SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ - નવયુગને જૈન આ નવયુગને જૈન મિલનસાર પ્રવૃત્તિઓવાળો, સત્યને શોધક, ધર્મના વિશુદ્ધ તત્ત્વને સમજનાર અને સંગ્રહનાર, નવયુગ પ્રમાણે સમાજરચના કરવાની તાલાવેલીમાં વિચારસરણી કેવા પ્રકારની દાખવશે એ પ્રથમ જોઈએ. એના વિચારના જેમને બરાબર તળવાની આવશ્યકતા એટલા માટે છે કે આ નવો યુગ આ એવારે પાણી પીનાર છે. તેને સમજવા માટે તેને વિચારપથ જરા જોઈ લઈએ. અને પછી તેની સમાજરચનાની શ્રેણીઓ વિચારી જઈશું. નવયુગને જૈન પ્રથમ પિતાનું ઘર તપાસશે. સંવત ૧૦૦૦ પછીને જૈન કેમને ઈતિહાસ દીવા જે એ જોઈ શકશે. એની પૂર્વકાળની સ્થિતિના સંબંધમાં એ શોધખેળ જરૂર કરશે અને અનેક નહિ જણાયેલા પ્રસંગે એ જગતને બતાવી આશ્ચર્યથી દિલ્મઢ કરશે. એ ગણિત, સાહિત્ય, ન્યાય, નાટક, કાવ્ય, તર્ક, કેશ, ઇતિહાસ, શિલાલેખ આદિ અનેક વિષયમાં નહિ જણાયેલાં તને શોધવા પ્રયત્ન કરશે અને અનેક સાધનને એકઠાં કરી એનું પૃથકકરણ કરી એ જૈન ધર્મને બહલાવવા પ્રયત્ન કરશે, પણ એ તે જુદો વિષય છે. ખાસ ઐતિહાસિક સમયમાં એ પડશે ત્યારે એની વિચારણું કેવી થશે એ પ્રથમ જોઈ જઈએ. સુવર્ણ જેનયુગ વનરાજ ચાવડાને જૈન ધર્મને ઉપદેશ કરનાર શિલગુણસરિથી માંડીને એ તરત સેલંકી વંશને ઇતિહાસ વાંચશે, ત્યારે ઐતિહાસિક સમયમાં જૈન કામનું કેવું ઉચ્ચ સ્થાન હતું અને એને ખ્યાલ થશે. એ ગુજરાતની સરહદ મુકરર કરશે, એને વિમળ મંત્રી, શાંતુ મંત્રી, મુંજાલ મંત્રી, જગડૂશા, ભામાશા, ઉદયન મંત્રી, વસ્તુપાળ તેજપાળ આદિના કારભાર ખૂબ આનંદ આપશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy