SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું ૧૭ એને શ્રી હેમચંદ્રાચાર્યથી માંડીને અગિયારમા અને બારમા સૈકાની વિશિષ્ટ વિભૂતિઓને વાંચી રે માંચ થઈ જશે. એ જોશે કે સાહિત્યમાં છેલ્લે શબ્દ અલંકાર ચૂડામણિમાં આવી ગયું છે, અનેક પ્રકારના કેશ કરીને જનતાની મહાન સેવા એ યુગમાં થઈ છે, વેગને બહલાવવામાં આવ્યા છેકાવ્યને ઉત્કૃષ્ટ શ્રેણી પર સ્થાન અપાયું છે, ચરિત્રો ચમત્કાર ઉપજાવે તેવાં એ બન્ને સૈકાએ તૈયાર કર્યા છે, આગ ઉપર સુંદર સરળ ટીકાઓ એ યુગે કરી છે અને વાડ્મયની સર્વ દિશા અનેક રીતે ખેડી એણે જૈનદર્શનની સામાન્ય જનતાની ભારે સેવા કરી છે. સોલંકી સમય એ ઉપલબ્ધ ઐતિહાસિક સાધનની દૃષ્ટિએ જોઈએ તે નવયુગની નજરમાં સુવર્ણ જૈનયુગ દેખાશે. એ યુગે જે વ્યવહાર પ્રસંગોનો ઉપયોગ કર્યો છે એ એને ખૂબ આકર્ષક લાગશે. શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સ્વાનુભવી યોગી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની રાજસભામાં જાય, રાજ્યની હકીકતમાં ભાગ લે, રાજાને સલાહ આપે અને છતાં પિતાનું સાધુપદ અને યોગી– સાચવી રાખી તેને મહત્વ આપે એ પ્રસંગમાં અને વ્યવહાર નિશ્ચયનું સમન્વય દેખાશે. અગિયારમી અને બારમી શતાબ્દિમાં એક બે પ્રસંગે બાદ કરીએ તે એને એ આ યુગ સાહિત્યવિલાસી, પ્રાગતિક અને સમયજ્ઞ દેખાશે. કુમારપાળના દરબારમાં દિગમ્બરતાંબરને ઝઘડે એને સાલશે, પણ એકંદરે એ આખા યુગની રચના કરવાની શક્તિ, વ્યવહારદક્ષતા અને ધર્મસામ્રાજ્યને ખીલવવાની કુશળતા પર એ એકંદરે મોહિત થશે. એ અગિયારમી બારમી સદીના એકેએક કવિ, યોગી અને પ્રતિભાશાળી સાધુ અને શ્રાવકને અનેક પ્રકારે સુંદર આકારમાં જનતા સમક્ષ રજૂ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy