SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ નવયુગના જૈન આવે, વિશાળતા જ્યારે પ્રજાના પ્રાણ બને, પાડેાશીનું સન્માન એ સ્વભાવના એક ભાગ જ બની જાય ત્યારે જે પરિસ્થિતિ થવી કલ્પી શકાય તે સ મદિરને અંગે થશે. અત્યારે થાય છે તેવી ધમાલ ન થાય તેને અંગે પૂજન કરનારની સંખ્યા કે અંતરની ભક્તિ ઉપર ખાસ વિચારે। થશે. સંખ્યા વધશે, અંતરને પ્રેમ થશે અને વીતરાગ ભાવનું પોષણ થશે; પણ બાહ્ય દેખાવ ધણા આ થશે અને આદર્શો તદ્દન નવીન માર્ગ લેશે. મંદિર અને તીને અંગે વરઘેાડા નહિવત્ થઈ જશે. વરઘેાડાથી કાઈ અન્ય ધર્મી જૈન થઈ જશે અથવા જૈન ધર્મની પ્રશંસા કરશે એ વાત મનુષ્યસ્વભાવના અભ્યાસી નવયુગને ગળે નહિ ઉતરે. વરઘેાડામાં એ ખાટા દેખાવ વધારે જોશે અને સમાજમાં ન હોય તેવી જાહે।જલાલી ખતાવવાના દંભ તેને અકવ્ય લાગશે. મંદિર કે તીર્થના કાઈ ઝઘડા કદાચ પડી જશે. તેને નિકાલ લવાદીથી લાવવામાં આવશે. દેવદ્રવ્ય કાને કહેવું તેની વ્યાખ્યા . સસંમત કરવામાં આવશે. તેના ઉપયોગ નિયત કરવામાં આવશે. પૂર્વકાળના કાઈ પણ દેવદ્રવ્યને પૂર્વકાળના નિયથી અલગ પ્રકારમાં વાપરવામાં નહિ આવે. નવીન નિય જાહેર કરી તે અનુસાર નવું દ્રવ્ય આવશે તેનેા તત્કાલીન વ્યાખ્યા પ્રમાણે ઉપયાગ કરવાનું ઠરાવવામાં આવશે. દિગમ્બર-શ્વેતાંબરા દિગબર બંધુઓ શ્વેતાંબર મદિરમાં જશે અને નમશે. શ્વેતાંબરા દિગંબર મંદિરમાં જશે અને નમશે. દિગંબરી ધ્યાનસ્થ દશાને પૂજશે, શ્વેતાંબરા સમવસરણુસ્થ દશાને કે રાજદશાને પૂજશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy