિક કે વ્યક્તિગત પ્રયત્નો થયા હતા? જૂનાને જાળવી પણ ન રાખી શક્યા અને નવાને મેળવવાની ફુરસદ તે હતી નહિ. ત્યારે એનું પરિણામ બે કરોડ જેને અકબરના સમયમાં હતા તે બાર લાખ પર આવી ગયા છે–આને માટે જવાબદારી કોણ લે છે? મહા વિશાળ ધર્મ આ સ્થિતિમાં હોય? ઘસારે ક્યારે લાગે? શા માટે લાગે? એ વિચારવા એક સાથે કામ કદિ મળી હતી? મળવાની જરૂર પણ કદિ લાગી હતી? અને એ ઘસારો ચાલુ રાખવામાં સાધુ અને ગૃહસ્થવર્ગની જોખમધરી કેટલી? આ સંખ્યાબળના બન્ને પ્રસંગ પર જવાબ આપવા પડશે. ગમે તે જાતિને જૈન થઈ શકે છે. અને ગામડા શહેર કે નેસડામાં સર્વત્ર મનુષ્ય વસે છે. એને માટે તમે શું કર્યું? શી જના વિચારી? એના જવાબ આપવા જ પડશે. અને હતી તે આખી કેમોને, કોમેના મેટા ભાગને અન્યત્ર જવું પડયું તેમાં તેમને વિચિત્ર સ્વભાવ કારણ હતું કે તમારી વ્યવસ્થા આવડત અને દક્ષત્વની ખામી હતી? આ સર્વ બાબતનો ખુલાસો નવયુગ માગશે. નવયુગ અત્યંત શોક સાથે જોશે કે છેલ્લાં બે ત્રણ વર્ષમાં જેનેને પડતી અગવડની સામે આંખમીંચામણાં કરવામાં આવ્યાં છે અને શારીરિક અગવડ વેઠી અગત્યની કે નાની કોમમાં જૈન ધર્મને પ્રચાર કરવા માટે લગભગ કાંઈ કરવામાં આવ્યું નથી. આ વાતને જવાબ ઇતિહાસના આધાર સાથે આપવા વડીલો દરકાર કરશે એવી આશા રખાય. અહીંતહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું * * * * * * * * * * * * * * પાંચપચીસ માણસને જેન બનાવ્યા હોય તે અપવાદને સ્થાને ગણાય. ચાલુ જમાનામાં લાડવા શ્રીમાળી ભાઈઓને, ભાવસારને જે રીતનું વર્તન આપ્યું છે તેનાં પરિણામ શું આવે? તમારી અવ્યવસ્થાથી ખેડા નડિયાદ પંથકને મોટો પાટીદાર જૈનવર્ગ કઈ હાલતમાં આવી પડ્યો છે તે કદિ વિચાર્યું હોય એમ નવયુગને લાગશે નહિ. સમષ્ટિની નજરે આ સવાલે વિચારી જવાબ આપશો એ ખાસ માગણી છે. જ્ઞાતિબંધન, તેના ધારાધોરણ આદિ અનેક બાબતે નવયુગ વિચારશે. તેને ચિતાર તે તે સ્થાનકે આવશે. અહીં તે તે વિષયનું નિરૂપણ માત્ર અન્ય કે મને જૈન બનાવવાના પ્રશ્ન પરત્વે જ થયું છે. આ સંબંધમાં આગળ એને પ્રાયોગ્ય સ્થળે નવયુગ આ સંબંધમાં શું વલણ લેશે ત્યાં વિચારદર્શન સ્વતઃ ફરી વખત થઈ આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું કેળવણું અને ગ્રહો નવયુગને જૈન કે થશે એ વિચારતાં કેળવણીને પ્રશ્ન એના અનેક આકારમાં સર્વથી પ્રથમ પ્રાપ્ત થશે. નવયુગ કેળવણીને સર્વાથી વધારે વેગ આપવા સદા ઉઘુક્ત રહેશે. એ નવયુગનાં મંડાણ જ કેળવણી ઉપર રચશે. કેળવણીની વિરુદ્ધ ગમે તેટલું પ્રચારકાર્ય થશે તેની તે દરકાર ન કરતાં એ આગળ ધપશે. કેળવણમાં મગજને કેળવનાર સર્વ બાબતેને તે સમાવેશ કરે છે. એ પ્રત્યેક બાલક–બાલિકાને સામાન્ય શિક્ષણ તે સર્વવ્યાપી ફરજિયાત કરવામાં માનશે. અત્યારે જે વિષયો મેટ્રીકયુલેશન સુધીમાં શીખવાય છે તેમાં રાષ્ટ્રીય દષ્ટિએ યોગ્ય ફેરફાર કરી માતૃભાષા દ્વારા વિચારશક્તિ બરાબર જામે અને પ્રગતિ થાય તેને માટે તે પ્રયત્ન કરશે. શિક્ષણને ઉતારી પાડવા પદાધિપતિઓ અને સ્થાયી હકવાળા ગૃહસ્થ અવારનવાર પ્રયત્ન કરશે એને નવયુગ હસી કાઢશે અને તે પ્રયત્નને હતવીર્ય કરી પાછા પાડશે. અને સામાન્ય શિક્ષણ પછી વિશિષ્ટ શિક્ષણ પ્રત્યેક માણસે લેવું જોઈએ અને તે આગ્રહ કરશે અને તેનાં સાધને તે જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું જેને વકીલ, દાક્તર કે ઈજનેર થવું હોય તેને તે ધંધા માટે તૈયાર થવા તે પ્રેરણા કરશે, યેજના કરશે, સાધને તૈયાર કરી આપશે. પદાર્થવિજ્ઞાન, ગૃહવિદ્યા, યંત્રવિદ્યા, કળા, કૌશલ્ય, તિષ, પ્રાચીન શોધખોળ, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કાવ્ય, રસશાસ્ત્ર, આયુર્વેદ આદિ અનેક ખાસ વિષયમાં રસ લેનારને તે માટેની જરૂરી જોગવાઈ નવયુગ કરી આપશે. એ વિદ્યાર્થીમંદિરે જશે કે ચલાવશે અને તેમાં રાષ્ટ્રીય ભાવનાની ખૂબ પિપણું કરશે. એના પ્રત્યેક વિદ્યાર્થીને એ સાચો ધર્મસેવક દેશસેવક અને સમાજસેવક રહેતાં શીખવશે. એનામાં દિગંબર સ્થાનકવાસી કે મૂર્તિપૂજકના ભેદ નહિ દેખાય. એ સર્વત્ર અંશ સત્ય, આશા અને દૃષ્ટિબિંદુઓ મધ્યસ્થ નજરે ઝનૂન કે દ્વેષ વગર જોઈ જાણી સમજ વ્યવહારમાં મૂકી શકશે અને જૈન વિદ્યાર્થીગૃહો એ કોમી સંસ્થા નથી પણ રાષ્ટ્રનાં જરૂરી અંગે છે અને તેમાં રહેનાર રાષ્ટ્રભાવનાના કેંદ્ર બની શકે છે અને એ સાક્ષાત્કાર કરાવશે. એવી સંસ્થાઓમાં દિગંબર શ્વેતાંબર બનેનાં મંદિરે પડખોપડખ રહેશે અને સ્થાનકવાસી ભાઈઓ માટે સામાયિકશાળા પુસ્તકાલય સાથે તે જ સંસ્થામાં રચાશે અને ત્યાં સર્વ જૈન બંધુભાવે મળી સમયધર્મની ચર્ચા કરશે અને પિતપિતાની માન્યતા વિચારવિનિમય દ્વારા પૃથક્કરણ કરી એકબીજાની સન્મુખ આવશે. એ વિદ્યાર્થીગૃહો શું કરશે? એવાં વિદ્યાર્થીગૃહો વળી વિદ્યાનાં કેન્દ્રો બનશે. ત્યાં સરસ્વતી દેવી સાક્ષાત પધારશે. ત્યાં જૈન ધર્મની શોધખોળ ચાલશે. અનેક મહાપુરુષનાં ચરિત્ર ત્યાંથી પ્રગટ થશે. અતિ મહાન સિદ્ધાંતને વારસે જૈનદર્શને આપ્યો છે તેને યોગ્ય સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નવયુગના જૈન અંદર અંદરની ઝુંબેશ અને વિશ્વષ્ટિની પામરતાથી સમાજમાં મળી શક્યું નથી તેને એ નવયુગની પરિભાષામાં અનેક રીતે બતાવી જૈન ધર્મના મહાન સંદેશાએને એ જગવ્યાપી કરશે. એ સંસ્થાએ શિલાલેખા, તામ્રપત્રા, સિક્કાએ અને બીજી અનેક પૂ કાલીન વિભૂતિઓને બહાર લાવી તેમને યોગ્ય સ્થાન અપાવવાનું મહાન કાર્યો કરશે. જૈનદર્શન જે અત્યારે અપ્રસિદ્ધિ અને અંધકારમાં વ્યાપ્ત થયેલ છે તેને તે દુનિયાને ખાળે ખેસાડશે અને તે મુદ્દના નામ જેટલું જ શ્રી મહાવીર પરમાત્માનું નામ એ ધરગથ્થુ બનાવી દેશે. એ નય નિક્ષેપ સપ્તભંગી અને જ્ઞાનના સ્વરૂપને વર્તમાન તર્કશાસ્ત્રની ભવ્ય કસેટિમાંથી પસાર કરી એમાંથી દુનિયાએ ધણું જાણવા સમજવા જેવું છે એ વ્યવહારુ ભાષામાં રજી કરવાનાં કેંદ્રો અનેક પ્રકારે બનાવશે. રાષ્ટ્રભાવનાને વાધ ન આવે, વિશ્વદષ્ટિ સહેજ થાય અને જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે તે વાત એવી સુંદર રીતે રજુ કરી શકશે કે દુનિયા આશ્ચર્ય ચકિત થઈ એ વાતને સમજશે. અનેકાંતદનમાં અસ્પષ્ટતા નથી, વિરાધ નથી, અપ્રમેયત્વ કે નિર્ણયની અશક્તિ નથી, પણ એ જ વસ્તુસ્થિતિ છે એ જ્યારે રજુ કરવામાં આવશે અને દૃષ્ટાંત લીલ અને કાટિથી સાદર કરવામાં આવશે ત્યારે દુનિયામાં અહિંસાને શાંતિના, પ્રેમને વરસાદ વરસશે. આ સકાય વિદ્યાર્થી ગૃહા રાષ્ટ્રને અવિરાધપણે કામીય ભાવના જગાડ્યા વિના માત્ર જગતહિતની દષ્ટિએ વ્યવહારુ કરી આપશે. કેળવણી કેમ આપવી, શા માટે આપવી, વર્તમાન ઘટનામાં ક્યા ફેરફાર કરવા યોગ્ય છે, તે સર્વ પ્રશ્નાના વિકાસ આ વિદ્યાર્થીગૃહે વિચાર દ્વારા અને તેનેા લાભ લેનારાના અનુપમ જીવ'ત દૃષ્ટાંતથી આપશે અને જગત તેને વધાવી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫મું અને આવાં વિદ્યાર્થીગૃહે ધાર્મિક શિક્ષણ રસપ્રદ રીતે ઐચ્છિક પદ્ધતિએ અને વગર ગોખણપટ્ટીએ તદ્દન અભિનવ પદ્ધતિએ છ મહાન દાર્શનિકોને ઉત્પન્ન કરશે. ફતેહમંદ ધાર્મિક શિક્ષણની તદ્દન નવી પ્રણાલિકા છે એને અમલ કરશે અને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાવાળા વિશિષ્ટ જૈનેને મેટ સમૂહ ઉત્પન્ન કરશે. કઈ પણ પ્રકારના કેળવણીના ક્ષેત્રને એ તિરસ્કારશે નહિ, એ નવી દલીલ કે શંકા સ્થાનેથી ગભરાશે નહિ અને જ્ઞાન એ દીવો છે, જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ અમૂલ્ય રત્ન છે, જ્ઞાન એ મોક્ષમાર્ગનું અપ્રતિહત ઠાર છે એ વાતને આ વિદ્યાર્થીગૃહે સાબિત કરશે, સિદ્ધ કરશે, વ્યવહારૂરૂપે સમાજ સમક્ષ પ્રેમભાવે ધરશે. આવી સંસ્થા પૈકી કેટલીક અભ્યાસ સંસ્થાઓ પણ થશે અને કેટલીક વિદ્યાર્થીનાં આશ્રમ સ્થાન હોઈ માત્ર વાસગ્રહો તરીકે રહેશે, છતાં ત્યાં સચ્ચારિત્રની ખીલવણીનાં સાધને અને વાતાવરણ ખૂબ જામશે, જૈનના સંદેશા દુનિયાને પહોંચાડવાનાં તે કેન્દ્રો બનશે અને પ્રત્યેક ગૃહમાં અર્વાચીન પદ્ધતિએ તદ્દન નૂતનરીયા ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે અને આખું જૈન વાતાવરણ રાષ્ટ્રહિતની નજરે જાશે. એ સંસ્થાઓ દુનિયાને મંત્રી અને પ્રેમના સંદેશા પહોંચાડશે અને નવયુગની સંહિતાઓ રચશે. એ એક ભારે ખૂબી એ નીપજાવી કમાલ કરશે કે મૂળ સિદ્ધાન્તના અવિરેધપણે આખી શાસનપદ્ધતિમાં મહા પરિવર્તન નીપજાવશે અને તેના સંદેશાઓ જૈન દુનિયા આતુરતાથી તપાસશે અને પ્રેમભાવે સ્વીકારશે. આવી સંસ્થાઓને ભીખ માગવી નહિ પડે, ઊલટું તેઓ પાસે એટલી બક્ષીસે અને રમે આવશે કે તેમને ના કહેવાનો સમય આવી લાગશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન --- ----- - -- -- --- -~* એના સંચાલકે કેવા હશે? આવી સંસ્થાના સંચાલકે માત્ર કેળવાયલા જ રહેશે. એ સેવાભાવે સંચાલકનું સ્થાન લેશે. એ કેળવણીની પ્રત્યેક દિશાને અભ્યાસ કરશે. એ કેળવણીનું શાસ્ત્ર વિજ્ઞાન તરીકે કેમ ખીલવાય તેને માટે અનિશ ચિંતા કરશે. ધનિક વર્ગમાંથી જે કેળવણીનું શાસ્ત્ર સમજતા હશે તે પણ એવી જ રીતે સંચાલક પદે આવશે. આવાં વિદ્યાર્થીગૃહના નિયામક ખૂબ સેવાભાવી રહેશે. એને વિદ્યાર્થીવર્ગ તરફ વાત્સલ્ય રહેશે. એ પ્રેમપૂર્વક સર્વ વ્યવસ્થા કરશે. વિદ્યાર્થી સાથે એને પિતાપુત્રને સંબંધ રહેશે. એના તરફ વિદ્યાર્થીવર્ગની મમતા અને માન રહેશે. તે સેવાભાવી આત્મા ગૃહસ્થ કરતાં વધારે પૂજ્યભાવ ઉત્પન્ન કરશે. એ મધ્યમ કક્ષામાં પિતાનું સ્થાન લેશે. એ મધ્યમ કક્ષા કેવી થશે તે આગળ જતાં સાધુસંસ્થાની વિચારણાને અંગે આવશે. આ વિદ્યાર્થીગૃહે આ રીતે આવતા યુગમાં ખૂબ અગત્યનું સ્થાન બજાવશે. એવી સંસ્થામાં સર્વ વર્ગના બાળકો આવશે. ત્યાં ધનવાન ગરીબને ભેદ ટળી જશે. સમાનભાવે ઉછરેલા બાળકો એ જ સમાનભાવ પિતાના જીવનમાં ઉતારશે નવયુગના ઉત્સાહ, ધૈર્ય અને દીર્વાદશિતાના વાતાવરણમાં ઉછરી યુગધર્મની વિભૂતિથી વિભૂષિત થઈ એ નવીન વર્ગ નવયુગને આદર્શ જૈન બનશે. એનામાં ધર્મભાવના ઝળહળશે, એને ત્યાગ સેવાભાવનું રૂપ લેશે, એની શાંતિ શમનું લક્ષણ બતાવશે, એનો વ્યવહાર અને અનાસક્ત રાખશે અને એને જૈનધર્મ તરફને આદર્શ પ્રેમ વિવેકીને ખૂબ આનંદ આપશે. નવયુગના જૈનના જે અનેક પ્રસંગે અત્રે બતાવવા પ્રયત્ન થયો છે તે આ સંસ્થામાંથી નીકળેલા વિદ્યાર્થીઓમાં પ્રથમ આકાર લેશે અને પછી તેને આજુબાજુ વિસ્તાર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫મું પ૭. એ સંસ્થાના આત્મત્યાગી નિયામક આદર્શ રૂ૫ થશે અને તે કાર્ય માટે સેવાભાવે કામ કરનારા અનેક નરવીરે નીકળી આવશે અને તેઓ ઉપર જણાવ્યું તેમ મધ્યમ કક્ષાના વિભાગમાં ઉચ્ચ સ્થાન લેશે. તેમના કાર્યમાં મદદ કરનાર, અભ્યાસ કરાવનાર, સ્વચ્છતા રખાવનાર, વિશુદ્ધ વાતાવરણ રખાવનાર અનેક અનેક વિષયના નિષ્ણાત પૃથફ પૃથફ કાર્યવાહકે તેમની સાથે મદદગારરૂપે જોડાશે અને આ રીતે એક અભિનવ તંત્ર સબળ લક્ષ્યવેધી અને સેવાભાવને સર્વસ્વ માનનાર ઊભું થશે જેની સરખામણી કરવા રોગ્ય અત્યારે કોઈ સંસ્થા કે વ્યક્તિ નથી. આવાં ગૃહો ધીમે ધીમે કેળવણી આપનાર સંસ્થાનું રૂપ પણ લેશે, અનેક સંસ્થાઓ મળીને વિશ્વવિદ્યાલય પણ બનાવશે અને શાંતિથી કાર્યસાધક થઈ કેળવણીના પ્રશ્નને નિકાલ કરશે. એના નિર્ણયમાં સંકુચિત વૃત્તિને સ્થાન નહિ હોય. કેળવણી કેવા પ્રકારની આપવામાં આવશે તે આગળ વિચારવાનું છે, પણ એક મુદ્દો ખાસ આગળ કરવામાં આવશે કે જ્ઞાનના માર્ગમાં કોઈ પણ પ્રકારને અંતરાય કે ઉપઘાત ન થઇ જોઈએ. એ આખા કેળવણીના પ્રશ્નને આગળ છણશે ત્યારે એના જુદા જુદા આવિર્ભા દેખાઈ આવશે. નવયુગના જૈનના ધર્મ સંબંધી વિચારો કેવા પ્રકારના થશે એ જાણવાની સર્વથી વધારે ઈચ્છા–જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તેથી આપણે ધર્મક્ષેત્રને પ્રથમ હાથ ધરીએ. આ ધર્મક્ષેત્રની વિચારણા કરતાં નવયુગનાં કેટલાંક મુખ્ય લક્ષણ બરાબર જણાઈ આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. ચરણકરણાનુયોગ નવયુગને એમ લાગશે કે છેલ્લા થોડા સૈકાઓથી અત્યાર સુધી ધર્મ શબ્દની વ્યાખ્યા ખૂબ સંકોચાઈ ગઈ છે. એને એમ લાગશે કે જે ધર્મ નય–દષ્ટિબિન્દુઓના સિદ્ધાન્ત રજૂ કરી શક્યો, જેણે ન્યાયને એના અપૂર્વ સ્વરૂપમાં બતાવ્યું, જેનો પ્રમાણુવાદ અકાવ્ય ગણાય, જેણે જ્ઞાનને અદ્ભુત પદ આપ્યું, જેણે ઊંચામાં ઊંચી દશામાં પણ જ્ઞાનને આત્મા બતાવ્યો, જેણે કર્મ નિગોદ નિક્ષેપને અતિ ઉચ્ચ રીતે વર્ણવ્યાં, જેણે વિશ્વવ્યવસ્થાને અનાદિ હોવા છતાં પરિય સ્વરૂપ આપ્યું, જેણે આત્માની અનંત શક્તિ બતાવી, જેણે બુદ્ધિગ્રાહ્ય વિકાસમાર્ગ સમજાવ્યો અને જેણે જગવંદ્ય યતિમાર્ગ અને શ્રાદ્ધમાર્ગની પ્રરૂપણ કરી, જેના ભગવાનના સમવસરણમાં આસ્તિક-નાસ્તિક, ભક્ત-વિરોધી, સેવક-સેવ્ય, ચક્રવર્તી અને ભિક્ષુક, બ્રાહ્મણ અને વૈશ્ય, ક્ષત્રિય અને શક પિોષાણા, જેને આ માર્ગ અક્કલથી સમજાય તે, વિવેકથી ગળે ઉતરે તેવો, બાહ્યશુદ્ધિ અને અંતરશુદ્ધિને સરખું સ્થાન આપનાર-તેની છેલ્લા ઘેડા સૈકાઓમાં શી રિથતિ કરવામાં આવી છે? એ ધર્મને મૂળ સાવ રણ સજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ કહું સ્વરૂપે આત્મધમ સમજવાને બદલે જાણે અમુક ક્રિયા કરનાર ધર્મને અનુસરનારા હાય તેવું સ્વરૂપ અપાઈ ગયું. એ આત્મધર્મને બદલે કુળધમ થઈ ગયા. જે ધર્મીમાં વ્યક્તિગત આત્માને મેક્ષ જવાની યેાગ્યતા હતી, જ્યાં બ્રાહ્મણ, શૂદ્ર કે ગમે તે જાતિની વ્યક્તિ શાંતિ મેળવી આત્મધર્મને અજવાળતી, ત્યાં આ બધા જ્ઞાતિના ભેદ, ક્રિયાની મુખ્યતા, ધામધૂમ, જમણવાર અને ધમાલ ક્યાંથી દાખલ થઈ ગયાં? આવા આવા અનેક પ્રશ્ન તેના મગજમાં ઉઠશે. ૫૯ ક્ષીરનીરના વિવેક એટલે એ ક્ષીરનીરને વિવેક કરવા માંડશે. એને એટલી કેળવણી મળી ચૂકી હશે કે એ પેાતાના સ્વતંત્ર અભિપ્રાય ગ્રંથા વાંચીને બાંધી શકશે અને ઇતિહાસ દ્વારા સર્વ ગૂંચવણે। ક્યાંથી ઊભી થઈ અને કાણે ઊભી કરી એની એ સૂક્ષ્મ શેાધ કરશે અને શુદ્ધ મા—મૂળ મા–સનાતન મા કયા છે તેને એ વિવેકપૂર્ણાંક વિચાર કરવા સારૂ શેાધખાળ કરશે. એને શેાધખાળનાં સાધના પ્રાપ્ત થશે. નહિ પ્રાપ્ત થઇ શક્યા હાય તેવાં સાધના મેળવવા એ પ્રયત્ન કરશે. મોટી સંખ્યાના વિદ્યાને સનાતન મા અને વચ્ચેના વખતમાં પેસી ગયેલા રિવાજોની શેાધખાળ પ્રેમભાવે શેાધકદષ્ટિએ જિજ્ઞાસાબળે કરશે, આ મૂળ માર્ગોની શોધમાં એ અનેક લેખા વગેરે સાધનાના ઉપયાગ કરશે, પણ એને મુખ્ય આધાર મૂળ ગ્રંથા ઉપર રહેશે. પ્રભુએ કહેલી અને ગણધરાએ ગૂંથેલી તથા ત્યાર પછીના પ્રભાવશાળી પુરુષોએ સંગ્રહી રાખેલી વિશિષ્ટ વાણી કાઈથી વાંચી શકાય નહિ એ વાત તેને ગળે નહિ ઊતરે. જૈન ધર્માંના મૂળ સિદ્ધાંત એના અસલ સ્વરૂપમાં જમાનાની અસર વગર સનાતન સ્વરૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ત્યાંથી જ મળી શકે એ એને દઢ નિર્ણય રહેશે. એની ટીકાઓ વગેરે ઉપર યુગની અસરે ક્યાં ક્યાં થઈ છે તે એ બરાબર જોઈ શકશે. એ દષ્ટિવાદ કે ચૌદ પૂર્વ ભૂલાઈ ગયા તે માટે દિલગીર થશે, પણ પૂર્વ કાળની પરા વિદ્યાને એ મૂળ સ્વરૂપે નિહાળવા અખલિત પ્રયાસ કરી વિશ્વને ચકિત કરે એવાં રહસ્યો નીતારી કાઢશે. અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં આગમને, એના સંબંધમાં યુરેપના સ્કેલની શોધખોળાને, અપ્રસિદ્ધ રહસ્ય ગ્રંથોને, ચરિત્રને એ ખૂબ ઉથલાવશે અને પ્રત્યેક વિષય પર નવીન પ્રકાશ પાડશે. એને ખરે રસ અનેકાંતવાદને એના યથાર્થ સ્વરૂપે રજૂ કરવામાં રહેશે. એ ન્યાયની ઝીણી કટિઓમાં ઝીણવટથી ઉતરશે અને દુનિયાને શાંતિ અહિંસા અને ખરા સ્વરાજ્ય – આત્મરાજ્યના ઝરણાં ભરી ભરીને પાશે. એને દેખાશે કે વચ્ચેના વખતમાં જૈન જનતા ખૂબ અંધકારમાં ઉતરી ગઈ છે. એને લાગશે કે ક્રિયા માર્ગ ઉપર અણઘટતે વધારે પડતે ભાર મૂકાય છે. ક્રિયાનું ઉપયોગીપણું એ જરૂર સ્વીકારશે પણ ક્રિયાને એ સાધનરૂપ છે એમ સમજશે અને એને જૈન દર્શનની ઈતિ કર્તવ્યતાની કક્ષામાં કદી નહિ મૂકે. સાધનધર્મોને એ યથાસ્થિત સ્થાન આપશે, પણ માર્ગભેદ એને ગૂંચવી નહિ દે. એ માર્ગભેદના મતભેદને વધારે પડતું સ્થાન નહિ આપે અને તેમ કરવું તે જ જૈનના મૂળ સિદ્ધાંતને અનુરૂપ છે એમ બતાવવા તે અનેક આધારે રજૂ કરશે. અત્યારે અમુક તિથિએ અમુક પદાર્થ—લીલી વનસ્પતિ વગેરે ન ખાનાર કે જિનપૂજા કરનાર કે રાત્રિભોજન ન કરનાર અથવા કંદમૂળ ન ખાનાર – મુખ્યતયા આ ચાર નિયમ જાળવનાર જૈન છે અને એમ ન કરનાર જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ _ _ પ્રકરણ ૬ હું નથી એવી વ્યાખ્યા એને માન્ય નહિ થાય. એ ત્યાગધર્મને ખૂબ પિષણ આપશે. બને તેટલો ત્યાગ કરે એ જૈન ધર્મનું પરમ રહસ્ય છે એમ તે બતાવશે. એને આખો મૂળ માર્ગ જોતાં ઐતિહાસિક નજરે લાગશે કે જૈન ધર્મના નીતિવિભાગનું આખું ચણતર અહિંસા, સંયમ અને તપ પર થયેલું છે. એને અહિંસાની ખૂબ તાલાવેલી લાગશે. એને જે હાસ્યાસ્પદ રૂપ અપાય છે તેને બદલે એ વૈજ્ઞાનિક રૂપ આપશે. સંયમને ઉચ્ચ આસને બેસાડશે અને તપનાં ગુણ ગાશે, પણ એ જૈન ધર્મનું સર્વસ્વ છે એમ એ કદી નહિ માને. એના તરફ પૂર્ણ પ્રેમ રાખી એને જીવવા એ પ્રયત્ન કરશે, પણ એનું મુખ્ય લક્ષ દ્રવ્યાનુગ તરફ રહેશે. એ જૈન ધર્મના પ્રત્યેક નિયમનો અભ્યાસ અને વર્તન કરશે. એને પ્રત્યેક નિયમનું પૃથક્કરણ કરતાં આવડશે. એ લાભાલાભની તુલના કરશે. એ દેશકાળના સૂત્રોને વ્યવહારુ રીતે લાગુ પાડશે અને એ એમાં અટવાઈ નહિ જાય. આ દેશકાળના સૂત્રને જરા ખુલાસાની જરૂર છે. એને જૈનદર્શનના ચરણકરણને અભ્યાસ કરતાં જણાશે કે વિધિ કે નિષેધને જૈન દર્શનમાં સ્થાન નથી. એકાંતની જ જ્યાં પોષણ ન હોય ત્યાં અમુક આમ જ કરવું જોઈએ કે અમુક આમ ન જ કરવું જોઈએ એવો નિશ્ચય ન હોઈ શકે. એને શાસ્ત્રમાં માલૂમ પડશે કે પ્રત્યેક ક્રિયા કરતાં પહેલાં લાભાલાભની તુલના કરવાની હોય છે. જે કાર્યમાં લાભ વિશેષ અને હાનિ એછી તે વ્યક્તિગત દષ્ટિએ તેને કરવા યોગ્ય. આ એક મુદ્દાને ચરણકરણને સિદ્ધાંત. દેશકાળની નજરથી વિવેક બીજે સિદ્ધાન્ત દેશકાળને અનુસરી નિર્ણય કરવો. એ બાબતની પરવાનગી એની નજરે જૈનદર્શન આપે છે એમ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ કર નવયુગના જૈન તે માનશે, એ દરેક વસ્તુને એનુ યથાયાગ્ય સ્થાન આપશે. કાઈ વાત નહિ બેસે તે તે ચર્ચા કરશે. દાખલા તરીકે એને લાગશે કે માર્ગાનુસારીના છઠ્ઠા ગુણમાં કહ્યું છે કે ( જૈન ) કાઈ ને વણ વાદ ન ખોલે, રાદિકને ખાસ કરીને,' હતાં એને એમ લાગશે કે પેાતાનામાં તાકાત, આવડત અને અભ્યાસ હોય તે રાજાને એના યથાસ્વરૂપમાં બતાવવા જોઇ એ. તે આને એ પેાતાની કરજ સમજશે, એ પેાતાને રાષ્ટ્રધમ સમજશે અને રાષ્ટ્રધ–સમષ્ટિહિતને ધમ સાથે કદી વિરાધ હાઈ શકે નહિ. તેથી એ પ્રસંગ જોઈ આખી રાજાની સંસ્થાને તેાડી પાડવા પ્રયત્ન કરશે અને છતાં તેમ કરતાં એ જૈનધર્માંના નિયમને તોડે છે એમ તે માનશે નહિ. એ જ ગુણો પૈકી ૨૨મા અદેશ અને અકાળ ચર્ચાને તજવાની બાબત બતાવેલી હાવાથી તેના મગજનું સમાધાન થઈ જશે. તેવી જ રીતે બહાર નીકળવાના અનેક દરવાજાવાળા ઘરને કદાચ એ તજી નહિ દે, તા પણ એ સમજશે કે અમુક સમય એવા હતા કે ઘરને વિશેષ બારીબારણાં રાખવાં એ જાનમાલને અગવડમાં મૂકવા જેવું ધારવામાં આવ્યું હેાય; અત્યારના આરોગ્યના નિયમ પ્રમાણે બારીબારણાં વધારે રાખવામાં આવે ! તેથી જૈન મટી જવાશે એવું તેને કદી લાગશે નહિ અને તેમ તે માનશે નહિ. મુસલમાની રાજ્ય વખતની અવ્યવસ્થાના નિયમે। આ કાળમાં આવી બાબતમાં લાગુ ન પડે એમ તે માનશે. એનામાં એટલે વિવેક આવશે ને તે માનશે કે ઇંદ્રિયદમન, અતિથિપૂજન, ગુણપક્ષપાતીત્વ આદિ નિયમા સ કાળમાં લાગે તેવા છે. જ્યારે અમુક નિયમે અમુક યુગને માટે જ લાગે તેવા હાય છે. યુગે યુગે સંહિતા બદલાય છે. જૈન દૃષ્ટિએ યુગે યુગે સમાચારી બરાબર બદલી છે એમ તે ઇતિહાસથી જોઈ શકશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું અને દેશકાળ–સમયધર્મ એ જૈન ધર્મનું આવશ્યક અંગ છે એમ તે સમજશે. એટલું જ નહિ પણ એમ ન સમજનાર જૈન ધર્મના સામાન્ય મુદ્દાને કે રહસ્યને સમજી શક્યા નથી એમ તેને લાગશે. એનામાં વળી વિશેષ વિવેક એટલે આવશે કે ચર્ચા કરી સમજવા પ્રયત્ન કરશે, દેરાકાળના નિયમને લાભાલાભની તુલનાને કટિ ઉપર ચઢાવશે અને પિતાને અભિપ્રાય ફેરવવા આતુર રહેશે. ચરણકરણની સ્વતંત્રતા ટૂંકમાં કહીએ તે ચરણકરણ – ચારિત્ર અને ક્રિયામાં એ સર્વને છૂટછાટ આપવા ઉઘુક્ત રહેશે અને છતાં તે સ્વચ્છંદતાને કદિ નહિ સ્વીકારે. જ્યાં સુધી બને ત્યાં સુધી સનાતન માર્ગના સિદ્ધ માર્ગોને અનુસરવા એ આગ્રહ રાખશે, પણ કોઈને વિચારપૂર્વક અન્ય માર્ગે પિતાની સિદ્ધિ સાધતો તે જોશે તે પણ તેથી સાધનધર્મના સંબંધમાં તેની સાથે તે વિરોધ નહિ કરે અથવા તેને ઉખેડી ફેંકી દેવાને અજેનમાર્ગ કદી અખત્યાર નહિ કરે. એ મુખ્ય આધાર દષ્ટિબિંદુ ઉપર જ રાખશે. દાખલા તરીકે એ લજ્જાળુપણાને ગુણમાં જરૂર માનશે, પણ બેરી માંદી હાય, દાક્તરને બોલાવવાની જરૂર હોય છતાં માબાપ બેઠા એ કામ તેનાથી થાય નહિ એવી લજજામાં તે નહિ માને. એ પાપથી લજજા પામશે, પણ એના બાપદાદાના લજજા સંબંધીના ખ્યાલો અને તેના ખ્યાલમાં જમીન આસમાન જેટલું તફાવત પડી જશે અને છતાં તે જૈન મટી જાય છે એવું તેને લાગશે નહિ અને કઈ તેને તેમ મનાવવા પ્રયત્ન કરે છે તે વાત ઉપર તે વિચાર જરૂર કરશે, પણ અમુક સ્થાનેથી આવે છે માટે તે આંખે મીંચીને સ્વીકારી લેશે નહિ. દરેક બાબતમાં તે મૂળ આશય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન અને વર્તમાન દેશકાળને બરાબર તળશે અને સમયધર્મને પિછાની તે અનુસાર પોતાનું વર્તન તેની નજરે ધમ્ય માર્ગ લાગશે ત્યાં ગોઠવશે. એ પ્રત્યેક ગુણોની પરસ્પર અસર કેવી થાય છે તેની ખૂબ ચર્ચા કરશે. લજજાવાનને દયાળુ રહેવું હોય, દીર્ઘદર્શને અધિકારી વર્ગની ઉછુંખલતા ઉઘાડી પાડવી હોય, સૌમ્ય માણસ રાજકારણમાં ભાગ લે ત્યાં રાષ્ટ્રહિત જાળવવામાં કેવા પ્રકારની શાંતિ રાખવી જોઈએ વગેરે આ નવીન વિચારણામાર્ગ ઊભો કરી એ પ્રાચીન બાબતને એના વર્તમાન આકારમાં બરાબર ગોઠવશે. ટૂંકમાં કહીએ તે વર્તનના ગુણોને એ તદન નવીન આકાર આપશે અથવા જૈન પરિભાષામાં કહીએ તે મૂળ બાબતોને અનુરૂપ એ આખી સમાચારી નવીન રૂપે ઘડશે. આમાં મૂળ મુદ્દાને વિરેાધ ન આવે અને વર્તમાન યુગમાં જૈન પ્રજા પરસ્પર અવિરેધે ત્રણે વર્ગ સાધી શકે એ એનું સાધ્ય અવશ્ય રહેશે, પણ પરિસ્થિતિ એટલે પલટો પામી જશે કે ઉપરચેટિયા સમજનારને એમાં ધર્મ ઉથલાઈ જતો દેખાશે. આ તે ચારિત્રના શરૂઆતના માર્ગાનુસારીના ગુણેને અંગે વાત થઈ. એની અંદરના વિચારણાનાં સાધનો અને મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આગળ એ શ્રદ્ધામાર્ગમાં પણ મોટો ફેરફાર કરી બતાવશે. એ ફેરફારની દિશાઓનું નિરૂપણ આગળ થશે. ચરણની સાથે કરણની વાત પણ અહીં કરી નાખીએ. કરણ એટલે ક્રિયા-અનુષ્ઠાન. એને અંગે નવયુગનું વલણ કેવા પ્રકારનું રહેશે તે ભારે અગત્યને સવાલ છે. ભારે અગત્યનો ખરે સવાલ તે દ્રવ્યાનુયોગને છે જે તરતમાં જ હાથ ધરવાનો છે, પણ ક્રિયાને એટલું મહત્વ અપાયું છે કે આ જમાનાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠ્ઠું પ માણસાને એ સવાલ વધારે ઉપયોગી લાગે તે બનવાજોગ છે. એ સવાલને પણ સાથે સાથે જ અવલેાકી જઈએ. ક્રિયા અનુષ્ઠાનની ઉપયોગીતા નવયુગ જરૂર સ્વીકારશે. એ દ્રવ્યપૂજન, આવશ્યક, પૌષધ, સામાયિક આદિ સર્વ ક્રિયાને ચેાગ્ય સ્થાન આપશે. જે અધિકારીને એમાં રસ પડે તેને તે કરવા દેશે. પણ એ ક્રિયાને સસ્વ નહિ માને. બાહ્ય ક્રિયા કરે તે જ જૈન રહી શકે એવી તેની માન્યતા નહિ થાય. એ અંતવૃત્તિની સુધારણામાં વિશેષ માનશે, દ્રવ્યપૂજામાં ચાર કલાક ગાળી દુકાને જઈ ૭૨ ટકા વ્યાજ લેનારને તે પ્રભુવચનને માનનાર નહિ ગણે. એની ભાવના વધારે સક્રિય સ્વરૂપ ધારણ કરશે. ક યાગમાં સેવાનું પ્રાધાન્ય એને! કમ યાગ સેવાનું સ્વરૂપ લેશે. એ દીન, અનાથ, દુ:ખીની સેવા કરવામાં સક્રિય કયાગ માનશે. એ માંદાની માત્રજત, પ્રસૂતિમાં પીડાતી સ્ત્રીની સુવાવડમાં માનશે. એ સુંદર આરાગ્ય ભવના, દવાખાનાં, વાચનાલયા, અનાથાલયા, ઉદ્યોગમદિરા, વિદ્યાર્થીગૃહા, વિધવાદિરાની સેવા કરવામાં પેાતાનું કર્તવ્ય સમજશે. એ પાતાનાં સુખ સગવડ કે આરેાગ્યની દરકાર કર્યો વગર જનતાની સેવા અને તેટલી નિઃસ્વાર્થ દષ્ટિએ કરવામાં ક્રિયાયોગ સાધશે. જનતાને જ્યાં જ્યાં સેવાની જરૂર જણાય ત્યાં ત્યાં એ દોડી જશે અને ખડે પગે કા` બજાવશે. એને ક્રિયામા તદ્દન જુદું સ્વરૂપ લેશે. એ બેસી રહેવામાં, આળસુની જિંદગી ગુજારવામાં, કુથલી કરવામાં, આધાર વગરની વાતા કરવામાં નહિ માને, પણ વ્યવહારૂ વિવેકવાળી ક્રિયા કેવી રીતે કરવી તેની સમજણપૂર્વક એ પોતાનું કાર્ય ક્ષેત્ર શોધી લેશે, ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન *---- - * - , * * * * * -- ----- -- --- - - - એને ચાલુ ક્રિયા તરફ અરૂચિ કે દેવ નહિ થાય, પણ એ ક્રિયામાં જે બાહ્ય ધામધૂમ અને ઓટો ભભકે દેખાય છે તે એને રૂચશે નહિ. સાદાઈ અને એકાગ્રતાને એ વધારે સ્થાન આપશે. પોતાના કાર્યમાંથી એને અવકાશ મળશે તે એ પૂજન આદિ જરૂર કરશે, પણ એને સેવાભાવમાં એટલી લય લાગશે કે એની સાથે વિરોધ થતું હોય ત્યારે એ સેવાભાવને પ્રાધાન્ય આપશે. બાહ્ય ક્રિયારૂચિવાળા લેકે મેટા પાયા ઉપર વરઘોડા ચઢાવવામાં ધર્મને ડંકે વાગતે જોઈ શકે છે તે એને નહિ રૂચે. એને એ બાહ્ય ધામધૂમ વર્તમાનયુગમાં બીનજરૂરી લાગશે. આખી કામ કચરાઈ જતી હોય અને એક બાજુએ મિષ્ટાન્નમાં હજારે રૂપિયા ખરચતા હોય અથવા પ્રેમી ભકતો લાખો રૂપિયા ખરચી હીરાજડિત મુકુટકુંડળ ઘડાવતા હોય એમાં એને પ્રત્યક્ષ વિરોધ દેખાશે. જ્યારે દેશમાં ધનધાન્યની સમૃદ્ધિ હતી, જ્યારે દૂધ વેચવું પાપમય ગણાતું હતું, જ્યારે ચાર માસની કૃષિ કે વ્યાપાર એક વર્ષની આજિવિકા આપતા હતા તે વખતે એવી ધામધુમનું સ્થાન કદાચ સમજી શકાય, પણ વર્તમાન પરિસ્થિતિમાં તે રીતસરના નિર્વાહ માટે મોટો પ્રયાસ કરવો પડે છે ત્યાં એ ધામધૂમને સ્થાન જ ન હોઈ શકે એમ તે માનશે. એના ઇતિહાસના જ્ઞાનથી એ બતાવી આપશે કે હિંદના સુખી દિવસમાં પણ એ બાહ્ય ધામધૂમે ધર્મનાં મૂળને સડાવી નાખનારી નીવડી હતી એમ તત્કાલીન વિચારકે લખી ગયા છે. તેથી એ પ્રકારની ધામધૂમે જૈનેને આડે રસ્તે ઉતારી જ્ઞાનમાર્ગથી વંચિત રાખ્યા છે, એમ છતાં આ યુગમાં તે કોઈ પણ રીતે બાહ્ય ધામધૂમને સ્થાન કે અવકાશ નથી જ એમ તે ભાર મૂકીને માનશે અને તે વાતને પ્રચાર પણ એ વગર આશંકાએ અને પરિણામની દરકાર કર્યા વગર કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ કર્યું. ટૂંકામાં કહીએ તે નવયુગનેા કયાગ તદ્દન જુદા આકાર લેશે, એનું ધ્યેય સેવા ઉપર રહેશે અને અન્યના ઉદ્ધારમાં એ. સ્વપ્રગતિ જોશે. એની વિચારણા પોતાના જીવનને પોતાની અનુકૂળતા પ્રમાણે અન્યને ઉપયેાગી કરવા તરફ વિશેષ થશે અને તે તેનું કાર્યાક્ષેત્ર બનશે. એની ક્રિયા અને એનું અનુ॰ાનકમ સેવાના ધેારણ પર તદ્દન નવીન માર્ગે વહેશે. એ અનેક માર્ગો આગળ વિચારવામાં આવનાર છે. આ પ્રમાણે ચરણકરણાનુયોગ પ્રત્યે નવયુગનું વલણ શું રહેશે તે વિચાર્યું. એ જૈનધર્માંના ત્રણ મૂળ અંગાને કેવી રીતે પાપશે તે હવે વિચારી જઈ એ. ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું અહિંસા જૈનધર્મનાં મૂળ અંગે ત્રણઃ અહિંસા, સંયમ અને તપ. એ ત્રણેને અંગે નવયુગનું વલણ કેવું રહેશે તે ખાસ વિચારવા જેવું છે. આખી જૈન નીતિ વિષયને પાયે આ ત્રણ મુદ્દા પર છે. પછી એમાંથી શ્રાદ્ધધર્મ, યતિધર્મ આગળ ચાલે, યેગના માર્ગે જેવાય, અષ્ટાંગયોગ વગેરે આવે અને વ્રત પચ્ચખાણ સર્વને સમાવેશ થાય. ટૂંકમાં કહીએ તે જૈન આચારશાસ્ત્ર (Ethics) ને કુલ મુદ્દો આ ત્રણ શબ્દ પર નિર્ભર રહે છે. આ ત્રણ મુદ્દા વિચારવાથી ઘણી અગત્યની બાબતનાં વહેણ વિચારાઈ જશે. અહિંસા નવયુગની આખી સમાજરચના અહિંસાનાં ઘેરણ ઉપર રચાશે. અહિંસા વ્યક્તિગત ધર્મ હોવા ઉપરાંત રાષ્ટ્રધર્મ થશે. મનુષ્ય સંહારનાં સાધને જેમ બને તેમ ઘટાડતા જવાં, વિ– જ્ઞાનનો ઉપયોગ વધ માટે ન કરતાં સંરક્ષણ માટે કરવો અને પરસ્પર વિરુદ્ધ જતાં સ્વાર્થોનાં સંઘદને થાય ત્યારે પતાવટથી લાદીથી નિકાલ લાવવાનું ઘેરણ સ્વીકારાશે. મનુષ્યદયા પૂરતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું તે પ્રાગતિક કાર્ય સમસ્ત વિશ્વ સ્વીકારશે. એ લડાઈથી કંટાળી જશે, લડાઈનાં પરિણામે લડાઈનાં વર્ષોથી પાંચ દશ પંદરગણું વર્ષ સુધી ચાલે તે પણ પૂરાં થતાં નથી અને જીતનારા પણ હારનારથી વધારે કફેડી સ્થિતિમાં આવે છે, એ જોયા પછી વિશ્વ મહાસંહારક યુદ્ધમાં ઝંપલાવતાં ખૂબ વિચાર કરશે. રાષ્ટ્રભાવના વિશ્વબંધુત્વનું રૂપ લેતી જશે અને તે કાર્યને હિંદને રાષ્ટ્રવિધાતા ધાર્મિક સાથે વ્યવહારુ સ્વરૂપ આપી જશે. આ તે મનુષ્યનાશ પૂરતી અહિંસાની ઉપયોગિતા થઈ પણ નવયુગ એને જનાવર પશુપક્ષીની કટિ સુધી બરાબર લઈ જશે અને આરોગ્ય સ્વચ્છતાના અભ્યાસ અને વ્યવહારથી નાની જીવાતોની ઉત્પત્તિનાં સ્થાન ઉપર મોટી અસર કરશે. એ ખેડાં ઢેર માટે પાંજરાપોળ કરશે તે તદ્દન નવીન ઢબે, અર્વાચીન મુદ્દાઓ ઉપરાંત અર્થશાસ્ત્રની દૃષ્ટિને પણ તેમાં સ્થાન આપશે. પાંજરાપોળમાં આવેલ ઢેર ઉપયોગીપણામાંથી હમેશને માટે બાતલ થાય છે એ વાતને તે નહિ સ્વીકારે, પણ પાંજરાપોળને તદ્દન નવી ઢબે આદર્શ સંસ્થા બનાવશે. ત્યાં સેવાભાવી દાક્તરે, વેટરનરી સજને કામ કરશે, તેમાં મોટી ડેરીઓ ખૂલ્લી કરવામાં આવશે અને અનેક અપંગ અશક્ત માંદા જીવને પોષવામાં આવશે અને છતાં પાંજરાપોળ પિતાના પગ ઉપર જ ઊભી રહે. તેવી તે કરશે. મનુષ્યદયા માટે માંદાની માવજત, પ્રસૂતિગૃહે, દવાખાનાં, હોસ્પિટલ, આરોગ્યભવને એ નવયુગનાં મંદિરે બનશે. એમાં કામ કરી સેવા કરવી એમાં પિતાને ધર્મ સમજશે અને એવાં ગ્રહ–સ્થાને અનેક આકારમાં ખૂબ સંખ્યામાં વધશે અને ત્યાં આદર્શ અહિંસાના જીવતાં સ્વરૂપે નજરે પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન એ ઉપરાંત વિચારક્ષેત્રમાં અહિંસા સક્રિય રૂપ લેશે. કાર્યની લાગણી દુ:ખાવાય નહિ,અર્થ વગરની જાહેર ટીકા થાય નાંહું, નિંદાકુથળીમાં સમય ગળાય નહિ — એવા અનેક વિચારાને સક્રિય સ્વરૂપે વ્યવહાર થશે. અહિંસાના આખા વિષયને અનેક પ્રકારે ચવામાં આવશે, સ્વયા પરયા વિચારશે, અનુબંધ દયા અને અંતરના આશયાનું પૃથક્કરણ કરવામાં આવશે, વિશેષ લાભાલાભની તુલના કરવામાં આવશે અને અહિંસાને એના અનેક સ્વરૂપમાં બહલાવી એ જૈનના માનીતા વારસે હશે અને તેના સંદેશ જૈન ગૃહેામાં જ નહિ, પણ સાર્વત્રિક થઈ દેશેદેશ અને ગામેગામ પહોંચશે અને તે કાર્ય કરવામાં નવયુગને જૈન ખૂબ રસ લેશે. અહિંસા નવયુગમાં સ્થૂલ અને માનસિક બન્ને રૂપ લેશે. એને અવકાશ વખત જતાં વધતા જ જશે. એના ઉપર ચર્ચાએ પણ અતિ ઝીણવટથી થશે. એના પૃથક્કરણમાં સ્વરૂપયા અને અનુબંધદયાને યાગ્ય સ્થાન મળશે. અને એના પ્રત્યેક વિષયમાં મૂળ આશય શાસ્ત્રકારાના ો હતા તેની શેાધખાળેા જગત સન્મુખ રજૂ કરવામાં આવશે. ‘ અહિંસા પરમે। ધર્મ'' ક્યારના છે, કેટલા જાતા છે એને આખો ઇતિહાસ રજૂ કરવામાં આવશે, એમાં જૈનાએ અને બૌદ્ધોએ ભજવેલા ભાગની વિગતા તારવવામાં આવશે અને બૌદ્ધધર્મ ત્યાર પછી અમુક અંશે કેમ કરી ગયા. તેનાં કારણો રજૂ કરવામાં આવશે. વેદમાં અસલ હિંસા નહાતી, ક્યારથી દાખલ થઈ, શા માટે દાખલ થઈ, એને ઠેકાણે લાવવા જૈન અને બૌદ્ધદર્શને કેવા પ્રયાસા કર્યો અને ભાગે આપ્યા તે સપ્રમાણ રજૂ કરી વિનીતભાવે નમ્રતાપૂર્વક દુનિયાને ચકિત કરે તેવી પદ્ધતિએ સુંદર કા` અનેક દિશાએ અહિંસાના પ્રસાર અર્થે થશે અને પ્રાચીન સર્વ દતાને તે સંમત છે એમ બતાવી અહિંસાને મુખ્ય સ્થાને બેસાડવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ७० Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ૧ આ સર્વ બાબતમાં અન્યની લાગણી ન દુઃખાય તેવી પદ્ધતિ સ્વીકારવામાં આવશે. લાગણીના આઘાતને હિંસા માનવામાં આવશે. સમજાવટથી, દલીલથી, યુક્તિથી નિખાલસપણે અહિંસાની વાતને એવી વૈજ્ઞાનિક પદ્ધતિએ રજૂ કરવામાં આવશે કે અત્યારે માંસાહારી પ્રજા છે તેને માટે ભાગ સ્વયં પ્રેરણાથી માંસને ત્યાગ કરી દેશે. અત્યારે જે વાત સ્વમ જેવી ખાલી લાગે છે તેને આવતે યુગ વ્યવહારુ આકારમાં આત્મગ, અભ્યાસ અને સમજાવટની કુનેહથી સિદ્ધ કરી બતાવશે. અનેક પ્રયત્નોને પરિણામે અહિંસાને બહુ ઉચ્ચ સ્થાન નવયુગમાં મળશે અને તેના પ્રેરક તરીકે નવયુગના જૈનને પિતાના જીવનનું સાફલ્ય કરવાનું માન મળશે. નવયુગ ધર્મ સંબંધી આક્ષેપક ચર્ચા કરશે નહિ. એમ કરવામાં એના અહિંસાના ધરણને ક્ષતિ ઉપજતી લાગશે. એ પરમસહિષ્ણુતા બરાબર ખીલવશે. છતાં એ સહિષ્ણુતા સાથે અહિંસાને વિચાર વિશ્વને પારણે બાંધવામાં તેને વિરોધ નહિ લાગે, વાંધો નહિ આવે અને તે પિતાના અહિંસક ભાવને પછી સર્વદર્શનને યોગ્ય માન આપી અહિંસાને સર્વગ્રાહી અને ઘરગથ્થુ કરી શકશે. અહિંસાના વિષયની અનેક દિશાઓ છે, તેના મુદ્દા અત્રે ચર્ચા છે. વધારે બારીક વિગતો એ મુદ્દા પરથી કલ્પી લેવી. મુદ્દાની વાત એ છે કે અહિંસા અત્યારે માત્ર જૈનને જ ધર્મ છે અને અલ્પાંશે અન્યને પણ ધર્મ છે એવી પરિસ્થિતિ થઈ રહી છે, તેને બદલે અહિંસા સાર્વત્રિક થતી જશે અને તે કરવાની યોજના અને અમલ જૈનને હાથે થશે અને અહિંસાને પ્રસાર તે જૈન ધર્મને પ્રસાર છે એમ દુનિયા સ્વીકારશે. આ અતિ વિકટ કાર્ય નવયુગ કરશે. એ અહિંસાના સિદ્ધાંતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ કર નવયુગને જૈન ઉપાશ્રયમાં કે જેનોનાં ઘરમાં ગૂંગળાવી નહિ નાખે પણ એનું વ્યવહારુ સ્વરૂપ રજુ કરી દુનિયાને ગળે ઉતારશે. અહિંસાને અંગે જૈનેના સંબંધમાં જે ખોટી સમજુતી અન્યત્ર ફેલાવવામાં આવેલી છે, તેમને માંકડ ચાંચડના પિષનારા માનવામાં આવે છે, તેઓને ગંદા ગણવામાં આવે છે તે સર્વ નવયુગને જૈન દૂર કરશે. એમાં એ ભારે કુનેહ બતાવશે. સમજાવટના પ્રયોગો, સ્વચ્છતાના સિદ્ધાંત, સુઘડતાના નિયમો વગેરેને એ આરોગ્યની દષ્ટિએ એ સુંદર ઉપયોગ કરશે અને સામાન્ય બાબતેને એ નવયુગમાં એવું સુંદર રૂપ આપશે કે અત્યારે ટીકાપાત્ર થતી કોમ અને વગેવાતા ધર્મ વિવેકના ઉચ્ચ સિંહાસન પર બેસશે. અભ્યાસ, સેવાભાવ, આવડત, દક્ષતા અને ચીવટને પરિણામે અહિંસાના માનવંતા આદર્શને માનવજાતિનો આદર્શ બનાવવાનું કાર્ય બહુ સરળતાથી, સફતથી અને અંતરની ઉર્મિથી કરશે અને જગત તેને ગ્ય આકારે આનંદપૂર્વક વધાવી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું સંયમ સંયમને વિય વધારે અગત્યનું છે. સંયમની શ્રેણીઓ બંધાશે અને અધિકારી ગ્યતા પ્રમાણે તેમાં ભાગ લેશે. સામાન્ય કક્ષાના માણસો – જૈને પણ માર્ગાનુસારીના ગુણેને દેશકાળ એગ્ય ફેરફાર સાથે બહુ પ્રેમથી સ્વીકારશે. એને પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિભવને છે, એ વાત તરફ ઘણી ઉપેક્ષા થઈ હોય એમ તેને લાગશે. જૈન નામ ધરાવનાર અપ્રમાણિકપણે ધન પેદા કરવાનો સંકલ્પ પણ ન કરે એમ નવયુગને જૈન માનશે. પોતાનો હક્ક ન હોય તેવા ધનની લાલચને લાત મારતાં તેને આવડશે. જે ધન કમાતાં આત્મા વેચ પડતું હોય તેને તજવાની શક્તિ તેનામાં અભ્યાસથી ને વિચારણાથી આવશે. એને ખાતરી થશે કે જૈન નામ ધરાવનારથી કદી અનીતિને માર્ગે પેટ ભરાય નહિ, એને મેટે વૈભવ ભેગવવાની લાલસા નહિ થાય, પણ ચાલુ ભરણપોષણ માટે પણ અન્યાયને માર્ગ એ કદિ નહિ લે. એને એમ લાગશે કે એ ગુણ ખાસ હો જ જોઈએ. એ કરવામાં કાંઈ વિશેષ કરતો હોય તેવું તેને લાગશે પણ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪ નવયુગને જૈન તદન પ્રમાણિક વ્યાપારી જોઈએ તે તે જૈન જ હોય, ઓછા તેલ, એાછાં માપ, બે ભાવ, નામામાં ગોટાળા, સાચા ખોટા હવાલા એ જૈનની પેઢી પર ન હોય. આવી છાપ એ જરૂર પાડશે. એ ઉપરાંત એની કૃપા, દયા, કૃતજ્ઞતા અને પરગુણ સમજવાની શકિત વધતી જ જશે. એને સત્ય માટે અહિંસા એટલે જ આગ્રહ રહેશે. ભગવાન મહાવીરના શ્રાવકથી અસત્ય બોલાય જ નહિ. અને તેનું પ્રમાણિકપણું હાઈકોર્ટના જજના પ્રમાણિકપણાથી ઓછું તે ન જ હોય, એટલું જ નહિ પણ એ માટે એની પ્રતિષ્ઠા પણ એટલી જ હોય. એ તે જૈન છે એવા શબ્દ સાથે એ સત્ય અને પ્રમાણિકપણને આદર્શ છે એવી પ્રતિષ્ઠા જમાવવાને નવયુગને આદર્શ રહેશે. એ પિતાની બુદ્ધિને ઉપયોગ આ પ્રાથમિક ગુણેને અંગે જરૂર કરશે. આપણે જરા ઉપગુણોને અંગે તેનું વલણ જોઈ લઈએ એટલે આખા સંયમમાર્ગ તરફનું નવયુગનું વલણ જણાઈ આવશે. સંયમમાર્ગ તરફ નવયુગનું વલણ ન્યાય સંપન્ન વિભવ સંબંધી ઉપર ચર્ચા આવી ગઈ. (૧) શિષ્ટાચારની પ્રશંસા તે ખૂબ કરશે, પણ આચારને અંગે એનું મુખ્ય લક્ષ્ય અંતર્વતન તરફ વધારે રહેશે. બાહ્યાચારને એ માત્ર સાધન તરીકે ઉપયોગી ગણશે, પણ એને મદાર અંતર્ધર્મ ઉપર સવિશેષ રહેશે. (૨) ૧. આ માર્ગાનુસારીને પાંત્રીશ ગુણ છે. એની વ્યાખ્યા શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાંથી લીધી છે. (૧. ૪૭-૫૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮સુ લગ્ન કૈાની સાથે કરવાં, ક્યારે કરવાં તે સંબંધી તેના વિચારો ખૂબ સ્વતંત્ર રહેશે, લગ્નનું આખું પ્રકરણ આગળ વિચારવાનુ છે. તે જ્ઞાતિભેદને માનશે નહિ. પ્રેમલગ્નને પસંદગીથી કરવામાં જ માનશે અને એને અંગે કૃત્રિમ બંધનેામાં તે માનશે નહિ. લગ્ન સબંધી એક સારા જેવા ભાગ તદ્દન ખેદરકારી બતાવશે અને કૌમાય ત્રત—ઋદાચ પાળવામાં જીવનનું સાય માનશે. આ પ્રસંગ પર આગળ ઘણું વક્તવ્ય થવાનું છે ત્યાં તે જોઈ લેવું. (૩) ૧૫ પાપભીરૂ તે ખૂબ રહેશે અને ઝીણવટથી પાપને ઓળખશે અને તેનાથી ડરીને નહિ, પણ ફરજ સમજીને તેનાથી દૂર રહેશે. (૪) પ્રસિદ્ધ દેશાચારના સંબંધમાં એ ખૂબ છૂટ લેશે. અવ્યવસ્થિત આચારને એ માનશે નહિ. એ બાબતને એ સંયમના પેટા નીચે નહિ ગણે. એને આચારભેદ વિશેષ સ્વચ્છંદતા માટે નહિ હાય, પણ અનેક આચારા આ કાળને પ્રતિકૂળ અથવા બીનજરૂરી તેને લાગશે માટે તેના ઉપર પગ મૂકવામાં તે જરા પણ ક્ષેાભ નહિ પામે. (૫) તે કાઈના અવર્ણવાદ નહિ ખેાલે, પણ રાજ્ય અને અધિકારીવગ સામે એ ખૂબ માથું ઊંચકશે. એને રાજસત્તા માત્ર સ્વાર્થી ત્રાસ આપનારી અને સ્વતંત્રતાની વિરાધક લાગશે. રાજ્યસત્તાને તાડી ઉખેડી ફેંકી દેવા ખાતર તે અનેક પ્રકારના ભાગ આપશે અને તેમ કરવામાં તે સંયમમાની પોષણા સમજશે. અવર્ણવાદમાં જાહેર ટીકા આવી જાય છે એમ ટીકાના અ વિચારતાં બેસે છે. એ નિંદાની ખાતર ટીકા નહિ કરે પણ જાહેર હિત ખાતર કરશે. (૬) પેાતાને રહેવા માટે કેવું ઘર બાંધવું અથવા પસંદ કરવું અને ત્યાં આરાગ્યના નિયમો કેવી રીતે જાળવવા તે પોતે શેાધી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન એમાં હજાર વર્ષ પહેલાંની પરિસ્થિતિના વિચારે તે વિચારશે ખરે પણ તેને માર્ગદર્શક તરીકે નહિ ગણે. અહીં તે સમયધર્મને પ્રબંધ ગઠવશે અને દેશકાળના સિદ્ધાન્તોને માન આપશે. (૭) - સદાચારી સાથે એ સંગ કરશે. એને મજા જ એવા પ્રસંગમાં આવશે. માતાપિતાની પૂજા કરનારે એ થશે. (૮) પણ માતાપિતાની સાથે ચર્ચા કરવામાં તે વડિલનું માનભંગ નહિ માને અને પ્રમાણિક મતભેદ પડશે તે માતપિતાને મૂકી દેશે. એનું લક્ષ્ય એનાં સંયમ, રાષ્ટ્રધર્મ અને આત્મોન્નતિનું જ રહેશે. (૯) ઉપદ્રવવાળા સ્થાનને એ તછ નહિ દે. એ મરકી કે કોલેરા હોય ત્યાંથી નાસી નહિ જાય. રોગીની સેવા કરવી, એનાં દવાદારૂ કરવાં, એમને ફેરવવા, ઉપાડવા અથવા એમને દુઃખ ઓછું થાય તેમ કરવા તે પિતાને સર્વ પ્રકારને ભેગ આપવામાં ઉત્કૃષ્ટ સંયમ માનશે. માંદાની માવજત માટે ઇસ્પિતાલે, આરોગ્યગૃહે એ નવયુગનાં મંદિરે થશે. એને પોતાની કોઈ નિત્યક્રિયા અને માંદાની માવજત વચ્ચે પસંદગી કરવાની હશે તે બીજી વાતને મુખ્ય સ્થાન આપશે. માંદા પાસે બેસવું, તેને ઉપદેશ આપ, તેની નિઝામણી કરવી, એવાં એવાં કાર્યમાં એ જીવન સાફલ્ય સમજશે અને તે બાબતમાં જૈન શાસ્ત્રકારને મૂળ મુદ્દો છે હેવો જોઈએ તે ભાવદયાનાં આદર્શ ચિત્રો આલેખી બતાવી આપશે. (૧૦) નિંદનીય કાર્યમાં તે પ્રવૃત્તિ નહિ કરે. એની નિંદનીક કાર્યની વ્યાખ્યા બહુ વિશાળ થશે અને તેમાં તે બરાબર માનશે. (૧૧) આવક પ્રમાણે ખરચ રાખવાની તે જરૂર ઈચ્છા કરશે અને બનશે ત્યાં સુધી પિતાની જરૂરિયાતને તે એટલી સાદી, ઓછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું અને પૂલ બનાવી દેશે કે આવકખરચના સરવાળા બાદબાકી કરવાની તેને ઘણે ભાગે જરૂર જ ઓછી રહેશે. (૧૨) વેશને વિત્ત–ધનસંપત્તિ પ્રમાણે રાખ એમ તે નહિ માને. જેમ બને તેમ સાદાઈ વધારે રાખવી એ એને જીવન આદર્શ થશે. એ ખાદીમાં ખૂબ માનશે, અતિ અલ્પ કપડાંથી નિર્વાહ કરશે અને સ્વચ્છતા સુઘડતા એવી જાળવશે કે એની તળાઈમાં માંકડ થાય નહિ અને વાળમાં જૂ થાય નહિ અને ઘરમાં મચ્છર થાય નહિ. એ ખાતર એ શેરીઓને સાફ કરાવશે-કરશે, પાયખાનાં સાફ રાખતાં જાતે શીખવશે અને આરોગ્યના નિયમ જાળવવાજળવાવવા પ્રયાસ કરશે. એ ગમે તેટલે ધનવાન હશે તે પણ ભારે મૂલ્યવાન કપડાં પહેરવામાં માનશે નહિ અને એ બાબતનું પ્રચારકાર્ય પણ એ ચાલુ રાખશે. સાદાઈ અને સ્વચ્છતા એના આદર્શ થશે અને ખાદીમાં એ ખાનદાની માનશે. એની દષ્ટિ વેશ ધારણ કરતી વખતે પિતાની મિલકત (વિત્ત) પર નહિ રહે, પણ દેશના આર્થિક સંયોગો અને રાષ્ટ્રમાં પોતાનું સ્થાન અને પિતાને ધર્મ શું છે તેની વિચારણા પર રહેશે. (૧૩) બુદ્ધિના આઠ ગુણથી યુક્ત – આને ભાગ્યે જ ગુણ કહી શકાય. બુદ્ધિની તરતમાતા પિતાની શક્તિ ઉપર આધાર રાખતી નથી. બુદ્ધિવિકાસ માટે નવયુગને સવિશેષ તક મળશે અને તે તકનો તે પૂરત લાભ લેશે. વિજ્ઞાનાદિ અનેક વિષયોમાં તર્કમાં– ચર્ચામાં ઝીણવટમાં ઉતારવામાં તે બુદ્ધિ શક્તિને એટલે ઉપયોગ કરશે કે અત્યારે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. (૧૪) ધર્મશ્રવણ – ધર્મનાં વ્યાખ્યાન સાંભળવા. જે વ્યાખ્યાન અર્વાચીન પદ્ધતિએ દલીલની રીતે અપાતાં હશે તે તે હજાર કામ મૂકીને સાંભળવા જશે. બાકી “મહાવીર કહેતા હવા –જેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન બહુ દરકાર નહિ તરફ સહજ પ્રેમ શુષ્ક તરમિયા વ્યાખ્યાન સાંભળવા જવાની તે કરે, એને ધર્મ વિષયનાં રૂચિકર વ્યાખ્યાતા થશે, પણ વ્યાખ્યાતા કાણુ છે તે નવયુગના જૈન જરૂર તપાસો, ગમે તે વ્યાખ્યાન કરે તે સાંભળવું જ જોઈએ એમ તે નહિ માને. વ્યાખ્યાન કરનાર બાહ્ય ત્યાગી જ હોવા જોઈએ એમ તે નહિ માને. સુંદર વનવાળા, ત્યાગરૂચિવાળા, આત્મએજસવાળા ગૃહસ્થને પણ રાજીખુશીથી સાંભળશ, પણ તે વક્તા સુંદર લીલ કરનાર અને પ્રરાયક ભાષામાં સુંદર શબ્દરચના સાથે ખેલનાર હાવા જોઈ એ. વક્તાનું વક્તૃત્વ માપવાની તેની રીત સખ્ત પણ મુદ્દાસરની, પદ્ધતિસરની અને ઉત્તેજક રહેશે. તે માત્ર શ્રોતા થઈ તે નહિ અટકે, તે પે।તે પણ વક્તા થશે. તેને ધર્મના પ્રાચીન વિષયે શેાધી એને યોગ્ય સ્થાન આપવાનુ` મન થશે, એ શેાધખાળ કરી સનાતન સત્યોને બહાર લાવશે અને તે પર વ્યાખ્યાન પદ્ધતિસર આપશે. તે લેખક પણ થશે અને મૂળ તાત્ત્વિક વિષયોને અર્વાચીન રૂચિકર આકારમાં મૂકશે. એ કથાનુયોગને પણ ખૂબ ખહલાવશે, એમાં પણ એ નવીન પદ્ધતિનું અનુકરણ કરશે. અમુક યુગમાં રાસેાની જરૂરિયાત હતી ત્યારે પ્રખર વિદ્યાનાએ જેમ શાસ્ત્રનાં રહસ્યો અને કથા પ્રસંગેા નવલ આકારમાં કવિતા રૂપે રચ્યાં, તેમ નવયુગના જૈન શાસ્ત્રનાં સનાતન રહસ્યાર્ન, તત્ત્વની વાતાને, નીતિના નિયમાને અને કથાવાર્તાઓને તદ્દન નવા આકારમાં મૂળ મુદ્દાને વિરોધ ન આવે તે રીતે મૂકશે. એ વ્યાખ્યાનને અંગે અમુક વના જ સુવાંગ હક્ક હાય એમ નહિ માને. આવડતવાળા સના એહક્ક સ્વીકારશે અને તેના અમલ થતા જોઈ એ રાજી થશે. ખાસ કરીને ભગવાનની અને ભગવાનના સમયની મૂળ હકીકત તે વાંચશે, વંચાવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૭૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું વિસ્તારશે, ફેલાવશે અને તેની પ્રગતિમાં-વિસ્તારમાં–જાહેરાતમાં એ જૈન દર્શનની વૃદ્ધિ જોશે. એની ધર્મ સાંભળવાની રૂચિ પ્રબળતર રહેશે, પણ ઉપરની સર્વ શરતે સાથે તે બાબતને છેવટને તેને નિર્ણય રહેશે. (૧૫) ત્યાર પછી અજિર્ણ થયું હોય ત્યારે નહિ ખાવાની – ભજન ત્યાગની વાત સળમાં ગુણમાં આવે છે. એ તે વૈદકને વિષય છે. એવી બાબતમાં એને વૈદ્ય અથવા ડાકટર સલાહ આપશે તેમ તે કરશે. અજિર્ણ થવા છતાં ભૂખ્યા રહેવાથી નુકસાન થાય, લાંઘણ કરવાથી વાયુનું જોર વધી જાય – એવી એને સલાહ મળે તે તે ખાય પણ ખરે. આ બાબતને ધર્મ સાથે ખાસ સંબંધ હોય એમ તે નહિ માને. સામાન્ય રીતે એ અજ્ઞાન માણસની પેઠે ખા ખા તે નહિ જ કરે, પણ એ બાબત ધર્મની નજરે ન જોતાં એ આરોગ્યની નજરે જેતે થશે. (૧૬) સત્તર ગુણ પણ ખાવાની બાબતો અંગે છે. ત્યાં જણાવે છે કે વખતસર અને શાંતિથી ભોજન કરવું. જમવાની નિયમિતતાથી ઘણું વ્યાધિ અટકાવી શકાય છે અને જમતી વખતે શાંતિ હેય તે ખાધેલ પદાર્થ સારી રીતે પચે છે. આ સૂત્ર તે બહુ સારી રીતે જાણશે અને તેને અનુસરવા યત્ન કરશે, પણ નવયુગનું સંકીર્ણ જીવન તેને નિયમિત રાખી નહિ શકે તે તેમ કરવામાં સ્વધર્મથી પતન થાય છે એમ તે નહિ માને. એ પિતાનું અનેકવિધ કાર્ય જમાવવામાં ખાસ તત્પર રહેશે અને આહારવિહારના અને જણાવેલા ઉપરાંત બીજા અનેક ઉપયોગી નિયમને એ આરેગ્યબુદ્ધિથી સ્વીકારશે અને પિતાના સંયોગો પ્રમાણે તબિયત જાળવવાની દૃષ્ટિએ એ અનુસરશે. આ બાબત એ ધર્મ પ્રકરણમાં નહિ લઈ જાય. (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦૯ નવયુગને જૈન -~- અઢાર ગુણ ધર્મ, અર્થ અને કામને પરસ્પર અવિરેાધપણે સાધવાની દક્ષતાનો છે. અહીં નવયુગના જૈનની બારીક અવલોકનશક્તિને ખાસ ઉપયોગ થશે. એ પિતાના મગજમાં ધર્મ, અર્થ અને કામનાં ખાતાઓ જુદાં પાડી શકશે. એ ધંધા વખતે પણ નીતિના નિયમોને વિસરી નહિ જાય. એ વ્યાખ્યાન સાંભળીને તરત જ પંચેતેર ટકા વ્યાજ લેવાને વ્યવસાય નહિ. કરે. પ્રમાણિકપણે મહેનતથી ધનઉપાર્જન કરવાને તે જોડાશે, પણ ધન પાછળ જીવન અર્પણ નહિ કરી દે. એ આદર્શ પતિ થશે પણ વિષયને કીડે નહિ થાય. એ પરસ્ત્રી સાથે કામવિકારની નજરે સંબંધ નહિ કરે, પણ એ સ્ત્રીઓના સમાજમાંથી નાસી પણ નહિ જાય. ધર્મ, અર્થ અને કામની સાધનામાં એ ખૂબ વિચારણા અને ચર્ચા કરશે. ગૃહસ્થજીવનમાં ધર્મ પુરુષાર્થ સાધવાની શક્યતા એ બતાવશે અને છતાં ત્યાગીના ઉત્કૃષ્ટ જીવન તરફ એનો રાગ વિધાયક રહેશે. ગૃહસ્થ વ્યાપાર કરે ત્યારે નિરવઘ ધંધો સ્વીકારી ધર્મ સમ્મુખ રહી શકે છે એ તે જરૂર બતાવી આપશે. એને સર્વ ત્યાગ તરફ બહુ આકર્ષણ રહેશે અને છતાં ગૃહસ્થધમ પણ બીજે નંબરે ઉત્કૃષ્ટ સાધન છે એ તે જોઈ જાણી બતાવી શકશે અને જીવી પણ શકશે. ગૃહસ્થ પોતાના સત્કાર્ય દ્વારા સમાજોપયોગી અનેક કાર્ય કરી શકે છે અને તદ્દદ્વારા પોતાના ઈષ્ટ માર્ગ આદરી શકે છે એની શક્યતા તે બહુ સુંદર રીતે બતાવશે. એની દક્ષતા, વિદ્વત્તા અને કુશળતા આ ગુણના અનુવ્યક્તનમાં એ બહુ આકર્ષક રીતે બતાવવા પ્રયત્ન કરશે. (૧૮) દીન, આતિથી અને સાધુને સત્કાર. જેને કેઈ સાધન ન હેય તે સખ્ત હરિફાઈને ભોગ થઈ પડેલા દીન, શરીરની નબળાઈથી અથવા હીન અંગથી અથવા ઓછી મગજશક્તિથી હતાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું થઈ પડેલાં દુઃખી માને, રેગી, દમલેલ અને ખાસ કારણસર સમાજ ઉપર પડેલા સાચા દીનની સેવા કરવી, એની જરૂરિયાત પૂરી પાડવી, એને કપડાં, ઔષધ, આ સ્થાન, રહેઠાણ આદિ પૂરાં પાડવાં એને નવયુગ ખાસ મહત્ત્વનું સ્થાન આપશે. એ સાચા દીનદુઃખાની સેવા કરવામાં પોતાના જીવનની લ્હાણ સમજશે, એને માટે પદ્ધતિસરની યોજનાઓ તે રચશે અને પોતાની અનુકૂળતા પ્રમાણે તેમાં તે પોતાનાં ધન, આવડત અને સેવાનો ફાળે વગર સંકેચે ફરજ સમજીને આપશે. દીન શબ્દમાં રોગી, અનાથ, નિરૂધમી અશક્ત, અને વૃદ્ધને એ સમાવેશ કરશે. એ આળસને ઉત્તેજન આપવાના કાર્યને ગુણ નહિ માને. ખાધેલાને ખવરાવી અકરાંતિયા કરવાના કેઈ પણ કાર્યને તે સ્વીકારશે નહિ. વ્યવસ્થાસર દવાખાનાં, આરોગ્યમંદિરે, સુવાવડખાનાં, બાળાશ્રમો, અનાથાલયે યોજવાં, બાંધવાં, ચલાવવાં– એને માટે નવયુગ મેટા પાયા ઉપર રચનાઓ કરશે. એને વિશ્વદયાને ખ્યાલ એને આવ્યયની તુલના શીખવશે અને વિશેષ લાભ ખાતર નાનાં પાપો તે (આરંભસમારંભાદિના) કરવામાં શ્રી વીરના દશ ઉપાસકોને દષ્ટાંતે સરવાળે લાભ માનશે. એ માનસિક દીનતાને અંગે વાચનાલય, પુસ્તકાલય, અભ્યાસમંદિરે, વિદ્યાર્થીગૃહો, વિદ્યામંદિરે, વિશ્વવિદ્યાલય યોજશે અને તેને ચલાવવામાં પોતાની શક્તિ, આવડત અને અનુકૂળતાનો ઉપગ કરશે. આ ઉપરાંત સ્થળ, માનસિક કે હૃદયના દીને માટે એ ભાષણ આદિ અનેક યોજનાઓ કરશે અને તેને વ્યવસ્થિત રીતે ચલાવવામાં બનતો રસ લેશે. અતિથિની સેવા પણ એ જરૂર કરશે. પણ અતિથિની ગ્યતા પણ સાથે બારીકીથી વિચારશે. આતિથના તેના ખ્યાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ઉપર પાશ્ચાત્ય પદ્ધતિની થોડી અસર થશે, પણ તેમાં પૌત્ય પદ્ધતિનું સંમિશ્રણ થશે. એને સાતમીવાત્સલ્યને ખ્યાલ તદ્દન જુદા પ્રકારને થશે. અત્યારે જે પ્રકારે નવકારશી કે જમણવાર થાય છે, તેમાં જે રીતે જમનાર જમાડનાર વર્તે છે, સુંદર ચીજોને બગાડ થાય છે, આરોગ્યના નિયમોને નાશ થાય છે અને જમાડનાર આબરૂ રહેવાની ચિંતામાં રહે છે અને જમનાર ખૂટી જવાના ભયમાં રહે છે – આ પ્રકારના સ્વામીવત્સલ તદ્દન બંધ થઈ જશે. નવયુગ વર્તમાન જમણની પદ્ધતિને પૂર્વ કાળની ઉતરી આવેલી જગલીપણની એક અવશેષ ગણશે. નવયુગનું સાતમીવાત્સલ્ય સ્વધર્મી બંધુને સર્વ પ્રકારની સગવડ કરાવી આપવામાં, એને ધંધે લગાડવામાં, એને વ્યવહારમાં સ્થિર કરવામાં અને બંધુભાવ ખીલવવામાં સમાશે. અવારનવાર જમણ થશે તે તે પંગતથી રીતસર જૈન નામને છાજે તેવા જમનાર જમાડનારનાં અંતરના ઉમળકા થાય તેવા થશે, પણ એના ઉપર બહુ લક્ષ્ય નહિ રહે. નાનાં જમણો ઘણા સુંદર, ધર્મ પ્રેમ વધારનાર અને બહુ આકર્ષક થશે. સાધુની સેવા એ આ ગુણને ત્રીજો વિભાગ છે, સાધુ કેને કહેવા તે નવયુગ ખૂબ વિચારશે. એ સંસ્થા કેવી હોવી જોઈએ તે પર ખૂબ પ્રકાશ પાડશે. માત્ર અમુક વેશ પહેરે તે સાધુ ગણાય એ વાત નવયુગ નહિ માને. ત્યાં વિલાસી, પટિયા પાડનાર, દેરાધાગા કરનાર અને જડીબુટ્ટી કરનાર પ્રચ્છન્ન વૈદાના ધંધા કરનારને સ્થાન નહિ રહે. ત્યાં સમાજ પર બેજો પાડનાર ઘરબાર વગરના નિરાશ્રિતને ખાસ જ્ઞાનાદિની વિશિષ્ટતા વગર સ્થાન નહિ મળે. સાધુ સંસ્થા કેવી હેવી જોઈએ તેને અંગે નવયુગના વિચાર સંબંધી આગળ ઘણે ઉલ્લેખ થવાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું s એ કોટિમાંથી પસાર થનાર તરફ અંતરના ઉમળકાપૂર્વક નવયુગ ભક્તિ કરશે. એના વાંચન, અભ્યાસ આદિનાં સ્થાને જશે. એનાં અભ્યાસક્રમ નવયુગ ગોઠવશે. એની પદવીઓની નવીન રચના કરશે અને આવડત પ્રમાણે એને વ્યાખ્યાતા, અધ્યાપક આદિ સ્થાને આપશે. વીતરાગ દશાનું સાચું સાધુત્વ દેખશે ત્યાં ભાવપૂર્વક એ સેવા કરશે. એમાં પરસ્પર ઉત્કર્ષ વધારવાની અંદરખાનેથી સમજણ જેવું કાંઈ રહેશે નહિ. નવયુગ ધનવાન ગરીબને ભેદ માન્ય કરશે નહિ. સાધુને સર્વ વર્ગ પર સમાન દષ્ટિ હેવી જોઈએ એમ તે ઈચછશે અને સાધુની નવયુગની વ્યાખ્યામાં સમાનભાવના પિષણનો આગ્રહ જોવામાં આવશે. અહીં સંક્ષેપમાં મુદ્દો એટલે જ છે કે સાચા સાધુને એ ગ્ય માન આપશે અને તેની જરૂરિયાત હોંશથી પૂરી પાડશે. (૧૯) અભિનિવિષ્ટ –એ સદાગ્રહી હોય. મતલબ એ સત્યાગ્રહી હેય. જે વાત સાચી લાગે તે ખાતર ભોગ આપવા–સહન કરવા તૈયાર હોય તેને સદાગ્રહી અથવા સત્યાગ્રહી કહેવામાં આવે છે. આ સત્યાગ્રહ સંબંધી અને એટલું શિક્ષણ મળેલું હશે કે એ પિતાના સુવિનિશ્ચિત નિર્ણય ખાતર કષ્ટ સહન કરવા તૈયાર થશે. એ પિતાની સારી રીતે નિર્ણિત કરેલી વાતને છોડશે નહિ. એને લેકે જકકી, જડ કે આગ્રહી કહે તેની તે દરકાર નહિ કરે. આ આગ્રહથી નિર્ણયને વળગી રહેવાનું તેનું શિક્ષણ તેને સર્વ સદાચારમાં અને ધર્મમાર્ગોમાં ઉપયોગી થઈ પડશે. નવયુગને સત્યાગ્રહ તદ્દન અનેરું રૂપ લેશે. (૨૦) ગુણપક્ષપાત-સગુણ તરફ આકર્ષણ–પ્રેમ અને તેનું બહુ મૂલ્ય. ગુણવાનને જોઈ નવયુગને આનંદ થશે. આમાં પક્ષપાત શબ્દ છે તે જરા કર્કશ લાગે છે. ગુણરાગ, ગુણનું મૂલ્ય, ગુણની બુઝ એ કઈ શબ્દ આ સ્થાને વધારે બંધબેસતા જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ w ~-~~-~~~ ~ ........ ........ * * * * * *- - *-- નવયુગને જૈન કોઈનામાં સૌજન્ય, વિવેક, ઉદારતા, મધ્યસ્થતા, દયા, સત્યવક્તત્વ આદિ ગુણ જોઈ તેની સેવા કરવી, એ ગુણ છે એમ વિચારી પ્રસંગ પ્રાપ્ત થયે એને હરકોઈ પ્રકારે ઉપયોગી થવું એ નવયુગમાં વિવેચક દષ્ટિપૂર્વક આવશે. ગુણને ઓળખવાનું તેનું ધોરણ વધારે આકરું રહેશે. દુનિયાના ઉપદેશક હોવાનો દાવો કરનારને એ પ્રાકૃતજનને ત્રાજવે નહિ તળે. એનું તેલ કરવાનું ધોરણ સ્વભાવતઃ ઊંચું રહેશે અને ગુણની શોધનવૃત્તિ એની સવિશેષ થશે, દીર્ઘ થશે અને ઊંડી ઉતરનારી થશે. પણ એની સાથે એક કચવાટ થાય તેવી સ્થિતિ પણ જરૂર ઊભી થશે. એ દંભટૅગને જરા પણ માન નહિ આપે. એ એવા દંભીને પક્ષપાત તે નહિ કરે, પણ એવાને ઊઘાડા પાડવાની પિતાની ફરજ સમજશે. ખાસ કરીને સમાજના આગેવાને, ઉપદેશકે કે હોદ્દેદારે બેલવામાં મોટી મોટી વાત કરનારા હશે અને વર્તનમાં શૂન્ય અથવા શૂન્યથી પણ નીચા હશે તે તેને તેઓ ચલાવી નહિ લે. ધર્માધ્યક્ષને હોદ્દો ભોગવનાર કામણમણ કરે, વશીકરણ કરે, કાવાદાવા કરે, અનુયાયી વર્ગને અથડાવી મારવાની રમતો રમે એ નવયુગ કદી નહિ સાંખે. એટલે એ દંભી, ઢેગી, વેશધારી, કપટી અથવા ખાલી ભપકાદાને, અંતરના વળ વગરનાં ઉપર ઉપરનાં ભાષણ–વ્યાખ્યા કરનારાને જરા પણ નભાવી નહિ લે. બાકી જ્યાં શમ સંવેગાદિ સાચા ગુણો જોશે, ખરે ત્યાગ કે ત૫ જશે, હૃદયને વૈરાગ્ય અને તેને અનુરૂપ જીવન જેશે ત્યાં એ ઝૂકી પડશે અને તેવા ગુણની સેવા કરવામાં પોતાની જાતને ભાગ્યશાળી સમજશે. સાચા ગુણ તરફ નવયુગની વિશિષ્ટ સંસ્કારી આદરણીય વૃત્તિ રહેશે અને તે ઝળહળી આવશે. (૨૧) અદેશ અકાળ આચારને તજનાર થશે–આ ગુણને એ સીધો સરળ અર્થ કરશે. દેશકાળને પ્રતિકૂળ આચાર ન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સુ ધર્ટ એમ એ આ ગુણથી સમજશે. એવા ખીજા તાણીખે'ચેલા અ તેને જૈનધર્માંના રહસ્યથી ઉલટા અને જમાનાની અસરવાળા લાગશે. દાખલા તરીકે કાર્ય એને પૂછે કે પેરિસ શહેરમાં સામાયિક કરવું હોય તે ખુરશી પર બેસીને થાય કે નહિ? તે! તે તરત એ દેશનાં હવાપાણીને અભ્યાસ કરી તેમ કરવામાં શાસ્ત્રના મૂળ ઉદ્દેશને વાંધા આવતા નથી એમ કહેશે. સામાયિક કરવાના મુદ્દો છે, તે અમુક સંયોગામાં સાધ્ય છે અમુક જાતના આસન પર એસવું એ વાતને એ ઉવેખી કાઢશે નહિ, પણ દેશકાળાનુસાર તેમ અને તેવું ન હોય તેા સામાયિક ન કરવું એમ કહેવામાં એ જૈન ધર્મના રહસ્યનું પરિવર્તન દેખશે. જેલમાં કટાસણું મળે તેવું ન હાય તા ધેાતલી પર કે કામળી પર બેસી પ્રતિક્રમણ કરવામાં તેને વાંધા નહિ દેખાય. આ તે તરત સમજી શકાય તેવી બાબત છે, પણ દેશકાળનું સૂત્ર તે ખૂબ વાપરશે અને તેને ધણે પ્રસંગે ઉપયાગ કરશે અને તેમ કરવું તે અનેકાંતમાને પોષણ કરનારું અને એના રહસ્યને અનુરૂપ છે એમ તે માનશે. (૨૨) બળાબળને જાણનાર — શારીરિક બળને એ જાણશે, ઉપરાંત માનસિક અને હૃદયના બળના અને નબળાઈ એના એ બરાબર અભ્યાસ કરશે. એ પોતાની સર્વ પ્રકારની શક્તિઓને સમજશે અને ખજાની સર્વ શક્તિઓને પૃથક્કરણ કરીને જાણો અને જાણીને તેને ઉપયાગ કરશે. એને પરિણામે એ માત્ર સ્થૂળ બળથી ગભરાઈ કે લેવાઈ નહિ જાય. આત્મિક બળ–આંતરિક બળ શું છે અને તે કેવું આશ્રય કરી શકે છે. તેને બરાબર ખ્યાલ તેને આવશે અને તેથી સામાન્ય વ્યવહારની ટૂંકી નજરે અશક્ય બાબતે એ દેખાવમાં નબળા હશેતે। પણ હાથ ધરશે. ખળાબળની એની ગણતરી તદ્દન અર્વાચીન ધેારણે નવીન પદ્ધતિએ સાપેક્ષ દૃષ્ટિએ થશે. (૨૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ― ૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધની પૂજ. અહીં ધોરણ તદ્દન અભિનવ રૂપ લેશે. વ્રતધારી અને અમુક વેશ પહેરનારને એ પૂજવા મંડી નહિ જાય પણ વ્રત લઈ તેને પાળતા હશે તે તેના ત્યાગ માટે તેને માન આપશે. માત્ર જ્ઞાનવૃદ્ધને એ જરા પણ માન પૂજા આપશે નહિ. ગમે તેટલા ગ્રંથ વાંચી જનાર અથવા મોટાં ભાષણ કરનારને નવયુગમાં પૂજાસ્થાન મળવું અશક્ય નહિ તે દુર્ઘટ દીસે છે. ઘણું ભણેલ અને આગમોના પાઠ કટોકટ બેલી જનાર સાધુ જે પતિત હશે તે તેને નવયુગ એક ક્ષણ વાર પણ નિભાવી નહિ લે. જ્ઞાનને એ ખપી હોવાથી જ્યાં જ્ઞાન એ દેખશે ત્યાં જિજ્ઞાસાથી જશે અને જ્ઞાનને લાભ લેવા પ્રયત્ન કરશે, પણ એ પૂજા તે ચારિત્રની જ કરશે. જ્ઞાન એની પ્રશંસા મેળવશે, એના મગજને ડોલાવશે, પણ એનું હદય ચારિત્રને જ નમશે. એ સાચા ત્યાગીને દુનિયાના ધર્મગુરુઓનાં શિખર પર બેસાડશે અને એનાં દષ્ટાંત દ્વારા જગતને ઉજજ્વળ કરશે. ત્યાગી વતી-વિરતિધારીના નામ કે દેખાવ માત્રથી એ જરા પણ અંજાઈ નહિ જાય; બાકી વર્તનની બાબતમાં સો ટચને રૂપિયે હશે અથવા ચોવીશ કેરેટનું સેનું હશે ત્યાં એ ઝૂકી પડશે, નમી પડશે –પણ—એ સિવાય ગોટા દેખશે ત્યાં તે નમશે તે નહિ જ, પણ ગોટાળાવાળાને ઉઘાડા પાડવામાં એ ધર્મને, સમાજને કે વ્યક્તિસમષ્ટિને લાભ જ માનશે. (૨૪) જે પિતાને આધારે પડેલા હેય; અજ્ઞાન બાળક, વૃદ્ધ માતપિતા, સાધ્વી સ્ત્રી વગેરે–એનું એ પણ કરશે–કુટુંબ કેને કહેવું એની આખી વ્યાખ્યા ફરી જશે. સંયુક્ત કુટુંબના આળસુને પાળવા–પિષવામાં તે ગુણહાનિ–તેજોહાનિ સમજશે. સંયુક્ત કુટુંબ ભાવના નાશ પામશે. તે કક્ષામાં કે અન્યત્ર સાચા, દીન, દુઃખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું 0 રોગી કે અપંગને એ પિતાના પિષ્યવર્ગમાં ગણશે અને તેની સંભાળ કાળજીપૂર્વક લેશે. (૨૫) દીર્ધદષ્ટા–નવયુગ ખૂબ લાંબા વિચાર કરશે. એ આખા સમાજની નવીન રચના કરશે. એ આખી નવીન સંહિતા રચશે. તેમાં એને મુદ્દો દીર્ઘ નજરથી જોવાને જ રહેશે. સમાજબંધારણ દેશકાળને અનુરૂપ અને અનેક વર્ષો સુધી ચાલે તેવું ઘડવામાં તે પિતાના વિજ્ઞાનને ઉપયોગ કરશે. નકામા અંતરાને તે ઘસીને ફેંકી દેશે, જ્યારે આદર્શને પહોંચી વળવા માટે તે અનેક નવીન સાધનો યોજશે. પ્રાચીન બાબતેમાંથી કઈ બાબતે રાખવી અને પુનર્ઘટનામાં ક્યાં નવાં સાધન યોજવાં તેની ગોઠવણમાં તે દીર્ઘદષ્ટાપણું બતાવશે. અત્યારના નવીન વાતાવરણને અનુરૂપ પુનર્ધટના પૂર્વ પશ્ચિમના સંઘટન પછી અનિવાર્ય છે એમ તેને તેનું દીર્ધદૃષ્ટાપણું બતાવશે અને તેની યોજના તે અત્યંત વિવેકપૂર્વક બને તેટલા ઓછા સંઘર્ષણથી પણ ખાસ જરૂરી બાબતમાં પૂર્ણ મક્કમતાથી કરશે અને તે પ્રત્યેક વિશેષણની જનામાં દીર્ઘદર્શપણું બતાવશે. એકલી નવીન ઘટનાને અંગે જ નહિ, પણ સંસ્થાઓને રચવામાં, તેને વિશિષ્ટ આકારમાં અને સમાજશરીરને અભિનવ રૂપ આપવામાં તે ખૂબ દીર્ધદષ્ટાપણું દાખવશે. એ ઉપરાંત એ સમાજના સવાલના નિરૂપણ અને નિરાકરણમાં બહુ લાંબી નજરે જેશે અને તેમ કરવામાં પિતાના ઈતિહાસ અને વિજ્ઞાનના જ્ઞાનને પૂરતો લાભ લેશે. એ માનસવિઘાને ખાસ અભ્યાસી થશે અને તેને લઈને તેના દીર્ધદર્શી પણાને ખૂબ અવકાશ મળશે. (૨૬) એ વિશેષજ્ઞ જરૂર થશે–સ્વપરને વિવેક કેમ કરે, સમાજના હિત આગળ પિતાને ભેગ કેમ આ પ, જનહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ખાતર પિતાનાં સુખસગવડ કે આરામને વિચાર પણ ન જ કરે એ ધોરણ પર એને જીવનવ્યવહાર બંધાશે અને એનું કર્તવ્યઅકર્તવ્યનું જ્ઞાન બહુ વિશાળ પાયા પર રચાશે. એને અભ્યાસ અને અનુભવ, એના અનેક અટપટા પ્રસંગોનાં હૃદયચિત્રો અને અન્ય પ્રજાઓએ ભેગવેલી યાતનાઓ વગેરેનું જ્ઞાન અને બહોળાં સાધનને લઈને એને વિશેષજ્ઞ થવાની તક ઘણી મળશે અને તે પ્રત્યેક તકને પૂરતો લાભ લઈ પિતાની ફરજ ક્યાં છે તેને નિર્ણય કરવા અંતઃકરણથી પ્રયત્ન કરશે. તે અન્યને અનુભવને લાભ લેવા તત્પર રહેશે અને અન્યના વિચારને માન આપનારે, તેને તળનારે અને સમાજમાં સર્વને યોગ્ય સ્થાન આપી પોતાનું સ્થાન નિર્ભર કરનાર વિશેષજ્ઞ થશે અથવા થવા સાચા પ્રયત્ન કરશે. (૨૭) કરેલ ઉપકારને તે સ્વીકારશે અને તેને બદલે વાળવા પ્રયત્ન કરશે–એ આ બાબતમાં પણ ઉપર ઉપરને દેખાવ કરવાથી રાજી નહિ થાય, પણ ક્યારે તક મળે અને નાના કાર્યને, પ્રેમને, સેવાને વધારે બદલે વાળું એમ ઈચ્છશે. નાનાં કાર્ય માટે એ આભાર માનવાની, સામાન્ય ખલના માટે માફી માગવાનો ઉપચાર કરનારે પણ થશે, પણ સાચા કાર્ય માટે, અણીને વખતે કરેલા ઉપકાર માટે તે વિસ્મરણ નહિ કરે. એ વ્યક્તિગત ઋણ ચૂકવશે અને સમાજનું ઋણ સેવા કરીને વાળી આપવા પ્રયત્ન કરશે. જેના ઉપર સમાજે ઉપકાર કર્યો હોય તે ઉપકારને વિસરી જઈ સમાજને ભાંડનારા પણ કઈ કઈ નીકળી આવશે ખરા, પણ એકંદરે ઋણ સ્વીકારનારા અને ફેડનારા વધારે મોટા પ્રમાણમાં નવયુગમાં નીકળશે. (૨૮) સેવાભાવ તેનામાં ખૂબ ખીલવાને કારણે, સમાજની જરૂરિયાતના પ્રખર અભ્યાસને પરિણામે અને પિતાનું જીવન જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું બને તેમ સાદું તથા ઉચ્ચગ્રાહી રાખવાને પરિણામે તે લોકપ્રિય બહુ થશે, પણ તે કોઈ પણ કાર્ય લેકેની પ્રશંસા મેળવવાના જ ઈરાદાથી નહિ કરે. લેકપ્રશંસા કરે તે તેને તે દૂર ફેંકી નહિ દે, લોકરૂચિ સમજતાં તે શીખશે, પણ લોકોને દેરવાની કળા પણ તેનામાં આવશે. એ લેકપ્રશંસા ખાતર પિતાના પુખ્ત વિચારોને પરિણામે ઘડાયેલા નિયમોને ભગ નહિ આપે અને કઈ વાર લોકપ્રશંસા છેવાનો ભય વહોરીને પણ એના સ્વીકૃત સેવાકાર્યમાં એ પૂરતી ધગશ, સહિષ્ણુતા અને પ્રેમથી મો રહેશે. કેટલીક વાર તેને તેના યુગના લકે બરાબર ન ઓળખી–સમજી શકે એવું પણ બનશે, પણ તેથી તે ગભરાશે નહિ. તેને મુદ્દો વિશુદ્ધ રહેશે અને પોતાના સાધ્ય તરફ તે નિભયપણે આગળ ધપશે. સેવાભાવ, સાદુ જીવન અને નિર્ભયપણું એ ધીમે ધીમે એટલું ખીલવતે જશે કે એ લેકૈવણા વગર મોટા વર્ગને પિતાના વિચારના કરતે જશે. કીર્તિ–પ્રશંસાની વાત એવી છે કે તે માગનારને અને તેની પછવાડે દેડનારને ભાગ્યે જ મળે છે, જ્યારે તેની સ્પૃહા ન કરનારની પાછળ તે દેડે છે. એ પ્રશંસા સંબંધી નિરપેક્ષ તે નહિ રહે, પણ ખાસ તેની ખાતર કામ કરનાર નહિ નીવડે; તેથી ઘણું વાર તેના યુગમાં અને અસાધારણ દીર્ઘદૃષ્ટાના સંબંધમાં તેને પછીને આગામી યુગમાં ઘણી અને સાચી પ્રશંસા મેળવશે. આ તે એના સામાજિક જીવનને અંગે એની પ્રશંસા સંબંધી વાત થઈ પણ એના પિતાના વર્તનની છાપ તે એવી સુંદર પાડી શકશે કે એમાં મિનમેષ કદિ થશે નહિ, એના વિશાળ જીવનપ્રવાહમાં અનિષ્ટ તત્ત્વ દેખાશે નહિ એટલે અત્યારે વ્યવહારમાં લેપ્રશંસાનું જે લક્ષ્ય છે તેથી તે તે ઘણે આગળ નીકળી જશે અને તેના પ્રમાણિકપણે માટે, સત્યવાદી પણ માટે અને વિશ્વાસુપણું માટે તે તે ભારે નામના મેળવશે. એનું અંગત સદ્વર્તન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નવયુગના જૈન સેવાભાવ અને સાદું બહેન કે પુત્રીને એના પણ નહિ આવે અને એને કીર્તિની ક્રાટિમાં મૂકશે અને એને જીવન એને લાક્ષણિક–અનુકરણીય બનાવશે. નિયમન નીચે મૂકવામાં કાઈને શંકા સરખી તે વિશ્વાસના એ કદિ દુરૂપયોગ નહિ કરે તેની આબરુ અને માનમહત્તાની ફારમ પણ ફેલાશે. (૨૯) અને એ સંબંધમાં ચાતરફ સારી રીતે એને હલકાં કાની લજ્જા—શરમ ખૂબ રહેશે—અત્યારે ખાટા શમાળપણાને લજ્જાળુપણું માનવામાં આવે છે તે તેના ખ્યાલથી દૂર થશે. એ નવયુગની જૈન સ્ત્રી હશે તા લાજ કાઢશે નહિ, લાજમાં માનશે નહિ અને છતાં વનની બાબતમાં ખૂબ આગળ વધો. એ સ્થૂળ બાબતની લજ્જાને નિરકતાની ક્રાટિમાં મૂકશે, નામ પણાની કક્ષામાં મૂકશે, અસ્ત્રીય વિભાગમાં ગણશે, પણ વનની આંતરિક બાબતને લજ્જાળુપણા સાથે સંબંધ છે એમ માનનારા થશે. સ્ત્રી કે પુરુષના લાળુપણાના વર્તમાન ખ્યાલ અને નવયુગના ખ્યાલ વચ્ચે ભારે અંતર રહેશે સ્ત્રીઓ વર્તનની બાબતમાં વિશેષ વિચારશીલ થશે છતાં અત્યારે જેને લાજમર્યાદા કહેવામાં આવે છે તેને તે જરા પણ મેાટા રૂપની હિ ગણે. એ અંતરના વિચારને જણાવવામાં શરમાશે નહિ, વંડેલ પાસે નવયુગના વિચારો મૂકવામાં સંક્રાચાશે નહિ અને છતાં તે નિજ થાય છે એમ માનશે પણ નહિ. દાખલા તરીકે વર્તમાન યુગની વાત ન કરીએ તો પૂર્વકાળમાં સ્ત્રીપુરુષ એટલે પતિપત્ની અપરસ નામ ન લે, એકબીજાને ‘ સાંભળ્યું કે? ' એમ કહી લાવે અને ગેરહાજરીમાં હેકરાની મા' કે ‘ છે.કરાના બાપા કહે — આ સર્વ બાબતને નવયુગનાં સ્ત્રીપુરુષો બીનજરૂરી માનશે, નામના લાજ સાથે સંબંધ શો હેાઈ શકે તે પણ તેને બેસશે નહિ અને પૂર્વકાળના લેાકેા—આજીવન સંબંધવાળા—નામ લીધા વગર . ― Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણે ૮મું વ્યવહાર ચલાવી શકતા હતા તે વાત તેમના મનમાં આશ્ચર્ય અને હાસ્ય ઉત્પન્ન કરશે. લાજ કાઢવાનો રિવાજ એમને કઢંગે લાગશે, સાસુસસરા સમક્ષ પત્નીપતિ વાત ન કરી શકે એમાં એને વિચિત્રતા લાગશે. આ સર્વ લજજાળુપણાની પદ્ધતિમાં મોટો. ફેરફાર થશે. વર્તનની બાબતમાં લજા-મર્યાદા સક્રિય રૂ૫ લેશે અને ઉન્નત પરિણામ બતાવી શકશે. (૩૦) સદય-દયાવાન–એની દયાની વ્યાખ્યા અભિનવ રૂ૫ લેશે અને દયાને વિશાળ બનાવતાં એને એ તદ્દન નૂતન ઝોક આપશે. એ દયાના વિષયમાં મનુષ્યને પ્રથમ સ્થાન આપશે. દીન, અનાથ, રેગી, અપંગ, જરૂરિયાતવાળા તરફ અનેક પ્રકારે દયા બતાવવા માટે નવયુગ વ્યવસ્થિત સંસ્થાઓ કાઢશે અને વ્યક્તિગત પણ અનેક પ્રયત્નો કરશે. સમાજના ગાંડા મનુષ્યોને માટે પણ આશ્રમસ્થાનો કાઢશે, વૃદ્ધો માટે વ્યવસ્થા કરશે, માબાપ વગરનાં બાળક માટે એ બને તેટલાં સ્થાને જશે અને સમાજથી ત્યજાયેલા, દબાયેલા અને હતાશ થઈ ગયેલાને પોષવા માટે તે વ્યવસ્થિત પ્રયાસ કરશે. અભણને ભણવવા, નિરૂઘમીને ઉદ્યમે ચઢાવવા, અશક્તને પિષવા અને વિશેષ અભ્યાસ કરવા યોગ્યને વધારાની સગવડ પૂરી પાડવી એ આદિ અનેક વ્યવસ્થિત પ્રયોગ અને પ્રયાસો તે કરશે અને તે માટે તે ખૂબ ધ્યાન આપશે. એ ધર્માભ્યાસના ખાસ નિકેતને જગતકલ્યાણ માટે સ્થાપશે. મનુષ્યજાતિમાં રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને વિશ્વબંધુત્વ વધે તે માટે અનેક દિશાએ અનેકવિધ પ્રયત્નો સક્રિય રૂપે કરશે. તેની દયા આ રૂ૫ લેશે. આળસુને ઉત્તેજન આપવામાં તે પાપ માનશે. દરેક સશક્ત યુવાન પિતાનું ગુજરાન ચલાવવાને શક્તિવાન થે જ જોઈએ અને તેમ થાય ત્યારે જ તેને પરણવાને અને પ્રજોત્પત્તિ કરવાને હક થાય છે એમ તે માનશે. સશક્ત છતાં મફતનું ખાનારને તે કઈ પણ પ્રકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ઉત્તેજન નહિ આપે. આ વિચારણા તેને “દયા’ શબ્દના સાચા અર્થથી જ સૂઝી છે એમ તે માનશે. મનુષ્યદયા ઉપરાંત પશુ માટે તે આર્થિક દૃષ્ટિએ નવીન રૂપે પાંજરાપોળની વ્યવસ્થા કરશે. આ સંબંધી અગાઉ પણ લખાઈ ગયું છે અને આગળ તે સંબંધી ઉલ્લેખ થવાને છે. પશુરક્ષા એ મનુષ્યદયા પછી બીજે નંબરે એની કાર્યવાહીમાં સ્થાન લેશે. એ માંસભક્ષણને નિષેધ કરશે. મઘમાંસનિષિધ માટે એ તદ્દન નવીન પદ્ધતિએ કામ લેશે. એ મારવા માટે તૈયાર કરેલા જીવને છોડાવવા જતાં સરવાળે વધારે મરે છે એમ જોઈ શકશે અને તેથી માંસાહારી પ્રજા માંસભક્ષણ બંધ કેવી રીતે કરે તે માટે એ વ્યવસ્થિત રૂચિકર પણ અસરકારક પદ્ધતિએ કામ લેશે. પશુ, પક્ષી, માછલાં આદિની દયામાં તેનું વ્યવહારકુશળપણું જણાય અને એ છે પ્રયત્ન વધારે પરિણામ નીપજાવી શકાય એ તેનું લક્ષ્ય રહેશે. નાના વેપા, છેડવા આદિ વનસ્પતિની રક્ષા એ સ્વચ્છતાના અને સુઘડતાના જ્ઞાનથી, આરોગ્ય સંબંધી જ્ઞાનપ્રચારથી કરશે. એ કુમળા છોડને પણ લાગણી હોય છે એમ બરાબર માનશે અને તેને દુઃખવવાને મનુષ્યને અધિકાર નથી એવું માનશે અને તે ઉપદેશ કરશે. ટૂંકામાં અહિંસાને અને દયાને એ એવી રીતે સંમિશ્રણ કરી દેશે કે અગાઉ અહિંસા સંબંધી જે લખ્યું છે તે સર્વ અહીં લાગુ પડે તેવું સુંદર આકાર એ ગુણને આપશે. (૩૧) સૌમ્ય–સામે માણસ જુએ તે તેને તરત જ એવી અસર થાય કે આ ભાઈ ધમાલિયા નથી, ધતિંગિયા નથી, ખરા શાંત છે. જેના આકારમાં ભય જેવું કાંઈ ન લાગે તે સૌમ્ય ગણાય. આ ગુણ સાર્વત્રિક થવો મુશ્કેલ છે. નવયુગને માણસ શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું રહેશે. પ્રકૃતિ-મિજાજ ઠંડા રાખશે, પણ દરેક પ્રાણી સૌમ્ય દેખાવને રહેશે એમ તે ન જ કહી શકાય. સમાજને અંગે ધગશપૂર્વક અનેક કાર્યો જેને કરવાનાં હોય છે તે દેખાવમાં તદ્દન ઠંડે રહે તે તેની ભલમનસાઈને ઘણે ગેરલાભ લેવાય છે તેવા સંજોગોમાં તે મજબૂતીથી કામ લેનાર પણ થશે. એકંદરે અંદરની શાંતિ હોવા છતાં પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિએ એ સખ્ત પણ થશે. એને બાહ્ય દેખાવ સાથે કામ જ નહિ રહે, અંદરથી એ તદ્દન શાંત રહેતાં શીખશે. બાહ્ય દેખાવ તેના કાર્યક્ષેત્ર પર આધાર રાખશે. છતાં એકંદરે અંદરની દૃષ્ટિએ જોતાં સૌમ્ય-સમભાવ તેનામાં જામતે જશે. નવયુગના કાળક્ષેત્રને વિસ્તાર ઘણે મેટ હોવાથી એની સૌમ્યપણાની વ્યાખ્યા જુદાં જુદાં રૂ૫ લેશે એવો આભાસ થાય છે. (૩૨) પરોપકાર કરનાર–આ ગુણ માત્ર વ્યાખ્યાનમાં કે પુસ્તકમાં નહિ રહે. અનેક દિશાએ એને સક્રિય વ્યવહાર થશે નવયુગમાં અનેક રને ખાસ સેવાભાવી નીકળશે. આખી મધ્યમ કક્ષા નીકળશે. સેવા કરવામાં આખું જીવન આપનાર નીકળશે. સેવાનાં ક્ષેત્રે તદ્દન અભિનવ, વ્યવસ્થિત અને જીવતાં માલૂમ પડશે. દાખલા તરીકે જેલના કેદીઓને સુધારવાનો વિચાર પણ કદિ નહિ આ હેય ત્યાં એ પહોંચી જશે અને દુનિયાથી તજાયેલાને એ ઉપદેશ આપી કામે ચઢાવશે અને એનામાં એ જીવનપલટ કરવાના પ્રયત્નો ફતેહમંદ રીતે કરશે. આ તે દાખલા તરીકે એક પરોપકારનાં નવાં ક્ષેત્રને દાખલો આપો, પણ એવાં તો પાર વગરનાં નવાં ક્ષેત્રે એ ખોલશે અને ખેલીને તેમાં કામ કરનારાઓના મોટા સમૂહને નાનાં મોટાં કાર્યો માટે આકર્ષશે અને તેમાં જોડાશે. નવયુગ એક માણસને લક્ષ્મી એકઠી કરવાને હકક જ સ્વીકારશે નહિ અને છતાં લક્ષ્મી કે બીજી સગવડ આવડત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ નયુગના જૈન વિશિષ્ટતા હાય તેને લાભ વધારે પ્રમાણમાં જનતાને આપવાની પેાતાની ચોખ્ખી ફરજ જ સમજશે, એ પરાપકાર કરવામાં પાડ કરૂં છું એમ માનશે નહિ અને સામા પાસે પાડ મનાવવાના મનેાર કે ઇચ્છા પણ નહિ કરે. પરોપકાર કરવા એ એનું અંગ બની જશે, એને એ પોતાના ધર્મ જ માનશે અને એમાં એ રસપૂર્વક આનંદ લેશે. સામ્યવાદ આદિ પ્રચલિત નવીનવાદામાં તે માનશે કે નહિ એ તદ્દન જુદો પ્રશ્ન છે અને તે તેને યેાગ્ય સ્થાને વિચારાશે, પણ એ સની અસરને લઈ ને જનસેવા કરવાનું અને તે દ્વારા પરાપકાર કરવાનું નવીન વાતાવરણ જ પ્રેરક રૂપે તેની આસપાસ ઊભું થશે. (૩૩) અંતર ગફ્ફરપુના રિહાર કરવા તત્પર — છ રિપુ અનેક – પ્રકારે ગણ્યા છે. કામ, ક્રોધ, લેાલ, મેાહ, મદ, મત્સર આ જાણીતાં છ નામેા છે. શ્રી હેમચંદ્રાચાય કામ, ક્રોધ, લાભ, માન, મદ અને તે છ રિપુ ગણાવે છે, જેનાથી અંતત્તિએ સંસાર તરફ ઘસડાય એ અંદરના સર્વ પ્રકારના ચિત્તવિકારા શત્રુ જ છે. એ પ્રાણીને વિવેક ભૂલાવી અંધ કરી દે છે અને પછી દારૂની અસર નીચે આવ્યા પછી જેમ પીધેલ માણસ પરાધીન થાય છે તેમ મનેાવિકારની અસર નીચે પ્રાણી પરવશ બની જાય છે. એ લાંબી નજરે જેઈ શકતા નથી, પેાતાને થતી હાનિ સમજી શકતા નથી, ભવચક્રભ્રમણને પિછાની શકતા નથી અને પેાતાના કાનું સાધ્ય લક્ષ્મી શકતા નથી. આવા સર્વ પ્રકારના વિકાશને ત્યાગ કરવા, તેમને ઓછા કરવા, તેની અસર નીચે જેમ બને તેમ એછું આવવા પ્રત્યેક પ્રાણીએ પ્રયત્ન કરવા જોઈએ. અહીં જો પ્રત્યેક મતેાવિકારની ચર્ચા કરવા લાગી જઈએ તો લેખ ઘણા મેાટા થઈ જાય. વળી અંતર ંગ વિષયના આવિભૉવેનું પૃથક્કરણ યુગે યુગે ખૂબ ફરતું ગયું છે. તેને તે કઈ અન્ય પ્રસંગ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ex Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું મુલતવી રાખી અહીં સામાન્ય રીતે એટલું કહી શકાય કે નવયુગને માનવી માનસવિદ્યાને અભ્યાસ કરી પિતાના પ્રત્યેક આચરણની કિંમત કરી શકે તે માટે ખૂબ સાધને મેળવી શકશે. એ મનેવિકારનો અભ્યાસ કરી અટકશે નહિ, પણ તેના પર સામ્રાજ્ય મેળવવા બનતું કરશે. એ અંતરંગ રિપને પરિહાર કરવા તત્પર થશે, એટલું જ નહિ પણ એ વિષયને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકશે, પ્રત્યેક વિકારની વ્યાખ્યા બાંધશે, એના સૂક્ષ્મ સ્વરૂપને અને એના ઊંડા તથા પ્રકટ આવિર્ભાને એ ઓળખતે થશે અને એને ઓળખીને ન અટકતાં એ એની સામે થવા બનતું કરશે. બાકી આ વિષય ઘણું વિશાળ હોઈ અને વિરામ કરે એ જ એને માટે શક્ય છે. પ્રત્યેક મનોવિકારને અંગે ખૂબ વક્તવ્ય છે અને નવયુગ પ્રત્યેકને અંગે નવી દિશા દેરનાર છે એમ દેખી શકાય છે. મુદ્દાની બાબતમાં તે સાપેક્ષ રહેશે એટલું જણાવી આગળ વધીએ. મનેવિકારનું પૃથક્કરણ કેમ થાય તેનો એક દાખલો આપીએ. કોઈ નવયુગના માણસ પાસે આવી કહે કે “ભાઈ ! તમે તે આટઆટલું અંગ્રેજી ભણ્યા છતાં ધર્મશ્રદ્ધા રાખે છે તે હદ છે!' આના જવાબમાં તે કહે કે “ભાઈ! આપણે તે કોણમાત્ર છીએ ! દુનિયામાં અનેક રત્નો છે!” વગેરે. આ જવાબમાં માન પણ હેય, માન મેળવવાની ઈચ્છા પણ હય, વધારે પ્રશંસા મેળવવાનું નેતરું પણ હોય અને હૃદયપૂર્વકની પિતાના સ્થાનની અલ્પતાના સત્તાનપણાનું નિદર્શન પણ હોય. એ જવાબમાં અંતરરિપુને વિજય છે કે રિપુ પર વિજય છે એ કહેવું મુશ્કેલ પડે. પણ પૃથક્કરણ કરતાં આવડે અને બેલનારની ભાષા હાવભાવ અને રાહઘાટ જોવામાં આવ્યા હોય તે ચોખવટથી એનું નિરૂપણ થઈ શકે. આવી અનેક ગૂંચવણે માનસક્ષેત્રમાં છે. પ્રત્યેક વિકારની તરતમતાનો પાર નથી, એના આવિર્ભાવ તિરંભાવના પ્રસંગોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ નવયુગને જૈન પાર નથી અને એની સ્થિતિ નિરસન અને ગૂઢારાપણને અંત–તાગ આવે તેમ નથી. મતલબ એ છે કે એ વિષય ધણા વિશાળ છે, અભ્યાસથી વધારે વધારે સ્પષ્ટ થતા જાય તેવા છે અને નવયુગને તેના પર અંક કરવાના પ્રસંગેા જ્ઞાન-પ્રકાશને કારણે વધારે લભ્ય છે. નવયુગ તેને જરૂર લાભ લેશે એમ અત્યાર સુધીના પ્રયત્નાથી પણ દેખાય છે. (૩૪) ઇંદ્રિયાને વશ કરનાર આ છેલ્લા પાંત્રીસમેા ગુણ છે. વિષય એક એક પાંચ ઇન્દ્રિયના વિષયેા ખાદ્ય છે. પ્રત્યેક ઇંદ્રિયના છે, પણ એની તરતમતા અને એમાં ગાઢતા આંતરવૃત્તિ પર આધાર રાખે છે. ખાદ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારની અંતરદશા સમજ્યા વગર તેને માટે નિર્ણય આપી શકાય તેમ નથી. જીવનની સાદાઈ ને કારણે, જરૂરિયાતોની અલ્પતા થવાને કારણે, મેજશોખ તરફ અલ્પ રૂચિ થવાના ચાલુ ઉપદેશ રહેવાને કારણે નવયુગ ઇંદ્રિયાને અંગે ઓછા વધતા અંકુશ રાખનાર થવાના સંભવ વધારે છે. અત્યારે આછા વધતા ત્યાગ ખાદ્ય નજરે જોતાં આ સંબંધમાં સુંદર પરિણામ આવવું બર્ટ, તેની સાથે જવાઆવવાનાં સાધનેાના વધારાને કારણે, ઊંડી અભ્યાસવૃત્તિ સાર્વત્રિક થતાં સમય લાગવાને કારણે અને વિલાસને પ્રેરક સાધના સુલભ થવાને કારણે આ સંબંધમાં એક સરખું ધારણ નહિ રહે. કેટલાક ભારે ઈંદ્રિયદમન કરનારા નવયુગમાં નીકળી આવશે અને કેટલાક ઈંદ્રિયને મોકળી મૂકી દેનારા પણ નીકળશે. પણ ઇંદ્રિયદમનને વિષય સમજાવતાં મુશ્કેલી નહિ પડે અને પતિત થયેલાને ઠેકાણે લાવવાનું બની શકે એવું પણ રહેશે. (૩૫) ― આ પ્રમાણે સંયમના વિષયને હાથ ધરતાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા સંબંધી વિસ્તારથી વાત કરી નાંખી. આ પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું ગુણ પર લખવાથી અનેક બાબતને એમાં સમાવેશ થઈ ગયો અને હવે પછી લખવાનાં અનેક શિર્ષકેને આમાં સીધી અથવા આડકતરી રીતે સ્થાન મળી ગયું. સંયમમાર્ગના પ્રથમ પગથિયે નવયુગનો જૈન પિતાના સ્થાનને આ પ્રમાણે નિર્ણય કરશે. સંયમના માર્ગો અનેક છે. જે વસ્તુ પિતાને પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે વિષયને ત્યાગ સમજીને કરવો તે “સંયમ' કહેવાય છે. અશક્ય વસ્તુના ત્યાગને પણ સ્વીકૃત ગણ્યો છે તે કદાચિત્ક અને સંગવશાત છે. નવયુગને જૈન બાર વતેને અંગે સંયમપૂર્વક કાર્ય કરશે. નવયુગના જૈનનાં બાર વ્રત પ્રાણાતિપાત વિરમણની ઘણીખરી હકીકત અહિંસાની ચર્ચામાં ઉપર થઈ ગઈ છે. વ્યવહારમાં શક્ય હશે તેટલી અહિંસા એ જરૂર સ્વીકારશે. પાણી ગળવાની, અનાજ શોધવાની નાની નાની બાબતમાં એ અહિંસા અને આરોગ્ય અને દૃષ્ટિએ જોશે. એની અહિંસા વ્યવહારુ રૂપ ઘણું લેશે. એ જીવવધને અટકાવવા સારુ મહાન યોજનાઓ કરશે અને અહિંસાને જગદ્ગદ્ય સિદ્ધાંત તરીકે રજૂ કરશે. સ્થળ હિંસાને તે ત્યાગ કરશે એટલું જ નહિ, પણ માનસિક ક્ષેત્રમાં વિના પ્રોજન અન્યની લાગણી દુઃખાવવાની બાબતને પણ હિંસાની કોટિમાં લાવશે. એ પરદ્રોહ, અસૂયા, નિંદા, કલહ, અભ્યાખ્યાન આદિ અંતર વિકારને પણ આ વ્રતની નીચે લઈ આવશે અને તેને બનો ત્યાગ કરવા પ્રવૃત્તિ કરશે, ચર્ચા કરશે અને તે સંબંધી પ્રચારકાર્ય પણ કરશે. બીજા મૃષાવાદ વ્રતને અંગે તે ખૂબ ચક્કસ થશે. અસત્ય ભાષણ કે સૂચવન માટે તેને ધૃણા થશે. તે જૂઠી સાક્ષી આપવાથી કે બેટા દસ્તાવેજો બનાવવાના કાર્યથી દૂર રહેશે. તે સર્વ સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ - - -- ૯૮ નવયુગને જૈન બેલવા અને સત્ય સિવાય કંઈ નહિ બોલવાની ભાવના કરશે. જૈનથી અસત્યના પાયા ઉપર વ્યાપાર કે ધંધો થાય જ નહિ એવી તેની માન્યતા રહેશે અને તે માન્યતાને તે સક્રિય રૂપ આપશે. અચૌર્યવ્રત સત્યની પેઠે તે ખૂબ બહલાવશે. જે વસ્તુ પર પિતાનો હક્ક ન હોય તે ધણીની પરવાનગી સિવાય લેવાય નહિ એ તે સામાન્ય વાત થઈ, પણ તે ઉપરાંત બેટી સુચનાથી, સફતથી, દંભથી, પારકા પૈસા પડાવી લેવાની બાબતને પણ આ વ્રત નીચે ત્યાજ્ય ગણશે. બેટાં માપ, બેટે તેલ, માલમાં ભેળસેળ–આ સર્વ ત્યાજ્ય ગણી તે રીતે પેટ ભરવાની કે ધન એકઠું કરવાની તેની વૃત્તિ નહિ થાય. - બ્રહ્મચર્ય વ્રતની બાબતમાં સ્ત્રીપુરુષને મળવાના પ્રસંગે વધશે અને અંતર ઘટશે. લાજ કાઢવાનો રિવાજ જંગલી ગણાશે અને સ્ત્રીઓ સ્વતંત્રતા મેળવશે, છતાં જાતીય પવિત્રતા અત્યારના કરતાં વધારે પ્રગટશે. એ નવયુગને જૈન સ્ત્રીઓ સાથે મળી કામ કરશે, છતાં મર્યાદામાં રહી શકશે. બ્રહ્મચર્ય સંબંધી તેના વિચારો વધારે મક્કમ થશે અને એકંદરે સ્વદારા સંતોષની ભાવના પિષાશે. એ ઉપરાંત સેવાભાવી વર્ગ એ પણ નીકળશે જે લગ્નગ્રંથીમાં જોડાવાથી સેવાભાવને ખલેલ પહોંચતી માનશે અને તે વર્ગ દીર્ઘ કાળ સુધી અથવા આજીવન અખંડ બ્રહ્મચર્ય પણ સ્વીકારશે. સ્ત્રી જાતિની સત્કીર્તિ વધશે અને તેને સ્વાતંત્ર્ય મળવા છતાં તે ઉદ્ધત ઉÚખલ કે વિષયી ન બનતાં તે સ્ત્રીપદને ગૌરન્વાન્વિત કરનાર થશે. આ સ્થિતિ આવવા પહેલાં થોડો વખત એક કાળી લીટીને ઉલ્લંઘન કરવી પડશે જ્યારે સ્ત્રીસ્વાતંત્ર્યની પદ્ધતિ સામે છેડે વખત પોકાર થશે, પણ અંતે તે સર્વ વ્યવસ્થિત થઈ જશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮મું અને સ્ત્રી જાતિની સત્કીર્તિ અનેક કાર્યક્ષેત્રમાં જામશે. માંદાની માવજત, અકસ્માતના ઇલાજો, પ્રાથમિક મદદ, બાળઉછેર આદિ કાર્ય સ્ત્રીવર્ગ સુવાંગ ઉપાડી લેશે જ્યારે સમાજપ્રવૃત્તિના બીજાં અનેક કાર્યોમાં એ પુરુષની બાજુએ રહી સાથે સાથે કામ કરશે અને છતાં બ્રહ્મચર્યના વાસ્તવિક સ્વરૂપને વિશિષ્ટ સ્થાન મળશે અને તે ઉત્તરોત્તર વધારે જળવાતું જશે. નવયુગમાં જાહેર સ્ત્રીને વર્ગ સદંતર નાશ નહિ પામે. તે સંસ્થા પણ ચાલ્યા કરશે, પણ ધર્મભાવનાવાળે નવયુગને જૈન એ વર્ગની સ્ત્રીઓનાં સ્થાને તરફ નજર પણ નહિ કરે. સામ્યવાદના વિચારે સમાજમાં સ્થિર થવા લાગ્યા છે. તે ઉપરાંત કેઈ પણ વ્યક્તિને પિતાની જરૂરિયાતથી વધારે સંચય કરવાને હક નથી એવા વિચારોને પ્રચાર થવાની શરૂઆત થવા માંડી છે. જનતાનો મોટો ભાગ ધનીક વર્ગને અસ્પૃશ્ય ગણે તે સમય પાછો આવતે જાય છે. ફેશિયાનું બેલ્શવિઝમ–મજૂર વર્ગનું રાજ્ય કદાચ હિંદમાં ચાલશે કે નહિ તે વાત બાજુએ રાખીએ, પણ પરિગ્રહને અંગે તે નવયુગ ભારે પ્રગતિ જરૂર કરશે. સમાજ ધનસંચયની વિરૂદ્ધ થતું જાય છે, કાયદાઓ ધનવાનને વધારે ચૂસે તેવા થતા જાય છે, આવકના કરે મોટા થતા જાય છે, મરણ પછી આપવાને કર (ડેથ ડયુટિ) ઘણે વધતું જાય છે અને આવતા યુગનું આખું અર્થશાસ્ત્ર ધનસંચય વિરૂદ્ધ જનાર હોવાનાં સર્વ કારણે દિગંતમાં સ્પષ્ટ દેખાય છે એટલે પરિગ્રહની બાબતમાં નવયુગ ન ધારી શકાય તેટલી પ્રગતિ બતાવશે. આ સંબંધમાં રૂશિયાને યુવાન વર્ગ અત્યારે શું કરી રહ્યો છે તેને ખ્યાલ કરવાથી પરિગ્રહવ્રત કેટલું લોકપ્રિય થઈ પડશે તેને કસ આવે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન - 11... ત્રણ ગુણવ્રતે પૈકી દિવિરતિ વ્રત. અમુક દિશાએ અમુક હદ સુધી જ જવું. આ વ્રત નવયુગમાં લેકપ્રિય થવું અસંભવિત છે. નવયુગ એને ઉપયોગી ગણશે નહિ. (આમાં કાંઈ કેટલું પ્રમાણ રાખવું તે નિણિત નથી.) ભોગપભોગમાં ભારે ચર્ચાઓ થશે. એક વાર ભગવાય તે ભોગ” વસ્તુ કહે છે. એનાં દૃષ્ટાંતમાં તાંબૂલ, ધૂપ, આદિ છે. એમાં “સ્ત્રી ને ભગની ચીજ ગણે છે જે સંબંધમાં નવયુગ ખાસ વાંધો બેંધાવશે. નવયુગના મારથ રાષ્ટ્રને સાધનસંપન્ન કરવાના, અન્ય દેશે સાથે હરીફાઈમાં ઉતરવાના અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોવાના હેવાથી કર્માદાનની હકીકત સ્વીકારવા છતાં નિર્ણય ઘણે શિથિળ રહેશે. એની નજરમાં દેશની ઔદ્યોગિકતા મુખ્ય ધ્યાન ખેંચશે તેથી હિંસાના પ્રસંગને એ બનતી રીતે દૂર રાખશે, પણ મંત્રાદિકને એ ત્યાગ કરી શકશે નહિ. આ બાબતમાં નવયુગ પાછળ પગલાં ભરશે. સાતમા વ્રતને અંગે એ ઉપરાંત બીજો પ્રશ્ન રાત્રિભેજનને આવશે. એ રાત્રિભોજનનાં ધૂળ ગેરલાભ સમજશે, પેટને બાર કલાક રાહત આપવાના લાભો સમજશે, છતાં સમાજબંધારણ, કસરત રમતને સમય, ભાષણ વ્યાખ્યાનના લાભો આદિ કારણે રાત્રિભોજનને અંગે નવયુગ શિથિળ થતું જશે. એને છઠ્ઠા મહાવ્રત જેટલું મહત્ત્વ આપવાનું કારણ તેના ધ્યાનમાં ઉતરશે નહિ, છતાં ત્યાગ તરીકે એ વાતને તે સ્વીકારશે અને તેનું મૂલ્ય પણ કરશે, પણ જૈન શબ્દની વ્યાખ્યામાં ન છેડી શકાય એ એ ધર્મ છે એમ તે નહિ માને. આ બે બાબત સિવાય ભોગપભેગની બાબતમાં નવયુગ સુંદર પરિણામ બતાવી શકશે. મધમાંસને એ છેડશે અથવા એને સ્વીકાર નહિ કરે. એને દારૂ કઈ પણ આકારમાં વૃણા ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રકરણ ૮મું -~~-~~~-~~-~કરશે. માંસ મચ્છી ઈંડાંમાં એને હકનો સવાલ થશે. આપણને જીવવાને હક છે તે સર્વને જીવવાને હક છે અને જે પ્રાણ આપી શકે નહિ તેને પ્રાણ લેવાનો હક નથી એમ તે માનશે. અનંતકાયની બાબતમાં એ બહુ ઊંડો નહિ ઉતરે, પણ સામાન્ય રીતે જ્યાં એ અનંતજીવ જાણી શકશે ત્યાં ત્યાગ કરશે. એને ખાવાની બાબત કદિ રસ જ ઉત્પન્ન નહિ કરે. મળે કે તૈયાર હોય તે ખાઈ લેવું અને એની વિશેષ ઘડભાંજ ન કરવી એવી એની ઉદાસીન અથવા બેદરકાર સ્થિતિ રહેશે. છતાં મળે તે ખાવું તેને અર્થ એમ સમજશે નહિ કે જે ખોરાક કે પેય પદાર્થ અભક્ષ્ય અપેય હેય તેને વિવેક ન કરે. એ ખાવાની બાબતમાં અમુક જ જોઈએ અને અમુક રીતે તૈયાર કરેલું જ જોઈએ એવી ચાપચીપ કરનારે નહિ થાય. ભોગપભેગને અંગે એક બે બાબત હજુ વિચારવાની રહે છે. આને ઉપયોગ હજુ વધશે કે નહિ તે કહેવું જરા મુશ્કેલ છે. નવયુગને એક ભાગ ચાને ત્યાગ કરનાર નીકળશે, ત્યારે એક વિભાગ ચાને દિવસમાં અનેક વાર પીનાર નીકળશે. એ જ પ્રમાણે આઈસક્રીમનું સમજવું. એને ત્યાગ કરનાર છેડા નીકળશે, એને ઉપયોગ કરનાર વધારે નીકળશે. કર્માદાન સંબંધી છૂટાછવાયા અસ્તવ્યસ્ત વિચારે ઘણા ચાલશે, પણ શક્યતા એવી લાગે છે કે આર્થિક પરિસ્થિતિ વધારે આકરી થવાના કારણે, જીવનકલહ ભીષણ થવાને કારણે અને ઉદ્યોગ, કળા, હુન્નર અને વ્યાપારનાં નવીન ક્ષેત્રે નીકળવાને પરિણામે કેટલાંક કર્માદાને સંબંધમાં નવયુગ છૂટ લેશે. શાસ્ત્રને આદેશ સમજવા છતાં એ મિલ નહિ જ કરે કે ખેતીવાડી નહિ જ કરે અથવા કોલસા કે ધાતુની ખાણને અડશે જ નહિ એમ લાગતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નવયુગને જૈન “ઉપભોગ” એટલે જે એકની એક વસ્તુ અનેક વાર ભોગવાય છે. આ ભોગ અને ઉપભેગને અંગે ઉપર જણાવી તેવી સ્થિતિ રહેશે અને કેટલુંક અવ્યવસ્થિત રીતે ચર્ચા કરવાનું સ્થાન પણ પ્રાપ્ત થશે. અનર્થદંડની બાબતમાં સ્થિતિ બગડશે. નાટક સિનેમાને ઉપગ હદ પાર થશે. સિનેમાને કેળવણીના કાર્ય માટે ઉપયોગ થશે તે અનર્થદંડની કટિમાં નહિ ગણાય. પણ એ આનંદઆરામને વિષય પણ થશે. વ્યાપારધંધાને અંગે સલાહ આપવાનું થશે. મેટાં કારખાનાના શેરહોલ્ડર થવામાં સાતમા અને આઠમા વતને વિરોધ આવશે. પ્રમાદ આચરણ એછાં થશે. નવયુગમાં અન્યની ટીકા કરવાને નિંદા કરવાનો સમય જ અપ મળશે. જનસમાજ જેમ જેમ વધારે સંકીર્ણ થતું જાય તેમ તેમ આ રૌદ્ર ધ્યાનના પ્રસંગે વધારે આવે તે સંભવ છે. આ સંબંધમાં ઉપયોગ રહેશે, પણ પ્રસંગે ઘણું વધી જશે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અત્યારના અનર્થદંડના પ્રસંગે કરતાં તદ્દન નૂતન પ્રકાર જ હસ્તીમાં આવશે. આ રીતે ત્રણ ગુણવ્રતની હકીકત થશે. ચાર શિક્ષાને અંગે સ્થિતિ કેવી રહેશે તે સંક્ષેપમાં જોઈ જઈએ. સામાયિક તરફ નવયુગની રૂચિ રહેશે. તે યથાવકાશ સામાયિક કરશે અને તે વખતને ઉપગ વાચન કરવામાં મુખ્યતયા કરશે. સામાયિક તરફ જનતાની રૂચિ વધશે. જૈનધર્મનું એ એક ઉત્તમ વ્રત ગણાશે. બે ઘડી સંસારને છોડી દેવાને આદર્શ જ ઘણો સુંદર અને આકર્ષક લાગશે. દેશાવનાશિક વ્રતને અંગે દિપરિમાણવ્રતની સર્વ ટીકા લાગુ પડે છે. પૌષધવતને ઉપરના સામાયિકવ્રતની સર્વ ટીકા લાગુ પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ શહેરણું સુ છે. - પૌષધ તરફ રિચ રહેશે, પણ તે આખા દિવસના સવાલ હાવાથી તેને જીવનકલ આદિ આર્થિક પ્રશ્નો અસર કરશે. પૌષધમાં જ્ઞાનચર્ચા ઘણી સુંદર પ્રેરક અને ઉત્તેજક થશે. પડિલેહણાદિ વિધિમાં કાઈ પણ પ્રકારના ફેરફાર નવયુગ નહિ માગે. ચોથુ ́ શિક્ષાવ્રત અતિથિ સંવિભાગનું આવે છે. ખરા અર્થાંમાં સાધુ હશે તેના ઉપર નવયુગ વારી જશે; પણ ખટપટી, ધમાલિયા, લગભગ એક નવા પ્રકારના સંસાર માંડી બેઠેલા દુકાનદારી ચલાવનારને નવયુગ સાધુ માનશે નહિ અને તેના તરફ ઉપેક્ષા રાખશે અથવા તે વને સુધારી યોગ્ય ભૂમિકાવાળાને તેમાં સ્થાન આપવાના આગ્રહ કરશે. સાધુના આખા પ્રશ્ન આગળ વિચારવાના છે ત્યાં આ સંબંધી વિશેષ ચર્ચા થશે. આ વ્રતમાં જૈન બંધુના વાત્સલ્યના સમાવેશ થશે. જ્ઞાતિભેદ નહિ રહે. ગમે ત્યાં જન્મ્યા હાય, પણ જૈનધર્મને સ્વીકારનાર મારા બંધુ છે. એવી ભાવના વધશે. જ્ઞાતિના તફાવત વગર સર્વ જૈનને પંક્તિભાજનમાં સ્થાન મળશે, જૈનની સ` સંસ્થાને વગર સંચે લાભ મળશે અને ગચ્છના કે ફીરકાના ભેદ સિવાય બંધુત્વ ખૂબ વિસ્તાર પામશે, કોઈ પણ ગચ્છ કે ફીરકા માટે તુચ્છ ભાષામાં વાત કરવાને કે ઉલ્લેખ કરવાના પ્રતિબંધ થશે અને સ્વામીવાત્સલ્યના જમણવાર અર્થ થાય છે તેમાં ધણા વિસ્તાર કરવામાં આવશે અને તે એટલી હદ સુધી જશે કે જમણવાર તેા અલ્પ થઈ જશે, પણ સ્વધર્મીબંધુને વિદ્યાદાન, ધંધામાં સ્થાપન, આપત્તિ વખતે સહાય કરવાના અનેક સફળ પ્રયત્ના નવી નવી દિશાએ થશે. અન્યને ઉત્કૃષ જોઈ જે અસૂયાત્તિ અત્યારે જાગે છે તે પ્રાયઃ બંધ થઈ જશે. ક્રાઈ પણ બંધુને ચઢેલા જોઈ બાકીના વર્ગ રાજી થશે અને વધવાના માર્ગો તેને ભલામણ ગોઠવણ આદિ દ્વારા સુકર કરી આપવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન સંયમના આ માર્ગો ખાસ પ્રસંગાને ધ્યાનમાં રાખી ચર્ચા છે. આખા વિશાળ ક્ષેત્રને અવલેાકવા માટે આ બાબતને ઇરાદાપૂર્વક વિસ્તૃત સ્થાન આપ્યું છે. એ ધારણ પ્રમાણે દ્રવ્યશ્રાવકના ભાવશ્રાવકના ગુણા તપાસી જવા તથા ૧૦૪ સંયમના ક્ષેત્રમાં સાધુના ક્ષેત્રને વિચાર પ્રસ્તુત છે તે આગળ તરતમાં જ કરવાને છે ત્યાંથી જોઈ લેવા. એ વિષય જરા વધારે અટપટા હાઈ તેને સ્વતંત્ર સ્થાન આપવું યોગ્ય ધારવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું તપ જૈનધર્મનાં મૂળ ત્રણ અંગે પૈકી અહિંસા અને સંયમ સંબંધી ઉલ્લેખ થયો. તપના સંબંધમાં નવયુગનું વલણ તપાસી આપણે આગળ વધીએ. તપના મુખ્ય બે પ્રકાર : બાહ્ય અને અભ્યતર. બાહ્ય તપમાં ન ખાવું, ઓછું ખાવું, વસ્તુઓને ત્યાગ કરવો, ઈષ્ટમિષ્ટ પદાર્થને તજવા, કાયાને પીડા ઉપજાવવી અને શરીર સંકેચ કરે. આ સર્વ પ્રકારમાં પ્રથમ અનશનને પ્રકાર તે વર્તમાન યુગના ઉપવાસ કે એકાસણાદિ તપ ગણાય છે. એને મહિમા નવયુગમાં ઘણું વધશે. શારીરિક નજરે ઉપવાસને વૈજ્ઞાનિક પદ્ધતિ પર મૂકવામાં આવશે. એ ઉપરાંત એછું ખાવું આદિ સર્વ બાબતે સ્થૂળ દષ્ટિએ આરેગ્યની નજરે ઉચ્ચ સ્થાન પામશે. એમાં શ્રદ્ધા કરતાં આરોગ્યની અને વૈજ્ઞાનિક દૃષ્ટિ વિશેષ સ્થાન લેશે. એનું સ્થાન સમજણપૂર્વક ઉચ્ચ થશે. ઉપવાસાદિની પદ્ધતિ ડી ફરશે, પણ મુદ્દો જળવાઈ રહેશે. રસત્યાગ અને વૃત્તિસંક્ષેપને ખૂબ ઉચ્ચ સ્થાન આદરપૂર્વક મળશે. એની સાથે સાદા જીવનના પ્રશ્ન ગૂંથાઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન અમુક વર્ગ જ્યાં સુધી ધનની મહત્તા માનશે ત્યાં સુધી આ આદ્ય તપને પૂરું વજન નહિ મળે, પણ સામ્યવાદ સમાજવાદ અને સમાનતાવાદ ટ્રંક વખતમાં એવું રૂપ પકડશે કે ધનવાનને વજુદા નહિ રહી શકે, અત્યારે સંસ્કારી પ્રજાનું વલણુ સામ્યવાદ તરફ છે અને તેનાથી જૈન અલગ નહિ રહી શકે. સમાન ભૂમિકા ઉપર આવ્યા પછી સાદું જીવન સાધ્ય થશે અને ખાદ્ય તપને સ્થાન મળશે. તપની બાબતમાં શરીરની શક્તિના ખ્યાલ કર્યા વગર આઠ દશ પંદર ત્રીશ ઉપવાસ કરનાર કાઈ કાઈક જ નીકળશે, પણ તેમ થશે તે આશ્ચર્યકારક જ ગણાશે. ત્યાગભાવ અને સાદાઈની વિપુલતા થવાનેા પ્રસ`ગ દેખાય છે તેથી તેમને સમજણપૂર્ણાંકનું સ્થાન મળશે, આ તો ખાદ્ય તપની વાત થઈ. અભ્ય તર તપમાં સ્વાધ્યાય ખૂબ વધી જશે. એમાં એકલા ધર્મોના વિષયેાને જ સમાવેશ થતા નવયુગ નહિ ગણે. નવી શોધખેાળ, પરમાણુશાસ્ત્ર, વસ્તુવિજ્ઞાન ( કૅમિસ્ટ્રિ ), ગ્રહવિદ્યા ( એસ્ટ્રાનેામિ ), પ્રકાશમા સિદ્ધાંત ( લાઈટ ), અવાજના સિદ્ધાંત ( સાઉન્ડ ) આદિ અનેક વિષયાને સ્વાધ્યાયની ાતિમાં ગણવામાં આવશે. જૂના આકારમાં આ સર્વ શાસ્ત્રીય વિષયા જ છે, પણ નવા આકારમાં તેની શેષખેાળા કરી નવાં સાધન દ્વારા જૂતી બાબતાને ચવી એને પણ નવયુગ સ્વાધ્યાયની કાટિમાં ગણશે. વિનય, વૈયાવચ્ચ તે યાગ્યના જ કરશે, પણ ચેાગ્યતાની પરીક્ષા પછી તેને આધીન થઈ જશે. સૈનિવૃત્તિ એટલી કેળવાશે કે ઉપરી અધિકારીના હુકમનેા અમલ કરવા એ લશ્કરીનું કવ્યુ છે, એણે આખી વ્યૂહરચનાના જ્ઞાનને અભાવે વ્યક્તિગત હુકમની તુલના કરવાની હાય જ નહિ. આ વૃત્તિ અત્યારે કેળવાતી જાય છે, પણ એવા અધિકારીનું પદ જેને તેને નહિ મળે. દીવ દૃષ્ટા, ઉચ્ચ ચારિત્રવાન પાતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ મકર સ વિચાર ન કરનાર, સેવાર્થે−પરાર્થે જીવન અર્પનાર, સત્ય અને અહિંસામય જે વ્યક્તિ હશે તેને વિનય પણ મળશે અને વૈયાવચ્ચ પણ મળશે. ૧૦૭. અને વિનય વૈયાવચ્ચ શબ્દ અમુક વર્ગ પરત્વે જ નહિ રહે. વિનય સાત્રિક થશે અને વૈયાવચ્ચ સેવાભાવનાનું રૂપ લેશે. માંદાની માવજતથી માંડીને અનેક રીતે સેવાના અર્થીને સેવા આપવી એમાં અભ્યંતર તપ મનાશે. વચ્ચેના વખતમાં સુવાવડ પ્રસૂતિ કર્મ કરનાર ક`બંધન કરે છે અને એમાં સેવા જેવું કાંઈ નથી એવી માન્યતા ચાલતી હતી તેને નવા યુગ નહિ માને. પ્રસૂતિક્રમ વખતે સેવાની ખાસ જરૂર છે અને તેની સેવા કરવી એ વૈયાવચ્ચની કક્ષામાં આવે છે ‘ એમ નવા યુગ માનશે. અને સેવાનાં ક્ષેત્રે તે। પાર વગરનાં વધી જશે. માટા મેળાવડામાં આવનારને પાણી પાવું, ભાજન સમારંભમાં પીરસવું, માટા મેળાઓ વખતે પદ્ધતિસર વ્યવસ્થા કરવી, આવા આવા અનેક માર્ગો ખુલશે, શિસ્ત જાળવવું એ નવયુગના નવે મા` જ નીકળશે અને તેની અસર વારતહેવારે માટે પ્રસંગે મેળાવડામાં અનેક રીતે થશે, એટલું જ નહિ પણ નાની નાની બાબતેામાં તેની છાયા પડશે. વિવેકસર કરેલી સેવા, જનસમાજની સગવડ અને અનેક યાતનાની અટકાયતના પ્રસંગોને નવયુગ અભ્યંતર તપ ગણશે, એની ખરી બહાર તા મહામારી પ્લેગ, કાલેરા જેવા જીવલેણ વ્યાધિ ચાલતા હાય, ભયંકર આગ થઈ હાય, મેળામાં લાખા માણસા એકઠા થયા હાય–થવાના હોય, ગામેગામ ઘેર ઘેર જઈ પ્રચાર કાર્ય કરવાનું હેાય ત્યારે જણાય. આ અનેક અભિનવ આ ક્ષેત્રામાં પેાતાના સ્થાન સંપત્તિ કે મેાભાના વિચાર કર્યાં સિવાય નવયુગને જૈન પેાતાની ફરજ માનીને ઝ ંપલાવશે. આ સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નવયુગને જૈન સેવાઓ અત્યંતર તપની કટિમાં આવે છે એમ નવયુગ સમજાવવાનો પ્રયત્ન કરશે અને તે માટે પ્રમાણે રજુ કરશે. - પ્રાયશ્ચિત્તની બાબત તદ્દન અભિનવ વલણ લેશે. જાહેરમાં ક્ષમા માગવા જેવી સરળતા બહુ થેડામાં આવશે, પણ આવશે ત્યાં તે આશ્ચર્ય ઉત્પન્ન કરશે. પ્રાચીન પદ્ધતિએ પ્રાયશ્ચિત્ત લેવાની રીત ભાગ્યે જ ચાલુ રહી શકશે. યેગને અભ્યાસ વધશે. ધ્યાનને આ વિષય તદ્દન નવીન આકાર લેશે. એને અંગે શોધખોળ ખૂબ થશે. એ લગભગ ભૂલાઈ ગયેલે વિષ પ્રતિપાદન કરતાં જરા વખત લાગશે. પણ અંતે તે અસલ સ્થાને વ્યવહારૂ રૂપે અને પ્રાગતિક આકારે આવિર્ભાવ પામશે. ગના માર્ગો, મુદ્રાઓ, આસને આદિ નવ રૂપ લેશે અને એમાં પ્રાચીન પદ્ધતિને મૂળ સિંહાસન પર સ્થાપન કરવામાં આવશે. આ વિષયમાં રસ લેનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જશે. તદન લુપ્તપ્રાય થઈ ગયેલા યુગના વિષયને નવયુગ પુનરૂદ્ધાર કરશે. કાયોત્સર્ગ તરફ રુચિ વધશે અને તેને સમજી જાણી તેને યોગના એક પ્રકારમાં સમાવેશ કરવામાં આવશે. આવી રીતે અહિંસા, સંયમ અને તપને અંગે નવયુગમાં ઘટના થશે, એના અવાંતર ભેદે અને પ્રકારે અનેક છે, આવિર્ભાવ પાર વગરના છે. સર્વને ચર્ચવાનું અસંભવિત છે. અદાઓ ચર્ચાયા છે. બાકી એ મદા અનસાર નાની મોટી અનેક બાબતો થશે એટલું જણાવી ધર્મનાં બીજાં અંગે તરફ જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું સાધુસાધ્વી –મધ્યમકક્ષા ધર્મ સંબંધી વિચાર કરતાં સાધુઓનાં સ્થાન તરફ પ્રથમ વિચાર જાય તે રવાભાવિક છે. જૈન દર્શનની વિશેષતા એ છે કે એણે સાધુનું ચિત્ર અદ્ભુત ચીતર્યું છે. કંચનને સર્વથા ત્યાગ કરવો અને સ્ત્રીસંસર્ગ (સ્ત્રીઓએ પુરુષસંસર્ગ) સીધી કે આડકતરી રીતે કરે નહિ એ બે મુદ્દાને જ બરાબર લક્ષ્યમાં રાખવામાં આવે તે સાધુની વિશિષ્ટતાને સાચે ખ્યાલ આવ્યા વગર રહે તેમ નથી. અન્યની સાથે સરખામણી કરી કેઈને ઉતારી પાડવાની ઈચ્છા નથી, પણ વિરાધના જરા પણ ભય વગર કહી શકાય તેમ છે કે સાધુને–ત્યાગને જે આદર્શ જૈન ધર્મે આલેખ્યો છે તે અપ્રતિમય છે, અન્યત્ર કોઈ પણ સ્થાનકે એટલા ઉચ્ચ સ્થાને અપ્રાપ્ય છે અને મનુષ્યમાનસના અતિ ઉચ્ચ અભ્યાસ અને બારીક અવલોકનને પરિણામે ગોઠવેલી ત્યાગની ઉચ્ચ દશાને એ રજૂ કરે છે. જૈનદર્શનને આદર્શ ત્યાગને છે. એના એકેએક વ્રતની વિચારણામાં, ભાવનામાં, સંવ્યવહારમાં ત્યાગ ઝળહળી રહે છે. સર્વથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન w ત્યાગને આદર્શ દૃષ્ટિ સમીપ રાખી મધ્યમ ત્યાગ પણ બતાવ્યો છે અને એ પણ ન સ્વીકારી શકે તેને માટે અલ્પ ત્યાગની રચનાઓ કરી છે. પણ એને આખે નૈતિક વિભાગ બારીકીથી જોતાં ત્યાગની ભાવનાને પોષણ એક યા બીજે રૂપે અપાયેલું જોવામાં આવશે. આથી ઘરસંસારનો ત્યાગ કરી સ્ત્રીપુત્ર કે સગાંસંબંધીને તજી દઈ ધન માલમિલ્કત અને સર્વ સંબંધને દૂર કરી અંતર વૃત્તિથી તેના ઉપર વિરાગ લાવી સર્વ સંબંધ અને વસ્તુઓનો અનિત્ય ભાવ વિચારી એને ત્યાગ કરવા ઉપદેશ કર્યો. એની સાથે સાધુધર્મનું પાલન કરવા સારુ અને ત્યાગને તેની પરાકાષ્ટાએ લઈ જવા શરીરનું પિષણ ન કરવા ફરમાવ્યું. શરીર માત્ર ધર્મ સાધનનું નિમિત્ત છે તેથી તેને ભાડું આપવા પૂરતું ખાવુંપીવું અને તે પણ સ્વાદથી, પ્રેમથી, ગૃદ્ધિથી નહિ, પણ માત્ર શરીર નભાવવા ખાતર જ ખાવાપીવાને ઉપદેશ કર્યો. એની સાથે ભોજન અને પાનના એવા આકરા નિયમો બતાવ્યા કે એને અમલ સર્વથા ભારે મુશ્કેલ દેખાય તેવું લાગે. આ આદર્શ ત્યાગ પર રચાયેલે હેઈ ચમત્કાર ઉપજાવે તે છે અને હૃદયને નમાવી દે તેવો છે. એ ઉત્તમ આદર્શમાં માત્ર સ્થળ ત્યાગની વાત જ નથી. તેમાં અંતરંગ મનોવિકારેને બારીક અભ્યાસ અને તે પર વિજય મેળવવાના સર્વ રસ્તાઓ રજૂ કર્યા છે. જૈન યતિ એટલે ક્ષમાવાન, નિરભિમાની, સરળ, નિષ્પરિગ્રહી, બ્રહ્મચારી, અસૂયા વગરને, દ્વેષ વગરનો, મારાતારાની ગણના વગરને, નિંદાને માર્ગે પણું ન જનાર, પારકી પંચાત નહિ કરનારે, પિતાના અભ્યાસક્રિયામાં પ્રવૃત્ત, જ્ઞાનક્રિયાને મેળ મેળવનાર અને આદર્શ ચારિત્રવાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ સુ ભવભીરૂ, સંસારથી દૂર ગયેલ ઉત્કૃષ્ટ માનવી ( Superman ) સમજવા, એના અંતરગ અને ખાદ્યમાર્ગો, અનુષ્ઠાન અને વિધિનિષેધ એવાં સુંદર યેાજ્યાં છે કે એમાં કાંઈ વધારા કરવા જેવું તત્ત્વ બાકી રહેતું હાય તેમ લાગે તેમ નથી. લગભગ સ સદ્ગુણાનું સ્થાન યતિ હેાવા છતાં એ સંસારથી ન્યારા આત્મારામને સાધનારા અને દુનિયાની જંજાળથી મુક્ત મહાત્મા એના વિશિષ્ટ અર્થાંમાં છે એમાં કાઈ ને લવલેશ શકા થાય તેવું નથી. ૧૧૧ આ અતિ વિશિષ્ટ આદર્શ મુનિયતિ–સાધુને નમસ્કાર કરીને આપણે હવે એની વર્તમાન સ્થિતિ તપાસીએ. સાધુધર્મનું ઉચ્ચ સ્થાન કાયમ રહે તે માટે અહીં એક આડકતરી વાત પ્રથમ કરી દેવાથી આખા વિષય સ્પષ્ટ થવા સંભવ છે. ઉચ્ચ આદર્શોને કાયમ રાખી નવયુગ એમાં ઊંડા ઉતરી વિચારશે ત્યારે એને એમાં ઘણી મુશીબત જણાશે, નવયુગનું મુખ્ય ધ્યેય સેવાનું છે. એને જનતાની સેવા અનેક આકારમાં કરવી છે એ સેવા ખાતર ભારેમાં ભારે સ્વાર્પણ કરવા તૈયાર રહેશે. આ સેવાભાવના ખ્યાલ સાથે એક બીજી પણ ગૂંચવણ ઉત્પન્ન થશે. સાધુધમ અતિ ઉચ્ચ કક્ષાના હાઈ આદશ સ્થાને રહેવા છતાં તે સ્વીકારવાના માર્ગ બહુ ઓછા લઈ શકશે. સાધુમાની કઠીનતાને અંગે એને મુસાફરી કરવાની અગવડ, સેવાસ્થાને તરત પહેાંચવાના નવયુગના મેાટર, રેલવે, વાયુયાન આદિ સગવડા લેવાની હકીકત છેડી દેવાનું નહિ પાલવે ખાનપાનના આકરા નિયમા તેને ગભરાવશે અને અમુક ક્રિયા અમુક વખતે કરવી જ જોઈએ એ બંધન એને રૂચિકર નહિ લાગે. આ અને આવાં અનેક કારણાને લઈ તે એ સાધુ અને ગૃહસ્થ વચ્ચે એક નવી સંથા ઊભી કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન એ સંસ્થાને નવયુગ “મધ્યમ કક્ષા' એવું ઉપનામ આપશે. એ સંસ્થાના જોડાનાર સભ્યોને આદર્શ સેવાને રહેશે. પિતાની જાતથી સમાજની અનેક પ્રકારે સેવા કરવા તે તત્પર રહેશે. સેવાનાં અનેક ક્ષેત્રે તે ઊભાં કરશે. માંદાની માવજતથી માંડીને રાષ્ટ્રસેવા ધર્મસેવા, સાહિત્યસેવા, શોધળ, ઉપદેશ, ભાષણ, જનતામાં કેળવણ, કેળવણું કેમ આપવી તેને માટે શિક્ષકે તૈયાર કરનારી સંસ્થા, પ્રસૂતિ સમયની સેવા, પુસ્તકપ્રચાર, જ્ઞાનસેવા, નાનાં મેટાં પુસ્તક દ્વારા સાહિત્યની અભિવૃદ્ધિ, વૃદ્ધોને આશ્વાસન, દીન અનાથને ઉદ્ધાર, અપંગ ઢેર માટે પાંજરાપોળ, દીન દુઃખી માટે આશ્રમે, પત્તિયા ખહીવાળા માટે આશ્રમે, આરેગ્યભવન, આદિ અનેક જનાઓ નવયુગ જશે. એને સમાજસેવાની તમન્ના લાગશે. તે ખાતર તે નીચે પ્રમાણે લેજના કરશે. જેણે આ મધ્યમ કક્ષામાં સભ્ય તરીકે જોડાવાની ઈચ્છા હેય તેણે આજીવન સેવાભાવ સ્વીકાર પડશે. તેણે આજીવન બ્રહ્મચારી રહેવું પડશે. તેણે સેવાને કોઈ પ્રકારને બદલે સેવાના ઉદ્દેશ તળે લેવાને નહિ. તેણે સેવા કેવા પ્રકારની ક્યાં અને ક્યારે કરવી તે તેને સંસ્થા તેની આવડત શક્તિ અને પરિસ્થિતિ અનુસાર વખતોવખત મુકરર કરી આપશે. તેને નિર્વાહ અને મુસાફરી ખર્ચ માટે સર્વ વ્યવસ્થા સંસ્થા કરી આપશે. તેણે ધનસંચય કોઈ પણ પ્રકારનો કરવાને નહિ, પણ જરૂરી ખર્ચ કરવા પૂરતી રકમ પોતાની પાસે આગળપાછળ રાખવાની તેને છૂટ રહેશે. તેણે મધમાંસથી સર્વથા દૂર રહેવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ૧૧૩ • w - - - - - * * ખાનપાનમાં તેણે તદન સાદાઈ રાખવી પડશે. દરરોજ કેટલી વસ્તુ ખાવી તેની સંખ્યાને સવારથી નિર્ણય કરવો પડશે. દ્રવ્યગણના (ખાદ્યપદાર્થને અંગે) કરવી પડશે. પિતાથી શું શું કાર્ય બની શક્યું તેની વિગતવાર રજનિશી રાખવી પડશે. તેનાં સેવાકાર્યની પ્રત્યેક દિવસની ગણના ઉપરાંત સ્થૂળ કે માનસિક જે કાંઈ અલના થઈ હશે તેની વિગતવાર નેધ રાખવી પડશે. તેનું વર્તન આદર્શમય, દેવગુરૂ ધર્મ તરફ સમજણપૂર્વકની શ્રદ્ધા અને ત્યાગ ગૃહસ્થ કરતાં ઘણું વધારે રાખવા પડશે. એણે રાત્રિભોજનને ત્યાગ કરે પડશે. સત્ય, અહિંસા અને અસ્તેય એણે ખાસ જાળવવાં પડશે. એણે દરરોજ સ્થળ કે માનસિક પૂજન અથવા ધ્યાન અથવા બન્ને એક કલાક અવશ્ય કરવાં પડશે, માત્ર જ્યારે તેના સેવાક્ષેત્રમાં તેની આખા વખતની હાજરીની જરૂર હોય અને તેને અવકાશ મળી શકે તેમ નહિ જ હોય ત્યારે તે પોતાની જાતને છેતર્યા સિવાય આ બાબતમાં અપવાદ કરી શકશે અને અપવાદ કરશે તે તેની નોંધ કારણ સાથે નિત્યનિશીમાં પિતાને હાથે રાખશે. એણે પિતાને આખો વખત સેવા માટે અર્પણ કરવો પડશે અને તેને જ્યારે સેવાકાર્ય માટે આ ન કરવામાં આવે ત્યારે તરત જવું પડશે અને બાકી પિતાને માટે યોગ્ય સેવાક્ષેત્ર શોધી તેની યોગ્ય સાધના કરવામાં તે સમયને ઉપયોગ કરશે. કોઈ પણ સજ્ઞાન માણસ યોગ્ય અભ્યાસ કર્યા પછી આ સેવા સત્રમાં દાખલ થઈ શકશે અને અતિ વિશિષ્ટ ઉચ્ચ જીવન વહન કરવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ નવયુગને જૈન અતિ વૃદ્ધ અથવા શારીરિક ખેડવાળો આ વર્ગમાં દાખલ નહિ થાય. દેવાદાર કુટુંબકબીલાવાળે આ વર્ગમાં જોડાવા પહેલાં પિતાનું દેવું આપીને અને કુટુંબીઓની સંમતિ મેળવીને આ વર્ગમાં જોડાઈ શકશે. સેવામંડળ આવા અને આને મળતા નિયમે કરી એક સેવામંડળ નવયુગ ઊભું કરશે. એને ઉદ્દેશ સેવાકાર્ય અનેક દિશાએ કરવાને રહેશે અને તેની સાથે વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ વ્યવસ્થા કરવાની તેને જરૂર લાગશે. એ ખાવાપીવાના, વસ્ત્રાદિના અને મુસાફરીના નિયમ મુદ્દામ હેતુ લક્ષ્યમાં રાખીને ઘડશે અને તેથી સેવાભાવી સાધુઓને ઘણી વાર જે અગવડ પડે છે તે આ રીતે નવયુગ દૂર કરશે. આ મધ્યમ કક્ષાને ઉદ્દેશ સેવકસમાજ ઊભે કરવાનું હોઈ તે સંસારથી અમુક અંશે વિરક્ત રહેશે અને અમુક બાબતમાં સંસારમાં પણ રહેશે. એને લાયક થવાની કોટિ સન્ડે રાખવામાં આવશે અને ગમે તેવા સગવડને લાભ લેનારા પણ સેવાભાવિ નહિ હોય તેને દાખલ કરવામાં નહિ આવે. આવા મંડળને તૈયાર કર્યા બાદ અનુભવથી એમ જણાશે કે એ મંડળના અમુક સભ્યને પરણવાની જરૂર છે અથવા પરણેલા સ્ત્રી સહિત સભ્યને મંડળમાં દાખલ કરવાની આવશ્યકતા છે તે પરણેલ ન હોય તેના મનની સ્થિરતા આદિ કેવા રહે છે તેને ખ્યાલ કરી બારીક તપાસ કરી ખાસ જરૂર લાગશે તે નિયમમાં સુધારાવધારા પણ કરશે. એનું ધ્યેય સેવાનું હોઈ તે જે માગે વધારે ઉપયોગી, વધારે અસરકારક અને સર્વોત્કૃષ્ટ પરિણામ જે રીતે લાવી શકનાર નીવડશે તે પ્રમાણે તેની યોજના થશે. આ બાબતને છેવટને નિર્ણય શું થશે તે કહેવું મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ૧૧૫ એ સંસ્થાના સભ્ય સ્ત્રી તથા પુરુષ બને થઈ શકશે. તેઓ કેળવણી આદિ અનેક સેવાસ્થાને ઊભાં કરશે, યોજશે, જમાવશે, ચલાવશે અને ભાષણથી પ્રચારકાર્યથી અને પિતાના દષ્ટાંતથી શ્રી મહાવીર પરમાત્માના સંદેશા જગત પાસે રજૂ કરશે અને નિઃસ્વાર્થ સેવાના જ્વલંત છાત પૂરા પાડશે. આદર્શ સાધુ એ સેવાભાવિ મધ્યમ કક્ષાવાળા આદર્શ સાધુધર્મની પરિપૂર્ણ ભાવના સન્મુખ રાખશે અને સર્વ ત્યાગ થઈ શકશે ત્યારે એ નવયુગને સાધુ થશે. - સાધુ થયા પછી એ કોઈ જાતની ખટપટમાં પડશે નહિ. જ્ઞાન ધ્યાનમાં પિતાને સમય વ્યતિત કરશે. અને આદર્શ આનંદઘન થશે. એ ગમાર્ગને પુનરુદ્ધાર કરશે. એ નકામી વાતે, પારકી પંચાતી, શ્રાવક વર્ગની ગૂંચવણોમાં ભાગ નહિ લે. એ અમુક વાડ બાંધવા કે મારા તારા કરવાનાં કાર્યને સ્વીકારશે નહિ. એનામાં શાંતિનું સામ્રાજ્ય દેખાશે, સહિષ્ણુતાને વેગ દેખાશે અને આત્મબળનું એજ દેખાશે. તે વિના કારણુ બોલશે નહિ, ખાવામાં અતિ મર્યાદિત થઈ જશે અને એનું મને રાજ્ય અતિ વિશાળ ઓજસ્વી અને સ્વવશ થશે. એ આદર્શ સાધુની સ્થિતિએ પહોંચવા પ્રયત્ન કરશે. એ ગચ્છભેદ જેવું કાંઈ માનશે નહિ. એ સત્ય ગમે ત્યાં જોવામાં આવશે ત્યાંથી લેશે. એ સંકુચિતતામાં મિથ્યાત્વ માનશે. ધર્મપ્રચાર, વિશાળક્ષેત્રમાં વિસ્તાર અને નૈસર્ગિક આત્મવિભૂતિમાં સ્વયં તૃત રહેશે અને લોકસત્કારની વિચારણા પણ તેનામાં દેખાશે નહિ અને લોકેષણાનું નામ પણ તેની પાસે જણાશે નહિ. અતિ વિશિષ્ટ ચારિત્ર વહન કરી એ પિતાના દષ્ટાંતથી જગતને સમૃદ્ધ બનાવશે. અવારનવાર ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ નવયુગના જૈન પણ આપશે અને વીતરાગ દશાનું નાનું દૃષ્ટાંત જગતને રજૂ કરશે. આવા આદર્શો સાધુએ અતિ અલ્પ સંખ્યામાં થશે. સેવામ`ડળમાં જોડાનારની સંખ્યા બહુ મોટી ઉત્તરાત્તર થતી જશે. સાધુઓ પ્રત્યેનું વલણ વમાન યુગના સાધુએ પ્રત્યે નવયુગ જુદું જુદું... વલણ લેશે. ચારિત્રભ્રષ્ટ દુકાનદારી ચલાવનારા વૈદુ' કરનારા અને ગેરજી જતિ શ્રીપૂજ્ય આદિ નામ ધારણ કરનારાને એ વિજ્ઞપ્તિ કરી મધ્યમ કક્ષામાં જોડાવાની લાયકાત મેળવવા કહેશે. અને જે તેમ કરવા તૈયાર થશે અને તેને યોગ્ય અભ્યાસાદિ કરશે તેને જૈન સમાજનું સેવા અંગ જાળવવાના કામમાં રોકી દેશે. જે પતિ ગારજી આદિ મધ્યમ કક્ષાના ત્યાગ પણ નહિ બતાવી શકે તેને ગૃહસ્થ થઈ પ્રમાણિક આવક ઉત્પન્ન કરવાનું જણાવવામાં આવશે. ચારિત્ર વગર ધર્મને નામે ભવાઈ । દુકાનદારીને કે ધંધાને સ્થાન નહિ રહે, પણ સમાજના કાઈ વિકૃત થયેલા અંગને કાપીને ફેંકી દેતા પહેલાં તેને જરા ઓછા દરજ્જાની તા પૂરતી આપવામાં આવશે. નવયુગ સમાજને સન્નદ્દબદ્દ કરવાની ચેાજના કરનાર હેાવાથી તેના હાથમાં પ્રત્યેક કક્ષાના માણસના ઉપયોગ થઈ શકે તેમ રહેશે અને તેથી પ્રત્યેકને સમજાવી તેને યોગ્ય કાર્ટીમાં જોડવામાં આવશે. આળસુ, એદી, સુસ્તને સમાજ પર નભવાના હક્ક નહિ રહે, તેની સાથે ખરા સેવાર્થી આત્માથી ભાગ આપનારને નાનાં મોટાં ક્ષેત્રામાં અનેકવિધ કાર્ય કરવાનું મળશે અને તેના બદલામાં સમાજ તેને પાશે, અતિ ઉચ્ચ વિશિષ્ટ ભાગ આપનાર આ સાધુને માટે તે। સદા સ્થાન ખુલ્લું જ રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૧C -- * ખટપટી સાધુઓ પણ જે સાધુઓ માત્ર ખટપટ કરવા ખાતર સાધુવેશમાં ગયા હોય, જે જૈનધર્મને આદેશ સમજ્યા ન હય, જે ખટપટ કરવામાં રસ લેનાર હોય, જે વાડા બાંધવામાં મલકાતા હોય, જે ફિરકાઓને લડાવવામાં ધર્મ સમજતા હય, જેને અસત્ય કે ભળતું બોલવામાં વ્રતને હાનિ અને પદને પતનશીલતા ન લાગતાં હોય, જેને જીવનને આદર્શ જ કાંઈ ન હોય, જે ઉપર ઉપરની વાત કરવામાં ભારે પક્કા હેય પણ જેના જીવનવ્યવહારમાં સરખાઈ ન હેય એવા મોહથી કે દુઃખથી વેશપલટ કરાયેલા સાધુઓને માટે આવતા યુગમાં સ્થાન નહિ રહે. સાધુમાં જ્ઞાન વિશિષ્ટ હોવું કે અલ્પ વધારે હોવું એ એના કબજાની વાત નહિ ગણાય, પણ ચારિત્ર તે મુદ્દામ હોવું જોઈએ એમ નવો યુગ માગશે. અને સાધુમાં સંકુચિત દૃષ્ટિ હેય, અસહિષ્ણુતા હોય, મારાતારાને રાગદ્વેષ હોય, સમાજને છિન્નભિન્ન કરવાની ઉચ્છેદક આવડત હોય તે તેની જાતને ભારે કરે છે એટલું જ નહિ પણ સમાજની પ્રગતિને વર્ષો સુધી અટકાવે છે અથવા પ્રગતિને બદલે પશ્ચાગતિ કરે છે એમ સમાજ માનતે થતું હોવાથી એવા પ્રકારના સાધુને સમાજનું અંગ ગણવામાં નહિ આવે. ગમે તેવી ઓછી આવડત કે ત્યાગવાળે હેય અને કોઈ જાતની કસોટિમાંથી પસાર થયે ન હાય અને સાધુ થવા પહેલાં આદર્શ જીવનની ગંધ પણ ન બતાવી શક્યો હોય તે અમુક વેશ પહેરે માટે સાધુ કહેવાય અને શ્રાવકોએ તેની સર્વ ગ્ય જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ અને તેને નમવું જોઈએ એ જાતની માન્યતા નવયુગ કબૂલ નહિ કરે. એ સાચા આદર્શને નમશે અને તેની ઉપર વારી જશે, પણ ધમાલ, ધામધુમ, બાહ્ય દેખાવ. પ્રચંડવાદ અને ખળભળાટને જરા પણ અવકાશ નહિ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ નવયુગના જૈન સાધુઓની પરીક્ષા આ રીતે જોતાં આખા સાવ મહા પરિવર્તન પામશે એવું જણાય છે. આદર્શ સાધુ નહિ થાય એમ માનવાનું કારણ નથી, પણ ગમે તે સાધુમાં પસાર થાય એ સ્થિતિ નવયુગ કદિ નહિ સ્વીકારે. ભગવાનની આદર્શ વિશાળતા, દૃષ્ટિભેદ છતાં ઐક્ય, નયની અપેક્ષા અને જૈનદર્શનના મૂળ ગુણને વિરાધ દેખાય ત્યાં આખા જૈનધમ ઉડી જાય છે એમ નવયુગ માનશે અને દુનિયાના આદર્શ સ્થાને આવવાને દાવા કરનારને તાળવાનું ધેારણ પણ નવયુગ ઘણું ઊંચું રાખશે, જે ગુણા માર્ગોનુસારી તથા શ્રાવકમાં હોય તે તે સાધુમાં હાવા જ જોઈએ એમ તે આગ્રહપૂર્વક માનશે ( ઘટતા ફેરફાર સાથે), પણ એ ઉપરાંત અંતરંગ ગુણામાં, શાંતિ સામ્રાજ્યમાં, રાગદ્વેષની અલ્પતા દાખવવામાં અને માત્ર ધ્યેય ખાતર જીવન ગાળવાની બાબતમાં મુદ્દામ રીતે સાધુની કસોટિ કરશે અને તેમાં જે લાયક નીવડશે તેને જ સાધુસ્થાનનું પૂજ્યત્વ આદિ પ્રાપ્ત થશે. સાધુઓના એ વિભાગ સાધુના બે વિભાગ પડશે. એક વિભાગ સંસારને સથા ત્યાગ કરી જ્ઞાનમાં મસ્ત રહેશે. એ વિશિષ્ટ તત્ત્વજ્ઞાની થશે. એ શાસ્ત્રના વિશિષ્ઠ સૂત્રે સમાજ પાસે વગર સાચે રજૂ કરશે. એ માત્ર ઉપાશ્રયમાં જ પેાતાની કાÖવાહીને પરિસમાપ્ત નહિ કરે, પણ જગતના ચાકમાં મહાન સત્ય લેખ અને વક્તૃત્વ દ્વારા વિસ્તારશે, એ તત્ત્વજ્ઞાનીમાં સત્યશેાધનની બુદ્ધિ ખૂબ વિસ્તાર પામશે. એને વિજ્ઞાન ( સાયન્સ )નું જ્ઞાન અનેકદેશીય પ્રાપ્ત થશે અને શેાધકમુદ્ધિએ દૃષ્ટિબિન્દુ સમજવા યાગ્ય વિશાળ હૃદય એ દાખવશે. એ અંશ સત્યાને સર્વ સ્થાનથી સંગ્રહશે અને મહાન સત્યાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ સુ સમન્વય કરશે, એ વિધિમાના નિરક ઝઘડામાં પડશે નહિ. પોતાની અનુકૂળતા પ્રમાણે ક્રિયા કરશે અને વિશેષ ધ્યાન જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનપ્રસારમાં રોકશે, એનામાં વિવેચકશક્તિ એટલી ખીલશે કે અત્યાર સુધીના ઝધડાને એ એકદમ પતાવી દેશે, દરેકને યોગ્ય સ્થાન આપશે અને નવીન પ્રશ્ન ઉપસ્થિત થતાં સવ દિશાએ દી નજરથી વિચાર કરશે. એ શિષ્યમાહ કરશે નહિ, દેશ કાળના સૂત્રેાતે માન આપશે અને જૈનદર્શનનાં વિશિષ્ટ તત્ત્વા પ્રેરકભાવે પ્રસરાવશે. એને જ્ઞાનની જિજ્ઞાસા એટલી રહેશે કે એને નિક ઝઘડા કરવાને સમય જ નહિ મળે. એ સવ દર્શનના અભ્યાસી અને ઇતિહાસના જ્ઞાતા હ।ઈ નિર્ણિત બુદ્ધિથી નહિ પણ શેાધકબુદ્ધિથી આગળ વધશે અને એનામાં સરળતા એટલી બધી આવશે કે કેાઈ વાત નહિ સમજાતી હોય તે તેટલા પૂરતી અશક્તિ જાહેર કરતાં એ શરમાશે નહિ. શ્રાદ્ધવની ખટપટથી એ દૂર રહેશે, પણ સમાજનિયમન સંબંધી યોગ્ય સલાહ પેાતાના વિશાળ જ્ઞાનથી આપશે. નાયક થવાના સર્વોત્તમ આદર્શ ગુણે! તેનામાં આવશે અને જે અર્થાંમાં ‘ ગીતા ' શબ્દ જૈન શાસ્ત્રકારે વાપ છે તેને એ ખરાખર સાક કરનાર નીવડી કચવાટ ઉત્પન્ન કર્યાં વગર, બળજોર વાપર્યા વગર, સ્વાભાવિક રીતે સમાજના દારનાર સ્થાનને પ્રાપ્ત કરશે. સંસારથી અલિપ્ત રહ્યા છતાં માનસવિદ્યાના પ્રખર અભ્યાસી હાઈ સમાજની અંદર ભળ્યા સિવાય કે રાગદ્વેષને વિવશ થયા વગર સામાજિક પ્રશ્નાના તાડ ઉતારવાનું ચાતુર્ય તેનામાં આવશે. > ૧૧૯ સાધુને એક બીજો વર્ગ સંસારના સથા ત્યાગ કરી યાગમાં લીન થઈ જશે. એ અવધૂત જેવા થશે. એ વિસરાઈ ગયેલા ચેાગના પુનરુદ્ધાર કરશે, એ સંસાર સાથે કાઈ પણ પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નવયુગને જૈન સંબંધ નહિ રાખે, અવારનવાર વસ્તીમાં આવી એ ખેરાક લઈ જશે, પણ એ જરાયે જિહાસ્વાદુ નહિ હોય. લેકથી દૂર રહી એ ચેતનરામને ધપાવશે. અનેક મુદ્દાઓને એ જમાવશે, મહા તપ કરશે અને સંસાર તરફ જોશે પણ નહિ. એને જોતાં આનંદઘનજી કેવા થયા હશે તેને તે સહજ ખ્યાલ આપશે. એને વસ્ત્રપાત્રની કે વસ્તીની પરવા રહેશે નહિ. એ તે આ વખત અંતરાત્મામાં રમણ કરવામાં જ માનશે અને સંસારથી તદ્દન અલિપ્ત રહી એ કોઈ જાતના વ્યવહારમાં પડશે નહિ. એ ઉપરાંત સંસારના ખરા ત્યાગી પણ સેવાભાવી એવા પણ કેટલાક સાધુઓ થશે, જેઓ તત્ત્વજ્ઞાનીની સહાયમાં રહેશે અને સેવા કરવામાં સાધનેને એકઠાં કરવામાં સમય ગાળશે. સંખ્યા નાની પણ સાધક આ પ્રકારની સામાન્ય પરિસ્થિતિ નવયુગના સાધુની થશે. એની સંખ્યા નાની હશે તે પણ એની આત્મવિભૂતિ તેજસ્વી અને જાજ્વલ્યમાન હોઈ સમાજ એના તરફ પૂજ્યભાવ રેડશે. બાકી ખટપટ કરનારા અને સાધુતાને દુકાનદારી સમજનારાને કઈ સ્થાન નહિ રહે. આખા સમાજને વિના કારણ પગભર રાખનાર વાદવિવાદના ઝઘડા ખડા કરનાર અને સુંઠને ગાંગડે ગાંધી થઈ બેઠેલાને નવયુગમાં સાધુસ્થાન નહિ રહે. જેને સાચું સ્થાન પ્રાપ્ત થશે તે આદર્શ સાધુતા પ્રાપ્ત કરશે અને માત્ર વેશથી ચલાવ્યું જનારને માન કે પોષણ મળવું અશક્ય થઈ પડશે. પ્રકાશને લાભ લેનારી પ્રજા આગળ ગોટા વાળવાથી કાંઈ વળશે નહિ અને ઉપાશ્રયોને ઝઘડાસ્થાન કરનારાઓના કેઈ ભાવ પૂછશે નહિ એટલે એ વર્ગ ધીમે ધીમે ઓસરી જશે અને અંતે આથમી જશે. સાવાભાસનું સ્થાન આદર્શ સાધુઓ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું સાવીએ સાધ્વીને પ્રશ્ન ઉપરના જ ધોરણે પતશે. સાધ્વીનું કાર્ય શ્રાવિકા વર્ગને ઉપદેશ આપવાનું અને તેમને શ્રદ્ધાળુ બનાવવાનું રહેશે. પવિત્ર સાધ્વીઓ જાહેરમાં ભાષણ પણ આપશે અને તેની નૈસર્ગિક છટાથી એ ખૂબ સુંદર પરિણામ નીપજાવી શકશે. એના ભાષણમાં સ્ત્રી અને પુરુષો ભાગ લેશે. ખરું કાર્ય સાધ્વીઓ પવિત્રતાના, સ્વચ્છતાના, સેવાના, સુઘડતાના, જીવરક્ષાના સંદેશા ફેલાવવાનું કરશે. એના આદર્શો વિશુદ્ધ રહી શકશે અને શ્રાવકગૃહ સરકારી ઉન્નત વિશિષ્ટ દિવ્ય કેવી રીતે બને અને કઈ ચાવીઓ દ્વારા આદર્શ ગૃહિણીઓ મારફત ધર્મ, અર્થ અને કામ ત્રણે પરસ્પર અવિરેધપણે સાધી શકાય એની યુક્તિઓ તે બતાવશે. સ્ત્રીવર્ગને સેવાભાવ તે પિષશે અને અનેક પ્રકારે સંસારને ઉજજવળ કરવા છતાં પોતે તદ્દન અલિપ્ત રહી શકશે. એનામાં જ્ઞાનને પ્રકાશ ખૂબ જામશે અને એનું લક્ષ્ય સેવાભાવ તરફ વધારે મક્કમપણે, દઢપણે અને સાપેક્ષ સ્વરૂપે રહેશે. - સાધુઓને તૈયાર કરવાની, મધ્યમ કક્ષા માટે તૈયાર કરવાની અને સાધ્વી યોગ્ય થવાની વિશાળ આકર્ષક પેજના નવયુગ કરશે. એ કટિમાં જે પસાર થાય તેને જ સાધુ કે અન્ય કોઈ પણ વર્ગમાં જોડાવાની પરવાનગી મળી શકશે. સમાજસંરક્ષણ, સંપ્રદાય જ્ઞાનની આવશ્યકતા, બાળપણમાં સંસ્કાર છીપની સુકરતા, વર્તમાન કાયદા અને સમાજનું હિત લક્ષ્યમાં રાખી દીક્ષાની વય નવયુગ મુકરર કરશે અને અસાધારણ સંગમાં વિશિષ્ટ લાભને હેતુ તપાસણીને અંગે પ્રાપ્ત થશે તે તેમાં અપવાદ કરવાને અધિકાર એના સૂત્રધારને કુલ સ્વાધીન રાખશે. એ નિર્ણયમાં સમાજહિત અને દર્શન પ્રગતિના લક્ષ્યો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧રર નવયુગને જૈન રાખવામાં આવશે, પણ શિષ્યમોહ કે ખળભળાટનાં પ્રસંગેને દૂર કરવામાં આવશે. શિષ્યચોરી, દોડાદોડ, દીક્ષા માટે ફેસલામણ, કેટ-દરબાર અથવા ધર્મની ફજેતીના પ્રસંગે નવયુગમાં નહિ બને તેવી સુંદર સમાજરચના કરવાની આવડત નવયુગમાં આવશે. જ્ઞાન અનુભવ અને જરૂરિયાતના અભ્યાસીને સાધુ માર્ગને અવધ કર્યા સિવાય એ બાબતને રસ્તે સંતોષકારક રીતે કરતાં આવડશે. સાધુ અને મધ્યમ કક્ષા માટે અન્ય બાબતે પ્રસંગે પાત આવશે. આપણે હવે ધર્મક્ષેત્રના બીજા પેટા વિભાગ તરફ નજર નાંખીએ. એ વિષય ઘણે વિશાળ હેઈ સર્વગ્રાહી છે તેથી તે પર મુદ્દામ લક્ષ્ય આપીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું મંદિરો અને નવયુગ નવયુગમાં મંદિરની પવિત્રતા અત્યારે જળવાય છે અને મનાય છે તેથી પણ વધારે મનાશે. મંદિરને ધર્મના લાક્ષણિક સ્થાન ગણવામાં આવશે. અત્યારે એક વર્ગ મંદિરને માન નથી તે મંદિરના બાળજીવના અવલંબનસ્થાન, સામાન્ય જ્ઞાનીના આશ્રયસ્થાન અને વિશેષ જ્ઞાનીનાં ધ્યાનસ્થાન તરીકે જોઈ શકશે. અત્યારે જે કચવાટ તેઓમાં એક વર્ગ તરફથી ફેલાવવામાં આવે છે અને મંદિરને અંગે ઝનૂન બતાવવામાં આવે છે તે દૂર થઈ જશે. જેને મંદિરે જવું હોય તે જાય, સાધન તરીકે જે એની ઉપયુક્તતા જાણે માને, સ્વીકારે તે મંદિરે જાય. ન જવું હોય તેને આગ્રહ કરે નહિ, તેની ટીકા કરવી નહિ એ નિયમ સાર્વજનિક થઈ જતાં મંદિરે જનાર અને સ્થાનકવાસી એવા વર્ગો રહેશે નહિ. સાધનને સાધન જેટલી જ અગત્ય અપાશે એટલે વૈમનસ્યનું કારણ નાશ પામી જશે અને ધર્મને નામે જે અપશબ્દપરંપરા અને વરડાના હાલહવાલ થયા છે તે બંધ થઈ જતાં એકી ભાવ વધશે. મંદિરની ભવ્યતા અને પવિત્રતા નવયુગમાં ખૂબ વધશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ નવયુગને જૈન અત્યારે એ લીલામખાનાં થઈ ગયાં છે તે સ્થિતિ દૂર થઈ જશે. મંદિરમાં કોઈ સ્થાને શાંતિ નહિ એ સ્થિતિ બંધ થશે. ખ્રિસ્તી પ્રજાના વિશાળ દેવળ જેવી શાંતિ મંદિરમાં પ્રવર્તશે. બેટી ધામધૂમ અને શાંતિ વગરની પડાપડને બદલે પૂજનને અંતર આશય સમજવામાં આવશે અને મંદિરે ભવ્ય દેવસ્થાન બનશે. મંદિર માટે અનર્ગળ દ્રવ્યસંચય કરવામાં આવશે નહિ. મંદિર નિર્વાહ પૂરતી આવક જેટલું દ્રવ્ય એકઠું થયા પછી વધારાની સર્વ આવક મંદિરે દ્ધાર અને જરૂર હોય તેવાં સ્થાનકે મંદિર સ્થાપવામાં વાપરવાની રીત સ્વીકારવામાં આવશે. મંદિરના વહીવટદારે પિતાને શેઠ નહિ માને, પણ સેવક માનશે. પૂજન અને ધ્યાન મંદિરમાં સ્વચ્છતા ઘણું વધારે થશે. નહાવાનાં સ્થાને વ્યવસ્થિત સુઘડ અને સગવડવાળાં થશે. પૂજનમાં આડંબર કરતાં સાદાઈ આવશે. આંગી અને અલંકારે વીતરાગભાવને વિરોધી લાગશે. પ્રભુ—શરીરને–મૂર્તિને ભગવાનના આદર્શ બનાવવાની રીતિને વધારે વધારે પ્રસાર થતે જશે. વિવેક વગરની અતિ પૂજાઓ જેમાં પુષ્પ ફળ આદિમાં જીવ છે કે નહિ એવી શંકા થઈ જાય તેવો અતિરેક છે થશે. પુષ્પપૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિએ અને વિવેકસર થશે. પુષ્પને કલામના ન થાય તે માટે ઉપયોગ થશે. ટૂંકમાં આસ્થા, પ્રેમ અને ભક્તિ વધશે, પણ દરેકમાં વિવેક દેખાશે. શાંતિ એટલી બધી જળવાશે કે ધ્યાન વિદ્યા કરનાર ઘંટાઓ અમુક આરાત્રિક વખતે જ વગાડવાના નિયમો રચાશે. મંદિરનિર્વાહની ફરજ પ્રજાને માથે પડશે તેને તે અતિ આનંદપૂર્વક વધાવી લેશે. અત્યારે શ્રુતિકટુ સ્વરે ઘીની ઉછામણી થાય છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - ---- ----- - - પ્રકરણ ૧૧ મું ૧૨૫ આખી પ્રથા મૂળથી નાબૂદ થઈ જશે. મંદિર શાંતિનાં સ્થાન થઈ જશે અને વિતરાગ દશા કેવી હોઈ શકે એનાં એ જીવતાં દષ્ટાંતે થઈ પડશે. પૂજન કરનારાઓને માથે તે બેજે કે ફરજ હોય એ ખ્યાલ નહિ થાય, પણ સ્વેચ્છા ઉપર તે બાબત છેડતાં પૂજન મહિમા વધશે અને દેખાવ કરતાં હદયંગત થશે. મહાપૂજાઓ: થશે તે તેમાં તાલબદ્ધતા અને માનસવિઘાને અભ્યાસ જોઈ શકાય તે અભિનવ આકાર તે લેશે. પૂજન કરનારમાં ગંભીરતા ઘણી આવી જશે અને મંદિર એ સ્વર્ગનાં સોપાન છે એવી ભાવના વધવા સાથે એનું સૌનું ગૌરવ વધશે. મંદિરમાં ધ્યાન કેમ થાય, મુદ્રાઓ કેમ થાય, એનાં મૂળ કારણે અને હેતુઓ શાં છે, તેના પર મંદિરની આસપાસના ખુલ્લા ભાગમાં લાક્ષણિક પાઠ આપવામાં આવશે. તે સંબંધી સાહિત્ય ભાષણ અને પુસ્તકપ્રચાર ખૂબ વધતા જશે અને આશાતના આદિના સ્વરૂપે મૂળ મુદ્દાને અનુસરીને સુઘડતા આરોગ્ય અને સ્વચ્છતાના ધેરણ ઉપર એવી સુંદર રીતે મૂકવામાં આવશે કે એ બેજા રૂપ ન લાગતાં જનતા એને માનથી–પ્રેમથી–ગૌરવથી વધાવી લેશે. તીર્થસ્થાને તીર્થસ્થાનેને મહિમા વધશે, પણ તીર્થો ઝઘડાનું રૂ૫ નહિ લે. ત્યાં જે જૈન આવે તે પૂજા કરી શકશે. એણે કયા વિધિ પ્રમાણે પૂજન કરવું તે પ્રત્યેકની ઈચ્છા ઉપર છેડવામાં આવશે અને જનતામાં પરસ્પરની તરફ માન અને સભ્યતાના આદર્શો એટલા વધી જશે કે એકબીજાને કચવાટ ન થાય તેમ રસ્તાઓ કરી લેશે. ઉદારતા જ્યારે વિચારમાર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ નવયુગના જૈન આવે, વિશાળતા જ્યારે પ્રજાના પ્રાણ બને, પાડેાશીનું સન્માન એ સ્વભાવના એક ભાગ જ બની જાય ત્યારે જે પરિસ્થિતિ થવી કલ્પી શકાય તે સ મદિરને અંગે થશે. અત્યારે થાય છે તેવી ધમાલ ન થાય તેને અંગે પૂજન કરનારની સંખ્યા કે અંતરની ભક્તિ ઉપર ખાસ વિચારે। થશે. સંખ્યા વધશે, અંતરને પ્રેમ થશે અને વીતરાગ ભાવનું પોષણ થશે; પણ બાહ્ય દેખાવ ધણા આ થશે અને આદર્શો તદ્દન નવીન માર્ગ લેશે. મંદિર અને તીને અંગે વરઘેાડા નહિવત્ થઈ જશે. વરઘેાડાથી કાઈ અન્ય ધર્મી જૈન થઈ જશે અથવા જૈન ધર્મની પ્રશંસા કરશે એ વાત મનુષ્યસ્વભાવના અભ્યાસી નવયુગને ગળે નહિ ઉતરે. વરઘેાડામાં એ ખાટા દેખાવ વધારે જોશે અને સમાજમાં ન હોય તેવી જાહે।જલાલી ખતાવવાના દંભ તેને અકવ્ય લાગશે. મંદિર કે તીર્થના કાઈ ઝઘડા કદાચ પડી જશે. તેને નિકાલ લવાદીથી લાવવામાં આવશે. દેવદ્રવ્ય કાને કહેવું તેની વ્યાખ્યા . સસંમત કરવામાં આવશે. તેના ઉપયોગ નિયત કરવામાં આવશે. પૂર્વકાળના કાઈ પણ દેવદ્રવ્યને પૂર્વકાળના નિયથી અલગ પ્રકારમાં વાપરવામાં નહિ આવે. નવીન નિય જાહેર કરી તે અનુસાર નવું દ્રવ્ય આવશે તેનેા તત્કાલીન વ્યાખ્યા પ્રમાણે ઉપયાગ કરવાનું ઠરાવવામાં આવશે. દિગમ્બર-શ્વેતાંબરા દિગબર બંધુઓ શ્વેતાંબર મદિરમાં જશે અને નમશે. શ્વેતાંબરા દિગંબર મંદિરમાં જશે અને નમશે. દિગંબરી ધ્યાનસ્થ દશાને પૂજશે, શ્વેતાંબરા સમવસરણુસ્થ દશાને કે રાજદશાને પૂજશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ સુ’ ૧૨૯૦ પણ બન્ને વીતરાગને જ પૂજશે અને વીતરાગપૂજનમાં તે સંપૂર્ણ સ્વતંત્રતા હાવી ધટે — એટલા નૈસર્ગિક વિચારની પ્રરૂપણા અને પ્રચારને અંગે દિગંબર શ્વેતાંબરના આખા સવાલ જ ઉડી જશે અને સ્થાનકવાસી ભાઈ એની સાથે તે સાધનને અંગે ભેદ પડવાનું કારણ જ નહિ રહે. જેતે ઇચ્છા ઇચ્છા થાય તે આવે, વીતરાગને નમે—પૂજે; જેને ન ગમે તે હૃદયમાં ધ્યાન કરે. સાધનધર્મીમાં ઝઘડો કરવા એ તા તદ્દન અલ્પજ્ઞાન ઉપરચોટિયા જ્ઞાનની નિશાની છે એમ નવયુગ તુરત માની લેશે તેને પરિણામે મંદિશ અને તીર્થાં ઝઘડાનાં કેંદ્રો થઈ પડ્યાં છે તેને ખલે શાંતિમંદિશ અને જીવનરસપ્રદ સરિપ્રવાહો બનશે. આદર્શોના પલટા જિનપૂજાને આખા આદ કરી જશે, અને તે મૂળ માને અનુરૂપ, વીતરાગદશાના પ્રતિનિધિરૂપ અને મુમુક્ષુ દશાને શાલે તેવા થશે એમ નવયુગ માનશે. એ મદિરને ઉપરના નિયમ પ્રમાણે વ્યવસ્થિત કરી દઈ જૈનધમ ને અનુરૂપ બનાવવાનું કાર્ય કેળવણી પ્રચાર અને સમજાવટ દ્વારા જેમ બને તેમ જલદી પહેલી તકે નવયુગ કરશે. કાઈ પણ પ્રજામાં કેટલી પ્રગતિ થઈ છે તે તેનાં મંદિશ અને જમણેા બતાવી આપે છે. એવી માન્યતા થવાથી નવા યુગ આ મંદિરના પ્રશ્ન ખાસ જલ્દી હાથ ધરશે. જમણવારને અંગે એ કેવું વલણ લેશે તે અને યાગ્ય સ્થળે વિચાર પર લેવાનુ છે. અત્ર મદિર તીની બાબત પર સામાન્ય ઉષાદન કર્યું. તેની વધારે વિગતા મૂળ મુદ્દાઓ અનુસાર ગોઠવી લેવી. વીતરાગદશા, આદર્શો અને પૂજન દ્વારા અંતિમ ધ્યેય શું છે તે ખાસ લક્ષમાં રાખવાની નવયુગની ઇચ્છા વધારે રહેશે અને તે અનુસાર બાકીની સ` ગોઠવણુ થશે એમ સમજવું. સામાન્ય રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ J ૧૨૮ નવયુગને જૈન કહીએ તે નવયુગ મંદિરને ભક્તિ ઉપાસનાનાં કેંદ્ર બનાવશે, ત્યાં ધામધુમ ઓછી થશે, બાહ્ય દેખાવ અલ્પ થશે અને દુકાનદારી બંધ થશે. મંદિરની પેઢીને “કારખાનું' કહેવામાં આવે છે તે શબ્દ ધ્વનિ અને અર્થમાં નવયુગને આઘાત કરશે અને તેના મૂળ ઉદ્દેશને અનુસરી એ કારખાનાને “પ્રભુસ્થાન” બનાવશે. મૂળ આશય શો છે તે શોધી કાઢી આખી મંદિરની ભાવનામાં જબરદસ્ત ઉત્ક્રાંતિ કરશે અને તેમ કરવામાં તે જૈનદર્શનના રહસ્યને આગળ કરશે. સ્વચ્છતા, સાદાઈ, સભ્યતા અને વિવેક વધશે અને આખું વાતાવરણ વીતરાગ ભાવને પિષક દેખાશે. ઉક્ત સર્વ ફેરફાર જૈન આદર્શની મૂળ આમ્નાય અનુસાર છે એમ નવયુગ માનશે અને પ્રચારકાર્ય દ્વારા, ચર્ચા દ્વારા, ભાષણ દ્વારા એને અનુસરતે લોકમત એ ઘડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું જ્ઞાનસ ઉપાશ્રયમાં અવારનવાર સાધુઓ અને સાધ્વીઓ ઉતરશે. એ ઉપરાંત ઉપાશ્રયને ઉપયોગ ભાષણગ્રહ, જૈનસંસ્કૃતિના કેંદ્રસ્થાન અને કેળવણી ગ્રહ તરીકે થશે. ત્યાં અનેક વિષયો પર જે ભરી ચર્ચાઓ થશે. ત્યાં નવયુગના બાળકે ધાર્મિક શિક્ષણનું જ્ઞાન તદ્દન નવીન પદ્ધતિએ લેશે. ત્યાંથી અનેક મૂળ તો, આદર્શો અને શોધખોળનાં પરિણામ જાહેર થશે. ત્યાં ધર્મધ્યાન કરનારા સામાયિક પૌષધ કરનારને સ્થાન મળશે, પણ નિરૂઘમી, કુથલી કરનારા અને નવરા નકામા માણસોને સ્થાન નહિ મળે. નાના ઉપાશ્રયમાં અને મેટી વિશાળ જગાઓમાં સ્થાનને અનુરૂપ નવયુગીન વ્યવસ્થા ગેઠવણપૂર્વક કરવામાં આવશે. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને શાસ્ત્રના આદેશ પ્રમાણે જ રહેવા દેવામાં આવશે. શેષ કાળે એક માસ અને ચાતુર્માસમાં ચાર મહિનાના કાળ મુકરર રાખવામાં આવશે. અમુક વ્યક્તિ કે શહેર તરફ સાધુ સાધ્વીને પ્રતિબંધ થઈ જાય એવા પ્રસંગે દૂર કરવામાં આવશે. અમુક ઉપાશ્રય એક્કસ સાધુ કે યતિને છે એ વાત અસંભવિત બની જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નવયુગના જૈન દરેક ઉપાશ્રય સાથે નાનુ મેલું પુસ્તકાલય અનિવાય ગણવામાં આવશે. તેનો વહીવટ સેવાભાવી નવયુગના જૈન વગર વૈતને કરશે. નાના મોટા પાયા ઉપર વાચનગૃહ ઉપાશ્રયને અંગે રાખવામાં આવશે. ગામની સ્થિતિ અને ઉદારતા પ્રમાણે પુસ્તકાલયના આકાર વિવિધતા ધારણ કરશે, પુસ્તકાલયા પુસ્તકાલયા ઠામ ઠામ ઉપાશ્રય સાથે અથવા અલગ સ્થાને થશે. એ પુસ્તકાલયેામાં વિવિધ પુસ્તકાના સંગ્રહ કરવામાં આવશે અને તેના લાભ પુસ્તકના સંરક્ષણ અને પુનરાવર્તન માટે ચોકસી કરી સાર્વત્રિક કરવામાં આવશે. પુસ્તકસંગ્રહમાં જ્ઞાનવૃદ્ધિનું કેન્દ્ર સન્મુખ રાખવામાં આવશે. જ્ઞાનના પ્રચાર જેમ વધારે બની આવે તેમ કરવાના પ્રયત્ના વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. પુસ્તકાલયને વિશેષ આકર્ષક કરવા ખાસ પ્રયત્ના કરવામાં આવશે. ધર્મપ્રભાવનાનું રૂપ જ્ઞાનપ્રસારના આકાર ધારણ કરશે. અત્યારે જે પ્રકારે પ્રભાવના કરવામાં આવે છે તેમાં આકષ ણ કરવાનું તત્ત્વ રહેતું ન હેાવાથી અને એકથી વધારે મનેાવિકારને પોષનાર તે અને છે. આવા અભિપ્રાય નવયુગને થવાને પરિણામે એ પ્રકારની પ્રભાવના તદ્દન બંધ કરવામાં આવશે, નવયુગ એમ માનશે કે પ્રભાવનાને બદલે ‘ પરભાવના ' થઈ ગઈ છે, આત્મ વ્યતિરિક્ત પરભાવનું પોષણ થાય છે હાનિકર્તા થવાના આકાર તેણે લીધા છે. આથી પ્રભાવના અંધ ચશે પણ એને બદલે જ્ઞાનપ્રસારના અનેક સા મંડાશે. નાનાં નાનાં પુસ્તાની વહેંચણી, માત અથવા મત જેવી નામની કિંમતે જ્ઞાન પ્રસાર કરવા તેને નવયુગ ધર્મ પ્રભાવના' માનશે અને તેના પેટામાં પુસ્તકાલયા અને વાચનšાના સમાવેશ કરવામાં , એમાં ‘ પર ' એટલે અને મૂળ ઉદ્દેશને . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ - - પ્રકરણ ૧૨મું * * * - V v v v આવશે. ગામેગામ અને શહેરેશહેર આવાં જ્ઞાનસત્ર મંડાય અને નભાવાય તેને માટે ખાસ યોજના નવયુગ કરશે. આ બાબતમાં તે ખૂબ રસ લેશે અને જ્ઞાન પ્રસારને ધર્મનું ખાસ અંગ ગણવામાં આવશે. ભાષણ ધર્મપ્રસાર માટે ભાષણને એક ઉપયોગી સાધન ગણવામાં આવશે. સાધુ મહારાજ જ્ઞાનને પ્રસાર જાહેર સ્થાનોમાં વ્યાખ્યાન આપીને કરશે. તેઓની બોલવાની પદ્ધતિ અને ભાષા અસરકારક અને શૈલી તદ્દન નૂતન રહેશે. એનો વાક્યપ્રયોગ સાહિત્યની ભાષાને અનુરૂપ થશે. મહાવીર કહેતા હવા” એવા વાક્ય પગે બંધ થઈ જશે. ખડી ભાષામાં સર્વને ગ્રાહ્ય થાય તેવી પદ્ધતિએ ધર્મના ઊંડા વિષયો ઉપર પ્રવચને થશે. તત્ત્વચિંતવન, સૃષ્ટિક્રમ, અનાદિત, કર્મને સિદ્ધાંત, નિગદને સિદ્ધાંત, નયપ્રમાણનું જ્ઞાન, વ્રત પચ્ચખાણની વિશિષ્ટતા, દ્રવ્યપૂજન ભાવપૂજન વૈજ્ઞાનિક નજરે, ગૃહસ્થ ધર્મના આદર્શો, સુઘડતા ને ધર્મ સાથે સંબંધ, વિજ્ઞાન અને ધર્મની નજરે અવાજ, પ્રકાશ, વીજળી, ગુરુત્વાકર્ષણ, ધર્મ અને વ્યવહારનો સમન્વય, બાર વતની કુંચીએ, દ્રવ્ય શ્રાવકત્વ અને ભાવ શ્રાવકત્વના આંતરરહસ્ય, સમકિતનું સ્થાન, ગ્રંથભેદનું રહસ્ય, ગુણસ્થાનક્રમારેહ, આઠ દૃષ્ટિઓ, પ્રથમની ચાર દષ્ટિ અને મિથ્યાત્વ, એધ દષ્ટિમાં સંસ્થિતિ, નયપ્રમાણ જ્ઞાનની અભિનવતા, સપ્તભંગીનું સ્વરૂપ, અનેકાંત મત છતાં નિર્ણયની સ્પષ્ટતા, અનેકાંતતાની મર્યાદા, અનેકાંત માર્ગ અને ગણિતનાં સત્ય, વેગને પૂર્વકાળ, યુગમાં પ્રગતિ, ધ્યાનના ભેદ, શૈલેશીકરણની વ્યાપકતા, મેક્ષમાં ચેતનનું વ્યક્તિત્વ, શમ ભાવની વિશિષ્ટતા, સંવેદ અને નિર્વેદના તફાવત, હિંસાહિસાદિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર નવયુગને જૈન રૂ. રૂ. ~~ ~..................~~~ વિશિષ્ટ સ્વરૂપ, કવાની કાર્ષણ્યતા, ઇકિયેની ઉછુંખળતા, વિકથાના આવિર્ભા, જ્ઞાનક્રિયાને સહયોગ, અનુષ્ઠાનની મર્યાદા, આદિ અનેક વિષયો પર પ્રવચન થશે અને તૈયાર થયેલાં પ્રવચન નાની પુસ્તિકાના આકારે ખૂબ વિસ્તાર પામશે. અને આ ભાષણ દ્વારા અને પુસ્તક પ્રચાર દ્વારા ધર્મ પ્રભાવનાના કાર્યમાં સાધુઓ ઉપરાંત ગૃહસ્થ પણ સારી રીતે ભાગ લેશે. પ્રત્યેક વિષય પર વ્યાખ્યાન આપવા પહેલાં તેનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવશે. શોધખોળ, મૂળમાર્ગ અને ઇતિહાસને આશ્રય લઈ દરેક વિષયને ઝળકાવવામાં આવશે અને નિથ પ્રવચનને એના અસલ સનાતન સ્વરૂપે ચીતરવામાં ઉપલબ્ધ સાધનને પૂર ઉપયોગ કરવામાં આવશે અને કેટલાક વિસરાઈ ગયેલા સાંપ્રદાયિક જ્ઞાનની પુનઃપ્રાપ્તિ માટે અનેક દિશાએ ખંતથી, ચીવટથી અને બાંધી દીધેલા નિર્ણય વગર ધકબુદ્ધિએ કામ લેવામાં આવશે અને તેનાં પરિણામ જનતા સમક્ષ પૂરતી સ્વતંત્રતાથી રજૂ કરવામાં આવશે. ભાષણે કરનારામાં મધ્યમ કક્ષાના નવયુવકે સારી રીતે ભાગ લેનારા થશે. એ જેવું અંતરમાં વેદન કરશે તેવું બેલશે. એને દંભ અને દેખાવ સામે વાંધ રહેશે અને પિતાની નિર્બળતાને સ્વીકાર કરવામાં તે તત્પર રહેશે. એ ઉપરાંત જે વાત તે નહિ સમજે તેને સ્વીકાર કરવામાં તે કઈ પ્રકારની હીણપત નહિ માને. ભાષણોને અંગે મેગેફોન, લાઉડસ્પીકર વગેરે નવયુગના સાધનો પૂરતી છૂટથી ઉપયોગ કરવામાં આવશે. નવયુગના ઉપાશ્રયમાં વીજળીના પંખા દાખલ થશે. વાંચવામાં કે બીજી રીતે વીજળીનો પિતાને અંગે ઉપયોગ થઈ શકે કે નહિ તેની વિચારણા માટે સાધુઓ વીજળીને અભ્યાસ કરશે. તે નિર્વધ માલામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨સુ પડશે તે તેને ઉપયાગ સ્વીકારશે, શ્રાવક વીજળી અને ઘીતેલના દીવા વચ્ચે વીજળીને પ્રમાણમાં નિવ`દ્ય ગણી તેને પ્રભુ દ્વાર સુધી મૂળ ગભારામાં પણ દાખલ કરશે અને ભાષણગૃહામાં વીજળીને ઉપયોગ પ્રકાશ અને પવન માટે નવયુગમાં થતા જોશે. ૧૩૪ જ્ઞાનભડારો જ્ઞાનપ્રસારને અંગે જ્ઞાનભંડારાને ખૂબ અગત્ય મળશે. પ્રાચીન ભંડારાને વૈજ્ઞાનિક પદ્ધતિએ જાળવવાના પ્રબંધ થશે અને નવીન ભ’ડારાની સ્થાપના થશે. એના પુસ્તકાની નોંધ નવીન રીતિએ જરૂરી વિસ્તાર સાથે રાખવામાં આવશે અને એવા નિશ્ચિત ભંડારામાં પ્રસિદ્ધ થતા મુદ્રિત મૂળગ્રંથોના સંગ્રહ પણ સામેલ કરવામાં આવશે. પુસ્તકને ઊધઇ ન લાગે, શરદી ન લાગે, પાનાં ચોંટી જાય નહિ અને તેનું આયુષ્ય વધે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરી નિદ્ય સાધનાના ઉપયોગ ચીવટથી કરવામાં આવશે. અત્યાર સુધી અભ્યાસ તરફ જનતાની અલ્પરૂચિને કારણે, રાજ્યતંત્રની અસ્થિરતાને કારણે ગમે તેટલા વારસે ગુમાવી બેઠા છીએ તે વાતના શાચ કરતાં અત્યારનાં ઉપસ્થિત સાધનામાંથી એક પણ ગ્રંથને નાશ નવયુગ થવા દેશે નહિ. વારસા જાળવી રાખશ. અહીં સંક્ષેપમાં એક વાત પ્રસ્તુત હોવાથી કહી દેવી ઉચિત છે. એમ સમજાવવામાં આવે છે કે મુસલમાનના વખતમાં અનેક ભંડારાના રાજ્યવ્યવસ્થાને કારણે નાશ થયેા છે. આ વાત સત્યથી વેગળી છે. એ દુર્વ્યવસ્થાના સમયમાં તે સંરક્ષણવૃત્તિ એટલી મજબૂત હતી કે એક પણ પ્રતિના સથા નાશ થયા નથી. તે વખતના રક્ષકાએ ઠામ ઠામ પ્રતિ કરીને ભંડારમાં રાખી લીધી, એને માટે તાડપત્રા ભાજપત્રા યેજ્યાં અને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪ નવયુગને જૈન * * * ભંડારને નાશ થવાથી અમુક પ્રતિને સર્વથા નાશ થયો નથી એ ટાંકેલા ગ્રંથોના વર્ગીકરણ પરથી જણાય છે. અમુક પ્રત ચાલી ગઈ હશે, પણ તેને સર્વ સ્થાનકેથી નાશ થઈ ગયે એ દાખલો મુસ્લીમ સમયમાં બન્યું નથી. પુસ્તકનો નાશ અલ્પ અભ્યાસથી થયો છે. છેલ્લાં બેસે અઢી વર્ષ એટલાં ઠંડાં ગયાં છે કે તેમાં વિશિષ્ટ ગ્રંથ ઉઘાડવાની પણ કેઈએ દરકાર કરી નથી. વીસમી સદીમાં એક પ્રખર જૈન સાધુએ “સન્મતિતક' વાંચવા માંડ્યું ત્યારે તેમને ખબર પડી કે ઉપાધ્યાય શ્રીમદ્યોવિજયજીએ તે વાંચી તે પર નોંધ લખી બંધ કર્યું ત્યાર પછી બસે વર્ષમાં કેઈએ તે ઉઘાડયું નથી. અભ્યાસની જરૂર ન રહી એટલે પ્રતે શુદ્ધ મળવી અટકી ગઈ અને અભ્યાભ્યાસીએ સમજ્યા વગર જ્યાં ત્યાં હરતાલ લગાવી દીધી. આ હરતાલની કથા પણ ભારે જબરી છે. કહેવાની વાત એ છે કે બહારના ત્રાસ કરતાં આપણું પિતાના પ્રમાદથીબેદરકારીથી આપણે વધારે ગુમાવ્યું છે. એક બીજે પણ પ્રસંગ ભારે શરમાવનારે બને છે. અભિપ્રાયભેદ થાય અથવા ઉત્તર આપવાની આવડત ન હોય તે પુસ્તકને જળચરણ કરવાની ભયંકર કથા સત્તરમા સૈકામાં પ્રવર્તી છે. આ અતિક્રમ પિતાના વર્ગ તરફથી જ થવાને બનાવ અન્યત્ર અલભ્ય છે. આ તે મહાન વિષય છે, પણ અહીં તેને ઇતિહાસની નજરે સ્થાન મળે તેવું નથી. વાત એ છે કે નવયુગ બેદરકારીથી કે વિરોધને કારણે સર્વકાલીન ગ્રંથને નાશ થવા નહિ દે. અવ્યવસ્થિત કવન ઢંગધડા વગરના લેખે તે ઘણા ચાલ્યા જશે. જે પુસ્તકની બીજી આવૃત્તિ થવા યોગ્ય ન હોય તે ગ્રંથ જાળવવાની જરૂર ભાગ્યે જ ગણાય. બાકી જે જાળવવા લાયક પ્રાચીન કે નવીન ગ્રંથ છે તેનું સંરક્ષણ અમૂલ્ય વારસા પેઠે નવયુગ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ મકરણ ૧૨ મું :: ધર્મજ્ઞાનપ્રસારની વ્યવસ્થા ધર્મજ્ઞાનના પ્રસાર માટે ટૂંકામાં નીચેની વ્યવસ્થા નવયુગ કરશેઃ તત્ત્વજ્ઞાનને આકર્ષક ભાષામાં વાંચનમાળાના આકારમાં તૈયાર કરશે. નાના બાળક માટે પાઠ રૂપે, મધ્યમ માટે ભાષણ રૂપે અને વિશેષ રૂચિવાળા માટે ખૂબ વિસ્તારથી ધર્મ સાહિત્ય તૈયાર કરશે. કથા સાહિત્યને સાહિત્યના પાસા સાથે અભિનવ આકર્ષક રૂપે મૂળ કથાઓને ભાવ બગાડ્યા વગર બહાર લાવશે. નીતિ વિભાગ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. માનસારીના ગુણોથી માંડીને ભાવશ્રાવક સુધીના ગુણની દેશકાળાનુરૂપ વ્યાખ્યા આકર્ષક રીતે તૈયાર કરવામાં આવશે. વ્રતનું માહાસ્ય ખૂબ વધારવા માટે આખું નવીન તત્ત્વજ્ઞાન વ્રતની પદ્ધતિ આવશ્યકતા અને વિશિષ્ટતા પર રચાશે. ગુણસ્થાન, દષ્ટિ, વેગ આદિ પ્રત્યેક વિષય પર વૈજ્ઞાનિક પદ્ધતિએ સાહિત્યકેને હાથે નૂતન પદ્ધતિએ ઉલ્લેખે તૈયાર થશે. આત્માનું અસ્તિત્વ, પરભવ, કર્મ, મેક્ષ આદિ શાસ્ત્રીય વિષય વૈજ્ઞાનિક પદ્ધતિએ લખાશે. દર્શન અને જ્ઞાનને અંગે મેટા મોટા નિબંધે તૈયાર થશે અને સમકિતને એના શુદ્ધ સનાતન સ્થાન પર અતિ બારિકાઈથી મૂકવામાં આવશે. નીતિ (Ethics), આત્મશાસ્ત્ર (metaphysics) અને તત્ત્વજ્ઞાનને ( philosophy) અનેક દિશાએ ખૂબ ઝળકાવવામાં આવશે. તે લેકે સમજી શકે તેવી સાદી ભાષામાં અનેક આકારમાં પ્રકટ થશે. નવયુગ જ્ઞાનયુગ થશે અને સર્વ શક્તિ , આવડત અને તર્કને ઉપયોગ જ્ઞાનના પ્રકાશ માટે થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન એમાં સામાજિક સ્વાસ્થ્ય વધે તે દષ્ટિએ અનેક ચર્ચાઓ જાગશે, પ્રશ્ના ઉઠશે, મતભેદ પડશે, પણ તે ફ્લેશ કે વિરાધ કરાવનાર નહિ થાય પણ સત્યશેાધનને માટે થશે. જનતા મૂળમા તરફ વધશે, મૂળ પુસ્તક વાંચશે અને અસલ સાહિત્ય જે નજરે જોવાયું હશે તે પર અનેક પ્રકારે પ્રકાશ પાડશે. જ્ઞાનપ્રકાશ માટે પુસ્તકા, પુસ્તિકાઓ ઉપરાંત ભાષા પણ ભ્રૂણાં થશે અને તે આકર્ષીક નીવડશે. કથાનુયાગના પ્રસાર માટે રસભરી કથા સંગીત સાથે અથ અને આશય સમજાવવાની પદ્ધતિએ જાહેર મેળાવડાઓમાં કરનારા તૈયાર થશે અને તે માટે રચનાઓ, કવિતા અને ગદ્યનું સંમિશ્રણ કરી નવીન સાહિત્ય પદ્ધતિસર ઊભું કરવામાં આવશે. બાળપણથી ધર્મના સંસ્કારા પડે તેવું રસભરપૂર બાળસાહિત્ય ખાસ તૈયાર કરવામાં આવશે અને તેમાં એકદેશીયતા ન આવી જાય, રાષ્ટ્રીય ભાવના વિસ્તૃત થાય અને વિશ્વબંધુત્વ વધે એવી યોજના કરવામાં આવશે. ધાર્મિક જ્ઞાનપ્રસાર માટે આ ઉપરાંત ખીજી અનેક યેાજના કરવામાં આવશે. વીતરાગના સંદેશા ઘેર ઘેર પહોંચતા કરવામાં આવશે. ૧૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું સંગઠન ધર્મના વિષયના પ્રકરણ નીચે સંગઠનની યોજના નવયુગ કેવી રીતે કરશે તે વિચારવાનું સહજ પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી વ્યક્તિગત વાત થઈ હવે ધર્મને અને સમાજને કે સંબંધ રહેશે તે આ શિર્ષક નીચે વિચારવાનું પ્રાપ્ત થાય છે. સર્વથી અગત્યને પ્રશ્ન દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, ફિરકાઓ વચ્ચેના સહકાર-સંગઠનને છે. દિગંબર અને તાંબરે વચ્ચે હજાર વર્ષથી પણ વધારે વખતથી વિરોધ ચાલે છે અને સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વેતાંબરે વચ્ચે બેસે વર્ષથી વિરોધ ચાલે છે. એમાં અગવડ કરનારું તત્ત્વ અરસ્મરસના ભ્રાતૃભાવના અભાવનું છે. લેશ, કડવાશ અને અવ્યવસ્થિત ટીકા એટલી અંગત રૂપ લઈ લે છે કે વર્ષોથી સત્ય શોધન માટે કેઈએ દરકાર કરી નથી કે સર્વને મળતા મુદ્દા ઉપર એકત્ર કરી એક વ્યાસપીઠ (પ્લેટફોર્મ) પર લાવવાને સબળ પ્રયત્ન પણ કેઈએ કર્યો નથી. દુર્ભાગ્યે એ સંબંધમાં જ્યાંથી ઐક્યના ઉપદેશની આશા રખાય ત્યાંથી ભયંકર આક્રમણે ધર્મને નામે થતાં આવ્યાં છે. આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નવયુગને જૈન અંતર દહાડેદિવસે વધતું જ ગયું છે અને ધાર્મિક લાગણીઓ ઝનૂનનું રૂપ લીધું છે. એક જ પિતાના પુત્રો છીએ, એક જ શાસનના સેવક છીએ, એક જ મહાન વૃક્ષની ડાળીએ છીએ – એ ખ્યાલ જ થયો નથી અને ઝઘડાઓએ નવા નવા આકાર એટલા ધારણ કર્યો છે કે એ ઝઘડામાં આપણે જુગના જુગ કાઢી, નાંખ્યા છે અને તેને લઈને ખાસ મહત્ત્વનું કાર્ય આપણે કરી શક્યા નથી. એ ખાસ મહત્ત્વનું કાર્ય જૈન સંખ્યાબળ વધારવાનું છે તે મુદ્દા પર તરતમાં આવશું. ઝઘડાનું મૂળ જોઈએ તે જરા પણ તત્ત્વ વગરનું છે. કોઈ પણ ફરકા વચ્ચે તત્ત્વને ઝઘડો નથી, જીવ, જગત કર્તૃત્વ, મોક્ષ, કર્મ, ન નિક્ષેપ આદિ કોઈ પણ મહત્વની બાબતમાં વધે કે મતભેદ નથી. ત્યારે આ સર્વ કયા કારણે ચાલ્યું? જરા હસવા જેવું લાગે તેવી વાત છે પણ તદ્દન સત્ય છે અને તે એ છે કે તફાવતના મુદ્દા તદ્દન સાદા, સાધનધર્મોને અંગેના અને વસ્તુતઃ દૈવત વગરના છે. દિગંબર શ્વેતાંબરની માન્યતા પર અગાઉ લખાઈ ગયું છે. કેવળીને ભક્તિ કે સ્ત્રીને મુક્તિ એમાં કોઈ મુદ્દો નથી અને આ કાળમાં, આ ક્ષેત્રમાં કોઈને કેવળજ્ઞાન થવાનું નથી, અહીંથી સ્ત્રી કે પુરુષ કેઈમેક્ષ જનાર નથી. ત્યારે ઝઘડા શેના? મૂર્તિ પર આભૂષણ ચડાવવાં કે નહિ, મૂર્તિ ને એની બનાવટમાં હેય તે ઉપરાંત ચક્ષુ ટીલાં લગાડવાં કે નહિ. આ મતભેદ વેતાંબરદિગંબને. એક મોટા કેસમાં એક વિધાન બેરિસ્ટર પાસે આ તફાવતે વિગતથી સ્પષ્ટ કર્યો, તે વખતે તે હસી પડ્યા ત્યારે જૈન કેમ કેટલી શરમાવનારી સ્થિતિએ ઉતરી પડી હતી એ ખ્યાલથી નીચું જોવું પડ્યું હતું. બીજા છેડા તફાવતે છે તે મુદ્દાના નથી, ઉપલકિયા છે અને શાંત પતાવટને આધીન થઈ જાય તેવા છે. અને પતાવટ એ માન્યતાના વિષયમાં ન ચાલે એમ ધારવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૩૯ www . આવે તે બન્ને વર્ગ તિપિતાની માન્યતામાં કાયમ રહે તે તેમાં પણ સંગઠન કરવામાં વધે આવે તેમ નથી. વાત એટલે સુધી છે કે તત્ત્વના ગ્રંથ અને સિદ્ધાંત સામાન્ય છે અને બન્ને પક્ષને માન્ય છે. દિગંબરના ગ્રંથ ઉપર વેતાંબર વિદ્વાનોએ ટીકાઓ રચી છે અને એકબીજાના ગ્રંથેના આધાર લીધા છે. શ્રી ઉમાસ્વાતિ વાચકના “તત્વાર્થધિગમ' સૂત્રને બન્ને વર્ગ માન્ય કરે છે. એ આચાર્ય દિગંબર હતા કે શ્વેતાંબર હતા તે ભાંજગડમાં આપણે નહિ ઉતરીએ, પણ એમાંથી એક રહસ્ય તારવીએ કે તત્વની બાબતમાં બન્ને વચ્ચે મુદ્દાને એક પણ તફાવત નથી. આખા તત્વાર્થમાં નગ્ન પરીષહ કહેવાય કે અચેલક પરીષહ પરીષહ કહેવાય એ સિવાય એક પણ મુદ્દાને તફાવત જોવામાં આવતું નથી. ત્યારે ઝઘડા શેના? અને કેણે અંતરે વધાર્યા જ કર્યો છે? અને જૈન જેવી સમજુ કેમે એ વિષને અત્યાર સુધી કેમ પડ્યું છે? આ પ્રખ્ખો નવયુગને માટે સ્વાભાવિક છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક શ્વેતાંબરે વચ્ચે તે માત્ર મૂર્તિપૂજાની તકરાર છે. એ સાધનધર્મને અંગેને ઉઘાડે પ્રશ્ન છે, તત્ત્વને ને એ પ્રશ્નને લેવાદેવા નથી. છતાં અછાજતી ભાષામાં અરસપરસ ટીકાઓ થઈ છે, પુસ્તકે લખાયાં છે અને ગૃહસ્થના મુખમાં ન શોભે તેવાં કવિને એકબીજાને ઉતારી પાડવા લખાયાં છે અને જળવાયાં છે. આ તફાવત–અંતર તે માત્ર પ્રેમ દ્વારા તરત જીતી શકાય તેમ છે. ખરી રીતે દેત્પાદક ભાષા વાપરી વિષને વધારવામાં સમય, બુદ્ધિ અને સાધનને દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ગામેગામ પ્રેમના ઉમળકાને બદલે ઝેરના પમરાટ પાથર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com માત્ર પ્રેમ વામાં સમય . જરી રીતે છે Page #165 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન આ મેટા તકાવતામાં કાંઈ દમ નથી. નવયુગ એકત્ર મળી એના સપાટાબંધ નિકાલ કરી નાખો. દિગંબર ભાઈ આ પેાતાના મદિરામાં સાદાઈ વધારે રાખશે, શ્વેતાંબરા એ સાદાઈનું ઓછુંવત્તું અનુકરણ કરશે અને નવયુગમાં પરસ્પર એકબીજાનાં મંદિશમાં છૂટથી જશે અને ભક્તિમાં ભાગ લેશે. ભગવાનની ભક્તિ ગમે તે પ્રકારે કરવામાં આવશે તે જોઈ પ્રકારને કારણે દ્વેષ બંધ થઈ જશે અને કાઈ તીર્થોમાં અમાનુષી દેખાવે, ચક્ષુ ઉતારવા ચઢાવવાના થાય છે એ સર્વ પ્રબંધ અટકી જશે. એક વખત પ્રેમ અને વિશ્વાસ ઉત્પન્ન થયા એટલે સ ગૂંચવણના રસ્તા નીકળશે અને એવા રસ્તાઓ કાઢવાની આવડત નવયુગમાં આવશે. આ બન્ને ફીરકાઓ વચ્ચે પ્રેમ થશે અને સંગઠન થઈ શ્રી વીરના સંદેશા જગતભરમાં પહોંચાડવા બન્ને ફીરકાઓ હાથેાહાથ મીલાવશે. તેમને લાગશે કે આપણે ખૂબ નકામા લડ્યા, નિરÖક શક્તિ વાપરી અને ધન, બુદ્ધિ અને તકના દુરુપયોગ કર્યાં. એના જ સદુપયાગ કરીને બન્નેનું સાષ્ય સાધશે. આ કાર્ય પહેલી તકે થશે અને તેમાં આડે આવનાર ઉપદેશક પંડિત વર્ગની વીતરાગ ૧૪૦ કરવામાં નવયુગ ધર્મ માનશે, અને કતવ્યનું ઉદ્ઘાટન દ્વાર માનશે. ઉલટી સલાહની ઉપેક્ષા ભાવની વાનગી માનશે મૂર્તિપૂજક અને સ્થાનકવાસીને। તફાવત તા તે પ્રેમ, આદર અને વિવેકની પાસે બહુ અલ્પ પ્રયાસે પતી જશે. નવયુગ દરેકને ઇચ્છાનુસાર મૂર્તિપૂજા કરવા ન કરવાની છૂટ આપશે અને આગ્રહ દૂર થયા એટલે રસ્તે સરળ દેખાય છે. આ ત્રણે ફીરકાઓના પૂજ્ય પુરુષ એક જ છે, આ ફીરકાને ઇતિહાસ એક જ છે, જ્ઞાનની મહત્તા સ`સ્વીકારે છે, કષાયનું ત્યાજ્યપણું સવ માને છે અને સેકડા બાબતમાં, હજારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૪૧ બાબતોમાં એક જ જાતની માન્યતાવાળા છે. એક મુદ્દા ઉપર મતભેદ થયે તેથી બાપે માર્યા જેવા વૈરની ઉત્પત્તિ કેમ થઈ હશે અને તેને કઈ સમજણથી પિષણ મળ્યું હશે તે વાત પણ નવયુગના ગ્રાહ્યમાં નહિ આવે અને આ સંગઠન નવયુગ પહેલી તકે કરશે. એમ કરવામાં તેમને અડચણ પડશે તે દૂર કરવાની આવડત, ધીરજ અને શક્તિ નવયુગ પિતાના જ્ઞાનપ્રકાશથી સુવ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરશે. પરિણામે ગામેગામના સ્થાનકવાસી મૂર્તિપૂજકના ભવાડા અને કહેતાંબર દિગંબરના પ્રિવિકાઉન્સિલ સુધીના ફજેતા અટકી જશે અને જનતાને એક બાપના દીકરાઓ લડે તેનું નાટક જેવાનું બંધ થશે. આ ઝઘડા બંધ થયા પછી નવયુગે કરવાનું કાર્ય આગળ વિચારવાનું છે, પણ તે પહેલાં અંદર અંદરના ગચ્છના અને પેટા ગચ્છના ઝઘડાનું સંગઠન અથવા તે ઝઘડાને નિકાલ કેવી રીતે થશે તે જરા જોઈ જઈએ. નવયુગ એ ઝઘડાઓને તપાસી હસશે. એને એમ થશે કે આવી સામાન્ય બાબત માં વિર્ય વ્યય શા માટે કરવામાં આવ્યું હશે ? એ ઝઘડાને ઇતિહાસ તપાસી એને સમન્વય કરશે અને તે કેવી રીતે કરશે તેની રૂપરેખા શરૂઆતમાં વિગતવાર બતાવી છે. એ દરેકને પિતાની માન્યતા પ્રમાણે વર્તવા છૂટ આપશે. તમે વાર્ષિક પ્રતિક્રમણ કરી વૈરવિરોધ શમા એ મુદ્દો છે, પણ એથે કરે કે પાંચમે કરે એમાં કોઈ મુદ્દો નથી, એ ઝઘડામાં કાંઈ વિચારવા જેવું પણ નથી. એવી જ રીતે ચાર થઈ બેસવાથી કે ત્રણ જ બોલાવાથી મેક્ષ નજીક કે દૂર થઈ જાય છે એમ માનવાની નવયુગ જોરશોરથી ના પાડશે. આ પ્રમાણે નાના મોટા પ્રત્યેક મતફેર માટે સમજવું. એ સર્વ વિરે ક્રિયાવાદના છે, સાધનધર્મના છે અને વિશાળ વીતરાગ દષ્ટિએ અકર્તવ્ય છે; આવો અભિપ્રાય બુદ્ધિશાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન નવયુગને થશે, અરસ્પર વર્ષો સુધી લડ્યા અને શક્તિને દુરુપયોગ કર્યો તે માટે અંતરવેદનાથી પરસ્પર ક્ષમાપન કરશે અને પ્રત્યેકને ક્રિયામાર્ગને અંગે તેની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ આપી એક એવારે પાણી પીશે, એક મૂળ પુરુષના નામને જયવનિ કરશે અને એક વ્યાસપીઠ પર બેસી શાંતિ અને અહિંસાના, તપ અને સંયમના, શ્રમણ દશાના અને શ્રાદ્ધ દશાના સંદેશાઓ જગતને પહોંચાડી “શિવમસ્તુ સર્વ જગત , પરહિતનિરતા ભવંતુ ભૂતગણા ; દષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લોકાઃ' એ સૂત્રને સાક્ષાત્કાર કરાવવા મિત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થનું જગતને પાન કરાવશે. સંગઠનનાં પરિણામ (૧) આખી જેન કેમનું અંદર અંદર સંગઠન કર્યો પછી નવયુગ બેસી નહિ રહે. એ સંગઠનને મજબૂત કરવા એક નિયમાવલિ ઘડશે. પ્રત્યેક તિપિતાના ફીરકાને આધીન રહે અથવા અરસ્પરસ ગમે ત્યાં જાય છે તેની બુદ્ધિ પર રાખવામાં આવશે. નિયમાવલિમાં શિસ્ત માટે વ્યવસ્થા રાખવામાં આવશે. ભવિષ્યમાં શક્ય લાગતાં વૈમનસ્યના પ્રસંગો માટે અગમચેતી વાપરી વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ મતભેદના પ્રસંગોમાં લવાદીને ઉપયોગ કરવાનું ઠરાવવામાં આવશે અને આખી યોજના વ્યવહારુ અને વ્યવસ્થિત ગોઠવવામાં આવશે. સંગઠન કાયમ રહે તે માટે પૂરતી ચીવટ અને સંઘર્ષણના શક્ય પ્રસંગેના નિવારણ માટે ખૂબ બુદ્ધિવ્યય કરવામાં આવશે. હૃદયને પ્રેમ દિવસાનુદિવસ વધતો જશે અને ભૂતકાળમાં કંકાસથી કેટલું નુકસાન થયું છે તેના દાખલાઓ સામે રહેવાથી અનિષ્ટ પ્રસંગે કદાચ આવી પડશે તે વાત્સલ્યભાવે, બંધુભાવે, સમાજહિતની નજરે તેને પ્રતિકાર કરવામાં આવશે. આવી રીતે ફિરકાઓ અને ગો વચ્ચેના સંગઠનને વાંધો ન આવે અને કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સુ ખટપટ કરનારા તેમાં ફાવી જાય તેવું ન કરવાનું કાર્ય એ સંગઠનનુ પ્રથમ પરિણામ. તેની આગાહી એટલે કે સગઠન કાયમ રહેવાના રસ્તાઓની શોધ અને તેને ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા એ તેને કાયમ કરવામાં ખાસ સહાયભૂત થશે. સ ́ગઠન ધર્માંના પ્રાણ છે એમ ગણવામાં આવશે અને તેની પવિત્રતા સાર્વત્રિક થઈ જાય તેમ વ્યવસ્થા કરવામાં આવશે. થાય ૧૩ (૨) સંગઠનનું બીજું પરિણામ જૈનેતરને જૈન બનાવવાનું થશે. તે વિષય વધારે વિસ્તારવાળા હાઈ નીચે જુદા શિર્ષીક નીચે ચર્ચો છે, એ વિષયને ઘણી મહત્તા આપવામાં આવશે. સંઘમળના ઉપયાગ (૩) સંગઠનનું ત્રીજું પરિણામ સંધબળને કાયમ કરવાનું થશે. સંધબળ માત્ર ધાર્મિક બાબતને અંગે જ ઉપયુક્ત થશે. ધ ક્ષેત્રમાં સન્નદ્દબદ્ધ થઈ સ` જૈન તરફ અંધુભાવ વધે તેવી યેાજના થશે, પણ તેમ કરવામાં જાતીય ભાવના વધે અથવા રાષ્ટ્રીય ભાવનાને વિરાધ થાય તેવું એક પણ પગલું ભરવામાં નહિ આવે. વાત એ છે કે ધર્મના વિષય જ તદ્દન અલગ કરી દેવામાં આવશે. એમાં તત્ત્વજ્ઞાન અને મનુષ્યાના આંતર જીવનના પ્રશ્ના એવી રીતે ગુંથાઈ જશે કે એને રાષ્ટ્રધર્મ સાથે સંધ‰ન થવાના પ્રસંગ જ નહિ આવે, નવયુગ પોતાના બુદ્ધિબળ અને જ્ઞાનશક્તિને ઉપયાગ એવી રીતે કરશે કે એ દેખીતી અશક્ય લાગતી બાબત સિદ્ધ કરવા હામ ભીડશે અને તે પ્રયત્નમાં તે સમાજના સહકારથી મમ ફતેહ મેળવી શકશે. સંગઠનના ઉપયોગ કાઈને કચરવા માટે નહિ થાય, પણ ધાર્મિક પ્રગતિ એના વિશાળ અર્થમાં સિદ્ધ કરવા સતત પ્રયત્ન અનેક દિશાએ ચાલુ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ઉપરના નિર્ણય પ્રમાણે કઈ પણ વ્યક્તિને સંઘ બહાર કરવાનું ઉચ્છેદક પગલું સંગઠન લેશે નહિ. એ સજાને એ દેહાંતદંડની સજા સરખી ગણશે અને જૈનની વિશાળ દયામાં દેહાંતદંડને સ્થાન હેાય જ નહિ એમ નવયુગને તેમના વખતની ધર્મની માન્યતા શીખવશે. એને રચનાત્મક કાર્ય કરવાનું હોઈ એ સંધબળ–સંગઠનબળ નબળું થાય એ એક પણ માર્ગ સ્વીકારશે નહિ. આ તેમના નિર્ણયમાં સંઘબહાર કરવાનું કાર્ય આવી જશે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે કઈ ખરેખર ધર્મને નુકસાન કરવાને ગુને કરે તે શું કરશે? અલબત સાંસારિક ગુના ખાતર, ધનવાનને વિરોધ કરનારને અંગે અથવા ધર્મ સંબંધી શંકા કરનાર કે પ્રશ્ન કરનારને તે સંઘ બહાર કરવાની ઘેલછા નવયુગ નહિ જ કરે એ સમજી શકાય તેવી વાત છે અને તે બાબતને અત્યંત શરમીંદગી ભરેલ ઇતિહાસ વધારે નહિ જ લંબાવે. દા. ત. કેઈ નવયુગની નવી સંહિતા રચે, પૂર્વકાળમાં વિકારે સાહિત્યને અંગે બતાવે કે વચ્ચેના મધ્યકાળમાં ખૂબ અંધકાર વ્યાખ્યો હતો એવું ઇતિહાસથી બતાવે તે તેને સંઘબહાર કરવાની ખલના નવયુગ નહિ જ કરે. પણ, પણ......... પછી કાંઈ રહેતું જ નથી. ધર્મને સમજવામાં આવે તે તેને ગુને અશક્ય છે. ઉપદેશ, સમજાવટને ધર્મમાં સ્થાન જરૂર છે, મતઐક્ય કરવાનું કાર્ય પ્રશસ્ય છે, પણ મિથ્યાત્વ જેવા ગાઢ અંધકારમાં જનતાને મેટો ભાગ વ્યાપ્ત છે. તેને પણ સંઘબહાર મૂકવાની કદિ કલ્પના કરવામાં આવી નથી તે પછી કયા ગુના બદલ સંઘબહાર કરાય? એક આચાર્યને વિચાર પ્રચલિત પ્રવૃત્તિ જોઈ સર્વ સાહિત્ય સંસ્કૃતમાં લખવાનું થાય, અત્યારે કોઈને સૂનાં ભાષાંતરે કરવાનું મન થઈ આવે તેને સંઘબહાર કરવાને ઇતિહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું કાળે છે, પ્રાચીન તરફ માનની હાનિ ન થાય તેવી નરમ ભાષામાં નવયુગ એ આખી પદ્ધતિ સામે સખ્ત બળ કરશે અને નવવિચારકને ફાંસીની સજા થાય તેમાં જૈનદર્શનના મૂળ મુદ્દાને ક્ષતિ અને પ્રગતિને પ્રત્યક્ષ વિરોધ જોશે. આખા જૈનશાસનનું બંધારણ તપાસી તેની સમાચારી અને તત્ત્વના મુદ્દા જતાં નવયુગ કઈ પણ પ્રાણુને તરવાનો માર્ગ છીનવી લેવાનું ધર્મસિદ્ધાન્તના મૂળ મુદ્દાને અને તેના અંતર આશયને પ્રતિકૂળ માનશે. ટૂંકામાં સંધબહારની સજા કોઈને થઈ શકે નહિ એવો નિર્ણય બહુ ચર્ચાને પરિણામે નવયુગ કરશે અને તે નિર્ણય સશાસ્ત્ર છે એમ બતાવવા માટે આધારે રજૂ કરશે. સંગઠનને પરિણામે માત્ર મંદિર વેતાંબર દિગંબરનાં અલગ રહેશે, પણ તેમાં ઘુરકાધુરકી જેવું કાંઈ નહિ થાય. પરસ્પર પ્રેમ જળવાઈ રહે તે રીતે અરસ્પર એકબીજાના મંદિરમાં મહાપૂજાદિ પ્રસંગે પ્રેમપૂર્વક જવાઆવવાનું થશે અને બંધુભાવે મંદિરો પડખોપડખ રહેશે. એકબીજાનાં મંદિરને મસીદ અને મંદિર જેવાં માનવામાં નહિ આવે અને ધર્મના નામે આંખો વઢતી આળસી જશે. આ સિવાય (મંદિર સિવાય) સર્વ જૈન સંસ્થાઓ સર્વ જૈનને માટે ખુલ્લી થશે. નવયુગની કોઈ પણ સંસ્થા શ્વેતાંબર કે દિગંબર નામ નીચે ચલાવવામાં નહિ આવે. જૈન એટલે જૈન એક જ અર્થ થશે અને સર્વ ભેદભાવ વગર વિલંબે તૂટી જશે. નિર્વેર સાહિત્યની રચના સાહિત્ય અરસ્પરસ ફિરકાનું હશે તે ખુશીથી વાંચવામાં આવશે. નવીન સાહિત્ય તત્ત્વજ્ઞાન અને નીતિ વિષયક ખૂબ નીકળશે અને તે સર્વ સામાન્ય થઈ પડશે. માત્ર માન્યતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન બાબત આવશે તે નીચે નોટમાં તફાવત ગૃહસ્થને યોગ્ય ભાષામાં બતાવવામાં આવશે. દાખલા તરીકે દેવકની વાત ચાલતી હશે, લેખક શ્વેતાંબર હશે તે ઉપર બાર લેકનું વર્ણન કરશે ત્યારે નીચે નેટમાં લખશે કે દિગંબર બંધુઓ સોળ દેવલોક માને છે. ગુણવ્રત શિક્ષાવ્રતની વાત લખશે તે કહેશે કે શ્વેતાંબર જેને ગુણવ્રત કહે છે તેને દિગંબર વિદ્વાને શિક્ષાવ્રત કહે છે અને વેતાંબરે જેને શિક્ષાત્રત કહે છે તેને દિગંબર બંધુઓ ગુણવ્રત કહે છે. વતે એકનાં એક જ છે, માત્ર છ સાત આઠના સમુચ્ચયને એક અમુક અપેક્ષાએ ગુણવ્રત કહે છે, બીજા તે જ વ્રતને શિક્ષાત્રત કહે છે. એ જ પ્રમાણે નવ દશ અગિયાર અને બારમા વ્રત માટે સમજવું. આ પદ્ધતિએ કામ લેવામાં આવશે. પૂર્વકાળનું સર્વ સાહિત્ય જળવાશે અને પરસ્પરને પ્રેમ વધતો જશે. કેટલાક નિંદાગ્રંથે પરસ્પર ફિરકાને અંગે લખાયેલા છે અને ગઓને અંગે તથા નાની મોટી માન્યતાને અંગે લખાયા છે તેમાં શિષ્ટ શૈલી પણ જળવાણી નથી. એવા ગ્રંથે કોઈ છપાવશે કે પ્રસારશે નહિ એટલે સ્વયં તેને નાશ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું જૈન સંખ્યાબળ સંગઠન શબ્દની સાથે શુદ્ધિ શબ્દ ગૂંથાઈ ગયા છે. નવયુગ “શુદ્ધિ” શબ્દ નહિ વાપરે. એ શબ્દ વાયડે થઈ જવાને કારણે અને બીજા અનેક કારણોને લઈને એ શબ્દનો ઉપયોગ નહિ થાય. એ વટલાવવાને શબ્દ પણ વાપરશે નહિ. એ કદાચ “ધર્માન્તર’ શબ્દ વાપરશે, પણ આપણે તે સંગઠનના પરિણામ તરીકે જૈન સંખ્યાબળને જ વિચાર કરશું. સંગઠનના વિચાર દ્વારા નવયુગ પ્રથમ જૈનોની અંદર અંદર ઐક્ય કરવાની વાત કરશે. એ ગચ્છના ભેદને ભાંગી નાંખશે, સંઘાડાના ભેદે તેડીને ફેંકી દેશે અને ઉપર વર્ણવેલી રીતે સનાતન જૈનત્વને પ્રસાર કરશે. શિસ્ત ખાતર અમુક ગુરુના ચેલા કે વર્ગ પડશે પણ અંદર અંદર સહચાર, મેળ અને પ્રેમ અસાધારણ વધશે એટલે આંતરે તૂટી જશે. ત્યાર બાદ ફરકા ફીરકા વચ્ચેની એક્તા સાધશે. અહીં દિગંબરે કે વેતાંબર પિતાની માન્યતા પ્રમાણે ક્રિયા-માન્યતા કરે એવી છૂટ રહેશે, પણ આપણે સર્વ મહાવીર પિતાના પુત્રો છીએ અને ભગવાનના રકા માતા પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવયુગને જૈન સમવસરણમાં વૈર વિરોધ ન હોય તે ન્યાયે સર્વ વિધિ ટળી જશે અને કઈ કચવાટનું કારણ રહેશે તે તેને અંદર અંદર પ્રેમભરી ચર્ચાથી નિકાલ લાવશે અને ખાસ જરૂર જણાશે ત્યાં છેવટે લવાદીથી નિકાલ લાવશે. કે દરબાર સર્વ બંધ થઈ જશે. સ્થાનક્વાસી ભાઈઓમાં જેને ફાવે તે મંદિરે જાય, ન મરછમાં આવે તે આત્મસાધન કરે. એમાં પરસ્પર પ્રેમ એ છે ન થાય એવી તો ચિંતવના કરવામાં આવશે. આ અંદર અંદરની એકતા થતા એક વ્યાસપીઠ પર સર્વ જૈને આવશે. ત્યાં સર્વથી પહેલું ધ્યાન સંખ્યાબળ ઉપર જશે, તેઓને એમ લાગશે કે છેલ્લાં સેંકડે વર્ષથી આપણે અંદર અંદર લડી પરસ્પરને હૃાસ કર્યો છે. રત્નપ્રભસૂરિએ લા ક્ષત્રિયને જૈન બનાવ્યા અને હેમચંદ્રાચાર્યે અનેક બ્રાહ્મણોને ભોજક-પૂજક બનાવ્યા. ત્યાર પછી મોટા પાયા ઉપર જૈન ધર્મને પ્રેમથી સ્વીકાર કરાવવાનાં પગલાં પદ્ધતિસર લેવાયાં નથી એમ તેમને લાગશે. ઇતિહાસની આરસીમાં તેમને દેખાશે કે કુમારપાળથી શ્રી હીરવિજયસૂરિ સુધી જે જૈન કેમની ગણના ઓછામાં ઓછી બે કરોડની હતી તેની સંખ્યા બાર લાખ આસપાસ આવી પડી અને પ્રત્યેક ગણતરીમાં હિંદની વસ્તી વધતી જાય છે ત્યારે આપણે વીસ લાખથી ઘટીને ૪૦ વર્ષમાં બાર લાખે આવી પહોંચ્યા તેનું કારણ શું? આ ભડકામણ આંકડા જ સંગઠન કરવામાં સહાયભૂત થશે. પણ પછી જે વિચારણું થશે તે ખાસ અગત્યની છે. જૈનેને માટે એ મરણજીવનને પ્રશ્ન છે અને એના વ્યવસ્થિત નિકાલમાં એના દીર્ધદષ્ટિપણાનું મૂલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૪૯ સંખ્યા ઘટવાનાં કારણે પ્રથમ સંખ્યા ઘટવાનાં કારણે તપાસશે. ત્યાં નીચેનાં કારણે નવયુગની નજરમાં મુખ્ય લાગશે. સંગઠનને અભાવ. લગ્ન સંસ્થાના પ્રશ્નને નિકાલ કરવાની બિનઆવડત. એકતા ખીલવવાને બદલે પ્રતિસ્પર્ધીત્વનો ખ્યાલ. વર્તુળના કેદ્ર થવાની પ્રત્યેકની ભાવના. વિશાળ પ્રશ્ન વિચારવાને, જીરવવાને, ઉકેલવાને જોઈએ તેટલી વિચારશક્તિ, છનાવટ અને દીર્ધદર્શિતાને અભાવ. આ પ્રશ્નની વિચારણામાં પ્રાચીને તરફ ગૌરવ નહિ જળવાય, અને તેઓ (નવયુગ) ખુલ્લી રીતે કહેશે કે જે પ્રાચીને એ વારસો ગુમાવ્યો છે અથવા સદંતર ગુમાવવાની અણી પર મૂકી દીધો છે તેને જે પ્રકારનું ઘટે તેટલું જ અને તે પ્રકારનું જ સન્માન અપાય. અંદર અંદરની લડતમાં પચી રહેલા પૂર્વજોને કેમ કે ધર્મનું નિઃસંતાન થઈ જાય તેની કેદી પરવા હતી! આવા આવા વિચારે તે બતાવશે. દાખલાદલીલ તેઓ દાખલા દલીલથી બતાવશે કે અમદાવાદ અને આણંદ વચ્ચે ૨૫૦૦૦થી વધારે પાટીદારે જૈન હતા. ૪૦ વર્ષમાં હવે તે ઘટીને હજાર બે હજાર આસપાસ આવી ગયા છે. તેનું કારણ સમાજે કઈ દિવસ વિચાર્યું હતું? તપાસ કરશે તે જણાશે કે દીકરાદીકરીના વેવિશાળ લગ્ન ક્યાં કરવાં તેની અગવડે ઘણાં ઘરે જૈન મટી ગયાં. આવી વાત કરશે ત્યારે પ્રાચીને કહેશે કે તે તેઓની આસ્થા–શ્રદ્ધા પાકી નહિ. જ્યાં તત્ત્વજ્ઞાન લગાડવાનું હોય ત્યાં ન લગાડે, પણ વ્યવહારનાં કૂટ પ્રશ્નોમાં તેને દુરૂપયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ નવયુગના જૈન થાય તે પ્રકારનું ! યુક્તિશાસ્ત્ર જેનામાં એટલું ચાલે છે કે તમે પદ્ધતિસર દલીલ કરી શકે જ નહિ, એક વ તા લાકડી લઈને ખેડા જ છે કે નવયુગ જે ખેાલે તે સ ખરાબ, માટે વ, માટે અક વ્ય. એ દલીલની કિંમત નહિ કરે, પણ ખેાલનાર કાણુ છે તે ઉપર જ ફેસલા કરશે, નવયુગ આ વર્ષાંતે બેસાડી દેશે. એ કહેશે કે સ'સારમાં રહેનારને તે! ધર્મ, અર્થ અને કામ ત્રણે સાધવાનાં છે તેથી તમારે લગ્ન અને ભાજનના પ્રશ્નના નિકાલ કરવા જ પડશે. શ્રીમાન હેમચદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં સેકડા મોઢ જૈન હતા. એમણે અનેક પ્રતિષ્ઠા કરાવ્યાના શિલાલેખો મેજીદ છે. આખી કામ જૈન મટી ગઈ તેના યશ (?) સંધવ્યવસ્થા કરનારને ઘરે. આખી કપાળ કામ જૈન હતી એમ આજે કાઈ તે કહેવામાં આવે । માનશે પણ નહિ. છતાં તે ઐતિહાસિક સત્ય છે. એ કેમ થયું? પેારવાડ દશા અને વીસા કુલ જૈન હતા, આજે તેને ખાર આની ભાગ જૈન મટી ગયા. કારણે। વિચારવાની, તપાસવાની કે તે પર કમિશન બેસાડવાની ફુરસદ મળી છે? અને વ્યવસ્થા (?) તા એટલી હદ સુધી કરી છે કે લાડવા શ્રીમાળીને જૈનધમ પાળતાં સેંકડા વર્ષ થયાં, છતાં એક કલ્પિત કિંવદન્તીને આધારે તેમની સાથે ભેજન વ્યવહાર નહિ, તેમને નવકારશીમાં નેતરું નહિ, તેમની વ્યવસ્થિત દલીલને। સભ્યતા ભરેલા જવા" પણ નહિ, તેમણે ગમે તેટલાં મદિશ સ્થાપન કર્યાં હાય, પ્રતિષ્ઠા કરી હાય, પણ પ્રાચીનેાની ગણતરીમાં તે જૈન નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ સુ કચ્છી દશા ઓશવાળ સાથેનું વન । નવયુગને ભારે અસહ્ય લાગશે. તે અનેક મદિર બાંધે. સેકડા વર્ષોથી જૈન ધર્મો પાળે અને અનેક ક્રિયા અનુષ્ઠાન કરે, છતાં તેમને નવકારશીમાં નાતરું તે। નહિ, પણ તે જમણ આપે તેનેા સ્વીકાર કરવાની પણ ના ! ૧૫૧ પ્રાચીનાએ સે'કડા ભાવસાર કુટુંાને હીન માની અલગ જમાડ્યા, તેમણે પાંચા અને નીમા વાણિયા પૂરા જૈન હાવા છતાં તેમની દરકાર કરી નહિ, લુહાણા ધાંચા સાચા જૈન હોવા છતાં તેમને પંક્તિમાં જમાડ્યા નહિ. આવી તો અનેક ક કથાઓ છે. આવી વ્યવસ્થા થઈ હોય ત્યાં મોટા ભાગ જૈન મટી અજૈન થઈ જાય, આખી કામેાની કામેાને ગુમાવી ખેસાય તેમાં જરા પણ નવાઈ જેવું નથી. જાણે જૈનને પરભવ સાથે જ સંબંધ હોય અને આ ભવમાં ા તેણે જૈન થવું હાય કે રહેવું હેાય તેા લગ્નની કે ભેાજનવ્યવહારની વાત પણ વિચારવી ન ઘટે એવી નિવેદ દૃષ્ટિની વાત કરતાં વ્યવહારુ જૈના તદ્દન અવ્યવહારુ બની ગયા, અને બાપની પૂછ જાળવતાં ન આવડી એટલે વારસા ઉત્તરાત્તર ગુમાવતા ગયા; એવા ફૈસલા તેમને માટે નવયુગ આપશે. નવયુગને લાગશે કે આવા વિચિત્ર સચાગામાં મોટી સંખ્યા જૈન મટી જાય તેમાં નવાઈ જેવું કાંઇ નથી. નવાઈ તે આવા વિપરીત સ`ચેાગા અને અંદર અંદરની કાપાકાપી હોવા છતાં બાર લાખ જૈના છૂટાવાયા પણ રહી ગયા છે એ જ છે! કારણકે જે રીતે શાસન ચાલ્યું છે તે રીતે તે એટલી સંખ્યા પણ રહેવી ન ઘટે એવી નિર્ધાતક રીતે આખી દુર્વ્યવસ્થા કરવામાં આવી છે. એના અંદર અંદરના અર્થ વગરના ઝધડા જોયા હોય કે એના સંધના મેળાવડા જોયા હાય તા એ કામ કેટલી નીચી હદે ઉતરી ગઈ છે. એના જરા ખ્યાલ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન ------- આ સર્વ બાબતને ઉપાય નવયુગ પૂર્ણ મજબૂતીથી કરશે, પ્રાચીનોને ખળભળાવી નાંખે તેવા પાકા પાયા ઉપર કામ લેશે અને તેને અંગે કેવા ધોરણે કામ લેશે તે આ ઉલ્લેખમાં સ્પષ્ટ કરવાનું અહીં પ્રયોજન પ્રાપ્ત થાય છે. નવયુગ પ્રાચીનોને શું કહેશે? નવયુગ પ્રાચીનને ખુલ્લા શબ્દોમાં કહેશે કે વ્યવહાર ચલાવવા માટે તમારે સમસ્ત જૈન શ્રાદ્ધ વર્ગ માટે જરૂરી નિયમ કરી આપવાની આવશ્યકતા હતી. તમે માત્ર એમ જ સમજ્યા લાગે છે કે જૈન થયે એટલે એણે લગ્નાદિ વ્યવહારની દરકાર જ કરવી ન જોઈએ. એ ઊંચી કક્ષાની વાતને તમે સામાન્ય ચાલુ વ્યવહાર સાથે જોડી નાંખી. તમે આ નિયમ ન ઘડવામાં મનુષ્યસ્વભાવને અભ્યાસ ન કરવાનું પરિણામ બતાવ્યું. બીજું તમે એક મુદ્દાની વાત વીસરી ગયા. જૈન એ બંધુસમાજ છે. જે કઈ સમ્યકત્વને સ્વીકારે છે તે સ્વધર્મી બંધું. તેનું વ્યાવહારિક વાત્સલ્ય કરવું ઘટે. આ પરમાત્માના ઉપદેશને તમે તદ્દન ભૂલી ગયા. તમે સ્વામીવાત્સલ્ય એટલે લાડવા કે જમણવાર જ સમજ્યા. આ સંબંધમાં શાસ્ત્ર શું કહે છે તે બતાવવા કદી તસ્દી લીધી છે? તમારો વ્યવહાર, તમારું વતન શાસ્ત્રના ઉપદેશથી તદ્દન વિરુદ્ધ હતું. તમે ચાલુ વ્યવહારમાં સ્વામીવાત્સલ્યને અર્થ સમજ્યા નથી અને એને ઉપયોગ તમારા કોઈ પણ વ્યવહારમાં તમે કેવાં ગોથાં ખાધાં છે તે બતાવે છે. ત્રીજું–નવયુગ કહેશે કે વર્ણાશ્રમની વિરુદ્ધ સખત વાંધો જૈન ધર્મને છે. એને આખો ઇતિહાસ વર્ણને તોડનાર છે. એમાં મહાવીર પરમાત્માના ગંર્ભસંક્રમણમાં મહાન રહસ્ય છે એ પ્રાચીન સમજ્યા નહિ. જે જૈને એક બંધુભાવે રહેવા જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ = ; પ્રકરણ ૧૪મું ૧૫ તે હિંદુઓથી પણ વધારે વર્ણને સ્વીકાર કરી રહ્યા, પાર વગરના પેટભેદ ઉપભેદેમાં વહેંચાઈ ગયા અને આ જૈન શાસનને ત્રિકલાબાધિત મુદ્દો સમજ્યા નહિ, પરિણામે જૈનમાં બંધભાવ જાગે નહિ. શ્રીમાળી, ઓશવાળ, પિરવાડમાં વળી અર્થ વગરના દશાવીશાના ભેદ, પ્રાંતના ભેદ અને વાણિયા સિવાય અન્યને સ્વીકાર કરતાં આંચકે. ભજનવ્યવહારમાં પંક્તિભેદ. આ સર્વ જૈન ધર્મના અસલ પાયાના મુદ્દાને હાનિ કરનાર અને સ્પષ્ટ રીતે કહેતાં, જે અધાર્મિક રીતિ જૈનને આંગણે દાખલ કરવામાં આવી તેને પરિણામે જૈન સંઘભાવનાનાં મૂળ સડી ગયાં. માત્ર દેવદર્શન-પૂજા માટે સંધ અને બાકી સર્વત્ર અરાજકતા, એટલું જ નહિ પણ અન્યત્ર જૈનેતરના વટહુકમને આશ્રય કરે પડે એવી તદ્દન અકુદરતી સ્થિતિને સ્વીકાર કરવો પડ્યો. આને પરિણામે બંધુભાવ ન જામે એટલું જ નહિ, પણ કેટલેક પ્રસંગે તે જૈનને અજૈનના મોટા સમૂહ સાથે કન્યાવ્યવહાર કરવાનું હોઈ તેમની સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ પડી. દીકરીને અભ્યાસ જરા જરા કરાવ્યું હોય ત્યાં તે તેને અજૈનને આપવી પડે. ત્યાં તેને તિરસ્કાર થતે જોઈ અંતે માબાપ થાક્યા અને આ મુદ્દામ કારણે જૈનને છાંયડે ધીમે ધીમે મૂકી બે ત્રણ પેઢીએ અજૈન બની ગયા. ઉપદેશક સર્વત્ર પહોંચી શક્યા નહિ એ પણ સંખ્યાહાનિનું એક મુદ્દામ કારણ છે, પણ પ્રબળ કારણ લગ્નસંસ્થાની ઉપેક્ષા કરવાનું અને બંધુભાવને અમલ ન કરવાનું જ છે એને આખો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ ઉપરાંત જ્ઞાતિમંડળની અવ્યવસ્થિત હાલત, જ્ઞાતિના આગેવાને પક્ષપાત, તેઓની કેંદ્રસ્થ થવાની વૃત્તિ અને વિશાળતાને ખ્યાલ કરવા કરતાં પિતાનાં ઘર કે કુટુંબીઓમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નવયુગને જૈન નજર કરવાની સાંકડી વૃત્તિને પરિણામે જે કેમ ધર્મબળે એક થવી જોઈએ તે છિન્નભિન્ન થઈ ગઈ અને શેઠિયાઓના ત્રાસથી, દીકરીઓના કલ્પાંતથી અને ઉપદેશકના અભાવથી આખી કેમ અથવા તેને મોટા ભાગ જેનેતર થઈ ગયે. આ સર્વ ઇતિહાસની બાબત છે, તેના દાખલા મેજુદ છે અને તેની વિગતે ત્રાસ ઉપજાવે તેવી ભયંકર છે. નવયુગ બતાવશે કે તમે કઈ જ્ઞાતિના સાજનામાં ગયા છે, ત્યાં જે પદ્ધતિએ કામ લેવાય છે તે નિહાળ્યું હોય તે કઈ સ્વમાની માણસ એમાં ચાલુ રહેવા ઇચ્છે નહિ એટલા બધા ત્યાં ગડબડગોટા છે. આ સર્વ અજૈન દશા ફેલાવાને પરિણામે બંધુભાવ ખીલી શક્યો નહિ અને માત્ર દેવદર્શન કે પૂજાને સંબંધ કેટલે વખત ચાલે? એ ઉપરાંત એવા ત્રાસને ભોગ થઈ પડેલા જેનેની ચાલુ અરજીઓ ઉપર ધ્યાન અપાયું નહિ અને તમે ઇરાદાપૂર્વક જૈનેને અર્જન થવા દીધા છે અને કપાળે હાથ મૂકી અજૈન થનારનાં કર્મોને દેષ કાવ્યો છે. વ્યક્તિગત ધર્મ ઉપરાંત સમાજનાં બંધને, જરૂરિયાત અને નિયમનને તમને અભ્યાસ નથી, તમને એ વિષય પર રૂચિ પણ નથી થઈ અને આખી પ્રણાલિકાને તમે તેડી કેડી મચડી નાખી છે. થોડા મુદ્દાના સવાલ તમે એક વાતનો ખુલાસો આપી શકશે? થોડા મુદ્દાના સવાલ નવયુગ કરશેઃ - દશાવીશાને ભેદ ક્યાંથી ઉભળે? એને કાંઈ અર્થ છે? એની જરૂરિયાત છે ? એને ઉપયોગ છે? એ કઈ શેઠિયાના મગજના ફાંટામાંથી ઉો હશે અને પછી તે આગુ સે ચલી આતી હૈ. તમે કાંઈ ખુલાસે આપી શકે તેમ છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪મું ૧૫૫ પ્રાંત પ્રાંતના તફાવતને આ રેલવે, તાર, ટેલીફેન, મેટરના યુગમાં કાંઈ અર્થ છે? છતાં એ કાળના જરીપુરાણા તફાવતો તમે શા માટે ચલાવી રાખ્યા છે? જે જૈને એક પંક્તિએ જમી શકે તે કન્યાવ્યવહાર શા માટે ન કરી શકે એનું શાસ્ત્રસંમત કાંઈ કારણ બતાવશો? જૈનમાં જ્ઞાતિભેદ હોઈ શકે? જૈન થાય તે સર્વને પ્રભુમંદિર ખુલ્લાં હોય તે સંઘજમણ કેમ ખુલ્લાં ન હોય? અન્ય કામનું એક સૂત્ર છે “ધર્મથી રૂઢિ બળવાન છે.” ધર્મા ઢી વસ્થિતી આ સૂત્ર તમારે માન્ય છે? તમે અધાર્મિક રૂઢી અને ધર્મ સિદ્ધાંત વચ્ચે વિરોધ હોય તે કોને માન આપો? ખૂબ વિચારીને જવાબ આપશે. ગૂંચવણમાં પાડી નાખે એવો આ સવાલ છે. ખાસ વિચાર કરજે, બન્ને જવાબમાં તમે જોખમમાં છે તે ખૂબ વિચારજો અને જવાબ આપતી વખતે તમે જૈન છે એ વાત જરા પણ વિસરતા નહિ. આ આખા ઈતિહાસને ખૂબ લંબાવી શકાય તેમ છે, નવયુગ પાસે પુરાણપ્રિય મિત્રોને અનેક રીતે શરમમાં નાખે તેવા પાર વગરના પ્રસંગે છે. આપણે અહીં અટકી જઈએ. નાની નાની કેમેએ ધર્મને નામે વેપાર કર્યો છે, પ્રતિસ્પર્ધી પણના તત્ત્વને ખૂબ અવકાશ આપ્યો છે અને જૈનસમષ્ટિ શરીરને પ્રત્યેક યુગે આઘાત પહોંચાડ્યો છે. એ કરુણકથા બંધ કરીએ. નવયુગ એક સપાટે આ સર્વ પ્રત્યવાય તેડી નાખશે. કોઈ પણ જૈન તે પિતાનો બંધુ અને વ્યવહાર કરવા યોગ્ય. એ વિશા દશાના ભેદ, નાની નાની ન્યાતના ભેદે તે પ્રથમ ઝપાટે કાપી નાખશે અને પ્રાંત પ્રાંતના ભેદને પી જશે. એના વિરૂદ્ધ ઉકળાટ તે ક્યારે શરૂ થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન w w w 4 '' , " જા - પ્રથમ વાણિયા–વણિક સર્વ કન્યાવ્યવહાર કરી શકે તે ફેરફાર નવયુગ તરત કરશે. એક બે વર્ષમાં ત્યાર પછી કઈ પણ જૈન સાથે કન્યાવ્યવહાર કરશે. એ જ્ઞાતિમાં માનશે જ નહિ. આ ન યુગ જ્ઞાતિસંસ્થાને ફેંકી દેશે. એ વર્તમાન યુગમાં બિલકુલ અર્થ વગરની, પ્રગતિને અડચણ કરનારી અને સમાજશરીરને વલોવનારી માલુમ પડશે. અવ્યવસ્થાના–ભયત્રાસના સમયમાં એ સંસ્થાને કદાચ સહજ પણ ઉપયોગ હશે એમ સ્વીકાર્યા વગર દલીલ ખાતર કદાચ માનશે, પણ અત્યારના યુગમાં તે એ નિરર્થક નુકસાનકારક છે એમ સમજી એને એક સપાટે રદ કરશે. આ રીતે પ્રાંત પ્રાંતના, જ્ઞાતિ જ્ઞાતિના, દશા વીશાના–એ સર્વ તફાવતે ઉડી જશે અને જૈન સંઘભાવનાબંધુત્વ ખીલશે. તે બંધુત્વ પણ જે સમાજવાદને અનુરૂપ થઈ શકશે અને રાષ્ટ્રીય ભાવનાની વિરૂદ્ધ નહિ જાય તે જ એ બંધુભાવ પણ ટકશે. આ પ્રશ્ન જુદે છે તે આગળ ચર્ચવામાં આવશે. મુદ્દાની વાત એ છે કે જ્ઞાતિભેદો ટકી શકશે નહિ, જ્ઞાતિના શેઠિયાઓની પટેલાઈ ઊડી જશે અને જરા કુંફાડા મારશે, પણ એમનું કાંઈ વળશે નહિ. આ રીતે જૈનેની સંખ્યા ટૂંકી થવામાં જે મૂળ મુદ્દામસરને વધે હતા તે દૂર થઈ જશે. કન્યાવ્યવહારનું ક્ષેત્ર ઘણું વધી જશે. આ મુદ્દા પર વ્યાવહારિક સ્થિતિની વિચારણું નવયુગ કેવી રીતે કરશે તે સંબંધી આગળ વિગતવાર વિચારણા કરવાની છે. સંખ્યા વધારવા વ્યવસ્થિત પ્રયત્ન આ ઉપરાંત જૈન સંખ્યાબળ વધારવા માટે વ્યવસ્થિત પ્રયત્ન થશે. નવયુગ તે કાર્ય કેવી રીતે કરશે તેની આ રૂપરેખાઃ સર્વથી પ્રથમ આગમ ગ્રંથના સ્પષ્ટ, સીધાં અને સરળ ભાષાંતર હિંદી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી વગેરે ભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૫૭ કરશે. એમાં પણ તત્ત્વના ગ્રંથ ઉપર ખાસ ભાર મૂકી તેને અગ્રસ્થાન આપવામાં આવશે. એ દરેક આગમ ગ્રંથના ભાષ્ય ચૂણિ નિર્યક્તિને પ્રગટ કરવામાં આવશે અને ટીકાઓ ઉપર દેશકાળની કેટલી અસર થઈ છે તે નોંધ દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે. પ્રત્યેક આગમ ગ્રંથ કોણે અને ક્યારે બનાવ્યું તેને ઇતિહાસ શોધવામાં આવશે અને પ્રચલિત માન્યતા કે સંપ્રદાય પર આધાર ન રાખતાં અત્યંતર પુરાવા ઉપર ખાસ લક્ષ્ય રાખવામાં આવશે અને જે પરિણામે સ્પષ્ટ જણાશે તે સત્યશોધનની નજરે નિર્ભયપણે પ્રકટ કરવામાં આવશે. ન્યાયના ગ્રંથ ઉપર વિસ્તારપૂર્વક ભાષાંતરે અને ચર્ચાઓ પ્રકટ કરવામાં આવશે. મૂળ ગ્રંથે અને તે પર સંસ્કારી ને પ્રકટ કરવામાં આવશે. કેઈ ગ્રંથ વાંચવાનો અમુક વર્ગનો ઈજારે હોઈ શકે એ મતને દૂર કરવામાં આવશે. એ વિચારણું બતાવવાનું મૂળ શોધવામાં આવશે અને તેમાં જ્ઞાન અને ચારિત્રની કેવી ગૂંચવણ કરી નાંખવામાં આવી છે તે બતાવવામાં આવશે. ભગવાનની વાણી કે ગણધરની ગૂંથણી જે સાંભળી શકે તે વાંચી પણ શકે એવી માન્યતા થશે અને મૂળ ગ્રંથે–આગમ તરફ પ્રીતિ વધે તે માટે ખાસ યત્ન થશે. એ ઉપરાંત કર્મ, નિગેદ, નયનિક્ષેપ, પ્રમાણ આદિ જુદા જુદા મુદ્દા પર, નવ તત્ત્વ પર, સપ્તભંગી પર ખૂબ વિસ્તારથી તેમજ પ્રાથમિક લે, પુસ્તકે, પુસ્તિકાઓ અને ચર્ચાઓ અનેક ભાષામાં પ્રકટ કરવામાં આવશે. અનેકાંત મતને અનેક દૃષ્ટિએ બહાર લાવવામાં આવશે. એની યુક્તિમત્તા, એનું દેશકાળને અનુરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન સ્વરૂપ, એની ન્યાય—તર્ક પર આખી રચના, ભાષણ, લેખ અને અન્ય પ્રસંગા સાધી જનતા પાસે રજૂ કરવામાં આવશે. છેદત્રા જેવા ગ્રંથે ચર્ચાપૂર્વકની તેાંધા સાથે જાહેર પાસે વિસ્તાર રૂપમાં અને સંક્ષેપ રૂપમાં રજૂ કરવામાં આવશે. જૈનશાસ્ત્ર એ ઉધાડુ શાસ્ત્ર છે, સ જનગ્રાહી વિશ્વામુખ શાસ્ત્ર છે અને એના જે ઉપયાગ કરે તેને અહીં અને આગળ લાભ કરનાર છે એ વાત સ્પષ્ટ કરવામાં આવશે. ૧૫૮ ખાસ કરીને આખા જૈન શાસનમાં પરસ્પર વિરાધ થાય તેવું એકે સૂત્ર નથી, એમાંથી દ્વૈત પણ નીકળે અને અદ્વૈત પણ નીકળે એવી એક પણ અચોક્કસ વાત જૈનના મૂળ ગ્રંથામાંથી નીકળે તેમ નથી, એ બતાવવામાં આવશે અને પછી જે મતભેદ થયા છે તે ક્રિયાવાદને અંગે કે સાધનધર્માંના અંગે જ થયા છે, પણ આત્મા, તેનું અનાદિવ, સૃષ્ટિકર્તૃત્વ, ચેતનના મેાક્ષ—માક્ષની સ્થિતિ આદિ અંતિમ મહા પ્રશ્નેને અંગે જરા પણ મતભેદ થયે નથી કે આખા શાસનમાં એને અંગે અરાજકતા થઈ નથી એ બતાવશે. જૈન ધર્મ સંબંધી થયેલી ગેરસમજુતીઓ અનેક પ્રમાણેાથી દૂર કરવામાં આવશે. એનું મૂળ સ્વરૂપ કેવું છે, એને ઇતિહાસ કેટલા પુરાણા છે અને એને વેદ સાથે સંબંધ કેવા પ્રકારના છે, ઔને અને એને ક્યાં સામ્ય અને પરસ્પરના સંબંધ છે એ સંબંધી અનેક પુરાવા સિદ્દ હસ્તે રજૂ કરવામાં આવશે, આક્રમણની ભાષા, ભાંગતાડ કરવાની વિવાદ વૃત્તિ અને તુમ્બંગાળીપ્રદાન જેવા અથવા અદગ્ધ શબ્દપ્રયોગ રદ કરવામાં આવશે અને રચનાત્મક પદ્ધતિએ, પ્રતિપાદક શૈલીએ, સમજાવટની રીતે સત્યશેાધનને માગે અને હાય તેટલું જ બતાવવાની રીતે લેખન અને ભાષણ દ્વારા ધ`પ્રસાર કરવામાં આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪મું ન્યાયનીતિના સિદ્ધાંતા, ગૃહસ્થ ધર્માં, સમ્યકત્વના સ્વરૂપ, વ્રત નિયમની આવશ્યકતા, શિસ્તની જરૂરિયાત, ગુણસ્થાન ક્રમાાહ, દિષ્ટ અને યાગનાં અંગા તે વિસ્તારથી લેખન-ભાષણ દ્વારા લેાકેા સમજી શકે તેવી રીતે દાખલા દલીલે। સાથે રજૂ કરવામાં આવશે. ૧૫: ધર્મ પરિષદો, કાન્ફરન્સ આદિ અનેક જાહેર પ્રસંગોમાં જૈન દર્શનનું આંતરિક સ્વરૂપ રજૂ કરી એ દર્શન ન્યાય (લેાજીક) ની કસોટિમાંથી પસાર થઇ શકે તેવું અને વર્તમાન જરૂરિયાતને સર્વ પ્રકારે પહેાંચી વળે તેવું અને છતાં વ્યવહારુ અને ત્યાગી એકી સાથે રહી શકે તેવું છે—તે ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવશે. એ ઉપરાંત રાસાદિના વાચનથી, રચનાત્મક ચર્ચાઓથી, જાતજાતનાં દૃષ્ટાંતાથી અને આદર્શ સાધુજીવનના મહાત્યાગથી એ દનસ રૂચિકર થાય તેવા અનેક માર્ગો લેવામાં આવશે અને ક્રિયામાને બદલે તત્ત્વરૂચિને મુખ્યતા આપીને, ધામધુમ અને ધમાધમને બદલે શાંત આદત્યાગના દાખલાઓથી અને વીતરાગને આદર્શ સસંમત જ હાઈ શકે એના નિષ્પક્ષપાત આલેખનથી સંખ્યાબળ અનેક દિશાએ વધારી મૂકવામાં આવશે. આ કાર્ય કરવામાં મધ્યમ કક્ષાના સેવાભાવી સારું કામ કરશે, સાધુવ દુનિયાદારીમાં નહિ પડતાં આદત્યાગ રજૂ કરશે અને આદર્શોધ મા એની અનેક દિશાએ રજૂ કરશે. આવા અનેક દિશાના પ્રયાગાથી સંખ્યાબળ વધશે. ખાસ પ્રયાગ તા સમાજવાદ, વિશ્વવાદ અને મૈત્રીને જૈનના મુદ્દાને અનુકૂળ બતાવવાના કરવામાં આવશે. શિયા જેવી ધ પરામુખ સ્થિતિ આપણે ત્યાં શક્ય જ નથી અને આપણે જો દુનિયાને કાઈ મોટા ખરે। અને સ્થાયી લાભ કરી આપી શકીએ તેમ હોય તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬. નવયુગને જૈન ધર્મ જ છે એમ બતાવી મનુષ્યની સર્વ ભાવના ધર્મમય થઈ જાય એ બતાવવામાં આવશે. દુનિયાની અત્યારે જે ગૂંચવણભરી હાલત થઈ પડી છે તેને નિકાલ જૈનના આદર્શો કરી આપશે. એના અહિંસાના સૂત્રથી જગતની લડાઈ જશે, એના બ્રહ્મચર્યના આદર્શથી સંતતિનિયમન થશે, એના સાદાઈના આદર્શથી અર્થશાસ્ત્રની મૂંઝવણ દૂર થશે, એના કર્મના આદર્શ સિદ્ધાન્તથી આપઘાતના પ્રસંગો દૂર થશે, એનાં પાંચ અણુવ્રતોથી ચેરી, લૂંટ, ખૂન, છેતરપીંડી, વિશ્વાસઘાત, બળાત્કાર આદિ મહાન ગુનાઓ દૂર થશે અને સમાજને સુવ્યવસ્થિત, સુઘટ અને પરસ્પર પ્રેમમય કરવાનું માન જૈનદર્શન ખાટી જશે. આ પ્રત્યેક મુદ્દાથી જગત પર શી અસર થશે તે પર અત્ર વિવેચન સ્થળસંકેચથી થઈ શકે તેમ નથી પણ ટૂંકામાં એક મહાન વ્યક્તિ નીકળશે અને તે દુનિયાને એ આદર્શો બતાવી શાંતિ, પ્રેમ અને ઉચ્ચ જીવનની ચાવીઓ બતાવશે. કંટાળેલી, ત્રાસ પામેલી, મુંઝાઈ ગયેલી દુનિયા એ આદર્શો ઝીલશે. આવું કાર્ય અત્યારે એક વ્યક્તિ કરી રહી છે તેના કાર્યને નવયુગ વધારશે, વિસ્તારશે અને એને ઉચ્ચતર કક્ષાપર મૂકશે. પરિણામે નામધારી જૈન સંખ્યા વધે કે ન વધે તે વાત બાજુ ઉપર રાખતાં જૈન વાતાવરણ વિશ્વમાં પ્રસરશે અને એ જીવન જીવવાની ભાવના સર્વને નહિ તે દુનિયાના મોટા ભાગને થશે. છેલ્લા દશ વર્ષમાં જૈન ભાવના કેટલી વધી છે તેથી અહિંસા, ત્યાગ, સાદાઈ અને સેવાભાવ કેટલા વધ્યા છે તે બતાવી નવયુગ એ અધૂરા રહેલા કાર્યને અનેક દિશાએથી બહલાવશે અને શ્રી વીર પરમાત્માને ઝુડે જગતભરમાં ફરકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું નવયુગમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા નવયુગમાં ધર્મક્ષેત્રને અંગે સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકાની શી સ્થિતિ રહેશે તેનું સંક્ષિપ્ત નિવેદન નવયુગ નીચે પ્રમાણે રજૂ કરે છે: સાધુ: બે પ્રકાર નવયુગને સાધુ: એના બે પ્રકાર રહેશે. એક આત્મસાક્ષાત્કાર કરવા પાછળ લાગેલા યેગી જેવા. તેનું નામ આત્મપરિણતિમત અને તેને પરિચય જંગલ સાથે વિશેષ. તે આહાર માટે વસ્તીમાં આવશે, પણ જનતા સાથે તે બહુ અલ્પ સંબંધ રાખશે. એની આસપાસ શાંતિનું વાતાવરણ જામશે અને તે બહુધા મૌન રહેશે. પ્રસંગે ઉપદેશ આપશે તે આત્મજ્ઞાન સંબંધી. એને અંતરાત્મા સાથે વધારે સંબંધ રહેશે. એ યોગને પુનરુદ્ધાર કરશે, પિતાના તપ અને ત્યાગના દષ્ટાંતથી જગતને પવિત્ર કરશે અને આશ્ચર્યચકિત કરશે. એને ધૂન ધ્યાનની, જપની, અંતરલયની લાગશે અને દુનિયાની નજરે તે અવધૂત જણાશે. આવા પ્રકારના સાધુ વિરલ થશે, પણ થશે ખરા. થશે ત્યારે જનતાને ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નવયુગના જૈન છાપ પાડી જશે. એ જગતની પરવા ન કરનારા, આત્મારામમાં રમનારા અને સાધ્યને અનુલક્ષીને પેાતાને ફાવે તેવા કાર્યક્રમ કરનારા થશે. એ ક્રિયાઅનુષ્ઠાન પણ અમુક વખતે મનમાં આવે તેમ કરશે,એનું ચારિત્ર-વન અતિ વિશિષ્ટ અને એને જોતાં નવી પરસ્થિતિના ઉમળકા આવે એવી એની નિઃસ્પૃહતા થશે. આ વ આનંદશ્ર્વન જેવા યાગીને મળતા આવશે. સાધુઓના ખીજો વર્ગ તત્ત્વજ્ઞાની થશે. એ પરિપૂર્ણ વૈરાગ્યવાન, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બતાવનાર, સંસારથી પરાર્મુખ, તત્ત્વજ્ઞાનના અભ્યાસી, વિશિષ્ટ વ્યાખ્યાતા અને જનતા પર છાપ પાડનાર થશે. એને અભ્યાસ શાસ્ત્રના ગ્રંથા ઉપરાંત વિજ્ઞાન ઇતિહાસ અને બીજા અનેક વિષયામાં હશે. તે બહુશ્રુત થશે, ગીતા હાઈ ધુરા વહન કરવા સમર્થ થશે. અને રચનાત્મક રીતે સમાજને ચલાવતાં આવડશે. એ સામાજિક કાર્યોમાં સલાહ આપવાનું કામ કરશે, શાસનને અંગે સાધુને અધ્યયન કરાવશે અને અનેક શેાધખાળ પ્રેરશે, કરશે અને ઉપદેશ રૂપે વ્યાખ્યાને ભાષા જાહેરમાં આપશે. એનેા આદા અતિ વિશાળ રહેશે. એ જેન દર્શનનું વિશાળ સ્વરૂપ સમજશે, અને સમજશે તેવું જનતાને બતાવશે. એ તદ્દન નિરીહ નિરાભિમાની અને મનોવિકાર પર વિજય કરવા તત્પર, જિતેંદ્રિય અને તપ ત્યાગના આદા થશે. શ્રી વીરપરમાત્માના સંદેશા જગતભરમાં પહેાંચાડવાનું પોતાનું કવ્યુ તે સમજશે અને સનાતન શુદ્દે જૈનત્વના આશયા શેાધી કાઢી અધિકાર પ્રમાણે સને યાજશે. એ સેવાભાવી થશે અને સેવાભાવ અનેક પ્રકારે આચરવાનો જૈન આદર્શ તે વ્યક્ત કરી બતાવશે. એક’ચનકામિનીના સથા બરાબર ત્યાગી બનશે. એ ગૃહરથને આધીન કદી નહિ થાય. એને પોતાનું વર્તુળ જમાવવાની ભાવના નહિ થાય. એનામાં ખટપટ દ ભ કે વિલાસનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું નામ નહિ હોય. ક્રિયાજ્ઞાનને સહયોગ કરશે અને માત્ર ક્રિયાયિ થઈ નહિ જાય. અહિંસાને આદર્શ જગતને સમજાવી વૈવિધ જેમ બને તેમ અલ્પ કરાવશે અને શાસનના ડંકા દિગંતમાં વગડાવશે. એનામાં સહિષ્ણુભાવ ખૂબ થશે. એ પ્રત્યેક દર્શનના દષ્ટિબિંદુ સમજશે સમજાવશે અને અંશ સત્યને તેટલા પૂરતું માન આપશે. એની ભાષામાં કલીષ્ટતા નહિ આવે, એ અન્ય દર્શન ઉપર આક્રમણ નહિ કરે, પણ વસ્તુસ્થિતિનું યથાર્થ જ્ઞાન આપશે. એ જ્ઞાન મેળવવા માટે હમેશાં જિજ્ઞાસુ રહેશે અને સત્ય જ્યાં હશે ત્યાંથી શોધી તેને સ્વીકાર કરશે. સમાજને સાચે રસ્તે મૂક્વાની પિતાની ફરજ સમજશે અને તે માટે અનેક પ્રકારનાં સુપયોગ કરશે, પણ તેમ કરવામાં તે જરા પણ અસભ્ય નહિ થાય. જૈનના આદર્શ ત્યાગને દાખલે એ રજૂ કરશે અને આત્મસાધન કરતાં તેના એક વિભાગ તરીકે પરને તારવાને રસ્તે પાડવાને અને સંસારથી ઊંચા આવવાનો માર્ગ બતાવશે. સાવી સાધ્વીનું સ્વરૂપ નવયુગમાં તદ્દન અભિનવ થઈ જશે. એ ન સંસાર નહિ માંડે. એ શ્રાવિકાઓની ખટપટનું કેન્દ્ર નહિ બને. એ શ્રાવિકાવર્ગને સેવાકાર્યમાં, અભ્યાસકાર્યમાં અને ઉદ્યોગકાર્યમાં જોડવા ખાસ પ્રયાસ કરશે. એનો આદર્શ બ્રાહ્મી અને સુંદરીને રહેશે. અભ્યાસ વગરનું જીવન સાથ્વીનું શોભે જ નહિ તેમ તે માનશે. માયાળુતા નમ્રતા આદિ હદયના ગુણો તેનામાં ખૂબ ખીલશે અને તે જગતમાં ખીલાવશે, પ્રસરાવશે અને જગતની યાદેવીનું સ્થાન લેશે. એ પિતે નિરર્થક વાતે કરશે નહિ અને ખાસ કરીને સ્ત્રીવર્ગ કુથલી શા માટે કરે છે તેનું કારણ શોધી કાઢી તેને ઉપચાર કરશે. નવયુગની સ્ત્રીઓને ફુરસદ વધારે રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન છે, તેમને સમય વધારે મળે છે, પણ શક્તિને ઉપયોગ કરવાનું કાંઈ સાધન નથી–એ સર્વ સમજી એ સ્ત્રીવર્ગને સુધારવા ભારે મજબૂત પ્રયોગ કરશે. આદર્શ માતા ગૃહિણી કેમ થવાય, ધર્મ, અર્થ અને કામ ત્રણે કેમ સાધી શકાય એની નવી ચાવીઓ તે શોધી કાઢશે અને સમાજને શીખવશે. ખાસ કરીને સ્ત્રીવર્ગમાં તેમનું કામ વધારે રહેશે. જ્ઞાનનું સરસ્વતી સમ વર્ચસ્વ ધારણ કરતી એ સુશીલ આર્યા સતીજી સંસારને ધર્મસન્મુખ બનાવતી નવપલ્લવિત કરશે. એ પિતે જાહેરમાં ભાષણ આપશે, લેખ લખશે અને એનાં વ્યાખ્યાન પુરુષો પણ વગર વિકારે સાંભળી હૃદયવાન બનશે. સ્ત્રીઓ સંસ્કૃત ન બેલી શકે એ વાત તે સમજી નહિ શકે અને મોક્ષને પિતાને હકક બરાબર સ્થાપન કરશે. ગમે તે સાધ્વી નહિ થઈ શકે. જેને સાચે વૈરાગ્ય થયો હય, જરૂરી જ્ઞાન હેય અને નિર્ણિત કસોટિમાં ઉમેદવારી કરી પસાર થયેલ હશે તે જ આ ગૌરવવાળું જવાબદારીથી ભરપૂર પદ પ્રાપ્ત કરી શકશે અને જે તેને પ્રાપ્ત કરશે તે પિતાના ત્યાગ ચારિત્ર અને તપથી દીપાવશે. એ પિતાના અખ્ખલિત પ્રયાસ આવડત અને ઉદ્યોગથી સાધ્વીપદ સાધુ જેટલું જ માન્ય અને પૂજ્ય છે એવું બતાવી આપશે અને એની નિસ્પૃહ સેવાથી જનતા એને વગર માગે સમાજનું ઉચ્ચ સ્થાન આપશે. એ કઈ પણ પ્રકારે સમાજ પર બેજા રૂપ છે એવી સ્થિતિ પોતાના કાર્ય અને ત્યાગ દ્વારા રહેવા દેશે નહિ. સાધુસાધ્વીમાં આવનાર ગમે તે જ્ઞાતિમાં જન્મેલ હેય તેની સાથે આહાર થઈ શકે છે તે સારી વાત છે. એ બાબતમાં નવયુગમાં તફાવત કરવાને કે આંતર રાખવાને કાઈને ખ્યાલ પણ નહિ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સુ’ ૧૬૫ શ્રાવક ભગવાનનું સમ્યગ્દર્શન જે સ્વીકારે તે જૈન. એમાં કાઈ પ્રકારના ભેદ નહિ રહે. દેવ ગુરૂ ધર્મ-જ્ઞાન દન ચારિત્રને જે માને, વીતરાગ ભાવના આદર્શ રાખે અને ગુણપ્રાપ્તિની સ્થિતિમાં જે પેાતાને મૂકે તે સ` શ્રાદ્ધ – તે સ જૈન – તે સ સ્વધર્મી અંધુ અને એક બાબતમાં બંધુ તે સ` બાબતમાં બંધુ. વ્યવહારમાં મદદ, પંક્તિભાજન, દીકરીદીકરાનાં લગ્ન અને આપત્તિ વખતે બાજુમાં અવસ્થિતિ એ સંબંધુભાવને અંગે ઉત્તરાત્તર ચાલ્યું આવશે. ત્યાં પ્રાંતના કે વીશાદશાના ભેદને સવાલ જ નહિ રહે, પણ ગમે તે જાતિમાં જન્મ્યા હોય પણ જૈન સાચા થયા એટલે એ બંધુભાવે વર્તાશે. એ ઉપરાંત જૈનનેા આદર્શો સંધબળને મજબૂત કરવા તરફ જશે. એ ગચ્છના ને ફીરકાના ભેદોને ભાંગી નાખશે. ક્રિયાને અંગે યેાગ્ય લાગે તેમ કરવાની સર્વોને છૂટ આપવામાં આવશે. સંધબળમાં સમસ્ત જૈના એક સાથે થઈ જશે અને પેાતાના વ્યવહારિક અને ધાર્મિક પ્રશ્ના બંધુભાવે એક વ્યાસપીઠ પરથી ચશે અને તેને અમલ એક સમાજ તરીકે અન્ય સમાજ સાથે વિરાધ ન આવે અને રાષ્ટ્રહિતના બગાડ ન થાય તે રીતે સાધશે. . બાકી વિકાસક્રમમાં તા શ્રાદ્ધવર્ગીમાં તરતમતા ઘણી રહેશે. કેટલાક સંસાર તરફ રાગવાળા વિષયમાં મેાજ માણનારા અને કામક્રીડામાં રસ લેનારા પણ નીકળશે અને કેટલાક સંસારમાં રહી નીતિને માર્ગે ધન એકઠું’ કરી ‘ ગૃહસ્થ ' શબ્દની વ્યાખ્યામાં આવતા સર્વ ગુણાનું ઓછેવતે અંશે પાલન કરનારા નીકળશે. અનેક શ્રાદ્ધો દેવગુરૂધ તે ઓળખી જ્ઞાન દ્વારા શ્રાવાળા થશે, માર્ગાનુસારીના ગુણા બતાવતાં અગાઉ તેમનાં દૃષ્ટિબિંદુએ બતાવ્યાં છે તે અહીં સમજી લેવાં, તે ઉપરાંત દેશત્યાગી પણ અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ - નવયુગને જૈન નીકળશે. એ ક્રિયા અનુષ્ઠાનમાં પરિપૂર્ણતા માનશે નહિ, પણ જ્ઞાનમાર્ગે મુક્તિ સાધવા પ્રયત્નશાળી થશે અને તેને અંગે જરૂરી અનુષ્ઠાને જરૂર કરશે. એ ક્રિયા કરતાં જ્ઞાનને અને સમજીને ક્રિયા કરવાનો આગ્રહ રાખશે અને વીર પરમાત્માના આદર્શ શ્રાવક થવાના અભિલાષ કરશે. એ ધર્મપ્રભાવક થશે. જૈનધર્મને વિશ્વધર્મ તરીકે સ્વીકાર કરાવવા માટે તે યોગ્ય પગલાં ભરશે, સાહિત્યરસ તેના જીવનને ભાગ બનશે અને શોધળના કાર્યને અને અસલ શુદ્ધ જૈનત્વને ફરી ઉદ્ધાર કરવા તે ખૂબ યત્ન કરશે. એની ભાવના વિશેષ ઉન્નત, જગતમાં શાંતિ પ્રસરાવનારી અને સાપેક્ષ્ય થશે. એને આદર્શ જગતમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થના વિચારે ફેલાવવાને અને તે પિતાના દષ્ટાંતથી સફળ કરવાનું રહેશે અને એનામાં કેમીવાદ નામ પણ નહિ રહે, સહિષ્ણુતા અસાધારણ આવશે અને સત્યની શોધ ચારે બાજુથી કરશે. એમાંના કેટલાક ઉત્કૃષ્ટ ગૃહસ્થજીવન જીવનારા અને ત્યાગીની કેટી સુધી આદર્શ રાખનારા પણ થશે. * એ નવીન રૂપમાં અત્યંત વિશાળતા સાથે અનેક સંસ્થા નવયુગને અનુરૂપ સ્થાપશે અને ત્યાં કેળવણી, તત્વજ્ઞાન, નીતિ, વેગ આદિ અનેક બાબતને આકર્ષક આકારમાં વિજ્ઞાનને અનુરૂપ બનાવશે. એને એક મુદ્દો કેળવણી માટે આગ્રહપૂર્વકનો રહેશે. સર્વત્ર કેળવણી વધે, ભવિષ્યને જૈન અતિ વિશાળ કક્ષાને થાય અને ધર્મને આભૂષણ રૂપ બને, વ્યવહારમાં જૈન નામને દીપાવે, ગૃહસ્થ તરીકે આદર્શમય થાય અને ગૂંચવણવાળા પરસ્પર વિઘાતક પ્રસંગે વખતે બરાબર આરપાર નીકળી જાય તેવાને ઉત્પન્ન કરવાના કાર્ય પાછળ તે પિતાનાં ધન, આવડત અને શક્તિનો વ્યય કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ . પ્રકરણ ૧૫મું ૧૬૭ એ જૈનસંખ્યાબળને જોઈ મુંઝાશે. એને લાગશે કે પ્રાચીનએ એ સંબંધમાં ભારે અવ્યવસ્થા કરી છે. ધર્મને નામે દુકાનદારી થઈ છે અથવા ભવાડા થયા છે, સાહિત્યમાં બસે વર્ષમાં નામને વધારે થયો છે અને શ્રાવકે પિતાની ફરજને અંગે નિરપેક્ષ બન્યા છે અને સાધુવર્ગ લગભગ બિનજવાબદાર બની ગયે છે. એ સર્વ બાબતને વ્યવસ્થિત આકારમાં મૂકતાં એ યુગધર્મને ખાસ લક્ષમાં લેશે. કોઈ જાતના આક્રમણ વગર એ જૈન ધર્મને વિસ્તાર એવી સિફતથી વધારી મૂકશે કે સંખ્યામાં શ્રદ્ધામાં, વર્તનમાં, વિચારમાં જૈનમય જગત થઈ જાય અને છતાં આખી પદ્ધતિ જરા પણ આક્ષેપક ન થાય. એ સર્વને માટે એ પૂરતી આવડતથી ચાલાકીથી અને દીર્ધ દૃષ્ટિથી કામ લેશે, એકંદરે જૈન એટલે ખરે જીતનાર છે એમ તે બતાવશે. એ માનસિક ખેડાણના સર્વ ક્ષેત્રમાં આનંદથી ઘૂમશે અને એની પાસે પૂર્વપુરુષોને અમૂલ્ય વારસો હશે તેને પૂરતો લાભ લઈ, તેને બરાબર અનુરૂપ રહી અને તેને સર્વ બાબતમાં નવયુગને આકાર આપી એ સર્વ ક્ષેત્રમાં ઘૂમતે જશે અને જ્ય પ્રાપ્ત કરતે જશે. એને ભૂગોળ આદિ કઈ કઈ વિષયમાં રસાયણશાસ્ત્રમાં પ્રાણુશાસ્ત્રમાં વર્તમાન જ્ઞાન સાથે સંઘદનના પ્રસંગો પણ આવશે. તે વખતે એ જ્યાં પિતાની નજર નહિ પહેચે ત્યાં બન્ને સ્વરૂપે રજૂ કરશે, પણ પિતાની અમુક બાબતમાં અશક્તિ સ્વીકારતાં એને જરા પણ સંકેચ નહિ લાગે. એ કદી વિજ્ઞાનને તુચ્છકારશે નહિ અને જ્યાં વિરોધ પ્રાપ્ત થશે ત્યાં બન્ને પક્ષને સરખે ન્યાય આપશે. એનું ખરું સામ્રાજ્ય તે તત્ત્વમાર્ગમાં આવશે ત્યાં આત્મા અને અજીવના અંતિમ પ્રશ્ન, પરમાણુના સિદ્ધાંત, પરિણમીપણાને અર્થ, આકાશપ્રદેશનો ભાવ, લેશ્યા અને અધ્યવસાય, મને વર્ગણાનું સક્ષમ રવરૂપ, આત્મા અને મનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ = = = = નવયુગને જૈન સબંધ, કર્મના અનેક પ્રકારે આદિ એ એવા સુંદર આકારમાં રજૂ કરશે અને ન નિક્ષેપ સપ્તભંગીને એ એવી સુંદર રીતે નૂતન યુગને બતાવશે કે ઘડીભર દુનિયા ચકિત થઈ જશે અને ત્યાં એની ઉચ્ચ કેળવણીને ખરે ઉપયોગ કરી બતાવી નવયુગની પદ્ધતિના આવકારદાયક માર્ગોને એ સાક્ષાત્કાર કરાવશે. જૈન ધર્મના સર્વ પ્રદેશો અનેક રીતે ખેડાશે, ખેડવામાં શ્રાદ્ધો મદદ કરશે અને જાતે કરશે, અન્ય પાસે કરાવશે અને જનતાને અનેક નવાં લક્ષ્યબિંદુએ વિચાર માટે આપશે. એને આદર્શ ધનપ્રાપ્તિને બદલે સેવાને રહેશે. એ જનતાને પિતાની શક્તિને લાભ આપવામાં જીવનસાફલ્ય માનશે અને એને જીવનક્રમ સાથે, સરળ નિર્દભ અને છતાં નવયુગને અનુકૂળ બનશે. એ રાજદ્વારી, નૈતિક, વ્યાપારી આદિ અનેક બાબતમાં કેવી રીતે કામ લેશે તે આ પુસ્તકમાં અન્યત્ર આવ્યું છે અથવા આવવાનું છે. ટૂંકામાં જૈનના ડંકા વાગશે અને તે નવયુગ વગાડશે અને છતાં તે એકદેશીય નહિ થાય, ટીકાપાત્ર નહિ થાય, અવ્યવસ્થિત નહિ થાય, કંટાળો આપનાર નહિ થાય. શ્રાવિકા અને શ્રાવિકાઓ નવયુગમાં ભારે પ્રગતિ બતાવશે. એ ઘરમાં જ નહિ રહે. એ જાહેરમાં ભાગ લેશે, સેવાક્ષેત્રને પિતાનું બનાવશે અને ખાસ કરીને નમ્રતાના સદ્ગુણોનું કેંદ્ર બનશે. અનેક ઘરગથ્થુ દવાઓને અંગે, અકસ્માત વખતે, સેવાને અંગે, માંદાની માવજતને અંગે, પ્રસુતિ કર્મની અધિષ્ઠાત્રી તરીકે અને એવા એવા સેવાના અનેક માર્ગોમાં એ અનુકૂળતા પ્રમાણે ભાગ લેશે. એક ટકે સ્ત્રીઓ પણ ભણ્યા વગરની નહિ રહે અને કેળવણીના પ્રસાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ સુ ૧૯ જવાબદારીના ખ્યાલ અનિવાર્ય હાઈ એ પેાતાનું સ્થાન બરાબર લઈ લેશે. નવયુગની સ્ત્રીએ મેટી સંસ્થાએ પેાતે ચલાવશે. સાથે છૂટથી ભળવા છતાં વનની બાબતમાં નહિ બતાવે અને જાહેર સેવા કરવા છતાં ઉત્તમ વત્સલતાભરેલી માતા અને પ્રેમી પત્ની બની શકશે. શિથિલતા પુરુષની એક દરે ગૃહિણી વિધવાઓને પ્રશ્ન નવયુગ કેવી રીતે પતવશે એ બાબત એના સ્થાને આવશે. પણ અત્ર જે વિધવાવસ્થા હાંશથી સ્વીકારશે તે સેવાકાર્ય વિશેષ કરશે એ બતાવવું પ્રાસંગિક છે. વિધવા એટલે જેમ ધરને ખેાજા રૂપ ન લાગે તેવી આદર્શો બ્રહ્મચારી સ્ત્રીરત્ન બનશે, તેમ તે વિધવાનું સ્થાન એટલું ઊંચું કરશે કે જે વિધવા આજે અપશુકનભરેલી મનાય છે અને જેને આજે સાસરામાં કે પિયરમાં આશા નથી તે ધ્યાની દેવી, શુભ શુકનવાળી અને સર્વત્ર માન પામનાર આદર્શો સ્ત્રી થશે. વિધવાઓ તરફના આખા ભાવ જ ફરી જશે, જનતાની તેમના પ્રત્યેની આખી વલણમાં ભારે ફેરફાર થઈ જશે અને વિધવાના ત્યાગની કિંમત થશે. એની વ્યવહારૂ આવડતથી, કુલીન લજજા મર્યાદાથી અને અપરિમિત સેવાભાવથી એ હિંદની આ મૈયા જનહૃદયમાં દેવીસ્થાન લેશે અને એના તરફ જગત અનન્ય પૂજ્યબુદ્ધિથી જોશે. સંસ્થાએ ચલાવવામાં હૃદયના ગુણે! જે જોઈ એ તે આ સ્ત્રીવર્ગ પૂરા પાડશે અને સંસ્થાએ સ્ત્રી અને પુરુષના સહયોગ અને સહકાર્યાંથી ચાલશે જ્યારે કેટલીક આદર્શ સંસ્થાએ માત્ર સ્ત્રીઓ જ ચલાવશે. નકામી ખટપટ, કજિયા, કઇંકાસ, કપડાંની સ્પર્ધા, કુથલી અને ક્લેશ રહેશે નિહ. સ્ત્રીઓની શક્તિને મા` મળતાં અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન -~-~~-~~ - - - ~ જે વખતને દુરૂપયોગ કાર્યને અભાવે થાય છે તે બંધ થઈ જશે અને સેવાને આદર્શ જામતાં અનેક નવીન કાર્યદિશાઓ સ્ત્રીઓ માટે ખુલ્લી થઈ જશે. ઘરસંસાર બળતા અંગારા અને લેશનાં ધામોને બદલે થાકેલના આશ્રયે અને ગૃહસ્થજીવનનાં કેન્દ્રો બનશે અને એકંદરે સંસારવ્યવહાર ઉચ્ચ કક્ષા પર જ જશે. સ્ત્રીઓ વ્રત પચ્ચખાણ અધિક કરશે અને તે સમજીને કરશે. બાહ્ય દેખાવ તરફ એને મન એછું જતું જશે. ખાસ કરીને જીવનની સાદાઈ, ગૃહવ્યવસ્થા, સુઘડતા, સ્વચ્છતા આદિ ખૂબ વધશે. એનામાં રાષ્ટ્રીય ભાવના ખૂબ પિપાશે. એ રાષ્ટ્રીય સેવાસમાં વગર ભયે કામ કરશે, એ જેલ જવામાં પણ કરશે નહિ અને પોતાના નૈતિક બળથી સંસારને ઉચ્ચ, ધર્મસન્મુખ અને સાપેક્ષ્ય સાધ્વગામી બનાવશે. કપડાં એ દેશી જ વાપરશે અને તેમાં પણ સાદાઈ ઘણી દાખવશે. નવયુગની જૈન સ્ત્રીઓને વર્ગ ચિતન્યવાન, કર્મશીલ અને આદર્શવાહી નીકળશે. એ ગમે તેમ જીવન વહન કરનાર, મરવાને વાંકે જીવનાર નહિ થાય. એનામાં વિચારસ્વાતંત્ર્ય ખૂબ આવશે. એ નકામાં મેંણદેણું ખમશે નહિ અને નકામા ઝઘડા વઢવાડ કરશે નહિ. આ આદર્શવાહી સ્ત્રીઓની છાયા ભવિષ્યની પ્રજા ઉપર ભારે સુંદર પડશે. કેળવાયેલી આદર્શવાન માતાના ખોળામાં સેવા અને રાષ્ટ્ર, ધર્મ અને આદર્શનાં દૂધ પીનાર નવયુગનાં બાળકો કેવા થાય તે ચીતરવા કરતાં કલ્પવું વધારે સહેલું છે. હવે કેટલાક મુખ્ય પ્રશ્ન સંબંધી નવયુગની વિચારધારા કેવા પ્રકારની રહેશે તે જોઈ લઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મુ દેવદ્રવ્ય, સાધારણુદ્રવ્ય અને સાતે ક્ષેત્રે દેવદ્રવ્યના પ્રશ્નને વીસમી સદીના છેલ્લાં વર્ષોંમાં એક વખત ભારે ખળભળાટ મચાવ્યેા હતેા. એ પ્રશ્નના મૂળમાં નવયુગ ઉતરશે. એ દેવદ્રવ્યના સંબંધમાં શેાધખાળ કરશે ત્યારે એને નવા જ ઇતિહાસ માલૂમ પડશે, એને મૂળ ગ્રંથામાં પ્રાચીન પ્રાસાદિક વાણીમાં કાઈ જગ્યાએ દેવદ્રવ્ય માલૂમ જ નહિ પડે, એ શબ્દ જૈન પરિભાષામાં ક્યારથી વાપરવા શરૂ થયા એના ઊંડાણમાં ઉતરતાં તે બારસે વર્ષો સુધીના ઇતિહાસ જોઈ જશે. શ્રી વીરનિર્વાણાત્ ખાર સૈકા સુધી એ શબ્દ પણ એના જોવામાં આવશે નહિ ત્યારે એની પ્રાથમિક શકા મજબૂત બનશે. સાથે દ્રવ્ય પ્રત્યક્ષ વિરોધી જણાશે. દેવનું દ્રવ્ય નહિ, કારણ કે ભગવાન પાતે નિષ્પરિગ્રહી અને એની સાથે દ્રવ્ય જોડવું એ તો સંકર દોષ જેવું એ માનતા થતા જશે. ચૈત્યવાસના સમય નજીક એ આવશે ત્યારે એ દેવદ્રવ્ય શબ્દની ઉત્પત્તિ જોશે અને પછી તે એ સંબંધી અને ઉલ્લેખ એને માલૂમ પડશે છતાં સમાજમાં ખળભળાટ ન થાય તે દૃષ્ટિ નજરમાં રાખી તે નીચેના રસ્તા કાઢશે. એને દેવ શબ્દ તા હોઈ શકે વીતરાગ હાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નવયુગને જૈન ~ ~ ~ ~ ~~ પ્રત્યેક મંદિરે પોતાના ખર્ચને અડસટ્ટો કરી તેટલી રકમની વ્યાજની આવક થાય તેથી વિશેષ દેવદ્રવ્ય હોય તેને ઉપયોગ જિર્ણ મંદિર દ્વારમાં એ કરી નાંખશે. નવીન દ્રવ્યસંચય દેરાસરની મરામત પૂરત કરશે અને બાકીની આવક વ્યાજની કે બીજી રીતે થશે તે બીજા વર્ષમાં જરૂરી જિર્ણોદ્ધારમાં વાપરી નાંખશે. પ્રત્યેક પ્રાણીને જેમ પરિગ્રહની મર્યાદા હોય છે તેમ મંદિરને પણ મર્યાદા હેવી જોઈએ એમ તે માનનારે થશે. દેરાસરમાં બાહ્ય ભપકા કરતાં સાદાઈ કેમ પોષાય તે માટે તે વધારે ધ્યાન આપશે. મંદિરો ક્રીડાસ્થાને, કેલીસ્થાને કે રતિગ્રહ નથી, પણ આત્મધ્યાનના એકતાનના હૃદયગુહાના આશ્વાસને–આવાસો છે એ ભાવનાને એ પ્રત્યક્ષ કરશે એટલે અર્થ વગરની ચિત્રામણ, બિહામણું રંગ અને કળા વગરનાં સ્થાપત્યોને દૂર કરશે અથવા તનિમિત્તે દેવદ્રવ્ય વ્યય કરવાનું બંધ કરશે. જે મંદિરને ખર્ચગી વ્યવસ્થા થઈ હોય તેમાં વધારે દ્રવ્યસંચય થાય એવા સર્વે માર્ગો એ બંધ કરી દેશે. છતાં સામાન્ય આવક થશે તેને ઉપર પ્રમાણે વ્યય કરી નાખશે. મંદિર પાસે આરબોની ચકી રાખવી પડે એવી મંદિરની પરિસ્થિતિ નહિ રહેવા દે. પૂર્વકાળમાં દેવમંદિર અભંગદ્વાર હતા એ કેમ રહી શક્યા હશે એની ગોઠવણ વિચારી તે આદર્શી પહેચવા વ્યવસ્થા કરશે. જૈન મંદિર કળા અને સ્થાપત્યના નમૂના થાય અને છતાં સાદાં રહી શકે, અંતરનાદનાં પ્રેરક બની શકે અને ધ્યાન, જાપ અને એકતાનના પ્રેરક ઉત્તેજક અને ઉદ્ભવ સ્થાન થઈ રહે એવી રીતનું વાતાવરણ એની આસપાસ ગોઠવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું આવશે અને મંદિરના ગર્ભાગાર અને રંગમંડપ વીતરાગ દશાના પોષક બનાવવા નવયુગ પ્રાગતિક સુધારા અને ફેરફાર મક્કમપણે કરશે. આ સર્વ યોજના એ પૂર્વકાળના વર્ણન અને વિચારોને વાંચી તે તદનુસાર ગોઠવશે અને પ્રભુમંદિરને દીવ્ય સૂચક અને શાંત વાતાવરણમય કરવા ઉદ્યમ કરશે. તે દેવદ્રવ્યની મીમાંસામાં ઉતરશે ત્યારે એને જણાશે કે દેવસેવામાં આ વખત રહેનાર પૂજારી સેવકને ધરેલ ખાનૈવેદ્ય વૃત્તિના બદલામાં લેવાનો રિવાજ હતું. જે વગર બદલે સેવા કરે તેની કક્ષા ઉચ્ચ ગણશે પણ જે તેમ ન કરી શકે તે પિતાની લાયકાત પ્રમાણે બદલે લે તે દેવદ્રવ્ય ખાનાર ગણાય એ વાત તે નહિ સ્વીકારે. મતલબ સેવાને બદલો લેવામાં તેને વાંધો નહિ લાગે. એ એમ માનશે કે જે દેવસેના બદલામાં એ ચઢાવો લેવાને ન હેય તે ચઢાવાને કાંઈ અર્થ જ નથી. નિરર્થક મૂડી એકઠી કરવી અને કોઈ જાતની જાવક ન રાખવી એ આર્થિક બાબત જ ન ગણાય, એ યોજના સુવાહિત હોઈ શકે નહિ અને એ ધારણે સમાજબંધારણ થઈ શકે નહિ. વચ્ચેના વખતમાં દેવદ્રવ્યની વ્યાખ્યા મુદ્દો સમજ્યા વગર થઈ છે તેમ તે માનશે અને તેને મૂળ આશય પર લઈ આવવામાં તે જૈન તરીકેની પોતાની ફરજ માનશે. આ પગલું લેવા પહેલાં એ સત્યશોધક દૃષ્ટિએ જોધન કરશે અને અસલ સ્થિતિ તે લઈ આવશે. મંદિરને આશય અને ચઢાવાને ઉદ્દેશ વિચારતાં તેને નિર્ણય ઉપર આવવા પેચ પૂરતું સાહિત્ય મૂળ પ્રથામાં મળી આવશે અને કઈ પ્રકારના પૂર્વબદ્ધ વિચાર વગર આદર્શ જૈન મંદિર કેવાં હેય તેને નિર્ણય કરતાં એ દેવદ્રવ્યના પ્રશ્નને ભારે સંતોષકારક રીતે છણું નાંખશે. એમ કરવામાં અત્યાર સુધી જેને દેવદ્રવ્ય માનવામાં આવ્યું છે તેને એ અડશે નહિ, તેને ઉપગ એ મારવાડ, મેવાડ આદિ અનેક સ્થળોમાં આવેલા ભવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન વારસાને જાળવવામાં કરશે અને નૂતન પ્રણાલિકા તદ્દન નવીન ધારણસર પ્રાચીન પદ્ધતિ અનુસાર કરશે. એને મુદ્દો મદિરની મદિરતા જાળવવામાં, એને અભંગાર કરવામાં અને એને તન્ન થયેલ દુનિયાનાં આશ્રયસ્થાન કરવાના રહેશે. આ સર્વ બાબતમાં મૂળ સાહિત્ય અને ખૂબ મદદ કરશે. જિનપ્રતિમા આ ખીજાં અગત્યનું ક્ષેત્ર છે. એનું સાત ક્ષેત્રમાં પ્રથમ સ્થાન છે અને હાવું જ જોઇ એ. મંદિર માટે મૂર્તિ નથી, પણ મૂર્તિ માટે મંદિર છે એમ તેા ન કહી શકાય, પણ હાલું જોઈએ એમ સામાન્ય બુદ્ધિથી ભાસે છે. એમ નથી રહી શક્યું એ વચ્ચેના કાળની દુર્દશા, સંપ્રદાય જ્ઞાનના નાશ, બાહ્ય આદર્શોમાં તલ્લીનતા અને અસલ ઉદ્દેશ સમજવાની અક્તિને લઈને બન્યું છે એમ નવા યુગ માનશે. ૧૭૪ - નવયુગને એમ થશે કે પ્રશમરસનિમગ્ન દશા, પ્રસન્ન દષ્ટિવીતરાગ યુગ્મના આદર્શ, કામિનીસંગશુન્ય ખાળેા — આવી ભાવનાને પાપવાને બદલે એના ઉપર વાધા, અને જાકીટ, અને ઘડિયાળ, એને માથે હીરાજડિત મુગટ, એની ઉપર સેનાચાંદીનાં ખામાં ( આંગી) થવા લાગ્યાં એ તે જૈનને પાત કેટલા થઈ ગયા ? વીતરાગ દશાથી માંડીને ચાલ્યા તે સરાગી પણ ભાગ્યે જ વાપરે એવાં વસ્ત્ર, એવાં આભૂષણે!! આ તે કઈ વાત ? અને પછી તે વિવેક ન રહેતાં પગ ચૂક્યા એટલે ઉતરતા જ ગયા ઉપાશ્રયમાં એક દીવા ન કરનાર શ્રાવક મંદિરમાં હજારા દીવા કરે એમાં વીતરાગદશાની ભાવના રહી કેમ શકે? પુષ્પના થર કરતાં, એને વીંધતાં, એને છંદતાં મૂળ મુદ્દા જ ઊડી જાય છે એવા ખ્યાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬મું ૧૭૫ પણ ન થયો ! અને રાત્રીને વખતે નવ દશ વાગ્યા સુધી ધમાલ વગેરેમાં એકંદરે વૈષ્ણના ભેગી દેવાનું અથવા તેમની કહેવાતી પૂજાનું જૈન દ્રવ્યભાવપૂજાનો આશય કે આદર્શ સમજ્યા વગર અંધ અનુકરણ થયું છે અને એક બે પેઢી ગયા પછી એ અસલ ધર્મ હો એવી અંધપરંપરા ચાલી છે એવો નવયુગને સ્પષ્ટ મત થશે. એ આ સર્વ ધામધુમોને અજૈન ગણશે, એ રાજવહીવટને શહેનશાહી ગણશે, એ મહામૂલ્યવાન મેતી હીરાની માળાઓને કોઈ ઝાર કે નિઝામને લાયકની ગણશે. અને તે સંસારતાપથી બળેલા ઝળેલાના આશ્રય સરીખડા વીતરાગ પાસે જવું છે અને ત્યાં પિતાના નાનામોટા વૈભવને ત્યાગ કરવાના મનોરથ કરવા છે. ત્યાં તે એ સામે ચિત્ર જ જુદું જુએ. આ જૈન મૂર્તિ પૂજાને આદર્શ તદ્દન ઉથલાઈ ગયે એને લાગે અને એ પંડિત ધનપાળે કર્યું હતું તેને મળતું કરે તે ના નહિ. ધનપાળ પંડિત ગમે તે દેવની પૂજા કરવા જાય છે. એક દેવને સ્ત્રી સાથે જોઈ તેની આગળ પડદો બાંધી ચાલી નીકળે છે. એક દેવના હાથમાં ગદાચક્રાદિ આયુધ જોઈ ત્યાંથી ભય પામ્યો હોય તેમ ગભરાટ બતાવી નાસી છૂટે છે. એ ધનપાળ જે અત્યારના વૈભવ વિલાસવાળાં જૈનમંદિરે જુએ તે એના મુખ્ય દરવાજા ઉપર ઉઘાડ દે થાય તેવા દરવાજા (કલેસીબલ ડેર્સ) અને ચારે તરફ લોઢાને ગઢ બંધાવવાનો હુકમ આપે. આવા દષ્ટિબિંદુથી નવયુગ પુરાણ કથાઓ વાંચશે અને એને ઉપર ઉપરની ધમાધમ જૈન મૂર્તિપૂજાના આદર્શ વિરૂદ્ધ પછવાડેથી દાખલ થઈ ગયેલ અને ભક્તિમાં અક્કલ ન હોય તે ન્યાયે ચાલવા દીધેલી અને પચીસ પચાસ વર્ષે તે જાણે અનાદિ કાળથી ચાલી આવેલી હોય તેવું રૂપ લઈ લીધેલી માલૂમ પડશે. એ મંદિરની અને મૂર્તિની આખી વ્યવસ્થામાં અન્ય દર્શનનું વગર વિચારનું અનુકરણ દેખશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ C ૧૭૬ નવયુગને જૈન ----... .........રૂ. ૧૧, ૨૫ ,૪--- ~- ~~ એને ઉપાય તદ્દન સાદાઈ વીતરાગભાવને સાચો ખ્યાલ આપે તેવી શાંત મૂર્તિ અને એ મૂર્તિ પાસે જતાં આપણું આદર્શ વીતરાગદશા સન્મુખ થાય એ પ્રકારનું આખું વિશુદ્ધ વાતાવરણ મૂર્તિ અને મંદિરને અંગે કરશે અને એને વિરોધ કરનારી જે કાંઈ પરિસ્થિતિ એ જેશે તેને એ વગરવાંધે મક્કમપણે અને બરાબર સમજીને તેડી કેડીને ફેંકી દેશે. નવયુગ આ પગલું ભરવા પહેલાં શાસ્ત્રનું સારી રીતે અવગાહન કરશે. એને એમ જણાશે કે દેવે કે ઇદ્રો પ્રભુના શરીર ઉપર ઘરેણાં પહેરાવતા નહોતા, ગળામાં હીરામાણેકની માળા નાખતા નહેતા અને મૂર્તિપૂજામાં પણ અનેક વનવિહારમાં જઈ બડા આડંબરથી પૂજા કરતા હતા –એ સર્વ અસલ વાત શોધી તેનું પૃથક્કરણ કરી આગમાનુસાર દેવસેવા ગોઠવશે અને જૈન માર્ગને વિસરાઈ ગયેલું આદર્શ પુનર્જીવન કરશે અને એમ કરવામાં એ પૂર્વબદ્ધ વિચારથી ન દેરવાતાં સાચે આદર્શ શોધશે, સંગ્રહશે અને અમલમાં મૂકશે. તીર્થો તીર્થોને એ વારસ માનશે. ત્યાં સેવાપૂજા કરવાની સર્વને છૂટ રહેશે. તેની વ્યવસ્થા જે સેવાભાવી કામદારોના હાથમાં હશે તે તેની મરામત અને જાહેરજલાલી રાખશે. એમાં દિગંબર શ્વેતાંબરના ઝઘડાને સ્થાન જ ન રહે એવી સુંદર વ્યવસ્થા ગોઠવશે અને અરસપરસ એકબીજાનાં તીર્થોમાં જવામાં આનંદ માનશે. એ વીતરાગભાવને આદર્શ જ્યાં જળવાય ત્યાં ખૂબ પ્રેમથી જશે આવશે અને દૃષ્ટિની વિશાળતા થતાં ફીરકાના તફાવત નામમાત્ર પણ નહિ રહે. નવયુગ આ સંબંધી જે વ્યવસ્થા કરશે તેમાં તેની દીર્ધદષ્ટિ અને વ્યવહાર નિકાલ લાવવાની દક્ષતાનું બરાબર પ્રદર્શન કરશે અને એ નિકાલને સર્વ માન આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૭૭ જૈનના મંદિરમાં કેઈ આવી શકે નહિ, પૂજન કરી શકે નહિ–એ વિચાર પણ નવયુગને હાસ્યાસ્પદ લાગશે, એ ખ્યાલ પણ એને અજૈન લાગશે અને એ વિચારને અમલ તે પૂરતી વ્યવહારૂ રીતે કરશે. એ પ્રત્યેક આત્માને મેક્ષને રસ્તે પ્રગતિ સાધવાને અધિકાર જૈન આદર્શને અનુરૂપ માનશે અને એ વિશાળતા દાખવ્યા પછી આવા પ્રશ્નમાં જૈન શું કરે તેને નિર્ણય કરવામાં તેને બહુ સમય પણ નહિ લાગે અને તેવી ચર્ચાને નિકાલ તે સત્વર લાવી શકશે. આમ કરવામાં એ સનાતન મૂળ આશયને ઉપયોગ કરશે અને કેઈ જિજ્ઞાસાભાવે મંદિર જેવા કે મૂર્તિને અભ્યાસ કરવા આવવા માગે છે તેને પણ અમુક શરતે ઘણી ખુશીથી દાખલ કરશે. એને મંદિરના અભંગ કારને આશય એ આ રીતે વ્યવહારમાં મૂકશે અને તેનાથી બીજી અન્ય રીતે તેને નિર્ણય થઈ શકે એમ તેની વિવેકદષ્ટિમાં નહિ આવે. આ રીતે દેવદ્રવ્યને પ્રશ્ન છણવામાં અનેક પ્રશ્નોને નિકાલ નવયુગ સનાતન જૈનત્વને લક્ષ્યમાં રાખી કરશે અને તેમાં કેદ જગાએ ચર્ચા કરવી પડશે તે શાંતિથી જૈનને શોભે તેવી ભાષામાં અને સત્યશોધકની દષ્ટિએ સર્વ એ કરશે. વિશાળ નજરે સત્ય શોધવું હોય, અસલ પૂર્વ સ્વરૂપ ખડું કરવું હોય અને આદર્શને અનુરૂપ પરિસ્થિતિને ઝળકાટ કરે હોય ત્યાં કોઈ વાતની મુશ્કેલી નથી, કોઈ આશય પાર પાડવાને મુદ્દો નથી અને કઈ ઘટના દુશષ્ય કે અશક્ય નથી એમ એનું જ્ઞાન કેળવણું એને શીખવશે. સાત ક્ષેત્ર માટે પ્રકીર્ણ સાત ક્ષેત્રો પૈકી હવે જ્ઞાનક્ષેત્રની ચર્ચા બાકીમાં રહે છે. શાસ્ત્રતર્ગત એને ક્રમ નીચે પ્રમાણે છે: ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નવયુગને જૈન જિનબિંબ, જિનમંદિર, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત ક્ષેત્રનું પોષણ જેનેએ કરવું એવું ફરમાન છે. એમાં ક્રમ એમ બતાવ્યું છે કે એ અનુક્રમમાં આવેલ કેઈ પણ નીચેના ખાતાનું દ્રવ્ય ઉપરના ખાતા માટે વાપરી શકાય, પણ ઉપરના ખાતાનું દ્રવ્ય નીચેના ઉપયોગમાં ન આવે. આ તફાવત ન્યાયકેર્ટ સ્વીકારે તેમ નથી. તેના નિયમ પ્રમાણે તે જે ખાતાનું દ્રવ્ય હોય તેમાં જ તે ખરચી શકાય. અને એ જે સીપ્રેને નિયમ લાગુ પડે તે બિનજરૂરી મંદિર દ્રવ્યને ઉપયોગ શ્રાવકશ્રાવિકા માટે કરવાની પરવાનગી આપે. આ ગૂંચવણમાં નવયુગ નહિ પડે. એ પ્રાચીન દેવદ્રવ્ય જિર્ણોદ્ધારમાં જ વાપરી નાંખશે. અને જ્યાં ખર્ચ માટે જરૂર નહિ હોય ત્યાં એ નવીન ઉત્પત્તિ તદ્દન બંધ કરી દેશે અથવા નહિવત કરી દેશે. એ શોધ કરશે ત્યારે એને શાસ્ત્રને આદેશ એ પણ મળી આવશે કે પ્રથમથી જાહેર કરેલા સંકેત પ્રમાણે એ દ્રવ્યને ઉપયોગ થઈ શકે છે. એ નિયમનો ઉપયોગ કરી એ નવીન ઉત્પત્તિ માટે નિયમ અને ખર્ચવાના ઉપયોગ જાહેર પણ કરી દેશે. મતલબ શાસ્ત્રમર્યાદામાં રહી એ આખે દેવદ્રવ્યને પ્રશ્ન ઘણું સફતથી પતાવી આપશે. એક વાત અહીં કરવાની છે. નવયુગના વિચાર પ્રમાણે જ્યાં જરૂર નહિ હોય ત્યાં નવીન દેરાસર બાંધવાનું નવયુગ પસંદ નહિ કરે. ખાનગી ખરચથી દેરાસર બંધાય તે પણ તેની જવાબદારી જૈન કેમ ઉપર જ છેવટે પડે છે તે વાતને ખ્યાલ કરી તે જરૂર વગર દેરાસર વધારવાને રિવાજ પસંદ નહિ કરે. અત્યાર સુધી જે જવાબદારી એને અંગે જૈન કેમને માથે છે તે પૂરતી ગણવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ સુ નાના ગામડાંઓમાં ટૂંકી વસ્તી હૈાય ઉપર ગૃહ ચૈત્ય અને માથે છાપરું. ખર્ચ હજાર રૂપિયાથી વધારે ન થાય એ શરતે ગામમાં ન હોય તે કરવાના પ્રચાર થશે. અને ઉપયાગિતા ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. ૧૦૯ ત્યાં નીચે ઉપાશ્રય, બન્નેના થઈને એ નવીન દેરાસર કાઈ પણ સાદાઈ એમાં જ્ઞાનક્ષેત્ર એ સાત ક્ષેત્ર પૈકી જ્ઞાનક્ષેત્રના વિચાર નવયુગ કરશે ત્યારે તેને પૂર્વકાળના વિચારા માટે માન થશે અને છેલ્લાં વર્ષોમાં ચાલેલી અંધાધૂંધી માટે ખેદ થશે. જ્ઞાનદ્રવ્ય તે અલગ રાખશે, એના ઉપયાગ પ્રાચીન ગ્રંથાના શુદ્ધ મુદ્રણમાં કરશે. એક ગ્રંથ છુપાવવા હાય તો તેની અનેક પ્રતા એકઠી કરી સર્વ પાઠાંતરા નાંધી તે ઉપર જરૂરી નેટ કરી અને વિદ્વતાપૂર્ણ ઉપાદ્લાત સાથે તે બહાર પાડશે. તેમાં સૂત્રા માટે અનુક્રમણિકા, વિષયાનુક્રમ, ઐતિહાસિક બાબતાનાં તારા વગેરે આપી એ ગ્રંથને અભ્યાસ યોગ્ય તૈયાર કરશે. કાઈ પાઠ પેાતાને ન એસે અથવા ન ગમે તે। તેથી તેની સાથે છૂટ લેવાની જે રીતિ મધ્યકાળમાં ગ્રંથલેખન અને પ્રથમુદ્રણમાં સ્વીકારાઈ છે તે તે રદ કરશે. એ સર્વ પ્રથાની અનેક પ્રતા એકઠી કરી પ્રકટ કરશે અને તેની ઉપયેાગિતા વધારવા માટે અનેક પ્રયત્ન કરશે. એને અંગે સેવાભાવે કામ આપનારના તે સ્વીકાર કરશે, માનવેતન (એનેરેરિયમ) જ્ઞાનદ્રવ્યમાંથી આપશે અને શેાધનકાર્ય, મુક્વાચન અને ગ્રંથના ફેલાવા માટે નાકરવી શકશે તેને પગાર જ્ઞાનખાતામાંથી આપશે અને તે સ્વીકારવામાં સમાજ પણ વાંધા નહિ જુએ, પ્રત્યેક ગ્રંથને અનેક રીતે ઉપયાગી બનાવવાનું કરવામાં આવશે અને ઉપયાગી ગ્રંથા પ્રાકૃતમાં હશે તેની સામે તેનું સંસ્કૃત કરી બતાવવામાં આવશે અને અતિ ઉપયાગીનું અંગ્રેજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન અને દેશી ભાષામાં સ્પષ્ટ સાચું અને સમજાય તેવું ભાષાંતર કરશે. આ સર્વ કા જ્ઞાનખાતામાંથી ચલાવવામાં આવશે. ૧૮૦ રાસે। પ્રકટ કરવામાં આવશે, પ્રાચીન અપભ્રંશ આદિ ભાષાના ગ્રંથા તેનાં વ્યાકરણા અને તેનાં સાધના મુદ્દાસરની નોંધ સાથે પ્રકટ કરવામાં આવશે. એ ઉપરાંત સાહિત્ય, છંદ, વૃત્ત, કાવ્ય, કાશ, વ્યાકરણ આદિ સર્વ ક્ષેત્રાને ખેડવા માટે પ્રયત્ન થશે, ન્યાયના ગ્રંથાને સહેલા કરવામાં આવશે પણ મૂળ ગ્રંથને ક્ષતિ લગાડવામાં નહિ આવે. એ ઉપરાંત પ્રાચીન ગુજરાતી ગદ્યપ્રથાને પણ પૂરતા ન્યાય આપવામાં આવશે. ગુજરાતી ભાષાને સાચા ઇતિહાસ નિષ્પક્ષ રીતે પ્રકટ કરવામાં આવશે અને તેમાં જૈનજૈનેતર સાહિત્યને પૂરતો ઉપયોગ કરી જૈન સાહિત્યને થયેલા અન્યાય દૂર કરવામાં આવશે. આમાં ભૂગાળના ગ્રંથૈને ખતલ રાખવામાં નહિ આવે. ગણિતાનુયાગના અભ્યાસ કરી તેનાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જૈન કાયદો હતો કે નહિ, હતા તે તેના અમલ થયેા હતેા કે નહિ એ સ` બાબતમાં ઊંડી શાખાળ કરી તેનું ઉપલબ્ધ સાહિત્ય ઐતિહાસિક અને ચર્ચાત્મક આકારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રચલિત ભંડારાની નોંધ (કેટલગા) તૈયાર કરવામાં આવશે અને જ્યાં જરૂર હાય ત્યાં પ્રતા પુસ્તકા ધીરવામાં આવશે. આ ઉપરાંત તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથા ખાળ, મધ્યમાધિકારી અને વિદ્વાનને ઉપયાગ થાય તેવા તૈયાર કરવામાં આવશે. એક એક વિષય પર ભાષામાં ઉલ્લેખ કરવામાં આવશે. પુદ્ગલપરમાણુ, આકાશ, શબ્દ, વનસ્પતિ, સમભ’ગી, નય, નિક્ષેપ, ક્રમ, મેક્ષ આદિ અનેક વિષય પર સમજી શકાય તેવી રીતે ચર્ચા કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૦૧ આવશે. જીવવિચાર, નવતત્ત્વ, ગત્યાગતિ, દેવકને ખ્યાલ, કાળની ગણના, જુદા જુદા પ્રકારના ભાવ, મતિમૃત જ્ઞાનને તફાવત, વ્યંજનાવગ્રહાદિની વર્તમાન તક ( લોજીક) સાથે સરખામણી એવા અનેક ઉલ્લેખ તત્વમાર્ગમાં થશે. નીતિવિભાગમાં તે પાર વગરના વિષય પર જુદા જુદા ઉલ્લેખ થશે. ભાવનાનાં સ્વરૂપ, અષ્ટપ્રવચનમાતા, અઢાર દૂષણ રહિતતા, ગુણસ્થાનક્રમ, કષાયનું સ્વરૂપ, દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય, મેહનીય કર્મની વિષમતા, જૈનત્વને દરવાજે પાંત્રીશ માર્ગાનુસારીના ગુણ, વ્રતનિયમને મહિમા, ગ્રંથભેદ, બાર વતે, પાંચ મહાવ્રત, સામાયકને મહિમા, અતિથિસંવિભાગનો આશય, સમ્યકત્વના લક્ષણે, પ્રભાવકનાં ચિહ્નો, અઢાર પાપસ્થાનક પૈકી પ્રત્યેક પર વિવેચન, આશાતના આદિ અનેક અનેક વિષય પર પ્રૌઢ ભાષામાં ઉલ્લેખ કરવામાં આવશે અને તે પૈકી જે લેખ સંમાનનીય થશે તે જાળવી રાખવામાં આવશે. કથાસાહિત્યને મૂળ આકારમાં તેમજ સાદાં ભાષાંતરમાં પ્રકટ કરવા ઉપરાંત તેના ઉપર નવયુગર્ન સંસ્કારી સાહિત્ય ભાષામાં સાદી રીતે સમજાય તેમ પણ આકર્ષક રીતે તથા કાવ્યકવિતામાં અનેક ભાષામાં સંસ્કાર થશે. અને લોકચિ જાગે તેવી રીતે કથામાં તત્ત્વની વાતને તથા નીતિ નિયમાદિને ગૂંથી નાખવામાં આવશે. - ક્રિયાના મૂળ આશય હેતુ બતાવનાર ગ્રંથે ખૂબ પ્રકટ થશે. ઘણી વિસરાઈ ગયેલી વાત પરત્વે શોધખોળ કરવામાં આવશે. અમુક સૂત્ર ઊભાં ઊભાં કેમ બોલવું, શરૂઆતમાં અમુક રીતે સ્થાપના કેમ કરવી, તથા મુદ્રાઓનાં કારણે શોધી પ્રકટ કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન •..•••••••••~ ~ ~~~~ ~ ~ જૈન સાહિત્ય એના વિસ્તૃત આકારમાં જરા પણ અતિશક્તિ વગર એનું સાચું સાહિત્યસ્થાન લે અને તે વિશ્વને ગળે બંધાય એવી જનાથી એને વિસ્તાર કરવામાં આવશે અને તે સર્વ કાર્ય જ્ઞાનખાતાંમાંથી થશે. જ્ઞાનખાતામાંથી સાહિત્ય અભિવૃદ્ધિ માટે ભાષણે ગોઠવાશે, નિબંધે મંગાવાશે અને હરિફાઈઓ કરાવવામાં આવશે. જ્ઞાનખાતાના દ્રવ્યને મૂળ આશય શું છે જોઈએ તે શોધી તેને અનુરૂપ આખી યેજના કરવામાં આવશે. સાત ક્ષેત્ર-સામાન્ય આ રીતે સાત ક્ષેત્રની યોજના નવયુગ કરશે. તેમાં તે સર્વથી વધારે ધ્યાન શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને અંગે આપશે. સર્વ ક્ષેત્રને પોષક હોય તેની પિષણ કરવામાં બાકીના સર્વનું પિષણ થાય છે એમ તે માનશે. જે કાળે જે ક્ષેત્ર પાછું પડતું હોય, પરિભાષામાં કહીએ તે સીદાતું હોય, તેને પ્રથમ વિવું જોઈએ એવા શાસ્ત્રાદેશને પ્રાચીને એ અવગણે છે તે અવગણના નવયુગ સુધારી લેશે. એમ કરવું તે તેને સ્વાભાવિક જ લાગશે. આથી જેને માટે અભ્યાસહાદિ અનેક યોજના કરશે અને તેની રાજદ્વારી, વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક પ્રગતિ થાય તેવા અનેક માર્ગો લેશે, અનેક સંસ્થાઓ સ્થાપશે અને અનેક કેળવણપોષક સ સ્થાપશે. સાધુસાધ્વીને તે વર્ગમાં દાખલ કરવા પહેલાં પ્રાથમિક તૈયારી કરવા માટે સંસ્થાઓ શહેરના સંબંધમાં, પણ તેનાથી દૂર બાંધવામાં આવશે. ત્યાં યોગ્ય શિક્ષણ આપી સાધુસાધ્વી તરીકે રહી શકે તે ત્યાગ, વૈરાગ્ય અને અભ્યાસ જે બતાવશે તેને પ્રમાણપત્ર તે સંસ્થાઓ આપશે અને એવાં પ્રમાણપત્ર ધરાવનારને જ સાધુસાધ્વી બનાવવાનો ઠરાવ કરવામાં આવશે. સોળ વર્ષની અંદરના બાળકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧ દીક્ષા આપવાને પ્રશ્ન નવયુગમાં રહેશે જ નહિ. એવાં બાળક અથવા બાળાઓને આવી સંસ્થાના વ્યવસ્થિત વાતાવરણમાં તેમની ભાવના પોષાય અને તેમને કેળવણી મળે એવી સર્વ ગોઠવણે નવયુગ કરી આપશે. સાત ક્ષેત્રની વ્યવસ્થા જૈનોની પ્રગતિમાં અસાધારણ ઝડપે વધારે કરનારી અને જૈન સંખ્યાબળના પ્રચારકાર્યમાં અને નવીન વાતાવરણ તૈયાર કરવામાં આગેવાન ભાગ લેનારી કરવામાં નવયુગ પિતાનાં સાધન-ધન, આવડત, શક્તિ આદિ સર્વ–ને તેમની નજરે ઉત્તમ ઉપયોગ કરશે. સાધારણ દ્રવ્ય ઉપરની વિચારણામાં સાધારણ દ્રવ્યને સ્થાન મળ્યું નથી. એ જૈનેને ભવ્ય વિચાર છે, ખૂબ વિચાર કરીને ગોઠવેલ વ્યવહારૂ સંસ્થા છે અને નવયુગને તે ખૂબ આકર્ષક લાગશે અને તેને તે સારી રીતે વિકસાવશે. એને અંગેના નવયુગના ખ્યાલને સંક્ષેપમાં જઈ જઈએ. સાધારણદ્રવ્ય એટલે સર્વ ખાતામાં – ગમે તે બાબતમાં – ખર્ચી શકાય તેવું દ્રવ્ય. પારસીઓમાં જે પંચાયતી દ્રવ્યને ખ્યાલ છે તેવું એ દ્રવ્ય છે. જિનબિંબથી માંડીને શ્રાવિકાના ઉપયોગમાં લઈ શકાય તેવા ધનને સાધારણ દ્રવ્ય કહેવામાં આવે છે. કોઈ પણ ખાતાને પિષણની જરૂર હોય અને તેની પાસે દ્રવ્ય ન હોય તે તેને અંગે આ સાધારણુદ્રવ્ય ખરચી શકાય છે. એ ઉપરાંત ઉપરનાં ખાતાં (જિનબિંબ અને જિનમંદિર તથા જ્ઞાન) એનું દ્રવ્ય શ્રાવકના ઉપયોગમાં ન લેવાને અસલ ઇરાદે જણાય છે એટલે કે એનાથી શ્રાવકના હિતનાં ખાતાં ન ચલાવાય. પણ સર્વથી વધારે જરૂર શ્રાવકશ્રાવિકાઓને અંગે દ્રવ્યની લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન એમને જીવનક્રમમાં સ્થિર કરવા માટે એમના શિક્ષણાદિની વ્યવસ્થા કરવા માટે, એમનામાં વ્યવહારકુશળતાનાં, શરીરમરદાનગીનાં, જાહેર મિલનસ્થાને કરવાનાં આદિ અનેક પ્રસંગોને ખ્યાલ કરી સામાજિક અને વૈયક્તિક આવશ્યકતાને અંગે જે ધનને ઉપયોગ કરવાનું યોગ્ય ધારવામાં આવ્યું તે સાધારણુદ્રવ્ય. એને સર્વસામાન્ય ગલ્લે પણ કહી શકાય. આપત્તિ, દુકાળ, નિરાધારતા, નિરાશ્રિતદશા આદિ પ્રસંગે શ્રાવકે આ દ્રવ્યને ઉપયોગ કરી શકે, એમાંથી અભણને ભણાવી શકાય, નિરૂઘમીને ઉદ્યમે લગાડી શકાય અને એ દ્રવ્યને દુરૂપયોગ કરવો હોય તે એમાંથી જમણ ઉજાણી ઊડાવી પણ શકાય. વચગાળાના વખતમાં દેવસેવા કરવા બદલ નોકરી કરનાર જૈનને દેવદ્રવ્યમાંથી જરૂરી પગાર લેતાં સંકોચ થયેલે ત્યારે તેમને પગાર પણ આ સાધારણદ્રવ્યમાંથી આપવાની રીતિ દાખલ થઈ હોય એમ જણાય છે. જે દ્રવ્યને જમણ માટે નિર્માણ કરવામાં આવ્યું હોય તેને તે તેમાં જ વાપરવું ઘટે, પણ એવું દ્રવ્ય નિર્માણ કરી ગયેલાના દ્રવ્યને ઉપયોગ અન્ય સાધારણ કાર્યોમાં કરી નાંખેલા અનેક સ્થળે અનુભવાય છે. આવી પરિસ્થિતિને કારણે સાધારણદ્રવ્ય ઉપર માગણીઓ ઘણી રહેતી આવી છે. નવયુગને એમ લાગશે કે સાધારણુદ્રવ્ય ઉપર કેટલાક અણઘટતા બેજા પડ્યા છે અને કેટલીક વખત જે હેતુથી એ દ્રવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું તેને બદલે ખાડે પૂરવામાં એ દ્રવ્યને ઉપયોગ થઈ ટ્રસ્ટની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. આ વિચિત્ર લાગતી બાબત એમ જણાય છે કે સાધારણદ્રવ્ય ઉપર ઘણું દબાણ થવાને કારણે, જે રકમે દેવદ્રવ્યમાંથી વપરાવી જોઈએ તે રકમ સાધારણ ખાતે ઉધરવાને કારણે અને બની શકતી સર્વ આવકનાં સાધને દેવદ્રવ્યમાં જમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬મું કરવાની પદ્ધતિએ સાધારણખાતાં લગભગ દરેક સ્થળે ડૂબતાં રહ્યાં અને એ ખાડાઓ પૂરવામાં બીનવારસ દાન આપનારાની રકમ સાધારણ ખાતાના ખાડા પૂરવામાં વપરાઈ ગઈ. આ તે ભૂતકાળની દુર્વ્યવસ્થા નવયુગની નજરે થઈ નવયુગ સાધારણ ખાતાને મજબૂત કરવા ખૂબ પ્રયત્ન કરશે. એ કઈ પણ ટ્રસ્ટને ડૂબાડશે નહિ, સાધારણ ખાતાની આવક વધારવા જનાઓ કરશે અને તે પંચાયતી દ્રવ્યને વધારવા ખૂબ રસ્તાઓ કાઢશે. સાધારણખાતાને ઉપયોગ જૈનને વ્યાવહારિક શિક્ષણ આપવામાં, તેમને વેતન (સ્કોલરશીપ) આપવામાં, તેમની પાસે વ્યવહાર ઉચ્ચ પ્રકારને થાય તેવા નિબંધ લખાવવામાં, કેળવણીગૃહે સ્થાપવામાં અને એકંદરે જૈન સમાજને ઉત્કર્ષ થાય તેવા બાળાશ્રમે, વિધવાશ્રમે, વિદ્યામંદિર, યુનિવર્સિટિ (વિશ્વવિદ્યાલયો) સ્થાપવામાં–ચલાવવામાં કરશે. જૈનોને વ્યવહાર અતિ ઉચ્ચ કક્ષાએ મૂકાય તેવી રીતે તેને સદ્દબદ્ધ કરવામાં અને તેનું આખું ધોરણ પાયામાંથી મજબૂત કરવામાં તે દ્રવ્યને વ્યય કરશે. નવયુગ એમ માનશે કે જૈને હશે તે મંદિર જળવાશે, જ્ઞાન વંચાશે, વીરના સંદેશા જગતને પહોંચાડી શકાશે, અહિંસા, સંયમ અને તપને બહલાવી શકાશે અને સર્વ ખાતાઓને પહોંચી શકાશે. તેઓના મતે અમુક અપેક્ષાએ પૂજા કરનારની આવશ્યકતા માટે વારસો જાળવવાને અંગે વિશેષ જણાશે અને તેથી સંખ્યાબળ વધારવામાં અને હેય તેને મજબૂત કરવામાં એ સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાની જરૂરિયાત વધારે માનશે. પ્રાચીન એમ માનતા હતા કે મંદિર હશે તે પૂજા કરનારા આવી પડશે, નવો યુગ માનશે કે મંદિરની રક્ષા કરવા માટે જૈનેની આવશ્યકતા ખાસ છે. પૂજા કરનાર નહિ હોય અથવા પિતાના ઉદરનિર્વાહના કામમાંથી ઊંચા આવી શકે તેમ નહિ હેય તે મંદિરને ઉપયોગ શો છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ નવયુગનો જૈન મંદિરની જાળવણી, વૃદ્ધિ અને વિસ્તાર માટે શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને ઉન્નત કરવાની, સ્થિત કરવાની, મજબૂત ધ્યાનમાં વધારે આવશે. કરવાની જરૂર તેમના આવા અનેક વિચારો અને ચર્ચાને પરિણામે સાધારણ દ્રવ્યની વધારે ઉત્પત્તિ થાય અને તેને મજબૂત કરવાની આવશ્યકતા ખાસ. જણાય તે નવયુગની નજરે તદ્દન સામાન્ય અથવા સ્વાભાવિક હકીકત ગણાશે. એ સાધારણ દ્રવ્યમાંથી અનેક શ્રાવકશ્રાવિકાના વ્યવહારને મજબૂત કરનારાં ખાતાં જન્મશે, એમાંથી શ્રાવિકાએને માંદાંની માવજત, પ્રસૂતિ સમયનું દાર્દક, ઉદ્યોગથી ધન કમાવાની માનસહ યેાજના થશે. સુંદર આરાગ્યમદિરા, દવાખાનાં આદિ અનેક સગવડ થશે અને તેમાંથી ઉદ્યમગૃહા, કળાશાળાઓ, કૌશલ્યમંદિશ આદિ અનેક રચના થશે. ટૂંકામાં કહીએ તેા નવયુગ આ પંચાયતી દ્રવ્યમાંથી શ્રાવકસંસાર ઉચ્ચ બનાવવા પૂરતા પ્રયાસ કરશે. એની આખી યેાજના એવા પ્રકારની કરો કે હામ ઠામ હજારા લાખા રૂપિયાની સંખ્યામાં સાધારણ દ્રવ્ય ડામ ઠામ વધે અને તેની વૃદ્ધિને માટે નવીન નવીન યેાજના થયા કરે. જ્યાં ટ્રસ્ટથી ખાસ રકમ નિર્માણ કરવામાં આવી હશે તે લાડવા જમવામાં કે સાકરનાં જ્યારે આખા સમાજ સડી જતા અને તેની સંખ્યા અને તેનાં તે વખતે મીઠાઈ ઉડાવવી આથી આગળ વિષય જાય જ્યાં તે પર વિચાર સ્થિત કરવા માટે સિવાયના સાધારણદ્રવ્યને ઉપયેાગ પાણી પાવામાં નવયુગ નહિ કરે. હાય, તેને ક્ષય રાગ લાગ્યા હાય સમાજનાં સ્થાન ભૂંસાતાં જતાં હોય એ અંતઃકરણના અટ્ટહાસજેવું લાગશે. ત્યારે તે વ્યાવહારિક સ્થિતિમાં લઇ જાય છે થવાના છે. ધાર્મિક નજરે તે ધર્મ માર્ગોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ સુ વ્યાવહારિક તૈયારીઓને ધર્મના ભાગ ગણવામાં આવશે અને તે પૂરતું એ વિષયને અત્ર સ્થાન છે. ૧૯૭ નવયુગ ઉચ્ચ વ્યવહારને ધર્મનું અંગ ગણશે એટલે ઉપરના દેખાતા વિરાધ તેમની નજરમાં મહત્ત્વના નહિ લાગે. સાધારણુ ખાતામાંથી ભાષણગૃા, પુસ્તકાલયા અને સભાસ્થાન પણ બનશે. નવયુગ આવા પ્રકારના શિક્ષણને ધર્મનું અંગ માનશે. એ સાધારણ દ્રવ્યથી વ્યાયામશાળાએ સ્થાપશે, શરીરની મજબૂતીને હૃદયમજબૂતીની સાથે સંબંધ કેટલેા છે. તેને અભ્યાસ કરી તે આ બાબતને નિર્ણય કરશે. જૈન સમાજની સમુચ્ચયે અને વ્યક્તિગત પ્રત્યેક જૈન પુરુષશ્રીની ઉન્નતિના રસ્તા કરવાના કામાં આ સાધારણુદ્રવ્યના ઉપયાગ કરવામાં આવશે. સાધારણુદ્રવ્યને વ્યય કરવા માટે એકાદ ધનપતિના હાથમાં સત્તા નહિ રહે, પણ મતાધિકાર પ્રમાણે ઠામ ઠામ એની વ્યવસ્થા કરનાર વિચારમ’ડળ અથવા વ્યવસ્થાપક મ`ડળ નિમાશે. એ મંડળ પોતાનાં ગામ કે શહેર પૂરતી વિચારણા કરી દ્રવ્ય ઉત્પત્તિના અને ખર્ચનાં માર્યાં નિર્માણ કરશે. નવયુગ એકહથ્થુ સત્તાની વિરુદ્ધ રહેશે. પ્રત્યેક સભ્યને જુદા જુદા વિભાગીય ક્ષેત્રા સાંપવામાં આવશે અને તેના નિવેદન ઉપર વ્યવસ્થાપક મંડળ છેવટના નિણૅય કરશે. આ ઉપરાંત એક કેંદ્રસ્થ સાધારણુ—પંચાયત ખાતું સ્થાપવામાં આવશે. તે સમસ્ત જૈન ક્રામના સામાન્ય હિતના પ્રશ્નેાને નિકાલ કરશે. વિશ્વવિદ્યાલય, કેંદ્રસ્ય કેળવણીમ`દિર જેવાં ખાતાંએની વ્યવસ્થા આ કેંદ્રસ્થમ`ડળ કરશે. આવા ખાતાનું ભડાળ લાખા અને કરેાડા સુધી વધારવામાં આવશે અને તે દેખાવ કરતાં ઉપયાગિતા અને ઉપર ઉપરની ટાપટીપ કરતાં જૈન સમષ્ટિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન હૃદય સુધી પહોંચવા પ્રયત્ન કરશે. આ વ્યવસ્થિત કેંદ્રસ્થ મંડળ સ્થાનિક સાધારણ ખાતાઓને સલાહ અને સહાય આપનાર તરીકે કાર્ય કરશે. એને સત્તાને કે અધિકારને લેભ નહિ રહે, પણ એની નજર વિશાળ જૈન કેમ તરફ અને તેના અન્ય સાથે તેમજ રાષ્ટ્ર સાથે સંબંધના ગૂંચવણવાળા પ્રશ્ન તરફ મુદ્દામ રીતે રહેશે અને જનતાને આશ્ચર્ય થાય તેવી સીફતથી એ આખી વ્યવસ્થાને સમાજહિતને માટે ધર્મને અવિરોધપણે અને રાષ્ટ્રહિત જાળવીને અપનાવવા શકિતમાન થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું સામાજિક ધર્મને અંગે કેટલાક અગત્યના મુદ્દાને નવયુગ સાથે સંબંધ જોઈ ગયા. ધર્મના વિષયને અંગે ઘણું વક્તવ્ય છે, કારણકે સર્વ મુદ્દાઓની વિચારણામાં ધર્મને સીધે કે આડકતરે સંબંધ તો રહેવાનું જ છે. પણ વિષય એકદેશીય ન થઈ જાય તે ખાતર આપણે સામાજિક બાબતે પર જરા વિચારધારા ફેરવીએ. દરેક વિચારમાં ધાર્મિક પરિસ્થિતિને કેંદ્ર સ્થાને રાખીને જ વિચારણું કરવામાં આવશે. પ્રાસ્તાવિક સ્વાભાવિક પ્રશ્ન થાય તે છે કે ધર્મને આટલું મહત્ત્વ નવયુગ આપશે ખરો? એને કેન્દ્રસ્થાને રાખશે? કે એને ગૌણ કરી દેશે? આ આખે ચાવીને પ્રશ્ન છે અને પહોંચી શકે તેટલી કલ્પના કરતાં નવયુગ ધર્મને ઘણું વધારે મહત્ત્વ આપશે એમ ચેકસ દેખાય છે. અત્યારે જેમાં ધર્મ માનવામાં આવે છે તેને ઘણે ભાગ ઉડી જશે અથવા પરિવર્તન પામી જશે અને આ યુગના ત્રાજવાથી તોળવામાં આવશે તે નવયુગમાં ધર્મ જેવું કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન રહેશે નહિ અથવા અતિ અલ્પ રહેશે. અત્યારે ધર્મ શેમાં મનાય છે તે પર ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હેય. માત્ર બાહ્ય કિયા થડી જતાઆવતાં કરવી, વ્યવસ્થા કે ધારણ વગર અમુક ક્રિયાની ગંભીરતા કે તેનું હાર્દ સમજ્યા વગર તેમાં પસાર થઈ જવાને દેખાવ કરે, અમુક પ્રકારને હેલમાર્ક (ઘણા માટેસર્વ માટે નહિ) કપાળે કરવો અને શેડા નિયમ રાખવા – અમુક તિથિએ લીલેતરી ન ખાવી, રાત્રિભોજન ન કરવું – આ ધર્મ મનાય છે. વિશેષ ચુસ્ત હેાય તે બાહ્ય ક્રિયા સહજ વધારે કરે, છેડા ઉપવાસ એકાસણું કરે – અહીં આખું લીસ્ટ પૂરું થાય છે. ક્રિયાને ઉદ્દેશ શો, આત્મવિકાસનાં પગથિયાં કેવાં બંધાયાં છે, ક્રિયાને વિકાસ સાથે સંબંધ છે, આત્મા કોણ છે, છે કે નહિ, હેય તે તેનું સ્વરૂપ શું છે, પ્રત્યગાત્માને જગત સાથે સંબંધ છે છે, કર્મથી મુક્તિ થયા પછી એની શી સ્થિતિ રહે છે એવા એવા અંતિમ પ્રશ્ન કે ચેતન અચેતનના સંબંધ, કારણે, નિમિત્તે આદિ મહાપ્રન્ને સાથે જૈન કેમના ૯૯ ટકાને કાંઈ લાગતું વળગતું નથી. એ મહા તત્વજ્ઞાન છે અને દુનિયાને ઝેબ કરી નાંખે એવું એનું તર્કજ્ઞાન છે, એ એનો નયવાદ છે, એવો એનો કર્મનો સિદ્ધાન્ત છે, અનેક બાબતોથી ભરપૂર એ સન્નહબદ્ધ પરિપૂર્ણ દર્શન છે એને વિચાર જૈનના ઘણા મોટા ભાગને નથી અને અત્યારે જે બાહ્ય દશાએ શાસન ચલાવવામાં આવે છે તેમાં એને સ્થાન પણ નથી. છેલ્લા બે ત્રણ સૈકાથી તે જ્ઞાન ઉપર જૈન કેમને વૈરાગ્યવિરાગ થઈ ગયો છે અને છતાં એનું ગાડું ચાલ્યું જાય છે. એ કાળમાં જે પ્રકારને ધર્મ ચાલ્યું છે અને જેના સંબંધમાં પ્રખર વિચારકેએ સખ્ત ફરિયાદ કરી છે તેવા પ્રકારને ધર્મ નવયુગમાં ટકવાને જરા પણ સંભવ નથી. એ ધર્મ કેવા પ્રકારને જામશે અને ક આકાર લેશે તે આ આખા પુસ્તકની પંક્તિએ પંક્તિએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું જw w તારવવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એના વ્યવહારની વિચારણામાં પણ મધ્ય સ્થાને તે ધર્મ જ રહેશે. વ્યવહારને સામાજિક બાબતેને વિચાર કરતાં અનેક પ્રશ્ન એક સાથે ખડા થઈ જાય છે. એને એક સાથે વિચાર ન થઈ શકે. પ્રથમ આખા સમાજને સત્તબદ્ધ રાખવા માટે કયા ઘેરણે કામ લેવામાં આવશે તે પર વિચાર કરીએ. સંઘબંધારણ સમાજને સુનિયંત્રિત રાખવા માટે વ્યવસ્થિત મંડળ કેવી રીતે કરવું તેને વિચાર કરતાં નવયુગ ચાલતા “સં” તરફ જોશે. ત્યાં તેને નીચેના વાંધાઓ માલૂમ પડશે. સંઘવ્યવસ્થામાં ધનવાનેને જ સક્રિય કાર્ય કરવાનો અધિકાર રહે છે. સંઘવ્યવસ્થામાં ધનવાને પકી પણ જેઓ રોવટિયા, ખટપટી અને અંતરડસ વગરના હોય છે તેમને જ સ્થાન મળે છે અથવા તેઓ તે સ્થાન પિતાને માથે આરેપ કરી લે છે. - સંઘવ્યવસ્થામાં ગરીબ વર્ગને કોઈ પ્રતિનિધિ પણ હેતે નથી અને તેમના મતની કદિ ગણના પણ થતી નથી અને તેમને પૂછવાની જરૂર હોય એમ પણ ધારવામાં આવતું નથી. સંઘવ્યવસ્થામાં થાવાળે અથવા બહુ બેલ બેલ કરનાર માણસ ફાવી જાય છે જ્યારે શુદ્ધ પ્રમાણિક પણ ઓછું બોલનારને સ્થાન નથી. સંઘવ્યવસ્થામાં પ્રતિનિધિ તત્વ નામનું પણ નથી. સંઘ કેટલીક વાર ચતુર્વિધ કહેવાય છે, છતાં સ્ત્રીઓની હયાતી પણ સંઘે સ્વીકારી હોય એમ કોઈ સ્થાને જોવામાં આવ્યું નથી. સર્વ સામાન્ય પ્રશ્નમાં તે નહિ જ, પણ ખાસ સ્ત્રીઓને લગતા પ્રશ્ન પર પણ તેને સંધમાં બોલાવી હોય એમ જણાતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન નથી. સ્ત્રી સંબંધી સર્વ પ્રશ્નને નિકાલ એકતરફી જ થાય છે અને છતાં ગણ્યાગાંઠ્યા વગરનિમાયેલા આગેવાને જે ઠરાવ કરે તે સ્ત્રીઓ ઉપર, મતાધિકાર વગરના ગરીબ કે મધ્યમ વર્ગ ઉપર બંધનકર્તા ગણવામાં આવે છે. સમગ્ર સંઘના પ્રથનાને અંગે સાધુસાધ્વીને કદી પૂછવામાં આવ્યું હોય કે તેમને સંઘના મેળાવડામાં હાજર રહેવા આમંત્રણ થયું હોય તેવું જાણવામાં નથી. માત્ર કોઈ વાર તેમને આગેવાને શેત્રુંજની રમતના પ્યાદા કરી શક્યા છે, પણ તે અમુક મુદ્દાઓ સાધવા પૂરતા જ. સાધુસાધ્વીને સામાજિક વિધાનમાં કશું સ્પષ્ટ સ્થાન મળ્યું નથી. સંધના આગેવાનના ફેંસલાએ દીર્ધદષ્ટિવ બહુધા બતાવ્યું નથી. સદર ફેંસલાઓ તદ્દન નિષ્પક્ષપાતપણે અપાયા હોય એવું ઘણી વાર બન્યું નથી. એક સરખા પ્રસંગમાં અરસ્પર વિરૂદ્ધ ફેંસલાઓ વ્યક્તિને લઈને અપાયા છે. સંઘે એકઠા મળીને કદી પણ સામાજિક સ્થિતિને વિચાર કર્યો નથી, સમાજની પ્રગતિના સંબંધમાં પિતાની કાંઈ ફરજ છે એ ખ્યાલ પણ કર્યો નથી અને જૈન દર્શનની પ્રગતિ પ્રસાર કે વિસ્તાર માટે એમનું કાંઈ પણ કર્તવ્ય હતું એ ખ્યાલ પણ કર્યો નથી. એણે અવ્યવસ્થા એટલી હદ સુધી કરી છે કે કોઈ પણ સંધની પાસે એના હાથ નીચે પુરુષ સ્ત્રી, બાળકબાલિકાની સંખ્યા કેટલી છે તેના આંકડા કોઈ વખતે મેળવ્યા નથી. એના દર વર્ષે કે અમુક વર્ષને અંતરે આંકડા મેળવવા જોઈએ અને વ્યવસ્થિત રાખવા જોઈએ એ જરૂરી બાબત તરીકે પણ કઈ સંધે સ્વીકારેલ નથી. પરિણામે કોઈ પણ સંઘને પૂછવામાં આવે કે તેને અધિકાર કેટલા પર ચાલે છે તેના આંકડામાં પચીસથી પચાસ ટકાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સુ ફેર આવશે અને તે સર્વ અરિયા જ વાત હશે. ૩૫૦૦ની સંખ્યાવાળા સંઘના આંકડા ૬૦૦૦ સુધી ગમે તે ખેલાશે. ૧૯૩ આંકડાની ગેરહાજરીમાં દશ વર્ષે કેટલા વધ્યા તેની સાથે સંધને કાંઈ લેવાદેવા નથી એવી સ્થિતિ થઈ ગઇ અને તેથી સંખ્યા ઘટતી ગઈ તે વાતે સંધના વિચારમાં કદી ચિંતા ઊભી કરી નથી. આર્થિક પરિસ્થિતિમાં વ્યાપાર ધામાં સંઘે સમુચ્ચયે પ્રગતિ કરી કે પશ્ચાદ્ગતિ કરી તે વિચારવાનું સબને હાય જ નહિ એવી નિવેદવૃત્તિ સધે ધારણ કરી એની પ્રાથમિક ફરજમાંથી મુક્તિ મેળવી છે. સંધ મળવાના એ જ પ્રસગા બહુધા રહ્યા છેઃ કાઈ સંધ જમણુનું આમંત્રણ આપે તેના સ્વીકાર કરવા અને અમુક ગુના અદલ અથવા અંગત દ્વેષથી કાઈ તે સંધ બહારની સજા કરવા. સધના ફેંસલાઓએ જનતામાં વિશ્વાસ ફેલાવ્યે। નથી અને ભય ફેલાવ્યા છે તે માત્ર અંગત અગવડને અંગે, પણ વસ્તુપરીક્ષણ તેના ત્યાજ્યત્વ કે સ્વીકારના ધેારણે બહુધા ફે સલા અપાયા નથી. સધ પાંખમાં લેનાર વડીલ–પિતાના સ્થાનને બદલે વહીવટ કરનારી પેઢીનું રૂપક બની ગયા છે. આ તા ઘણાં ઉપર ઉપરનાં કારણે। અત્ર નાંધ્યાં છે. તે અને ખીજાં અનેક કારણેાને લઈને પ્રચલિત બંધારણ નવયુગને આકર્ષીક લાગશે નહિ. સંઘની નવીન રચના ઉપરનાં કારણાને લઈને સધબંધારણની રચના હાથ ધરવામાં આવશે. અહીં એક વાત સ્પષ્ટ કરવાની જરૂર છે. અત્યાર સુધી સધ' શબ્દ એક ગામ અથવા શહેરના જૈને અથવા વધારે < ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪ www નવયુગને જૈન ચેખવટથી બેલીએ તે વેતાંબર સંધ, સ્થાનકવાસી સંધ, એટલે એક ગામમાં એકથી વધારે સંધ હોઈ શકે. મુંબઈ જેવામાં તે ઓછામાં ઓછા દશ બાર સંઘે મોજુદ છે, કદાચ તેથી ઘણા વધારે હશે. આથી વધારે વિશાળ સંધ હોઈ શકે એવો ખ્યાલ પ્રાચીન જૈનેને આવ્યું નથી. આપણે હાલ એ જ અર્થમાં સંધ શબ્દ વાપરશું. ત્યાં નવયુગ એક શહેરના જૈનેને એક જ સંધ કરી શકશે. મંદિર કે સ્થાનકની વહીવટી બાબત એ પેટાકમિટીને સેપી એ અભંગ અખંડ એક સંઘની ભાવના પ્રથમ ગામ કે શહેર પ્રત્યે દાખલ કરશે અને પછી તેમાં વધારે કરશે. સંઘનું બંધારણ વ્યવસ્થિત અને લેખિત કરવામાં આવશે. મુદાને નિર્ણય એક ગામને સમસ્ત સંઘ કરશે. યાજના પ્રમાણે અમલ કમિટી કરશે. કમિટીની નિમણુક સંઘ ચુંટણીના ધોરણ પર કરશે. તેમાં સ્થાન કામ કરનાર સેવાભાવીને મળશે. ધનવાનને અગ્ર હક રદ થશે. તે સેવાભાવી હશે તે સમિતિમાં આવી શકશે, પણ તેની સેવાને કારણે અને નહિ કે ધનને કારણે. સંઘમાં સ્ત્રી અને પુરુષ સજ્ઞાનને મત આપવાને અને હાજર રહેવાને તથા સમિતિમાં બેસવાને સમાન હક રહેશે. - સાધુસાધ્વીને સંઘબંધારણમાં બિલકુલ સ્થાન નહિ રહે. ચતુર્વિધ સંઘ એ સમૂહ બતાવનાર જૈન વર્ગનું સમુચ્ચય નામ છે. સાધુસાધ્વીને વહીવટી બાબતમાં ઉતારવા એ એમના ગૌરવને હાનિ કરનાર છે એમ ધારવામાં આવશે અને નવયુગના ઉપર વર્ણવ્યા છે તેવા પ્રકારના સાધુ સંઘ કાર્યમાં સક્રિય ભાગ લેશે પણ નહિ તેમનું કાર્ય ઉપદેશ અને પ્રેરણા આપવાનું રહેશે અને તેમનું નિયત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું સ્થાન ન હોવાથી તેમને સંધમાં સમાવેશ વસ્તુસ્થિત્યા અશક્ય ગણવામાં હશે. જે સ્ત્રીઓને અત્યાર સુધી સંઘમાં બેલાવી નથી, બોલવા દીધી નથી, સાંભળી નથી, તે નવયુગમાં ખૂબ રસ લઈ સંધિકાર્યમાં ભાગ લેશે અને સમસ્ત સંધને મેળાવડે થશે ત્યારે પ્રમુખની આખી જમણી બાજુ સ્ત્રીઓ લેશે અને તે બાજુ ભરચક રહેશે, ડાબી બાજુ પુરુષોને આપવામાં આવશે. સંધ અને તેની સમિતિનું કામ બહુ મતના ધોરણે થશે. સંધ પિતાના શહેરના જૈનેનું વસ્તીપત્રક વગેરે જરૂરી સર્વ આંકડા વખતોવખત એકઠા કરશે. સંઘ સાધારણ ખાતાને વિશેષ પુષ્ટ કરશે. સર્વ ખાતાઓ સંઘની દેખરેખ નીચે ચાલશે. નાની નાની ઉપસમિતિઓ પિતા યોગ્ય કાર્ય સેવાભાવે ઉપાડી લઈ તેને ઠરાવ પ્રમાણે અમલ કરશે. સંઘના ફેંસલામાં વિશાળતા દીર્ઘદૃષ્ટિતા અને માર્ગદર્શિતા આવશે અને મહત્વના ફેંસલાઓને સંગ્રહ કરવામાં આવશે. સમૂહબળ એ શી ચીજ છે, પ્રત્યેક વ્યક્તિને સમૂહબળથી કેટલી દૂફ રહે છે, સલાહ, સહાય અને સૌહાર્દને શો મહિમા છે, સ્વામીવાત્સલ્યને ભગવાને શા માટે સાચામાં સાચું સગપણ કહ્યું છે એના જીવંત દાખલા સંધ આપશે. એ પ્રત્યેક વ્યક્તિને ઓળખશે, એને ભણાવશે, રસ્તે ચઢાવશે, એની આપત્તિ વખતે યોગ્ય સહાય કરશે અને પ્રત્યેક અંગના ઉત્કર્ષમાં સમાજન–સંઘને ઉત્કર્ષ માનશે. સંધ એ સત્તાધારી મંડળને બદલે પરસ્પર સહાય કરનાર મંડળ બની જશે અને એના કાર્યવાહકે પિતાને શેઠ નહિ પણ સેવક માનશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન સ,.......... ~ -~ .. રૂ સજ્ઞાન સર્વ જૈનને મતાધિકાર મળશે. સંધના ફેંસલા એક નાની સમિતિ આપશે. તે નિષ્પક્ષ અને સાપેક્ષ રહેશે. સંઘના ફેંસલા તરફ જનતાની રૂચિ ઉત્પન્ન થશે અને લેકે તેને વધાવી લેશે. સંધ સ્થાનિક સર્વે પ્રશ્ન વિચારશે. સામાજિક પ્રશ્નો તે શહેરને લાગેવળગે તેટલા જ વિચારશે અને વિશેષ વિશાળ–મેટા પ્રશ્ન ઉપર પ્રાંતિક સંગઠનને લખી મોકલશે. પ્રત્યેક જૈન વ્યક્તિને કેવી રીતે અગવડમાંથી દૂર કરાય તે સંબંધી તે બનતી યોજના કરશે. તે માત્ર નેતરાં માનવાં કે સંઘબહાર કરવા જ નહિ મળે અને એ બંને બાબતે તે નવયુગમાં તદ્દન નહિવત થશે, પણ ખરું કાર્ય છે તે સહકારનું કરશે. આર્થિક પ્રશ્ન વિચારવા, વ્યાપારધંધે, ખેતી ઉત્પત્તિ, સ્વદેશી, ઔદ્યોગિક એ સર્વ પ્રશ્ન સ્થાનિક દૃષ્ટિએ વિચારશે અને સહકારી મંડળ (કે-ઓપરેટીવ)ને ધોરણ ઉપર જેની પાસે વધારે ધન હશે તેનું જમે કરી જેને જરૂર હશે તેને યોગ્ય સલામતી સાથે પીરશે. એકંદરે સંઘના સભ્યની સર્વ પ્રકારની અડચણે–અગવડો દૂર કરવા સ્થાનિક સંધ મજબૂત પ્રયત્ન કરશે. સંઘબંધારણના ઘણાખરા નિયમે સર્વ સ્થાને સામાન્ય રીતે એક સરખા રહેશે, પણ સ્થાનિક પરિસ્થિતિ પર લક્ષ્ય રાખી જરૂરી વધારા સુધારા કરવામાં આવશે. પ્રત્યેક સજ્ઞાન સ્ત્રીપુરુષ જૈનના મતાધિકાર સંબંધમાં કોઈ પ્રકારને અપવાદ કરવામાં આવશે નહિ. એ ઉપરાંત ઉપયેગી પ્રશ્ન વિચારવા અને પરસ્પર સહાય કરવા પ્રાંતિક સંઘ સંગઠનને પણ આવિર્ભાવ થશે. તેમાં સ્થાનિક સંઘે પ્રતિનિધિ મોકલશે અને આખા પ્રાંતને લાગુ પડે તેવા પ્રશ્ન આ પ્રાંતિક સંગઠને વિચારશે, નિરધારશે અને તેની અને સ્થાનિક સંઘની વચ્ચે ખૂબ સહકાર અને આદર રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું પરિષદ સમસ્ત સંધ–આખા હિંદના સંઘ ઉપર એક પરિષદીય બંધારણ થશે, જેના હાથ નીચે પ્રાંતિક સંગઠને કાર્ય કરશે. આ પરિષદ તે અત્યારની કોનફરન્સનું રૂપક લેશે અને સમસ્ત જૈન કેમનું પ્રતિનિધિ બનશે. દિગંબર, સ્થાનકવાસી, શ્વેતાંબર કેન્ફરન્સની આવશ્યકતા નહિ રહેવાથી તે સર્વ બંધારણનું એકતાના રૂપમાં પરિવર્તન થઈ જશે. આ પરિષદ તે વર્ષમાં ત્રણ ચાર દિવસ મળનાર મેળાવડે જ માત્ર નહિ રહે, પણ તે આખા વર્ષમાં કામ કરનાર જીવતું સક્રિય રૂપ લેનાર મંડળ થશે. એના અધિવેશન વખતે સ્થાનિક સંઘે જૈન વસ્તીના પ્રમાણમાં ઠરાવવામાં આવશે તે સંખ્યામાં પ્રતિનિધિ મોકલશે. એ અધિવેશન વખતે અતિ અલ્પ સંખ્યાવાળું એક કાર્યવાહક મંડળ નીમવામાં આવશે જે વર્ષ દરમિયાન વ્યવહાર અમલી કાર્ય કરશે અને અધિવેશનના ઠરાના અમલ કરાવશે. એને પ્રસંગ પ્રાપ્ત થતાં મહાસભા-પરિષદના મૂળ સ્વરૂપને અનુરૂ૫ ઠરાવ કરવાની સત્તા રહેશે. તાત્કાલિક સલાહ લેવા માટે સમસ્ત ભારતીય પરિષદ સમિતિ પણ નીમવામાં આવશે (અધિવેશન વખતે) અને તે ખાસ આવશ્યક પ્રસંગમાં કાર્યવાહક સમિતિને સલાહ આપશે. કાર્યવાહક સમિતિ તથા અખિલ ભારતીય સમિતિના સભ્યોની સંખ્યા અધિવેશન મુકરર કરશે. સમસ્ત ભારતસંધ અથવા પરિષદમાં સર્વ ફીરકા, ગચ્છે કે જ્ઞાતિના ભેદ સિવાય વીતરાગને ધર્મ સ્વીકારનાર સર્વને પ્રતિનિધિ મોકલવાને અધિકાર રહેશે. એ પ્રતિનિધિની પસંદગીમાં વિદ્યા અભ્યાસ અનુભવને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. સ્ત્રી અને પુરુષ અને પ્રતિનિધિ થઈ શકશે અને ચુંટાશે તે સમિતિ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન કામ કરી શકશે. સ્ત્રીઓ ખાસ પ્રતિનિધિત્વ માગશે નહિ. તેને વિકાસ એટલે થઈ ગયું હશે કે પુરુષ તરફની કૃપાની તેમને જરૂર રહેશે નહિ, તેઓ પિતાના બળથી જ અધિવેશનમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લેશે. અધિવેશનમાં સમસ્ત જૈન કમને લગતા પ્રશ્ન ઉપર ચર્ચા અને ઠરાવો થશે. જૈનધર્મને વિશ્વધર્મ કરવાની અનેક નવી નવી જનાઓ વિચારી તે પૈકી જેનો વ્યવહાર શક્ય હોય તેને અમલ કરવાનો નિર્ધાર કરવામાં આવશે અને ઠરાવ કરીને અટકી ન જતાં તેને અમલ કરવામાં આવશે. સાહિત્યના પ્રસાર, જનપયોગી સાહિત્યની રચના, પૂર્વકાળના સાહિત્યને ઉદ્ધાર, ઔધોગિક આર્થિક પ્રકોની વિચારણા, જનતામાં જૈનોનું સ્થાન, દુનિયામાં ઉઠતા રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રના પ્રશ્ન પર વિચારણ, વ્યાપાર-મારીને અરસ્પર સંબંધ એવા સર્વ પ્રજોને નિકાલ કરવામાં આવશે. જૈનેના હાથમાંથી કોઈ વ્યાપાર ચાલ્યા જતા કે મંદ થતા જણાશે તે તેની તપાસ, જરૂરી બાબત પર કમિશન આદિ અને વ્યાવહારિક પ્રશ્નો પર વિચારણા અને અમલ કરવામાં આવશે. જેને સાંસારિક વ્યવહાર સુધરે, ઉચ્ચ કક્ષા પર જાય તેવા લગ્નની તથા રીતરિવાજના પ્રશ્ન પર નિર્ણય કરવામાં આવશે અને કેટલાક સલાહ આપનારા ઠરાવો પણ કરવામાં આવશે. જેન વસ્તીના આંકડા સ્થાનિક અને પ્રાંતિક સંઘ અને સંગઠને તરફથી મળેલ હશે તેને સમુચ્ચય કરી તેના ઉપર અનેક જાતના ઠરાવો કરવામાં આવશે. અને આગામી પ્રગતિના માર્ગો વિચારવામાં આવશે. સમસ્ત જૈન કેમમાં કેઈ અભણ ન રહે તેની પ્રથમ પેજના કરવામાં આવશે. ત્યાર પછી માધ્યમિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું vvvv અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, વ્યાપારી અભ્યાસ, વિજ્ઞાનને અભ્યાસ કેળવણીની અનેક દિશાઓ ખેલવા માટે સક્રિય ઠરાવ કરવામાં આવશે. કેળવણીગૃહ, બોર્ડિગે અભ્યાસને એવી રીતે જવામાં આવશે કે વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ ગૂંથાઈ જાય અને પરિણામે સેવાભાવી સાદા જીવનને વહન કરવાવાળા ત્યાગસન્મુખ માણસો ઉત્પન્ન કરવા પણ તે નજર રાખશે. કેળવણીની સંસ્થાઓ કરવામાં જૈન કોમની જરૂરિયાત અને આજુબાજુનું વાતાવરણ એ સર્વની સાથે ચાલવા પૂરતી ચિવટ રહેશે અને તે સર્વમાં જૈનની મૂળ ભાવના ઉપરથી લક્ષ્ય કદિ ખેંચી લેવામાં નહિ આવે. આખી યેજના આશય એ રહેશે કે જૈનમાં નિરાશ્રિત શબ્દ ન રહે અને સખત હરીફાઈ જમાનામાં જૈને પિતાનું સ્થાન જાળવી રાખે અને આગળ ધપાવી શકે. આ દેખીતી મુશ્કેલ બાબત સર્વના સહકારથી સ્થાપવા જૈને દાવો કરશે અને એક પિતાના પુત્રની માફક પરસ્પર પ્રેમથી તેને પ્રાપ્ત કરશે. પરિષદમાં સમસ્ત જૈન કેમને લાગેવળગે તેવા સામાન્ય પ્રશ્ન જ વિચારવામાં આવશે. મંદિર અને તીર્થના પ્રશ્ન વેતાંબરે પિતાની વિભાગી પેટા પરિષદમાં વિચારશે અને દિગંબરે પિતાની પેટા પરિષદમાં વિચારશે, પણ તીર્થ કે મંદિર અન્યને બાધા પીડા કરનાર ન થાય અને વીતરાગના શાસનમાં વૈરવિરોધ વધારવાનું નિમિત્ત સીધી કે આડકતરી રીતે બની ન આવે તેની ચીવટ રાખવામાં આવશે. પરિષદ રાષ્ટ્રધર્મ ઉપર ખૂબ ધ્યાન આપશે. ધર્મ પરિષદ એકદેશીય કે કેમ ન થઈ જાય તે મુદ્દા પર ચીવટ રાખી અમલ કરશે. જૈન તત્વજ્ઞાનના પ્રચારથી જનતાને ખાસ લાભ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ २०० નવયુગને જૈન એના લડાઈ દારૂગોળાના પ્રશ્નના નિકાલ ત્યાં જ પ્રાપ્તવ્ય છે એ દષ્ટિએ અને જનતામાં મૈત્રીભાવ તથા અહિંસા ફેલાવવામાં જ તે પિતાનું અસ્તિત્વ સકારણ અને સફળ થયેલું માનશે. આ મુદ્દા પર ચીવટ રાખી ધ્યાન આપવામાં આવશે. આવા અધિવેશનનું પ્રમુખસ્થાન અનુભવી વિદ્વાન અને સિદ્ધ દીર્ઘદૃષ્ટા જૈનને આપવામાં આવશે. એ યોગ્ય સન્નારી કે સજજન હેઈ શકે. ધનવાનને એ સ્થાન પર હક નહિ રહે, છતાં ધનવાન પણ અનુભવીની કક્ષામાં આવી શકે તેવા હોય અને તે સ્થાનને આધિપત્ય કે શેઠાઈના સ્થાન તરીકે નહિ પણ સેવાને ઉજજવળ પંથ ઉઘાડનાર તરીકે સમજનાર હશે તે ધનવાન હવા ખાતર તેનો નિષેધ કરવામાં નહિ આવે. સ્થાનિક સંધેના તફાવતને નિર્ણય પ્રાંતિક સંગઠન કરશે, પણ અતિ ગૂંચવણવાળી કે મુદ્દાની બાબત હશે તે તેને નિકાલ કાર્યવાહક મંડળ કરશે. આ પરિષદ મંડળનાં સ્થાને જરૂરિયાત પ્રમાણે પ્રતિપ્રાંતમાં ગોઠવવામાં આવશે. એની મુખ્ય જગા એક વર્ષ માટે કઈ મધ્યસ્થ સ્થળે અથવા કાર્યવાહક મંડળ ઠરાવે ત્યાં રાખવામાં આવશે. કાર્યવાહક મંડળ લગભગ ૧૫ સભ્યનું બનશે, ભારતીય સમિતિ લગભગ ૩૦૦ સભ્યોની બનશે. આ સંખ્યામાં ફેરફાર જરૂરિયાત પ્રમાણે વખતોવખત થયા કરશે. આખી યોજના યંત્રવત કાર્ય કરશે અને આખું મંડળ અને એનું પ્રત્યેક અંગ પિતાનું કાર્ય બરાબર બતાવી શકશે. સમસ્ત હિંદની, પ્રાંતની અને સ્થાનિક કાર્યોની, કાર્ય કરનારાઓની અને અમલ કરવાની પદ્ધતિની એવી સુંદર યોજનાપૂર્વકની વ્યવસ્થા કરવામાં આવશે કે આખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭મું ૨૦૧ જના કોઈ ઠેકાણે સંવદન નહિ કરે કે પરસ્પર ગૂંચવાઈ નહિ જાય અને ક્ષેત્રમર્યાદાની કઈ ગૂંચવણ થશે તે કાર્યવાહક મંડળના ફેંસલાને જનતા શિરસાવંઘ ગણશે. આખું સંઘ સંગઠન અને અને પરિષદનું આખું બંધારણુ લેખીત કરવામાં આવશે અને તેમાં શંકા કે ગૂંચવણને સ્થાન ન રહે તેટલું તે સાદું, સ્પષ્ટ અને વ્યવહાર કરવામાં આવશે. આ પરિષદ આદિમાં વિચારવાના અનેક પ્રશ્નો અહીં નથી ચર્ચા પણ લેખમાં તે તેના સ્થાન પર આવી ગયા છે અને હવે પછી આવશે. દરેક વિચારણા અને નિર્ણયમાં સાપેક્ષવૃત્તિ રાખવામાં આવશે અને ભગવાનને માર્ગ જગતના હિતને માટે બતાવવા-વિસ્તારવા યોગ્ય છે એ નજરે અને નહિ કે મારે ધર્મ છે કે મારા બાપદાદાને ધર્મ છે એ નજરે એના પર જોવામાં આવશે. હૃદયની નિર્મળતા, સાધ્યની સાપેક્ષતા અને પુરુષાર્થની પ્રચુરતા આગળ પર્વત જેવી મુશ્કેલીઓ પર દૂર થઈ શકે છે અને સેવાભાવે અપાયેલા ભેગે કે કરેલાં કાર્યો કદિ નકામાં જતાં નથી એ નિશ્ચયના બળ પર નવયુગ ઝઝૂમશે. સામાજિક સ્થિતિને અંગે આપણે શિખર પર એકદમ શરૂઆતથી જ ગયા. આ પરિષદ આદિ બંધારણે પર અવારનવાર વિચાર કરવાનું રહેશે તે આગળ આવશે. આપણે હવે સામાજિક પ્રશ્ન પર અને ખાસ કરીને વ્યવહારના પ્રશ્ન પર નવયુગને શે નિર્ણય રહેશે તે સંક્ષેપમાં જોઈ જઈએ. નવયુગની વિચારધારાના મુદ્દાઓ આપણે વધતે અંશે સમજી ગયા છીએ તેથી હવે ઘણે વિસ્તાર કરવાની જરૂર નહિ રહે. નવયુગનું ધોરણ અનેક પ્રશ્નને અંગે તદ્દન નૂતન થવાનું છે એટલી પ્રસ્તાવના સાથે આપણે વ્યવહારના થડા પ્રસંગે વિચારી જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ २०२ નવયુગના જૈન જ્ઞાતિ સામાજિક પ્રશ્ન વિચારતાં સૌથી મહત્ત્વના બે પ્રશ્ના તરી આવે છે. તેમાં પહેલે પ્રશ્ન જ્ઞાતિના છે. જૈનદર્શનના આખા પ્રશ્ન જોતાં અત્યારે જે ઉપલબ્ધ સાહિત્ય છે તેમાંથી કાઈ ગ્રંથમાં અમુક માતપિતાને ત્યાં જન્મ થવાથી મેાક્ષપ્રાપ્તિપ્રયાસ માટે ખીનલાયકાત થતી હાય એવું નવયુગના જોવામાં આવશે નહિ. એ ક્રમના આખા સિદ્ધાન્ત તપાસી જશે તેા તેને ઉચ્ચગાત્ર અને નીચગેાત્ર નામક એક ક મળશે, પણ તેના હાર્દમાં તે ઉતરશે ત્યારે અમુક વિભાગમાં ઉચ્ચનીયતા એટલે સરખામણીમાં વ્યવહારનજરે એ વિભાગ જણાશે પણ એને આખા આશય તદ્દન જુદો જ છે એમ એ જોશે. એ તત્ત્વજ્ઞાનના વિભાગ અત્ર ચર્ચવા નહિ શકાઈ એ, પણ એક વાત તેને સ્પષ્ટ મળી આવશે તે એ છે કે જન્મથી ઉચ્ચ કે નીચ ગાત્ર તેને સાંપડયું હાય તેથી તે ભવમાં મેાક્ષ જવાની તેની યાગ્યતા ઉપયુક્ત સાધને દ્વારા પુરુષાર્થ સાધ્ય હાવામાં તેને વાંધા જોવામાં આવશે નહિં. તેને મહાચારી કરનાર મેક્ષે ગયેલા દેખાશે, તેને દરાજ પાંચસે પાડાના વધ કરનાર તદ્ભવ મેાક્ષ સાધતા દેખાશે, મનુષ્યના મારેલા શરીરથી વિખૂટી પાડેલી ખેાપરી હાથમાં રાખનાર ‘ઉપશમ વિવેક સઁવર ' એટલા શબ્દો સાંભળી મેાક્ષમાર્ગે ચઢી જતાં એ જોશે. ચંડાળ કુળમાં ઉપજેલ હરિકેશિ, તુચ્છ ટ્રેડ જેવા હલકા મેતા` મુનિ, નાટક કરતા એલાયચી કુમારને વરનારી ઝુંબકન્યા તદ્ભવ મેાક્ષગામી દેખાશે અને અંગચેાર રાહીણેય જેવાને રસ્તા સાંપડતા એને જણાશે. ખુદ મહાવીર પરમાત્માને એ ભવમાં નીચગેાત્ર ક્રમના ઉદય ૮૨ રાત્રિ સુધી રહ્યો હતો, છતાં તેમને મેાક્ષ જવામાં વાંધા આવ્યા નથી. આવા અનેક દાખલાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સુ અને તેમાંથી એ નવયુગને શિક્ષણીય થઈ પડશે તારવશે તે વમાન યુગને અતિ ભયંકર લાગે તેવું છે. ૨૦૩ જે પરિણામ શ્રી વીરપરમાત્માને અંગે આવ્યા છે તે એને શું બતાવશે? અરિહંત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે અંતકુળ, તુચ્છકુળ, દારિદ્રકુળ, બ્રાહ્મણકુળમાં જન્મે નહિ. અરિહંત ચક્રી બળદેવ વાસુદેવ ઈક્ષ્વાકુકુળમાં, રાજકુળમાં, ભાગકુળમાં, હિરવશકુળમાં જન્મે.” આ આખા પાઠનેા આશય સમજવા યાગ્ય છે. બ્રાહ્મણકુળને તુચ્છ શા માટે કહ્યું ? દરિદ્રી શા માટે કહ્યું? એની પછવાડે માટી ઇતિહાસ છે. બ્રાહ્મણાએ મળેલ અથવા ઓઢી લીધેલ સત્તાને ખૂબ દુરૂપયોગ કર્યાં હતા, તેઓએ યજ્ઞાને હિંસાનાં મેટાં સત્રા બનાવી દીધાં હતાં, સામરસને નામે દારૂને પીવામાં મસ્તી બતાવી હતી અને નિયેાગને ધ બતાવી તે કા` વિદ્યાસંપન્ન બ્રાહ્મણને સોંપી તે દ્વારા વિષયલાલસા તૃપ્ત કરવાનાં તિંગા ઊભાં કર્યાં હતાં. આ સર્વ ઇતિહાસથી સિદ્ધ થયેલી બાબત છે. એની સામે જૈનદર્શનના મેટામાં મેટા વિરાધ હતા. બ્રાહ્મણેાએ વેદાધ્યયન માટે એકહથ્થુ અધિકાર કરી તેના દુરૂપયાગ કર્યાં હતા અને ઉચ્ચ લેાક અને યજમાન વચ્ચે ‘ એજન્ટ 'નું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું તે એટલે સુધી કે જરૂરી મત્રા યજમાનને ખેલાવતા હોય તે પણ બ્રાહ્મણા જ ખાલે. આ એજન્સીની પદ્ધતિ, હિંસા અને દારૂને પ્રચાર અને ઇન્દ્રિયતૃપ્તિ માટે બ્રહ્મભાજન નિયોગ આદિ સર્વ વાત બુદ્ધિને પણ વિરૂપ લાગી. જૈનદને એ સામે ઉધાડે આક્ષેપ કર્યાં. હિંદમાં પ્રાચીન ધર્મ જૈન હતા, બ્રાહ્મણે મધ્ય એશિયામાંથી ઘેાડાં કુદરતી સત્તાઓની પ્રશંસા કરનારા સૂતા લઈ આવ્યા હતા. જૈનાના સંબંધમાં આવ્યા પછી તેમણે જીવ, જગત અને ઈશ્વરનું તત્ત્વજ્ઞાન ઉપનિષદો દ્વારા વીકસાવ્યું—એ સર્વ પણ ઇતિ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com કલ્પસૂત્રમાં જે પાઠે। આપવામાં (( Page #229 -------------------------------------------------------------------------- ________________ २०४ નવયુગને જૈન હાસની બાબત છે. અત્રે પ્રસ્તુત વાત એ છે કે બ્રાહ્મણની એકહથ્થુ સત્તા સામે અને વર્ણાશ્રમના ભેદ સામે જૈનેએ પ્રથમ ગુડ ઉપાડ્યો. જૈનદર્શનને આખે મેક્ષવાદ કે ગુણક્રમારોહ એ સ્પષ્ટ છે કે એમાં વર્ણ કે આશ્રમને સ્થાન હોઈ શકે નહિ. વર્ણ અને આશ્રમ તેડી સર્વ પ્રાણીઓને સમાન કક્ષા પર મૂકવા અને જેઓને પ્રયત્ન કરી પ્રગતિ કરવી હોય તે વય કે જન્મના વાંધા સિવાય કરી શકે એ મૂળ સિદ્ધાંત જૈન અને બૌદ્ધોએ પણ તુરત જ ત્યાર પછી તેને સ્વીકારેલે એ ઐતિહાસિક સત્યનું રહસ્ય વિચારતાં તેઓને જ્ઞાતિઓ જૈનદર્શનના મૂળ ઉદ્દેશ અને પાયાની તદ્દન વિરુદ્ધ લાગશે. પણ તેમને સવાલ કરવામાં આવશે કે જૈન ધર્મ માનનાર તે અનેક જાતિઓ છે. ઓશવાળ, શ્રીમાળ, પિરવડ–તેમાં વળી વીશા અને દશા અને કાંઈ નાની નાતેને પાર નથી. એને એ તપાસ કરી જવાબ આપશે કે હિંદુ સાથેના ગાઢ સહવાસનું એ પરિણામ છે. ધીમે ધીમે હિંદુ સાથે ભાઈચારો વધતાં તેમના વ-પ કરવા માંડ્યા અને જ્ઞાતિઓ જૈનમાં પણ દાખલ થઈ ગઈ અને કાળક્રમે એણે એવું રૂપ લઈ લીધું કે હિંદુઓ કરતાં પણ જૈને જ્ઞાતિના ચક્કરમાં વધારે સપડાઈ ગયા. પણ મૂળ મુદ્દો અને આખા દર્શનના વિકાસનું રહસ્ય અને તેને ઇતિહાસ વિચારતાં કોઈ પણ રીતે જ્ઞાતિભેદ જૈનદર્શનને પાલવે નહિ, પિકાય નહિ, એના સુસ્પષ્ટ સિદ્ધાંતની સાથે કોઈ પણ રીતે મેળ ખાય નહિ. આ નિર્ણય એ ખૂબ ચર્ચા કરી શાસ્ત્રગ્રંથે જોઈ અનેક ઐતિહાસિક પ્રસંગે અવલોકી જૂની શોધખોળ કરી જાહેર કરશે. અને તેમાં હાલમાં જે રીતે જ્ઞાતિઓ ભાંગીતૂટી રીતે ચાલે છે તે બાબત એના નિર્ણને પુષ્ટિ આપશે. જ્ઞાતિ વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું ૨૦૫ વિકાસની આડે આવનાર થાય છે, એ જ્ઞાતિજનના વિકાસ માટે કદી વિચાર કરતી નથી, એની કર્તવ્યતા જમણ અને લગ્નની પરવાનગીમાં અને નિરર્થક પરિણામશન્ય ઝઘડા કરવામાં સમાઈ જાય છે અને પૂર્વકાળમાં તેણે કદાચ શંકાસ્પદ સેવા બજાવી હોય કે ગમે તેમ હોય, પણ આ નવયુગમાં તેને ચાલુ રાખવી એ પાપ છે, દેષ છે, પ્રગતિ વિધક છે અને વગર અર્થને ગળે બાંધેલો પથ્થર છે. નવયુગને માણસ પ્રાચીન કાળના નાતેના મેળાવડાઓ, તેમાં થતા ન્યાય, વિધવાઓની હાલાકીઓ અને ગરીબોને થતા ત્રાસનાં નાટકો કરશે. ન્યાય, વાત્સલ્ય, પ્રેમ, લાગણી કે ભ્રાતૃભાવ જેવું એ નાત–જ્ઞાતિમાં એક તત્વ પણ જેશે નહિ. એના મેળાવડાની અનિયમિતતા, એમાં ભાગ લેનાર પિતાને માનતા વડીલવર્ગ અને એની આખી સંકલના અર્થશન્ય, વિચારશૂન્ય, વિવેકશન્ય થઈ ગયેલી નવયુગને લાગશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તૂટું તૂટું થઈ રહેલા આ જ્ઞાતિ સાજનાએને નવયુગ એક ધડાકે બેસાડી દેશે. એની સામે સખત વાંધાઓ તે લેવાયા છે અને લેવાશે, પણ એની રહીસહી સત્તા નવયુગમાં ચગદાઈ જશે. ખાસ કારણ કે પરિણામને વિચાર કર્યા વગર નવયુગ કેઈ સંસ્થા કે બંધારણ માત્ર પ્રાચીન હોવાને કારણે ભાંગી નાખવાની ધૃષ્ટતા કે મૂર્ખતા નહિ કરે, પણ જ્ઞાતિને અત્યારના આકારમાં ચાલુ રાખવાનું તેને એક પણ કારણ જણાશે નહિ. સમષ્ટિ કે વ્યક્તિને એનાથી લાભ થવાનો સંભવ પણ એ જોશે નહિ અને એને છેલ્લા કાળને સોએક વર્ષને ઈતિહાસ એના જીવનને વધારે લંબાવવામાં સહાયભૂત થવાને બદલે એને જેમ બને તેમ જલદી જમીનદેસ્ત કરવા જ પ્રેરશે. આ જ્ઞાતિની તૂટતી સ્થિતિ એકલી જૈન કેમને જ લાગુ પડે છે એમ સમજવાનું નથી; એને એ જ અથવા એવો જ ઈતિહાસ અન્યત્ર પણ છે અને ત્યાં એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ २०३ નવયુગને જૈન પડતી દશા શરૂ થઈ ગઈ છે અને તે વર્તમાન ઇતિહાસથી અજાણ્યું રહ્યું નથી. જ્ઞાતિઓને સ્વીકારવામાં જેનોએ હિંદુઓનું અનુકરણ કર્યું છે તે તેને ઓળવાણે ચડાવવામાં તેને પગલે ચાલે તે તેમાં નવાઈ જેવું નથી એમ નવયુગને લાગશે. જ્ઞાતિની બાબત ચાલે છે ત્યારે એક વાત વિચારવા જેવી છે. જેવી નાની નાની નાતે, પ્રાંતિક ભેદે ગુજરાત કાઠિયાવાડમાં છે તેવાં અન્યત્ર હિંદમાં કોઈ સ્થાન નથી. ગુજરાતમાં કેટલીક આખી વાતની પુરુષ, સ્ત્રી અને બાળકોની સંખ્યા ૨૩૦ની છે. આ જ્ઞાતિમાં પરણવા યોગ્ય કન્યાને લાયક પતિ મળતું નથી અને રમતા ખપતા લાયક યુવક ગ્રેજ્યુએટને કન્યા મળતી નથી. જ્ઞાતિના પ્રશ્નને લગ્નના પ્રશ્ન સાથે અતલગનો સંબંધ છે તે આગળ જોઈશું. દીર્ધદષ્ટિ વગરના, અજ્ઞાનતાને કારણે પિતાની અતિ નાની બુદ્ધિને દુનિયાની અકકલને ઈજારે માનનારા જ્ઞાતિના આગેવાનોએ નાતને વહીવટ એટલે ખરાબ કરી નાંખે છે કે એ શબ્દ જ ઘણાસ્પદ થઈ ગયો છે. સંઘબંધારણને ઉદ્ધાર સુધારે અને પ્રગતિ નવયુગમાં થશે ત્યારે તેના પિતાના જ ભારથી જ્ઞાતિઓ દટાઈ કુટાઈ ખલાસ થઈ જશે. અને તેમ થાય તેમાં જૈનદર્શનની નજરે જરા પણ શોચ કરવા યોગ્ય નથી એમ નવયુગને લાગશે. નાતે ભ્રાતૃભાવ અંદર પિષી શકતી નથી અને બહારના ભ્રાતૃભાવની આડે આવે છે. સંસ્કારી જૈન પતે દશાશ્રીમાળી હવાથી પિરવાડની કન્યા લઈ શકે નહિ કે આપી શકે નહિ એ આખી વાત એવી વિચિત્ર છે કે નવયુગને એ આખી વ્યવસ્થામાં કાંઈ પણ પસંદ કરવા ગ્ય કે ચર્ચા કરીને રસ્તો કાઢવા યોગ્ય પણ પ્રસંગ લાગશે નહિ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું ૨૦૭ રીતે વ્યવહારમાં પ્રથમ અગત્યને જ્ઞાતિને પ્રશ્ન પૂરો થાય છે અથવા નવયુગમાં જ્ઞાતિ પર ઢાંકણું પડે છે અને તે જૈનદર્શનના ઊંડા રહસ્યને તદ્દન અનુરૂપ છે એવી નવયુગની માન્યતા સાથે તે ઉપર પડદો પડે છે. લગ્ન પણ જ્ઞાતિના પ્રશ્નના નિકાલથી લગ્નના પ્રશ્નને નિકાલ થઈ જ નથી. આ પ્રશ્નના સંબંધમાં ખૂબ ચર્ચા નવયુગમાં થશે. એ પ્રશ્ન નવયુગના અતિ મહત્ત્વના બે પ્રકમાંના એકનું રૂપ લેશે. લગ્ન અને મિલ્કત (Marriage and property) આ બે પ્રશ્નો હિંદમાં એના અનેક આકારમાં ચર્ચાશે. બાળલગ્ન પ્રતિબંધ ત્યાં સુધીમાં પૂરે થઈ ગયો હશે. અષ્ટવર્ષની ગૌરી અને રજસ્વલા કન્યાને પિતા જુએ તે સાત પેઢી રૌૌ નર્કમાં જાય એ સનાતન હિંદુ માન્યતાના કુડચા ત્યાં સુધીમાં ઊડી ગયા હશે. ઢીંગલાઢીંગલીના લગ્નના પ્રસંગે દૂર થવાથી એક મોટા પ્રશ્નને લગ્નને અંગે સુધારો થઈ ગયો હશે, પણ લગ્નને અંગે કન્યાસંબંધ ક્યાં કરે તેના ક્ષેત્રની વિચારણું ભારે ચર્ચા ઉત્પન્ન કરશે. વર્તમાન કાળમાં નાની જ્ઞાતિઓને કન્યા લઈને કેળવણીને ભારે માટે આઘાત થાય છે. માબાપે સંસ્કારી હેય, કન્યાકેળવણીમાં જાતે રસ લેનારા હોય અને કન્યાને કેળવણી આપવી જોઈએ એ મતના હૈય, છતાં પણ કન્યાને કે પતિ મળશે, તે ભણેલ હશે કે થાડું ભણેલ હશે, આદિ અનેક ગૂંચવણને કારણે કન્યાને ઉચ્ચ કેળવણી આપતાં અચકાય છે. કેટલાક તે પ્રાથમિક દેશી ભાષાને અભ્યાસ કરાવી કન્યાને ગૃહોપયોગી કાર્ય કરતાં શીખવવા લાગે છે અને એક કન્યાને જન્મ થાય ત્યારથી એને ઠેકાણે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નવયુગને જૈન પાડવી તેની ચિંતા કર્યા કરે છે. અનેક સંસ્કારી માબાપને પિતાની પ્રિય પુત્રીઓ ખાટી છાશને ઉકરડે નાખે તેવી સ્થિતિમાં મર્યાદિત ક્ષેત્રને કારણે ગમે તેને આપવી પડે છે. કેઈ સંસ્કારી માબાપને આ વાત ગમતી નથી. છતાં હૃદયબળની ખામીને કારણે તેને ઉપાય વિચારી શકતા નથી. એક વિદ્યાગૃહના સંચા-- લક ઉપર 5 પતિ શેધી આપવા માટે એટલા ભલામણપત્ર કે સલાહ માગનારા પત્રો આવે છે કે એને લગ્નાલય કાઢવું જ બાકી રહે. એ દરમિયાન નાના મોટા બળવાઓ થવાના અનેક પ્રસંગે બને છે. કોઈ હિંમતવાન માબાપ મર્યાદાની હદ મૂકી દે છે, કેઈ સંસ્કારી કન્યા પિતા ગ્ય પસંદગી કરી માબાપને ઘેર રાખી લગ્ન કરી નાખે છે અને આવા અનેક પ્રસંગે પરિવર્તન કાળમાં બને છે. સંસ્કારી કન્યાઓ જૈન ધર્મ છોડી દેતી અનુભવાય છે અને તેનાં કર્મને ઠપકે આપવાને બદલે સમાજબંધારણને વિચારવાનું કે તેમાં દેશકાળાનુસાર ફેરફાર કરવાનું પ્રાચીનને પાલવું નહિ કે સૂઝયું નહિ તે ગમે તે હે, પણ તેથી સમાજને ઘણું નુકસાન થયું છે તે વગર શંકાની વાત છે—એફેંસલે આખા પરિવર્તનકાળના પ્રસંગે પર નવયુગ મુક્ત કંઠે આપશે. છતાં પરિવર્તન કાળમાં જ્ઞાતિનાં બંધારણ ભાંગવાની અણુ ઉપર આવવા છતાં ગમે તેમ ટકી રહ્યા છે, પણ તે તે નવયુગમાં ટકી શકે તેમ નથી તે ઉપર આપણે જોઈ ગયા. એ સંબંધી નવયુગને નિર્ણય કોઈ પ્રકારને અર્ધ માર્ગ સ્વીકારે તેવું પણ લાગતું નથી. એટલે પરિવર્તન કાળના દાખલાઓને દિશાસૂચક ગણું નવયુગ લગ્નના પ્રશ્નને નીચે પ્રમાણે નિકાલ કરશે. આ સંબંધમાં અનુભવીના મતે એમ થાય છે કે નવયુગ પ્રથમ પ્રાંતિક તફાવત દૂર કરશે. એટલે દાખલા તરીકે વિશાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ------ --- પ્રકરણ ૧૭ મું २०६ શ્રીમાળીની જ્ઞાતિમાં અત્યારે માત્ર ગુજરાત કાઠિયાવાડમાં ચૌદ અલગ વિભાગે છે તે પ્રથમ જોડાશે. ત્યાર પછી દશાવીશાને ભેદ ટળશે. પછી ઓશવાળ, શ્રીમાળી, પિરવાડ સર્વને ભેદ જઈ વણિક જૈન કન્યા આપતા લેતા થશે. ધીમે ધીમે સુધારા કરનારાઓને આ મત છે. આ હિસાબે કન્યાના છૂટથી લગ્ન થવામાં ઓછામાં ઓછા સે વર્ષ લાગે, અને સો વર્ષની આખરે વાણિયાઓમાં પરસ્પર લગ્ન વ્યવહાર થઈ શકે એવી સ્થિતિ કપી શકાય. વધારે માનસશાસ્ત્રના અભ્યાસી અને પશ્ચિમના સંસ્કારને સમજનાર અને પચાવનાર વિચારકેને મત એ છે કે નવયુગમાં એક સપાટે હલ્લે થશે. સુધારાઓ ભાઈ બાપુ કરીને થતા નથી. એમ કરતાં તે જમાનામાં પસાર થઈ જાય અને દરમ્યાન અનેક નિર્દોષના ભોગ અપાઈ જાય. સુધારા બળવાથી જ થાય છે. અને જ્યારે વાત મૂળથી બેટી લાગે છે અને દીકરીને જન્મ જ સુધારે છે તે પછી અર્થ વગરની મર્યાદા શા માટે ઘડીભર પણ ચલાવવી જોઈએ? એક વસ્તુને ત્યાજ્ય જાણ્યા પછી તે તે ખાતર સહન કરવું પડે તે થોડી અગવડ વેઠીને પણ વાતને ફેરવી નાખવી ઘટે અને નવયુગમાં જ્યારે જવા આવવાનાં સાધને માત્ર રગશિયાં ગાડાં નહિ પણ રેલવે મોટર અને વાયુયાન થયાં છે તેવા વખતમાં સોળમી સદીના સ–મુસલમાન યુગના રિવાજે કેમ ચલાવી લેવાય? અને કેમ ચલાવવા દેવાય? ટૂંકામાં આ વર્ગને નિર્ણય કન્યાને ગમે તે જૈન ધર્મ માનનારને આપી શકાય તેવો રહેશે. એને ધર્મ માટે જરૂર ગૌરવ રહેશે, એ પિતાની કન્યાને અન્ય ધર્મી સાથે લગ્ન કરતી ઇચ્છશે નહિ, પણ સરકારી માનવયસ્કને આ બાબતમાં પૂરતી છૂટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ નયુગના જૈન મળવામાં કાઇ પણ પ્રકારના દોષ થતા તેની નજરમાં નહિ આવે. આવા પ્રચ’ડ ફેરફાર—સુધારા સામે જ્ઞાતિ પણ તે માત્ર નામનું જ રહેશે. જ છે, એના બારીક અભ્યાસ કરવામાં જ્ઞાતિએ ૧૦ ઉગ્ર રૂપ બતાવશે, ભાંગવાની અણી ઉપર આવે તે એને ભાંગી પરંતુ લગ્નના પ્રશ્નથી એના ઉપર ગયેલી જોઈ પણ શકાય છે, છેલ્લા કડાકા પડશે એવા આ વર્ગના મત છે. લગ્નના પ્રશ્નને અને જ્ઞાતિના અસ્તિત્વના પ્રશ્નને ગૂંચવી નાખવા જેવા નથી. જ્ઞાતિ । લગ્નના પ્રશ્ન વગર પણ મરણપથારીએ પડેલી છે. એને જ્ઞાતિજનાના હિત સાથે બહુધા સંબંધ જ નથી. એણે જ્ઞાતિના પુત્રપુત્રીઓને ભણાવવા વિચાર કર્યો નથી અને લગ્નના પ્રશ્ન એ મગજને ઠેકાણે રાખી ગાઠવી શકે એવી એની સ્થિતિ નથી. જ્ઞાતિસમૂહમાં એવું એક પણ તત્ત્વ નવયુગના દૃષ્ટિબિંદુથી શેાધ્યું જડી શકે તેમ પણ નથી ૪ જેની ખાતર જ્ઞાતિના જીવનને લંબાવવા પ્રયત્ન શકે. એ જીવનકાળ એ ઉલ્લંઘી ગઈ છે, વૈપરિત્ય જ ગણાશે અને લગ્નના પ્રશ્ન એને કરવાની પણ જરૂર રહી નવયુગમાં એ ઇતિહાસ મૃત્યુલર બનશે, દીકરાના જેવું શિક્ષણ આપી નવયુગના સંસ્કારથી વાહિત કરેલી સુધડતા, સ્વચ્છતા સેવાભાવનાના વાતાવરણમાં ઉછરેલી કન્યાને ગમે તેવા મૂખને આપવી અને તે જ વખતે યાગ્ય પતિ અને સહધર્મી સમાનવયસ્ક સંસ્કારી મળતા હાય તેને ન આપવી એ કયા નિયમથી નવયુગ માન્ય રાખે તેની નથી અને આ દૃષ્ટિ હજી સુધી પ્રાચીને તેમની લાંબી નજર પહેાંચાડવાની શક્તિ અશક્તિના જ નિર્દેશ કરે છે એવા મત નવયુગના થશે. કલ્પના પણ બેસતી જોઈ શક્યા નથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ શું ૨૧ પુત્રીના લગ્નને અંગે ત્રણ પ્રશ્નો પણ લગ્નના પ્રકરણમાં જ્ઞાતિને મૂંઝવનારા બીજા ચાર પ્રસંગે બનશે તે પૈકી ત્રણને વિચારવાનું અત્ર સ્થાન છે. પ્રથમ પ્રશ્ન: અત્યાર સુધીની માન્યતા એવી છે કે કન્યાનું લગ્ન માતપિતા કરે અને તે કન્યાએ માન્ય રાખવું પડે. “દીકરી ને ગાય-જ્યાં દેરે ત્યાં જાય.” આ મત પ્રચલિત હતે. નવયુગની દીકરીઓ ગાય જેવું જનાવર પ્રાણી નહિ રહે અને તે દોરવણી સ્વીકારશે નહિ અને તેને દેરવી શકાશે નહિ. આ ભારે મૂંઝવણનો સવાલ છે. દીકરી સંસ્કારી થશે એટલે કેને પરણવું, ક્યારે પરણવું તે નકકી કરવાને માબાપને હક્ક લઈ લેશે. દીકરીને ગાય ધારવામાં આવતી હતી તે વિચારમાં પણ તેને અપમાન લાગશે અને તે પિતાને પતિ શોધવાને અને નિર્ણય કરવાનો હક્ક કાયમ કરશે. અને માતપિતા તે વધારેમાં વધારે તેને સલાહ આપી શકે તેટલું જ કરી શકશે. માબાપ લગ્નની બાબતમાં વધારે માથું મારી શકે એવી સ્થિતિ જ નહિ રહે. જ્ઞાતિજનેની આ પહેલી મુંઝવણ થશે. સંસ્કારી છતાં નાતજાતના સંસ્કારમાં ઉછરેલા માબાપ નાતને જવાબ આપશે કે દીકરી એની ઈચ્છા પ્રમાણે કરે અને છતાં પૂછવું હોય તે તેને પૂછે. અત્યાર સુધીના જ્ઞાતિ વહીવટમાં દીકરીને પૂછયું નથી, હવે ન પૂછે તે ચાલે તેવું નથી અને દીકરીને પૂછતાં નાતને વટ જાય–આ પ્રથમ મૂંઝવણ. બીજી મૂંઝવણ જ્ઞાતિને એ થશે કે અનેક કન્યાઓ ભણીગણી પની તરીકેની જવાબદારી લેવા જ ના પાડશે. સંસાર માંડવો કે નહિ તે તેના કબજાની–મરજીની વાત છે. “સે કુંવાર સાંભળે છે, ડોશી કુંવારી સાંભળી નથી.” આ આખું સૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ નવયુગને જૈન નાતના આગેવાનોને દીવા જેવું લાગશે અને છતાં ઈચ્છાવિરુદ્ધ સંસાર માંડવાની સત્તાન છોકરીને ફરજ પાડી શકશે નહિ એ જ્ઞાતિજનોની બીજી મુંઝવણ અને ત્રીજી મુંઝવણ નવયુગની છોકરીઓ જ્ઞાતિમાં આવીને કહેશે કે અમારા પ્રશ્નને નિકાલ કરનારા તમે કોણ? તમે વહીવટ કરવામાં બરાબર અર્ધી સંખ્યામાં સ્ત્રીઓને સ્થાન આપો, ચૂંટણીના ઘેરણ પર જ્ઞાતિને વહીવટ કરે અને બહુમતને ધરણે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ સ્વીકારે. સત્તામદમાં અંધ થયેલા પ્રાચીનેને આ ભારે આઘાતક દલીલ લાગશે, પણ એને કશો જવાબ આપી શકશે નહિ. જ્ઞાતિના પ્રશ્નોને નિકાલ અમુક પટેલિયા અને તે પણ પુરુષે જ કરે એવો તાંબાને પતરે કરી આપેલે કોઈ લેખ નીકળશે નહિ અને આવી મૂળ બાબતમાં ચાલી આવતી “રૂઢિને દલીલને સ્થાનકે મૂકી શકાશે નહિ. આ ત્રીજા પ્રશ્નથી ભારે ગૂંચવણ થશે. એ દેખીતે અશક્ય લાગત પ્રસંગ નવયુગ બેસે તે પહેલાં પણ આવી જશે. ચારે તરફ એની ઝણઝણાટી થઈ રહી છે, દિગંતમાં એનું વાતાવરણ જામવા માંડયું છે અને સેંકડો વર્ષથી સ્ત્રી જાતિને થયેલા અન્યાની નોંધ તૈયાર થવા માંડી છે. આ ગૂંચવણમાંથી પ્રાચીન કેવી રીતે પાર પડશે તે જોવા જેવું થશે. નવયુગ તે આ પ્રત્યેક પગલાં, એ દરેકની કિંમત અને અંત પરિણામ બરાબર જોઈ રહ્યો છે અને એને પરિણામ માટે શંકા નથી. આ સર્વ કારણે ધ્યાનમાં રાખી નવયુગ ઠરાવ કરશે કે માતપિતાની સંમતિથી અથવા પોતાની ઇચ્છાથી કન્યા કેઈ પણ જૈનને પરણે તેમાં તેણે સલાહ તરીકે નીચેના નિયમો ઉપર લક્ષ્ય રાખવું. એણે પતિની પસંદગીમાં ધર્મને અગ્રસ્થાન આપવું, પિતાને ભવાંતર બગડી ન જાય અને બાળકાળની કેળવણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ સુ લાંછન ન લાગે એટલું જરૂર લક્ષ્યમાં લઈ ધર્મ, અર્થ અને કામ પરસ્પર અવિરાધીપણે સધાય એ સાપેક્ષ દૃષ્ટિએ પસંદગી કરવી. ૨૧૭ . બાકી વય, સ્વભાવ, ગુણ, શીલ, સતીત્ત્વ, કેળવણી, સંસ્કાર, આદર્શ આદિ ભાખતા જાણીતી હાઈ એ ભલામણેાનું અહીં પુનરાવન કરવાની ભાગ્યે જ જરૂર હાય. મુદ્દાની વાત એ છે કે લગ્નની સંસ્થા નવયુગમાં તદ્દન નવીન આકાર ધારણ કરશે. માબાપની ફરજ માત્ર સલાહ અથવા તા વિવેકસરની પરવાનગી આપવા પૂરતી જ રહેશે અને લગ્ન એટલે જેતે નજરે જોયેલ પણ ન હાય તેની સાથે લાકડેમાંકડુ વળગાડી દેવાના ઉન્માદને બદલે ગુણુ સ્વભાવ અભ્યાસના સહવાસને પરિણામે થયેલ સહચાર થશે. પ્રાચીનાને એમાં ઉન્માદ લાગશે, નવયુગને પ્રાચીન પદ્ધતિમાં અનેક વાંધા જણાશે. આ સંબંધમાં પ્રાચીનેાની ધમકી કે સમજાવટ કાઈ રીતે નવયુગને કારગત થઈ નહિ પડે. નવયુગ લગ્નને પ્રશ્ન ઘણા સ્વતંત્ર રીતે વર્તીમાન કાળને અનુસરી તદ્દન જુદાં જ મૂત્રા પર નિર કરશે અને તે નિણૅય પણ વખત જતાં ફેરફારને આધીન રહેશે. લગ્નનેા પ્રશ્ન નવયુગમાં અતિ મહત્ત્વના ગણાશે અને એની વેદી ઉપર જ જ્ઞાતિએ ભાંગીને ભૂક્કા થઈ જશે. નવયુગના લગ્નપ્રસ`ગને પ્રાચીનાને વધારે મુંઝવણુ કરાવે તેવા એક મુદ્દો આગળ આવશે તે તેના યોગ્ય સ્થાને વિચારવાના રહે છે. મહાસભા જૈન ક્રામમાં લગ્નને પ્રશ્ન વિચારશે, તેની વિચારણા માં જ્ઞાતિ અને ધર્મ વચ્ચેના તફાવત સ્પષ્ટ રહેશે. જૈનને કેટલાક ક્રામ (કાસ્ટ) ધારે છે . તે ગેરસમજુતી તે દૂર કરશે, જૈન ધમ છે અને જૈતા વચ્ચે ધર્મતત્ત્વ જ સામાન્ય છે એ વાત જનતા જાણશે ત્યારે એને નવાઈ લાગશે. મહાસભા અથવા પરિષદ સાંસારિક સંબંધ માટે દિશાસૂચન જરૂર કરશે. એની નજર ઘણી વિશાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૪. નવયુગને જૈન રહેશે. એ જૈન જૈન વચ્ચે લગ્ન કરવાની વાતને ખૂબ ઉત્તેજન અને પ્રેરણા આપશે. એને મુદ્દો પણ એક શાસન નીચે રહેનાર પર બંધુભાવના વધારવાને જ રહેશે. એ ગૃહસ્થ ધર્મને અંગે લગ્નની સંસ્થાને ગૃહસ્થના આદર્શમય બનાવવાની, એને વિશાળ પાયા પર રચવાની અને એના અમલ દ્વારા એકતા સાધવાની તક બરાબર સાધશે. સમાન ધર્મીઓમાં લગ્ન સંસ્થા દ્વારા એકતા લાવવાને સંપ અને સહકાર વધારવા અને તેમ છતાં રાષ્ટ્ર ધર્મ અને વિશ્વબંધુત્વને વિરોધ ન આવે તેને એ ભીષ્મપ્રયાગ કરશે અને તેમાં તે જેટલે અંશે ફતેહ મેળવશે તેના પ્રમાણમાં જૈનત્વની પ્રગતિ થતી જશે અને બહુ થોડાં વર્ષમાં એ એવા પ્રકારની એકતા સ્થાપી સમસ્ત જૈનોમાં લગ્નવ્યવહાર ખુલ્લો કરાવી શકશે. આ વિચારણું અને અમલથી થનારા લાભ અને તેની જુદી જુદી પાયરીઓને અત્ર વિચાર કરવાનું સ્થળ નથી, પણ એને પરિણામે સનબદ્ધ જૈન આદર્શ એની ઘણી મોટી સંખ્યામાં પ્રગતિના દ્વારે ખડે થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું સામાજિક (ચાલુ) વિધવાને પ્રશ્ન લગ્નના વિષયની સાથે સંબંધ ધરાવનાર વિધવાને પ્રશ્ન છે. અત્યારે તે એ પ્રશ્નને જ્ઞાતિઓ સાથે સંબંધ છે, પણ નવયુગમાં જ્ઞાતિને સ્થાન નહિ રહે એ ધરણે જૈન જનતાની નજરે એ સવાલ વિચારવાનું અત્ર પ્રાપ્ત થાય છે. આ વિધવાના આખા પ્રશ્નને નવયુગ તદ્દન જુદી જ રીતે ચર્ચશે તે આપણે જોઈએ. અત્યારની વિધવા વિધવા એટલે અપશુકન કરનાર તજાયેલી હણાયેલી સ્ત્રી. જેની સર્વ આશા ઈરછા અને સ્વ મરી ગયાં છે, જેને આ જીવનમાં કોઈ જાતને રસ ન રહ્યો હોય, જે સાસરીઆમાં હડધૂત થતી હોય અને પિયરમાં પિષાતી ન હોય, જેને બેથી પાંચ રૂપિયાને મહિને કરી આપવામાં આવા આર્થિક ગૂંચવણવાળા સમયમાં જ્ઞાતિના નેતાઓ મેટો ઉપકાર સમજતા હોય–એનું નામ અત્યારે વિધવા છે. એને હૃદયની ગૂંચવણ ઠાલવવાનું સ્થાન નથી, એને ઉપર આકાશ અને નીચે ધરતી છે, એના વેશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ નવયુગના જૈન વિચારમાં ખિન્નતા છે, એના શરીરની ક્રાને દરકાર નથી, એનાં આક્રંદ કાઈને સાંભળવાં નથી, એને આશ્વાસન કેાઈ એ આપવાનાં નથી, સ્પ્રેને કાઈ મહાત્સવમાં જોડાવાનું નથી અને હેતુ ઉદ્દેશ અને સાધ્ય વગરનું જીવન પૂરું કરી મેાત આવે ત્યારે ચાલ્યા જવા સિવાય આ જીવનમાં એને કાંઈ રસ નથી. અસાધારણ અપવાદ જે બહુ થાડા છે તે બાદ કરતાં આ વિધવાઓની વર્તમાન સ્થિતિ છે. એને માટે કાઈ માર્ગ નથી. માત્ર પતિ સાથે વિલાસ કરતી કાઈ રમણી પતિ સાથે નવા નવા આનંદ કરતી હોય તેમાં અનેક પ્રકારના વ્યાધિએ અથવા મરી ન્યૂમેાનિયા ક્ષય આદિ કાઈ પણ રોગ થતાં અથવા અકસ્માત આવતી કાલે પાંત મરણ પામે તે ખીજા દિવસથી એ સત્યાગી બની જાય છે અને ધર્મની વિમળજ્યાતિ અને એમ લેાકા તેને માટે ધારે છે. એક આનંદ કરતી ખીલતી કુમળી કળીને આ પરિવર્તન કેવું આધાતક થતું હશે તે તેા તેની સ્થિતિમાં મૂકાવા જેટલી વિશાળ કલ્પના હોય તે વિચારી શકે. સ્ત્રીજાતિના સેવાભાવ એ ધમમાં રસ લેતી થાય અને ત્યાગપિત્ત કેળવે એ જૈન ધર્મની નજરે મૂલ્યવાળી ચીજ છે. જૈન ધર્મનું આખું બંધારણ ત્યાગધ ઉપર રચાયેલું છે, આ જીવનમાં પરભાવને જેટલે ત્યાગ થાય તેટલા પૂરતી તેની ફતેહ છે અને વિકાસક્રમમાં તેને અચૂક સ્થાન છે એ દૃષ્ટિ પ્રથમ ધ્યાનમાં રાખવાની છે. આ ષ્ટિએ જે વિધવા ત્યાગને માર્ગ સ્વીકારી શકે એને નવયુગ ઘણી સગવડેા કરી આપશે. અત્યારે મેટી અગવડ શક્તિને મા આપવાના રસ્તાઓ નથી તેને પરિણામે થયેલ છે તે નવયુગ જોઇ લેશે. સ્ત્રીઓમાં વાત્સલ્ય, પ્રેમ, નમ્રતા આદિ નૈસર્ગિક ગુણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૨૧૭ છે અને ખાસ કરીને “સેવાનું તેનામાં કુદરતી તત્ત્વ એના બંધારણમાં ભરેલું હોય છે એ નવયુગ અભ્યાસ કરીને જોઈ લેશે. ઉપલકિયા નજરે ગૃહવ્યવસ્થાને બારીક અભ્યાસ કરવામાં આવશે તે જોઈ શકાશે કે સ્ત્રીઓને પિતાની જાત ઉપર ઘણું વધારે અંકુશ હોય છે. એ પિતાની સગવડ ભાગ્યે જ જશે. એ પતિ પુત્ર કે સસરાની રાહ જોવામાં અનેક પ્રકારની સગવડને ત્યાગ કરશે. આ તે સામાન્ય વાત છે, પણ સ્ત્રીમાનસના અભ્યાસ પછી ઘણું જાણવા જેવું મળે તેવું ત્યાં ભરેલું છે. કેઈ તક આપતું નથી દુઃખની વાત એ બની છે કે એને તક મળી નથી. એ હજારો વર્ષથી છુંદાઈ ગયેલી છે, એનું વ્યક્તિત્વ કચરાઈ ગયું છે, એની શક્તિને અવકાશ મળે નથી, એની સેવાભાવનાને ગ્ય પરિસ્થિતિ પુરુષોએ નીપજાવી નથી, નીપજવા દીધી નથી; સ્ત્રીવર્ગના દષ્ટિબિંદુથી કઈ પ્રશ્ન હજુ સુધી વિચારણો નથી. આથી વિધવાને ભારે વિપત્તિ થઈ છે. એને પતિ સાથેના પ્રસંગે દૂર થયા તેને બદલે તેનું માનસ રેકે એ વ્યવહાર કે પ્રયોગ તેને માટે તૈયાર નથી અને પરિણામે નવરા માણસ અનેક પ્રકારે શક્તિને દુર્વ્યય કરે છે તેમ સામાન્ય રીતે આખો સ્ત્રીવર્ગ અને વિધવાવર્ગ ખાસ કરીને પિતાની શક્તિને ઉપગ નિંદા કુથલી, ગૃહકંકાસ વગેરે બાબતમાં સામાન્ય રીતે કરે છે. વૈધવ્યનાં કારણે નવયુગ વિધવાના પ્રશ્નને હાથ ધરતાં પ્રથમ તે વૈધવ્યના પ્રસંગે શાં કારણથી આવે છે તેની તપાસ કરશે. ત્યારે તેને માલૂમ પડશે કે તેને મેટે ભાગ બાળલગ્ન કે વૃદ્ધવિવાહને કારણે બને છે. બાળલગ્ન એ તે હસવા જેવી વાત લાગશે. લગ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ - - - નવયુગને જૈન એટલે શું રમવાનાં રમકડાં છે? કે એ તે કાંઈ બચ્ચાના ખેલ છે? અને વૃદ્ધો તે કેટલી વાર પરણે? અને ક્યાં સુધી પરણ્યા જ કરે? આ બન્ને બાબતને એકદમ છેડે આવી જશે. ચાળીશ વર્ષની વય પછી કોઈ કુમારી કન્યાને પરણી શકે નહિ અને પુરુષના લગ્ન પહેલાં ઓછામાં ઓછી તેની વય વીસ વર્ષની તે હેવી જ જોઈએ એ અત્યારના શરીરબંધારણ અને કેળવણુને અનુરૂપ બાબત ઠરાવવામાં આવશે. વિધવાશ્રમ ઉક્ત ઠરાવથી વિધવાઓની સંખ્યા ઘણી ઓછી થઈ જશે. છતાં વિધવા ન થાય એમ તે ન જ કહેવાય. યુવાન માણસો પણ અનેક મરે છે અને વિધવા પૈકી જે ભરજુવાનીમાં હોય તેને જ પ્રશ્ન આગળ આવે છે. તેમની શક્તિને રોકવા અને તેને ઉપયોગ કરવા વિધવાશ્રમે ઠામઠામ સ્થાપવામાં આવશે. એ આશ્રમોમાં વિધવાને અપૂર્ણ કે અધૂરી રહેલી કેળવણી પૂરી કરાવવામાં આવશે. ત્યાં એને જનસેવાના અનેક કાર્યો શીખવવામાં આવશેઃ બાળઉછેર, માંદાની માવજત, સ્ત્રીઓની કેળવણી, પ્રતિકાર્ય, અકસ્માત સમયે તાત્કાલિક મદદ, આરોગ્ય (સેનિટેશન) આદિ અનેક ઉપયોગી સેવાશ્રયી કાર્યનું તેને શિક્ષણ આપવામાં આવશે. આને લઈને જે વિધવા બહેનેને શક્તિ હેવા છતાં સેવાને અવકાશ ન મળતું હોય તેને અનેક દિશાઓ ખુલ્લી કરવામાં આવશે. આ તે સાધનસંપન્ન વિધવાઓને પાલવે. સાધન વગરની વિધવાઓને શીવણ, ભરત, ગૂંથણકામ, સાંચાકામ, વાંસકામ, વણાટકામ આદિ અનેક ઉદ્યોગો શીખવવામાં આવશે. દરેક ઉદ્યોગમાં એક બાબતનું ખાસ લક્ષ્ય રાખવામાં આવશે અને તે એ કે તેમાં નિષ્ણાત થયેલ વિધવા સાધનહીન હોય તે તે ઓછામાં ઓછું ઘરમાં રહીને ઉદરનિર્વાહ જેટલું રળી શકે. ગૃહ ઉદ્યોગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯સુ ખાખતા પાર વગરની છે. માજાં તૈયાર કરે કે કેનવાસ ઉપર ભરતકામ કરે, સારી કાર ભરતકામમાં કરે તે કાઇ પણ વિધવા પેાતાના નિર્વાહ જરૂર કરી શકે. એ ગૃહઉદ્યોગનું લિસ્ટ આપવાની જરૂર નથી. જાપાનમાં પ્રત્યેક સ્ત્રી ઘેર રહીને માટી રકમ પેદા કરે છે. આ ઉદ્યોગકામાં ખીજી કરામત એ છે કે શક્તિને અવકાશ મળતાં નવરાશ રહેશે નહિ એટલે કંકાસકુથલીના નાશ થઈ જશે અને ચાર મળે ચોટલા ત્યાં ભાંગે એક એ આટલા એ આખી કહેવત અસત્ય થઈ જશે. ૧૯ ભવિષ્યનું કાર્ય ક્ષેત્ર આવી રીતે સેવાના અને ઉદ્યોગના ક્ષેત્રે ખુલ્લાં કરવાને પિરણામે વિધવાના આખા પ્રશ્ન સહેલા કરી નાખવામાં આવશે. અત્યારે અવકાશને મા` આપવાના વાંધાને કારણે સ્ત્રીજાતિ અધમ દશામાં સરી પડી છે, તેને માટે સેવામા` ધણા વિશાળ છે.. પરિવર્તન કાળમાં સ્ત્રીઓએ જે અજબ ધૈય સેવાભાવ અને ત્યાગભાવ બતાવ્યા છે તેથી તેમનું ભવિષ્યનું ક્ષેત્ર નિર્માણ થઈ ચૂક્યું છે અને ત્યાં માનભરેલી રીતે તેઓ જીવન સફ્ળ કરી શકે અથવા નિરાધાર સ્થિતિમાં તેના ઉપર આધાર રાખી શકે એવી સ્થિતિ નવયુગની સ્ત્રીએ જ ઊભી કરશે અને તે માગશે તેવા સંયોગામાં પુરુષવર્ગ તેમને સલાહ સહાય અને સહકાર આપશે. આશ્રમે એવી વ્યવસ્થા કરશે કે શ્રીઆએ તૈયાર કરેલ વસ્તુએ તે સંસ્થા જ વેચાતી લઈ લે. વળી મોટા મોટા હાથઉદ્યોગના સ્ટારા સ્ત્રીઓ જ કાઢશે અને ચલાવશે. શંકડ નાણે વ્યાપાર ચલાવશે અને વેચવાનું કાર્ય સ્ત્રીએ વધારે અસરકારક રીતે કરી શકશે તે તે તેણે પશ્ચિમની દુનિયામાં સામાન્ય રીતે અને હિંદમાં અત્રતત્ર સારી રીતે બતાવી આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ રર૦ નવયુગને જૈન એ સિવાય સેવાભાવી વિધવાઓ પૈકી અનેક કેળવણીનું કાર્ય કરશે. એમની શિક્ષણ પદ્ધતિ હૃદયને અસર કરનારી જ નીવડે છે. પ્રાથમિક વર્ગોમાં તો સ્ત્રીશિક્ષકો વધારે સુંદર પરિણામ બતાવી રહી છે. એ ઉપરાંત ભાષણ, ગૃહવર્ગો, આરોગ્યવિચારને પ્રચાર આદિ અનેક નાનાં મોટાં ક્ષેત્રો સ્ત્રીઓ માટે ખૂલશે અને તેમાં તેની બચતશક્તિને ઉપયોગ થશે, વિધવાઓને સેવામાર્ગમાં જોડવાથી તેઓને ઉદ્યમે ચડાવવાથી અને તેમને સર્વ સગવડ મળવાથી વિધવાનો પ્રશ્ન અત્યારે જે ગંભીર બની ગયું છે તે નવયુગને નહિ લાગે. વિધવાના પ્રશ્નને નિકાલ સ્ત્રીઓ જ કરી લેશે. નવયુગમાં સ્ત્રીઓ પોતાનું સ્થાન શોધી લેશે, તેમની આવડત અને હૃદયશક્તિને ઉપયોગ કરી એ : પુરુષની પડખે બેસશે અને વિધવાની શકિતને ઉપયોગ થવાને રસ્તે તેમને સાંપડ્યો એટલે વિધવાને પ્રશ્ન સ્વતઃ નીકળી જશે અથવા તેના સંબંધમાં ઘણેઅરે નિકાલ થઈ જશે. વિધવા પૈકી જે તપ ત્યાગ કરી શકે તેમ હોય, જેનું ધર્મ તરફ વલણ હોય તેને તે માટે સર્વ સગવડ નવયુગ આપશે. એ ધર્મની જ્યોતિ બને અને આત્મગુણોને પ્રગતિમાન બનાવી વિશ્વના વિકાસમાં પિતાના વિકાસ સાથે લાભ આપે તે માટે અનેક સગવડે નવયુગ જશે. ધર્મ માર્ગમાં સ્ત્રીઓ ઘણું ઉપયોગી કાર્ય કરી બતાવશે અને જનતાના હાર્દિક ગુણો ખીલવવામાં અગ્રગણ્ય ભાગ લેશે. મહાન પરિવર્તનની આશા જનતાને સ્ત્રી જાતિ તરફની વલણમાં મોટો ફેરફાર થઈ જશે. સ્ત્રીઓ પદવી પામશે, કેળવાયેલી થશે, પિતાની જવાબદારી સમજનારી થશે એટલે સમાજમાં પિતાનું સ્થાન માગી જ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું २२१ પુરુષવર્ગનું વલણ આથી મોટું પરિવર્તન પામશે. સ્ત્રીસંબંધી પ્રશ્નમાં એ બન્નેના હક્કો અને જવાબદારીઓ વિચારતે થઈ જશે. વિધવાઓને અપશુકન કરનાર કે ભારભૂત માનવાને બદલે એને એ સતીત્વનું આદર્શ, આર્યભાવનાનું જીવંત સ્વરૂપ, મહાકલ્યાણી, મહાત્યાગી અને વંદન કરવા યોગ્ય માનશે. આર્ય ભાવનાના એ ઉચ્ચ આદર્શને જૈન જનતા કદી નિર્ભસ્થશે નહિ, ઉપેક્ષશે નહિ, વિસારી મૂકશે નહિ દાંપત્ય ભાવનાનું જે વિશાળ સ્વરૂપ આર્ય દેશમાં ચીતરાયું છે તે અન્યત્ર અપ્રાપ્ય છે. એ આદર્શનું પર્યાવસાન વિધવાજીવન છે. એને પોષાક સાદે રહેશે પણ એની સેવાભાવના એને વિશાળ આકાશમાં ઉડયન કરાવશે. નવયુગ સંકીર્ણ થઈ ગયેલા વિધવાના પ્રશ્નને ઘણુ સુકરતાથી ઉકેલશે. સ્ત્રીસત્કીર્તિને યોગ્ય ક્ષેત્રે તૈયાર થયા પછી વિધવાને પ્રશ્ન આકરો રહેશે નહિ. આર્ય લોહીમાં જે તપ અને ત્યાગ ઉતર્યા છે, જેના હૃદયમાં જે અહિંસા અને સંયમ ઉતર્યા છે તે વિધવાને સ્થિર રાખશે. છતાં કઈ બાળવિધવા હશે અથવા કોઈ પિતાની જાત ઉપર અંકુશ રાખવા જેટલું સૌહાર્દ બતાવી શકે તેવી નહિ હોય તે તેને કુકર્મ કરી ગર્ભપાત કરાવવાને બદલે એને પરણી જતી અટકાવવામાં આવશે નહિ. આવા કેસો બહુ ઓછી બનશે. સમાજ ફરજિયાત વૈધવ્યની વાત ચાલુ રાખશે નહિ. એ આદર્શ ઉચ્ચ રાખશે, પણ છૂટાછવાયા કેસમાં કોઈ પરણવા માગશે તે તેને અપરિહાર્ય આપત્તિ ગણી તેના તરફ પરાક્ષુખ રહેશે. આવી રીતે ફરજિયાત વૈધવ્યને સિદ્ધાંત છેડી દેવા છતાં આર્ય આદર્શને નબળા ન પડવા દઈ અને જૈન ત્યાગનાં દ્વાર ખુલ્લા કરી તદ્દન અકથ્ય સહેલાઈથી વિધવાને પ્રશ્ન સમાજને જરા પણ નીચે ઉતાર્યા વગર નવયુગ ઉકેલશે. એની નજરમાં બાળહત્યા ગર્ભપાત અને એકાંતમાં અનિષ્ટ કુકર્મ વધારે મહત્વનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - રરર નવયુગને જૈન લાગશે અને એને બદલે ટૅગ કરીને દેખાવ જાળવવામાં એ આખા સમાજને નુકસાન માનશે. આવા કેસે એટલા ઓછા બનશે કે એનું પ્રમાણ નહિવત આવશે. વિધવાવિવાહને પ્રતિબંધ કર્યા વગર લગભગ ઈષ્ટ પરિણામ નવયુગ લાવી શકશે અને તેની સાથે પંચેન્દ્રિય જીવઘાત અને એકાંતમાં ગુપ્ત વિષયસેવનથી થતાં નિકાચિત કર્મબંધનના પ્રસંગેને પણ એ દૂર કરી શકશે. આ વિધવાવિવાહના પ્રશ્ન વર્તમાન યુગમાં ભારે ચર્ચા ઉત્પન્ન કરી છે તેથી નવયુગ એ સંબંધમાં સ્પષ્ટ મત ઉચ્ચારશે. એ આદર્શ આર્ય ભાવનાને જ રાખશે, છતાં એ દલીલ કરશે કે જેમ સતી થવાની રીતિ બંધ કરવાથી આર્ય ભાવનાનો લેપ થયો નથી, તેમજ અતિ નાની વયવાળી અક્ષતની લગભગ સ્થિતિની બાળા અથવા ગૃહ માંડવા પહેલાં ગૃહ ઉપાડી મૂકેલ અપૂર્ણમનેરથા જેનું વલણ ત્યાગ સેવામાર્ગે ન જઈ શકે તેવું હોય તે એકાંતમાં કુકર્મ કરી મહા તીવ્ર કર્મબંધ કરે તેને બદલે લગ્નગ્રંથીથી એક પતિ સાથે જોડાય તેમાં તેના પર ભાવનાને આદર્શ જરા નરમ પડે છે ખરે, પણ બે આપત્તિમાંથી ઓછી આપત્તિ વહેરવાને એ એક જ માર્ગ છે. આ નિર્ણયમાં નવયુગ એક મત જ રહેશે, પણ તે અપવાદને સ્વીકાર આપત્તિધર્મ તરીકે જ કરશે. વિધવાવિવાહના પ્રસંગો અટકાવવા માટે બાળલગ્ન અને વૃદ્ધલગ્ન અટકાવવામાં આવશે એ વાત ઉપર થઈ ગઈ છે. એવા જ કેટલા રિવાજે આ સામાજિક પ્રશ્ન સાથે સંકળાયેલા છે તેના નિર્ણયને અંગે વિધવાવિવાહને પ્રશ્ન મોટા પાયા ઉપર ઉપસ્થિત તે નહિ જ થાય. એ પ્રશ્ન પણ આ ચર્ચામાં ઘણાખરા છૂટા છવાયા ચર્ચાઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું r કન્યાવિક છેલ્લાં સો બસો વર્ષથી આ ભયંકર રિવાજ દેશમાં પેસી ગયું છે. પ્રથમ બાળલગ્ન કેટલાંક ઐતિહાસિક કારણે દાખલ થયા, પછી ઘરડાંઓને પણ પરણવા ઈચ્છા થઈ. ત્યાં દીકરીને ગાય સાથે સરખાવવાની પ્રથા વધતી ચાલી. પછી એને મનુષ્ય ન ગણતાં એક વસ્તુ તરીકે ગણવાની રીતિ દાખલ થઈ. પછી એ વેચવાની વસ્તુ ગણણી. પછી લીલામમાં એને માટે જે વધારે રકમ આપે તેને આપવાની–વેચવાની રીતિ દાખલ થઈ સમાજને ઘાત થાય છે ત્યારે કાંઈ હિસાબ રહેતું નથી. જે માબાપે કષ્ટ વેઠીને દીકરીને ઉછેરે તેને એક વેચવાની ચીજ ગણે, વય આવડત કે શક્તિનો ખ્યાલ ન કરતાં મડાં સાથે પણ ગાંઠ બાંધતાં લજવાય નહિ અને દીકરીને આપવાના બદલામાં સેંકડો હજાર રૂપિયા લે અને તેની દ્વારા પિતાને વસીલો વધારવા ચાહે એ તે નૈસર્ગિક પાતની પરાકાષ્ટા કહેવાય. આ રિવાજ પ્રથમ વિવાહખર્ચને અંગે શરૂ થયું. અસલ ઠીક ઠીક કે કહેવાતા ખાનદાનને અમુક વરા જમણવાર તે કરવાં જ પડે, એ ખર્ચને પહોંચી વળવા સાધારણ રકમ લેવાથી વાત શરૂ થઈ. પછી વિવેકને સર્વથા નાશ થશે. તેર વર્ષની કુમળી બાળાને પાંસઠ વર્ષના મરણને કાંઠે બેઠેલા પાંચમી વાર પરણનારને આપવાના સેંકડે દાખલા બન્યા. આ સર્વેમાં માબાપની અને ખાસ કરીને બાપની સ્વાર્થવૃત્તિ અને સમાજના આગેવાન પટેલિયાઓની અધમ નીતિ જ કારણભૂત છે. માબાપ સારા ગૃહસ્થ સાથે સગપણ થતાં પિતાના અનેક સ્વાર્થ સાધવા લલચાય અને આ રીતે દીકરીની દેરવણું થવા માંડી. કન્યાની દૃષ્ટિથી કદિ સવાલ વિચારાયા નથી. મૂર્ખ, અભણ, પિતાને નિર્વાહ પણ ન કરી શકનાર, કદરૂપા, નિસ્તેજ માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ -- ------ -- -- - રર૪ નવયુગને જૈન કઈ પાસેથી પૈસા મેળવી દેવું કરી દીકરીના બાપને રકમ આપી દીકરીને લઈ આવવા લાગ્યા અને આવાં અધમ કજોડાંને પરિણામે વિધવાવિવાહના પ્રસંગે વધી પડ્યા. અસમાન પતિ પત્નીથી સંસાર ખારે ધુધવા બને. વૃદ્ધવગ્નને પરિણામે ઉગતી યુવતીની મનકામના પૂર્ણ ન થઈ અને સમાજના સાતમને ભોગ થઈ પડેલી એ અબળાને કેઈ આશરે ન રહ્યો. આ કન્યાવિક્રયના અનેક ભયંકર પરિણામ આવ્યાં છે. એથી સમાજમાં ગૃહજીવન, દાંપત્ય, આદર્શ પ્રેમ–એનું નામ ઊડી જવા લાગ્યું છે અને તે ઉપરાંત વિચારધારામાં વિવેક સભ્યતા કે વાત્સલ્યનાં ઝરણું સુકાઈ જવા માંડ્યાં. કલ્પના કરતાં ન બેસે તેવી વાત છે, પણ સત્ય વાત છે કે વર્ષો સુધી દીકરીને એક વિક્રયની ચીજ ગણવામાં આવી છે. નવયુગ એક સપાટે કન્યાવિક્રયને અટકાવી દેશે. એને એ ફોજદારી ગુને ગણાવવા માટે પણ પ્રયત્ન કરશે. અને નવયુગમાં કન્યા એટલી આગળ વધેલી સુશિક્ષિત અને પિતાનું સ્થાન સમજનારી થશે કે એ પિતા સામે ઊભી રહી પોતાના લગ્નની વાત કરશે. આવા સંયોગેમાં કન્યાવિક્રયને સ્થાન રહેવાનું નથી એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. જ્ઞાતિ નહિવત થઈ જતાં મોટી ઉમરે લગ્ન કરવાને રિવાજ દાખલ થતાં અને કન્યાની સંમતિ વગર લગ્ન સંબંધ કરી શકાય નહિ એ નિયમને સ્વીકાર થતાં કન્યાવિય તે જશે, પણ તેના આડકતરા પરિણામ તરીકે વિધવાવિવાહના પ્રસંગે પણ ઉત્તરોત્તર ઓછી જ થઈ જશે, નવયુગ સ્ત્રીવર્ગમાંની કોઈને “વસ્તુ'–વેચવાની ચીજ તરીકે ગણવાનું પાપ કે ગણવાની ધૃષ્ટતા કરશે નહિ, કરી શકશે નહિ અને કરવાને પ્રસંગ જ્ઞાનયુગને પ્રતાપે અને સ્ત્રી સમાજની ચાળવણીને પરિણામે અને લોકસમાજના અભિપ્રાયને પરિણામે મેળવી પણ શકશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૨૨૫ વરવિય કન્યાવિક્રયના જેવો જ એક વિચિત્ર રિવાજ વરવિક્રયને છે. આ શબ્દ અપરિચિત જણાશે. મોટા શહેરના ધનવાને પિતાને કુળવાન માની કન્યા લેવાના સ્વીકારવાના બદલામાં “પૂત ની મોટી રકમ લેતા આવ્યા છે. આ પણ એક જાતનું સાટું છે. એમાં પણ દુર્ભાગ્ય વરનું સાટું નહિ, પણ કન્યાનું જ સારું છે. મોટા શેઠિયાને કરે છે તે તેને ત્યાં અનેક કન્યાનાં માબાપ સગપણ કરવાની દરખાસ્ત મોકલે. આમાં પૂરતની રકમ અગત્યની ગણાય. જે વધારે રકમ આપે તેને ત્યાં સદે પતે. કન્યા કરતાં ભવિષ્યને પતિ બે ત્રણ વરસ નાનું હોય તે પણ ચાલે. અને એ સોદામાં જે કન્યાને ભવ કાઢવાનો છે તેનો અવાજ સરખે પણ નહિ. આ વરવિક્રય શબ્દ એક રીતે તદ્દન ખોટે છે. એમાં પણ કન્યાને જ વિક્રય થાય છે, માત્ર એમાં રકમ લેવાને બદલે દેવાની હોય છે, પણ એના બીજા સર્વ પરિણામે તે એક સરખા જ હોય છે. કન્યા વેચવાની વસ્તુ ન હઈ નવયુગમાં આ રીતે કન્યા લેવા માટે રકમ સ્વીકારવાની આખી પ્રથાને પણ ઉપરને કારણે નાશ થશે. વરકન્યા પસંદગી અમુક કન્યાનાં લગ્ન કોની સાથે કરવા તેને નિર્ણય મુસલમાની સમય પછી માબાપ કરવા લાગ્યા. કન્યાને અમુક પરિસ્થિતિને અંગે નાનપણમાં પરણાવી દેવાનું યોગ્ય ધારવામાં આવ્યું અને બે ત્રણ યુગ જતાં એ ઐતિહાસિક કારણે થયેલે રિવાજ વજલેપ થઈ ગયે. આ કાર્યમાં માતાને તે નામનું જ પૂછાતું. પિતા એ કાર્ય કરે તેમાં ક્વચિત લાભ પણ થતું. પિતાના નિર્ણયમાં જે કઈ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન જાતના ધન, લાગવગ કે ખીજો કાઈ સ્વાર્થ ન હાય તા કાઈ ક્રાઈ લગ્ન સુખકર પણ થઈ જતું. પણ પરણનાર સ્ત્રીપુરુષને પૂછ્યું એ તા ધીમે ધીમે તદ્દન ઉડી ગયું. પ્રાચીનકાળના સ્વયંવરે ઉડી ગયા, પ્રાચીનકાળની કાઈ કાઈ કથામાં આવતી દીકરીની પૃચ્છા જાણવાની વાત ચાલી ગઈ અને પછી તે ધેાડિયામાં વેવીશાળ સંબંધ થવા માંડ્યા, અને કાઈ કાર્ય સ્થાને તે પેટમાં છેાકરકરી હાય ત્યાં સંબંધેા થવા માંડ્યા. દાંપત્યને સ્થાને લગ્ન એ એક જાતના વ્યવહાર થઈ પડ્યો અને માબાપને લ્હાવા લેવાનું, પોતાની સમૃદ્ધિ બતાવવાનું અને વ્યવહાર વધારવાનું સાધન થઈ પડયું. જે પ્રજામાં લગ્નને સંસ્કાર ગણવામાં આવે, જ્યાં દાંપત્યના ઉચ્ચ ખ્યાલ હાય, જ્યાં એકપત્નીત્વ અને સતીત્વના આદર્શ હોય ત્યાં લગ્નની આખી સંસ્થા !લી હદ સુધી કેમ ઉતરી ગઈ હશે તે કલ્પવું નવયુગને ભારે પડશે. ઘેડાં ઇતિહાસનાં કારણા, બાકી અવ્યવસ્થિત માનસિક દશા, અગ્રેસરાની શેઠાઈ કરવાની લેલુપતા અને કાઈ પણ પ્રશ્ન ઉપર સળંગ વિચાર કરવાની અશક્તિ, બિનઆવડત અને ચાલી આવતી પ્રથાને હેતુને અભાવે પણ વળગી રહેવાની ચીવટને કારણે કે ગમે તે કારણે આખી લગ્નની સંસ્થામાં ભારે અવ્યવસ્થા ચાલી. ૨૬ નવયુગ આ સર્વે ધડભાંજમાં ઉતરવાનુ` માંડી વાળશે. તે નીચેની રીતે કામ લેશે. લગ્નની હકીકત મનુષ્યના આખા જીવનને પ્રશ્ન છે. એમાં પરણનાર પતિપત્નીને જ લાગેવળગે છે. એમને સલાહ ગમે તે આપી શકે, પણ એના નિર્ણય સ્રીપુરુષ જ કરી શકે. વય, અભ્યાસ, યેાગ્યતા, સ્વભાવ, રસ, વલણુ અને ખીજા માનસિક અને હાર્દિક અનેક સવાલે એમાં એવી રીતે ગૂ ́ચવાઈ જાય છે કે એકને માટે ખીજો નિણૅય કરનાર પાલવે નહિ. એના મિત્રા, માબાપ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮મું ર૭ બીજા અન્ય વડિલે સલાહ આપી શકે, પણ છેવટને નિર્ણય તે પરણનાર-જીવનભરને માટે જોડાનાર જ કરે. નવયુગના આ નિર્ણયથી ઘણું સુધારા સ્વતઃ જ થઈ જશે, પછી દીકરીને ગાયની ઉપમા આપવાનું નહિ રહે. એને જ્યાં દેરે ત્યાં તે જાય એ આ સિદ્ધાંત ઉડી જશે, બાળલગ્નને તે પ્રશ્ન જ નહિ રહે. નિર્ણય કરવા વય, અનુભવ, અભ્યાસ અને આવડત વિના લગ્ન થઈ શકે જ નહિ. વૃદ્ધ વિવાહને પ્રશ્ન પણ નહિ રહે. કન્યાવિક્રય કે વરવિક્રયને સવાલ નહિ રહે. પછી તે પ્રેમલગ્ન થતાં પતિપત્ની વચ્ચે ગાંઠ એવી મજબૂત થશે કે વિધવાવિવાહને પ્રશ્ન પણ લગભગ નાશ પામી જશે. કેઈ અસાધારણ સંયોગમાં તાજી પરણેલ યુવતીને એવો પ્રસંગ કદાચ આવશે તે સમાજ એના તરફ દયાની નજરે જોશે. બાકી સાચું દાંપત્ય જામશે. કજોડાં દૂર થઈ જશે. ગુણ, અભ્યાસ અને વયની ગૂંચવણ નીકળી જશે. દીકરી જન્મે ત્યારથી માબાપને એક જાતની ચિંતા રહ્યા કરે છે તે વાત દૂર થઈ જશે અને જે ગૃહસ્થજીવન અત્યારે કંકાસ, કલેશ અને ઉકળાટ કરનાર થઈ પડેલ છે તેને બદલે ઘણા મેટા ટકાઓના પ્રમાણમાં સાચું આદર્શ ગૃહસ્થજીવન | ઠામ ઠામ મળી આવશે. લગ્નના પ્રશ્ન ઉપર જ્ઞાતિઓમાં ઝઘડા થાય છે તે વાત પૂર્વના ઈતિહાસની જ થઈ જશે. સવેલીને પ્રશ્ન આ ખલાસ થઈ જશે અને સમાજ શાન્તિના શ્વાસ લે તેવા સારા દિવસો સાંપડશે. વેવિશાળ લગ્નને પ્રશ્ન સામાજિક પ્રસંગમાં હાથ ધર્યો તે તેને લગતા એક બે નાના પ્રશ્નને નવયુગ કેવો નિર્ણય કરશે તે પણ અત્રે જ વિચારી લઈએ. વેવિશાળને કેટલીક જગ્યાએ “વિવાહ” કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન આવે છે. કેટલીક જગાએ લગ્નને વિવાહ કહેવામાં આવે છે. સ્પષ્ટતા ખાતર આ ઉલ્લેખમાં લગ્ન અને વેવિશાળ શબ્દપ્રયોગ કર્યાં છે. વેવિશાળ એટલે પિતા નિણૅય કરે તેની સાથે લગ્નસંબંધ કરવાના જાહેર નિય, એમાં જ્ઞાતિને સંબંધ નોંધ કરવા પૂરતા આવે છે. એ વાગ્યાન છે, ભવિષ્યમાં લગ્ન કરવાના નિણૅય છે. પ્રચલિત રીતિ પ્રમાણે એમાં વરકન્યાને પૂછ્તામાં આવતું નથી. એ ઉપરાંત અસલ તા ઘણી નાની વયે ધાડિયામાં બાળા પોઢેલાં હાય ત્યારે આ સંબંધને નિણૅય કરી નાંખવામાં આવતા હતા. ૨૨૮ આ વેવિશાળની પ્રથાથી ઘણું નુકસાન થતું હતું. બાળવયથી લગ્ન થતાં સુધીમાં શરીરસ્થિતિ કેવી રહેશે તેનું અચેાક્કસપણું, શાળી, એરી આદિથી થતી ધાતક શારીરિક વિડંબનાઓ, અભ્યાસ અને આવડત વરકન્યાના કેવાં થશે તેને વિકલ્પ અને વિકાસની તરતમતાને કારણે અનેક જાતની ગૂંચવણ થતી હતી; છતાં ઉધતા વરને ચાંટિયાભરી માંયરામાં ખેસાડી તેના ગળામાં ધુંસરી નાંખવામાં આવતી હતી. લગ્ન ધુંસરી તુલ્ય જ થઈ ગયાં હતાં, એમાં વરકન્યાના હૃદયમિલન કરતાં માબાપની કહેવાતા હાવા લેવાની વૃત્તિ, પેાતાનું ગૌરવ બતાવવાને પ્રસંગ અને અવ્યવસ્થિત વિચારણાને સ્થાન મળતાં હતાં. બાળપણના વેવિશાળથી થયેલ અનિષ્ટ સંબંધેાના પાર વગરના દાખલા નાંધાયલા છે. વેવિશાળથી એક પણ પ્રકારના લાભ જણાતા નથી. અભણ અથવા અક્ષરજ્ઞાનવાળા યુગમાં તે નભી ગયાં હોય, પણ પસંદગી લગ્ન, પ્રેમલગ્ન અને દાંપત્ય યોગ સમજનાર જ્ઞાનયુગમાં વેવિશાળને સ્થાન જ નથી. જ્યાં માબાપના હાથમાંથી લગ્ન સંબંધ કરવાની આખી વાત Ο ઉડી જતી હેાય ત્યાં વેવિશાળના સવાલ જ અશકય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦નું ૨૨૯ વેવિશાળને કારણે કન્યાવિક્યને મેટે અવકાશ મળતું હતું. એમાં પાછા ગેટા પણ વળતા હતા. એનાથી સવેલીને પ્રશ્ન પણ ઘણીવાર ઊભો થો હતે. સવેલીને પ્રશ્ન આ પ્રમાણે છે – એક કન્યાનું વેવિશાળ અમુકની સાથે થયું હોય, પછી તેને નાતને ત્યાં નેંધ થયો હય, આગળ જતાં વરને ક્ષય જેવો વ્યાધિ થતાં, અસાધ્ય રોગ થતાં એ કન્યા પતિના પિતાની પરવાનગી વગર અન્યને આપવાના કાર્યને “સલી ગઈ” એમ કહેવામાં આવતું હતું. આ સવેલી આપનાર પિતા કે વડિલોને જ્ઞાતિ નાતબહાર મૂકે, ન્યાતમાં પાર વગરના ઝઘડા થાય અને પાર વગરની ગૂંચવણ થાય. આ ઉપરાંત કન્યાવિક્રય કરવાવાળા પિતા કે વડિલે વધારે લાલચ મળતાં દીકરીને દૂર દેશ કે બુટ્ટા સાથે પરણાવી સ્વાર્થ ખાતર મડાને મીંઢળ બંધાવે. આ સર્વથી અનેક તકરારે, ગૂંચવણો, કલેશ, ચર્ચા અને બખેડાને જન્મ મળતો હતો. અને વેવિશાળથી કઈ પ્રકારને લાભ છે નહિ. આખી સંસ્થા બિનજરૂરી છે. એનાથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, એનાથી કઈ જાતને લાભ થતું નથી. પૂર્વકાળને એક જૂને સિદ્ધાંત ચાલ્યા આવે છે કે “વરની મૂકી કન્યા જાય, પણ કન્યાને મૂકે વર ન જાય.” આ નિર્ણય સત્તાશાળી પુરાએ જ કર્યો હશે. જે સમયમાં કન્યાને વેચવાની ચીજ ગણવામાં આવતી અને જ્યારે તેને ગાયની ઉપમા અપાતી ત્યારે એના હકક માટે ચિંતા કરનાર કોણ? સ્ત્રીઓ નાતજાતના મેળાવડામાં આવતી નહેતી, એના પુરુષ જેટલા જ હક્ક છે, હવા જોઈએ-એવી કલ્પના પણ નહોતી ત્યારે આવા જ સૂત્રો અનાદિ સત્ય સિદ્ધાંત તરીકે જન્મ પ્રસરે અને મૂળ ઘાલે એમાં નવાઈ જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન આ રીતે વેવિશાળની સંસ્થાથી કાઈ જાતના લાભ ન હાવાને કારણે, એમાં સ્ત્રીસન્માનને મહા હાનિ થતી હાવાને કારણે અને એવા વીમા કરવાનું કાંઈ કારણ ન હોવાથી નવયુગ એક વેવિશાળની સંસ્થાને રદ કરી નાખશે, યોગ્ય સપાટે આખી 'મરના યુવાન પુરુષ પરસ્પરના રવભાવ ગુણ આવડતના અભ્યાસ કરી જે નિર્ણય કરે તેના પછી થોડા વખતમાં લગ્ન થશે, પણ ન્યાàામાં કલર્ડ કરાવનાર કન્યાના હક્કને વીસારનાર વેવિશાળ જેવી સંસ્થાને નવયુગમાં સ્થાન નહિ રહે. ૨૩૦ * આ સ્થળે જ્ઞાતિનું અસ્તિત્વ અને તેની સત્તાનું નાસ્તિત્વ આદિ અનેક સવાલે અગાઉ નવયુગની નજરે ચર્ચાઇ ગયા છે તેને અત્ર ગાટાળા ન કરવા. જ્ઞાતિ ઉડી જ જશે. અહીં જે વિચારણા કરી છે. તે વમાન યુગની નજરે છે એ ધ્યાનમાં રાખવું. એની સાથે એટલું પણ ધ્યાનમાં રાખવું કે અત્યારે પરિવર્તન યુગ ચાલે છે, પ્રાચીન યુગ પૂરા થઈ ગયા છે અને નવયુગ ક્યારે બેસશે તે આ ઉલ્લેખના પૃષ્ટામાંથી શોધી કાઢવાનું છે. એ સી સ્ત્રી–કન્યાની પરવશતાની પરાકાષ્ટા એ પ્રસંગે દેખાઈ આવે છે. એક એના વૈધવ્યમાં અને ખીજી એના ઉપર શાક્ય ઢાકી એસાડીને એને જીવતાં મરેલી પ્રાયઃ કરવામાં, વૈધવ્યમાં તે પ્રાચીન યુગ કવિધિના દોષ કાઢતા, પણ એક સ્ત્રીની હયાતીમાં શ્રીજી સ્ત્રીને કરવી એને બચાવ કેવી રીતે કરી શકે તે નવયુગને ગળે કાઈ રીતે ઉતરે તેવી બિના નથી. એને સ્ત્રીઓની અજ્ઞાન દશાને પૂરતો લાભ તેમાં લેવાયેલા લાગશે. સંતતિ ન થાય તે માટે બીજી સ્ત્રી કરવી એ તેા તદ્દન વાહિયાત વાત લાગશે. દીકરાએ સ્વગે પહેાંચાડે એ સિદ્ધાંત જૈન ધર્મને માન્ય નથી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ સુ ૨૩૧ શ્રાદ્ધ પિતૃતર્પણમાં માને નહિ. એ પોતાનાં ક્રમના સારા કે ખરાબ વિપાક ભાગવવા પડે એવા સિદ્ધાંત માન્ય કરનાર દન હાઇને કાઈની દરમ્યાનગીરી ( એજન્સી ) કે પછવાડેથી માકલાયલી તામાં માનતા નથી. છેકરાઓ છેકરાનાં કર્મ ભાગવે છે, પિતૃઓ પેાતાનાં કર્મો ભોગવી રહ્યા છે તેમાં સંતતિ હાય કે ન હાય એ પ્રશ્નને અવકાશ જ નથી. www. નવયુગ તા એક બાજુ વિધવાની પરાધીન દશા, દુઃખ, દરદ, અગવડે! અને માનસિક વ્યાધિ, વેદનાઓ, હીસ્ટીરીઆ અને ખાવા જેટલી રકમ આપવા—અપાવવાના અખાડા જોશે અને બીજી બાજુ ન્યાય કરવા ખેડેલાનેા દાવા કરનારા એક વાર પરણે, એ વાર પરણે, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર અને છ વાર પરણે, યુવાન પણ પરણે અને વૃદ્ધ ડાસા ખડખડ ખારડી મરણને કાંઠે બેઠેલા ઉધરસ ખાતાં ખાતાં પણ પરણે એ એ કેસેને સામસામા રજુ કરશે. પુરુષ ન્યાયાસનના માલે-જ્ઞાતિના પટેલા, મોટી પાઘડીવાળા શેઠીઆએ અનેક વાર પરણે અને સ્ત્રીને ક્રૂર આત વૈધવ્ય અને છતાં તેને નાતરીતના દાગીના પણ ન મળે, તેને રહેવા ઘર નહિ, ખાવા સગવડ નહિ અને તેનાં પગલાં અનિષ્ટ મનાય —— આ અન્યાય ધરતી કયાં સુધી સહન કરશે? એણે કેમ સહન કર્યો? આવા સવાલ પૂછશે. તેઓ વૈધવ્યમાં ઉચ્ચ આ આદશે, પણ તે સાથે એમ માગશે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. પુરુષ અને સ્ત્રીના હક્કો સરખા છે. માત્ર જીવનવ્યવહારમાં બન્નેનાં કા ક્ષેત્રા જૂદાં છે, પણ બન્ને મળીને એક આખું' અંગ પરિપૂર્ણ થાય છે. અર્ધાંગના શબ્દને એજ ભાવ અસલ હતા. સ્ત્રી એ અર્ધું અંગ છે. બન્ને પચાસ પચાસ દેાકડાના માલીક છે. એકની ગણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નવયુગને જૈન એકથી શરૂ કરી પચાસ સુધી કરવાની છે તે બીજાની એકાવનથી શરૂ કરી સો સુધી પહોંચવાનું છે. બન્ને મળીને એક–અખંડ– સંપૂર્ણ થાય છે. નંબર એકથી પચાસ સુધીના દેકડાનાં કાર્યો ભલે જૂદાં હેય. પણ એ પચાસ ન હોય તો એકાવનથી સંખ્યા શરૂ જ થતી નથી. તે સામાન્ય બુદ્ધિથી અર્ધા અંગને એક પતિવ્રત રાખવાનું દુરસ્ત ધાર્યું તે ઘણું ગ્ય છે, આદર્શમય છે, વંઘ છે, ત્યાગ જીવનને પુષ્ટ કરનાર છે, સંસાર ધુસરીના વહન કરનારને બરાબર ભાગ પાડી આપનાર છે. તે જેમ સંસારને ભાર ઉપાડનાર એક બળદ આખી જીંદગી સુધી એ ધુરાને છોડે નહિ અને કદાચ બાજુને બળદ ન હતે થઈ જાય તો તેની ખાતર ઝુરી તેનું સ્મરણ કરે, તેમ બીજા બળદને માથે પણ તેવી જ ફરજ હેવી ઘટે. એક પતિવ્રત સામે એક પત્નીવ્રત એ તે સહજ પ્રાપ્ય નિયમ છે. આ દલીલનો જવાબ પ્રાચીન યુગ શો આપશે તે નવયુગ કલ્પી શકે તેવું નથી. જે સાધ્ય આદર્શ આર્યત્વ વગેરે ઉચ્ચ ભા સ્ત્રીને લાગતા હોય તે તે જ દલીલે પુરુષને કેમ ન લાગે અને તેજ પ્રશ્રન પુરુષની બાજુએથી ચર્ચાતાં આદર્શ ઉપર પાણી કેમ ફેરવવામાં આવે છે તે નવયુગની સમજમાં ઉતરશે નહિ. વિધવાને જીવનભર બ્રહ્મચર્ય ફરજીઆત તે જ હોઈ શકે કે જે પુરુષ એકપત્નિત્રત જીવનભર પાળવા અને સ્ત્રીને અભાવે બ્રહ્મચારી રહેવા કબૂલ થતું હોય . એ સિવાય કરેલ એકતરફી નિર્ણયમાં નવયુગ અન્યાય અને સ્ત્રીઓની પરવશ દશાને ગેરલાભ લેવાયેલો જ લેશે. આર્ય આદર્શ રાખ હોય તે નવયુગને ને નથી, એમાં અનેક સગવડે છે, પણ રામ સીતાને જંગલમાં મોકલ્યા પછી બીજી પરણ્યા નહતા એ ખરો આર્ય આદર્શ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૨૩ પણ એ સર્વ બાબત ઉપરાંત એક સ્ત્રીને હયાતીમાં બીજી. સ્ત્રીને પરણવાની બાબતને તે કોઈ પણ તે બચત થઈ શકે તેમ નથી. એમાં મદારીઓએ સ્ત્રીઓને રમકડાં જે ભણેલ છે. એમાં ન્યાયાસનના સ્થાનને દુરૂપયોગ કરીને ન્યાયાધીશ તરીકે ચાલુ રહેવાને માટે પુરુષોએ પિતાને સ્વતઃ અગ્ય જાહેર કરેલ છે અને એને કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એવું ગંભીર પાતક - આજ સુધી ચાલવા દીધું છે. સ્ત્રીને છોકરાં નથી થતાં એ તે દલીલનું હાસ્ય જ છે. એક ખેતરમાં પાક ન થાય તેમાં જમીનને જ દેષ હોય એમ સમજવાનું કારણ નથી. આ સંબંધમાં વધારે દલીલ કરવા જેવી નથી. એ અર્થ વગરની દલીલ છે. એની સાથે જે ખેડૂતને ખેતરને પાક કરતાં આવડતું ન હોય તેની જમીન ખુંચવી લઈ બીજા લાયક ખેડૂતને આપવાનો ઠરાવ સામેલ હોત તે એ દલીલનું સાર્થક્ય નવયુગને જરા પણ લાગત, પણ માત્ર ભૂમિ જ ઉપર છે એમ ધારી લેવામાં માત્ર ગેરવ્યાજબી ભૂલમનું જ તત્ત્વ દેખાઈ આવે છે. પુરુષને અસાધ્ય રેગ હોય, પરણવાના દિવસથી એ વિષમ જ્વરમાં સબડતે હેય, એને સારાં પુસ્તકમાં જેનાં નામ લખવાં પણ અનુચિત ગણાય એવા રેગ હોય, છતાં તેનું સૌભાગ્ય અખંડ અને તે ગમે તેટલી વાર પરણે અને સ્ત્રીને કઈ પ્રકારની છૂટ નહિ, વિચારવાનું સ્થાન નહિ, દિલાસાની ઘડી નહિ અને ભોગાગે સામાની અશક્તિ કે ગુપ્ત રોગોથી સંતતિ ન થાય તે તેના ઉપર શક્યનું સાલ આવી પડવાની ચાલુ ચિંતામાં રહેવું પડે, એ સ્થિતિ ભયંકર, એકતરફી અને અન્યાયી છે એમ નવયુગની નજરમાં લાગશે. અને નવયુગમાં તે સ્ત્રીઓ બહાર આવી પિતાના સ્થાનને નિર્ણય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪ નવયુગને જૈન કરાવશે તે વખતે એના ઉપર સદીઓથી વીતેલાં વીતકેના જવાબ આપવા પડશે. એ જવાબ નવયુગ લેશે. આર્યત્વને ફાંકા રાખનાર અને સ્ત્રી પાસે આર્ય આદર્શ બરાબર પળાવવામાં પ્રવીણ પુરુષ ત્રણ અને ચાર ચાર સ્ત્રીઓ સુધી એકીસાથે કરવાની હદે પણ પહોંચી ગયા છે. તેઓને મનુષ્યસ્વભાવ શું છે તેને ખ્યાલ નહિ, તેઓને કુમળી બાળાના દિલમાં શી શી ઘટનાઓ થતી હશે તેને માટે એક નાનકડો ખૂણો પણ નહિ– નહિ તે આ વાત આર્ય આદર્શમાં સંભવી શકે? અને જૂની કથાઓ વાંચે તે તેમાં ક્ષત્રિય તે સ્ત્રીઓ પરણવાને ધંધે જ લઈ બેઠેલા જણાશે. એમાં આર્યઆદર્શને સ્થાન ક્યાં કહ્યું? સાઠ હજાર ને બેતેિર હજાર સ્ત્રીઓ એક પુરુષ પરણી શકે એના જીવનનું–સ્ત્રીની મને વેદનાનું શું થતું હશે તેને કદિ પુરુષે ખ્યાલ કર્યો નથી આ ભયંકર અન્યાય સામે ઘણું લખી શકાય તેવું છે. મયણાસુંદરી જેવી સાધ્વી સ્ત્રી શ્રીપાળને વિદાય આપતાં શાં વચન કહે છે તે વિચારેઃ “પ્રાણનાથ! પરદેશમાં આપને અનેક સ્ત્રીઓ સાંપડશે, પણ રખે ને મને વીસરી જતા.' આદર્શ સતીને આવું બોલવું પડે એ ઓછી દિલગીરીની વાત છે? નવયુગની છોકરીઓ ખૂણે બેસી રડવાની વાત નહિ રવીકારે. એ આર્ય આદર્શને પુરુષ પાસે પળાવવાને આગ્રહ કરશે. તમે એકપત્નીવ્રન કબૂલ રાખે તે અમારે એકપતિવ્રત કબૂલ છે, નહિ તે પ્રેમ, સંયમ અને ઇરછા પર બનેને છોડી દે. ઘણી હકીકત લખતાં લેખ લાંબે. થઈ જાય. નવયુગ કોઈ પણ જાતના અપવાદને રવીકાર કર્યા વગર એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રીને ન પરણવાને પાકે નિશ્ચય કરશે અને તે નિયમનો ભંગ કરનારને ઉજદારી કોર્ટમાં ઘસડાવું પડે એવો પાશ્ચાત્ય દેશ જેવો અહીં પણ કાયદે કરાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮મું ૨૩૫ - 4 * - - - - લગ્નના ઉપરના સર્વ પેટા વિષય સંબંધમાં મહાસભાપરિષદ વિચારણા કરી માર્ગદર્શન કરાવશે અને મહાસભાના નિર્ણય નવયુગને–સમસ્ત જૈન સમાજને માન્ય થશે. જમણવાર લગ્નના પ્રશ્નની સાથે જમણવારને સવાલ ગાઢ સંબંધ ધરાવે છે. સામાજિક પ્રશ્નને વિચાર ચાલે છે ત્યારે જમણવારની વાત કરી નાખીએ. પ્રથમ લગ્નને અંગે વિવેક વગરને વધારે પડતું ખર્ચ થાય છે અને લગ્નની ગંભીરતામાં વધારે કરવાને બદલે નાટક ફારસનું રૂપ લે છે તે નવયુગ ચર્ચા દ્વારા અટકાવી દેશે. જમણવારને અંગે તેને બહુ વિચારે થશે. તમે કઈ જમણવારમાં ગયા છે? અંતરંગને પૂછજો. ત્યાં આપણે માણસની જેમ જમીએ છીએ? ત્યાં જે રીતનું વર્તન થાય છે તે જૈનને યોગ્ય થાય છે? ખાનાર માને છે કે લૂંટાઈ જશે માટે ખાઈ નાખે, ખવરાવનાર પોતાની કલ્પનામાં માનેલી આબરૂના વિચારમાં રહે છે. એને થાય છે કે આ લૂંટનારા મારી ટીકા કર્યા વગર ઘેર જાય તે સારું. ખાનારને ખાતાં આવડતું નથી, પંગતે બેસતાં આવડતું નથી, ઉડીને દેડાદોડ કરવામાં સભ્યતા રહેતી નથી, ઉચ્છિષ્ટ (એઠું) મૂકવામાં ધર્મને લેપ દેખાતું નથી, બેસવાની જગ્યા કેટલી ગલીચ છે તેને ખ્યાલ નથી, આરોગ્યને એક નિયમ જળવાતું નથી, વરસાદ હોય તે ઉભડક બેસવામાં વાંધો નથી, એક થાળીમાં ચાર પાંચ સાથે જમે એની અડચણ નથી, વાતાવરણમાં શાંતિ નથી. અવ્યવસ્થિત હકારા, ખાનારની લપાલપ, પીરસનારાના ઘાંટા અને પાંચસોને નેતર્યા હોય ત્યાં એક હજાર આવી શકે એવી સમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન વ્યવસ્થા અને ગૃહસ્થાઈ ! અને જૈનના તેા અભંગ દ્વાર હાય એવા પડારા ! ૨૩૬ આ સર્વને પરિણામે જૈના સાથે કેટલાયે તેા ભેાજનવ્યવહાર બંધ કર્યાં છે. એ સવાલ અપ્રસ્તુત છે, એના ગર્ભમાં તે ખીજાં કારણેા છે અને ટીકા કરનારનાં જમણા પણ બહુ સારાં કે આદમય તે નથી જ. નથી જ. નવયુગ તા વસ્તુસ્થિતિ જોશે અને તેમાં અજૈન તત્ત્વ દેખાશે તેને દૂર કરશે. પ્રથમ તા નિરર્થક જમણા એછાં કરશે. લગ્ન પ્રસંગે સ્થિતિ અનુરૂપ જમણ કરશે. જેટલાંને નેતરવા હશે તેટલા જ આવશે. તેમને આમ ત્રણપત્રિકા માકલાશે. તેમને માટે પૂરતી રસાઈ, થાળા અને પીરસવાનાં શુદ્ધ પાત્રા તૈયાર રાખશે. જમનાર નિરાંતે આનંદથી જમશે. યાગ્ય સુગંધી વાતાવરણ બનાવશે. જમાડનાર જમાડીને રાજી થશે. જમનાર વિવેકપૂર્વક જમશે. એડાંના ઢગલા નહિ થશે. ખાવાનું ઉચ્ચ પ્રતિનું થશે. અનિમંત્રિત સજ્જના અંદર આવી શકશે નહિં. જમી ઊઠેચા પછી એટાના દામા કે પાણીના રેલા ચાલશે નહિ. ટૂંકામાં આરાગ્ય-તંદુરસ્તી જળવાય, વાતાવરણ શુદ્ધ થાય અને પરસ્પર ધર્મસ્નેહ, બંધુભાવ પ્રીતિ વધે તેવાં જરૂરી પણ સુંદર જમા થશે. રાષ્ટ્રની સ્થિતિ પોતાની આર્થિક પરિસ્થિતિ અને વસ્તુનુ ઔચિત્ય વિચારી વિવેક પૂર્વક જમણવાર થશે અને ખાસ કરીને અત્યારે જં ગલીપણું જે પ્રકારનાં જમણવારમાં જોવામાં આવે છે તેવાં જમાના તિરસ્કાર કરવામાં આવશે અને તેને એકદમ બંધ કરવામાં આવશે. મેાટા શહેરામાં નવકારશી અથવા સંધજમણુ કાઈ એ જોયા હાય તે। સ્વમાન સમજનાર ત્યાં ભાગ લેવા ઇચ્છા કરે નહિ એવું નવયુગને લાગશે. આઇસા માણસ બેસી શકે તેવા સ્થાનમાં ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮૩ હજારને બેસવાનું હોય છે. બેસવાની જગ્યા કચરાપુંજાથી ભરેલી હાય છે. અવ્યવસ્થાના, અવાજના, બગાડના હિસાબ નથી. એ જમણવારથી કઈ ભાવના પેાષાય છે તે સમજવું નવયુગને મુશ્કેલ પડશે. આવાં જમણ નવયુગ બંધ કરશે, એજમણવાર કરશે તે। આદયુક્ત જ કરશે. ૨૩૭. સ્વામીવાત્સલ્ય જેને કહેવામાં આવે છે તેમાં જમનાર કે જમાડનારને ધમ બંધુભાવ જાગી શકે એવી પરિસ્થિતિ જ રહી શકે તેમ નથી. જમણવારને બદલે જમધાડ થઈ પડી છે અને વિવેકને બદલે ગાંડપણ દેખાય છે. આવે। અભિપ્રાય નવયુગ અત્યારનાં કહેવાતા સ્વામીવલ માટે આપશે. એ એ સને એ ઉચ્છેદી નહિ નાખે, પણ સુધારશે. તદ્દન ખૂદાજ પાયા ઉપર મૂકી દેશે અને ધવાત્સલ્ય વધે તેવા પ્રેરક પાષક અને આનંદપ્રદ જમણવારને બનાવી દેશે. આ સમાં ખર્ચ કરતાં વિવેકની જરૂર છે, ખાટા દેખાવ કરતાં આવડતની જરૂર છે, અને ખાસ સંખ્યા કરતાં વાતાવરણની વિશુદ્ધતાની જરૂર છે. એ સ વ્યવસ્થાને પરિણામે લભ્ય થઈ શકે છે અને તે નવયુગ કરી બતાવશે. એ સંબંધમાં સંસ્કૃતિવાળી પ્રજા અને કામા કેવી સગવડથી જમણ કરે છે તેને અભ્યાસ કરી તે આછી સખ્યાને પણ પૂર્ણ આદરથી પ્રેમથી વ્યવસ્થાથી જમણની જરૂર દેખાશે ત્યારે આપશે. આ જમણવારના આખા સવાલ ધાર્મિક પરિસ્થિતિમાં પણ જાય છે અને વ્યાવહારિક પરિસ્થિતિમાં પણ આવે છે. વર્તમાન પરિસ્થિતિ એક દિવસ પણ ચલાવી લેવા યાગ્ય નથી. જે ધમ પંચેન્દ્રિય અસી જીવની ઉત્પત્તિ બતાવે, જે અસંખ્ય લાળીઆ જીવ ઉપજતાં ખતાવે, જે શૌચ ધર્મને અમ્રપદ આપે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ નવયુગ જૈન પ્રત્યેક કાર્યમાં વિવેકને અગ્રપદ આપે તેના અનુયાયીઓ બાર આની જમણનો ભાગ ગટરમાં નાખે અને ટોપલે ટોપલા ભરી એકજુડને વિચાર પણ ન કરે એ સ્થિતિ કેમ થઈ હશે અને કેમ ચલાવી લેવામાં આવી હશે તેને ખ્યાલ કરીને નવયુગ વગર ગભરાટે મહાન ફેરફાર કરી નાખશે. આ સમસ્ત કાર્ય સમાજને અંગે કરવાનું હેઈ સાંસારિક અથવા વ્યાવહારિક રીતરિવાજની સુધારણાના વિષયને અંગે મહાસભાનું સારું ધ્યાન ખેંચશે. આ બાબતમાં ફેરફાર અને જરૂરી સુધારા કરાવવામાં નવયુગને બહુ પરિશ્રમ પણ કરવો નહિ પડે. એને માટે આરોગ્ય સુઘતા સ્વચ્છતા સમજનાર નવયુગ આખા સમાજને તુરત વિચારવંત અને અમલ કરનાર કરી શકશે. લગ્નવય નવયુગમાં આ બાબત અનેક આકાર લેશે. બાળલગ્ન સદંતર બંધ થશે. કન્યાના લગ્નની વય શરૂઆતમાં પંદર વર્ષની ઠરાવવામાં આવશે, પણ નવયુગના સંકીર્ણ જીવનમાં તે વય વધારીને અઢારથી વિશ સુધી લઈ જવામાં આવશે. પુરુષની વય શરૂઆતમાં અઢારની કરી વશ વર્ષ મુકરર કરી તરતમાં બાવીશ સુધી લઈ જવામાં આવશે. આ તે ઓછામાં ઓછી વયની વાત થઈ વૃદ્ધલગ્ન તદન બંધ કરવામાં આવશે. ચાળીશ વર્ષ પછી કોઈ લગ્ન ન કરી શકે એવો નિયમ કરવામાં આવશે. વિધવાવિવાહને પ્રસંગ મોટે ભાગે નહિ જ આવે. કારણ ઉપર જણાવ્યાં છે. કોઈ નાની વયની પરણ્યા છતાં ન પરણ્યા જેવી સ્ત્રીના સંબંધમાં એવી આપત્તિ ઊભી થશે તે ઉપરની વય ધ્યાનમાં રાખીને જ લગ્ન કરવાની બાબત સમાજ આંખ આડા કાન કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- - - પ્રકરણ ૧૮મું ત્રીશ વર્ષથી વધારે વયની કઈ પણ વિધવા પરણશે નહિ. આખી જિંદગી સેવા કરનાર સ્ત્રીઓ કુમારી રહી શકશે. કન્યાવિક્રય કોઈ પણ આકારમાં થઈ શકશે નહિ. લગ્નખર્ચ ઘટાડવામાં આવશે. આપવા લેવાની રીતભાતમાં યોગ્ય સુધારા કરવામાં આવશે. વિધવા માટે સગવડો લગ્નનું પ્રકરણ પૂરું કરતાં વિધવાઓને માટે નવયુગ કેવી સગવડો કરશે તેને ખાલી નામનિર્દેશ કરીએ. વિગતે વિચાર કરતાં પ્રાપ્ત થઈ જશે. લગ્ન કરતી વખતે પતિને પૂરતી રકમને વીમો ઉતરાવવામાં આવશે. એને માટે ભરવી પડતી રકમ માટે વ્યવસ્થા પ્રથમથી કરવામાં આવશે. એ જિંદગીને વીમાની પિલિસિ સ્ત્રીના નામ પર લગ્ન પહેલાં ફેરવી આપવામાં આવશે. ન્યાત રીતે ઘરેણું અથવા વરણું અમુક કરવું જ પડે તે રિવાજને બદલે જિંદગીને વીમે વિધવાનું ભરણપોષણ ચાલે તેટલું વ્યાજ આવે તેટલી રકમને ઉતરાવવું જ પડે એમ ઠરાવવામાં આવશે. વિધવા માટે આશ્રમે ઉઘાડવામાં આવશે. ત્યાં તેમને સેવાના અનેક માર્ગો ઉઘાડી આપવામાં આવશે. તેનું તેઓને ખાસ શિક્ષણ યોગ્ય શિક્ષિકાઓ દ્વારા આપવામાં આવશે. સ્ત્રીઓને સારુ ઉદ્યોગમંદિર ખુલ્લાં કરી તેમાં દરેક સ્ત્રી પિતાને ગુજારે કરી શકે તેટલે ઉદ્યોગ ઘેરબેઠાં કરી શકે એવું સફળ ઉદ્યોગનું જ્ઞાન આપવામાં આવશે. ત્યાગને મહિમા સાધ્વીઓ તેમને ગાઈ બતાવશે. આદર્શ જીવન વિષયકષાયની મંદતામાં છે તે તેમને સમજાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ - - - - * ' . . ૨૪૦ નવયુગને જૈન . . - - - - -- . * - - ------ - રૂ, 5 - વિષયો ભોગવવાથી તૃપ્તિ થતી નથી પણ સંયમમાં તૃપ્તિ છે એ વાત બહુ મર્મભેદક રીતે શાંતિથી, સમજાવટથી ગળે ઉતારવામાં આવશે. મનુષ્યભવની દુર્લભતા, સેવાની વિશિષ્ટતા, પરોપકારની આદેયતા અને ઘસારામાં ચળકાટતાનું લાક્ષણિક ચિત્ર એવી સફાઈથી રજૂ કરવામાં આવશે કે સ્ત્રીઓ હોંશથી–પ્રેમથી આદર્શને વળગી રહી જીવન સફળ કરશે. મે ફેરફાર વિધવા તરફ સમાજની ભાવનાના ફેરફારને થશે. અત્યારે એને તિરસ્કૃતા, નિંદ્યા અને સાસરાપિયરમાંથી ઘરબાર વગરની અપશુકનિયાળ માનવામાં આવે છે તેને બદલે એને સેવિકા, બ્રહ્મચારી, ધર્મની વિમળજ્યોતિ, આર્યઆદર્શની ઉચ્ચ ભૂમિકા માનવામાં આવશે. એની પાસે તિલક કરાવવામાં અહેભાગ્ય માનવામાં આવશે, એને હાથે અપાયેલી વિજયમાળા ખરેખરી વિજયવાહિની ગણાશે. શુભ પ્રસંગે એને અત્યારે દૂર રાખવામાં આવે છે તેને બદલે તેને હાજર રહેવા આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ અને આમંત્રણ થશે. એનાં સાદાઈ, સેવાભાવના, બ્રહ્મચર્ય, વર્તન એને સ્ત્રીવર્ગના મોખરા ઉપર મૂકશે અને એ સાંસારિક, રાજકીય અને નૈતિક તેમજ ધાર્મિક બાબતમાં ખૂબ પ્રગતિ કરશે. જૈન વિધિ પ્રમાણે લગ્ન અત્ર લગ્નને વિષય પૂરે થાય છે. પ્રસંગોપાત એક બાબત અહીં લગ્નને અંગે કહી નાંખવા જેવી છે. જૈન વિધિ પ્રમાણે લગ્ન થશે. એને હેતુ મુખ્ય એક છે. પરણનાર દંપતીને ધર્મભાવના બરાબર રહેવા માટે એક લક્ષ્ય રાખવાની જરૂર સ્વીકારવામાં આવશે. જૈન આગમમાં માત્ર સંન્યાસ જ પિષ્ય છે અને ગૃહસ્થધર્મની વાત જ નથી એ ભ્રમણ દૂર કરવાની જરૂર માનવામાં આવશે. યતિધર્મ જેટલું મહત્ત્વ બીજે નંબરે ગૃહસ્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૨૪૧ ધર્મને છે અને એ સર્વ ઉપયોગી ક્ષેત્રને પોષક હોઈ એનું મેગ્ય સ્થાન ગૃહસ્થપણાના ઉમરા પર આવતાં પહેલું પગથિયે ખાસ લાક્ષણિક રીતે મન પર લાવવું ઘટે એ વાત ધ્યાનમાં રાખી જૈન વિધિ અનુસાર લગ્નસંસ્કાર કરવાને નિર્ણય કરવામાં આવશે. આમાં એક કેમિક થવાની ભાવના નહિ રહે, અને આદર્શ બરાબર ધ્યાનમાં રાખવાની જરૂરને અંગે ભેદ વધે તે પ્રકારે નહિ, પણ સાપેક્ષ દષ્ટિએ એ નિર્ણય કરવામાં આવશે. વિધિનું બરાબર શોધન કરવામાં આવશે અને તે કરાવનાર ખાસ તૈયાર કરવામાં આવશે. ભવતુ’નું ભવસ્તુ કરી દે તેવા કે અર્થ સમજવા જેટલી શક્તિ વગરના અભણના હાથમાં એ વાત રાખવામાં નહિ આવે. ધર્મભાવના વધે અને ગૃહસ્થાશ્રમના દ્વારના પ્રવેશ વખતે નિર્મળ સાધ્યનું વિસ્મરણ ન થાય એવી રચનાત્મક રીતે એ નિર્ણયનો અમલ કરવામાં આવશે અને તેની અસર ઘણી સુંદર થશે. એ વિધિની ગંભીરતા એને લોકપ્રિય બનાવશે અને બહુ જૂજ વખતમાં એ વિધિ સાર્વત્રિક થઈ જશે. છૂટાછેડા લગ્નને પ્રશ્ન આટોપતાં છૂટાછેડાને પ્રશ્ન વિચારવાને છેવટે રહે છે. લગ્ન સંબંધ નવયુગમાં જે આકાર લેશે તેમાં છૂટાછેડાને સ્થાન નહિ રહે. પસંદગીથી લગ્ન થાય, યોગ્ય વયે લગ્ન થાય, વરકન્યાની સંમતિપૂર્વક લગ્ન થાય એટલે છૂટાછેડાને એમાં અવકાશ રહેતું નથી. છૂટાછેડાને પ્રશ્ન પતિની હયાતીમાં તેને છોડી દેવા અને અન્યત્ર પરણવાને અંગે ઊભો થાય છે. અન્ય કામમાં એ પ્રશ્ન ઉઠે છે ત્યાં ઘાતકી વર્તણુક, જનાકારી (પરસ્ત્રીસંગ) અથવા સ્ત્રીત્યાગને કારણે ઉઠે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ २४२ નવયુગના જૈન આપણે એની બારીકીમાં ન ઉતરીએ. છૂટાછેડા મેળવવાના પણ એ પ્રકાર છે: એકને કાયદેસર છૂટકારા અને બીજાને છૂટાછેડા કહે છે. કાયદેસર છૂટકારામાં અન્યને પરણવાની પરવાનગી મળતી નથી. છૂટાછેડામાં પરણવાની રજા છે. લગ્નને જૈન આદર્શ ગૃહસ્યધર્મ ચલાવવાનેા છે. એની ભાવનામાં વિષયાનંદને મુખ્ય સ્થાન ન જ મળે. સાથે ઉપરના નિયમા સમાજમાં થઈ જાય અને એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રીને પરણવાની બાબત ગુન્હા સમાન અથવા ગુન્હા ગણવામાં આવે અને પ્રેમલગ્ન સમાજમાં ઘર કરે એટલે પછી છૂટાછેડાના કે જુદા પડવાનેા પ્રશ્ન આવતા નથી. એવે પ્રસંગ તે માત્ર સ્વભાવભેદમાં આવે. પણ પસંદગીથી સમજીને લગ્ન થતાં એ પ્રશ્નને પણ અવકાશ રહેતા નથી. પ્રેમલગ્ન અને છૂટાછેડાને દેખીતે વિરોધ છે. પાશ્ચાત્ય દેશામાં સ્વભાવ ભિન્નતાને લઈને છૂટાછેડાના પ્રસંગે આવે છે. મૂળ કારણા વાહિયાત હૈાય છે. પછી તે પર રચના કરવામાં આવે છે. આખી આ લગ્નભાવના તદ્દન જુદા ધારણ પર જ રચાયેલી છે. ત્યાં લગ્ન સગવડ ખાતર થતાં નથી, પણ એને ધાર્મિક સંસ્કારનું રૂપ અપાય છે. આ ભાવના વિશેષ અળવત્તર થતી જશે. આ સંબંધમાં પશ્ચિમનું અનુકરણ જૈન નવયુગ નહિ કરે. રશિયામાં તે અત્યારે લગ્નની સંસ્થા જ લગભગ નાશ પામતી જાય છે. ત્યાં દેહસંબંધ અવ્યવસ્થિત દશાએ પડેાંચી ચૂર્ય છે. આપણી ભાવના તદ્દન જુદી છે, આપણે! સમાજવાદ પ્રખ્ખર, પૂર્વકાળના અને અતિ સુદૃઢ છે. લગ્નની સંસ્થામાં જે અનિષ્ટ તત્ત્વ દાખલ થઈ ગયાં હતાં તે દૂર થઈ જતાં છૂટાછેડાને સ્થાન નહિ રહે, નહિ મળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું ૨૩ નવયુગમાં કોઈ વધારે પડતા વિચાર બતાવનાર સ્ત્રીઓની સમાનતાના વિચારે બતાવતાં છૂટાછેડાની વાતો કરે છે, પણ તે સર્વ લગ્નને અંગે ઘૂસી ગયેલાં અનિષ્ટ તો તરફ અરુચિનું પરિણામ છે. એ તો દૂર થતાં છૂટાછેડાનું નામ કે સ્થાન નહિ રહે. અસ્પષ્ટ વિચારણામાં પાડાની પીડાએ પખાલીને ડામ દેવા જેવી વાત થાય છે, પણ બરાબર પૃથક્કરણ કરી વિવેક સાથે વિચાર કરતાં છૂટાછેડાની વાત નવયુગ રદ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯મું સામાજિક (ચાલુ) રડવાકૂટવાનો રિવાજ સામાજિક અને વિચારતાં રડવાફૂટવાને પ્રશ્ન બહુ મુંઝવણ કરાવનારે નહિ થાય. પ્રાચીનોને ન ગમે તેવા ફેરફાર કેળવણું કરી રહી છે. સ્ત્રીઓને અમર્યાદ રીતે ફૂટવું, મોં વાળવાં, પછાડી ખાવી, ન રડતાં આવડતું હોય તે ગમે તેમ કરી રડવાને દેખાવ કરે–આ રિવાજ તે માત્ર ગુજરાત કાઠિયાવાડમાં જ છે. એ કેમ દાખલ થઈ ગયો હશે તે કલ્પવું મુશ્કેલ છે, પણ એમાં સ્ત્રીઓને માથે જે સંસ્કાર થાય છે તે તે હદ બહારના છે. એણે તે જાણે રડવાને ધંધો જ લીધે હોય એમ એાળખાણવાળી સ્ત્રીઓ આવે એટલે એને રડવું જ પડે. “પણ નારીને રેવા. વિના નથી ભાગ્યમાં બીજું કંઈ” એક માસ સુધી રાતદિવસ રાગડા તાણવા અને ત્યાર પછી પણ કૂટ્યા કરવું, મનમાં ઉકરાટે હોય કે ન હોય પણ ઠૂંઠો વાળો અને સભ્યતા–મર્યાદા મૂકી જાહેર રસ્તા પર છાતી ખુલ્લી મૂકી ફૂટવું–આ સર્વ પ્રેમ સ્નેહ કે અંદરનો વળ નથી બતાવતું, પણ માત્ર એક જાતને વહેવાર થઈ પડ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯મું ૨૫ * * * * * * * * * * * જે પ્રજા રડતા રડતા આવનાર કાણભંગુઓને કહી શકે કે શેઠ! ઉઠે, જમવાને વખત થઈ ગયો છે અને પાંચ મિનિટમાં મિષ્ટાન્ન આરોગી શકે તે વિધવાઓ પાસે રડાવે જ. સ્ત્રીઓને તે દે ફૂટવા જઈને એની તાલીમ લેવી પડે અને બરાબર ન રહે તે વૃદ્ધાઓ કહે કે “માણસ મૂઉં છે કે લાકડું ભાંગ્યું છે. જરા હાથ વાળો.” આ વિચિત્રતા તે અભ્યાસ કરવા જેવી છે. રડવાની હકીકતને શિક્ષણનું રૂપ અપાય, બપોરે મહીં વાળવા જવું એ એક કામ ગણાય અને સામાને મને કમને રડાવવા એ વ્યવહાર ગણાય એ તે સ્ત્રી જાતિની સત્કીતિની ઉપર પડદે નાખવા જેવું છે. માત્ર એના “રાજિયા'માં કવિત્વ ઝળકે છે એટલે સાહિત્યનો ભાગ બાદ કરીએ તે આખી પ્રથા સ્ત્રીઓની કમતાકાત પરાધીનતા અને અબળાપણાનું પ્રદર્શન જ છે. નવયુગ આ આખી પ્રથા ઉપર છીણ મૂકી દેશે. મરણને એ પૂરતું ગંભીર બનાવશે. એમાં દંભ અને ફરજિયાતપણાને સ્થાન ન હોય. સાંસારિક જીવ રાગને વશ થાય તે સમજી શકાય તેવી બાબત છે, પણ એમાં પદ્ધતિસર બેસી, માગે ત્યારે રડવું આવે–એ તે ભારે વિચિત્ર વાત છે. એમાં મરણની ગંભીરતા જળવાતી નથી. એમાં પણ જાણે વ્યવહાર જ ચાલે છે. એ ઉપરાંત સ્ત્રીઓની તંદુરસ્તીને એ કેટલી હાનિ કરે છે એ તે વળી જુદે જ સવાલ છે. આ સર્વ રીતસર રડવાનું, ફૂટવાનું, મહીં વાળવાનું એકદમ બંધ થઈ જશે. પુરષોના રડવામાં–પોક મૂકવામાં જરા પણ ગંભીરતા નથી. એ પણ એક જાતને વ્યવહાર થઈ પડ્યો છે. એ સર્વ અટકી જશે. મરણ વખતે મરણગ્ય ગંભીરતા જળવાય, વૈરાગ્યનિર્વેદના વિચારને ઉદ્દભવ મળે એવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ નવયુગને જૈન આવશે. શાંતિમાં કેટલું ગાંભીર્ય છે તેને સાક્ષાત્કાર થશે. પછી સ્મશાનમાં વિલાયત અમેરિકાની વાત નહિ થાય. ત્યાં સંસારની અસ્થિરતા, નેહસંબંધની અસારતા વગેરે ગંભીર ભાષામાં રજૂ થશે અને મરણને વેગ લાક્ષણિક નિરવ શાંતિ પ્રસરશે. આ આ ફેરફાર મહાસભા સામાજિક પ્રશ્નોની ચર્ચામાં કરશે અને એને મેગ્ય પ્રચારકાર્ય કરીને અલ્પ સમયમાં એને અમલ કરી શકશે. ઉત્તરકાર્ય આ એક સામાજિક ઓટો રિવાજ છે. અસલમાં કોઈ વૃદ્ધ ગૃહસ્થના મરણ વખતે શરૂ થયેલ રિવાજ ધીમે ધીમે કાળક્રમે ફરજિયાત થઈ ગયું છે. કોઈ મરણ પામે એની પછવાડે રહેનાર વારસોએ જમણ કરવું જોઈએ. જમણું એટલે મિષ્ટાન્ન. એમાં વિવેક એટલે બધે ભૂલાઈ ગયો કે ગરીબને માથે પણ એ રિવાજ ફરજ રૂપ થઈ ગયો. લગ્નપ્રસંગ તે ધાર્યો આવે. દીકરાદીકરીના જન્મથી એ ખર્ચ કરવા પહેલાં માબાપને વર્ષો સુધી તૈયારી કરવાની રકમ બચાવાની તક મળે, પણ મરણ તે અણધાર્યું આવે અને “મરણું માતપિતા તણું બે વાતે દુઃખદાઈ શોક કરાવે સામટા, અને મરતું મારતું જાય”—આ સ્થિતિ થઈ પડી. પછી તે જુવાનજોતના મરણ ઉપર પણ ઘી અને મીઠાઈ ઉડવા લાગી અને ઉત્તરકાર્ય કરવું એ આબરૂને–ોકને સવાલા થઈ પડ્યો. પછી ઘરબાર ઘરેણે મૂકીને પણ નાતને તે રાજી રાખવી પડે એવી પ્રથા ચાલી. પછી તે પંદર વીસ દિવસમાં નાતનું “ઋણ” પતાવવું જોઈએ એમ વાત થઈ પડી અને અંતે એ રિવાજ કષ્ટકર માનભંગ કરનાર અને અત્યંત અમર્યાદિત થઈ ગયો. પછી તે “કાંધિયાની કાંધ ધશો નહિ, તે તમારાં મડદાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯મું ૨૪૭ રખડશે.” એટલી હદ સુધીની અધમ વૃત્તિ બોલવામાં પણ આવી ગઈ. અને વડીલે મોટેરાઓ અને પટેલિયાઓ પ્રત્યેકને મરણ વખતે અતિ ગંભીર ચહેરે ગળપાપડી દાબવાની અને યથાશક્તિ વરે કરવાની સલાહ આપવા લાગ્યા; સલાહમાંથી એ ફરજ થઈ અને વાત વધતાં કાંઈ મર્યાદા કે વિવેક ન રહ્યો. નવયુગ આ આખી પ્રથાને મૂળમાંથી ઉછેદી નાંખી કઈ પણ આકારમાં કોઈ પણ મરનાર માટે - પછી તે વૃદ્ધ કે યુવાન કે બાળક હોય કે તે સ્ત્રી કે પુરુષ હોય – સર્વને માટે જમણ બંધ કરી દેશે. મરણ વખતે કે મરણને ઉદ્દેશીને મીઠાઈ ઉડે એ વાતને તેમની નજરમાં વદતિ વ્યાઘાત લાગશે. આ બાબતમાં કઈ પ્રકારને અપવાદ કરવામાં આવશે નહિ અને કેઈ એને મન મનાવવા ખાતર ધાર્મિક આકાર આપવા માગશે તે પછી એને એના સાચા આકારમાં ઓળખી એમાં અક્કલમાં ઉતરે તેવો કોઈ પણ જાતને રસ્તે કરવામાં આવશે. મરણ નિમિત્તે કઈ પણ પ્રકારનાં જમણ નવયુગમાં થઈ શકશે નહિ. લાજ રીતરિવાજના પ્રશ્નો પૈકી એક સવાલ સ્ત્રીએ ઘુમટે તાણે છે એ બાબત છે. એ રિવાજનું મૂળ શું હશે તે સમજાતું નથી. અસલના કેઈ પણ ગ્રંથમાં સ્ત્રીઓ લાજ કાઢે કે બુર એાઢે એવું જોવામાં આવતું નથી. ગૂજરાતી રાસોમાં કવચિત્ એ. ભાવ આવે છે તે રાસના કર્તાના સમયની છાયા છે. મૂળ સંસ્કૃત પ્રાકૃત ચરિત્રમાં ઘુમટાની વાત આવતી આ લેખકના ધ્યાનમાં નથી. સ્ત્રીઓમાં શરમાળપણું હોય છે, પણ એ જાહેરમાં જાય ત્યારે ઘુમટ કાઢે એવું પૂર્વગ્રંથોમાં હોવાનું સ્મરણમાં નથી. જે પ્રજા સ્ત્રી જાતિની સત્કીર્તિમાં માને, જે એને અર્ધગના પદ આપે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન એને મંત્રી અને રંભાનાં ૫૬ આપે તે એના મ્હોં પર પુરખા નાંખે કે એને જાહેરમાં આવતાં લાજ કઢાવે તે વાત અશક્ય છે. ૨૪૮ શક્ય વાત અનુમાનથી એ બેસે છે કે મુસલમાની વખતમાં કાંઇક અંધ અનુકરણ અને કાંઈ અવ્યવસ્થિત પરિસ્થિતિને તાબે થવાની જરૂરિયાતમાં એનું મૂળ ધરે, કાઈ પણ રીતે મટા અને ‘ લાજ' એ બે શબ્દોને પર્યાય શબ્દો તરીકે વાપરવા યોગ્ય નથી, ન હાવા જોઇએ. સ્ત્રીઓની તદ્દન પરાધીન દશા બતાવનાર, એને રેલવે સ્ટેશને ઉતરતા ખેાજા–મુદ્દાની કક્ષામાં મૂકનાર અને એને અર્થ વગરની અગવડ કરનાર આ રિવાજ અજ્ઞાન દશામાં નભે ગયા, પણ આ જ્ઞાનયુગમાં એ નાશ પામતા જાય છે. સ્ત્રીએ સમાજમાં જે કાર્ય કરવા લાગી છે અને તેની જે પ્રગતિ થઇ રહી છે, તેના હુકાની જે સમાનતા નવશક્ષણ તેને બતાવતી રહી છે અને નવયુગે તેનાં આવાગમનને જે સત્કાર કર્યો છે તે જોતાં નવયુગમાં આ રિવાજ એક જંગલી સમયના અવશેષ તરીકે ગણાશે. એ ચાલુ રાખવાની પ્રાચીનેાની ચીવટ તરફ નવયુગ જરા ગમ્મત પણ ઉડાવશે. આ રિવાજ તદ્દન દૂર થઇ જશે. માટે ઠરાવા કરવાની કે પ્રચારકાર્ય કરવાની જરૂર પણ સ્ત્રીએ જ પેાતાનું સામાજિક સ્થાન સમજી લઇએ હસવા જેવા રિવાજ ઉપર આધાત કરશે અને અત્યારે ધરના માણસને અપરિચિત બનાવનાર, વૃદ્દોનાં જ્ઞાન અને અનુભવના લાભની આડે આવનાર અને લાજતે નામે અનેક અમર્યાદા અને અગવડેને વસાવનાર આ રિવાજ બંધ કરશે. એને નહિ રહે. ભાજન કન્યાવહેવાર આ સંબંધી આડકતરી રીતે વિવેચન ઉપર થઈ ગયું છે. પણ જૈન જૈન સાથે ભાજનવ્યવહાર કે કન્યાવ્યવહાર કરવામાં ક્રાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ સુ ૨૪૯ કોઈ પણ પ્રકારના ધાર્મિક કે વ્યાવહારિક સંક્રાચ સ્વીકારશે નહિ. એના સ્વીકારથી થયેલ અગવડ કે હ્રાસના એ ઇતિહાસ રજૂ કરશે ત્યારે જૈન સમાજની આંખા ઉધડી જશે. આ સ લગ્નના પ્રકરણમાં બતાવાઈ ગયું છે. જૈતે જૈનેતર સાથે કન્યા અને ભાજનવ્યવહાર કરશે કે નહિ તે બાબત આ લેખના વિષયની મર્યાદા બહાર જાય છે. જૈનેતર સુશિક્ષિત કન્યાને જૈન ખુશીથી પરણશે અને તેને જૈન સંસ્કારથી વાસિત કરશે. જો જૈન માલ વગરના કેળવણી વગરના સ્વમાન વગરના આવડત વગરના દક્ષતા વગરના થશે તે। જૈન કન્યા અન્ય ધર્માંમાં સ્વતઃ જશે. એમાં માબાપની પરવાનગીતા પ્રશ્ન નહિ રહે. માબાપાનું એ સંબંધમાં બહુ ચાલશે પણ નહિ, અને માબાપે પોતાની ફરજ કેળવણી આપવા પૂરતી જ ગણશે. કેવા શિક્ષણથી જૈનકન્યાએ અન્ય ધર્મોમાં જતી અટકશે તેની ચર્ચાની ભાગ્યે જ જરૂર રહે છે, પણ છતાં તેના ઉલ્લેખ કેળવણીના શિક નીચે આવશે. ભાજનવ્યવહારની બાબતમાં તો અત્યારથી જ ચિહ્નો જોવાય છે તે આંખ ઉઘાડીને જોવામાં આવે તેા દરવાજા ખુલ્લા થઇ જશે એમ સ્પષ્ટ દેખાય છે. ફક્ત તફાવત માંસ ખાનાર અને અન્નક્ળશાક ખાનાર વચ્ચે રહેશે. તેમાં પણ એક ટેબલ પર ચા વગેરે લેવામાં કાઈ પણ જાતિના મનુષ્ય સંબંધી વાંધા નહિ રહે. આ ભોજન અને કન્યાવ્યવહારનું ક્ષેત્ર જેટલું દાખી રાખવામાં આવ્યું છે તેટલા જ જોરથી સામેા ઉછાળા મારશે અને એનું પરિણામ સંખ્યાબળ ઉપર ન થવાને એક જ ઉપાય કેળવણીના પ્રસારમાં રહેશે. નવયુગ આ સંબંધમાં ખૂબ સ્પષ્ટ રીતે કામ લેશે અને તેની ગતિ પણ એટલી ઉતાવળ રહેશે કે આજના પ્રાચીનેાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૫૦ નવયુગને જૈન સમજણમાં ન ઉતરે તેવા બનાવ બનતા જશે અને ન ધારેલા ટૂંક સમયમાં પ્રાચીનોની નજરે કમાન છટકી જશે. જન સંખ્યાબળ સામાજિક વિચારણામાં જૈનધર્મના અનુયાયીની સંખ્યા વધારવાની બાબત ખાસ અગત્યનું સ્થાન લેશે. નવયુગ આ પ્રશ્નના સંબંધમાં કેવા વિચાર કરશે તે આગળ ચર્ચાઈ ગયું છે. સમુચ્ચયે સંખ્યાબળ વધારવા કેવાં પગલાં નવયુગ ભરશે તેને નામનિર્દેશ માત્ર કરી આ બાબત પૂરી કરી નાખીએ. જૈનધર્મ માનનારમાં કન્યાવ્યવહાર અને ભજનવ્યવહારની છૂટ કરવામાં આવશે. જે જ્ઞાતિઓ કન્યાવ્યવહારની અગવડે જૈન મટી ગઈ છે તેને તેના ઈતિહાસનું પૂર્વસ્મરણ કરાવવામાં આવશે. જૈન કેમ નથી, પણ ધર્મ છે એ વાત પાકી કરવામાં આવશે. જૈન તત્ત્વજ્ઞાન ન્યાયના પાયા પર રચાયેલું છે તે બતાવવામાં આવશે. જૈનને અનેકાંતવાદ અદ્ભુત છે તે પર સુંદર રચના કરવામાં આવશે, જૈનને કર્મને સિદ્ધાંત અત્યંત સુક્ષ્મ અને અન્યત્ર અનવાય છે, એ બને એની વિશિષ્ટતા સાથે રજૂ કસ્વામાં આવશે. નયવાદ સપ્તભંગી અને નવ તત્વ પર ભારે અજબ રચના કરવામાં આવશે. પ્રત્યેક બાબતને લેકગ્રાહ્ય ભાષામાં વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિએ રજૂ કરવામાં આવશે. વસ્તુસ્વરૂપ અકાદ્ય પદ્ધતિએ જિનવર રજૂ કરી ગયા છે તે બતાવવામાં આવશે. તેને દુનિયાને ખેળે બેસાડવામાં આવશે અને તેને પરીક્ષાની કસોટિએ ચઢાવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ સુ આખા નીતિવાદ–એથિક્સ સુંદર રીતે રજૂ કરવામાં આવશે સતિના આદર્શ કાયમ રાખી ગૃહસ્થ ધર્મને બહલાવવામાં આવશે. ૨૫૧ ગુણસ્થાન*મારેાહ–પ્રગતિનાં પગથિયાં રજૂ કરવામાં આવશે. આઠ દૃષ્ટિને વિસ્તાર પ્રકટ કરવામાં આવશે. જ્ઞાન અને ક્રિયાના સહચાર બતાવવામાં આવશે. જ્ઞાનની મુખ્યતા કરવા સાથે ક્રિયાનું આદેયપણું બતાવવામાં આવશે. અહિંસાના આદર્શથી જગતના મહાન સવાલેના નિય થતા બતાવવામાં આવશે, પરિગ્રહપ્રમાણમાં સમાજવાદ સામ્યવાદ અને વર્તમાનકાળના સર્વ વાદેને અંતિમ નિર્ણય રજૂ કરવામાં આવશે. અભય, દ્વેષ અને અખેદની આદ્ય ભૂમિકામાં રહેલા નિર્ભયતા મૈત્રીભાવ અને સેવાભાવના રહસ્યા રજૂ કરવામાં આવશે. વીતરાગભાવ દેવનું આદર્શ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે એ અન્ય કાઈ ને ઉતારી પાડ્યા વગર પ્રખર રીતે રજૂ કરવામાં આવશે આવા આવા અનેક પ્રયત્ન કરી જૈન ધર્મના જગતની ગૂ`ચવણના નિકાલ માટે પ્રચાર કરવામાં આવશે. અનેક જતેને મોટી સંખ્યામાં જૈન બનાવવામાં આવશે, અસ્પૃશ્ય વને મંદિરમાં સ્થાન આપવામાં આવશે, તેને જૈન બનાવી પ્રભુપૂજનના માર્ગોએ જોડી ભક્તિના આદર્શથી વશ કરવામાં આવશે, વિદ્યાનાને જ્ઞાનમાર્ગ બતાવવામાં આવશે, વૈરાગ્યવાસિતને યાગ—ધ્યાનના મહામાર્ગ બતાવવામાં આવશે અને એ રીતે લાખે। મનુષ્યને અંતરાત્મ દશાએ લઈ આવી જૈન બનાવવામાં આવશે. સમ્યગ્ દન–સમકીતની ચાવી હ્રારા શુદ્ધિને માર્ગ અજવાળવામાં આવશે અને આખુ વાતાવરણ વીતરાગના જયજયકારથી વાસિત કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ પર નવયુગને જૈન, - - - - - - - આ સંબંધી નિયમસર પદ્ધતિસર પગલાં ભરવામાં આવશે અને રાષ્ટ્રભાવનાને પુષ્ટિ આપવા ઉપરાંત આખા વિશ્વની અનેક ગૂંચવણેને નિકાલ કરી, હિંસામય વાતાવરણ દૂર કરી, શસ્ત્ર અને વાયુયાનોની હરીફાઈ દૂર કરાવી, જગતને શાંતિના પાઠ પઢાવવામાં આવશે અને વિશ્વને વિચારવાતાવરણમાં જૈન બનાવવાના સફળ પ્રયત્ન કરવામાં આવશે. જે વસ્તુ પ્રાચીને અંદર અંદરના કલહમાં વિસરી ગયા હતા તેને અસલ સ્થાને લઈ આવવામાં આવશે અને રત્નચંદ્રસૂરિ અને હેમાચાર્યના જીવનસંદેશાને ફરી વાર જીવતા કરવામાં આવશે. પ્રત્યેક વસ્તીપત્રકમાં જૈન સંખ્યા ઘટતી જાય છે તેને બદલે કૂદકે ને ભૂસકે વધતી જશે અને નામની સંખ્યા કરતાં પણ વિચારમાં અને અંતસ્વરૂપે (સ્પિરિટમાં) જેને મોટી સંખ્યામાં વધતા જ જશે અને જૈન ધર્મને ઘંટા દિગંતમાં વાગતા જશે. જૈનેના સંખ્યાબળને પ્રશ્ન પ્રત્યેક પરિસ્થિતિમાં આવશે. ધાર્મિકમાં એ પર જરા ચર્ચા કરી છે. આગળ પણ આ જુદા જુદા રૂપમાં આવશે. મહાસભા–પરિષદ આ પ્રશ્નને ઘણું મહત્ત્વ સકારણ આપશે અને તેમ કરવામાં જનતાનાં ભવિષ્ય સુખ સગવડ શાંતિ ઉપર ખાસ નજર રાખશે. એ પ્રશ્નના નિકાલને અંગે કઈ જાતનું જેર કે જબરદસ્તી કરવામાં નહિ આવે. શાંતિથી પણ મક્કમપણે સંખ્યાબળ વધારવાના મુદ્દામ પગલાં સમસ્ત જૈન કેમ સંગઠિત થઈને લેશે. પંચાયત ફંડ-સાધારણ ભંડોળ સામાજિક પરિસ્થિતિની વિચારણામાં પંચાયત ફંડની જનાને મુખ્ય સ્થાન છે. ધર્મવિચારણામાં એ વિષય પૃ. ૧૮૩– ૮૮ માં વિચારાય છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું ૨૫૩ આવશ્યકતા નથી. માત્ર એના સ્થાનને નિર્દેશ કરી એ વિચાર તરફ અત્ર ધ્યાન ખેંચી વિરમીએ. નવયુગ આ પંચાયત ફંડને અતિ મહત્ત્વનું સ્થાન આપશે અને એને વધારવા પૂરતા પ્રયત્ન કરશે. આ ફંડમાંથી સેવાભાવી કાર્યકરને પોષણ મળશે. આજીવન કામ કરનારા હવા ઉપર જીવી શકતા નથી એ નવા યુગના ધ્યાન પર આવશે. જે સમાજ સેવા માગે તે સેવા કરનારને સાદાઈથી પણ ખાવું પીવું અને રહેવું તથા પહેરવું પડે છે અને અખંડ સેવા સાથે આજિવિકા માટે પર ઉપર આધાર રાખ પડે એ પરસ્પર વિરોધી વાત છે. પ્રાચીનમાં સેવાભાવી નીકળતા હતા, પણ ત્યાં આજીવન કામ કરનાર બહુ અલ્પ અને ઘણે ભાગે વૃદ્ધ માણસે મળી શકતા. તેઓને આજિવીકાને પ્રશ્ન નહોતે. પિતાનું સાધન તૈયાર કરી કામ કરતા. તે વખતે કામ કરવાનાં ક્ષેત્રે પણ ઘણાં જ થોડાં હતાં, નવયુગમાં તે પાર વગરનાં ક્ષેત્રે ઉઘડતાં જશે, તેને પહોંચી વળવા સેવાભાવી યુવકેની ખાસ જરૂર પડવાની અને સમાજે તેમને નિશ્ચિત કરવા જ પડે. આ સંબંધી આખી વિચારણા જુદા જ પ્રકારની થઈ જશે. સેવાને આધાર સેવા કરનાર પર છે અને સેવા કરનારની એકલીનતા નિશ્ચિતતા પર નિર્ભર રહે છે. પાર વગરનાં પ્રચારકાર્ય અને જનસેવાના વિવિધ ક્ષેત્રોને અંગે આ આખી બાબત ખૂબ વિચારવા યોગ્ય રહેશે. આ પ્રાચીનને વિચાર આવી જાહેર સેવા કરવાને બદલે લેનારને “ધર્માદા દ્રવ્ય ખાવાના દહાડા આવ્યા” ગણી તેની ટીકા કરવા તરફ હતું. આ વિચારધારા અને નિર્ણય ચાલુ રહે તે સમાજસેવક કદી પ્રાપ્ત થાય જ નહિ. વધારે પડતા બદલે ન લે એ સમજી શકાય તેવી બાબત છે, પણ જાહેર દ્રવ્ય અખંડ સેવા કરનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નવયુગના જૈન બરાબર હોઈ ન લેવું એ વ્યાખ્યા સેવાના પગ ભાંગી નાખવા આખી વિચારણા તદ્દન ફેરવાઇ જશે. આવા સેવાના માર્ગો માટે પંચાયત દ્રવ્ય-સાધારણ ભડાળ ઘણું ઉપયાગી થશે. એને ઉપયાગ નિર્મિત દ્રવ્ય અલગ કાઢેલ ન હોય ત્યાં થશે. પંચાયત કુંડ ઠામ ઠામ કરવામાં આવશે અને તેનું કેંદ્ર પણ કરવામાં આવશે. એની યોજના ફરવામાં અને અમલ કરવામાં સારામાં સારાં મગજ રાડાશે અને જૈન ક્રેમનું મુખ્ય કેંદ્ર આ દ્રવ્યસંચય દ્વારા થશે. એ કેળવણીતી પ્રગતિના સામાજિક અનેક ખાતાઓને ઉપયાગી તત્ત્વ પૂરું પ!ડશે અને એ દ્વારા અત્યારે જે ભારે ખે!? જાય છે તે પૂરી પડશે. એ ઉપરાંત પ્રત્યેક કા માટે કુંડા તા થશે, પણ જ્યાં પુરવણીની જરૂર પડશે ત્યાં પંચાયત દ્રવ્યના વિરાળ હાથ લંબાવવામાં આવશે. હે:સ્પિટલા, માવજત કરનાર ગંડળ, સ્ત્રીઉદ્યોગખાતાં આદિ અનેકાનેક કાર્યો આ ફંડમા પુરવણી તરીકે ઉપયોગ કરશે તે એ રીતે એક સાથે ચારે તરફ જૈન ધર્માંના પ્રસાર સ્થીરીકરણ અને દૃઢીભવન થતું જશે. પરિષદ નાના મેટા સમસ્ત જૈન કામને લગતા સામાજિક પ્રશ્ના હાથ ધરશે. પરિષદમાં મફીરકા અને સ ગા હશે. પરિષદનું સ્થાયીસમિતિમ ડળ નિરંતર ધર્માંત્યના સામાજિક દષ્ટિએ વિચાર કર્યાં કરશે. પરિષદ ત્રણ દિવસ મળીને એસી જાય એમ ર્રાહ અને, એ આખું વર્ષ સ્થાયીમિતિ દ્વારા કામ કરશે. એ પ્રચારકાર્ય માટે પ્રાંતિક અને સ્થાનિક મંડળેા સ્થાપશે અને આખી યોજનાને વ્યવહારૂ મન વશે, જરાપણ કચવાટ થાય એવા પ્રસંગ આવવા દેશે નહિ અને આવશે તે સમજાવટ અને ખુલાસાદ્રારા નિકાલ લાવવામાં આવશે. જ્યાં ધર્મ દૃષ્ટિએ પ્રગતિ કરવાની હોય ત્યાં નવયુગ પેાતાની જાતને સમસ્તમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ સુ અંતર્ધાન કરવાની કળા શીખી જશે. સમાજવાદના વાતાવરણમાંથી એ વ્યક્તિત્વને બાદ કરવાનું શિક્ષણ મેળવશે અને બહુમતને માન આપતાં શીખશે. આ રીતે આખા સમાજ આગળ ચાલશે અને પરિષદ નવા નવા પ્રશ્ના લઈ તે પર પૂરતા વિચાર કરી કામને નેતૃત્વ આપશે. આ રીતે સામાજિક પ્રતાની વિચારણા થશે અને વિચારવિનિમયને પરિણામે જરૂર હોય ત્યાં તપાસ નિવેદન કમીશન સમિતિ આદિ નવયુગનાં સાધના દ્વારા પૂરતી માહિતી મેળવી સમાજપ્રગતિના પ્રસંગેા ઉભા કરશે અને તેના ભવ્ય અમલ કરશે. પરિષદ અને સમિતિમાં ધનવાન કરતાં વિચાર કરનાર અગ્રસ્થાન મળશે, અહુમતવાદના સાર્વત્રિક સ્વીકાર થશે, પોતાના અભિપ્રાયતે બહુમત આગળ છોડી દેવાની સરળતા સમાજજીવનને અંગે લેાકાને આવડી જશે અને કાર્ય કર સમિતિમાં નામ ખાતર નામ લખાવવાને બદલે સાચી સેવા કરનાર અને નિરંતર હાજર રહેનારને સ્થાન મળશે. પ્રત્યેક અધિકારની જવાબદારી હૈ।દ્દેદારા સમજતા થઈ જશે અને શીઘ્રતાથી ચપળતાથી કામ કરવાની આવડત કામની ધાટીમાં પડતાં સહેજે પ્રાપ્ત થઈ જશે. ૫૫ મિલકત નવયુગમાં મિલકત (પ્રેાપટી )તેા પ્રશ્ન તદ્દન નવા આકારમાં સામાજિક દૃષ્ટિએ પ્રાપ્ત થશે. સમાજવાદ, સમૂહવાદ, વિશ્વબંધુત્વવાદ આદિ જે નવયુગના સામાજિક વિચારો નવા જ ઉત્પન્ન થયા છે તેની અસર હીંદ ઉપર તુરત આવી પહોંચશે. એના મુખ્ય મુદ્દો એ છે કે મિલકત–ધનની – ઉત્પત્તિ કરનાર મજૂરવર્ગ – શ્રમજીવીઓ છે, પણ ધનપતિએએ પેાતાના ધનના બળથી સમાજની વ્યવસ્થા એવા પ્રકારની કરી છે કે એને લઈ તે ખરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ -- - ૨૫૧ નવયુગને જૈન નવનીત ધનવાનોના હાથમાં જાય છે, જ્યારે તેને ઉત્પન્ન કરનાર મજૂરને વધારેમાં વધારે બહુ તે સાદું ખાવાનું મળે છે, પણ એ અજ્ઞાનથી આચ્છાદિત રહે છે, એને રહેવાનાં સ્થાને તદ્દન બીસ્માર અને અનાગ્ય હોય છે, એને ઘણા કલાક કામ કરવાનું હોઈ એશઆરામનું સ્વપ્ન પણ આવતું નથી, જ્યારે એની મહેનતને પરિણામે પિસાવાળા ચમન કરે છે, આરામ કરે છે, મેટા મહેલમાં વાસ કરે છે, ભાત ભાતનાં ભેજન આરોગે છે અને એના કપડામાં હરવાફરવામાં અને જીવનના નાદમાં અનેક સગવડે ભેગવે છે. એક મિલમાં કામ કરનાર હજારે મજૂરની દશા અનુભવી હોય તે એના પર પ્રકરણ લખાય. સ્ત્રીઓને પણ દેહનિર્વાહ માટે કામ કરવું પડે છે, એના બાળકને ધવરાવવાને સમય પણ મળતું નથી અને સૂર્યોદય થાય ત્યાં સુધીમાં તો રાંધી ખાઈને સીટી વાગે તે પહેલાં હાજર થવું પડે છે. વળી એ શ્રમજીવી માંદ પડે ત્યારે એની સંભાળ કરનાર કોઈ નથી, છતાં એને દિલાસે નથી, મરી જાય તે એની પાછળ એના ઘરના માણસોમાંથી કેઈને આંસુ પાડવાનું નથી અને એને ઉંચે આભ અને નીચે ધરતી છે. એના પરસેવાથી મેળવેલ લક્ષ્મીમાં એને ભાગ નથી, એની વહેંચણીમાં એને અવાજ નથી, એના ઉપભોગમાં એને કાંઈ લેવાદેવા નથી. આ વાત તે ઘણી લંબાવાય તેમ છે. મતલબ શ્રમજીવી અને ધનવાન વચ્ચે આ વિચાર માત્ર પુસ્તકમાં રહેનાર નથી, પણ નવયુગમાં તે સંખ આકાર ધારણ કરશે. ધનવાનેને મિલકત ધરાવવાને બીલકુલ હક્ક નથી એ રીતે ચર્ચા થઈને ન અટકતાં આખા મિલક્તના જુથ-મિલકતની સંસ્થાપર આક્રમણ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯મું ૨૫૭ શ્રમજીવીઓ પોતાના શ્રમથી ઉત્પન્ન કરેલ મિલ્કત પર પિતાનો હક્ક સ્થાપન કરશે. ધનવાનું સમાજમાં સ્થાન છે ત્યાંથી તેને તેડી નાખવા પ્રયત્ન થશે અને અત્યારે અવ્યવહારુ અથવા વાહિયાત લાગે તેવા વિચારે ધન મિલ્કત અને સંચયને અંગે થશે. એની વાતે તે ત્રીશ વર્ષથી ચાલવા લાગી છે, પણ એને થોડે ઘણે અમલ યુરોપમાં થવા લાગે છે અને રશિયામાં એ આ પ્રશ્ન એટલી હદ સુધી પહોંચે છે કે ત્યાં ધનસંચય કરવો એ ગુન્હ ગણાય છે. ધનવાન એ સમાજમાં સર્વથી અધમ પંક્તિનો ગણાય છે. આ સર્વ વિચારેને અત્ર સંગ્રહ કરવા જેટલું પણ સ્થળસંકોચથી બને તેમ નથી. આખા યુરેપમાં અને અમેરિકામાં જે ધમસાણ મચી રહ્યું છે તે અન્યત્ર ચીતરવા યોગ્ય છે અને દીર્ઘ નજર કરનારે એને અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. એ બાબતનું સાહિત્ય ખૂબ વિસ્તારથી અનેક આકારમાં અન્યત્ર પ્રકટ થતું જાય છે તે વાંચવાની ભલામણ કરી આપણે નવયુગને જૈન એને અંગે શું વલણ લેશે તે પ્રસ્તુત બાબત પર આવી જઈએ. નવયુગ એ સમાજવાદ આદિ નવા વિચારોથી દૂર છટકી શકે તેમ નથી. એ વિચારેનું પ્રાબલ્ય ઘણું વધનાર છે. એ સવાલને નિર્ણય કરતાં નવયુગને નવનેજા પાણી ઉતરનાર છે એટલી ઉપોદઘાત સાથે નવયુગનું વલણ એને અંગે વિચારી જઈએ. હકીકત એમ બનતી જાય છે કે એક બાજુએ ગરીબાઈ અનાગ્ય અને જીવનકલહ ખૂબ વધતા જાય છે અને બારે માસ યંત્રની માફક માણસને સખ્ત મજુરી પેટ ભરવા માટે કરવી પડે છે અને આરામ આરોગ્ય કે મેજને એના જીવનમાં સ્થાન રહેતું નથી, એને રસ તદ્દન સૂકાઈ જાય છે, ત્યારે બીજી બાજુએ મેટી રકમ વધતી જાય છે. કોઈ મહેનત કરનાર પ્રવીણ પિતાના પુત્રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ -- ૨૫૮ નવયુગને જન ~~~ ~~ ~ ~ ~~~~~ ~ ~ અથવા સાધારણ સ્થિતિવાળા પણ સાહસિક નરે એ જ શ્રમછવીના ભોગે બીજી ટોચ પર જતા જાય છે. બન્ને વચ્ચે આંતરો એટલે વધતું જાય છે કે ઘણુ શેઠે પિતાની ગીરણીમાં કામ કરનાર મજૂરને જોતા નથી, ઓળખતા નથી, દિલાસો આપી શકતા નથી અને એનામાં પ્રેરણા ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ નીપજાવી શકતા નથી. આને પરિણામે અસાધારણ પરિસ્થિતિ ઉત્પન્ન થવાનો પૂરતે સંભવ છે. નવયુગને આ પ્રશ્નને નિકાલ ખાસ કરવો પડશે. જૈન કોમ વ્યાપારી કેમ હોવાથી, જૈનોના હાથમાં કેટલીક સત્તા હેવાથી, આવડત હેવાથી અને બીજા અનેક ઐતિહાસિક કારણે જૈનાને આ “મિલકત ને પ્રશ્ન સર્વથી પહેલે અસર કરશે. કમિશનને નામે લાખ રૂપિયા એજન્ટે લઈ જાય અથવા મોટી યોજનાના ચાલકે અસાધારણ મોટા નફા કરે એ વાત નભી શકે એમ નથી, આ વાત આપણું પસંદગીની નથી એ ખાસ ધ્યાનમાં રાખવું. એની સામે કર્મ–પૂર્વ જન્મના શુભ કર્મ આદિની દલીલે કરવી નકામી છે. એ પ્રશ્ન ઉઠવાને જ છે અને આખા દેશમાં ઉઠવાને છે. નવયુગ એને મુખ્યતયા આ રીતે નિકાલ કરશે. પરિગ્રહપરિમાણ એ જૈનને આદર્શ ગુણ છે, પાંચ અણુવ્રતમાં પાંચમું વ્રત છે અને એના ધાર્મિક દૃષ્ટિએ ઈચ્છરોધ વગેરે લાભ ઉપરાંત આ ભવમાં પણ ઘણું ફાયદા છે. નવયુગને તરવરાટ રોકનાર અને શક્તિના અર્થ અને હેતુ વગરના ઉપયોગને અંકુશમાં રાખનાર ઐહિક નજરે આ નિયમન અતિ ઉપયોગી ભાગ ભજવશે. આ નિયમનને પરિણામે શ્રમજીવી અને માલેકા વચ્ચે પ્રેમભાવ વધશે, શ્રમજીવીઓનાં રહેઠાણ મનુષ્યને રહેવા લાયક થશે, એનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ -- પ્રકરણ ૧૯ મું ૨૫૯ બાળકને માટે પોષકગૃહ (નર્સરી) ગીરણીની સાથે તૈયાર થશે, ત્યાં શિક્ષણની રચના થશે, કામદારેમાં મનુષ્યત્વ પિષે એવા રયુક્ત પ્રસંગે યોજાશે અને અનેક રીતે શેઠ અને કામ કરનાર વચ્ચે મિઠ સંબંધ જળવાય એવા પ્રસંગે ઉપસ્થિત કરવામાં આવશે. આ તે ગીરણી કામદારોની વાત થઈ એ જ મિસાલે ખેડૂત અને વ્યાપારી વચ્ચે સંબંધ વધારવા માટે શાહુકારીની આખી રીતભાતમાં મેટે ફેરફાર થશે અને સહકારી મંડળની જનાને અનુરૂપ વ્યવસ્થા થશે જે વ્યાપારના શિર્ષક નીચે આગળ વિચારવામાં આવશે. નવયુગ આખું સમાજબંધારણ એવી રીતે ફેરવી નાખશે કે ધનવાન અને શ્રમજીવી વચ્ચે ઘર્ષણના પ્રસંગે દૂર થઈ જશે. એમ કરવામાં પરિગ્રહપરિમાણ નિયમન ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ઔદ્યોગિક સંસરણમાં આગળ વધેલા દેશની અંદર અત્યારે જે ખરાબી થઈ રહી છે તેને અનુભવ લઈ એ જ વાત હિંદમાં પણ શરૂ થાય એ સ્થિતિ નવયુગ નહિ રહેવા દે. નવયુગની દીર્ધદષ્ટિ આ વિષયમાં બરાબર કામ કરશે. હિંદની સ્થિતિ એવી છે અને ખાસ કરીને જૈનને વ્યવસાય એવા પ્રકારનો છે કે જે આ સંબંધમાં ધ્યાન ન આપે તે અનવસ્થા કે અવ્યવસ્થા થતાં ગામડાંઓમાં એ પહેલો ભાગ થઈ પડશે. પણ અગમ બુદ્ધિ વાપરી એ એવા પ્રકારની સ્થિતિ થઈ જાય તેટલી હદે વાતને જવા નહિ દે. મિલક્ત” ની વૃદ્ધિમાં જે નિયમન મૂકવામાં નહિ આવે તે બહુ ભયંકર પરિણામ આવશે. અત્યારે જે જાતના વિચારે ફેલાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ નવયુગને જૈન જાય છે, જે જાતનું વાંચન વિશેષ રસથી વંચાય છે અને જીવનકલહની જે કઠિણતા વધતી જાય છે, તેને અંગે ચેતવાને રસ્તે પાંચમા વ્રતમાં જ છે. એ બાબતમાં જે સ્કૂલના કરશે તે નવયુગના સમાજમાં ખત્તા ખાશે, સ્થાન બેઈ બેસશે અને હાથે કરીને આપત્તિ વહેરી લેશે. ધનની વહેંચણીને અંગે બીજી અનેક ઘટનાઓ થશે તે વ્યાપારના પ્રકરણમાં વિચારવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું સામાજિક સંસ્થાઓ નવયુગ સામાજિક સંસ્થાઓ જુદા જુદા ઉદ્દેશથી અનેક સ્થાનકે અને અનેક વિવિધતા પૂર્વક સ્થાપશે. પૂર્વ કાળમાં પ્રાચીન સમયમાં મંદિર કે ઉપાશ્રય ઉપરાંત કોઈ સંસ્થા લગભગ નહતી. રીતસરનું બંધારણ પ્રાચીનની બુદ્ધિમાં નહતું. આ સ્પષ્ટ ઉલ્લેખ જરા કચવાટ કરે તેવો છે, પણ નવયુગ કહેશેભાર મૂકીને કહેશે કે તે સત્ય છે. છૂટીછવાઈ કોઈ સંસ્થા હશે તે પણ તેમાં બંધારણ જેવી વસ્તુ નહિ, મધ્યમ કે ગરીબ વર્ગને અવાજ નહિ અને મારતે મીંયાને કેરડે તેમાં ચાલને. સામાજિક જીવન જેવું પૂર્વ કાળમાં કાંઈ હતું જ નહિ. ત્યાં વધારેમાં વધારે માટે સમાજ મળે તે એક સંધ, પણ તેમાં પણ બંધારણ કે ધારણ નહોતું. નવયુગની સંસ્થાઓને પાર રહેશે નહિ. તેના ઉદ્દેશો સુસ્પષ્ટ રહેશે અને તેનું બંધારણ સરનશીર આવશે. નવયુગની થડી સંસ્થાઓને નિર્દેશ કરીએ. વિદ્યાથી સહજ વિવેચન ઉપર થઈ ગયું છે. એ માધ્યમિક કેળવણીને અંગે રહેશે. ઉચ્ચ કેળવણીને અંગે રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ નવયુગને જૈન એની સ્થાપના પ્રત્યેક મોટા શહેરમાં થશે. વગર તફાવતે સર્વ જૈનને ત્યાં સ્થાન આપવામાં આવશે. સર્વ વિદ્યાથી સહભોજન કરશે. ધાર્મિક અભ્યાસ એ સંસ્થાઓને ખાસ વિષય થશે. શિસ્તને વિદ્યાર્થીઓ આનંદથી સ્વીકારશે. આ વિદ્યાર્થીગૃહો સાથે “અભ્યાસગ્રહો” જોડાશે. ત્યાં ધાર્મિક અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. આ અભ્યાસગ્રહ અને વિદ્યાથીગૃહે નવયુગનાં કેન્દ્રો થશે. ત્યાં હાઈસ્કુલ કોલેજની કેળવણીની સગવડ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ થશે. જૈન સંસ્કૃતિના એ માત્રિકાગ્રહ થશે. ત્યાં જૂની શોધખોળે થશે, સુંદર પુસ્તકાલય થશે, પ્રાચીન ગ્રંથરત્નોને સંગ્રહ થશે, પ્રાચીન સીક્કા, શિલાલેખે અને સંસ્કૃતિના અવશેષેના સંગ્રહાલય થશે. ત્યાંથી ચર્ચા દ્વારા અનેક નવા વિચારે, નિર્ણ અને રહસ્ય બહાર પડશે. , ન્યાયને અાશ, પાકૃત-સાસ થશે. ત્યાં પાઠશાળાઓ પણ અનેક નાનાં મોટાં સ્થળોએ થશે. ત્યાં તદન નવીન પદ્ધતિએ ધાર્મિક શિક્ષણ, પ્રાકૃત-સંસ્કૃત–ભાષા શિક્ષણ, સાહિત્ય શિક્ષણ, ન્યાયને અભ્યાસ અને ન નિક્ષેપનો અભ્યાસ કરાવવામાં આવશે. ત્યાં સર્વ ભાષાનાં વ્યાકરણને સ્થાન મળશે. ત્યાં કાવ્યો અમર થશે. એ ઉપરાંત વિદ્યાલય-કલેજે થશે. જૈન કેમની એ ખાસ જરૂરીઆત પૂરી પાડશે. એમાં ઉચ્ચ ભાષાઅભ્યાસ ઉપરાંત ગણિત, ભૂગોળ અને વિજ્ઞાનને ખાસ સ્થાન મળશે. જૈન તત્ત્વજ્ઞાન અને નીતિ વિભાગને તદ્દન નૂતન સ્વરૂપ આ સંસ્થા આપશે. ત્યાં પૂર્વકાળનાં મહાન રહસ્યો તદ્દન નવા આકારમાં રજૂ કરવામાં આવશે. ત્યાં જૈન ધર્મની સ્થિરતાના પાયા રોપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ – પ્રકરણ ૨૦ મું ૨૬s જૈન વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટ) પણ તરતમાં નવયુગ સ્થાપશે. જૈન સંસ્કૃતિને કેંદ્રિત કરવા અને દુનિયાના મહાન વારસાને જાળવી રાખવા વિશ્વવિદ્યાલયની જરૂરીયાત નવયુગ તરતમાં જોશે. તેમાં આત્મત્યાગી, સેવાભાવી, મધ્યમકક્ષાના જૈન યુવકરને અનેકદેશીય કાર્ય કરી વિશ્વને ચમત્કાર ઉપજાવશે અને કેમીયભાવના ઉત્પન્ન ન કરતાં વિશ્વબંધુત્વને વિસ્તાર આદકરીતે કરશે. શિક્ષણની અનેક શાખાઓનું ત્યાં મીલન થશે. ઇતિહાસ ભૂગોળ અને ગણિત તથા તિષ, નાટક અને છંદ, કાવ્ય અને ન્યાય આદિ અનેક વિષયોની ભારે પ્રગતિ કરવાની કેન્દ્રસંસ્થા આ વિશ્વવિદ્યાલય થશે અને તેમાં અનેક છાત્રવૃત્તિઓ, માન્યતને અને ભાષણ–શોધખોળ આદિની યેજના થશે એ સંસ્થા સર્વ ધર્મને સમન્વય કરી બતાવશે અને મુંઝાતી દુનિયાને અનેક રીતે માર્ગદર્શક થઈ શાંતિ ભ્રાતૃભાવ અને વ્યવહારૂતાને વિસ્તારશે. આ વિશ્વવિદ્યાલયને અંગે સ્થાનિક વિદ્યાલય (કેલેજો) વિગેરે સર્વ યોગ્ય વ્યવસ્થા નવા બંધારણથી અને નૂતન પદ્ધતિએ નવયુગ કરશે. એના કાર્યમાં સેવાભાવી અનેક જૈને ઉત્સાહથી ભાગ લેશે અને પરોપકારી સાધુઓ અને સેવાથી, ભાષણોથી, ઉપદેશથી અને પ્રેરણાથી નવાજશે. આ વિશ્વવિદ્યાલયના કાર્યમાં ધનવાન વર્ગ બહુ રસ લેશે, પણ એની આંતરવ્યવસ્થા તેને તોને (એકસપર્ટીને) સેપી દેશે. નવયુગના બે વિશિષ્ટ ગુણે વ્યવસ્થા અને શિસ્ત થશે. તેને ઉદ્ભવ આ વિશ્વવિદ્યાલયમાંથી થશે, તેને પિષણ કેલેન્જ આપશે અને તેને નવયુગના યુવકે અને યુવતીઓ વહન કરશે. કેળવણી મંડળ સમસ્ત જૈન કેમની કેળવણી વિષયક નીતિ મુકરર કરવા અને તેને યોગ્ય વિચાર વાતાવરણ ફેલાવવા “કેળવણી મંડળ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન એને કોઈ એજ્યુકેશન બોર્ડ એવું પણ નામ આપશે. બહુધા પરરાજ્યની અથવા પરદેશી ભાષામાં કઈ સંસ્થા ઓળખાશે નહિ. આ કેળવણી મંડળ ખૂબ વિચાર કરી સમસ્ત જૈન કોમની કેળવણવિષયક નીતિ મુકરર કરશે. એ બાળ ઘારણથી માંડીને વાચનમાળા જેવી નાની લાગતી બાબતેથી તે અનેક મહાપ્રશ્નો ચર્ચા તેને જાહેર કરશે અને તે રીતે જાહેર થયેલા વિચારે પણ સારી રીતે ચર્ચા કરવાની તક સર્વને આપી છેવટે નિર્ણય જાહેર કરશે. આ કેળવણી મંડળનું કાર્ય માત્ર કેળવાયેલાના જ હાથમાં ન લેંપતાં જે જૈન બંધુઓએ કેળવણીના શાસ્ત્રને વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો હશે તેને સોંપવામાં આવશે અને તેના કાર્યમાં ગમે તે માણસ હાથ ઘાલશે નહિ. ચય કરવાને ઉપર જણાવ્યું તેમ છૂટ રહેશે, પણ નિર્ણય તે સેવાભાવી સંજ્ઞોના હાથમાં જ રહેશે. આ મધ્યસ્થ મંડળ તે માત્ર નીતિ જ મુકરર કરશે, વિચાર ફેલાવવાનું કાર્ય કરશે, બાકી તેને અમલ તે તે સંસ્થાઓ કરશે. આ મધ્યસ્થ કેળવણી મંડળ એક વાત મુકરર કરીને અનેક રીતે સમજાવશે કે જૈન કેમનો નિસ્તાર એકસંપમાં, નાના તફાવત ભૂલી જવામાં, પૂર્વ કાળના મહાન વારસાને કાયમ કરવામાં અને તે સર્વને ખાતર “કેળવણીના સવાલને ખાસ મહત્વ આપવામાં છે. કેળવણીના નિકાલમાં સર્વ પ્રશ્નોને નિકાલ છે એમ નવયુગ આ મધ્યસ્થ મંડળ દ્વારા જાણશે અને એ પ્રકારે એને અમલ કરશે. એ ઉપરાંત સાધન વગરના બાળકો અને બાળાઓ માટે બાળાશ્રમો ઠેકાણે ઠેકાણે સ્થાપવામાં આવશે. એ બાળાશ્રમમાં માત્ર સાધનહીન જૈનને જ સ્થાન મળશે. ધનવાન કે મધ્યમ વર્ગને માટે વિદ્યાર્થીગૃહમાં યોજના થશે. ખાસ કેંદ્રસ્થાનાએ ગુરુકળતી યોજના કરવામાં આવશે. એને ઉદ્દેશ સેવાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦સુ ૨૦૧ જૈનેતે ઉત્પન્ન કરવાના અને ખાસ ધશિક્ષણમાં પારંગત થયેલ બ્રહ્મચારી ઉત્પન્ન કરવાના રહેશે. સાધુને તૈયાર કરનાર સંસ્થા સ્થાપવામાં આવશે. ત્યાં ધાર્મિક જ્ઞાન તદ્દન જુદી જ પદ્ધતિએ આપવામાં આવશે. તેનું વાતાવરણ વૈરાગ્યમય બનાવવામાં આવશે. તેમાં જોડાનાર પર આડકતરી પણ ચાસ નજર રાખવામાં આવશે. તેમાં પાંચ વર્ષના અભ્યાસક્રમ યેાજાશે, એ અભ્યાસ કરનાર અને દરમિયાન વૈરાગ્ય દેખાવ નહિ પણ હૃદયભાવ ધરાવનારને દીક્ષા લેવાની યેાગ્યતાનું પ્રમાણપત્ર આપવાની ચેોજના કરવામાં આવશે. સહશિક્ષણ ક્યારે અને તે આપવું અને ક્યારે ખાળ અને બાળાને શિક્ષણ અત્રણ આપવું તેની આખી નીતિ મધ્યસ્થ કેળવણીમંડળ મુકરર કરશે. સ્થાને સ્થાને ઉપાશ્રયાને અંગે પુસ્તકાલય તે ગામની સ્થિતિ અને વસ્તીને અનુરૂપ સ્થાપવામાં આવશે અને દરેક પુસ્તકાલય સાથે વાચનગૃહ જરૂર સ્થાપવામાં આવશે. અનેક જૈન સાપ્તાહિક, માસિા અને ત્રૈમાસિકે! નીકળશે. તેમાં તત્ત્વજ્ઞાન કથા આદિ અનેક વિષયે। આવશે. એ પ્રત્યેક વિષય પર પણ ખાસ માસિક્રે બહાર પડશે. તે પૈકી અમુક અમુક માસિક્રેને રસ અને સ્થિતિ પ્રમાણે આ વાયનહેામાં સ્થાન મળશે. સામાન્ય ભાષાજ્ઞાનની માહિતીતે પણ એમાં સ્થાન રહેશે. સેવાસ ધા આ તા મુખ્ય સંસ્થાઓની વાત થઈ. એ ઉપરાંત નાની નાની તેા અનેક સંસ્થાએ બંધારણપૂર્વક નીકળશે. કાઈ પુસ્તકપ્રચારનું કામ ઉપાડી લેશે, કાઈ ગ્રંથપ્રકાશનનુ ઉપાડી લેશે, કાઈ ગ્રંથવિવેચનનું કાર્ય કરશે, કાઈ વિદ્યાર્થી સહકારી મંડળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન થશે, કઈ સાધુસહાયક મંડળ થશે, કઈ વસ્તીપત્રક તૈયાર કરનાર મંડળ થશે, કઈ જૈન ધર્મ પ્રચારક મંડળ થશે, કોઈ ભૂતદયા મંડળ થશે, કઈ સ્વચ્છતા પ્રચારક મંડળ થશે–આદિ અનેક દિશાએ પ્રયત્ન ચાલશે અને આ સમાજ વિવિધ ક્ષેત્ર દ્વારા કાર્ય કરશે અને પ્રગતિને ઉદ્દેશ ખાસ લક્ષ્યમાં રાખી ધર્મસ્થિરીકરણ અને ધર્મપ્રચાર કરી શ્રી વીર પરમાત્માના સંદેશા જગતભરને સંભળાવશે. વિશ્વબંધુત્વને ખ્યાલ ન છેડતાં રાષ્ટ્રભાવનાને પોષી સાપેક્ષ દૃષ્ટિએ દીર્ધદષ્ટિપૂર્વક કામ લેશે અને તેમાં ભૂલ થશે તે જાહેર કબૂલાત કરવામાં કે ક્ષમા યાચવામાં જરા પણ સંકોચ ન રાખતાં આગળ ધપાવવા પોતાની આવડત, અનુકૂળતા અને પરિસ્થિતિ પ્રમાણે કામ લેશે. વાત કરતાં અમલ તરફ, ટીકા કરતાં કાર્ય તરફ અને ઉપર ઉપરની તાળીઓ કરતાં પરિણામે ધારેલી અસર થાય તે પદ્ધતિએ કામ લેવા પ્રયત્ન કરશે. જરા વિગતેમાં ઉતરીએ તે સેવા અનેક પ્રકારના બંધારણપૂર્વકની સમિતિઓના નામથી નીકળશે અને તેની સભ્યસંખ્યા પ્રચંડ થતી જશે. નાનામાં નાની બાબતથી માંડીને અનેક પ્રકારના સેવાના પ્રબંધ થશે. મેળાવડામાં પાણી પાવા જેવી બાબતથી લઈને મોટા મેળા વખતે નિયમન રાખવું, અકસ્માત વખતે મદદ કરવી–આવી અનેક સેવા સમિતિઓ નીકળશે. એ સર્વ ધરણસર અને ઉદ્દેશ લક્ષ્યમાં રાખીને કામ લેશે અને સામાજિક શિસ્તમાં સુંદર ફાળો આપી વ્યવસ્થા અને પ્રગતિમાં ખૂબ ફાળો આપશે. લેકમાં અપૂર્વ સેવાભાવના ખીલશે. દરેકને પિતાના ઉદરનિર્વાહ ઉપરાંત કાંઈક કરવાની વૃત્તિ રહેશે. કોઈ સંસ્થા બાળઉછેર તે કઈ માંદાની માવજત, કોઈ સંસ્થા દારૂનિષેધ તે કોઈ સ્વદેશી પ્રચાર, કઈ સંસ્થા ભાષણણીની વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું તે કઈ રાત્રીશાળા, કોઈ આંધળાંની શાળા તે કઈ મૂંગાબહેરાને શિક્ષણ, કોઈ ચુંટણી કાર્યમાં સહાય તે કાઈ પુસ્તક પ્રકાશનને ઉત્તેજન – આવી સેંકડે સેવાભાવી સંસ્થાઓ નીકળશે અને તેમાં અનેક યુવકે, બાળક અને વૃદ્ધો પિતાની આવડત, ઉત્સાહ અને શક્તિ પ્રમાણે ભાગ લેશે. આ પ્રમાણે નવયુગ સંસ્થાને આખો ન યુગ સ્થપાશે અને પ્રાચીનેમાં વ્યવસ્થા, ધરણ, બંધારણ અને શિસ્તની મોટી ખામી તેમની નજરમાં જડી આવશે તે દૂર કરશે અને તેની પાછળ વિચારશક્તિ અને ધનનો વ્યય કરવાની ખાસ જરૂરિયાત સ્વીકારશે અને તેને માટે જરૂરી પ્રચારકાર્ય પણ કરશે. સામાજિક કાર્યક્ષેત્રોને પાર નથી. સામાજિક રૂઢિબંધનેમાંથી આવશ્યક હોય તેને સુધારવાના અને નિરર્થક હોય તેને ઉછેદવાના પ્રસંગને પાર નથી. નાની નાની બાબતે લઈને આ વિષયને હવે વધારે લંબાવે જરૂરી નથી. નવયુગ અનેક સામાજિક બાબત ઉપાડશે, સુધારશે અને બિનજરૂરીને ફેંકી દેશે અને જરૂરીને કાયમ કરશે તે તેને નવયુગ એપ આપશે. તે પ્રત્યેકનું ધોરણ કેવું રહેશે તેના મુદ્દા અને ચર્ચા છે. નવયુગ પાશ્ચાત્ય ધોરણોને તથા તેની સમાજ પર થયેલી અસરને અભ્યાસ કરી આખા સમાજશરીરને તદ્દન નવો ઝોક આપશે. મુખ્ય મુદ્દાઓ અત્ર ચર્ચાઈ ગયા છે. બાકીના મુદ્દાઓ એ મિસાલે સમજી લેવા. વિચારનિર્ણય કેમ થશે? ઉપરની સર્વ બાબતને વિચારનિર્ણય મહાપરિષદની શાખાઓમાં, પ્રાંતિક સમિતિઓમાં અને ગ્રામ્ય સમિતિઓમાં થશે. બહુમતિનું ધોરણ સ્વીકારવામાં આવશે. એ ધોરણથી સમાજ કેવો સુવ્યવસ્થિત થાય છે તે સમજી તેને માન આપવામાં આવશે. કોઈ બાબતમાં બે મત થાય તે પણ અંતે બહુમતીને માન આપતાં જનતા શીખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન જશે અને પરિણામે અરાજકતા નહિ રહે, તેમજ એકહથ્થુ સત્તા કે સ્થાપિત હકોને સ્થાન નહિ રહે. સમાજનું સુકાન ગણ્યાગાંડ્યા શેઠિયાઓની પાસેથી ચાલ્યું જશે અને વ્યવસ્થિત બંધારણવાળી સમિતિઓના હાથમાં આવશે. તેઓ ઘણી કુનેહથી કામ લેશે. તેની નિમણુકમાં જ્ઞાનને સ્થાન મળશે અને ગરીબ તથા મધ્યમ વર્ગને અવાજ પૂરતા જોશથી નીકળશે; તે વર્ગને પ્રાચીનકાળમાં દબાવી દેવામાં આવ્યું હતું તેને બદલે તે પ્રકટી નીકળશે અને તેને પૂરતો અવકાશ જાતે અથવા તેણે નીમેલા પ્રતિનિધિ દ્વારા મળી આવશે. આ પ્રશ્નમાં સ્ત્રીઓનું સ્થાન આ સર્વ પ્રશ્નની ચર્ચામાં સંસ્થાના સંચાલકમાં, વિચારણામાં અને મંત્રણામાં સ્ત્રીઓને પૂરતું સ્થાન મળશે. તેઓના આદર્શ અને સેવાભાવ વગેરે અનેક બાબતે એમના પ્રકરણમાં આવશે અને અગાઉ કેટલીક બાબતે ચર્ચાઈ ગઈ છે. સ્ત્રીઓને અવાજ નવયુગમાં કોઈ ગૂંગળાવી શકશે નહિ અને કોઈ તે પ્રયત્ન કરવા જશે તે તે નવયુગમાં ફાવશે નહિ. સ્ત્રીઓ સેવાભાવી અનેક નીકળશે, વિચારક પાર વગરની નીકળશે, વક્તાને પાર નહિ રહે અને તે પોતાનું સ્થાન પુરુષોએ આપેલું નહિ લે, પણ તે સ્થાન જાતે જ પ્રાપ્ત કરશે. પુરાણપ્રિયને આ પલટાયલે આ રંગ તરંગ જેવો લાગશે, પણ નવયુગમાં તે તરતમાં સિદ્ધ થશે. સ્ત્રીઓમાં આખા આદર્શો જ બદલાઈ જશે અને તેને લઇને સામાજિક પરિવર્તન તદ્દન વિલક્ષણ પ્રકારનું થશે. અને એ સર્વ વ્યવસ્થામાં ધર્મને સન્મુખ રાખવામાં આવશે. મૂળ મુદ્દાને જરા પણ વિરોધ ન આવે અને અત્યારની માયકાંગલી નિર્માલ્ય પ્રજા ભિખારી કે ગુલામેની સંખ્યામાં વધારે ન કરે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું મુદ્દો ખાસ લક્ષ્યમાં રાખવામાં આવશે. સમાજમાં મગજના બળવાનને સ્થાન છે અને સમાજ હૃદય બળવાનના ઉપર જ નભે છે એ વાત આગળ આવશે. અનેક કુમારિકાઓ આદર્શ સેવાભાવી થશે, અનેક યુવકે ધર્મ અને સમાજસેવામાં પિતાની જાતને લગભગ વીસરી જશે અને લગભગ પચીસસે વર્ષથી બેઠેલે ભસ્મગ્રહ ઉતારવાના મને રથ નવયુગના વિચાર, વર્તન અને આચારમાં રહેશે. સામાજિક બાબતે આગળ આવશે ત્યાં જરૂરી સૂચનાઓ થશે, પણ ઘણાખરા મુદ્દાઓ મુખ્યતયા અત્ર ચર્ચાઈ ગયા છે. આ વિષય બંધ કરતાં એક બાબત પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે. - ધનવ્યય સામાજિક બાબતેને અંગે નવયુગ દ્રવ્યવ્યય કઈ રીતે કરશે, એ મુદ્દો સામાજિક બાબતે સાથે ખાસ સંબંધ ધરાવે છે, તેથી નવયુગનું તેને અંગેનું વલણ સીધી રીતે ચર્ચવાનું આ સ્થાન છે. તમે સને ૧૯૦૦ ની સાલ પહેલાંનાં હાઈકોર્ટમાં રજીસ્ટર થયેલાં વિલે વાંચે અને વશમી સદીનાં વિલે (વસીયતનામા) વાંચે તે કહેવા મુદ્દો બરાબર સમજાઈ જશે. એ બનેમાં ઘણે મોટા તફાવત છે અને તે દાનના પ્રકાર અને રીતિને અંગે છે. ૧. ભસ્મગ્રહની વાત એવી છે કે શ્રી વીર ભગવાનના નિર્વાણુ વખતે તેમના માથા પરથી ભસ્મગ્રહ જતો હોવાનું જાણું ઇદ્ર ભગવાનને બે ઘડી આયુષ્ય વધારવા કહ્યું. તે વાત કોઈથી બની શકતી નથી એ ભગવાને ઉત્તર આપે. આ ભસ્મગ્રહને કાળ ૨૦૦૦ વર્ષને અને એની છાયા પાંચશે વર્ષની. એ સર્વ સંવત ૨૦૩૦ માં ઉતરી જાય છે. અત્યારે આપણે ભસ્મગ્રહ અને તેની અસર ઉતરી જવાના કાંઠા પર બેઠા છીએ. આ સબંધી વધારે હકીક્તના જિજ્ઞાસુએ શ્રી દિવાળી કલ્પગ્ન જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ २७० નવયુગના જૈન માણસ મરવા પડે અથવા મરણને વિચાર કરે એટલે જે ધન સાથે કાઈ પણ રીતે લઈ જઈ શકાય તેવું ન હોય તેની વ્યવસ્થા કરવી જ પડે છે. આમાં વિવેક કેવા પ્રકારના થતા જાય છે અને નવયુગમાં કેવા પ્રકારના થશે એ નવયુગ વિચારશે. જે વખતે હિંદમાં સમૃદ્ધિને મર્યાદા નહાતી, જ્યારે દેશનું ધન દેશમાં જ રહેતું, જ્યારે આર્થિક પ્રશ્ના અને હરિફાઈ પરસ્પર ગૂંચવાઈ ગયેલા નહાતા અને જ્યારે દેશમાં ધન ધાન્યની વિપુળતા હતી ત્યારે ગમે તે રીતે ધનવ્યય થઈ જાય તે કદાચ ચલાવી લેવા જેવું ગણાય, પણ અત્યારે તે મહત્વના પ્રશ્ન! દેશ સામે ઉભા થયેલા છે, આખા વિશ્વ સાથે વ્યવહાર ચલાવવાના છે, આપણા દેશના આર્થિક પ્રશ્ના પર આપણા હક્ક કે આપણી સ્વાધીનતા નથી, ત્યારે નિક ધનવ્યય પાલવે નહિ; અત્યારે તે એક વાવીએ ત્યાં સા ઉગે તેવા વિવેક દાનપદ્ધતિમાં રાખવા જ પડે. નવયુગ તેથી દાનપ્રવાહને ઝોક આપશે. એ જરૂરીઆતવાળાં ક્ષેત્રાને શોધી કાઢશે, એ ભરતામાં ભરતી કરવામાં અવિવેક માનશે, એ ધરાયલાને ખવરાવવામાં પિરણામે થતું અજિષ્ણુ જોઈ શકશે, એ દેશ અને સમયને વિચારી ઉદારતાના ઝરા જ્યાં પાણીની જરૂર હાય તેવા પ્રદેશ તરફ ફેરવી નાખશે. એની નજરમાં પેાખાતા કરતાં પાષક વર્ગ વધારે ધ્યાન ખેંચશે. નવયુગની દાનપ્રથામાં નીચેની બાબતા નવી પ્રણાલિકા દેરશે. જરૂરી કેળવણી–જ્ઞાન–પ્રકાશ સથી અગત્યનું સ્થાન લેશે. કેળવણીનાં સાધન, વિદ્યાર્થી ગૃહા, વાચનમાળા, પુસ્તકા, ધ જ્ઞાનના પ્રચાર, વિજ્ઞાનમાં પ્રગતિ આદિ કેળવણીની બાબતા મુખ્ય સ્થાન લેશે. શ્રાવક અને શ્રાવિકાક્ષેત્રને સમૃદ્ધ કરવાની બાબત વિશેષ અગત્ય ધરાવશે. શ્રાદ્ધવની શારીરિક, માનસિક, વ્યાવહારિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦મું ઉન્નતિના કાર્યમાં નવયુગ ઔદાર્યને ઝરે વહેવરાવવાની વધારે જરૂર માનશે. જનસમાજનું સેવાનાં કાર્યો અનેક આકારમાં ધ્યાન ખેંચશે. રાષ્ટ્રહિત સમાજ ઉત્કર્ષ એની નજરમાં ખૂબ આકર્ષક લાગશે. અભણને ભણાવવા અને નિરૂઘમીને ઉદ્યોગે ચઢાવવા એ પ્રાથમિક ફરજ માનવામાં આવશે. શારીરિક પ્રગતિ માટે વ્યાયામમંદિરે કરાવવામાં નવયુગ ધનને ઝરે ખાસ વહેવરાવશે. માંદા માટે હોસ્પીટાલે, પ્રસુતિગૃહ, માવજતગૃહ, સેવાભાવી માવજત કરનારાને ઉત્પન્ન કરનારાં ગૃહો, આરોગ્યમંદિરે, મોટા શહેરમાં સસ્તા ભાડાની ચાલીએ. આવાં આવાં ખાતાંઓને ખાસ અગ્રસ્થાન આપવામાં આવશે. ભાષણગ્રહે, પુસ્તકાલય, પ્રકાશનમંદિરે, સંગ્રહસ્થાને ઉપર વિચાર સારી રીતે ખેંચાશે. અનેક ખાતાઓમાં નામ લખવાની જરૂર ભાગ્યે જ હોય. ટૂંકામાં વર્તમાન યુગમાં જે ખાતાને પોષવાની જરૂર દીર્ઘ નજરે દેખાશે તેવા ખાતા તરફ-તેવી બાબતે તરફ નવયુગ વિવેક વાપરી ઔદાર્યને વાળશે. તેઓને પ્રાચીન કાળની કઈ સંસ્થા તરફ દેવ નહિ થાય, પણ જરૂરિયાતનું મૂલ્ય તેઓ આંકશે. મંદિરમાં જરૂર હશે તે નવું મંદિર પણ બનાવશે, પણ જરૂર ન હોય, ખાતું સમૃદ્ધ હોય ત્યાં એ વિચાર કરી જશે. એને મળેલા જ્ઞાનથી એની સમજણ પ્રમાણે એ વિવેક વાપરવાને વિચાર ધનવ્યયને અંગે ખાસ કરશે અને એને યોગ્ય લાગશે તે પ્રમાણે ખાવાપીવાની બાબતે કે જમણવારમાં પ્રચલિત યુગમાં ધનવ્યય એ જરૂરી નહિ માને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૨. નવયુગને જૈન We + P* * **,*ક જ '1 5* *** * * * * * * * * * -~.•••~~~~*, *~-~~ ** *** * ~ ~ ~ અને ધનવ્યય કરવા સાથે એ અનેક નવાં ખાતાંઓ પણ ખેલશે. એ પ્રત્યેક શહેર કે ગામની જરૂરિયાત જેશે. એ પાંજરાપોળ કરશે તે તેને પણ આર્થિક દૃષ્ટિએ પિષક બનાવશે. એને દયાને પ્રવાહ અને વ્યાધિગ્રસ્ત જનાવરે માટે તેના નિપુણ ડાટ રાખવા પ્રેરશે. અને ખાસ કરીને ચાલુ કે નવા ખાતા બંધારણપૂર્વકના થાય, ઘેરણસરના થાય, ઉપયોગી થાય, એમ કરવાની એને ચીવટ રહેશે. વ્યવસ્થા ધોરણ (સ્કીમ) કે દૂટ વગર એ એક પણ જૂના કે નવા ખાતાને ચલાવી નહિ લે અને ખાતાને ઘેરણસર કરવા માટે થયેલ ખર્ચને એ જરૂરી ખર્ચમાં ગણશે. દાન પ્રવૃત્તિમાં એ જૈન સમસ્તને ફિરકાના ભેદ સિવાય પ્રથમતઃ ધ્યાનમાં લેશે. વધારે વિશાળ પાયા પર હાથ લંબાવી શકાશે ત્યાં એ જનતાને લાભ જરૂર આપશે. એના ઔદાર્યને ઝરે સંકુચિત કે કેમીય નહિ થાય, પણ જૈન તરફ એની મીઠી દષ્ટિ પ્રથમ તે જરૂર પડશે. દાખલા તરીકે એને સ્ત્રીકેળવણીની ખાસ જરૂર લાગશે તે તે સાર્વજનિક નજરે પ્રશ્નને ઉકેલશે, પણ જૈનને આકર્ષક થાય તેવું માન–વેતન આપવા લલચાઈ જશે. બંધારણ અને ધોરણસર કામ કરવાની અને લેવાની વૃત્તિ આ દાનપ્રવાહમાં ખાસ જણાઈ આવશે. તે ઉપરાંત વિશાળતા એનું ખાસ કે થશે. મનુષ્યજાતિ માટે એ જેટલું બને તેટલું કરવા લલચાશે અને જરૂરિયાતની વિચારણું, નિર્ણય અને અમલમાં ખૂબ લાંબી નજરે અને જનતાની વિશાળ દૃષ્ટિએ જોશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મુ વ્યાપાર સામાજિક બાબતેને છેડેડ નથી. કાઈ જરૂરી બાબતે આગળપાછળ ચર્ચવા પર રાખી વ્યાપારના ક્ષેત્રને અંગે નવયુગનું વલણ ટૂંકામાં જોઇ લઇએ. એમ કરતાં થાડી પ્રસ્તાવનાની જરૂર પડશે. અત્યારે જે પ્રકારે જૈન કામ રચાયેલી છે તે રીતે જૈન કામના મુખ્ય આધાર વ્યાપાર ઉપર છે. વસ્તુસ્થિતિ કેવી હાવી જોઈએ તેના વિચાર સાથે વમાન સ્થિતિને ગૂંચવી નાંખવી ન જોઇએ. સ` કે ધણા જૈના વ્યાપારી જ શા માટે હાવા જોઇએ એ અલગ પ્રશ્ન છે. એની ચર્ચા કરવાના અત્રે પ્રસંગ નથી. વસ્તુસ્થિતિ છે તે જોતાં વ્યાપારના પ્રશ્ન આ વિચારમાળામાં ખાસ અગત્ય ધરાવે છે, જૈતામાંથી કાષ્ઠ વકીલેા, ડાક્ટશ કે વ્યાપાર સિવાયની નાકરીમાં હશે, પણ મેાટા વિભાગના અત્યારના વ્યવસાય તે વ્યાપાર જ છે એ બાબતની ના પાડી શકાય તેમ નથી. અને જૈનાના વ્યાપાર એટલે માલની વહેંચણી, એક સ્થાનને માલ ખીજે મેાકલા, તે સ્થાનને માલ અન્યત્ર માકલવા અને માલ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ નવયુગને જૈન વાપરનારને પૂરો પાડે એ કાર્ય વ્યાપાર કરે છે. આ આખો પ્રશ્ન વહેંચણી (distribution)ની કક્ષામાં આર્થિક નજરે આવે છે. આધંધાને કમિશન એજન્ટનું કાર્ય ગણવામાં આવે, ડેલ ક્રીડેરી એજન્ટનું કામ ગણવામાં આવે કે જથાબંધ ખરીદી પરચુરણ વેચવાનું કામ ગણવામાં આવે. પણ એ સર્વમાં માલની વહેંચણીને જ લાગેવળગે છે. આમાં ઉત્પત્તિને પ્રશ્ન આવતું નથી. થોડાક મિલવ્યવસાય ઉત્પત્તિના વિભાગમાં આવે તે પ્રમાણમાં અલ્પ હાઈ તે પર આગળ વિચાર કરવામાં આવશે. જૈનેને માટે ભાગ જથાબંધ માલ વેચનાર, પરચુરણ વેચનાર અને તેવાને ત્યાં નોકરી કરનાર એટલે કે મુનીમ, મહેતા કે નામું લખનાર–એટલામાં મોટે ભાગે રોકાયેલો હોય છે. આમાં ધ્યાન રાખવાની બાબત “વહેંચણી'ની છે અને નફો માત્ર ધીરધાર કરવાની કુનેહ, ખરીદ કરવાની આવડત અને ઘરાકને રીઝવવાની ચાલાકી ઉપર આધાર રાખે છે. આમાં મુદ્દાની વાત વહેચણી શબ્દ પર છે તે લક્ષ્યમાં રાખવું. સટાને વ્યાપાર ગણ એ ભૂલભરેલું હોઈ તેને અલગ વિચાર નવયુગની નજરે આ જ વિભાગ નીચે આગળ કરવામાં આવશે. વહેચણું સામેના બે પોકાર અત્યારે આ વહેંચણીના વ્યાપારપ્રકાર તરફ બે મોટા પ્રસંગે ઉઠયા છે તે પ્રત્યેક ખાસ વિચારવા યોગ્ય છે. ૧. આર્થિક વિચારકે કહે છે કે માલ ઉત્પન્ન કરનાર અને વાપરનાર એ બે છેડાઓ છે તેની વચ્ચે રહેનારા વ્યાપારીઓને નફે કાઢી નાખે જોઈએ-નહિવત કરવા જોઈએ, માલ વેચનારાને આ વિભાગ વચ્ચેથી કાઢી નાખવો જોઈએ, કારણું કે તેઓને ઉત્પત્તિમાં હાથ નથી, તેઓ માલનો વપરાશ કરતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ સુ માત્ર આડતીયા તરીકે તેઓ એક ઠેકાણેથી ખીજે માલ પહેાંચાડે છે. અને ઉત્પન્ન થયેલા માલ વપરાશ કરનારના હાથમાં પહેાંચે તે પહેલાં ચાર પાંચ છ અથવા તેથી વધારે વ્યાપારીના હાથમાં પસાર થઇ પચાસ ટકા જેટલા નફે તે પર અનેક વખત ચઢી જાય છે. ચાર આને વાર કપડું વાપરનારને પહેાંચવા પહેલાં ઓફીસવાળાના, મોટા શહેરના જથાબંધ વેપારીઓને, દેશના નાના વેપારીઓના, ગામડાના વેપારીઓને અને દલાલેને તે પર ના ચઢે છે. આ સવ નફા બંધ થવા જોઈ એ. આ ઉદ્દેશથી ઠામઠામ સહકારી સંસ્થા સ્થાપવામાં આવે છે, તેના ઉદ્દેશ મૂળ ઉત્પત્તિ સ્થાનેથી માલ મેળવી નામના નકાએ વાપરનારને પહોંચાડવાના હોય છે. ૨૦૧ ૨. રશિયામાં આ વચગાળના નફા કાપી નાખવા માટે પદ્ધતિસર પ્રયત્ન કરવામાં આવે છે, ત્યાં માત્રને એક હથ્થુ કરી તે પર અમુક નફે સીધો વપરાશ કરનારને આપવામાં આવે છે. પરિવર્તનની દિશા આમાં એકલા કાપડની હકીકત નથી. દરાજના ઉપયોગની નાની મોટી અનેક ચીજોમાં આ વચ્ચેના વ્યાપારીને નકો રદ કરવાના પ્રબંધ શરૂ થઈ ચૂકયા છે અને તે આગળ વધે તેવા અનેક ચિહ્નો દેખાય છે. આ પ્રશ્ન નવયુગને મુંઝવનાર થઈ પડે તેવા છે. જૈતા ઉત્પત્તિના કામમાં બહુ એણે રસ લે છે. ખેતીવાડી કે મોટાં કારખાનાંઓ જુજ અપવાદ બાદ કરતાં જૈમાનાં વ્યવસાયક્ષેત્રા નથી. નવયુગને વચગાળના માણસાના નફાની દલીલ અસરકારક લાગશે. માલની હેરવણી ફેરવણી કરવામાં અથવા તેને અંગે નાણાની ધીરધાર કરવાને અંગે માલ ઉપર પચાસ ટકા નફા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા ચઢી જાય અને તે સમૈં। અસહ્ય ખાજો વાપરનારને માથે પડે એમાં ન્યાય નહિ લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ 05 નવયુગના જૈન ** કર્મ ક આ વિચારને પરિણામે આખી વેપારની પદ્ધતિમાં મહાપરિવન થઈ જશે. જૈનેાએ માત્ર હેતાગીરી કે મુનીમગીરી ન જ કરવી હાય તે! ઉત્પત્તિનાં અનેક ક્ષેત્રે હાથ કરવા જ પડશે, એ સિવાય એમને છૂટકા નથી. એ સંબધમાં પસંદગીને સવાલ પણ રહી શકે તેવું નથી. પસંદ હોય કે ન હાય, પણ આર્થિક પ્રશ્ના તા અન્ય સમાજો સાથે રહીને જ છેડવા પડશે. આ વિચારને પરિણામે વિજ્ઞાનનેા અભ્યાસ વધારી જરૂરિયાતની નાની મોટી ચીજો ઉત્પન્ન કરવામાં જેનાએ લક્ષ્ય આપવું જ પડશે અને તે આપશે. તે માટે અભ્યાસ કરવા દૂર દેશમાં અનેક અભ્યાસીને માકલશે અને પદાવિજ્ઞાનમાં રસ લઈ અનેક ચીજો ઉત્પન્ન કરવાના કામમાં જૈને પડશે. જૈન ક્રામને સમયને અનુકૂળ થતાં આવડે છે. એ મુસલમાની સમયમાં વાધા પહેરી શકતા અને કેડ ઉપર ભેટ બાંધી શકતા, તેા અંગ્રેજ યુગમાં કાટ પાટલુન પણ પહેરી શકે છે. સમયના વિચાર તે દરેક યુગે વ્યવહારૂ જૈન કરતા જ આવ્યા છે, અને આર્થિક હરીફાઈમાં આરપાર કેમ નીકળી જવું એ તા એના પોતાના અંગત વિષય છે. ખીજી વાત એ છે કે વહેંચણીના ધંધા હાથમાંથી જતા વખત લાગતા નથી. એને માટે મુંબઇના થોડા જાણીતા દાખલા આપવા પ્રાસંગિક છે. મુંબઈ શહેરમાં વીશ વર્ષ પહેલાં રૂા વ્યાપાર ૮૦ ટકા જૈનેાના હાથમાં હતા, અત્યારે પૂરા દશ ટકા રહ્યો નથી. આમાં માત્ર વહેંચણીનું કામ છે એટલે આડતિયા કરતાં વખત લાગતા નથી. ( આમાં તૈયાર વેપારની જ વાત છે.) ઝવેરાતના વ્યાપારના એ માટા વિભાગ : મેાતી અને હીરા આદિ પરચુરણ ઝવેરાત, મેતીના વ્યાપાર સુવાંગ જૈનાના હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ર૭૭ અત્યારે બાર આના વ્યાપાર તે અરબસ્તાનથી સીધો પારિસ ચાલ્યો ગયો અને બાકીના ચાર આનામાંથી લગભગ અરધે જૈનોના હાથમાં રહ્યો છે, પણ સમૂહવ્યાપારની પદ્ધતિની આવડત ન હેવાથી ડાં વર્ષમાં જૈને માત્ર પશુગર કે સરૈયા થઈ જાય તે ના નહિ એવી પડું પડું સ્થિતિ એ વ્યાપારની થઈ રહી છે. હીરાને વ્યાપાર કુલ જૈનેના હાથમાં હતો. અત્યારે ભાગે જ પચાસ ટકા જૈન પાસે રહ્યો છે. તે જ પ્રમાણે અન્ય ઝવેરાતનું સમજવું. કાપડ બજારમાં જે પેઢીઓ વિશ વર્ષ પહેલાં જૈનેની હતી તેની અરધી પણ રહી નથી અને નવી થઈ નથી. ખાંડ બજારને ચૌદ આના વ્યાપાર જૈનોના હાથમાંથી પસાર થતા હતા ત્યાં અત્યાર નામ ગણાય તેટલી એક બે પેઢીઓ માત્ર જૈનેની રહી છે. આ વાત કેમીય ભાવના વધારવા લખી નથી. મુદ્દો એટલું જ બતાવવાને છે કે વચગાળને વેપારઆડતીયા જે કે કમીશન એજન્ટને મળતું વ્યાપાર ખસી જતાં વખત લાગતું નથી. બીજા અનેક વ્યાપારનું અને અનેક સ્થળોનું આ પ્રમાણે બતાવી શકાય તેમ છે, પણ તે તે વ્યાપારને વિષય લઈને બેસીએ ત્યારે શકય છે. અત્યારે તો ઉત્પત્તિ વ્યાપારને અંગે ક્ષેત્રે પ્રથમથી હાથ કરવાની બાબત ઉપર લક્ષ્ય છે તે પૂરતું નવયુગની નજરે ધ્યાન ખેંચવામાં આવે છે. નવયુગમાં ખેતીવાડીને મોટા પાયા ઉપર જૈને ઉપાડશે. મોટા ખેતરે, નવાં યંત્ર, પાણીની સગવડ, ખાતરની વિપુલતા અને ખેતીખાતાને વૈજ્ઞાનિક અભ્યાસ કરી અનેક જૈને આ ખેતીપ્રધાન દેશનાં બાગબગીચા અને ખેતીનું કામ કરશે. તે ઉપરાંત મીલેની વાત તે જાણતી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ - -- નવયુગને જૈન છે. રંગની ઉત્પત્તિ, રસાયણોની ઉત્પત્તિ, અને એથી અનેક મોટા પાયા ઉપરની ઉત્પત્તિથી સાબુ રમકડાં જેવી નાનીનાની ચીજો ઉપર પણ એ પહોંચી જશે. આ સંબંધમાં આરંભ સમારંભના વિચારમાં મેટ ફેરફાર થશે અને જૈને મોટી જવાદારીઓને પહોંચી વળવા અને સમાજમાં સ્થાન જાળવી રાખવા અપવાદને માર્ગ પણ સ્વીકારશે. ઉત્પત્તિનાં ક્ષેત્રોની-વ્યાપારની કે તેની પદ્ધતિની વિગતે અત્ર સ્થળ સંકોચથી આપી નથી. એ સર્વમાં જે મુદ્દો કામ કરશે તેની ચર્ચા નવયુગની નજરે થઈ છે. વ્યાપારી કેળવણી નવયુગ વ્યાપારી કેળવણી તરફ ખાસ ધ્યાન આપશે. એની નજરમાં વ્યાપારનાં ક્ષેત્રમાં ચાલતી સખત હરીફાઈને પહોંચવાના પ્રશ્નને નિકાલ વ્યાપારી શિક્ષણમાં આવશે. એક મહાપ્રયાસે મીલનો ઉદ્યોગ જમાવનારને છોકરે બાપની ગાદી પર બેસતાં પહેલાં નાના કારકુનની જગ્યાથી માંડી ખરીદી ખાતાં, વેચવાનાં ખાતાં, યંત્રોનું જ્ઞાન આદિ અનેક અભ્યાસમાંથી પસાર થવો જોઈએ. આ અગત્યની બાબત વીસરી જવાથી અનેક ધંધાઓ ખોઈ બેઠા છીએ. ઉત્તરોત્તર ચાલ્યો આવતે બંધ કરનારને તે બહુદેશીય શિક્ષણ જરૂર મળવું જોઈએ. એને કાગળની પ્રેસપી સુદ્ધાં હાથે કાઢતાં આવડવી જોઈએ, નહિ તે કઈ અટીકટીના પ્રસંગે સિપાઈ કે કારકુન હાજર ન હોય તે કામ અટકી પડે. સર્વથી શરૂઆતમાં જરૂરી સામાન્ય જ્ઞાન તે માનસિક વિકાસ માટે જોઈએ. ભાષા મારફત કે પરભાષા મારફત અત્યારે મેટ્રીક્યુલેશન સુધીને અભ્યાસ ગણાય છે તેટલા પૂરતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ~ ~ અભ્યાસ તે જરૂર હોવો જોઈએ, પણ ત્યાર પછી ખાસ જ્ઞાન વ્યાપારી લાઈનનું આપવું જોઈએ. વ્યાપારી લાઈનમાં કેટલાક સર્વ સામાન્ય પ્રશ્ન છે તેનું સામાન્ય જ્ઞાન પ્રથમ મળવું જોઈએ. દાખલા તરીકે સોદા કેમ થાય, તેમાં માગણી અને સ્વીકાર, વેચાણના નિયમો, આડતના સવાલ, ભાગીદારીના પ્રશ્નો, ખોળાધરીના સવાલ, સોદા કયારે રદ થાય, શામાટે રદ થાય, જાહેરનીતિને સદાઓ સાથે સબંધ, સટ્ટો અને જુગાર આદિ પ્રત્યેક વ્યાપારીએ જાણવા જ જોઈએ. વિમા પૈકી જીંદગીને, દરિયાના જોખમને, આગપાણીના જોખમને પ્રશ્ન મુદ્દામ વિગતવાર સમજે જોઈએ. એ ઉપરાંત અર્થશાસ્ત્ર રાજદ્વારી નજરે અને આંતરરાષ્ટ્રીય નજરે, સ્વરાષ્ટ્રને અંગે અને પરરાષ્ટ્રને અંગે, તેની ઉત્પત્તિ વહેંચણી અને વપરાશના અનેક સવાલ, ભાવ-મૂલ્યને અંગે જરૂરીઆત અને પૂરના સવાલ, જમીન, મજૂરી અને નાણાને પરસ્પર સંબંધ આદિ અનેક પ્રશ્નો વિગતવાર ખાસ જાણવા જોઈએ અને નાણાની લેવડદેવડને પ્રશ્ન બહુ બારીકીથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દષ્ટિબિંદુઓથી સમજવો જોઈએ. એ ઉપરાંત હિસાબ રાખવાની પદ્ધતિ, વ્યાજ ગણવાની રીતિ, હવાલાની રીતિ, સરવૈયાની પદ્ધતિ તેનાં મૂળ તો સાથે સમજવી ઘટે અને તેમાં દેશી નામાની રીતિ અને પાશ્ચાત્ય પદ્ધતિના અભ્યાસ સાથે તે બન્ને વચ્ચેના તફાવત અને તેનાં કારણો તથા પરિણામો આવડવાં જોઈએ આટલી સામાન્ય વ્યાપારી કેળવણી મળ્યા પછી પિતાને જે લાઈન લેવાની ઈચ્છા હોય તેની વિગતમાં ઉતારી તેને અભ્યાસ કર જોઈએ અને સાથે તે અભ્યાસમાં આવેલા સિદ્ધાન્તને વ્યવહાફ ઉપયોગ કેમ અને કેવી રીતે થાય છે તે જાતે જોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નવયુગને જૈન * * * * * * * * - - - • • - • • દાખલા તરીકે રૂને વ્યાપાર કરનારે એની ઉત્પત્તિનાં સ્થાનોની ભૂગોળ, એ પ્રત્યેકમાં થતા રૂના પ્રકાર, એ રૂની જાતેની વિવિધતા, એની હાથપરીક્ષા, વેચવાનાં ક્ષેત્રે, તેની ભૂગોળ, તેને ખપ અને આ સર્વ સંબંધી અનેક વર્ષોના આંકડાઓ, પાક પર હવાની અસર, પાકમાં થતી જીવાત આદિ અનેકાનેક બાબતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે જાણવી જોઈએ. એ ઉપરાંત ઘરાકને સમજાવવાની રીત, વ્યાપારની જુદી જુદી પદ્ધતિઓ, નાણાંની જોગવાઈને વ્યાપાર સાથે સંબંધ, આબરૂ (ક્રેડિટ) જાળવવાની–વધારવાની રીતિઓ, ગૂંચવણ વખતે - રસ્તા કરવાની બારીકીઓ અને મીઠાશથી મુદ્દાસર હસીને વાત કરવાની આવડત પર ખૂબ અભ્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે એક વ્યાપારી થઈ શકે. વ્યાપારી થવું એટલે કેાઈ જાતની તૈયારી વગર ગાદી ઉપર બેસી જવાથી વ્યાપારી થવાતું નથી. આવડત અને અભ્યાસ વગર લાખની પૂજી શૈડાં વર્ષમાં બેઈ બેસવાના અનેક દાખલાઓ બની ચૂકેલા છે અને હરિફાઈના આ યુગમાં કોઈ મહેરબાની કરીને ખટાવી જશે એ આશા રાખવી નિરર્થક છે. અત્યારે તે લેકેને જોઈએ તે ચીજો પૂરી પાડવાની તાલીમ, જનસ્વભાવને અભ્યાસ અને વિજ્ઞાનનું પિતાના ધંધા પૂરતું જ્ઞાન હેય તે જ નભી શકાય તેવું છે. આ સર્વ વાત નવયુગ જોઈ જાણી વ્યાપારી કેળવણી માટે અનેક દિશાએ યોજના અને અમલ કરશે, સારા વ્યાપારી પાસે ઉમેદવારને અભ્યાસ કરવા મૂકશે, રાત્રિશાળાઓ કાઢી ત્યાં નાણવિષયક દક્ષે આર્થિક વિષયમાં ભાષણ અપાવશે, હિસાબી શાન માટે રાત્રિશાળાની દેશી અને પાશ્ચાત્ય બને રીતિને અંગે વ્યવસ્થા કરશે અને પારિભાષિક વિષયોને અંગે વ્યાપારી મહાવિદ્યાલયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ૨૮૧ પરદેશ મોકલી અભ્યાસ કરાવવાની અને દરેક વિષયમાં વિશિષ્ટ વ્યવહારૂ અભ્યાસીઓને બહાર પડવાની ગઠવણ કરી આપશે. વ્યાપારને અંગે કેળવણી આપવાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એમાં સર્વ દક્ષ ન થઈ શકે એ વાત નવયુગના ધ્યાનમાં રહેશે. ઓછી વધતી આવડત અને શક્તિ પ્રમાણે વ્યાપારી વિષયનું સામાન્ય જ્ઞાન તે વ્યાપારમાં પડનારે લેવું જ પડશે. હવે કાંઈ સોળ આંક, કકકો, બારાક્ષરી, નામાં ને હિસાબ આવડ્યાં એટલે નભી જવાનો સમય રહી શકે તેમ નથી અને માત્ર સોધે ભાવે ખરીદવું અને મેંધે ભાવે વેચવું એટલા સાધારણ જ્ઞાનભંડોળે ચાલી જાય તે વખત નથી. વ્યાપારી કેળવણી અનિવાર્ય છે અને કેમે અથવા સમાજે વ્યાપાર ઉપર કાબૂ રાખવો અને વધારવો હેય તે કેળવણું લીધે જ છૂટકે છે. વિશેષ મેટા વ્યાપારને અંગે પદાર્થવિજ્ઞાન અને ઈજનેરી જ્ઞાનની પણ જરૂરિયાત રહેવાની છે. અન્ય દેશોની વ્યાપારપદ્ધતિ ઘણી સમજવા યોગ્ય છે. મોટા પાયા ઉપર વ્યવસ્થાસર વ્યાપારી બંધારણે કેવાં થઈ શકે છે તેને અભ્યાસ કરી આપણા દેશની જરૂરિયાત અને હવાપાણીને અંગે યોગ્ય ફેરફાર સાથે તેની મિલાવટ કરવાની જરૂર છે. સમૂહવ્યાપાર (સિન્ડીકેટ), નાણાંનું રોકાણ સહકારી બંધારણ આદિ અનેક બાબતોને અભ્યાસ કરવાની અને અભ્યાસને અમલ કરવામાં વિશાળ અનુભવ અને વ્યવહારદક્ષતા બતાવવાની જરૂર છે. એ સર્વ નવયુગે કરવાનું છે, નજીક આણવાનું છે અને અમલમાં મૂકવાનું છે. આ કાર્ય નવયુગ બહુ સાવધાનીથી, આસાનીથી અને કુશળતાથી બરાબર પાર પાડશે અને પ્રત્યેક શાખા, પ્રશાખા અને ઉપશાખા માટે સાધને જશે અને એ બાબતમાં ખરી કુશળતા અને દીર્ધદર્શિતા દાખવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧ નવયુગના જૈન વ્યાપારનાં ક્ષેત્રો અને પદ્ધતિ નવયુગ વ્યાપારનાં કયાં ક્ષેત્રા ઉપર ધ્યાન વધારે આપશે તેના નિર્ણય કરવાની જરૂર નથી. પણ એ જ્યાં લાભ દેખાશે ત્યાં માથુ મારશે. વ્યાપારનાં ક્ષેત્રને અંગે કયા ધેારણે કામ લેશે અને શું શું નહિ કરે તે બાબત ખાસ ધ્યાન આપવા યોગ્ય હોઈ તેના થોડા મુદ્દા હકારાત્મક અને નકારાત્મક નવયુગની નજરે એઈ જઈ એ. નવયુગ સાહસિક થશે. એને વ્યાપાર નિમિત્તે પરદેશ ખેડવામાં જરા પણ સંકોચ આ નહિ આવે. નવયુગ મોટા પાયા પર વ્યાપાર કરવા માટે સમૂહપતિ અને સહકારપતિના સ્વીકાર કરશે. નવયુગ પ્રમાણિકપણે વ્યાપાર કરવામાં ધરાકી વ્યાપાર વધે છે અને લાંખે પાયે સ્થાયી લાભ થાય છે સમજી તેના હલેાક પલાકની નજરે સ્વીકાર કરશે. જામે છે, તે વાત નવયુગ ઘેાડા નફેા કરવાથી વધારે ધરાકી જામે છે એ વાત સમજી થોડા નાથી સંતાષ પામશે અને વ્યાપાર વધારી ‘ખારના બમણા'ની નીતિ ન રાખતાં પ્રાચીનકાળની ‘ લાખની પાણ 'ની નીતિ સ્વીકારશે. ' ભાગીદારી, સમૂહવ્યાપાર અને અનેક સ્થાને વ્યાપાર કરવાની માટી યોજનાઓ એ કરશે. નવયુગ મોટા વ્યાજ ખાવાની ‘સાવકારી' નહિ કરે. એ ધંધાને એ ચુસણી કરનાર અને અન્યના તિરસ્કાર વહેારી લેનાર ગણુશે. નવયુગના મહાચ્યાર...ભ અને કર્માદાનના વિચારો નરમ પડશે. એ બનતા ઉપયાગ રાખશે જીવરક્ષા યથાવિત્ કરો, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું ૨૮૩ mmmmm ધંધાને અંગે મિલ કરતાં, રંગનું કારખાનું કરતાં એ મુંઝાશે નહિ. એ કઈ નવીન પ્રકારે પિતાની જાતને સમજાવી લેશે. નવયુગમાં કુટુંબભાવના મંદ પડશે, વ્યક્તિવાદ વધી પડશે અને તેથી તે ભાગીદારી કરશે, પણ કુટુંબના આળસુઓને પિષનારા વ્યાપારની પદ્ધતિ નહિ સ્વીકારે. જે વ્યાપાર કરશે તે પૂરતી હકમતથી, આવડતથી, જેમથી, આંકડાઓના અભ્યાસથી, ગણતરીથી અને મન લગાડીને કરશે અને ગભરાઈ જશે નહિ, મુંઝાઈ જશે નહિ અથવા એકને એક સ્થાને પડી રહી રડ્યા કરશે નહિ. “ફરે તે ચરે' એ ન્યાયે કામ લેશે. છેતરપીંડી, દંભ કે બેટા હિસાબ, ઘરાકને ઊંધુંચતું સમજાવવું, ઇરાદાપૂર્વક પેટા દસ્તાવેજ કરવા–આવી બાબતે નવયુગ નહિ કરે, પણ તેને બદલે કુશાગ્રબુદ્ધિથી ઘરાકની જરૂરિયાતને અભ્યાસ કરી માલ પૂરો પાડવા–બનાવવા તે ગોઠવણ કરશે. ઉપરની સર્વ બાબતે એકંદરે સમજવી. કોઈ કાળાં મેઢાં પણ નીકળશે, પણ તેના ટકા બહુ જૂજ રહેશે. દીવાળું કાઢવું અને મરવું બરાબર ગણવામાં આવશે અને નેક આબરૂ માટે ખાસ ચીવટ રાખવામાં આવશે. ધનિકવર્ગ અને ગરીબ વચ્ચે અંતર છે તેથી પણ વધારે બનશે પણ ધનવાન થવાની તક સર્વને મળશે અને વ્યવહારૂ અભ્યાસવાળે અને વધારે ફાવશે, જ્યારે બાપદાદાની મૂંછ ઉપર તાગડધિન્ના કરનારા બહુ થોડા વખતમાં પાછા પડી જશે. નાણાના રોકાણને સવાલ નવયુગમાં ખૂબ અગત્યને બનશે અને તેને અંગે આવડત વગરના ધનવાનના નબીરાઓને ગરીબ અથવા તદન સામાન્ય કે મધ્યમ થઈ જતાં વખત નહિ લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ,, , , , , , , , , નવયુગને જૈન વ્યાપારની પદ્ધતિઓને અંગે ખાસ નવી બાબત એ થશે કે ધનવાને તરફ શ્રમજીવીને અણરાગ વધારે મક્કમ બનતે જશે. હિંદમાં રશિયા જેવી સ્થિતિ નહિ થાય, ધનવાનેને દરજે તદ્દન ઉતરી નહિ જાય, પણ અંતર તે અત્યારે છે તેથી સહજ વધશે. એમાં જરા આશ્વાસન લેવા લાયક હકીકત માત્ર એક જ રહેશે અને તે એ કે ધનવાને પિતાના ધનનો એક ભાગ શ્રમજીવીની કેળવણી અને ઉન્નતિમાં વાપરવાની પોતાની ફરજ સમજશે. અહીં સમાજવાદ તે ચાલી રહેલે જ છે, પણ તે હિંદભૂમિને અનુકૂળ છે. તેની અને પાશ્ચાત્ય પદ્ધતિ વચ્ચે સામ્ય નહિ થઈ શકે. હિંદમાં નૈતિકવાદ (philosophical anarchism)ની પ્રવૃત્તિ વધતી જશે. ધનવાનું રહેશે તે ખરા, પણ સમાજમાં શ્રમજીવીનું સ્થાન ઉન્નત બનશે. એને મેટો આંચકે પરિવર્તનકાળ પૂરો થતા આવશે. અત્યારે તેનાં વાજાં વાગી રહ્યાં છે. નવયુગ ધર્મભાવનાથી આ સર્વને પ્રતિકાર કરશે, પણ ધનવાનને એમાં ઘણા ફેરફાર જોવા અનુભવવા પડશે. અહીં આપણે સટ્ટાના વ્યાપારને પ્રશ્ન નવયુગની નજરે ચર્ચા એ. સો સદાના પ્રથમ બે વિભાગ છે. એકમાં માલની લેવડદેવડનો દેખાવ કરવા પૂરતી પણ શરત હોય છે અને બીજો ચોખ્ખો જુગાર. જેમાં માલ લેવાદેવાની શરત હોય છે તે રૂના વાયદાને વ્યાપાર, અળસી–એરંડાના વાયદાને વ્યાપાર, સોનાચાંદીના વાયદાના સોદા, કોઈ વખત કપૂર જેવી ચીજના, કપાસના પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ સુ વાયદા નીકળે છે. આવી શરતમાં વાયદાની મિતિએ માલ લેવા વ્યાપાર કરનારા હજારે। લાખેા ગાંસડી દેવાની શરત હાય છે. અથવા ટનના વ્યાપાર કરે છે, પણ મિતિ આવવા પહેલાં સાદા સરખા કરી નાખે છે. માલની ડીલીવરી આપવાની એને સગવડ પણ હાતી નથી, તેની પાસે તેટલું નાણું પણ હેાતું નથી અને માલ ભરવાનાં ગોડાઉન પણ હેાતાં નથી. એમાં સાદા કરનાર કરાવનારને ઇરાદો બજારની વધધટના લાભ લઈ નફે તારવવાને હાય છે, પણ કાયદાની ચુંગાલમાંથી બચવા માટે માલ લેવાદેવાની શરત દાખલ કરેલી હાય છે. આને પ્રથમ પ્રકારના સટ્ટો ગણવામાં આવે છે. ખીજા પ્રકારમાં ચોખ્ખા અને ઉઘાડે! જુગાર હાય છે. દર અઠવાડિયે કાચી ખાંડીનેા ધંધા થાય છે અથવા આંકકરકના જુગાર રમાય છે તેમાં દરરાજ મુંબઈ જેવા એક શહેરમાં લાખા રૂપિયાની હેરફેર થાય છે. અમેરિકાના ન્યુયાર્કમાં વાયદાના સાદાના એક રતલ રૂના ભાવની વધધટના દોકડાના આંકડા ઉપર હિંદુસ્તાનના લાકા દરાજ લાખા રૂપિયાને જુગાર રમે છે. આની આખી વિગત આપતાં તે પાનાં ભરાય તેમ છે, પણ તે ચેાખ્ખા જુગાર જ છે. એ ઉપરાંત ઘેાડાની શરતામાં અમુક ધાડા પહેલા ( વીન ) આવશે કે ખીજો ત્રીજો (પ્લેસ) આવશે તે પર ત્રણ મહિના સુધી દર શનિવારે અથવા રજાના દિવસેાએ લાખા રૂપિયાના જુગાર માય છે. ૧૯૮૫ આ ઉપરાંત પાનાંને જુગાર, વરસાદને જુગાર આદિ અનેક પ્રકારના જુગાર રમાય છે. વિટારિયા ગાડીના નંબર એકી આવશે કે ખેકી તેના ઉપર શરતા બકાય છે. આ સર્વ જુગાર છે. કમનસીબની વાત એવી બની છે કે અત્યારના જમાના એક મોટા ભાગ આ બન્ને પ્રકારના સટ્ટાના માર્ગે ચઢી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ નવયુગને જૈન ઉપર જણાવેલા પ્રથમ પ્રકારના વાયદાના સદામાં શેર અને નટના વાયદાના સદાઓને પણ સમાવેશ થઈ જાય છે. નવયુગ આ સર્વ પ્રકારના સટ્ટા અથવા જુગારને દેશના હિતની ખાતર, શ્રમજીવીઓના લાભની ખાતર અને ભયંકર લતમાંથી બચાવવા ખાતર એકી અવાજે બંધ કરી દેશે. અત્યારે કેટલાક તેને વ્યાપારના હિતની નજરે બચાવ પણ કરે છે અને કાયદા ખાસ કરીને સદાને અનુકૂળ છે. જુગાર પૈકી ઘણાખરા ગેરકાયદેસર છે, પણ ઘોડાની શરતને હિંદના દુર્ભાગ્યે કાયદેસર ઠરાવેલ જુગાર ગણવામાં આવ્યો છે. આનાથી અનેક આપઘાત, નિસાસાઓ અને તેફાને થયાં છે, થાય છે અને માણસની સ્થિતિ વિના કારણે પલટાઈ જાય છે. સેએ એકાદ માણસ અન્યનાં લેહી ચૂસી ધનવાન બને છે પણ રમનારાની નજર તેના ઉપર જ રહે છે એટલે ભારે મેટી ભૂલ થાય છે. - આ વ્યાધિમાં જૈન કેમ ખૂબ સપડાયેલી અને સંડેવાયેલી હેઈ તેને આ બાબત પર સર્વથી વધારે ધ્યાન આપવું પડશે. આ સદો કે જુગાર રમનાર વ્યાપારી કેમ કહેવાય તે પણ નવયુગના ધ્યાનમાં નહિ ઉતરે. આવા સટ્ટો કરનારને સમાજમાં સ્થાન હોવું ન ઘટે, એવાના હાથમાં મોટાં ટ્રસ્ટોને વહીવટ કદી સોંપી શકાય નહિ અને તેવાઓ ઉપર કઈ જાતની સ્થિરતાની આશા રાખી શકાય નહિ. આ સંબંધમાં કાયદાની મદદ લઈ સર્વ પ્રકારના વાયદાના સોદા બંધ કરાવવામાં આવશે અને તેમ કરવામાં કદાચ અમુક વ્યાપારને સહન કરવું પડશે તે સમાજ સહી લેશે, પણ અત્યારે ચાલે છે તેવી સદા ખેલવાની સગવડ નવયુગ કદી નહિ આપે અને છતાં કઈ વગર મહેનતે વગરપરસેવે માત્ર બજારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ - પ્રકરણ ર૧ મું વધઘટથી ધનવાન થવા માગતા હશે તે તેમને સમાજ પોતાના અંગના નહિ ગણે. આ આખી હકીકત સદા અને જુગાર બન્ને પ્રકારને લાગુ પડે છે. આર્થિક દષ્ટિએ એવા વ્યાપાર પર ગુજરાન કરનાર દેશના દ્રવ્યમાં વધારે કરનારા ન હોઈ અને એમાંથી આળસ, વ્યસન અને બેદરકારીપણું વધવાનાં અનેક ઉદાહરણ હોઈ એને જરા વખત ચાલુ રાખવામાં હિંદની ગરીબ પ્રજા પર નકામે બે ગણાશે અને દેશને વહીવટ હાથમાં આવતાં આ સમાજ આવા ભયંકર જીવનસાધનો પર છીણી મૂકશે અને તે કાર્ય કરવામાં, તેની હીલચાલ કરવામાં અને તે અનુસાર નવીન કાયદા કરાવવામાં નવયુગની જૈન પ્રજા અગ્રેસર ભાગ ભજવશે. એમ કરવા જતાં એવી આડત દલાલી કરનારા અનેક જન અથવા જૈને રખડી જશે એવો વિચાર નવયુગ નહિ કરે, પણ દેશ પરનો મહાઅનર્થકારક બોજો હટાવી દેવાનું પુણ્ય હાંસલ કરવાની તકને પૂરે ઉપયોગ પોતે કરે છે એમ નવયુગ માનશે. આ સટ્ટાને વ્યાપાર જેને ખોટી રીતે “વ્યાપાર' કહેવામાં આવે છે તેની સાથે આવતા માલના સોદાને ઘૂંચવી નાખવા નહિ. કેટલાક માલને આવતાં જ વખત લાગે છે, તેના સોદામાં સટ્ટાનું સહજ તો તે રહે છે, પણ એની કક્ષા જૂદી છે. પરદેશી માલ ન લેવાના ખ્યાલને અંગે આવા સદા ઉપર અંકુશ પડશે તે વળી જૂદો જ સવાલ છે, પણ એને સદા કે જુગારની કક્ષામાં મૂકવામાં આવશે નહિ. આવા આવતા માલના સોદામાં પણ ખાંડના ધંધામાં અનેક લેકે પાયમાલ થઈ ગયા છે અને જૈન કેમ તે હતાશ થઈ ગઈ છે. એ સર્વ બાબત ધ્યાનમાં લઈ તેના ઉપર પણ નવયુગ અંકુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૮ નવયુગને જૈન -~-~-~ ~ મૂકશે. વ્યાપાર જ્યાં સુધી વેપારની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેમાંથી જરૂરી લાભો ગેરલાભો થાય છે, પણ જ્યાં તેમાં સટ્ટાનું તત્ત્વ દાખલ થાય છે ત્યાં એ વેપાર મટી જાય છે. નવયુગનું ધ્યાન તે આર્થિક નજરે “ઉત્પત્તિ' તરફ વધારે રહેશે. એ વચગાળેના નફા રદ કરવા પ્રયત્ન કરશે, ત્યાં બજારની વધઘટનો લાભ લેનારા સટ્ટો કરનારને કોઈપણ પ્રકારને લાભ લેવા દે એ આર્થિક નજરે અસંભવિત વાત છે, શ્રમજીવીની નજરે ભયંકર વાત છે અને સમાજવ્યવસ્થાના ધોરણે એક પણ દિવસ ન ચલાવી લેવા યોગ્ય વાત છે. ખાસ જરૂરી પ્રસંગમાં તૈયાર માલ લેવાનો હોય તેવા પ્રમાણિક સોદાઓના સંબંધમાં પણ ઘટતે. અંકુશ તે જરૂર મૂકવામાં આવશે, પણ તે ઉપરાંત સદ્દો કે જુગાર કોઈ પણ આકારમાં હિંદમાં તો ન જ જોઈએ એમ નવયુગ ઠરાવશે અને તેની સામે સ્વાર્થને અંગે બુમો પાડશે તે ઉપર ધ્યાન આપ્યા વગર સમાજ એ કામ આટોપી લેશે અને સટ્ટાને અને જુગારને મૂળથી હાંકી કાઢશે. તે ધંધો કરનારને કઈ પ્રમાણિક ઉદરનિર્વાહનું સાધન શોધવું પડશે. પ્રકીર્ણ વ્યાપારના અનેક પ્રશ્નને અંગે નવયુગને બહુ વિચાર કરે પડશે. નવયુગને વ્યાપાર એક પરગણા કે હિંદમાં મર્યાદિત થવાને ન હોઈને અનેક આર્થિક અને તેને ઉકેલવા પડશે, આખી દુનિયાના આર્થિક પ્રશ્નને બારીક અભ્યાસ કરવો પડશે, નાણાપ્રકરણી સવાલે, નાણું મોકલવાને દર (રેટ ઑફ એકસચેંજ), સોનાનો નાણું સાથે સંબંધ વગેરે તથા ઉત્પત્તિ વહેચણી અને વપરાશના અનેક સવાલો આવી પડશે. એ સર્વને નિકાલ તે પૂરા અભ્યાસથી કરશે અને હિંદ જેવા કુદરતની કૃપાવાળા દેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧મ એ ભારે આબાદ કરશે. એ પેાતાના દેશના આર્થિક પ્રશ્ના પોતાના હાથમાં લેશે, એમાં પરરાજ્ય કે પરદેશીઓની દરમિયાન ગીરીને એ દૂર કરશે અને ઔદ્યોગિક પરિસ્થિતિનાં હલકાં તત્ત્વા દેશમાં દાખલ થવા ન દેતાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય સમાજવાદનું સંમિશ્રણ બનાવી એ હિંદુ માટે ભારે આશ્ચર્યકારક આર્થિક ઘટના ઊભી કરશે. ૨૦૯ એ પ્રમાણે કરવા માટે એને રાજદ્વારી બાબતમાં ભાગ લેવા પડશે. તેને અંગે આર્થિક સ્વરાજ્ય પ્રાપ્ત કરવું પડશે અને તેને માટે ભાગે પણ આપવા પડશે. એ સર્વ ધટના રાજ્યદ્વારી સ્થિતિમાં વિચારશું. અહીં તે વ્યાપારી કામે વ્યાપારની સ્થિતિ જાળવી રાખવા શું શું કરવું પડશે તે વ્યાપારી નજરે જોઈ જઈએ છીએ તે લક્ષ્યમાં રાખવું. અત્યારે જૈન ક્રામના હાથમાં જે ધંધા છે તે સર્વ લગભગ ચાલ્યા જશે, પણ એની વ્યાપારને અંગે જોઈતી હિસાબ ગણવાની આવડત સાહસ અને વ્યાપારની ધૂન તેનામાંથી જશે નહિ. નવા સંયોગાને તાખે થઈ વ્યાપારનાં નવાં ક્ષેત્રા અને નવી પદ્ધતિમાં એ સાહસથી ઝંપલાવશે. અત્યારે ગામડામાં શાહુકારી ણે ભાગે જૈતાના હાથમાં છે તે સહકારી સમિતિઓને અંગે નાશ પામી જશે, પણ શરાફી વ્યાપાર જૈના તદ્દન નવીન પદ્ધતિએ વધારે ખીલવી શકશે. વહેંચણીના ધંધા ઓછા થઈ જશે અને તેમાં કસ પણ નામને થઈ જશે, પણ તે જ વખતે ઉત્પત્તિનાં ક્ષેત્રા અનેક પ્રકારનાં ઉધડશે અને ત્યાં નવયુગ પ્રવેશ કરી દેશે. એને માટે શિક્ષણુ જોઈતું ધન આદિ અનેક નાની મોટી વ્યવસ્થા નવયુગ આગળ પડીને કરશે અને તેમાં તે અગ્રભાગ લઈ જૈનનું વ્યાપારમાં અગ્રસ્થાન જાળવી રાખશે, ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ - -- - - - - - ૨૯૦ નવયુગને જૈન એમાં એણે બે વાત ખાસ કરવી પડશે. એક તે એણે પ્રમાણિકપણું ખાસ કેળવવું પડશે અને “વણિક તેહનું નામ, જેહ જૂઠું નવ બોલે” વગેરે કાવ્યમાં અમર થઈ ગયેલ વણિકત્વને તેણે સાર્થ કરવું પડશે. નવયુગને નૈતિક વિકાસ એ માર્ગે બરાબર થશે. એ સંબંધમાં વચગાળના વખતમાં જે શિથિલતા આવી ગઈ છે તે નવયુગ સીધા ઉપચાર અને પ્રયોગથી દૂર કરશે. અને બીજી બાબત એણે લાભ ઓછો કરવો પડશે. મારવાડીઓ મેટાં વ્યાજ લે છે તે પ્રથા દૂર કરવી પડશે અને વ્યાપારી દષ્ટિ ખીલવવી પડશે. વ્યાપારી દષ્ટિ એ છે કે ટૂંક કળિયે વધારે જમી શકાય છે. ઓછે નફે લેવાના પ્રબંધથી વ્યાપાર વધારે થાય છે અને નફાના ટકા ઓછા આવે પણ સરવાળે આવકની રકમ મોટી થાય છે. એ ઉપરાંત પ્રમાણિકપણે અને ઓછે નફે કામ કરનાર ઘરાકી જમાવી શકે છે અને ઘરાકી વાળવાની કળા વણિકમાં સ્વાભાવિક હોય છે તે ઉપરનાં બે સૂત્રો દ્વારા વધારે કેળવી લાંબી નજરે કામ લેવાનું શીખશે. કેટલીક મળેલી તકે વચગાળના કાળમાં લેભને વશ થઈને ગુમાવી છે તે નવયુગને માર્ગદર્શક થઈ પડશે. બંગભંગ વખતે સ્વદેશીને જુવાળ ઉછળ્યો ત્યારે કેટલાક વેપારીઓ ભારેભાર મેળ માલમાં ભરીને “ધુએ એટલે રૂએ” એવી સ્થિતિ ઊભી કરવાને પરિણામે છેડે વખત જરા ન કરી શક્યા, પણ ચાલુ ઘરાકી ઈ બેઠા અને આવતા પ્રવાહને વાળવાને લીધે માર્ગ લઈ શક્યા નહિ. એવી સ્કૂલના નવયુગ નહિ કરે. એની નજર પિતાના નફા પર નહિ રહે, પણ હેત્રી ફર્ડની માફક માલ વાપરનારની સગવડ કેમ જોવી એ દષ્ટિબિંદુ રહેશે અને પરિણામે સરવાળે નફો પણ ઘણે થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૨૧મું રજ હિસાબ નામાની કુશળતા, બજારે પસંદ કરવામાં વ્યવહારૂતા, ઘરાકને રીઝવવાની કળા અને બજારેનો અભ્યાસ કરવાની ગણતરીની કળાને વારસે નવયુગ મેળવશે અને તેને ઉપયોગ ઉત્પત્તિના ક્ષેત્રમાં પણ સારી રીતે કરશે. વચગાળના વખતમાં બીન આવડત અનભ્યાસ અને પ્રમાદથી જે સ્થાન ગુમાવવા માંડયું છે તે પુનઃ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય નવયુગને મળશે. વ્યાપારમાં આર્થિક પ્રશ્નમાં, નાણાના વિષયમાં, બજારેના અભ્યાસમાં મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં, મોટા ખાતાઓ ચલાવવામાં, છે ખરચે વહીવટ ચલાવવામાં અને નાણાના હિસાબ સરવૈયા નવીન ધરણે રાખવાની બાબતમાં અનેક નિષ્ણાત-દક્ષે નીકળી આવશે અને તેઓ સમાજને તદ્દન નવા ધોરણ પર સુવ્યવસ્થિત કરશે. વ્યાપારમાંથી સદા કે જુગારનું તત્ત્વ બીલકુલ કાઢી નાખશે, વાયદાના તૈયાર માલના પ્રમાણિક સદા પણ જરૂર પૂરતા જ કરશે, પણ ભાવના ફેરફાર કરી વહેંચણીને બદલે ઉત્પત્તિને ઝોક આપી અને પ્રમાણિકપણાને આશ્રય કરી છે નકે કામ કરવાને વ્યવહારમાર્ગ લઈ વ્યાપારને અનેક દિશાએ નવયુગ ખીલવશે, વધારશે અને આજે ન કલ્પી શકાય તેવા સાહસે ખેડશે. સાહસ વ્યાપારને અંગે સાહસના પ્રકારે લખવાની કે તેની પદ્ધતિઓ વર્ણવવાની ભાગ્યેજ જરૂર હોય. દૂર દેશ ખેડવા, ત્યાંની બજારેને અભ્યાસ કરે, ત્યાં વેપારની કેઠી (પેઢી) નાખવી એ તે એનું પ્રકટ સ્વરૂપ છે. તે ઉપરાંત વ્યાપારના અભ્યાસ માટે દૂર દેશ અભ્યાસીઓને મોકલવા, મેટા પાયા ઉપર વ્યાપારને અંગે ઉત્પત્તિ કરવી અને ખાસ કરીને મેટાં ખાતાંઓ ચલાવવાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન - - - - - સર્વ સાહસના પ્રકાર છે. પુરાણકાળથી જાવાસુમાત્રા જવાના સાહસે વણિકપુ કરતા હતા. નવયુગમાં તેના પ્રકારે ફરશે પણ એને પ્રેરનાર સાહસવૃત્તિ દૂરદર્શિતા અને સફરને મોહ એ સર્વ આગળ આવશે. હવે પછી જે વાત થવાની એમાં ગણતરી, અભ્યાસ અને દીર્ઘ નજરને ખાસ સ્થાન મળશે અને તેથી વ્યાપારના લાભ સાથે આનુષંગિક લામે ઘણુ થશે. જગતભરમાં શાંતિ અને અહિંસાના સંદેશા આ વ્યાપારીઓ વહેવાર રીતે પહોંચાડશે, સ્થાને સ્થાને શાંત ભાવનાના પ્રરૂપક પરમાત્માના સ્થાને બિરાજમાન કરશે અને વિશ્વબંધુત્વ ખીલવવા દ્વારા પોતાનો વ્યાપાર પણ આગળ વધારશે, ધપાવશે અને આગળ આણશે. વ્યાપારી બાબતના મુખ્ય મુદ્દા જ નવયુગની દષ્ટિએ અત્ર ચર્ચા છે. પ્રત્યેક ધંધાની વિગતમાં ઉતરવું અશક્ય છે. પણ ઉપરનું ધારણ લક્ષ્યમાં રાખી નવયુગનું નિશાન નિર્ધારાશે એટલું કહેવું પ્રસ્તુત અને પૂરતું ગણવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મુ કેળવણી નવયુગની રચનાને મુખ્ય પાયા કેળવણી ઉપર રચાશે. તે કેળવણીની બાબતેને સથી વધારે મહત્ત્વ આપશે. કેળવણીના પ્રતાપે જ પ્રકાશ પ્રાપ્ત થાય તેમ છે તેમ નવયુગ માનશે અને એની સ` કા` પદ્ધતિમાં કેળવણીને અગ્રસ્થાન મળશે. કેળવણીના વિષય આખી ચર્ચામાં એતપ્રેાત થયેલા છે છતાં તે વિષયની મહત્તાને લઈને એ વિષયને સીધા ચવાની જરૂર લાગી છે. બાકી તો નવયુગના જૈન એટલે કેળવણીના બાળ, કેળવણીનું ફળ, કેળવણીનું પરિણામ અને કેળવણીના ઉપાસક, નવયુગમાંથી કેળવણીનું તત્ત્વ બાદ કરી નાખવામાં આવે તો બાકી કર્ષી રહે તેમ નથી. પ્રાચીનેામાંના ઘણા કેળવણી શબ્દથી ભડકે છે તેનું કારણુ ઉધાડું છે, જે નવીન ભાવના, નવા આદર્શો અને ષ્ટિકાણા કેળવણીએ રજૂ કર્યો છે તે પ્રાચીને। જીરવી શકે તેમ નથી, તેને પહેાંચી શકે તેમ નથી અને તેની સામે ટકી શકે તેમ નથી. આવા આવા વિચારનિયા નવયુગ કરશે અને તેના દાખલાઓ માટે આ પરિવર્તન કાળના વમાન ઋતિહાસ રજૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જન કરશે ત્યારે આવતે યુગ વિચારી હસશે કે કેળવણું વિરુદ્ધ આવા મહાપુરુષો (!) પણ જૈન કોમમાં થઈ ગયા છે. આ ટીકા બાજુ ઉપર રાખી નવયુગની નજરે કેળવણીના ક્ષેત્રને ટૂંકામાં અવલોકી જઈએ. આ સર્વથી મહત્ત્વને વિષય આખા ઉલ્લેખને પાને પાને છે એમ સમજી લેવું. પ્રાથમિક કેળવણી પિતાની માતૃભાષાનું લખવાવાંચવાનું જ્ઞાન અને સામાન્ય હિસાબ ઉપરાંત દેશની ભૂગોળ, સામાન્ય ઇતિહાસનું જ્ઞાન અને વ્યવહાર પૂરતું નામાનું જ્ઞાન એટલાને સમાવેશ પ્રાથમિક જ્ઞાનમાં થાય છે. પિતાની માતૃભાષા બરાબર સમજતાં વાંચતાં અને તે ભાષામાં સાંભળનાર સમજી શકે તેવા આકારમાં વિચાર બતાવતાં આવડે અને સામાન્ય વ્યવહાર સમજીને થાય એ આ પ્રાથમિક જ્ઞાનને ઉદ્દેશ છે. પ્રત્યેક જૈન બાળક તે સ્ત્રી હોય કે પુરુષ હોય તેને લખતાં વાંચતાં તે ફરજિયાત આવડવું જ જોઈએ. સોએ સો ટકા ને એમાં અપવાદ વગર મનુષ્યત્વ પ્રાપ્તિના હકક સાથે મળે એ વારસો ગણા જોઈએ. આ દષ્ટિએ નવયુગ પ્રાથમિક કેળવણું ફરજિયાત કરશે. માત્ર જન્મથી ગાંડાનો જ આ બાબતમાં અપવાદ રહી શકશે. નાના ગામડામાં પણ કોઈ અભણ બાળક કે બાળિકા ન રહે એને પ્રબંધ કરવાનું પ્રત્યેક ગામ શહેર કે નગરને માથે આવશ્યક રહેશે અને આ નિયમ સાર્વત્રિક કરવામાં જરા પણું સમય ગુમાવવામાં આવશે નહિ. અત્યારે મોટાં શહેરો અને ગામમાં આ સ્થિતિ તરફ પ્રયાણ થઈ રહ્યું છે, પણ ગામડામાં અજ્ઞાન ઘણું છે અને છોકરીઓના જ્ઞાન માટે પૂરતા પ્રબંધ નથી એ સ્થિતિ વધારે વખત નિભાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ સુ ૧૯૫ લેવામાં નહિ આવે. જેટલી ખારાકની આવશ્યકતા મનાય છે તેટલી જ પ્રાથમિક શિક્ષણની જરૂર ગણવામાં આવશે. એની સાથે રસપૂર્વક પ્રાથમિક ધાર્મિક જ્ઞાન આપવાની યોજના નવયુગ કરશે. ચાવીસ તીથ "કરાનાં નામ, નવકાર, સામાયકના મહિમા, જીવસ્વરૂપ, તત્ત્વ, કર્મ અને જીવના સંબંધ—— આ મુદ્દાઓનું તદ્દન પ્રાથમિક પણ જરૂરી જ્ઞાન સરળ રીતે સરસ ભાષામાં આકર્ષક થાય તેમ આપવામાં આવશે અને તેને નાની પણ સુંદર કથાએથી પ્રિય બનાવવામાં આવશે. આ માટે જરૂરી અભ્યાસનાં પુસ્તકો નવયુગ તૈયાર કરશે. આવા પ્રયત્ન સર્વાં માતૃભાષામાં થશે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં મોટાં શહેશ અને નગરામાં પ્રબંધ કરવામાં આવશે. આ શિક્ષણની શરૂઆતમાં હિંદી ભાષાના અભ્યાસ સર્વને ખાસ કરાવવામાં આવશે. વિજ્ઞાન ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને માનસિક વિકાસ ક્રમસર કેમ થાય છે તેના કેળવણીકારની દૃષ્ટિએ વૈજ્ઞાનિક અભ્યાસ કરી આખા કાર્યક્રમ ગાઠવવામાં આવશે. ગોખણપટ્ટી ઓછી થાય અને મગજના વિકાસ સારી રીતે થાય તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. માધ્યમિક અભ્યાસમાં ઇતિહાસ, ભૂંગાળ, ગણિત અને સાહિત્યને મુખ્ય સ્થાન આપવામાં આવશે, વિજ્ઞાનને ખાસ મહત્ત્વનું સ્થાન આપવામાં આવશે અને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના અભ્યાસને ખાસ ઉત્તેજન આપવામાં આવશે. માધ્યમિક અભ્યાસને અંગે જે સગવડ કરવામાં આવશે તેના લાભ જૈનેતરને જરૂર આપવામાં આવશે. અહીં ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ક * A નવયુગના જૈન અભ્યાસ તત્ત્વાર્થના મૂળ સૂત્ર અને અની નજરે તથા બારવ્રત, શ્રાદ્ધગુણુ, કથાવિભાગ અને ભક્તામર કલ્યાણમંદિરને ભાવસમજણ આ રીતે કરાવવામાં આવશે. માનસિક વિકાસ સાથે આંતર્રાવકાસ થાય તેની ગાઠત્રણ એવી રીતે કરવામાં આવશે કે ભણનાર કામીય કે ઝનૂની ન થઈ જાય, પણ ધીમે ધીમે - ધમાં સ્થિતપ્રજ્ઞ થતાં જાય અને જૈનદર્શનમાં સમતસંગ્રહની જે અસાધારણ વિભૂતિ છે તે સમજતા થઈ જાય અને ખાસ કરીને એનાં અહિંસા, સંયમ અને તપને ઓળખતાં અને વ્યવહાર કરતાં થઈ જાય. ફતેહમ દીથી કરાવેલા માધ્યમિક અભ્યાસ બહુ ફળગ્રાહી નીવડે છે એના સુંદર પ્રયોગો નવયુગ કરશે અને સ્ખલના દેખાશે તે સરળભાવે સુધારવાની નમ્રતા બતાવશે. અને ઉચ્ચ અભ્યાસની સગવડ મેટા શહેરમાં વિશિષ્ટ અભ્યાસીના હાથ નીચે ચેાગ્ય વેતન આપી કરશે. એમાં વળી ધાર્મિક તત્ત્વજ્ઞાન વધારે ઊંડાણથી કરાવવાના પ્રબંધ થશે અને ખાસ કરીને નવયુગની મહત્તા એ થશે કે એ કાઈ પણ અભ્યાસમાં ધ જ્ઞાનને ફરજિયાત અરુચિકર કે અપ્રિય થાય તેવું નંદુ કરે. મનુષ્ય સ્વભાવ કૅરજિયાત બાબતથી દૂર નાસે છે અથવા ક્રૂરજ તરીકે કરીને ફેંકી દે છે — એ સ્થિતિ ન થાય તેની ચીવટ રાખશે. ― પાઠશાળાનું કા વ્યવહારૂ શિક્ષણની પૂરવણી કરનાર પાઠશાળાઓને તદ્દન નવીન ધારણ પર રચવામાં આવશે. જ્યાં ક્રમિક શિક્ષણમાં ધાર્મિક જ્ઞાન આપવાની અગવડ પડશે ત્યાં એ કાય પાશાળાઓ કરશે. પાઠશાળાઓના ક્રમમાં અત્યારે ગોખવાનું કામ જ થાય છે તેનું સ્થાન સમજણ લેશે, માત્ર ક્રિયાજ્ઞાનને બદલે તરવરૂચિ આદરપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રર મું ૨૯૭ થાય તેવો પ્રબંધ થશે અને કથા, રાસ, પદે, સ્તવન, સઝાયોથી એને વધારે રસપ્રદ કરવામાં આવશે. એમાં અભ્યાસને આ ક્રમ ગોઠવાશે અને અભ્યાસ નિપ્રાણ ન થતાં ઉપયોગી થશે, અરૂચિકર ન થતાં આકર્ષક થશે અને ભણતર અને જીવતરને સંબંધ નથી રહી શકતે તેને બદલે માત્ર જીવનને ઉપયોગી થાય તેવું જ જ્ઞાન તદ્દન નવીન પદ્ધતિએ આપવામાં આવશે. પાઠશાળા એ આળસુને આશ્રમ કે નવરાને વિનેદ નહિ રહી શકે. એ જીવતી સંસ્થાઓ રહેશે. એના અધ્યાપકે ઉત્તમ ચારિત્રવાન અને શિક્ષિતે પર છાપ પાડે તેવા થશે અને અનેક સેવાભાવી યુવકે એમાં રસ લઈ વગર વેતન–અલ્પ વેતને પિતાને સમય આવા વિદ્યાવિલાસના કાર્યમાં આપશે. નવયુગ જેમ બદલે આપવા ઉત્સુક રહેશે તેમજ સેવાભાવીને શેધી યોજવામાં અને કાર્યકરને જોડવામાં પણ ઉઘુક્ત રહેશે. કેળવણુગ્રહ આ વિષય ચર્ચાતાં (જુઓ પૃ. પર-૫૭) એ બાબતનું સ્વરૂપ કાંઈક નોંધ્યું છે. નવયુગનું વિશિષ્ટ કાર્ય તે આ વિદ્યાર્થીગૃહ થશે. ત્યાંથી નવયુગના સંદેશા નીકળશે. ત્યાંથી જે વિદ્યાર્થીવર્ગ બહાર પડશે તે ધર્મની અને સમાજની સેવા કરનાર નીકળશે. કોલેજમાં તેમને અનેક માનસિક તથા વ્યવહારૂ વિષયનું જ્ઞાન મળશે તેની નૈતિક અને ધાર્મિક વિષયની પૂરવણી આ વિદ્યાર્થીગૃહોમાં કરવાની યોજના નવયુગ કરશે. આ વિદ્યાર્થીગૃહોને એવી રીતે સુસજજ કરવામાં આવશે કે ત્યાંથી ઊંચામાં ઊંચા વર્તનશાળી આદર્શ જૈને ઉત્પન્ન કરવાનું તે કેદ્ર બનશે. માતાપિતાના સંસ્કારમાં કુટુંબપ્રેમને લાભ મળે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નવયુગને જૈન અને સાંપ્રદાયિક અનુષ્ઠાન કરવાની રીતિને અભ્યાસ થાય છે તે બન્ને બાબતેને જરા પણ વિરોધ ન થાય એટલે કે ગૃહોમાં કુટુંબ જેવું વાતાવરણ વસ્તું અને અનુષ્ઠાનનું સુંદર સમજણપૂર્વકનું જ્ઞાન અને તેને અમલ થઈ જાય તે ઉપરાંત પરસ્પર સહગ અને સેવાભાવી ગૃહપતિની છત્રછાયા નીચે વિશાળતાના પાઠે વિદ્યાર્થીએ ત્યાં શીખશે. આખા ગૃહમાં એક જાતને બંધુભાવ વિકસાવવાનું વાતાવરણ ખીલવવાની ખાસ ચીવટ રાખવામાં આવશે. સાધારણ રીતે ગ્રહોમાં પક્ષે પડી જાય છે, અસ્પસ ઇર્ષ્યા ખીલે છે અને પક્ષીના મેળા જેવું થાય છે, પણ ગૃહપતિ કાર્યદક્ષ અને સેવાભાવી હોય તે વાતાવરણમાં તે મટે ફેરફાર કરી શકે છે. તે પોતાની સત્તાને ઘેર બતાવ્યા સિવાય પ્રેમથી વિદ્યાથીઓમાં સંપ, એકતા અને ત્યાગ લાવી શકે છે. જે વિશાળ સેવાભાવી જીવન જીવવાનું છે તેના પાયા આ સંસ્થામાં જામશે. ત્યાંની આંતર વ્યવસ્થામાં ફરજિયાત કરતાં મરજિયાત તત્વ વધારે રહેશે. એવી સંસ્થાના નિયામકે પણ વિદ્યાર્થી પર વાત્સલ્ય રાખશે અને આ સંસ્થા ઉપર ઘણી ગણતરી કરીને નવયુગ તેને બહલાવવા ખૂબ યત્ન કરશે. ત્યાં ધાર્મિક શિક્ષણ તદ્દન નવીન પદ્ધતિએ રસપ્રદ રીતે આનંદથી લેતા વિદ્યાર્થીઓને જોઈ તેમની ચર્ચાઓ સમજી સાંભળી સમાજ એને નવાજશે. મેટાં ગામે, સર્વ શહેર અને નગરમાં વિદ્યાથીંગ્રહ થશે અને ત્યાં માનસિક નૈતિક અને ધાર્મિક ખીલવણી સાથે શારીરિક ખીલવણીની પણ યોજના કરવામાં આવશે. આની વિશેષ ચર્ચા અખાડાઓને અંગે શારીરિક પરિસ્થિતિની વિચારણામાં થશે. આ ગ્રહને અંગે સંગ્રહસ્થાન થશે, પુરાણ વિષયની શોધખેળ થશે અને તઘોગ્ય સુંદર પુસ્તકાલય થશે. વિદ્યાર્થીને સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રકરણ રમું ૨૯૯ રીતે તૈયાર કરવાનું આખું વાતાવરણ ત્યાં નીપજાવવામાં આવશે અને એનો લાભ સર્વ વર્ગના લોકે નાતજાતના તફાવત વગર લેશે અને જિંદગીમાં આગળ વધતાં ધનથી, સેવાથી, પ્રેરણાથી એ સંસ્થાને લાભ આપશે. કેંદ્રસ્થ સંસ્થાઓ કેળવણીની કંકસ્થ સંસ્થાઓમાં સર્વ વિદ્યાર્થીગૃહોને સૂચના આપનાર અને તેના ઉપર દેખરેખ રાખવા દ્વારા સલાહ આપનાર વિદ્યાર્થીગૃહનું સંયુક્ત યૂથ તૈયાર થશે. ત્યાં વખતેવખત ગૃહપતિઓ અને નિયામકે એકઠા મળી અનેક મહત્ત્વના વિશેની ચર્ચા કરશે, તેમાં ભાગ લેવા બહારના તા કેળવણીકારને બેલાવશે અને તે રીતે ધરણની સરળતા એકત્વતા અને સાધ્યની સાપેક્ષતા સાધશે. કેળવણીની અનેકવિધ પ્રવૃત્તિઓને પહોંચી વળવા, તેને સૂચનાઓ આપવા અને જરૂરી મૌલિક કાર્ય કરવા કેળવણીની કેન્દ્રસ્થ સંસ્થા બનાવવામાં આવશે. ત્યાં કેળવણુની સંસ્થાઓ સંબંધી, શિક્ષણ સંબંધી, ધાર્મિક અભ્યાસની રીતિ સંબંધી, સાહિત્ય સંબંધી, પ્રચાર સંબંધી અને સામાન્ય રીતે આખા જ્ઞાનના ક્ષેત્રની બહુ લાંબી નજરે ચર્ચા કરવામાં આવશે. જે સંસ્થાને સાધને નહિ હેય તેને પૂરા પાડવામાં આવશે અને સંસ્થાઓને પરસ્પર સહકાર રહે અને વધે તેવી રીતે આખી યેજના કામ કરશે. એ જ કેંદ્રસ્થ કેળવણી મંડળને જરૂર જણાશે ત્યારે જૈન, કોલેજ અને વિશ્વવિદ્યાલય સ્થાપશે અને ચલાવશે. જ્યાં સુધી જૈન રેસીડન્ટ યુનિવર્સિટી નહિ થાય ત્યાં સુધી સાહિત્ય અને ધળ ઇતિહાસ અને કળાના વિષયમાં જૈન ઠેમને જે અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન બહારથી તેમજ અંદરથી થયો છે તે દૂર થઈ શકશે નહિ અને એ બાબત નવયુગના ધ્યાન પર આવતાં એ જનાને અમલ કરશે. જૈન સાહિત્યની એક વાત અહીં જરા નવયુગની નજરે કરવાની છે. પ્રાચીને એ તો સામાન્ય (જનરલ) સાહિત્યના ક્ષેત્રમાં લગભગ ભાગ જ લીધે નથી એટલે જૈન સાહિત્યને થયેલ ભારે ગેરઇન્સાફનું તેને ભાન પણ નથી. નીચેની બાબતે વસ્તુસ્થિતિ દર્શાવનાર છે. તે દર્શાવવાનો હેતુ કેમી ભાવના વધારવાનો નથી, પણ જે થયું છે તે રજૂ કરી તેને ઉપયોગ કરવાની સૂચના રજૂ કરવામાં છે. ગુજરાતી સાહિત્યનો દાખલો લઈએ તે જૈનોનું પ્રાચીન પદ્યસાહિત્ય સામાન્ય સાહિત્ય કરતાં ઓછામાં ઓછું દશ ગણું હોવા છતાં હજુ “પ્રેમાનંદ યુગ” અને “શામળ યુગ' જ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા પહેલાં પાંત્રીશ કવિઓની રચના હેવા છતાં આદ્ય ગુજરાતી કવિ નરસિંહ મહેતા જ ગણાય છે. જૈન સાહિત્ય ધાર્મિક છે એમ ગણી તેની ઉપેક્ષા થાય છે, પણું ગુજરાતી કવિઓએ ધર્મને જ મોટે ભાગે આળેખે છે અને જૈન રાસમાં તે ધર્મની વાત કરતાં વ્યવહારની વાતો, નવલે, અદભુત ચરિત્રે ૯૬ ટકા આવે છે. ગુજરાતના લગભગ સર્વ કવિઓએ ધાર્મિક વિષયને જ મહત્વ આપ્યું છે. આના સેંકડો દાખલા મેજુદ છે. વિશાળતાના જમાનામાં પણ જૈન સાહિત્યની ચર્ચા કરતાં વિદ્વાને સમભાવ રાખી શકતા નથી, તેઓ સ્થાન આપવામાં જાણે મહેરબાની કરતા હોય એ દેખાવ જાણેઅજાણે કરી નાખે છે અને કોઈ જગ્યાએ સહેજ સ્વીકાર કરે છે તે તે પણ પ્રસાદનું રૂપ ન લેતાં નછૂટકે વાત થાય છે. એવી જ રીતે પ્રાચીન જૈન મંદિરને અંગે, પ્રાચીન શીલાલેખેને અંગે સિક્કાઓને અંગે, ગુફાઓને અંગે જૈનેને ઘણો ગેરઇન્સાફ થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રસુ આવી અનેક ખાખતા છે તે શેષખાળ માગી રહી છે, નિષ્પક્ષપાત સમાલાચના યાચી રહી છે અને અતિશયોક્તિ કર્યો વગર ચેાગ્ય સ્થાન પ્રાપ્ત કરવાને પાકાર કરી રહી છે. એને ઉપાય કેળવણીની રચના કેંદ્રસ્થ થાય તે જ રીતે શક્ય છે. જૈનને નૈતિક અનેક સંદેશા દુનિયાને આપવાના છે, શ્રી મહાવીર આદિ મહાપુરુષોને યાગ્ય સ્થાન અપાવવું છે અને અહિંસાના પ્રચાર યાગ્ય રીતે કરી દુનિયાની મુંઝવણા દૂર કરવી છે. ૩૦૧ આ અનેકવિધ પ્રવૃત્તિને અંગે શિક્ષણ સાથે વિશ્વવિદ્યાલયની આવશ્યકતા જૈનદર્શનને અંગે નવયુગને તુરતમાં લાગશે. એની દૃષ્ટિ એમાં જરા પણ સંકુચિત એકદેશીય કે રાષ્ટ્રભાવનાની વિધી નહિ રહે, પણ જગતના ઉદ્ધાર માટે શાંતિના પ્રસાર માટે એને જૈન વિશ્વવિદ્યાલય અનિવાર્ય લાગશે. અને નવયુગને જે વાત ખાસ આવશ્યક લાગશે તેને તે અમલ કરશે. આ રીતે કેળવણીના અનેકવિધ પ્રયત્ના નવયુગ કરશે અને તે કાર્ય મહાસભા દ્વારા લેશે. મહાસભા વિચાર વિનિમય કરી વાતાવરણ ફેલાવશે અને કેંદ્રસ્થ કેળવણી મંડળ એના અમલ કરશે. કેળવણીનાં સાધના કેળવણી પ્રાપ્ત કરવાનાં સર્વ સાધને ને નવયુગ વગર સં ચે ઉપયાગ કરશે. પ્રવર્તમાન સર્વ સાધન ઉપરાંત કેટલાંકની વક્તવ્યતા ખાસ જરૂરી હાઈ નીચે નોંધી છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં આંખ અને કાન એ ખાસ ઉપયાગી ખાખતા સિદ્ધ થઈ ચૂકી છે. જ્ઞાન પાંચે ઈંદ્રિય દ્વારા પ્રાપ્ત થાય છે, પણ કેળવણીને ખાસ સંબંધ આંખ અને કાન સાથે સવિશેષ છે. તેને મદદ કરનાર સાધને પૈકી · સિનેમા'નું સાધન કેળવણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ નવયુગને જૈન કારે ખૂબ ઉપયોગી માને છે. સિનેમા દ્વારા વનસ્પતિ, જંતુઓ અને પરમાણુના વિકાસના અનેક પ્રકારે સમજી શકાય છે. આરેયના અનેક પ્રકારનું લાક્ષણિક જ્ઞાન સિનેમાથી આપી શકાય છે. ચામડીના તથા અનેક ગુહ્ય રોગોનું જ્ઞાન સિનેમા દ્વારા આપી શકાય છે. એ ઉપરાંત કથાઓની વાત કરતાં લાક્ષણિક ચિત્ર આંખ સન્મુખ હોય તે તે બાળ તથા મધ્યમ અધિકારી પર સીધી અને લાંબા વખત નભે તેવી અસર કરી શકે છે. આ વગેરે અનેક કારણોથી સિનેમાને ઉપગ નવયુગ શિક્ષણ માટે ખૂબ કરશે. અષાડાભુતિનું નાટક અને ભરતને વૈરાગ્ય, ગજસુકુમાળની ધીરજ અને ધન્ના શાલિભદ્રના વૈરાગ્ય પ્રસંગે, વાંસ પર નાચતાં કૈવલ્ય પ્રાપ્ત કરનાર એલાયચીકુમાર અને “વીરા મારા ગજ થકી ઉતરે” ગાઈ બતાવી માનમતંગજ પરથી બાહુબળીને ઉતારનાર બ્રાહ્મી અને સુંદરી, આરિલાભુવનમાં કૈવલ્ય પામનાર ભરતરાય અને હાથીની અંબાડીએથી સીધા મેક્ષ જનાર મરૂદેવા માતા, પાંચસે સ્ત્રીઓના હાથમાં એક સૌભાગ્યકંકણ રહેતાં બેધ પામેલ નમિ રાજર્ષિ અને ઘરડા વૃષભથી બોધ પામનાર કરકંડુ, કામદેવના ઘરમાં જઈ કામને જીતનાર સ્થૂલિભદ્ર અને ફાંસીના લાકડા પરથી કૈવલ્યને સિંહાસને બેસનાર સુદર્શન શેઠ–આ સર્વનાં ચિત્રપટ થાય તે વિદ્યાર્થી અને મધ્યમ વય પર કેવી અસર કરી શકે છે તે નવયુગ સમજશે અને કેળવણીના એક અગત્યના વિભાગ તરીકે સિનેમાનો સ્વીકાર કરશે. તેવી જ રીતે નાટકે બેધદાયક થઈ શકે છે એ ધારણ પર ચાલી સદર પ્રયોગો રંગભૂમિ પર દાખલ કરશે. નાટક અને સીનેમાથી અન્ય ધર્મોને એકંદરે નુકશાન થયું છે કે લાભ તેને અભ્યાસ નવયુગ કરશે અને એ સંબંધ નૂતન વિચારપ્રણાલિકા બતાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ == ======= === પ્રકરણ ૨૨ મું ૩૦૩ દેલવાડાના સુંદર ચિત્ર, કારીગરીના અસાધારણ નમુના, રાણકપુરની બાંધણીના રમ્ય પ્રસંગે, અતિવિશાળ સ્થાપત્યના તારંગા શત્રુજ્ય પરના નમુનાઓ, બેટી ટુંક જેવા મારવાડ મેવાડના ભવ્ય દેરાસરોનાં ચિત્રોની ઘેરઘેર આમે રહેશે અને ચિત્રપટથી ફેટોગ્રાફથી ઝીંકેલેટની પ્રતિકૃતિથી આશાતનાને ખ્યાલ છે તેની લાલદષ્ટિએ તુલના કરી મોટા ફેરફાર તેને અંગે નવયુગ કરશે અને પરિણામે અનેક માસિક અને પોસ્ટકાર્ડ પર આ મહાન કારીગરીઓ સ્થાયી સ્થાન લેશે. આશાતનાને આ ખ્યાલ નવયુગમાં ફરી જશે અને નવા ધરણે આ સર્વ બાબતમાં મૂળમાર્ગને આધારે વિચારી શ્રાવક અધિકારીની મર્યાદા વિચારી તેને અંગે નિર્ણય કરવામાં આવશે. ટુંકામાં અનેક પ્રકારે ફેટા અને ચિત્રપટનો પ્રચાર શિક્ષણદૃષ્ટિએ અને કલાવિકાસની દષ્ટિએ થશે. આ તે કેળવણીનાં જરા આડકતરાં સાધને છે, પણ તેને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી એ બહુ લાભપ્રદ બનાવી શકાય છે એવો ઉપરની સર્વ બાબતેને અંગે નવયુગને વિચારનિર્ણય થશે. બાળકને માટે ભાગ આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે રીતે અપાયેલું જ્ઞાન ઊંડી અસર કરી શકે છે એવા નિર્ણયને પરિણામે સહજ અપવાદ સેવે પડતે હશે તે તેટલા પૂરતું જોખમ ખેડીને પણ નવયુગ ઉપર પ્રમાણે નિર્ણય કરશે. કેળવણીનાં સાધનો પૈકી પ્રયોગશાળા અને વેધશાળાને ઉપયોગ નવયુગ ખાસ કરશે. ભગળના સંબંધમાં એ પોતાની જાતને સમજવા માટે ખુલ્લી રાખશે અને પ્રયોગો અને અવલોકન વિશાળ પાયા પર કરી સત્યનું શોધન કરવા પ્રયત્ન કરશે. જે પૂર્વપુરુષે હજારો વર્ષ પહેલાં પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ – નવયુગને જૈન કહી શક્યા અને આંખ મીંચીને ઉઘાડવા જેટલા સૂક્ષ્મ સમયમાં અસંખ્યાતા સમય જાય છે એટલી બારીક વિવક્ષા કરી શક્યા અને પુગળ પરમાણુની શક્તિ સંબંધી અતષ્પ ભવ્ય કલ્પના બતાવી શક્યા તેઓનું ખગળનું જ્ઞાન ખુલ્લા હૃદયથી તપાસવાની તક લેવી જોઈએ એવો તે નિર્ણય કરશે. કોઈપણ વાતને “ગપ્પ” ગણી ઉડાવી દેશે નહિ અને અમુક ગ્રંથમાં કહ્યું છે તેથી માન્ય પણ કરી લેશે નહિ. જ્યાં પ્રગસિદ્ધ જ્ઞાન હશે, જ્યાં અવેલેકનને અવકાશ હશે, ત્યાં પૂરતા ઉત્સાહથી તેને ઉપયોગ કરશે અને એ રીતે સત્યનું શોધન કરવા લાગી જશે. કેળવણીનાં સાધન તરીકે વાચનમાળાની હકીકતને નવયુગ ખાસ અગત્ય આપશે. ભાષાજ્ઞાન ખાસ તૈયાર કરેલી વાચનમાળા દ્વારા મળવાને તેને આગ્રહ રહેશે. તેને માટે કેળવણીના પ્રખર વિદ્વાનેને રોકી સર્વ પ્રકારના અભ્યાસીઓ માટે વાચનમાળા તૈયાર કરાવશે. સ્ત્રીશિક્ષણ માટે પણ વાચનમાળા તૈયાર કરાવશે અને પ્રત્યેક પ્રકારના અધિકારીને અનુરૂ૫ ગ્રંથે તૈયાર કરાવશે. વાચનમાળામાં કથાસાહિત્ય, કાવ્યસાહિત્ય, નીતિવિભાગનું સાહિત્ય, તત્ત્વજ્ઞાનનું સાહિત્ય એ સર્વને અધિકારીની યોગ્યતા પ્રમાણે અવકાશ આપશે અને બાળકને સંસ્કાર આપવાથી થતા લાભો સમજીને આવી ગ્રંથમાળા તૈયાર કરાવવા પાછળ થયેલે ધનવ્યય કે શ્રમ સાર્થક ગણશે. આવી વાચનમાળાને લઈને અનેક રાસો પ્રકાશમાં આવશે, અનેક સ્તવનેને તદ્યોગ્ય સ્થાન મળશે, સ્વાધ્યાય (સઝાયે)ને પ્રકાશ મળશે અને તે ઉપરાંત દૂહા, પદો, પ્રભાતીઆઓ, વિલાસે, ઘન, ગુહળીઓ, ચોપાઈઓ, અભંગે વગેરે અમર થઈ જશે. ટુંકામાં સર્વ પ્રકારના અધિકારીઓને ઉપયોગી થાય, તેમને ધર્મરાગ મજબૂત થાય અને તેમનામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨સુ અહિંસા, સંયમ અને તપનાં તત્ત્વ વિસે એ દૃષ્ટિએ કેળવણીનાં અનેક સાધના યાજશે, સ્ત્રીશિક્ષણની ચેાજનાએ કરશે, સહશિક્ષણની મર્યાદા મુકરર કરશે, ધાર્મિકશિક્ષણને ક્રમ અધિકારીની વય યાગ્યતા અને સ્થાનને આધારે પૃથક્ પૃથક્ મુકરર કરશે અને એ રીતે નવયુગ વ્યવહારુ અને ધાર્મિક બાબતાથી રંગાઈ જાય તેવી ચેાજના કરશે અને કાઈપણ વાતને યોજનાની કક્ષામાં ન રહેવા દેતાં તેને અમલ કરશે. મધ્યકાળમાં — પરિવર્તન સમયમાં વિચાર। ઘણા કરવામાં આવે છે, પણ અમલ બહુ ચેડે થાય છે—તેને બદલે નવયુગમાં જે નિÇય વિચારણાપૂર્વક થશે તે ચેાજનાના રૂપમાં રહી ન જતાં તેને તુરત અમલ થશે. - ૩૦૫ લખવાની જરૂર નથી. દુનિયા જે જે સાધના કેળવણીનાં અનેક સાધનેાનાં નામે પ્રચલિત સર્વ સાધના અને આગળ ધપતી ઊભાં કરશે કે શેાધશે તેને લાભ નવયુગ લેશે. એને વાયુયાનમાં વિહાર કરી અવલેાકન દ્વારા જ્ઞાન આપવાનું યોગ્ય લાગશે તે તે સાધનને એ વધાવી લેશે અને શિક્ષણપદ્ધતિમાં મેાન્ટીસારી કે આજી કાઈ પદ્ધતિ શેાધાય તે તેને તક આપશે. તેને ( નવયુગને ) પ્રાચીન એટલે સ સારું કે ખરાબ એમ નહિ રહે. તે સારાં પ્રાચીનેાનાં તત્ત્વ સ્વીકારશે. નવયુગનાં સાધનાને એ તુરત ઉપાડી લેશે. એને નવા તરફ અણરાગ તિરસ્કાર કે અવગણના કદી નહિ થાય. આ સંબંધમાં એ પ્રાચીનેાના વલણથી ઊલટું જ વલણ લેશે અને છતાં તે પરિણામદર્શક અને ધર્માનુરૂપ હાઈ નવયુગને જરૂર સ્વીકાય થઈ પડશે. ટૂંકામાં કહીએ તો માસિકા, પુસ્તિકાઓ, સાપ્તાહિકા, ચર્ચો કરનારાં પુસ્તકા, અંતિમ પ્રશ્નાની ચર્ચા કરનાર લેખો, પુરાતત્ત્વની રોધખેાળ કરનાર ગ્રંથા તથા સાહિત્યવિકાસનાં અનેક સાધના, ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન પ્રકાશને, ચર્ચાઓ. ભાષણે એ સર્વને કેળવણીનાં સાધન ગણી નવયુગ એની ચર્ચા કરશે, એને પ્રચાર કરશે, એને વિસ્તાર કરશે. કેળવણીના સર્વ વિશ્વમાં ખાસ કરીને સ્ત્રીવિભાગ માટે પૂરતી સગવડ કરવામાં આવશે, સ્ત્રીઓને સહકાર સ્વીકારવામાં આવશે અને યોગ્ય સ્થળે સ્ત્રીઓને નેતૃત્વ આપવામાં આવશે. સહશિક્ષણની શક્યતા આવશ્યકતા અને ઉપયુક્તતાને નિર્ણય પૂર્વ કાળના અનુભવને આધીન રહીને કરવામાં આવશે. સ્ત્રીશિક્ષણ સંબંધી જ કેટલીક ચર્ચા સ્ત્રીઓના સંબંધમાં પૃથફ ઉલ્લેખમાં સુરતમાં જ કરવાની છે ત્યાં નવયુગની નજરે સ્ત્રી સંબંધી અનેક પ્રશ્ન ચર્ચવાના હેઈ કેળવણીને વિય ત્યાં ચર્ચાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું રાજકારણ જૈન સમાજ મુખ્યત્વે વ્યાપારી હાઈ રાજદ્વારી બાબતમાં તેનું સ્થાન ઘણું મોડું આવે છે એ પરિસ્થિતિને અભ્યાસ કરીને નવયુગ રાજકીય પરિસ્થિતિને અંગે તદ્દન નવીન પ્રકારનું વલણ લેશે. પ્રથમ તે રાજદ્વારી બાબતને અને વ્યાપારને ગાઢ સંબંધ છે એ નવયુગ જોઈ લેશે. અત્યારને વ્યાપાર દેશપરદેશ સાથે છે અને ભાવની વધઘટ આખી દુનિયાની અનેક પરિસ્થિતિ પર આધાર રાખે છે. પ્રત્યેક રાષ્ટ્ર સ્વતંત્ર હવા છતાં અરસ્પરસ એકબીજા પર ઘણે આધાર રાખે છે. તેના આયાત નિકાસના ધોરણે અને તેમાં વખતેવખત થતા ફેરફાર સમજ્યા વગર વ્યાપાર થઈ શકે નહિ એ નવયુગ જોઈ શકશે. અત્યારે પ્રધાનમંડળ આર્થિક પ્રશ્ન પર અવલંબે છે અને તેમાં ફેરફાર પણ આર્થિક મુદ્દા પર થાય છે. દેશપરદેશનાં નાણાં તથા ચલણના પ્રશ્નને વ્યાપારીઓએ તે બરાબર સમજવા જ પડે અને આ સર્વ પ્રશ્નોને રાજકીય બાબતે સાથે એટલે બધે અતલગને સંબંધ છે કે જે લોકોએ વ્યાપારમાં અગ્રસ્થાન લેવું હોય તેણે રાજકીય બાબતેમાં ઉપેક્ષા રાખવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન પાલવે તેમ નથી. એ સંબંધમાં ઉપેક્ષા રાખવાથી વ્યાપારનું સ્થાન દિવસાનુદિવસ ઘસાતું જાય તેમાં જરા પણ આશ્ચર્ય નથી. આ વિચાર નવયુગને પ્રેક નીવડી તેને રાજકારી બાબતમાં ભાગ લેતે કરી દેશે. આર્થિક અને રાજકારણની કેળવણી આને પરિણામે આર્થિક પ્રશ્નની કેળવણી લેવાની નવયુગ ખાસ સગવડ કરશે. રાજકારણમાં ભાગ લેવા માટે આખું વહીવટી બંધારણ સમજવાને યોગ્ય પ્રબંધ કરશે. આયાત-નિકાસના આંકડાઓ, તેને વ્યાપાર સાથે સંબંધ, ઉત્પત્તિને લગતાં નિવેદને, રેલવેને અંગે સરકારની નીતિ, તેના ઘેરણમાં ફેરફાર થવાની અગત્ય, મજૂરપક્ષનું ધોરણ, એને સમાજવાદ, એ સ્થિતિ થવાનાં કારણોને ઇતિહાસ આદિ અનેક પ્રશ્નને નવયુગ ખૂબ વિગતથી સમજશે. અને રાજકીય પ્રકરણમાં તે અભ્યાસના મુદ્દાઓને પાર નથી. ચૂંટણીના બંધારણથી માંડીને કાયદા કરવાના ધોરણે, વરિષ્ઠ અને પ્રાંતિક મંડળમાં કાયદાઓ ઘડવાની ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની રીત, ઓર્ડરના સવાલ, સ્થાનિક સ્વરાજ્યના નામથી ઓળખાતી મ્યુનિસિપાલિટીઓથી માંડીને અનેક રાજકીય મંડળના બંધારણને અભ્યાસ આદિ અનેક પ્રશ્નને અભ્યાસ કરવા નવયુગે તૈયાર રહેવાનું છે અને તે કામ તે કરશે. અર્થશાસ્ત્ર અને રાજકારણની કેળવણી માટે રાત્રીના અનેક સેવાભાવી તત્તે ભાષણો આપશે અને સામાન્ય જનતાને પણ સર્વ પ્રશ્નમાં રસ પડે તેવી રીતે અર્થશાસ્ત્રની અને પ્રચલિત રાજ્યકારી પ્રશ્નોની ચર્ચા કરવાનાં સાધને તે પૂરાં પાડશે. રાષ્ટ્ર અને સમાજ નવયુગના જૈનમાં આ રાજકીય વિષયમાં ભાગ લેવાને પરિણામે એક જાતની ભારે વિશાળતા આવશે. એ કઈ પણ પ્રશ્નની ચર્ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ ૩૦૪ પિતાની નજરે કે જૈનેની નજરે નહિ કરે પણ રાષ્ટ્રના હિતની નજરે જ કરશે. જાહેર સેવાના કાર્યમાં ભાગ લેનારને આ વિશાળતા પ્રાપ્ત કરવાની ખૂબ તક મળે છે અને તે તક પ્રમાણે ન વર્તતાં જે જાહેર પુરુષ એકદેશીય થઈ જાય છે તે અંતે જાહેરને વિશ્વાસ બેઈ બેસે છે. જેઓ પોતાને કે પિતાના નાના સમાજમાત્રને ઉત્કર્ષ સાધવા જાહેરના વિશ્વાસને ઉપયોગ કરે છે તે અંતે સ્થાનભ્રષ્ટ થાય છે. જાહેર પ્રશ્નમાં મનુષ્ય પોતાની જાતને કે કેમને ભૂલી જતાં અને વિશાળ દષ્ટિબિંદુ ખીલવતાં શીખવું જ જોઈએ. નવયુગ એવા સંસ્કારમાં ઉન્નત થશે કે એનામાં આ વિશાળતા જરૂર આવી જશે. આથી નવયુગને જૈન જૈન સમાજને જ ખાસ પ્રતિનિધિ નહિ થાય, પણ અમુક શહેરની મ્યુનિસિપાલિટીમાં તે શહેરને, પ્રાંતિક સભામાં પ્રાંતને અને મધ્યસ્થ સરકારમાં સમસ્ત હિંદને પ્રતિનિધિ થશે. આ વિશાળ દષ્ટિબિંદુ નવયુગના મતાધિકારીઓ પણ શીખી જશે અને મત આપતી વખતે જૈન હેવા ખાતર કેઈને મત નહિ મળે, પણ સેવા કરવાની ધગશવાળાને મળશે. આ રીતે પ્રાપ્ત થયેલી વિશાળતા મતસહિષ્ણુતાને ભાગ બની જૈનને એક શહેરી તરીકે અનેક લાભનું કારણ નવયુગમાં થશે. ખાસ પ્રતિનિધિ જૈન કેમને કેટલાક પ્રશ્ન ખાસ અલગ છે. એનાં તીર્થોને બચાવ-રક્ષણ, એના સાહિત્યને પ્રચાર, એના તહેવારની ભિન્નતા આદિ નાનાં મોટાં કારણે છે, છતાં નવયુગ ખાસ પ્રતિનિધિ જૈન કામ માટે માગવાની ભૂલ કદિ નહિ કરે. પ્રવર્તમાન મધ્યયુગમાં જૈને આ લાલચમાં ન પડ્યા તે બાબતની તેની દીર્ધદષ્ટિ નવયુગ પ્રશંસશે અને તે બાબતમાં નીતિને ફેરફાર કદિ નહિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન જૈનેની સંખ્યા, તેમની વ્યાપારના ક્ષેત્રમાં લાગવગ, તેમની ગામડાઓમાં સ્થિતિ, તેમનું હિંદસમાજમાં સ્થાન અને તેના કેળવણીના મનોરથ જોતાં તેમને એવું પગલું ભરવું લાછમ પણ નથી અને તેમ કરી સમાજથી જુદા પડવામાં લાભ પણ નથી. એને બદલે એનાં બાળકેએ એવી લાયકાત કેળવણી દ્વારા મેળવવી રહી છે જેથી એ જે માગે તે એને જરૂર મળે. અત્યારે કેટલાંક સ્થાને જેનોએ શરૂઆત કરી લેવા માંડ્યાં છે, પણ તે તેઓ જૈન હોવાના કારણે નહિ, પણ જે બાબતમાં પડે તેમાં સેવાભાવે કામ કરનારને એ મળે છે એ ધારણે તે સાંપડ્યાં છે. આ નીતિ તદ્દન યોગ્ય છે. પારસીઓ જે પિતા માટે અલગ પ્રતિનિધિત્વ ન માગે તે તેનો હેતુ સમજવા યોગ્ય છે અને તે જ મિસાલે જૈનોએ તેનું અનુકરણ કરવા યોગ્ય છે. નવયુગ આ મુદ્દો વ્યવહારૂ રીતે સમજશે અને રાષ્ટ્રહિતના પ્રશ્નમાં જૈનત્વને કદિ વચ્ચે નહિ લાવે, પણ તેને બદલે પિતાની લાયકાત વધે, શિક્ષણ પ્રાપ્ત થાય અને કેળવણીને પરિણામે મોટા વર્તુળમાં નામના કરે એ તેની ભાવના રહેશે. રાષ્ટ્રના પ્રશ્નને અંગે જૈન કદિ સંકેચભાવ નહિ બતાવે. અમુક ધારાસભામાં કે સરકારી નોકરીમાં કે સ્થાનિક સ્વરાજમંડળમાં અમુક બેઠકે જેના માટે રાખવાની વાત તે ઉપરના ઘોરણે કરવાનો વિચાર કદિ નહિ રહે. પસંદગીમાં વિશાળતા આટલા મુદ્દાઓ લક્ષ્યમાં રાખી વિશાળ જીવનને યોગ્ય અભ્યાસ અને ખાસ તાલીમ પ્રાપ્ત કરી નવયુગને જૈન ભારતના વિશાળ ક્ષેત્રમાં ખૂબ ફરશે. એ વિધાનપૂર્વક રાજદ્વારી પ્રમને ચર્ચશે, એ સમાજના સેવક બનવાને મરથ રાખશે, એ નેતા થશે તે પણ નમ્ર થશે, એ અમલ પર આવશે તે પણ અહિંસા, સંયમ અને તપને પૂજારી થશે, એ જવાબદારીના સ્થાન પર આવશે તે પિતાની ફરજ બરાબર સમજી તેને અમલ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ સુ એનામાં પક્ષભેદ, પ્રાંતભેદ, જાતિભેદ, સગાસંબંધીભેદ જરા પણ નહિ રહે. કેટલીક કામા એ રસ્તે ચડી ગઈ છે અને કાઈ કાઈ એ એ રીતે તાત્કાળિક લાભ પણ ભાગ આપ્યા વગર પ્રાપ્ત કર્યાં છે એ તે જોશે, પણ તેથી તેની કાયદિશામાં ફેર નહિ પડે, એનેા માગ તા સેવાભાવી જ રહેશે અને રાષ્ટ્રના પ્રશ્નને ગૂંચવી નાખવા જેવી પરિસ્થિતિ એ કદાપિ થવા દેશે નિહ. સેવા અને અદલા ૩૧૧ છતાં નવયુગ સમાજ અને દેશપ્રવૃત્તિમાં સ્થાનિક અને પ્રાંતિક જાહેર પ્રવૃત્તિમાં ખૂબ રસથી ભાગ લેશે. ભાગ લેશે એટલે અભ્યાસ કરી એ સ્થાનિક, પ્રાંતિક તથા હિંદી સપ્રવૃત્તિમાં ઊંડે! ઉતરશે. અસલ અભ્યાસ વગર આ કાર્યો જાણે માનના હાદા હાય એવા ભાસ થતા હતા. નવયુગ અનાવશે અને એ વિષયામાં ભાગ લેવા દ્વારા આપશે. એને સેવાનાં કેંદ્રો સેવાભાવને પોષણ નવયુગને પણ નિ:સ્વાર્થ સેવા કરનારા મેળવવામાં મુશ્કેલી તે। પડશે, પણ તેનું સાધ્ય નિઃસ્પૃહી સેવાભાવીને મેળવવાનુ` રહેશે. કાઈ સ્થાન મેળવીને ત્યાં પેાતાનાં સગાં, મિત્ર કે સ્નેહીઓને દાખલ કરવા અથવા ધનપ્રાપ્તિના આશય રાખવા અને અહીં સ્વા ગણવામાં આવ્યો છે. પોતાની વૃત્તિ પૂરતા બદલા લેવા કે કામની જવાબદારી પૂરતા પગાર લેવામાં વાંધો નથી, પણ ગેરવ્યાજબી લાભ લેવાની વાત નવયુગ તિરસ્કારશે. પગાર અથવા બદલાનુ ધારણ પણ ઘણું સાદું રહેશે. અત્યારે રશિયામાં બહુ ઓછા પગાર અથવા બદલા આપવામાં આવે છે તેને મળતું ધારણ નવયુગનુ રહેશે. જાહેર સેવા કરનારને પેાતાના નિર્વાહની ચિંતા નહિ રહે, પણ એ મેડટી રકમ એકઠી કરે કે સેવાને કારણે ધનવાન થઈ જાય એવા તે નહિ બની શકે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન પ્રવર્તીમાન યુગમાં સમાજ સેવા માગતા થઈ ગયા છે, પણ જાહેર પુરુષો પાતાના નિર્વાહ ક્રમ કરતા હશે તેના વિચાર બહુ ઘેાડા કરે છે. સમાજમાં અસાધારણ સેવા કરનાર નિઃસ્વાર્થ ભાવે કામ કરનારને કેટલીક વખત રેલવેની ટીકીટના પૈસાના સાંસા પડે છે એવા અનુભવ સંભળાય છે, એવી મુસાફરી સમાજના કાર્ય માટે હાય તે પણ અત્યારે જાણે એ પૈસા લેવા એ પણ ગેરવ્યાજખી ગણાય છે. જો નવયુગને આખા વખત સેવા કરનારા જોઈતા હશે તે આ ખ્યાલ છેાડી દેવા પડશે. આખા વખત સેવા કરનારા મળશે, સાદા જીવનના સાષ્યવાળા મળશે, સેવા ખાતર લગભગ સંન્યાસી જેવા થઈ ગયેલા વિશુદ્ધ આત્માઓ પણ મળશે, પણ એવા સેવાભાવીને ખાસ જરૂરી ખર્ચ માટે ચિંતામાં રહેવું પડે એ ન પાલવે એવી વાત છે, સમાજે એમને માટે યાગ્ય વ્યવસ્થા કરવી જ રહી. આ મુદ્દાની વાત નવયુગ બરાબર સમજશે અને આખા વખત સેવાભાવી મહાન સત્ત્વાને તે પૈસાના સંબંધમાં સર્વ પ્રકારે નિશ્ચિંત કરશે એટલું જ નહિ પણ થાડા વખત સેવા કરનાર પણ ખીજી રીતે પોતાના ખર્ચ આદિ માટે વ્યવસ્થા કરી શકે તેમ નહિ હાય તા અથવા સેવાના સામાન્ય બદલા લેવાની તેની ચ્છા હોય તા કાઈ પણ જાતની ટીકા કે ગણગણાટ વગર ચાગ્ય બદલા ખુશીથી આપશે અને લેનાર વગર સંક્રાચે તેના સ્વીકાર કરશે. કાર્યમા ૩૧૨ સામાજિક કે ધાર્મિક કાઈ પણ કાર્ય કરનારને પેાતાની અંગત ચિંતા ન જ રહેવી જોઈએ અને તેની હિલચાલ અપ્રતિબદ્ધ ચાલુ રહેવી જોઈએ. એટલેા બદલા લેવા આપવાના વમાન ખ્યાલમાં અને નવયુગના તે સંબંધી વનમાં મારું અંતર પડી જશે, નવયુગ આ સંબંધી મનુષ્યના માનસિક હલનચલનના અભ્યાસી અને વ્યવહારૂ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - -- પ્રકરણ ૨૩ મું ૩૧૩ - રાજકીય અને સામાજિક કાર્ય સેવાભાવે કરનાર તરફ નવયુગ માન અને પ્રેમની નજરે જોશે. જેને કોઈ કામધંધો ન હોય અથવા જેને કઈ સંઘરતું ન હેય તેવા માણસે જાહેર સેવામાં જોડાશે નહિ અને જે હૃદયશુદ્ધિથી જોડાશે તેના તરફ આવા પ્રકારને આક્ષેપ કરવાનું કારણ પણ બનશે નહિ. આવા સેવાભાવી સમાજસેવકે નેતાનું સ્થાન પ્રાપ્ત કરશે છતાં તેઓ પિતાને સમાજના સેવકો જ ગણશે. તેમને શેઠાઈ કરવાની કે મડકમદારી કરવાની ઈચ્છા પણ નહિ થાય અને તેમનું વર્તન ઉઘાડું નિર્દભ સરળ અને સેવાભાવી રહેવાથી લેકે એવા નેતાએને અથવા સેવકોને યોગ્ય માન સત્કાર જરૂર આપશે. નવયુગને રાજકીય ક્ષેત્ર ખીલવવાના પ્રસંગે પણ ખૂબ મળશે. આખા રાષ્ટ્રમાં જે મહા પરિવર્તન ચાલી રહ્યું છે તેની અસર સર્વત્ર જણાશે. આર્થિક સ્થિતિ સુધારવા, સ્થિર રાખવા અને દેશપરદેશ સાથે સંવ્યવહાર કરવા જે અનેક પ્રશ્ન ઊભા થશે તેને સમજી આવેશમાં આવ્યા વગર લાંબી નજરે નિર્ણય કરનાર વિશિષ્ટ અભ્યાસકોની ખાસ જરૂર પડશે અને તેથી એ વર્ગ ઉત્પન્ન કરવા નવયુગ ઉઘુક્ત થશે. રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રભાવનાને જાગ્રત કરવી એ સામાજિક તથા રાજકીય બને પરિસ્થિતિને વિભાગ ગણાશે અને તે એવી રીતે ઝળકાવવામાં આવશે કે જેથી પાડોશી રાષ્ટ્રના ભોગે લાભ લેવા વૃત્તિ નહિ થાય પણ આર્થિક પ્રશ્નની ચર્ચામાં આંકડા વિગતે અને મૂળ મુદ્દાઓને સમજી દેશનું હિત સાધવાની નજરે એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રભાવના ખીલવવામાં સ્વાર્થની દૃષ્ટિ નહિ રહે પણ સમાજસ્વાસ્થની જ ભાવના રહેશે. અને અન્ય રાષ્ટ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન પણ આ દૃષ્ટિબિંદુ સમજતા થઈ જશે અને સર્વનું સાધ્ય અખંડ શાંત અહિંસાભાવનાના પ્રચાર અને અમલનું અને આંતરરાષ્ટ્રીયતા ખીલવવાનું થઈ જશે. આંતરરાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરવા માટે પ્રથમ રાષ્ટ્રીય ભાવના ખીલવવી પડશે, પણ તેનું અંતિમ ધ્યેય રાષ્ટ્રના સ્વાર્થનું નહિ રહે, પણ સમસ્ત વિશ્વમાં પ્રેમભાવ અને શાંતિ વધારવાનું રહેશે. આ સ્થિતિ આવતાં વખત લાગશે, પણ સાધ્ય સમજવામાં નયુગ ગલતી નહિ કરે અને તેને નિરંતર લક્ષ્યમાં રાખી અન્ય રાષ્ટ્રાને તેમ કરતાં શીખવશે, તેમને પણ અહિંસાભાવનાથી ઓતપ્રોત કરશે અને ધીમે ધીમે એ સાબ્વે સને સાથે લઈ પહાંચાડવાનાં મડાણ કરશે. ૩૧૪ આ મહાન કાર્ય કરવા માટે આત્મત્યાગી નિઃસ્વાથ સેવા કરનાર અનેક વિભૂતિઓની જરૂર પડશે અને જરૂર પડશે તેવી ઉત્પન્ન પણ થશે. એ સ્વતઃ નીકળી ન આવે, એને તૈયાર કરવી પડે. એને યાજવી પડે, એને સાધનસંપન્ન કરવી પડે અને એને નભાવવી પડે, આ સર્વ કા નવયુગ કરશે. વ્યક્તિ કાર્ય કર્તા આવા પ્રકારનું કાય કરનાર અનેક નરરત્ના નવયુગને સાંપડશે, તેઓ પેાતાની જાતને, પોતાના કુટુંબને, પેાતાના સમાજને વીસરી જઈ માત્ર અહિંસામય દુનિયા થાય, શસ્ત્રાગારા મર્યાદિત થઈ જાય, લડાઈ વિગ્રહ દ્વારા મનુષ્યના લાહી પડવાના અને કમેાતે મરવાના પ્રસંગેા બનતા અટકી જાય અને ઉચ્ચગ્રાહ સમસ્ત વિશ્વના થાય, એવા સાથી કામ કરનાર મોટી સંખ્યામાં નવયુગ ઉત્પન્ન કરશે. પછી સેવાભાવે કામ કરનાણ તરફ આક્ષેપના પ્રસંમા નહિ રહે, ટીકાની જરૂરિયાત નહિ રહે. જાહેરનાં નાણાંની સલામતી માટે ચિંતા નહિ રહે અને હિસાબ પ્રગટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું ૩૧૫ w૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦ કરાવવા માટે ન્યાયાસન સન્મુખ ફરિયાદ લાવવાની જરૂર નહિ રહે. રાજકીય વિષયનું સાહિત્ય ઘણું વિશાળ છે. આંકડાઓને પાર નથી, રાજનીતિની સ્પષ્ટતા અને કુટિલતા સમજવા યોગ્ય છે અને જે જાહેર પ્રશ્ન પર વિચારણું અને અમલના કાર્યમાં ઉતરે તેને આખે વખત તેના અભ્યાસ અને ચર્ચા પાછળ કાઢવો પડે એવી અત્યારે આપણે દેશની સ્થિતિ છે. રાષ્ટ્રને અંતિમ મુદ્દો (સ્વાતંત્ર્ય) સ્પષ્ટ થઈ ગયું છે, પણ ત્યાં પહોંચવાના માર્ગો ઘણા વિષમ છે, સ્થાપિત હક્કો બહુ આડે આવે તેમ છે અને આજીવન સેવાભાવી મનુષ્ય વગર પરાધીનતાની બેડી જાય તેમ નથી. ઊંડા ઉતર્યા વગરના ધર્મના ભેદે આંતરે વધારતા જાય છે, જીવનકલહ વધતું જાય છે અને કાર્યનું ક્ષેત્ર ઘણું વિશાળ દીર્ઘ અને દીર્ધ સેવા માગે તેટલું મોટું છે અને વધારે મેટું થતું જાય છે. આ સર્વને પહોંચી વળે અને રાજકીય સેવા દ્વારા અહિંસાનો પ્રચાર કરે, સત્યને ઉપદેશ કરે, પિતાના દષ્ટાંતથી સમસ્ત વિચારક દુનિયા પર છાપ પાડે અને વસ્તુના ઉપર ઉપરના ખ્યાલથી લેવાઈ ન જતાં મૂળ સુધી ઉતરી જાય અને નિદાન મુદ્દામ સમજી ચિકિત્સા કરે તે જ અત્યારે મહા કષ્ટસાધ્ય કોટિમાં પડેલી આર્યમૈયાને પુષ્ટ કરી શકાય તેમ છે. પાછળના અનુભવને અભ્યાસ કરી, પિતાની જાતને વિસરી જવાની રીત શીખી, સમાજને પિતામય કરી દેનાર અથવા પોતાની અને સમાજની વચ્ચે એકતા સાધનાર, આવા વિશાળ હૃદયના આર્ય સંતાને નવયુગ ઉત્પન્ન કરશે. એ પાર્થિવમાં સર્વસ્વ માનનાર પાશ્ચાત્ય પ્રજાને ઉન્નતિના, અહિસાના, એકતાના પાઠ શીખવશે, એ પાશ્ચાત્ય પ્રજાની વ્યવસ્થા અને શિસ્ત આ દેશમાં દાખલ કરશે અને ધર્મના મજબૂત પાયા ઉપર ચણતર કરી અખ્ખલિત પ્રગતિ કરી ભારતમયાને ચીરસ્થાયી બનાવશે. એમાં શ્રી મહાવીરની અહિંસા, શ્રી બુદ્ધને ત્યાગ, શંકરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ નવયુગને જૈન ચાર્યનું અદ્વૈત સુંદર ભાગ ભજવશે. આ ભૂમિકા ઉપર હિંદ અંદર અંદરની એકતા કરી આંતરરાષ્ટ્રીયતા સાધશે. અહિંસાના પાયા ઉપર હિંદમૈયા માટે વિશાળ ભવિષ્ય પડેલું છે અને તેની સિદ્ધિ નવયુગને શ્રીહસ્તે થવાની છે. રહસ્ય સવરૂપ આ વાતની શક્યાશક્યતા પર, ધર્મની આદેયતા પર, નવયુગને ધર્મ સાથે સંબંધ રહેશે કે નહિ એ પ્રશ્ન પર ઘણું વક્તવ્ય છે, પણ અત્ર તે તેનું પરિણામ જ બતાવ્યું છે. આ રીતે જ ભવિષ્યને ઇતિહાસ અત્યારે ઘડાતું જાય છે એ બાબત શંકા કરવા જેવી નથી અને ધાર્મિક ભાવના ઘણી ઊંડી ઉતરતી જાય છે તે અભ્યાસ કર્યા વગર સમજાય તેવું નથી. ધર્મનું બાહ્ય ક્રિયાસ્વરૂપ જુદું છે અને ધર્મનું આંતર હાર્દ તદ્દન જુદું છે. અત્યારે બાહ્ય ધમાલે દેખાવો કે આડબરે એાછા થાય અથવા ધર્મના બાહ્ય સ્વરૂપમાં જમાનાને ગ્ય ફેરફાર થતું જાય તેમાં ગભરાવાનું નથી, દશ વર્ષ પર ઢેડ કે ચમારને અડી જતાં સ્નાન કરનાર અત્યારે તેમનાં વાસસ્થાનમાં જઈ અનેક પ્રકારે કાર્ય કરવા લાગી ગયા છે તેથી પ્રાચીનેને ધર્મ ચાલ્યું જાતે લાગે છે તેથી પણ મુંઝાઈ જવાનું નથી. બારીક અવલોકન કરી અભ્યાસ કરનાર અત્યારે જોઈ શકે છે કે ધર્મ ભાવના ખૂબ જડ ઘાલતી જાય છે, વધારે મક્કમ થતી જાય છે અને શેષનાગને માથે ખીલા ઠેકાતા જાય છે. આ વિશાળ ભાવનાને – આ જગદ્વાત્સલ્ય ભાવને – આ વિશ્વબંધુત્વને રાજ્યદ્વારી ભૂમિકા ઉપર ખૂબ અવસર મળવાને છે, એને નામ ગમે તે આપે, પણ તેના હાર્દમાં સેવા ધર્મ અને સંયમ જ છે. નવયુગ એને ખૂબ પોષશે, એને ખૂબ બદલાવશે, એને ખૂબ સકારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું નવયુગની નારી એને માટે જુદા ઉલેખની જરૂર ખરી? નવયુગના પુસ્તકમાં સ્ત્રીઓ સંબંધી જુદુ પ્રકરણ લખવાની ખાસ જરૂર ન હોય. કારણ કે સ્ત્રીઓના સમાન હક્કન જે યુગ સ્વીકાર કરે તેવા યુગમાં સ્ત્રીઓ સંબંધી જુદે ઉલ્લેખ થાય છે તે સ્ત્રીઓ જ સહન ન કરે. આ વાતમાં અતિશયોક્તિ નથી, સત્ય છે તે આ પ્રકરણ વાંચતાં સહજ જણાઈ આવશે. સ્ત્રીઓમાં આવડત વિચારશક્તિ અને કાર્યને અમલ કરવાની કેટલી શક્તિ છે તે બતાવવાની તક મહાવિગ્રહે સ્ત્રીઓને યુરોપમાં આપી તે તેમાં સ્વાતંત્ર્ય હિમત જુસ્સે અને સહનશક્તિ કેટલી છે તે સિદ્ધ કરવાની તક હિંદના રાષ્ટ્રીય યુદ્ધ તેમને આપી. એવા એવા દાખલાઓ બન્યા છે કે એક એક કિસ્સો વાંચી રેમ વિકરવર થાય. ન કલ્પેલું બન્યું છે અને ઉઘાડી આંખે તે જોયું અથવા વાચ્યું છે. એ દાખલાનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, પણ એનું નિદર્શન એટલા માટે કર્યું છે કે એનાથી એમ બતાવાય કે સ્ત્રીશક્તિ હવે ખરેખર જાગી ઉઠી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ નવયુગના જૈન સ્ત્રીઓને અન્યાય કરવામાં બાકી સ્ત્રીઓને અન્યાય રાખેલ નથી. આ વિચારણામાં તેનું સ્થાન આલેખાઈ ગયું છે. એને વેચવાની વસ્તુ ગણી છે, એના મનુષ્યત્ત્વના સાદા હક્કો ઉપર છીણી મારી છે, એનામાં જાણે લાગણી આત્મા નથી, એને વ્યવહારમાં કાંઈ સ્થાન નથી—એ રીતે પ્રાચીનેાએ એની સાથે વન ચલાવ્યું છે અને એ પણ પરાધીનતા અજ્ઞાન અને મૂર્છામાં એટલી કચરાઈ ગઈ હતી કે એને માટે બીજા પ્રકારના જીવનની શક્યતા પણ તે પોતે કલ્પી શકતી નહતી. ગુલામેાને ગુલામગીરીમાંથી છેડવા ત્યારે તે રડયા હતા, કારણ કે એને ગુલામગીરી સિવાય ખીજી વસ્તુનું ધ્યાન કે જ્ઞાન નહેાતું. સ્ત્રીઓને એટલી કચરી છે કે એકની હયાતીમાં એ ત્રણ ચાર અને હજારા પણ પરણી શકાય એ ધેારણ માન્ય થયું, માત્ર એની મર્યાદા મૂકવી હોય તેા તેમાં પણ પુરુષને અધિકાર, સ્ત્રીને ખેલવાના અધિકારી નહિ, અભિપ્રાય આપવાના હક્ક નહિ અને વાંધા રજુ કરવાની આવડત નહિ. સ્ત્રીઓને કદિ જ્ઞાતિ કે સંધ સમક્ષ કદિ ખેાલવા દીધી નથી, તેમને હાજર રહેવાની તક આપી નથી, તેમના પ્રતિનિધિને પણ સ્થાન નથી મળ્યું અને તેમના સંબંધીના સ ઠરાવા હુકમનામાએ કે "સલાએ તદ્દન એકતરફી થયા છે અને તેમ કરવાના પુરુષવના અનાદિસિદ્ધ હક્ક હાય તે સંબંધમાં પ્રાચીનેને કદ્ધિ શંકા પણ પડી નથી. આવી રીતે વ'શપર પરાગત ઉતરી આવેલું સામ્રાજ્ય ભગવા ભાગ્યશાળી થયેલા પુરુષવ એટલે તે પોતાના સ્વાર્થમાં ઉતરતા ગયા કે એણે જે જે દરાવા કર્યો તે સ માત્ર પુરુષની સગવડ લક્ષમાં રાખીને કર્યો, એણે સ્ત્રીઓનાં દૃષ્ટિમ્બિંદુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪મ ૩૧ દિ જોયું નહિ, અને જોવાની જરૂરીઆત તેમને પરિસ્થિતિને અંગે લાગી પણ નહિ. એ પરિસ્થિતિ એ કારણે સ્ત્રીને અજ્ઞાન રાખવાની પ્રથા. એને ક્યાં નાકરી કરવા જવી છે? ઉત્પન્ન થઈ હતીઃ એક તા છેકરીએ ભણીને શું કરવું છે? આ દલીલની પછવાડે રહેલ સ્વાર્થ અને તુચ્છતા બહુ વિચારવા જેવા છે. જ્ઞાનના ઉદ્દેશ નાકરી જ હાય તો કાઇ લીલને અવકાશ જ નથી. વિવેકચક્ષુનું સ્થાન ભૂલી જવાયું અને સ્ત્રીને અભણ રાખવામાં પુરુષ વને ખાસ સગવડ જણાઈ. અને બીજું સ્ત્રીઓએ અમુક મર્યાદા—લાજ રાખવી જોઈ એ એવા સમજ્યા વગરના, પૃથક્કરણ કર્યાં વગરના અને નૉં સ્વાર્થી વિચાર. આથી પેાતાની સ્થિતિ સંબંધી વાંધા ઉઠાવનાર સ્ત્રીને સમાજમાં સ્થાન ન રહે, એ ઉદ્ધૃત ઉચ્છંખળ કહેવાય અને એને ઉખડી ગયેલી કહેવાની નિર્માર્યાદિત ધૃષ્ટતા પણ પુરુષો કરે. એટલે આ લાજમરજાદાના ઓઠા નીચે સ્ત્રીઓને તદ્દન નિર્વાક્ બનાવી દીધી. આ બે બાબતને પરિણામે સ્ત્રાની શી દશા થઈ તેનું વન નવયુગની નજરે લખ્યું જાય તેમ નથી. એનું વર્ણન કરતાં આંખમાંથી આંસુ પડે એવી સ્થિતિ થઈ : સમાજે તેને ચલાવી લીધી, પુરુષવગે તેને વધાવી લીધી, મૂખ અક્કલ વગરના અભણ છે.કરાઓ પરણવા મ`ડી ગયા, ધનવાના બે ત્રણ ચાર સ્ત્રીઓ પરણવા મ’ડી ગયા અને વિધવાઓને ફરજિયાત બ્રહ્મચર્યાં છતાં એના ભરણપોષણ કે રહેઠાણની સગવડ કરવામાં પણ ગલ્લાંતલ્લાં થવા માંડ્યાં. જ્ઞાતિઓએ જે કાયદાએ કર્યા નહિ, એની અવદશા માટે એક મીડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com એમાં પણ સ્ત્રીઓનું પ્રકરણ શબ્દ નહિ, એની સગવડ Page #345 -------------------------------------------------------------------------- ________________ નવયુગના જૈન માટે એક પણ વ્યવસ્થા નહિ. હૃદયને ભેદી નાખે એવા રાતાં સાળુઓની પછવાડેનાં દુઃખાને કાઇ ના દિલાસા પણ નહાતા અને અપશુકન રૂપે ગણાતી વ્પરપગીને પિયરમાં માન નહિ અને સાસરામાં પેટ ભરીને ખાવાનું નહિ. એશિયાળા અપશુકનિયા જિંદગીમાં ઉદ્દેશ ન રહેતાં જીવનરસ ઉડી ગયા અને એની સંખ્યા વધતાં દેશ દિરડી અને હાસક્રાસ વગરના અને મંદ થઈ ગયા. ३२० આ આખી કથા ભારે જબરી છે. અહીં અટકી જઈએ. આ બાબતની ખાતરી કરવી જ હાય તો એક વાત જોવાથી તેને પાર્કે નિશ્ચય થશે. તમે જાણતા હશે। કે પરિવર્તનકાળની શરૂઆતમાં જ્ઞાતિએ સન્નદ્દબદ્દ થવા માંડી. શેઠિયાઓએ પોતાની સત્તા ચાલી જવાનાં પગરણા જોયાં એટલે કેટલાક લેખિત ઠરાવા ‘નાતના ધારા 'ને નામે કરવા માંડ્યા. અનાદિ કાળથી જે લખાયું નહોતું તે લખાવા માંડયું, પણ એ લખેલું કે છાપેલું ધારાના નામથી આગળ ધરાનું ચિત્ર વાંચશે। . । તેમાં એક પણ ધારા સ્ત્રીના દૃષ્ટિબિંદુથી ઘડાયેલા નહિ જણાય. અને જ્યારે જ્યારે કાઈ નવયુગની આગાહી કરનારા યુવકે સ્ત્રીના પક્ષ લીધા હશે ત્યારે એની વગેાવણી કેવી થઈ છે તે આખા ઇતિહાસ ઉખેળવા યોગ્ય છે. મતલબ એ છે કે સ્ત્રીની નજરે કાઈ પણ કાયદા અત્યાર સુધી થયેલા જાણવામાં નથી. આવા અનેક કારણાથી સ્ત્રીશક્તિ ખાઈ ગઈ, વિકૃત થઈ ગઈ, ચૂપ થઈ ગઈ અને પરિણામે એને ન્યાય કરનાર કે એને માટે વિચાર કરનાર પુરુષો જ હાઈ શકે એ વાત સિદ્ધ થઈ ગઈ. આ વાત તો હજારો વર્ષથી ચાલે છે એટલે એથી ઉલટી વાત હાઈ શકે એમ સ્ત્રીઓને પણ લાગ્યું નહિ અને પુરુષોનું નિષ્ક ટક રાજ્ય ચાલ્યા કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪મું ૩ર૧ પરિવર્તનકાળની શરૂઆતથી વાજું ફરવા માંડયું. છોકરીઓ વિદમાં ભણવા લાગી, પણ ભણી એટલે એની આંખે ઉઘડવા માંડી. છતાં બાપદાદાથી ઉતરી આવેલા લાજના વાસાએ એને નિર્વાફ ચાલુ રાખી પણ અંદરખાનેથી ધનધનાટ શરૂ રહ્યો. સ્ત્રીશક્તિ અને જાહેર સેવા દરમ્યાન ગુજરાતના ગામડેગામડાને ઢઢળી એક મહાત્મા ડાંડી સુધી પહોંચી ગયા. આખું હિંદુસ્તાન જાગ્યું. મહાત્માએ સ્ત્રીશક્તિને આન કર્યું, તેને જપતા – પિકેટીંગનું કામ સોંપ્યું. એ કાર્યમાં સ્ત્રીઓએ અસાધારણ સહનશક્તિ, શૌર્ય અને આવડત દાખવ્યાં, ન કલ્પી શકાય તેવા ભોગે આયા, કારાવાસને મહેલનિવાસ માન્યાં અને આખી જનતાને જગાડવા સાથે સ્ત્રીસામર્થ શું છે તેને દાખલો બેસાડ્યો. ઠામ ઠામ ન માની શકાય તેવાં દષ્ટ બન્યાં અને સ્ત્રીઓ પિતે ન માને તેવી શક્તિ તેનામાં ગુપ્ત છે અને હજુ પણ તેને માટે ભવિષ્ય છે એમ સિદ્ધ થયું. નવયુગની નારી આટલી હદે તે હજુ પરિવર્તનકાળમાં જ સ્ત્રીઓ આવી છે. નવયુગમાં તેનું સ્થાન શું રહેશે તે નવયુગની નજરે હવે જોઈ જોઈએ. નવયુગમાં સ્ત્રીઓ ખૂબ ભણશે. પુરુષ જે ભણે તે સ્ત્રી પણ ભણી શકે એવું ધોરણ રહેશે. સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર જુદું હોઈ તેને જુદા પ્રકારની કેળવણી આપવી જોઈએ એ આ સિદ્ધાન્ત ઉડી જશે. પ્રાથમિક શિક્ષણ સર્વ બાળાઓ લેશે. ત્યાં સહશિક્ષણ ચાલશે. ત્યાં શીવણ, સ્વચ્છતા, રસોઈ અને ગૃહઉદ્યોગને પ્રાધાન્ય મળશે. મધ્યમ અને ઉચ્ચ અભ્યાસ અનેક સ્ત્રીઓ કરશે. તેઓ પુરુષ સાથે અનેક બાબતમાં હરિફાઈ કરશે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ३२२ નવયુગને જૈન સ્ત્રીઓનાં ભાષણમાં રસ વધારે આવશે. તેમની સ્વાભાવિક કમળતા અને નૈસર્ગિક પારખશક્તિ તેમને વધારે આકર્ષક બનાવશે. તે કોઈ પણ સંસ્થાની વ્યવસ્થામાં પુરુષવર્ગ પર આધાર નહિ રાખે. એ સ્ત્રીઉપયોગી અનેક નવીન સંસ્થાઓ ખેલશે. ત્યાં અનેક સ્ત્રીઉપયોગી કાર્યો ગોઠવશે, તેની યોજના કરશે અને તેને અમલ કરશે. - સ્ત્રીઓની સંસ્થા તદ્દન નવીન રૂપ લેશે. એની પદ્ધતિમાં મૌલિક્તા જણાઈ આવશે. એ વ્યવસ્થા કરવામાં બરાબર પારંગત નીવડશે. એ પુરુષોના અનુભવને લાભ લેશે, પણ તે તેની પરવાનગી અને ઈચ્છા ઉપર આધાર રાખશે. પુરુષોએ એને સ્વાતંત્ર્ય આપવામાં કાંઈ મહેરબાની કરી એ સ્વીકાર સ્ત્રીઓ નહિ કરે. સ્ત્રી સેવાના પ્રકાર સમાજસેવાની નજરે જોઈએ તો કેટલાંક ક્ષેત્રે સ્ત્રીઓ સુવાંગ હસ્તગત કરી લેશે. માંદાની માવજત, આરોગ્યગ્રહોની વ્યવસ્થા, પ્રકૃતિને લગતી સંસ્થાઓ વગેરે સ્ત્રીઓ હરતક જ રહેશે. એ ઉપરાંત સ્વયંસેવિકા તરીકે રાષ્ટ્રહિતના કામમાં સ્ત્રીઓ ભોગ આપીને આગળ પડતે ભાગ લેશે. એ મ્યુનિસિપાલિટીઓમાં મોટી સંખ્યામાં આવશે. એ પ્રાંતિક અને મધ્યવતી ધારામંડળમાં પૂરતો લાભ લેશે. એ મતદારમંડળ સ્થાપશે. એ મતદારને વર્ગ વધારશે. એ જાતિભેદને વિસરાવશે. અને બહુ જુજ વખતમાં પુરુષો જેટલી જ સંખ્યામાં પિતાના મતના બળથી અને કામ કરવાની સીફતથી આવી પહોંચશે. એ સ્થાનિક સ્વરાજ્યમાં કે પ્રાંતિકમાં કે મધ્યસ્થમંડળમાં મહેરબાનીથી સ્ત્રીઓ માટે જુદી જગ્યા રાખવાની વાત પસંદ નહિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું ૩ર૩ એ ઉપરાંત અનેક જાહેર સેવાના પ્રસંગે એ હાથ ધરશે. એ પિતાના વખત અને ધનને વ્યય કરીને પણ સેવાકાર્ય પ્રેમથી કરશે અને એની કામ કરવાની ફુર્તિ હિમત અને દક્ષતાથી એ સર્વનાં મન હરી લેશે. પ્રાથમિક શિક્ષણ પુરુષવર્ગનું પણ સ્ત્રીઓ ચલાવશે અને તે વધારે સારી રીતે અસરકારક રીતે ધોરણસર ચલાવશે. એ ઉપરાંત એ સર્વ ધંધાઓમાં પ્રવેશ કરશે. ખાસ કરીને એ દાક્તરી લાઈનમાં સર્વથી વધારે ફતેહ મેળવશે અને અહીં તહીં વકીલાત ઇજનેરીમાં પણ એ માથાં મારશે. વ્યાપારમાં પણ એ ભાગ લેશે અને વેચવાનું કાર્ય પુરુષ કરતાં વધારે બાહશીથી ચલાવશે. આવી રીતે પુરુષના ક્ષેમાં સ્ત્રીઓ ભાગ લે તેથી કેટલોક વર્ગ ખળભળી ઉઠશે તેની સ્ત્રીઓ દરકાર નહિ કરે. તે મક્કમતાથીચીવટથી–જેસથી આગળ ધપશે અને જેમ આગળ વધતી જશે તેમ તેને નવી દિશા સૂઝી આવશે. એ જ્ઞાતિના અને સંઘના મેળાવડામાં બરાબર ભાગ લેશે અને પુરુષવર્ગને શિક્ષણીય પાઠ આપશે. નાતના પ્રાચીન શેડીઆઓ આ જાતનું આક્રમણ સહન નહિ કરી શકે, એમાં એને પિતાની સત્તા જતી લાગશે, એ સ્ત્રીઓ ઉપર ઉદ્ધતાઈને આરોપ કરવા પણ લાગી જશે, પણ અંતે એની સર્વ દલીલે એના ગળામાં જ પાછી આવશે. પ્રચંડ શક્તિ એક વાર જાગ્યા પછી એને શેઠીઆઓને દમ કે આગેવાનોને ભય નહિ રહે અને એની દલીલ એટલી મજબૂત આવશે કે આંખમાં આંસુ લાવીને પણ એના ઠરાવો સાથે સંમતિ બતાવવી પડશે. સ્ત્રીઓ સાથેના વર્તનને અંગે સ્ત્રીઓ એટલું કહી શકે તેમ છે કે એને બેસવાની દલીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ નવયુગને જૈન શોધવા જવું નહિ પડે અને આ જીવનપ્રવાહ એને થયેલા અન્યાયથી સણસણતે હોઈ માત્ર એને તે કોઈ કાર્ય ઉપાડવાની જ વાત રહેશે. સ્ત્રી પિતાની સત્કીર્તિને અને પ્રગતિને લગતું ગમે તે નાનું કે મોટું કામ હાથ ધરશે તેમાં તેને પાછા પડવાને પ્રસંગ નહિ આવે. સ્ત્રીના આગમનને વધાવવા નવયુગ ઉઘુક્ત રહેશે અને કોઈ કાઈ રહ્યાહ્યા પ્રાચીને બૂમ પાડશે તે તે અરણ્યરૂદન જેવું થશે. ઉચ્ચ અભ્યાસમાં સહશિક્ષણને તેમ જ અલગ શિક્ષણને ક્રમ ગોઠવાશે. અનુકૂળતા પ્રમાણે બનેને લાભ સ્ત્રીવર્ગ લઈ શકશે. મોટાં મોટાં વિદ્યાર્થીગૃહો સ્ત્રીઓ માટે અલગ કાઢવામાં આવશે. ત્યાં ગૃહપતિ તરીકે સેવાભાવી સ્ત્રીઓ જ રહેશે અને સર્વ આંતર વહીવટ સ્ત્રીઓ જ ચલાવશે. એ ઉપરાંત મેટી હોસ્પીટલો પણ સ્ત્રીઓ નભાવશે અને ચલાવશે. ત્યાં માંદાની માવજત એ તેને વિશિષ્ટ અને અંગત વિષય રહેશે. પ્રસૂતિગૃહે આદર્શ બનશે. સુવાવડમાં અથવા સુવાવડને પરિણામે મરણસંખ્યા નહિવત થઈ જશે. વ્યાપાર આદિ જાહેર સર્વ સ્થાનમાં સ્ત્રીઓને પૂરતો અવકાશ મળશે અને તેને તે પૂરતો લાભ પણ લેશે. જ્ઞાનથી વંચીત રહેલી સ્ત્રીઓ જ્યારે એકવાર અભ્યાસ કરશે, કેળવણીની આરપાર ઉતરી જશે, એટલે સેવાના તથા ધંધાના, કરીના તથા અમલદારીના સર્વ કાર્યમાં એ દાખલ થશે. જાહેર સેવા અને જાહેર જીવનમાં સ્ત્રીઓને મળવાના અવકાશ પૂરતી વાત સામાન્ય પ્રકારે નવયુગની દષ્ટિએ થઈ. હવે ગૃહજીવન કેવું થશે તે પર નવયુગ ખાસ ધ્યાન આપશે અને સ્ત્રીઓ સ્વતઃ જ નવીન પરિસ્થિતિ ઉભી કરી લેશે. તેને નિર્દેશ નીચે પ્રમાણે પ્રાપ્ત થયો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪મું ૩૨૫ ગૃહજીવન નવયુગની સ્ત્રી ઘણી સુવડ થશે, ખૂબ સ્વચ્છ થશે. તે દરરોજ સ્નાન કરશે. દરરોજ બાલ સાફ કરશે. એના કપડાંમાં રાષ્ટ્રીય ભાવના અને સાદાઈ આવી જશે. મધ્યયુગમાં ચાર રૂપીઆના કપડાં પર પચાસ રૂપીઆના તીનમીનીઆ અને દેરીઓ લટકતી એ સર્વ ખલાસ થઈ જશે. એને બદલે અતિ અલ્પવ્યયી તદન સાદે પણ આકર્ષક સ્વદેશી પિોષાક સ્થાન લેશે. સ્ત્રીઓમાં રસોઈ તૈયાર કરવાની કરાવવાની ખાસ આવડત આવશે. વાનીઓના પ્રકાર અને વિવિધતા ખૂબ વધશે. દેશ પરદેશની ચીજો નવીન નવીન રીતે તૈયાર થશે અને વસ્તુઓ ધોરણસર તૈયાર કરવાનું જ્ઞાન એક કેળવણીના પ્રકાર તરીકે ફેલાવવામાં આવશે. વિવિધતા તથા અલ્પ વ્યય, વિશાળતા સાથે કરકસર, નૂતનતા સાથે સંયમ, આવા અકલ્પનીય દ્રો નવયુગની સ્ત્રીઓ સાધશે. અને તેમ કરવામાં તેની નૂતન શિક્ષણ પદ્ધતિ તેને ખૂબ મદદ કરશે. “ઘર એ ઘર નથી પણ ગૃહિણી એ ઘર છે' એ પ્રાચીન કાળનું સૂત્ર જે વચગાળના વખતમાં ભૂલાઈ ગયું હતું તેને એ જીવતું કરશે. સ્ત્રીઓ માત્ર ગૃહકાર્ય જ કરશે એવું તે નહિ રહી શકે, પણ ઘરને આકર્ષક સ્વચ્છ વ્યવસ્થિત બનાવશે. કેળવણીનું જે અનિવાર્ય પરિણામ આવવું કલ્પી શકાય તે ગૃહમાં દેખાશે. ઓછા ખરચે ગૃહઉપસ્કર વ્યવસ્થિત દેખાશે, ચીજોની ગોઠવણમાં સુઘડતા દેખાશે, સાદાઈની અંદર કળા દેખાશે, આરોગ્યની વ્યવસ્થામાં વિવેક દેખાશે. પારણામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળશે બાળઉછેરની કળા નવા ધોરણ પર થશે. ઘરમાં બાળકે “રેયા પીટયા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ નવયુગને જૈન સાંભળવાને બદલે “ભાઈ, બાબુ’ એવા શબ્દો સાંભળશે અને હાલરડામાં જ્ઞાન મેળવતાં થઈ જશે. ભણેલી માતાઓના બાળકે માં જે ભાત પડતી પરિવર્તન કાળમાં દેખાય છે તેના કરતાં પણ વધારે વધારે પ્રગતિ થતી જશે. રસોઈમાં વિવિધતા આવશે, બેલાચાલીમાં સભ્યતા આવશે, ઘરે જતાં કંટાળે નહિ આવે, પણ જવાનું મન થાય તેવું ત્યાં સુંદર વાતાવરણ જામશે, ક્લેશકકાસ ઘણા ઓછા થઈ જશે પણ વ્યક્તિવાદ ઘણો વધી જશે. નવયુગની નારીઓ પરાધીનતામાં બહુ નહિ માને. એને અંગત ઘર જોશે અને એ જે કરી શકે તેવું હશે તે જ પરણવાને વિચાર કરશે. સંયુક્તકુટુંબને આ ખ્યાલ તદન તૂટી જશે અને વ્યક્તિ સ્વાતંત્ર્ય ઘણું વધી જશે. બાકી કેઈએમ ધારે કે નવયુગમાં આ મૃત્યુલેક સ્વર્ગ થઈ જશે તે તેવું તે કાંઈ થવાનું નથી, પણ અત્યારે સેએ પંચાણું ટકા કજોડાં છે, લાકડે માંકડાં વળગાડી દીધેલાં છે અને કલેશકકાસ અને ત્રાસના વાતાવરણને મેટો ભાગ જોવામાં આવે છે તેને બદલે ઘર આરામની વસ્તુ થશે. અત્યારે આદર્શ દાંપત્યના દાખલા રડ્યાખડ્યા મળી આવે છે તેને બદલે નવયુગમાં તેના ટકા ઘણા વધી જશે. મધ્યમ વ્યવહારુ જંદગી કાઢનારા પણ સારી સંખ્યામાં મળશે, પણ સાથે કુંવારા રહેવાને શેખ અને વર્ગમાં વધતા જશે. નવયુગના ઘણા રિવાજે હેતુસર બંધાતા જશે. પૂર્વકાળની સામે સખ બળવો થશે અને સુકા સાથે કેટલુંક લીલું પણ બળી જશે. મહાન ફેરફાર થાય ત્યારે અમુક ભાંગતડ અનિવાર્ય છે તે ધરણે સમાજનું આખું બંધારણ નવરચના પામતાં કેટલીક વાતે ગમે કે ન ગમે પણ ફરી જ જશે અને તેનાં કારણોમાં સ્ત્રી જાતિ તરફ બતાવેલી ઉપેક્ષા અને ઘણું અગત્યની દલીલો થઈ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪મું ૩ર૭. સ્ત્રી જાતિનું નીતિનું ઘેરણ ઉન્નત થશે. લાજધુમટા નીકળી જતાં ગૂઢ તત્વ દૂર થઈ જશે અને તેથી થતાં પ્રછન્ન સ્મલને ઓછાં થઈ જશે. સ્ત્રીઓ પુરુષની સમાન કક્ષાએ ઊભી રહે ત્યાં પછી સ્કૂલના ઓછી થવાને જ સંભવ રહે. આ માનસશાસ્ત્રને ઊંડે સિદ્ધાંત છે. ઘુમટામાં કે પડદા પાછળ રહેલ કેણ હશે, કેવું હશે તે જાણવાની જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસા કલ્પના દ્વારા વિકાર લાવે છે, પણ ઉઘાડી રીતે ચાલુ રીતે જનાર આવનાર કોણ છે તે જાણવાની કે જોવાની કોઈને દરકાર પણ રહેતી નથી. એકંદરે નીતિનું ધોરણ વધારે સારું રહેશે. બ્રહ્મચર્યને અંગે વિચારમાં આર્થિક કારણે મેટે ફેરફાર થશે. સંતતિનિયમનના વિચાર વધારે ફેલાશે. સ્ત્રીઓને પ્રજોત્પત્તિ કરવાનો સંચો માનવાના દિવસે ચાલ્યા જશે અને સ્ત્રીની વૃત્તિ વધારે અંકુશવાળી હોઈ તેને સ્થાન મળશે, તેના વિચારને આદર મળશે અને તેને પ્રચાર વધતું જશે. એકંદરે સ્ત્રીઓનું માનસિક વાતાવરણ ફરી જતાં તેમની સાથે કામ લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થઈ જશે અને તે એટલે મોટો થઈ જશે કે નવયુગના મંડાણ થયા પછી વીશેક વર્ષ પછી આખા સમાજની જે પરિસ્થિતિ થશે તે આજે કોઈ માને નહિ તેવી થઈ જશે. ગૃહજીવન કેવું થશે તે આ ધરણે વિચારવું. પ્રકીર્ણ સ્ત્રીઓના સંબંધી છૂટક છૂટક ઘણું ચર્ચાઈ ગયું છે. કેટલીક અગત્યની બાબતમાં મુકતેચીની કરી આ વિધ્યને બંધ કરીએ. અત્યારે જેમાં લાજ મર્યાદા સ્ત્રીઓમાં મનાય છે તે પડદે કે લાજ નવયુગમાં નામનિશાન માત્ર પણ નહિ રહે. નવયુગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ નવયુગને જૈન છોકરીઓ એ રિવાજને જંગલીપણાને અવશેષ ગણશે. સ્ત્રીઓની પરાધીન દશાના નમુના તરીકે એનાં નાટક વિનેદ માટે ભજવાશે. એનો અર્થ એમ ન થાય કે સ્ત્રીઓ લાજશરમ છેડી દેશે. સ્ત્રીઓ લાજમયદા બરાબર રાખશે, પણ ઘુમટો તાણવામાં લાજને થઈ રહેલે ધ્વંસ, મર્યાદાનો હાસ અને ઢગની ભવાઈ અભરાઈએ ચઢાવવામાં આવશે. - સ્ત્રીઓ રાજકારણના સર્વ વિભાગોમાં ભાગ લેશે તે ઉપર જોયું છે. એ ઉપરાંત સામાજિક સંસ્થાઓમાં પૂર જેસથી એ કામ લેશે. ત્યાં સુધીમાં જ્ઞાતિઓ ખલાસ થઈ ગઈ હશે, છતાં એના કાંઈ અવશેષે રહ્યાં હશે તે તેઓ સ્ત્રી વગર સ્ત્રી સંબંધી ફેંસલો નહિ કરી શકે, એકતરફી હુકમનામું પસાર નહિ થઈ શકે. નવયુગની છોકરીઓ જ્ઞાતિના આગેવાન પુરુષોના ફેંસલા આપવાના હક્ક સામે સમ્ર વધે અને બળવો ઉઠાવશે અને ત્યારે અનેક ગૂંચવણવાળા પ્રશ્નો ઉભા થઈ પરિણામે ભાંગી પડતી જ્ઞાતિઓને છેલ્લે મોટો કડાકે સાંભળવો પડશે. સંઘના બંધારણમાં સ્ત્રીઓ સ્થાન લેશે. એ પિતાના બળથી જ એ સ્થાન પ્રાપ્ત કરશે. નવયુગની કેળવાયલી છોકરીઓ પુરુષની મહેરબાનીથી કોઈ વાત નહિ સ્વીકારે. એ પિતાના હક્કને સવાલ આગળ કરી પોતાનું સ્થાન માગી જ લેશે અને તેમના હક્કને સ્વીકાર પુરુષોએ ફરજીઆત કરવો જ પડશે. વિધવાઓને પ્રશ્ન નવયુગને જરા પણ નહિ. મુંઝાવે. એને નીકાલ કેવી રીતે થશે તેની આખી રૂપરેખા સામાજિક પ્રશ્નોની વિચાણામાં આવી ગઈ છે તે અત્રે પ્રસ્તુત છે. (જુઓ પૃ. ૨૧૫ અને આગળ). વિધવાઓને માટે કાર્યક્ષેત્રો એટલાં ઉભાં થશે અને તેને લાભ તે એવી સુંદર રીતે લેશે અને નવયુગમાં સેવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪સુ ભાવના એટલા પ્રસાર થશે કે અત્યારે એ પ્રશ્ન મુંઝવણ કરે છે તેવું નવયુગમાં કાંઈ નહિ રહે. વિધવાને પરણવું જ હોય તા તેને છૂટ આપવામાં આવશે, પણ તેવા દાખલા બહુ એછા બનશે. ૩૯ રશિયા વગેરે દેશામાં લગ્નનું બંધન નામનુ રહ્યું છે, છૂટાછેડા વધતા જાય છે અને નીતિના સવાલ લગભગ ઉડી ગયા છે. તેમાંનું હિંદમાં કાંઈ થવાનું નથી. નવયુગમાં હિંદને વિકાસ તદ્દન નવીન ધારણ પર થનાર છે. એક દેશમાં બન્યું તે અહીં પણ બનશે એમ ધારવાનું કારણ નથી. કેળવણીને પ્રસાર થયા છતાં પૂર્વ કાળના વારસા તદ્દન પ્રજાએ મૂકી શક્તી નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને નવયુગનું ધારણ ભાંગતાડનું તેા રહેવાનું જ છે, પણ એની ભાંગતાડ અક્કલવાળી–ધારણવાળી સમજણુ પૂર્ણાંકની થવાની છે એ પણ સાથે ધ્યાનમાં રાખવું. સ્ત્રીઓના વિકાસ ખૂબ થશે તેટલે જ પુરુષને થશે તાજ જૈન કન્યાએ જૈનને પરણશે, નહિ તે ભારે વિસંવાદ ઉભા થશે. કેળવણીના પ્રચાર સાથે અંતે સમાનયશીલ અને ધર્મવાળા મળી જશે. આ સ્થિતિ અમુક ભાંગતા થયા પછી સુવ્યવસ્થિત રીતે ગેાઠવાઈ જશે. ― સ્ત્રીઓની લાગણી અને પુરુષોની સાહસવૃત્તિ, સ્ત્રીઓની નરમાશ અને પુરુષોની પ્રેરકવૃત્તિ, સ્ત્રીઓની . સ્વભાવ પારખવાની - શક્તિ અને પુરુષાની કામ પાર પાડવાની શક્તિ — આવી અનેક શક્તિઓના સહયાગથી એક તદ્દન અભિનવ બંધારણ થશે. ધરમાં સાદાઈ સ્વચ્છતા અને વ્યવસ્થા આવશે, ખર્ચમાં કરકસર આવશે, ઉદ્યોગમાં બન્નેનું જોડાણ થશે અને બન્નેનું સાષ્ય ઉત્તમ પ્રકારના વિશિષ્ટ આનંદ અનુભવવાનું રહી ધના નૈતિક તત્ત્વાના પ્રસાર વધારનાર અને દીપાવનાર નીવડશે. શરૂઆતમાં મેટા નાના પાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦. નવયુગને જૈન પર ભાંગતડ થશે જ, પણુ રચના ભાંગતોડ વગર શક્ય નથી અને સેંકડે વર્ષના ગુલામગીરીના પટ્ટા તૂટવા સહેલા નથી, પણ બહુ થોડા વખતમાં જનતા નવીન રંગ દાખવશે, સેવાનાં સત્ર મંડાશે અને આર્યમહિલા એના અસલ સ્વરૂપે દીપશે. નવયુગમાં પુરુષ એક સ્ત્રીની હયાતીમાં બીજીને પરણે તે ફોજદારી ગુનો ગણાશે. સ્ત્રીઓને મારવાનો સંકલ્પ પણ પુરુષથી થઈ નહિ શકે અને તેની જરૂર પણ નહિ પડે. બાળકે સંસ્કારી થતા જશે અને એકંદરે ગૃહજીવનના ટકા ઉત્તરોત્તર સુખસાધ્યસામિપ્ય અને સેવામાવલંબનમાં વધતા જ જશે. આ રીતે સ્ત્રી સંબંધી પરચુરણ વિચાર રજુ કર્યા. એ વિષય છૂટોછવાયો આખા લેખમાં આવ્યા છે તે પર ધ્યાન ખેંચી આગળ વધીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું શારીરિક નવયુગને તુરત ધ્યાન આપવા યોગ્ય શારીરિક વિષય છે. જૈનધર્મના પ્રરૂપક ક્ષત્રિય, એમાં મુખ્યત્વે રસ લેનારા અસલ ક્ષત્રિય, પણ પછી વાણીઆ બની ગયેલા અને વાણી બન્યા તે એટલી હદ સુધી કે તે પિતાનું ક્ષત્રિયત્વ વિસરી જ ગયા. જેના મુંજાલ મહેતા, વિમળ મંત્રી, શાંતુ આદિ બબે હાથમાં તરવારે લઈ લડાઈમાં લડયા અને જેનાં વડીલો કર્મશત્રુઓ સામે અનેક પરિષહ ઉપસર્ગ વેઠી લડ્યા તેના વારસે શરીરે તદ્દન સામાન્ય, અનેક પ્રસંગે નિર્માલ્ય એક સાધારણ પ્રતિસ્પર્ધીથી ડરી જનારા થઈ ગયા. અત:પર્યત બેદરકારી અત્ર જનતાની સામાન્ય સ્થિતિ ચીતરવાની વાત ચાલે છે તેથી કોઈએ ખાસ ખોટું લગાડવાનું નથી. જૈન ધર્મ ઉપર વાણુઆઓને એકલાને અધિકાર નથી. એ સર્વની મિલ્કત અને વારસે છે. અત્ર જે સ્થિતિ વર્ણવવાની છે તે વણિકવર્ગને જ લાગુ પડે છે અને અત્યારે તેની બહાળતા જૈન તરીકે હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ નવયુગને જૈન , , , , , , , , , 4 * *, *, * * * * * * * * * * * * * * * * * * - - - - - તેમને ઉદ્દેશીને કેટલીક વાત લખાઈ હોય કે હવે લખાય છે તેને અંગે અન્ય બહાદુરએ ક્ષમા આપવાની છે. જે મનુષ્ય પિતાનું રક્ષણ ન કરી શકે, જે પિતાના આશ્રિતનું રક્ષણ ન કરી શકે, જે પિતાના ઘરની સ્ત્રીઓની મર્યાદા સાચવી ન શકે અને જે “પડે ઉગમણી બુમ, આપ આથમણે ધાયે” એ સ્થિતિમાં હોય તે મહા આકરી જવાબદારીઓ કેવી રીતે વહન કરી શકે એ માટે કેયડે છે. આને પરિણામે જનતામાં એક કહેવત થઈ પડી છે એ બનીએ કે ખેતર હૈ– લૂંટ લે; એ મિયાભાઈકા ખેતર હૈ–જાને દે.” નાના ગામડામાં શેઠ કે સાહુકારના નામથી પ્રસિદ્ધ થયેલે એ બધું જ્યારે ધીંગાણું થાય છે ત્યારે ક્યાં અને કેવો સંતાઈ બેસે છે એ એની શારીરિક સંપત્તિ અને હૃદયની હિંમત બતાવે છે. અને એને વિદ્યાર્થીવર્ગ એકંદરે શક્તિહીન માયકાંગલો જ જણાશે, એ રમતગમતમાં ઉતરશે જ નહિ અને ઉતરશે તે નામ કાઢશે નહિ. અત્યાર સુધી ક્રીકેટ ટેનીસ આદિ અનેક જગે થયા છે એમાં એના કોઈ સાહેબજાદાએ નામ કાઢયાં જાણ્યાં નથી. એ અખાડામાં જશે નહિ, કસરતશાળાને લાભ લેશે નહિ અને પછી “મેટ્રીક માંદા ના મટે, બી, એ. થયા બેહાલ; એમ, એ. મરણ પથારીએ, એ વિદ્યાના હાલ” જેવું થાય એમાં નવાઈ નથી. સ્વર્ગસ્થ અમૃત કેશવ નાયકે “એમ, એ. બનકે કર્યું મેરી મિટ્ટી ખરાબ કયા?” નામક સુપ્રસિદ્ધ પુસ્તકમાં માણેકચંદ નામનું મુખ્ય પાત્ર મૂકી તેને ઈસ્તેહામચંદ આદિ ઉપનામે આપ્યા છે તે વાણુઓ જ છે. તે જૈન છે. આવી શારીરિક સ્થિતિ થઈ ગઈ છે. એક તે સમસ્ત પ્રજા નિઃશસ્ત્ર અને તેમાં વાણીઆની જાત એટલે એને ચારે તરફથી બરકુટ થાય તેમાં નવાઈ નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ સુ સ’બંધમાં પ્રાચીનાએ બહુ ખેદરકારી બતાવી છે. વ્યવહારનજરે આ ભવમાં ક્રુતે મેળવવા માટે મજબૂત શરીરની જરૂર છે, પરમાર્થ નજરે સંયમ તપ અને અહિંસા સાધવા માટે મજબૂત શરીરની જરૂર છે. મજબૂત શરીરવાળા બ્રહ્મચર્ય સાધી શકે છે, મજબૂત શરીરવાળા વખતખેવખત ઇંદ્રિયાધીન થઈ જતા નથી, મજબૂત શરીરવાળા સાહસિકવૃત્તિ કેળવી શકે છે, ધન સંપાદન કરી શકે છે, યમ નિયમાદિ યોગા સાધી શકે છે. એને સુધારવાનાં પગલાં અત્ર શારીરિક પરિસ્થિતિના અભ્યાસ કરી નવયુગ એને અંગે કેવાં પગલાં ભરશે એ હકીકત સંક્ષેપમાં જણાવી દઈએ. નવયુગ અખાડાને બહુ ઉપયોગી ગણશે, દશ ધરની વસ્તી હાય તેવા નાના ગામડામાં પણ એ અખાડા કાઢશે. તેમાં તાલીમ લઈ શરીરને સુધટ્ટ રાખવાની પેાતાની ફરજ ગણશે. એ ઠામ ઠામ લાઠીના પ્રયોગા, કવાયતા, કસરતને ખાસ અગત્ય આપશે. એના મેળાવડા કરશે. એના ઉપર અનેક રીતે ખાસ ધ્યાન આપશે અને જે જે પ્રયાગ દ્વારા શરીરબળ પ્રાપ્ત થાય તે પર ચીવટ રાખશે. ૩૩૩ અખાડાઓ લગભગ વગર ખર્ચે ચલાવી શકાય છે. સેવાભાવી સુશીક્ષિત નાના ગામેમાં પણ અખાડા કરી શકે છે. ત્યાં દરરોજ એક કલાકના સમય થાડા માસ આપે । સ્વબચાવ કરી શકે એવા માણસેાની ટુકડી તૈયાર કરી શકે છે અને એવી રીતે તૈયાર થયેલા પૈકી એનુ` કામ ઉપાડી લેનાર પણ નીકળી આવે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના બચાવ કરી શકે એટલી તાલીમ પામશે અને તે માટેની વ્યવસ્થા નવયુગ નાનાં મોટાં ગામ, શહેર અને નગરમાં જરૂર કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ નવયુગને જૈન કસરતશાળા, મરદાનગીને પગે, મરદાનગીપષક રમતે, હવા ખાવાનાં સ્થળો અને ક્રીડામંદિરે નવયુગ અનેક પ્રકારે રચશે, એને મન્નબદ્ધ કરશે અને એના સંબંધમાં ખૂબ પ્રયત્ન કરશે. પૂર્વકાળમાં શારીરિક તાલીમ પૂર્વકાળનું કઈ પણ ચરિત્ર વાંચતાં શારીરિક તાલીમને કેટલું મહત્વ અપાતું હતું તે ધ્યાન પર આવ્યા વગર રહે તેમ નથી. શ્રી કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ રાજા સભામાં બેસવા જાય છે તે પહેલાં કેટલાક શારીરિક પ્રયોગ કરે છે તે સુપ્રસિદ્ધ વાત છે. એના સ્નાન પહેલાં એ મોટી વયે પણ અનેક કસરતે કરે છે, તૈલાભંગ તથા મર્દન કરાવે છે–આ સર્વ શારીરિક સ્થિતિ મજબૂત રાખવાની વાત જ બતાવે છે. શ્રી શ્રીપાળને આ વૈભવ શારીરિક બળમાંથી ઉદ્ભવે છે. એનું બળ હજારેની સામે થાય તેટલું હતું, એના સાહસમાં ખામી નહતી, એની આત્મશ્રદ્ધા અસાધારણ હતી અને પ્રત્યેક પ્રસંગે એ આગળ ધપ્યા જ રહ્યા છે તેનું મૂળ શારીરિક બળમાં છે. એ એકલા બળથી કામ થતા નથી, પણ એના વગર નભતું જ નથી એ વાત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. પૂર્વકાળમાં લગભગ દરેકને શરીર મજબૂત રાખવાની જરૂર પડતી હતી. વચ્ચેના વખતમાં એ વાત વીસરાઈ ગઈ એને પરિણામે આ ભવ અને પર ભવનું સાધવામાં ઘણી મંદતા આવી ગઈ. શ્રી આદીશ્વર ભગવાનને પુત્ર બાહુબળિએ કેવું શરીરબળ પ્રાપ્ત કર્યું હતું તે તેનું આખું ચરિત્ર વિચારતાં સમજાય છે. દૂતને એણે આપેલ ઉત્તર અને સાહસિકપણને શોભાવે છે અને યુદ્ધમાં પાંચ પ્રકારના યુદ્ધમાં એને વિજય એને વધારે દીપાવે છે. એ મજબૂત શરીરમાં મજબૂત આત્મા બેઠે હતે. ઉપાડેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું ૩૩૫ મુઠ્ઠી પાછી ફરે નહિ એ નિશ્ચય વરને જ હોય! એણે એ જ સ્થાન પર ઘેર તપસ્યા કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું. “જે કમે શરા તે ધમ્મ શ” એ વાત એમના આખા ચરિત્રમાં જોવાય છે. એ અસાધારણ તાકાત ધરાવનાર સંસારમાં રહે તે ધણીપતું કરે અને સંસાર બહાર જાય તે કર્મો સાથે લડી નિરાબાધ સુખ મેળવે. જૈન ધર્મ કાચાપોચા માટે નથી, માયકાંગલા માટે નથી, બેઠા બેઠા ખાવાવાળા માટે નથી; એ વીરનો ધર્મ છે, બહાદુરને ધર્મ છે, શૂરવીરને ધર્મ છે. રમતાં રમતાં સર્પ આવે તે ફેંકી દે અને સાત તાડનું રૂ૫ કરે તે એના વાંસામાં એક હાથ મારે ત્યાં દેવતા પણ નાસી છૂટે. જેના વસ્તુપાળ તેજપાળે લડાઈમાં લડ્યા, જેના ચક્રવર્તીઓએ છ ખંડ પૃથ્વી સાધી, જેના કુમારપાળ જેવા રાજાએ બાર બાર વર્ષ સુધી એક નગરીને ઘેરા ઘાલ્યા–એને માટે આ ધર્મ છે. બાવીશ પરિષહ વાંચીને ડરી જાય તે આગળ કેમ વધે? એને તે જંગ જમાવવાને છે, એને નિર્ભય થઈ વધવું છે, એને દુનિયાને અભય આપવું છે, લેવું નથી. એટલે શારીરિક સંપત્તિ વધારવાની જરૂર નવયુગને તુરત લાગશે. એ અનેક યોજનાઓ તે માટે કરશે. સાધનોની વ્યાખ્યા આપવાની જરૂર નથી. પરિણામે શારીરિક સ્થિતિ ખૂબ મજબૂત થાય તેવા પ્રયોગોનો અમલ એક ખાસ મહત્વની બાબત તરીકે કરી નવયુગ પ્રત્યેકને કસરતાજ તાલીમદાર અને પિતાને અને પિતાનાઓનો બચાવ કરી શકે એવા સશક્ત બનાવશે. શારીરિક તાલીમના લાભ આવા ખડતલ માણસે સ્વયંસેવકે થશે. એ અનેક પ્રસંગે સેવાભાવ સાધશે. સમાજના કાર્યોમાં ઊભા રહેશે. જનતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ નવયુગને જૈન શિસ્ત શીખવશે અને પિતે શિસ્તનો માર્ગ સરળ કરી આપવામાં સહાયભૂત થશે. નિયમસર એક પછી એક ચાલવાથી, પદ્ધતિસર ગોઠવણ કરીને સીધી પંક્તિ (યુ) કરીને અનેક કાર્યમાં ભાગ લેવાથી કામમાં સરળતા શીવ્રતા અને વેગ આવે છે અને તે શારીરિક બળવાળાને સુસાધ્ય છે. આ અગત્યની બાબતમાં થયેલ ખલનાનું પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાચીનોને માથે રાખી નવયુગ તેના બદલામાં એકદમ પ્રગતિ કરશે. એ કામ ઉપાડી લેશે અને આગળ ધપાવશે. અખાડા વગેરે કસરત તાલીમનાં સર્વ સાધને સ્ત્રી તથા પુરુષને બન્ને માટે સરજાવવાનાં છે. નવયુગમાં સ્ત્રીને પ્રત્યેક બાબતમાં સમાન સ્થાન છે. વિદ્યાર્થી વર્ગ હિંદની તેમજ પરદેશી રમતમાં ભાગ લેતે થઈ જશે, સ્વયં સેવકોમાં એ જોડાશે, રાષ્ટ્રીય સેવાદળ ઠામ ઠામ થઈ જશે, સામુદાયિક સેવાનું મહાન ક્ષેત્ર સામુદાયિક સેવકોને પણ ઉત્પન્ન કરશે, રાષ્ટ્રને માટે અનેક ભેગ આપવા વિદ્યાર્થી વર્ગ બહાર પડશે. એ દેશસેવાના કાર્યોમાં ખૂબ રસ લેશે. વિદ્યાર્થી અવસ્થામાં રાજકારણમાં ભાગ ન લેવાનું તેમને સૂચવવામાં આવશે તે ખાતર જ તે તેમાં ખૂબ રસ લેશે. નવયુગની એ એક નૂતનતા રહેશે કે જ્યાં એને દબાણ કે નીતિ (પાલિસિ)ને ચમકારો પણ દેખાશે ત્યાં એ સામે પડશે. અને જે તે માણસો સામે પડી શકતા નથી. સામે પડવા માટે માનસિક બળ અને માનસિક સમૃદ્ધિની જરૂર પડે છે અને તેને માટે શરીર સુઘટ્ટ અને મજબૂત તથા તાલીમદાર હોવાની જરૂર પડે છે અને તાલીમદાર શરીર માટે વ્યવસ્થાપૂર્વકની જનાની જરૂર રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ મકરણ ર૫ મું સેવાભાવને આગળ કરનાર નવયુગમાં પુરુષો તેમજ સ્ત્રીઓ અનેક મંડળે સેવા માટે જશે અને પ્રત્યેકમાં તાલીમનું તત્ત્વ ખાસ દાખલ કરવામાં આવશે. સ્ત્રીઓ પણ શરીરને કસીને સહનશીલ બનાવશે અને સંયમવાન બની જનતાને ખૂબ મજબૂત કરશે. વિદુષી માતાનાં બાળકે નાનપણથી શરીરે પણ સુંદર મજબૂત અને સહનશીલ થશે. આ સર્વે બાબતેને અંગે શરીર કસવા સંબંધમાં પૂરતી સગવડે અને વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરિવર્તન કાળની શરૂઆતમાં જેમ ધર્મ સંબંધી ભ્રમ થયે તેમ શરીર સંબંધી પણ ભારે બેદરકારી થઈ ભણનારા ઊંધું ઘાલી વાંચતાં જ ગયા અને શરીરને તદ્દન વિસરી ગયા. પરિણામે એક આખો યુગ મેટ્રીક માંદાની કવિતામાં ઉપર વર્ણવ્યા છે તે આવી ગયો. નવો યુગ એથી તદ્દન ઉલટ જ આવશે. ફેરફારને અંગે વિચારે કઈ પણ ફેરફાર કરવામાં આવે તેમાં આ તત્વ તરફ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ફેરફાર શબ્દ અહીં ઇરાદાપૂર્વક વાપર્યો છે. “સુધાર' શબ્દ કેટલીક વાર કચવાટ ઉત્પન્ન કરે છે. પરિણામ એક જ છે. જ્યારે ચાલુ પ્રણાલિકામાંથી ફેરફાર સૂચવવામાં આવે ત્યારે તેને એક કાળી રેષા પસાર કરવી પડે છે. એ રેષા અનિવાર્ય છે, પણ એનાથી ડરી જઇ ફેરફારને અટકાવાય નહિ. દાખલા તરીકે સ્ત્રીશિક્ષણ શરૂ કરવામાં આવ્યું ત્યારે કેટલીક સ્ત્રીઓ ઉપર સાચા ખોટા આક્ષેપ થયા હતા, કોઈ સ્ત્રી નવીન વિદ્યાને લીધે અભિમાની પણ થઈ હશે અને એકાદ ટકાએ સ્વતંત્રતાને કદાચ દુરૂપયોગ પણ કર્યો હશે. સ્ત્રીશિક્ષણ સર્વ સામાન્ય થતાં એ સર્વ વાત હવે દૂર થઈ ગઈ છે. પણ શરૂઆતમાં અમુક ખલનના પ્રસંગને આગળ કરીને તે કારણે ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નવયુગને જૈન પ્રગતિને કરી ન શકાય. એવી કાળી રેષા દરેક ફેરફારની શરૂઆતમાં આવે છે, તે રેષાથી ડરી જવા જેવું નથી. તેનું ઉલ્લંધન કર્તવ્ય છે. સમાજશાસ્ત્રને આ અતિ મહત્ત્વને નિયમ છે તે ન સમજવાને પરિણામે કઈ વાર પ્રગતિ અટકી પડે છે. બીજી વાત એ છે કે થોડા પતિતના દાખલા કદી આગળ કરવા નહિ. એમ કરવાથી સર્વ પ્રગતિ અટકી જાય છે. એમાં એટલું ધ્યાનમાં રાખવાનું કે “કળશીનું રાંધીએ તે બે પાંચ માણાને બગાડ જરૂર થાય.” વિચારશીલ માણસ ૯૫ ટકાના સદુપયોગ તરફ જ ધ્યાન આપે છે, જ્યારે દેવગ્રાહી સ્કૂલનાના દાખલાઓને આગળ કરી નાની વાતને મોટું રૂપ આપે છે. આ વિચાર કરવામાં આવે તે સમાજ કદી પ્રગતિ કરી શકે જ નહિ. કઈ પણ બાબતને નિર્ણય કરવામાં લાભાલાભની તુલના કરવી અને તેમાં જે લાભને ભાગ ઘણો મેટ જણાય તે છેડા ભોગે તેને સ્વીકાર કરવો. ખાસ કરીને અપવાદદાયક થડા દાખલા અને નવીન માર્ગ કે પ્રથાની શરૂઆતની સ્કૂલનાઓને કદી આગળ કરવી નહિ. નવા ધોરણોને નવીન રીતિઓને નવા ફેરફારોને પણ નાના બાળકની પેઠે ચાલતાં અને સ્થિર રહેતાં શીખવું પડે છે; પણ બાળક ચાલવાનું શીખતાં પડી જાય તે કારણે જ તેને બેસાડી રાખવાનું કહેવાની ધષ્ટતા કઈ ભાગ્યે જ કરે. અને એક મહત્ત્વની વાત એ છે કે સમાજમાં ડાહ્યા માણસો વધારે પ્રમાણમાં હોય છે. એ લેકના ડહાપણને એક જ ઉપયોગ થાય છે અને તે એ કે દરેક બાબત થવાની હેય તેને અંગે પ્રથમથી કકળાટ કરી રાખો. એમાં શું થવાનું છે? એમાં શી સારી વાત છે? આવી વાત કરવી અને પછી શરૂઆતમાં કાંઈ થાય એટલે કહેવું કે ભાઈ! અમે નહેતા કહેતા? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું ૩૩૨ આ જુવાનિયા વગેરે વગેરે. આ સર્વ દરરોજના અનુભવને વિષય છે. અને સારું થાય ત્યારે તે સર્વ ભૂલી જાય છે. આ જાતનું ધોરણ કે દલીલ વગરનું ડહાપણ સમાજપ્રગતિમાં ઘણું આડું આવે છે. આવા ડહાપણથી જેમ દૂર રહેવાય તેમ સારું. છતાં નવયુગ સર્વ કરે તે સારું એમ પણ ધારી લેવું નહિ. એને અંગેની દલીલે વિચારવી, ગણતરી ધ્યાનમાં લેવી, બને બાજુની દલીલેની તુલના કરવી અને પરિણામે જેમાં વધારે લાભ જણાય તે માર્ગને ટેકો આપવો. આ સર્વ સૂત્રે જેમ શારીરિક શિક્ષણને અંગે ઉપયોગી છે તેમ આખા સમાજના સર્વ પ્રશ્નને અંગે વિચારવા ગ્ય છે. ઘણા માણસો જરા પણ ફેરફાર થાય તેથી વિરુદ્ધ હોય છે. તે જેમ નિરર્થક છે તેમ જ જેઓ ખાલી દોડધામ અને અથડાઅથડીમાં માનનારા હોય તે પણ નકામા છે. દેશકાળ ફેરફાર માગી રહ્યું છે પણ ગાડું ગમે તેમ ગબડાવવા જેવું નથી. હિસાબ, ગણતરી, દીર્ધદષ્ટિ અને સમાજહિત લક્ષ્યમાં લીધા વગર નાટકના ખેલની જેમ જીવનને અફળાવવા જેવું નથી, તેમજ પડી પથારીએ બેસી રહેવા જેવો આ કાળ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું નૈતિક નૈતિક બાબત એ રીતે વિચારી શકાય: એક સમસ્ત પ્રજાની નજરે અને બીજી વ્યક્તિગત નજરે. પ્રત્યેક વ્યક્તિનું નીતિ સંબંધી ધારણ કેવું રહેશે તે ધોરણસર કહી શકાય તેવી બાબત નથી. સામાન્ય રીતે જનતાનું નવયુગમાં નીતિ સંબંધી ધારણ કેવું રહેશે તે વિચારવું શક્ય છે. નૈતિક પ્રવને વિચારતાં તેને પાર આવે તેમ નથી. બહુ મુદ્દાનાં દૃષ્ટિબિંદુઓ વિચારવાં શક્ય છે. વ્યવહારની નજરે જોઈએ તે પ્રથમ નજરે આ વિષયોમાં બે બાબત પર ખાસ ધ્યાન ખેંચાય. પ્રમાણિકપણું અને સત્ય. પ્રમાણિકપણું નવયુગનું આ બન્ને બાબતે તરફ ખાસ સારું ધ્યાન ખેંચાયેલું રહેશે. એ બની શકે તેટલો પ્રમાણિક વ્યવહાર કરશે અને વ્યાપારમાં લેવડદેવડમાં લેણદેણુમાં હિસાબની સમજાવટમાં પ્રમાણિકપણું અને સત્યને સ્થાન બહુ સારી રીતે આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ખોટા તેલથી માલ તળવે, બેટા ગજ કે વારથી માલને ભાર, ધારણ ખેટી રાખવી, આપવાનાં અને લેવાનાં ત્રાજવાં જુદાં રાખવાં એ સર્વ અપ્રમાણિક વર્તન કહેવાય છે. નવયુગને આવી બાબતો ઉપર ઘણી ચીડ રહેશે. હિસાબ કરતાં સળ પંચાં બાશી અને બે મેલ્યા છૂટના–આવા ગેટા નહિ વાળે. સામે લેનાર વિશ્વાસુ હોય તેને એ લાભ નહિ લે. ભાવતાલને અંગે એ પાશ્ચાત્ય વ્યાપારીનું અનુકરણ કેટલીક રીતે કરશે. યુરોપના મેટા શહેરમાં એક એક એવી દુકાને છે જેમાં હજારે નાની નાની દુકાને હેય. દરેક વસ્તુ પર ભાવ લખેલા હોય છે. નાને છોકરે જાય તે તેને એ ભાવે માલ મળે છે અને મોટે માણસ કે સ્ત્રી જાય છે તે જ ભાવે માલ મળે છે. અજાણ્યાને છેતરી દેવાની કે માલને તેલ એ છે આપવાની વૃત્તિ થતી નથી. ભાવ લખવામાં એને મરજી આવે તે તે પચીસ ટકા નફો કરે, પણ ભાવ બે નહિ અને વ્યક્તિગત જુદા જુદા ભાવતાલ નહિ. આવા ચેખા વ્યવહારથી દરેક પેઢીમાં દરરોજ પરચુરણ વેચાણ લાખ રૂપિયાનું થાય છે એટલે નીતિના ધોરણે કામ કરવાથી પરભવને સવાલ બાજુ ઉપર રાખતાં વ્યાપારની નજરે મટે વ્યાપાર થાય છે અને નફાને આધારે વ્યાપારના વિસ્તાર પર રહે છે તે તે ઉઘાડી વાત છે. ઉપર પ્રમાણે લખેલા ભાવમાં મેટી ખરીદી કરનારને કમિશન આપવામાં આવે છે, પણ તે સર્વ ઉઘાડી સોદાની વાત છે. કેઈને છેતરવાને રસ્તે એવી રીતે કરે નહિ. વ્યાપાર વધારવાનું એ મુદ્દામ ઘેરણ હેઈ ઘરાકી વાળનાર અને જાળવી રાખનારની એ પદ્ધતિ હોઈ એ રીતે નવયુગ કામ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Aતા ઉધીયામાં ઉધાડી Page #367 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન સત્ય સત્યને માટે પણ એ જ રીતે સમજવું. માણસ થેડા લાભ ખાતર પિતાની જાતને અસત્યથી છેતરે અને તે રીતે બીજાને છેતરવા પ્રયત્ન કરે એ ભયંકર વાત છે એમ નવયુગને લાગશે. એ પિતાને શિક્ષણથી એ ધોરણ સ્વીકારશે નહિ. જે લાંબી નજરે જોતાં શીખે છે અને વ્યાપાર વધારવાના સીધા રસ્તાને અભ્યાસ કરી જાણે છે તે જુએ છે કે અપ્રમાણિકપણે કે અસત્ય માર્ગે અંતે જય ન જ થાય. “સત્યમેવ જયતે” આ મુદ્રાલેખ વિચારશીલ માણસોને થશે. આ તે વ્યાપારને અંગે અને આર્થિક દૃષ્ટિએ પ્રમાણિકતા અને સત્યની વાત થઈપણ એ ઉપરાંત સામાન્ય વ્યવહારમાં મનુષ્ય વધારે પ્રમાણિક અને સત્યશીલ બનશે. એકંદરે નૈતિક ધરણ ચડતું જશે. કેરિટમાં જૂડી સાક્ષી આપવાની બાબતમાં સત્યનો આશ્રય કરવાનું રણ નવયુગ સ્વીકારશે. એવી જ રીતે સાધારણ વાતચીતમાં, ભૂમિ સંબંધી મફેરેમાં અને લેવડદેવડમાં એ બન્ને બાબતમાં ઘેરણ ઊચું થતું જશે. નવયુગ નૈતિક સર્વે બાબતેમાં પ્રગતિ જ કરશે એમ કહેવું મુશ્કેલ છે, પણ એનું ધોરણ ઉચ્ચ રહેશે એમ કહી શકાય તેમ છે. શિક્ષણ અને કેળવણીને પરિણામે લેકેમાં દીર્ઘ નજર, તર્ક કરવાની શક્તિ અને પૃથક્કરણ કરવાની આવડત આવે છે અને અભ્યાસને પરિણામે તે પ્રમાણિક માણસો જ ફાવે છે એ વાત જનતા પાસે મૂકવામાં આવે તે તે સહજ સમજી જશે. નવયુગમાં આ દુનિયા સ્વર્ગ તે નહિ થઈ જાય પણ એકંદરે પ્રગતિ જરૂર કરશે એમ માનવાનાં ઘણાં કારણે રહે છે. પ્રમાણિકપણું વધશે કે નહિ એ વાત બાજુ ઉપર રાખતાં એકંદરે લેકેને “કાળું' અસત્ય બોલતાં અચકે આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬સુ અંતઃકરણના ડંખ જે કેટલાંક વર્ષોથી દબાઈ ગયા છે તે જાગશે. જૂ હૈં' ખેલી શકાય એ ધેારણ અત્યાર સ્વાર્થી પાસે ગમે તેવું સુધીમાં વધારે પ્રસરેલું છે તે ઓછું થઈ જશે. ૩૪૩ ખીજા અનેક ગુણા આ સિવાય નીતિને અંગે અનેક સદ્ગુણીના વિચાર કરી શકાય. એ સ ધર્માંના વિષયા પણ બની શકે છે, પણ નીતિના ધેારણે પણ એને વિચાર કરી શકાય. સદ્ગુણેાને અંગે માટી મેાટી ઘેાડી ખાતાને વિચાર કરવા અહીં પ્રાસંગિક છે. નીતિવાળા માણસને અંગ્રેજીમાં ‘ જેન્ટલમેન' કહે છે, તેના ધારણમાં અનેક સદ્ગુણાને સમાવેશ થાય છે. એ સર્વ ગુણા સ્ત્રી અને પુરુષને સરખી રીતે લાગુ પડે છે, દાખલા તરીકે સભ્યતાપૂર્વક ખેાલવું, માનસહિત ખેલવું, દુ:ખ ન લાગે તેવું ખેલવું, સામાને હિત કરે તેવું ખેલવું, ગાળાગાળી કરવી નહિ, પારકી નિંદા કરવી નહિ, જે હકીકત આપણે જાણતા ન હાઈએ તેવી બાબતમાં અન્ય ઉપર આળ ચડાવવાં નહિ, પેાતાના નાના ગુણોને મેટા કરી બતાવવા નહિ, ભ-કપટ ન કરવાં, ખાટા દેખાવ ન કરવા, ધન મેળવવાની તૃષામાં વિવેકને ભૂલવા નહિ, વિકથા કરવામાં વખતની બરબાદી કરવી નહિ, કજિયાક કાસ કરવા નહિ, મારામારી કરવી નહિ, વિના કારણ કાઈને કટાળેા આપવા નહિ, પરસ્ત્રીને માખેન સમાન ગણવી, દ્યુત ખેલવું નહિ, સટ્ટો ખેલવા નહિ, વેશ્યા વારાંગનાનેા પરિચય કરવા નહિ, માંસ ખાવું નહિ, કાઇ પણ આકારમાં દારૂ પીવે નહિ, કાઈ જીવને વિનાકારણ મારા નહિ, શિકાર કરવા નહિ, નિયમિત થવાની ટેવ ચૂકવી નહિ, પેાતાને પચે તેથી વધારે ખારાક લેવા નહિ, મિત્ર સ્વજનને યાગ્ય સત્કાર કરવા, ધરના માસાને સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ - -- - - - ૩૪૪ નવયુગને જૈન પ્રકારનાં સાધનોથી સંપન્ન કરવા, અતિથિનું યોગ્ય આતિથ્ય કરવું, પિતાની સંપત્તિ હોય તેથી વધારે દેખાડવાને મેહ રાખવો નહિ, પિતાની આવડતને ગર્વ કરવો નહિ, કાઈ ઉપર ગુસ્સે થવું નહિ, હમેશાં અસંતુષ્ટ થઈ કકળાટ કર્યા કરે નહિ, કોઈની અદેખાઈ કરવી નહિ, જાહેર કાર્યોમાં પિતાની જાતને હમેશા ખુલ્લી રાખવી, દલીલે સમજાય તે દુરાગ્રહ કરે નહિ, આળસુ થવું નહિ, પારકી આવક ઉપર નિર્વાહ કરવાની દાનત રાખવી નહિ, ચોરી કરવી નહિ, પાપકાર્ય કરવાનો વિચાર કે સંકલ્પ પણ કરે નહિ, સાધુ મહાત્માનું યોગ્ય સન્માન કરવું, વિદ્વાનની બૂઝ કરવી, દુઃખી નિરાધાર ઉપર દયા કરવી, પોતાના ઉપર અપકાર કરનાર ઉપર ઉપકાર કરવો વગેરે અનેક સદ્દગુણોની વિશેષ પ્રતિષ્ઠા નવયુગમાં થશે. લોકોને વિચાર કરતાં આવડશે એટલે સાચા બટાને વિવેક વધશે અને જે કે સર્વ લોકો સદ્ગુણી થઈ જશે એમ તે બનવાનું નથી, પણ એ સગુણ પ્રાપ્તિનું ધેરણ ઉચ્ચ ઉચ્ચતર થતું જશે. ધર્મ અને નીતિ આમાંના કેટલાક ગુણે ધાર્મિક નિયામાં પણ આવે છે. કેટલાક ને અંગે શરૂઆતમાં માનુસારીના પાંત્રીસ ગુણની વિચારણામાં વિચારી પણ ગયા છીએ. અહીં એક વાત ખાસ જણાવી દેવી પ્રસ્તુત છે: નીતિ અને ધર્મ એ સહભાવી છે, બનેને વિરોધ નથી, એટલું જ નહિ પણ નીતિની પરાકાષ્ઠા ધર્મમાં જ આવે છે. બીજ દષ્ટિબિંદુથી જોઈએ તે જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન અને નીતિ એ પરસ્પર એવી રીતે વણાઈ ગયેલા છે કે ધર્મ અને નીતિને છૂટા પાડવા એ અશક્ય વાત છે. નીતિના સૂત્રોને આત્મદષ્ટિએ, વિવેકબુદ્ધિએ, ત્યાગની નજરે અથવા સ્વીકારની નજરે અનુસરવામાં આવે છે ત્યારે તે મનુષ્યના ધાર્મિક જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ - -- પ્રકરણ ૨૬ નું ૩૫ www w w www vvv , એક ભાગ બની રહે છે. નીતિની પરાકાષ્ઠા ધર્મમાં થાય છે એ સમજવા માટે જૈનદર્શનને આ ગમાર્ગ સમજવા જેવો છે. યમનિયમમાં એ મહાન ત્યાગને સ્થાન જરૂર આવે છે, પણ નાના સદગુણેથી પ્રારંભ કરે છે અને એ રીતે જૈનદર્શનને આ વિકાસમાર્ગ વિચારવામાં આવે તે નીતિ અને ધર્મ વચ્ચે તફાવત રહેવા છતાં નીતિ સાપેક્ષ દૃષ્ટિએ ધર્મને એક વિભાગ બની રહે છે. જ્ઞાનને વિકાસ થતાં, પ્રકાશ એ નવયુગનું મુખ્ય અંગ થતાં, એ વિવેકની આવશ્યકતા અજ્ઞાન દૂર કરવા અને આત્મહિતને આદર કરવા માટે જણાતા, નીતિ નવયુગમાં કર્યું સ્થાન લેશે તે કલ્પી લેવું મુશ્કેલ નથી. પ્રથમ થોડી ભાંગડ જરૂર થશે, થોડો વખત અવ્યવસ્થિત આદર્શો અને જીવનક્રમ વચ્ચે જરા સંઘર્ષણ પણ દેખાશે અને તુલના કરવાના પ્રશ્નને અંગે દેખીતી ગૂંચવણે પણ થશે, પણ જ્ઞાન એ દીવે છે અને દીવાને પ્રકાશ વધતાં નીતિના ફેલાવામાં એનું નિઃસંદેહ પરિણામ આવશે. નવીન પ્રશ્નાની મુંઝવણ તુલનાત્મક પ્રશ્નની ગૂંચવણ નવયુગમાં ઘણી થશે એમ જે અત્રે જણાવ્યું તે જરા સ્પષ્ટ કરવાની જરૂર છે. મનુષ્યના જીવનમાં “આ કરું કે તે કરું ' એવી પ્રમાણિક ગૂંચવણ ઘણી થાય છે. દાખલા તરીકે શ્રી ભારતચક્રવતીને એક બાજુથી સમાચાર આવ્યા કે શ્રી આદિનાથ ભગવાનને કૈવલ્ય જ્ઞાન થયું છે અને નગર બહાર તેમનું આગમન થયું છે અને બીજી બાજુથી તે જ વખતે સમાચાર આવ્યા કે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. આ બેમાંથી પ્રથમ પૂજન કેનું કરવું એ મોટો સવાલ ભારતચકવતીને ક્ષણભર થઈ ગયે. આવી ગૂંચવણ અનેક વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નવયુગને જૈન પ્રાણીને થાય છે અને તેને નિકાલ કરવામાં એની આવડત, લબ્ધ લક્ષ્યતા અને સન્મુખવૃત્તિની કિંમત થાય છે. નવયુગમાં જીવન વધારે વધારે સંકીર્ણ થતું જવાને પૂર સંભવ છે. જીવનકલહની આકરાશને લીધે, સંવ્યવહાર વધતો જતે હેવાને લીધે, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો અનેક નવીન આકારમાં આવી પડવાના હેવાને કારણે અને નવા પ્રસંગે નવીન વિચારણનાં સાધને દેરતા હોવાને લઈને આવા નૂતન પ્રસંગે અનેક નવા સવાલ ઊભા કરશે. નવી નવી જાતના ઉદ્યોગે, નવા પ્રકારના કામધંધા, સરકારી નોકરીને અંગે જાહેર પ્રશ્ન, મ્યુનિસિપાલ પ્રને, ધારાસભાના પ્રશ્નને અંગે અનેક સંકીર્ણ પ્રશ્ન ઊભા થશે. પણ એ સર્વને નિકાલ કરી શકે એટલી શક્તિ પણ વિશિષ્ટ નાયકોમાં આવી જશે. આવા પ્રશ્નથી ગભરાવાનું કારણ નથી. જીવનમાં ગૂંચવણે આવે છે અને આવે તેને નિકાલ થાય છે. માત્ર કાર્યવાહક બુદ્ધિ, વિચારશક્તિની ચેખવટ અને સાધ્યનું લક્ષ્ય હોય તે સુંદર પરિણામ જરૂર આવે છે. જીવનનું રહસ્ય અને નીતિ વ્યવહારૂ ગુણે ખીલવવા–એમાં જીવનનું રહસ્ય છે. આ લેખ ઉપદેશ માટે લખાયેલ ન હોઈ એ આખા વિષયના આદરણીયપણા સંબંધી લખવું અસ્થાને ગણાય, પણ એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે કે આ જીવનનું ફળ મોટી સંપતિ એકઠી કરવામાં નથી, કે મેટી નામના મેળવવામાં નથી. ગુણપ્રાપ્તિમાં કેટલી પ્રગતિ થઈ એજ એને હિસાબ છે અને એના સરવૈયાના આંકડાને મેળ ત્યાં જ મળે છે. જેમ જીવન ઉચ્ચ, આદર્શ ઉચ્ચ, આદર્શ પહોંચવાની તાલાવેલી વિશેષ અને વર્તનમાં નૈસર્ગિક નિર્મળતા સુકોમળતા અને વિશાળતા પ્રાપ્ત થાય તેમ તેમાં ફળ બેસતું જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ મું ૩૪૭ જીવનના વિકાસક્રમની દિશા સમજવા માટે, એમાં નીતિના માર્ગોને કેટલે અવકાશ છે તેને સ્પષ્ટ ખ્યાલ લેવા માટે શ્રી હરિભદ્રસૂરિને યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અથવા તેના અગત્યના વિભાગનું ગુજરાતી પદ્યભાષાંતર શ્રીમદ્યશોવિજયજી કૃત આઠ દષ્ટિની સઝાય જોવામાં આવશે તે નીતિના આખા વિભાગને ધર્મ શરીરના વિકાસમાં કયું સ્થાન છે તેને ખ્યાલ આવશે. આ દષ્ટિ પૂર્વપુરુષમાં હતી, વચ્ચેના કાળમાં જનતામાંથી બહુ ઓછી થઈ ગઈ તે નવયુગમાં બરાબર સમજાશે અને સમજાયા પછી તેને અમલ થશે. પ્રકીર્ણ નાના નાના સગુણોને તે પાર નથી. એનાં નામે લખીએ તે પણ પૃષ્ટો ભરાય તેમ છે. ઉલ્લેખની જરૂર નથી. જરૂર એ છે કે આ પ્રાણી ચારિત્રશીલ થઈ સ્વાભાવિક રીતે જ તે માર્ગે ચાલે. એને ગમે તેવા વિષમ પ્રસંગે માં પણ જૂઠું બોલવાને ખ્યાલ પણ ન આવે, કોઈ પણ આક્ષેપ કરવા પહેલાં એને અંતરમાં પૂજારો થાય અને તે ત્યાં અટકી ન જતાં અંતે એને દુર્ગુણમાં પડતા અટકાવે અને સગુણોને પ્રતાપે તાત્કાલિક અગવડ કે નુકસાન થાય તે તે બહુ આનંદથી વહેરી લે – આવી નૈસર્ગિક ચારિત્રશીલ વૃત્તિ થઈ જાય તે આ જીવનને માટે પ્રશ્ન પતી જાય છે, ગૂંચવણને નીકાલ થાય છે અને કેયડે ઉકલી જાય છે. આવી સામાન્ય સૂચના સાથે આ અતિ મહત્વને નૈતિક વિષય આટોપી લઈએ. બાકી તે ચાર કષાય ન કરવા કે બ્રહ્મચર્ય ઉપર વિશેષ ધ્યાન આપવું—એના સમર્થનમાં આવવું પુસ્તક લખાય તેમ છે. અન્યત્ર તેવો પ્રયાસ થયો છે અને થશે. અત્ર કહેવાને મુદ્દો એ છે કે આવા પ્રશનો નિકાલ કરવા માટેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૪૪૮ નવયુગને જૈન સાધને નવયુગને બહુ મોટા પ્રમાણમાં મળશે; પુસ્તકે, ચર્ચાઓ, ભાષણો અને વાતાવરણ એને અનુકૂળ થતું જશે, દેશમાં વ્યાપેલ નવીન જાગૃતિ અને સહાય કરશે, સેવાભાવના અને તેમાં મજબૂત રાખશે, રાષ્ટ્રીય ભાવના સાથે એ અનેક પ્રકારના ભોગ આપતાં શીખશે અને એ ભોગોના આંતરમાં એને વિચારણા અને જીવનક્રમ -સાથે અનેક અનુસંધાને પર તુલના કરવાની તકે મળશે. નવયુગ આ સર્વનો ઉપયોગ સારી રીતે કરશે. અત્રે આ અતિ વિશાળ રસિક વિષયને આટોપી લઈએ. નવયુગે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે અને તે તેના જ્ઞાનના પ્રકાશથી તે જાણી શકશે. જૈનને નીતિ માર્ગ (Ethics) બહુ દુર્ઘટ છે. એ જેટલો દુર્ઘટ છે તેટલે જ તે સંગત (logical) છે. એનું ચણતર અહિંસાના પાયા પર ચણાયેલું છે, એનું શરીર સંયમ પર બંધાયેલું છે અને એનો ઝોક ત૫- ત્યાગ પર છે. આ વાત આ નીતિમાર્ગ વિચારતી વખતે લક્ષ્યમાં રાખવાની છે. જ્યાં સેવાભાવ દિવસાનદિવસ વધવાને છે, જ્યાં સાદુ જીવન અને ઉચ્ચ વિચાર માત્ર આદર્શમાં ન રહેતાં વ્યવહારૂ થવાના છે, જ્યાં આખા જીવનને મુદ્દો અન્યની સગવડ અને સુખના વિચાર પર બંધાવાને છે તે નવયુગમાં આ વિષમ પણ આકર્ષક માર્ગ આદરણીય વ્યવહારૂ અને પ્રગતિશીલ બનવાને એમાં શંકા રાખવા જેવું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું પ્રકીર્ણ બાબતે પુરાતત્વ છેડી પ્રકીર્ણ વાતે નવયુગની જણાવી વિષયને પૂરે કરીએ. એક મહત્વની બાબત પુરાતન બાબતેની શોધખોળની છે, જેને માટે પુરાતત્ત્વ શબ્દ વાપરવામાં આવ્યું છે. જૈનેને આ વિષય ખાસ મહત્વનું છે કારણ કે તેને અનેક બાબતે પુરાણી દૃષ્ટિએ શોધવાની છે. અસંખ્ય જીવો પાણીના એક બિંદુમાં રહી શકે, વનસ્પતિમાં જીવન છે, આદિ કેટલીક વાત વિજ્ઞાનથી સાબિત થઈ છે, કેટલીક હજુ શોધવાની છે, ભૂગોળ સંબંધી ઘણું વિચારવા જેવું છે. એ ઉપરાંત પ્રાચીન સાહિત્ય, એને ઇતિહાસ, અનેક ઠેકાણે પ્રાપ્ત થયેલા શિલાલેખ વગેરે અનેક બાબતે કરવા જેવી છે. આ બાબતમાં પ્રાચીનેએ ઘણી ઉપેક્ષા કરી છે. છતાં ઉપલબ્ધ સાધનોથી આ આખો વિષય ખૂબ જમાવવા જેવો. છે. આ કાર્ય કરવા માટે અનેક સાધનને અને વ્યવસ્થિત બંધારણેને ખપ પડશે. આ કાર્ય ખાસ મહત્વનું છે એ તરફ નવયુગનું ધ્યાન ખેંચવાની ખાસ જરૂર નથી, પણ સૂચના કરવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ નવયુગને જૈન જેવી છે. નવયુગ આ કાર્ય પહેલી તકે ઉપાડી લેશે એમાં શંકા નથી. અત્યાર સુધી જૈનદર્શન માટે, જેને માટે, જૈનના ત્યાગમાર્ગ માટે અને જૈનોની રહેણીકરણ માટે અનેક ગેરસમજુતી ચાલે છે તે દૂર કરવાની જરૂર છે. એ પદ્ધતિસર કામ તુરતમાં નવયુગ ઉપાડી લેશે એવી આશા રાખી શકાય. ભાષાંતરે એટલું જ મહત્ત્વનું કાર્ય અનેક ગ્રંથરત્નના અંગ્રેજી ભાષામાં અને દેશી ભાષામાં તરજુમા થવાની આવશ્યકતા સ્વીકારવાનું અને તેને અમલ કરવાનું છે. અસલ જૈન સાહિત્ય વિદર્ભેચ થાય તેવા આકારમાં ઘણું ઓછું પ્રકટ થયું છે. કેટલાક મૂળ પ્રકટ કરવાના પ્રયત્નો થયા છે તેમાં ધારણ વગરનું કામ થયું છે. એ આખું કાર્ય વિશાળ પાયા પર કરવાની જરૂર છે અંગ્રેજી ભાષામાં ભાષાંતરે કરવાને હેતુ એ છે કે હિંદની અત્યારની પરિસ્થિતિમાં અંગ્રેજી ભાષા અનેકના ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ છે, એમ થયું કે હોવું જોઈએ કે નહિ એ ચર્ચા કરવાનું આ સ્થાન નથી. જે વસ્તુસ્થિતિ છે તે સમજી સ્વીકારીને આ વાત અત્ર રજુ કરી છે. એ સંબંધમાં જર્મન ભાષામાં ઘણે પ્રયાસ થયો છે તેને લાભ લેવાની પણ જરૂર છે. સાહિત્યને જેમ બને તેમ વધારે વિસ્તાર થાય, સામાન્ય પ્રતિના વાચકથી માંડીને તત્ત્વગવેષણ કરનારને તેમાં રસ પડે તેવી સામગ્રી તૈયાર થાય એ કાર્ય નવયુગે મુદ્દામ રીતે ઉપાડી લેવાનું છે. સેવાભાવી આજીવન સભ્યો કાર્યનાં ક્ષેત્રને નવયુગમાં પાર રહેશે નહિ. જૈન ધર્મને વિશ્વ ધર્મ કરવાના ઉદાર આશયથી નીકળેલ નવયુગ કંઈ સાધારણ પ્રયતને એ કામ સિદ્ધ કરી શકે નહિ. વ્યાપારની વૃદ્ધિ કરવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ - -- - પ્રકરણ ૨૭ મું ૩૫૧ - - - - - - - રાજદ્વારી બાબતમાં આગળ પડતે ભાગ લે, રાષ્ટ્રીય હીલચાલને પિતાની બનાવવી, સાહિત્યના વિકાસ ધોરણસર કરે અને સખ્ત હરીફાઈના આંતરરાષ્ટ્રીય યુગમાં આગળ નીકળવું એ કાર્ય ઘણું આકરું છે. આકરું છે પણ અશકય નથી. પણ એને કરનારા જોઈએ. એને માટે સેવાભાવી સેવકે ઊભા કરવા પડશે. એને ખાતર જ આજીવન સેવા કરનાર મધ્યમ કક્ષા ઉપર આધાર રાખ પડશે. પણ સેવાભાવી માણસે તે જોઈશે જ. સાધુ નવયુગમાં થશે તે કાંઈ સર્વ કામને પહેચી વળશે નહિ. આખું જીવન સેવા માટે આપે તેવા સેવાભાવી અનેક માણસને ખપ પડશે. સાધુજીવનની મુસાફરી, પૈસા રાખવાને પ્રતિબંધ અને વખતસર જરૂર હોય ત્યાં પહોંચી જવાની પ્રતિકુળતા આદિ અનેક કારણોને લઈને સેવાભાવી મધ્યમકક્ષાને વર્ગ ઉભું કરવાની ખાસ આવશ્યક્તા છે. એ વર્ગ ઉપર જ નવયુગની અનેક યોજનાઓને આધાર રહેશે. છૂટાછવાયા કામ કરનારા તે વિવિધ ક્ષેત્રમાં અનેક નીકળશે, પણ ધર્મસેવકને ખાસ તૈયાર કરવા પડશે. અનેક કાર્યો છે, અનેક સાધને છે અને વિધવિધ જનાઓ છે. એ સર્વને માટે સેવાભાવી મહાશયે ઉભા કરવાની પહેલી તકે આવશ્યક્તા છે. જીવન સેવા કરનારને માનવેતન એના ભરણપોષણ પૂરતું જરૂર આપવું, એને નિશ્ચિંત કરવા અને એમનાં કાર્યમાં પ્રેરણા થાય તેવું વાતાવરણ ઊભું કરવું. આ નવયુગની મુખ્ય આવશ્યક્તા રહેશે. એ જરૂરિયાત પૂરી પાડવા એ બંધારણ કરશે. જૈન સેવકે કે “સર્વન્ટસ ઑફ જૈન ઓર્ડર' નવયુગ તૈયાર કરશે અને તેને જુદી જુદી કાર્યદિશાએ મુકરર કરી ગોઠવી આપશે. નવયુગ માટે આ અતિ મહત્ત્વને વિષય રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ પર નવયુગના જૈન સુસપ છેવટે એક એ અતિ મહત્ત્વની વાત કરી નાખવાની છે. જેનામાં અંદર અંદર સુસ પ-ઐક્ય તુરત કરવા પગલાં ભરવાની આવશ્યકતા છે. ઉપર જણાવ્યું છે તેમ ફીરકાઓમાં કે ગચ્છામાં તત્ત્વના તફાવત જરા પણ નથી, સર્વ પોતપાતાને માગે માક્ષ સાધે તેમાં વાંધા આવે તેમ નથી અને કાઈ હક્ક કે માલિકીના પ્રશ્ના ઊભા રહે તેમ હાય તે। તેના અંદર અંદરની સુલેહથી અથવા છેવટે લવાદીથી નિકાલ થઈ શકે તેવું છે. અત્યારના સમય જેના માટે અમૂલ્ય છે. આખી જનતા અહિંસા તરફ ઉતરતી જાય છે, દોરાતી જાય છે. અહિંસામાં દુનિયાની ગૂંચવણના નિકાલ છે. જૈન તત્ત્વામાં અસાધારણ ગૌરવ છે. એના એકેએક સિદ્ધાંતા ન્યાયની ક્રાટિ પર રચાયલા છે. એણે મગજમાં ન ઉતરે તેવું કાંઈ સ્થાપન કરેલું નથી. એની સસભંગી અને નયવાદ જગત સાંભળશે ત્યારે ત્યાં શિર ઝૂકાવશે. પણ એ સર્વ માટે અંદર અંદરના નિરક ઝધડા એક સપાટે બંધ કરવા જોઈએ. એ સંબંધમાં જેટલા બને તેટલા તાત્કાલિક પ્રયાસ કરવા જોઈ એ અને બંધુભાવને સાર્વત્રિક કરવા જોઇએ. આ અતિ મહત્ત્વનું કાય` નવયુગ પહેલી તકે કરશે. ફીરકાના મતભેદો અને ગચ્છના તફાવત ઉપર ઘડ વાળશે. સર્વને ક્રિયાઅનુષ્ઠાનમાં પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ રહેશે. નાના તફાવતા જે પૂરા એક ટકા જેટલા પણ નથી અને જે વળી તત્ત્વની મૂળ ખાબત સાથે સંબંધ ધરાવતા નથી તેના ઉપર ભાર મૂકવાને બદલે નવયુગ નવાણું ટકા મેળ ખાય છે તેવી બાબતને આગળ કરશે. આ સ બંધમાં સ્થાપિત હવાળા પ્રાચીનેા જરા ધમપછાડા કરશે, પણ એમની ભેદનીતિ નવયુગને પસંદ નહિ આવે. એ નીતિને નવયુગ આત્મધાતી ગણશે અને તેના ઉધાડા અસ્વીકાર કરશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ સુ * ફૂંક પર પંચાયત કુંડ નવયુગ સમસ્ત જૈને માટે એક મોટા પાયા ઉપર પચાયત કુંદંડ ગાવશે, ઉદારતાના ઝરે એ કુંડમાં ઠાલવવા પ્રેરણા થશે. એ કુંડમાંથી અનેક નવયુગનાં મારાજ્યો પાર પડશે, એનાથી બાળ–અનાથના બચાવ થશે, માત્ર ધનને કારણે ધર્મ છેાડી જનારને ટેકા મળશે, પુરાતત્ત્વને, કેળવણીને, સાહિત્યવિકાસને મા મળશે અને જૈન સમાજ પર ખાસ સીધે લાભ કરનાર એ કુંડ થઈ પડશે. એ સાધારણ ખાતા જેવું ખાતું થશે. એ સ્થાનિક તેમજ કેંદ્રસ્થ એમ અનેક પ્રકારનું થશે. કેંદ્રસ્થ ફ્લેંડ ધણી મેાટી રકમનું થશે. એના વહીવટ સેવાભાવી નિષ્પક્ષ આત્મયોગી સજ્જનેાને હાથે ટ્રસ્ટના ધારણ પર થશે અને તેને હિસાબ જેવા માટે સર્વને ખુલ્લા રહેશે અને છપાવીને બહાર પાડવામાં આવશે. દિશમાં નિષ્પ્રયેાજન દ્રવ્યવૃદ્ધિ અટકી જશે અને સમસ્ત જૈન કામની તાત્કાળિક જરૂરીઆતા પર દક્ષતાથી દી દૃષ્ટિથી ધ્યાન આપવામાં આવશે. નવયુગના અનેક પ્રશ્નનાના આધાર આ પોંચાયત કુંડ પર હાઈ તેના સંબંધમાં નવયુગ તુરત ધ્યાન પહોંચાડશે. એના વહીવટમાં અને ઉપયાગમાં સજૅવામા એક સરખા અધિકાર અને હક્ક રહેશે. એમાં ફીકા કે ગચ્છતા કાઈ ભેદ સ્વીકારવામાં નહિ આવે. એને લાભ નવા થનાર જૈનાને પણ આપવામાં આવશે. વ્યાપાર-ખેતી વ્યાપારને અંગે ચાલતી સ્થિતિના અભ્યાસ કરી વ્યાપારને નવા ઝોક આપવામાં આવશે. સમાજવાદ સમાનતા અને વિશ્વબંધુવાદના ચાલ્યા આવતા નવાજીના મતેા ચબરાક નવયુગ ઓળખી લેશે, સમજી લેશે અને નવા સંયેાગા પ્રમાણે પેાતાની પદ્ધતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૭પ૪ નવયુગના જૈન મોટા ફેરફાર કરી નાખશે, એને ઓદ્યોગિક નેતૃત્વ મળ્યું છે તે એ અત્યારની રીતિ અને જાળવી રાખશે, પણ તેમ કરવામાં તેણે પતિમાં મોટા ફેરફાર કરવા પડશે અને તે એ કરશે. એ નવયુગતે શાભે તેવા ફેરફાર તુરત કરશે. એ કારીગર વર્ગનાં રહેઠાણા મનુષ્યને રહેવા લાયક બનાવશે, એ અજ્ઞાન કારીગરને શિક્ષણ આપશે, એ એનાં બાળબચ્ચાંના ઉછેર અને શિક્ષણ માટે ગોઠવણ કરશે અને અત્યારે માનુષી તત્ત્વની જે ગેરહાજરી ત્યાં જણાય છે તે તે સુધારી લેશે.ઉત્પન્નમાં દોલતના ભાગ છે, આવડતનેા ભાગ છે, તેથી વધારે ભાગ મજૂર છે એ મજૂરા છે એ વાત સ્વીકારીને ચાલશે અને તેથી ઘણી અગવડા પતશે. છતાં સમયાનુકુળ થવાની તેનામાં શક્તિ છે તે બરાબર અમલમાં મૂકશે. સમયધર્માંતે માન આપ્યા વગર કાઈ યુગમાં કઇ પ્રજાતે ચાલ્યું નથી અને આખા જૈન ક્રિયા અને નીતિવિભાગની તેા તે પર જ રચના થયેલી છે અને તેમાં ફેરફાર થયા છે. તેને અનુયાયી જરૂર વખતે એ સત્ય કદી વીસરશે નહિ. વળી ઉત્પત્તિના બીજા અનેક માર્ગો તે ઉધાડશે. મોટા પાયા ઉપર ખેતી, સ્વદેશી ઉદ્યોગા, નાની મેાટી દરાજની જરૂરની ચીજોની ઉત્પત્તિ અને વેચાણનું કામ એ ઉપાડી લેશે. આ સંબંધી કેટલીક વિચારણા પુસ્તકમાં થઇ ગઈ છે પણ અંતમાં એ તુરતમાં કરવાની બાબત તરીકે નવયુગ સમક્ષ રહેશે એ રજૂ કરવું પ્રાસંગિક ધારવામાં આવ્યું છે. સ્ત્રીશક્તિ-નવયુગમાં નવયુગનું મહાબળ નવયુગની સ્ત્રએ રહેશે. એ પ્રચંડ શક્તિ જાગૃત થઈ ગઇ છે. એ શું શું કરશે એ કહેવાની જરૂરૂ નથી, એ શું નહિ કરે એ જ પ્રાચીનાએ વિચારવાનું રહેશે. નવયુગની પ્રત્યેક પ્રગતિમાં સ્ત્રી અને પુરુષોનું સમાન સહ×ચરણ થશે. આ બાબતમાં નવયુગ જરા પણ સ્ખલના નહિ કરે. એ સ્ત્રીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૩૫૫ સાથે જોડવામાં એના ઉપર કઈ જાતની કૃપા કરે છે એ ખ્યાલ પણ એને નહિ આવે. પણ સ્ત્રીઓ પોતાના શિક્ષણબળથી બહુ થોડા વખતમાં એ સ્થાને આવી જશે. એને મુક્ત કંઠે પૂરતા ઉત્સાહથી હાથ લંબાવી સ્વીકાર કરવાની નવયુગની ધારણાનો આ સમુચ્ચયકરણમાં માત્ર અંગુલીનિર્દેશ છે. સાધુઓનું સ્થાન જે સાધુઓ સમયધર્મ સ્વીકારશે તે જૈન ધર્મના પ્રબળ સિદ્ધાંતને માર્ગ આપશે. જેઓ ધર્મનું રહસ્ય સમજ્યા વગર ધમપછાડામાં માનશે તેને સમાજ ઉવેખી મૂકશે. જેઓ જ્ઞાનરત, ઉપદેશપરાયણ અને જૈન ધર્મને વિશ્વધર્મ કરવાના કામમાં જોડાશે તેને પૂજનારા લાખે થશે. જે ખટપટમાં ન પડતાં એકાંતમાં આત્મધર્મ સાધશે તેને સમાજ ઓળખશે. નવયુગના આદર્શ સાધુ સંખ્યામાં અલ્પ થશે પણ અસર ઉપજાવવામાં ગીતાર્થ થશે. સાધુના ચારિત્ર ઉપર જનતા વારી જશે, એના ભવ્ય ત્યાગને જનતા નમશે અને એના વિશાળ આત્માને દુનિયા વધાવી લેશે. તદ્દન પ્રાચીને ઉપાશ્રયમાં બેસી માળા ફેરવશે. તેમના ત્યાગને લેકે નમશે પણ પ્રેરણા માટે જનતા અન્યત્ર આત્મશોધન કરશે. સાંસારિક ખટપટમાં પડનાર, પૈસા આપી પદવી મેળવનાર, પદવી માટે પડાપડી કે લડાલડી કરનાર, યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ થવાની લાલસાવાળા, આધિભૌતિક બાબતોથી જરા પણ ઉપર ન ગયેલા, દંભી, ઉપર ઉપરના વાચાળ પણ અંતરમાં વૈરાગ્યરંગ વગરનાને નવયુગ સાધુ તરીકે નહિ માને. સાધુઓને સાધુતાને માર્ગે રાખવા માટે મેટા મેળાવડા કરવા નહિ પડે, મહાસભા બેલાવવી નહિ પડે અને વારસો નક્કી કરવા કે પટ્ટધરના કાવાદાવામાં સાધુઓએ પડવું નહિ પડે. જનતા સમજદાર થતાં આવા પ્રશ્નનો સ્વતઃ નિકાલ થઈ જશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ રૂપ નવયુગના જૈન .......... સામાન્ય વ્યાસપીઠ નવયુગમાં સમસ્ત જૈનને માન્ય એવું એક પ્રભાવશાળી વ્યાસપીઠ ( પ્લેટફોમ ) થશે, સમસ્ત જૈના એક એવા પાણી પીશે. આખી દુનિયાને જન્મમરણની ઉપાધિમાંથી મુક્ત કરાવવાના સાચા વ્રત લીધેલા સમાજસેવા અને તપત્યાગની મૂર્તિ સરીખડાં મહા વ્રતધારી એ વ્યાસપીઠને સારા સાચે। અને પતિસરના ઉપયાગ કરશે. એવી પરંપકારપરાયણ વિભૂતિએ જનતાને ખૂબ લાભ આપશે, દુનિયાને પ્રવર્તમાન ત્રાસમાંથી છૂટવાના માર્ગો બતાવશે અને ક્લેશક કાસ દૂર કરવાની આત્મશક્તિ બતાવશે. આવા સર્વસામાન્ય વ્યાસપીઠ પર શ્રાદ્દો અને શ્રાવિકાઓ પાતાના સેવાભાવના મનારથા સાધશે અને શ્રી વીપરમાત્માના અહિંસા આદિ તત્ત્વને વિસ્તારશે. આવાં વ્યાસપીઠે થતાં અંદર અંદરના ક્લેશાને ઠંડે! આવી જશે અને સામાજિક ઉન્નતિ સમાજની નજરે સમાજના હિત દ્વારા કેમ સાધવી તે પર પર્યાલાચન થશે અને ક્રાઇ પણ બાબતને નિર્ણય થતાં એને વ્યવહારૂ અમલ કરવાની ગાઠવણ થશે. આવા સામાન્ય વ્યાસપીઠ પર શ્વેતાંબર દિગંબર સવ` જેને બંધુભાવે મળશે, સેંકડા વર્ષોનાં અંતરા કાપી નાખશે અને એકનિષ્ઠાએ શ્રી વીપરમાત્માના સેવકા છીએ એમ સમજી સહકારથી કાર્ય ઉપાડી જયજયકાર ખેાલાવશે. એમની આ ભાવી માગ ગવેષણામાં સાચા સંતસાધુએ અંતરથી આશીર્વાદ આપશે. જૈનાનું સંખ્યાબળ નવયુગ ઘણાં વર્ષોથી જૈનેાને વધારવાની વિસરાઈ ગયેલી વાત તાજી કરશે. આ સંબંધમાં એ ખૂબ સમજણપૂર્વક કામ લેશે. એ આગ્રહથી કાઈને જૈન ધર્મોમાં લઈ આવવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૩પ૭ -~~~-~-~ નહિ કરે, એ સામાન્ય જનતાને જે જોઈએ છે તે પ્રકારને ધર્મ અને ખાસ કરીને ન્યાયની કેટિને સર્વ પ્રકારે પહોંચી વળે તેવું જૈન દર્શન છે એ બતાવી શકશે. વચગાળના સમયમાં જૈન થનારને પડેલી આપદા અથવા અગવડોને તે દૂર કરશે, તેના ઉપાય સૂચવશે અને જનતાની કલ્પના અને તર્ક શક્તિ પર અસર કરતાં જૈન ધર્મના તને એ આગળ લઈ આવશે. એની નયનિક્ષેપ સપ્તભંગીની લક્ષણાઓથી અને સ્યાદ્વાદની વિશિષ્ટ શૈલીથી એ વિતર્ગને ખેંચશે અને વિતરાગ ભાવ અને તપત્યાગના જીવંત નિયમોથી જનતાને આકર્ષશે. એ વિચારવાતાવરણમાં અહિંસાના સાધનથી એટલું પરિવર્તન કરી બતાવશે કે જનતા એ દર્શનને બહુ ખુશીથી વધાવી લેશે. મનુષ્ય સદાચાર અને યમથી વિકાસ પામીને નિરાબાધ સુખ પામી શકે છે, જીવ આદર્શ ભૂત ઈશ્વર–પરમાત્મા થઈ શકે છે અને એનો મેક્ષ સાધવો એ એના સ્વાધીનમાં છે, એને હસ્તગત છે અને એના પિતાના પ્રયાસથી સાધ્ય છે; વળી એ મુકત સ્થિતિમાં પણ એનું વ્યક્તિત્વ જરૂર રહે છે–આવું આકર્ષક નિર્વાણ જૈન દર્શન બતાવે છે અને તેને માટે એ દર્શન આબાલવૃદ્ધ વિદ્વાન અને સામાન્ય જનતાનું ધ્યાન ખેંચે તેમાં નવાઈ નથી. મનુષ્ય દેવ થઈ શકે, પરમાત્મા થઈ શકે એ હકીકત અન્યત્ર અપ્રાપ્ય છે. આ સંબંધમાં કામ કરનાર સેવાભાવી સેવકે અને સેવિકાઓ જોઈશે તે નવયુગ પૂરાં પાડશે. નવયુગ જૈનની સંખ્યામાં બહુ મેટે વધારે કરી શકશે. જૈન એ કેમ નથી, બિરાદરી નથી, જ્ઞાતિ નથી, પણ વિચારવાતાવરણને ફેરવનાર આત્મસાક્ષાત્કાર કરાવનાર મહાન સત્ય છે એ વાત તે જગતની આગળ ધરશે અને લડાઈઓથી કંટાળેલી, આર્થિક પ્રકાથી ગૂંચવાઈ ગયેલી, મતમતાંતરથી સપડાઈ ગયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ - નવયુગને જૈન અને જીવનકલહથી ત્રાસી ગયેલી દુનિયાને એ ધીરજ આપશે, આશ્વાસન આપશે અને ગૂંચવણના કેયડા ઉકેલી આપશે. નવયુગ સંખ્યા જેટલું જ મહત્વ ગુણસંદર્ભને આપશે એ પણ સાથે જ ધ્યાનમાં રહે. મહાસભા અને રાષ્ટ્રભાવના અને મહાસભા એ સમસ્ત જૈન કેમનું મંત્રમંડળ અને પ્રેરક બળ બનશે. ત્યાં અનેક જાતના પ્રયત્ન કંતિ અને સુવ્યવસ્થિત થશે. ત્યાં જમાનાની ગૂંચવણોના નિકાલ થશે. જૈન બંધુભાવ ત્યાં જાગૃત દેખાશે, દાણાંતિક દેખાશે, વ્યવહારૂ આકારમાં દેખાશે. અનેક પ્રેરણાઓ અને સુધારાઓ એ સંસ્થા સક્રિય રૂપે સૂચવશે અને કરશે અને ખાસ કરીને રાષ્ટ્રભાવનાને વિરોધ ન આવે તે રીતે સમસ્ત જનતામાં બંધુભાવને ફેલાવશે, વિસ્તારશે અને જીવંત બનાવશે. નવયુગ રાષ્ટ્રભાવનામાં અગ્રેસર ભાગ લેશે તેનું કારણ પણ ખાસ લક્ષ્યમાં રાખવા જેવું છે. અહિંસાને રાજતારી વલણ આપનાર જે મહાન તત્વ રાષ્ટ્ર વિકસ્વર કર્યું છે તે મૌલિક હેઈ જૈનના ઘરનું છે. યુગ પછી રાજ્યકારણમાં અહિંસા ઉતરે એ વાત અભિનવ હોઈ જૈનહદયને મલકાવે તેવી છે. એના વધારે વર્ણનમાં અત્ર નહિ ઉતરતાં એક વાત ખાસ સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે અને તે નવયુગના કેંદ્ર તથા સાધ્ય તરીકે રહેનાર હોઈ ખાસ નિદર્શનને પાત્ર છે અને તે એ છે કે રાષ્ટ્રના પદ્ધતિસરના આશયોને ધર્મ સાથે વિરોધ નથી, વિરોધ હોઈ શકે નહિ. આ સર્વ કારણે જેઓને ધર્મ ઉન્નતિમાં રસ હશે તે પણ રાજકારણમાં રાષ્ટ્રીય પક્ષે રહી દેશને મજબૂત કરશે. નવયુગ નવા રાષ્ટ્રવાદમાં તદ્દન અહિંસક રહી ખૂબ મહાલશે અને શાંત ધર્મ શું કરે છે તેના અનેક દાખલાઓ પૂરા પાડશે. આ સર્વ વિચારધારા મહાસભામાંથી સંપૂર્ણ ચર્ચાને પરિણામે રૂ૫ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ સુ ૩૫૯ સેવાસ ધા મહાસભાએ મુકરર કરેલા પ્રગતિના ધેારણને અંગે ઠામ ઠામ સેવાસંધે અને સેવિકાસંધેા નીકળી આવશે. તે અનેક પ્રવૃત્તિએમાં સેવાભાવે પેાતાની આવડત અને શક્તિના ફાળા આપશે. જનતાની જરૂરિયાતો અનેક હાઈ જેતે જે જાતનું કાર્યાં ફાવશે તે ઉપાડી લેશે. એમાં મુદ્દાની વાત ખે થશેઃ મંડળા અથવા સમિતિનું કાર્યાં ધેારણસર અને અને ખીજાં સ્ત્રીવર્ગ જે અત્યાર સુધી ધરમાં બહારમાં બહાર આવશે અને પુરુષો સાથે કરશે અને કાઈ કાઈ બાબતામાં પુરુષોથી પણ આગળ વધી જશે. એક તા આવાં વ્યવસ્થાસર ચાલશે રહેલ હતા તે પૂર સેવાકાર્યોંમાં હરિફાઈ બ્રહ્મચારિણી–કુમારિકા નવયુગમાં સ્ત્રીવર્ગ બહુ આગળ પડતો ભાગ લેશે તેની • સાથે કુંવારા રહેવાના ભાવ વધશે. અનેક સ્ત્રી આજન્મ બ્રહ્મચારિણી બનશે. આવી સ્ત્રીએ સ સાધ્વીએ નહિ થાય, પણ સેવિકાઓ બનશે. સાધ્વીધ આકરા છે, વિષમ છે અને એની ભાવના જરા પણ નરમ પાડવા જેવી નથી—આ સત્ય નવયુગ સ્વીકારશે. પણ નવયુગના ધેારણે સાધુ સાધ્વીધમ માં કેટલીક અડચણા લાગશે. નવયુગના આરેાંગ્યના ખ્યાલ પ્રમાણે દરરાજ સ્નાન કરવાની બાબત, દાતણ કરવાની બાબત અને સ્વચ્છ કપડાં રાખવાની બાબત વધારે અગત્યની લાગતાં જે વિશિષ્ટ માર્ગ નહિ સ્વીકારી શકે તેને માટે આ મધ્યમકક્ષા કાઢશે. પુરુષને ગૃહસ્થનુરુ અથવા મધ્યમકક્ષા કહેવામાં આવશે અને સ્ત્રીઓને દેવી, કુમારી અથવા સેવિકા કહેવામાં આવશે. આ સેવિકાવને રેલવેમેટરમાં મુસાફરી કરવામાં વાંધા નહિ આવે, દેશ ઉપદેશની છૂટ રહેશે અને ઘણી રીતે સાધ્વી જેવું જીવન ગાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ', ' , ' ' . ' , ૩૬૦ નવયુગને જૈન છતાં મધ્યમ માર્ગે રહી શકશે. પરિણિત સ્ત્રીઓ પણ સેવિકા થઈ શકશે. સમસ્ત મધ્યમકક્ષાનું ચારિત્ર જરાપણ શંકા વગરનું અને આદર્શમય થશે અને તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવશે. નવયુગનું આખું વલણ ક્રિયા કરતાં ચારિત્ર ઉપર વધારે રહેશે. મનુષ્યની કિંમત બાહ્ય દેખાવ કરતાં આંતરરાજ્ય પર થશે અને જરા પણ પિત્તળ જણાનારનું નવયુગમાં સ્થાન ઉતરી જશે અને ખાસ કરીને સેવક સેવિકા કે એવા સ્થાનને દરજજો ધરાવનારનું વર્તન ટીકાપાત્ર પણ ન જ રહેવું જોઈએ, શંકાવાળું પણ ન હોવું ઘટે એ બાબત પર ખાસ લક્ષ્ય આપવામાં આવશે. સમાજના સેવક હોવાને દાવો કરનાર કે દરજજો ધરાવનારને તળવાનું છેરણ પણ ઊંચું જ રહેશે. એ સામાન્ય કાટલાથી નહિ તળાય. પુસ્તકને હેતુ આખા સમાજને લાગુ પડે તેવા વિષયોનો પાર નથી. નાની વિગતેમાં ઉતરીએ તો વિષય મર્યાદા બહાર થઈ જાય. આ લેખને સંપૂર્ણ બનાવવાની અભિલાષા ઇષ્ટ ગણાય, પણ શક્ય નથી. અહીં નવયુગના વિચાર અને ક્રિયાના પ્રેરક મુદ્દાઓ બનતા સુધી સર્વોગે રજુ કરવાનો આશય હતો તે જે બની શક્યું હોય તે જે મુદ્દા આ લેખમાં ચર્ચા રહી ગયા છે એમ માલૂમ પડે તે ઉપરના ધોરણે ગોઠવવા. એ કાર્ય નવયુગની સંસ્થાઓએ કરવાનું છે. એક કેળવણીને વિપથ લઈએ અને બાળશિક્ષણ, મેન્ટીસોરી પદ્ધતિ, શિક્ષણ રચનાનાં ધોરણ, માધ્યમિક શિક્ષણ પારિભાષિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ ઉચ્ચશિક્ષણ, વિદ્યાર્થીગૃહ, શિક્ષક તૈયાર કરવાના પ્રબંધે, ગ્રામ શિક્ષણ સંસ્થાઓ આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૩૪૧ wwww અનેક વિષયો પર ઉલ્લેખ કરવાનું થાય. તેવી જ બાબત પ્રત્યેક વિષયમાં આવે. આ સર્વ અત્ર રજુ કરવી અશક્ય છે અથવા બીનજરૂરી છે. પણ કેળવણીને અંગે પ્રેરક તો કયા નીવડશે એ નવયુગની નજરે અત્ર રજુ કરવા પ્રયાસ કર્યો છે. આ મુદ્દા પરજ આખે ઉલ્લેખ રજુ થયો છે તે ધ્યાનમાં રહે. થોડીક પ્રેરક વાતે રજુ કરી હવે સર્વ મંગલ માંગલ્ય કરીએ. યુગપ્રધાન નવયુગને ભરે છે કે થોડા સમયમાં એક પ્રબળ યુગપ્રધાન પુરુષ જૈન મહામંદિરમાં પ્રકટ થશે. એ નવીન કાળના વિજ્ઞાન અને સંસ્કારથી પરિપૂર્ણ હશે. એની પૃથક્કરણ શક્તિ વિચારસરણી અને તર્કશક્તિ અભુત થશે. એનું વકતૃત્વ છટાદાર અને પ્રેરક થશે. એ મહા દીર્ધદષ્ટિવાળે, અત્યંત ત્યાગી, વ્યવહાર નિશ્ચય સમન્વય કરનાર અને આખા શાસનની ધુરાને વહન કરવા સમર્થ નરવૃષભ સાધુવૃષભ પુરુષ થશે. એ ધર્મનાં રહસ્યને ઉકેલશે. એ દેશ કાળને સમજશે. એ આખી નવી સમાચારી રચશે. એ અત્યારના મહાન સાધુઓને માનભરી ગૌરવવાણીથી અને પિતાના તેજપ્રભા અને આત્મબળથી સર્વને બેસાડી દેશે. એ જ્યારે શાસ્ત્રના ઉંડા આશયને ઉકેલશે ત્યારે જનતા એને નમશે, સાધુઓ એને મહાન પદ આપશે અને એ જૈન સમાજના સર્વ સડાઓ એ દૂર કરશે. એ સાધુઓના મતભેદ ટાળશે, ગચ્છાભેદોને એ ઉપાડી મૂકશે અને સમસ્ત જૈનને એક પરમાત્માના સેવક તરીકે એક સાથે કરશે. એ પૂર્વ અને પશ્ચિમને સંગ સાધશે. એ મૂળ બાબતને બરાબર પકડી રાખશે. એ જ્ઞાન અને ક્રિયાને મહત્વ સરખું આપશે પણ જ્ઞાનને ઉચ્ચ સ્થાને મૂકશે અને સર્વની ઉપર ચારિત્રને એ સુવર્ણકળશ સ્થાને મૂકશે. અત્યારે કે બીજા તરફ જુએ છે, બીજાની ટીકા કરવા તૈયાર થઈ જાય છે તેને બદલે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ३१२ નવયુગને જૈન સર્વને પિતાના પગ તરફ નીચે જેનાર બનાવશે, એ સર્વને અંદર જેનાર બનાવશે. એ આત્મનિરીક્ષણ કરતાં શીખવશે. એ જૈન કેમની ગયેલી સંપત્તિ ઘેર લાવશે, એ જૈન દર્શનનું યોગ્ય સ્થાન વિશ્વમાં પ્રાપ્ત કરાવવા યોગ્ય પ્રબંધ કરશે અને તપત્યાગની આદર્શ મૂર્તિ બનશે. પ્રાચીન માન્યતા પ્રમાણેને ભસ્મગૃહ ઉતરી ગયો છે. એને ઉત્તરકાળ પણ વિક્રમ સંવત ૨૦૩૦માં પૂરે થાય છે. એની આગાહી કરનારા મરચા મંડાઈ ચૂક્યા છે. સંવત ૨૦૩૦માં થનાર ઉદયકાળનાં દ્વાર પર નવયુગ ઊભો રહેશે અને ત્યાં ઊભા રહી યુગપ્રધાનની પ્રેરણા દ્વારા અસાધ્ય લાગતું સાધશે, અકથ્ય વ્યવહાર કરશે અને નવયુગનાં સ્વમાને સાચાં કરી બતાવશે. વીતરાગ ધર્મના વિજયનાં મંડાણ મંડાઇ ચૂક્યાં છે. માત્ર એને પ્રેરનાર પ્રતાપી પુરુષની રાહ જોવાય છે અને દરમ્યાન પરિવર્તનકાળ પિતાને બાફીને સમય પૂરો કરે છે. ઉપરોક્ત યુગપ્રધાન મહાત્માને દેશકાળ ઇતિહાસ વિજ્ઞાન અને મહત્વનાં સર્વ વિષયોનું જ્ઞાન હશે. એ અર્થશાસ્ત્ર અને રાજકારણ સમજશે. એ સમાજની જરૂરિયાત જાણશે. એની પાસે પ્રાચીને હાથ જોડી ઊભા રહેશે. એના પ્રબળ તેજ પાસે સાધુ વર્ગ મૂક થઈ જશે. એના પ્રેરકબળથી સમાજ અસાધારણ ઝડપે અનેક દિશામાં પ્રગતિ સાધશે. જે બાબત સમજે નહિ તે બાબતને ઉપદેશ કરવાની સાધુઓને એ મના કરશે. દંભી માની સાહસ તરીકે સમાજની શ્રદ્ધાને ગેરલાભ લઈ બેઠેલા બજારૂ સાધુઓના એ વેશ લઈ લેશે. જૈનદર્શન એ બચ્ચાના ખેલ નથી કે રમત કરવાનાં રમકડાં નથી, એ અગાધ તત્ત્વજ્ઞાન છે અને એની પછવાડે જમાનાના યુગેના અહેવાલો છે–એને એ શાંતિથી વિકસાવશે અને બળવત્તરપણે વિસ્તારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું ૩૩ પૂજા-પ્રાર્થના છેવટે નવયુગને બહુ અગત્યની બાબતમાં પ્રેરણા સૂચના કરી વિરમીએ. તાત્કાળિક જરૂરિયાત સમસ્ત જૈન કેમને લાગુ પડે એવું પ્રાર્થના સત્ર—પૂજા વિશેષ તૈયાર કરવાની છે. નમસ્કારમંત્રથી એની શરૂઆત થાય. સમસ્ત જૈને એ પૂજા પ્રાર્થના પ્રકાર ત્રિકાળ સાધ્ય કરે. એની જરૂરિયાત સુસંપ સાધવાને અંગે ખાસ પ્રાપ્ય છે. મતમતાંતર ભેદ ભૂલી જવા માટે સર્વસામાન્ય સર્વસંમત પ્રાર્થના તૈયાર કરવાની જરૂર છે. એ સર્વસંમત આગમ ગ્રંથ અનુસાર અને સર્વ સમજી શકે તેવી હિંદી ભાષામાં હેવાની સૂચના કવ્ય લાગે છે. સ્થાનકવાસીઓને અમારા વેતાંબર સ્થાનકવાસી બંધુઓને વિજ્ઞપ્તિ કરીને કહીશું કે સામાન્ય જનતા જેમાં મોટો ભાગ આવી રહે છે તે નિરાલંબન ધ્યાન નહિ કરી શકે. કોઈ જાતના આલંબનને અભાવે જનતા અન્ય ધર્મમાં ઢળી જવાને ઘણે ભય છે તે ઇતિહાસ વિચારવાથી અને આજુબાજુની કેમેને ઇતિહાસ જોવાથી માલૂમ પડશે. ઉત્કૃષ્ટ નિરાલંબન ધ્યાનની કક્ષા આ કાળમાં લગભગ અશક્ય છે અને મોટા ભાગ જે અન્ય દેવદેવીને માનતે થતો જતો હોય એમ તમારા નિરીક્ષણથી તમે જોઈ શક્યા છે અથવા શકે તે જરા આગળ આવે અને કાંઈ રસ્તો બાળ અને મધ્યમ અધિકારી માટે કાઢે. શ્વેતાંબર મૂર્તિપૂજકને અમારા વેતાંબર મૂર્તિપૂજક બંધુઓને કહીશું કે તમારી ભક્તિમાં દેખાદેખીથી ઘણું વૈષ્ણવીય તત્ત્વ દાખલ થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ - ૩૪. નવયુગને જૈન તમારી વિતરાગ ભાવના સાથે તમારા ઘણા આડંબરે તાલભંગ કરનારા છે. પ્રભુભક્તિના જેમમાં તમે ઘણી જગ્યાએ વિવેક અહિંસા અને શાંતિ વીસરી ગયા છે. પ્રભુના શરીર પર મોટો શણગાર કરે, હજારે ફૂલે ચઢાવવાં વગેરે અસલ ભાવનાથી દૂર ગયેલું તમને નથી લાગતું? તમે જરા પાછા હઠે. વીતરાગ ભાવનાને અનુરૂપ થાઓ. અમારા દિગંબર બંધુઓને કહેલું કે બાળ છ લિગ–બાહ્ય દેખાવ જુએ છે અને બાળજી ઓછામાં ઓછા ૯૫ ટકા હેય છે. તેઓને જે જેશે તે નહિ આપે તે એકલા વિદ્વાનેથી સમાજ ટકવાને નથી, વીતરાગ શરીર પર આભૂષણની વાત તમારી સ્વીકારાય તે થડે બાહ્યોપચાર થાય તેમાં વાંધે કાશે નહિ. જૈન મહામંદિર ચણતરનાં સૂત્ર આવી રીતે થોડી છૂટછાટ કરીને સર્વ એક બીજાની નજીક આવે તે જૈન મહામંદિર જામે. ગૃહશુદ્ધિ થયા વગર, ગૃહમાં કકળાટ દૂર થયા વગર, ઘરમાં એકસંપ થયા વગર, એકદિલ થયા વગર, પ્રગતિ થશે તો પણ નામની થશે. તમારે અહિસાના સંદેશા ઘેર ઘેર મોકલવા છે અને વિશ્વભરમાં મોકલવા છે તે કરવા ઘરમાં શાંતિ અને સ્થિરતા પ્રથમ આવશ્યક છે. બાકી ટૂંકમાં કહીએ તે પ્રત્યેક જૈન પુરુષ અને સ્ત્રીએ સેવક ભાવે બહાર આવવાની અત્યારે તક છે. દર્શન પ્રભાવનાને આવો અવસર નહિ આવે. અત્યારે આખા હિંદમાં જૈન ધર્મ પ્રસરતે જાય છે. એનાં અંગે પકડી લેવાની ખાસ જરૂર છે. આ બાબત ખાસ મહત્ત્વની ગણશો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું સેવાભાવે સેવા કરજે, આત્મસાક્ષીએ સેવા કરજે, પરમાર્થ દૃષ્ટિએ સેવા કરજે. દંભ પાખંડને સ્થાન કદી ન આપશો. પિતાની કીર્તિને વિસરી જશે. આપણે અહીં કેટલું બેસી રહેવું છે અને મરી ગયા પછી નામને શો મહિમા છે? કર્તવ્ય બુદ્ધિએ આત્મવિકાસ માટે કામ કરવાની બલિહારી છે, એની મજા ઓર છે, એનું બળ અસાધારણ છે, એની અસર દીર્ઘ છે, એનાં પરિણામ લાંબા વખત ચાલે તેવાં હોય છે. જે કોઈ સમાજસેવાનાં કાર્યો આદરે તેમાં સ્ત્રીવર્ગને બરાબર સાથે રાખજે. એના વગર એક પણ પ્રગતિ ચરસ્થાયી નહિ થાય. સમાજશરીરને પક્ષઘાત થયેલ હોય તે આખું શરીર નકામું છે એ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખજે. એમ કરવામાં સ્ત્રીઓ ઉપર મહેરબાની કરે છે એમ કદી ધારતા નહિ. સર્વથી મહત્ત્વનો મુદ્દો કેળવણીને છે, એનાં અનેક ક્ષેત્રો છે, એને ખીલવતાં બીજા ક્ષેત્રે આપોઆપ દીપી જશે. આ ચાવીને ખૂબ લક્ષ્યમાં રાખશો. કેળવણીથી માનસ ખીલે છે એ સાચી વાત છે એમ જરૂર માનજે. કેળવાયેલે વર્ગ કઈ કઈ વાર સ્વાર્થી થઈ જાય છે એ આક્ષેપ છે તે કાઢી નાખજે. સાચી કેળવણી વગર આપણે ઉદ્ધાર નથી એ નિરંતર લક્ષ્યમાં રાખજે. ઐહિક સંપત્તિ કરતાં આંતર સંપત્તિ પર સમાજ ટકે છે એ ખૂબ વિચારમાં–ધ્યાનમાં રાખજે. સદાચાર સદ્વર્તનનું સાધ્ય કદી ચૂકતા નહિ. કેળવણીનું પરિણામ સેવા અને ધર્મમાં જ આવવું ઘટે. મેટાં અમલમાં સ્થાને કે સત્તાસ્થાનની લાલચથી દૂર રહેજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ નવયુગને જૈન જે સમાજની સાથે આપણું જીવન જોડાયલું છે, જેના એક એક સિદ્ધાંત ન્યાયની અંતિમ ક્રાટિમાંથી આરપાર નીકળે તેવા છે અને જેને ચરણકરણાનુયોગ સર્વ પ્રકારના અધિકારીને સ્થાન આપે અને વિકસાવે તેવા છે તેને આપણા ઉપર, આપણી આવડત ઉપર ખાસ હક્ક છે તે કદી વીસરા નહિ. 3}} પત્રકારીત્વને નવયુગમાં ખાસ ઉપયાગ છે. એ સેવાભાવે આત્મઅપ ણાની અપેક્ષાએ અને શુદ્ધ સમાજઉકને હિસાબે ખીલવો, દીપાત્રો, બહલાવો. પંચાયત કુંડ ઉપર તમારા મુખ્ય આધાર છે, સમાજસમુદ્રના એ સેતુ છે એ ખાસ ધ્યાન પર લેજો. સ્થાપિત હક્કો—પછી તે દુન્યવી હાય કે દેશમાં દુનિયાથી અતીત થવાના દાવા કરનારના ઢાય તેનાથી જરા પણ ડરશેા નહિ, નવયુગમાં સેવાને જ સ્થાન છે, ધર્મને જ સ્થાન છે, હક્કને ઊભા રહેવાનું ઠેકાણું નથી એમ ચાક્કસ માણજો અને તદ્દન નિર્ભય થજો. અંતરના અવાજને કદી છુપાવશે હિ. અંતરમાંથી સાચા અવાજ આવે એવું જીવન કરી દેજો. ભૂમિકાશુદ્ધિ માટે ‘ અભય અદ્રેષ અખેદ ’—આ ત્રણ શબ્દો યોગીરાજ બતાવી ગયા છે, એ ત્રણે તમારે માટે સાનાનાં સૂત્રા છે. એ પર ખૂબ વિચાર કરશે! તે તેમાંથી મહા ભવ્ય જીવનમાર્ગો સાંપડશે. વગર સંક્રાચે આત્મપ્રગતિ અર્થે નિર્ભય થઈને તમને જે સેવામાગ અનુકૂળ લાગે તેમાં લાગી જજો. અંતે વિજય કાના તેને નિણૅય માટે એક જ સૂત્ર છે— યતે। ધર્મસ્તતા જય:' પ્રેરણા અને ભાવના " અત્યંત વિશાળ ધમ તમને સાંપડ્યો છે. એમાં મૈત્રી પ્રમાદ કરુણા અને માધ્યસ્થ ભાવ છે, એમાં શમ સ્વદ નિવેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ સુ 380 આસ્તિય અને અનુકંપા છે, એમાં મનુષ્ય દેવ બની શકે છે, એમાં મનુષ્ય અજરામર બની શકે છે, એમાં મનુષ્ય નિરાબાધ સુખ નિર'તરને માટે મેળવી શકે છે—એમાં જાતિને વેશને ઢાંગને ભને સ્થાન નથી, એમાં વિચારવંત વિવેકી ઉત્તરાત્તર પ્રગતિ કરી ગુણસ્થાને ક્રમે ક્રમે આરેાહ કરતા જાય છે, એને યાગ્ય થવાનું આપણું સર્વનું કવ્ય છે. કાભિમુખ થવા પ્રેરણા કરી શ્રી મહાવીર પરમાત્માની જય ઉચ્ચારી એના શાસનને! જય ઇચ્છીએ અને છેવટે બહુત્ક્રાતિના શબ્દોના ગાનપૂર્વક વિરમીએ. शिवमस्तु सर्व जगतः परहीतनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ “ સર્વ જગતનું કલ્યાણ થાએ, સર્વ પ્રાણીએ પરહિત કરવામાં રત થાઓ, દોષો નાશ પામી જાખે। અને સર્વ સ્થાનકે સ લેાકેા સુખી થાઓ.” પ્રત્યેક જૈનની આ અંતરની ભાવના હોય. ક્ષમાયાચના આખા પુસ્તકમાં કાઈને દુઃખ થાય તેવું લખાયું હાય તે અંતરથી ક્ષમાયાચના છે. આશય સ્પષ્ટ છે. એ આશયથી સ આ આખા ઉલ્લેખતે વિચારે એ જ અંતિમ પ્રાર્થના. યેાગ્ય વિચારણા, રીતસરનું નેતૃત્વ, સમાજની સેવાભાવના અને વિશ્વના વર્તમાન વલણને લક્ષ્યમાં લેતાં ભવિષ્ય ઉજજવળ છે અને તેને પ્રાપ્ત કરવું તે સમાજના હાથમાં છે. વિચારની પૂર્ણતાને દાવા ન જ હોઇ શકે. માદનને આશય છે. નિયા છેવટના ન હોય તે। વિચારને માટે થાડુ ઘણું સાધન પૂરું પાડે તેા પ્રયાસ તેટલા પૂરતા સળ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩ નવયુગના જૈન પ્રેમભાવે, સ્નેહભાવે, મિત્રભાવે ઉચ્ચારેલ આ ભવિષ્યકથન સા યાએ એટલા પ્રેમાદ્ગાર સાથે અત્ર વિરમીએ, દીવ્ય અગિયા મ છેવટે એક સૂચના કરવી જરૂરી છે. નવયુગને એક ભલામણ કરવાની કે અબ્રાહમ લીંકને કહ્યું છે તેમ કાંટા કાઢીને ફૂલ વાવજો, ખાત્રીપૂર્વક ગણતરી કરીને ફૂલને વસાવો અને કાંટા કાઢવા જતાં તમે તેમાં ફસાઈ જતા નહિ, અથવા કાંટાથી ખરડાઈ જતા નહિ એ ધ્યાનમાં રાખો. કાંટા આકરા છે, ખસે તેવા નથી અને તમે ભૂલથાપમાં રહેશે। । તમને ચાંટીને વીંધી નાખશે, પણ નિર્ભય થઈને એક એકને ઉખેડીને ફેંકી દેશેા તે સમાજ તેને માટે તૈયાર થઈ ગયા છે. આખા અગિયાને ઉખેડી નાખતા નહિ. જીવસટાસટની વાત હાવી માર્ગ સરળ ને સીધેા છે, પરિણામ સુસ્પષ્ટ અને સુસાધ્ય છે. પણ કાંટા કાઢવા જતાં અગિ। તે તમારે મન જોઈ એ. આટલા નિણૅય હાય તે કાર્યક્ષેત્ર રાહ જોઈ રહેલ છે અને शिवास्ते पंथानः सन्तु એટલા નિરાપ સાથે અત્ર સ`મ ગલમાંગલ્યના ઉચ્ચાર ...કરી શ્રીવીર્ પરમાત્માની જય એલાવીએ. પ્રતિશમ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ श्री आदि देलवाः पुस्तक नं. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com