SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જન પછીની સાત સદીઓ પણ પછીની સાત સદીઓ એ જોશે ત્યારે અહીંતહીં થોડા ચમકારાને બાદ કરતાં એ ધર્મસામ્રાજ્યમાં ધીમે પણ મક્કમ ઘસારે જ જશે. સાત વર્ષમાં એ નિરર્થક ઝઘડાઓને જોશે ત્યારે એને અત્યંત ખેદ થશે. એ ઝઘડાઓનાં મૂળ તપાસશે ત્યારે એને ઝઘડામાં મહત્ત્વનું રહસ્ય નહિ જણાય. એ પ્રત્યેક ઝઘડાને ઈતિહાસ જેશે અને એની વ્યવહારૂ તર્કશક્તિ એમને એક પણ ઝઘડે કરવા યોગ્ય નહોતે એમ દાખવશે અને એ સર્વ ઝઘડાને એ સમન્વય કરી બતાવશે. એ પ્રત્યેક ઝઘડાને ન કરવા યોગ્ય બતાવવામાં એની વિચારશક્તિ, તુલનાશક્તિ અને સમન્વયશક્તિને ઉપયોગ કરશે. એને લાગશે કે આવી નજીવી બાબતમાં ચચોઓ-તકરારે ઉત્પન્ન કરીને જૈનદર્શનને પ્રચાર કરવાનું મહાન કાર્ય વિસારી દેવામાં આવ્યું છે અને ઝઘડાને પરિણામે જૈનદર્શન સંખ્યામાં, લાગવગમાં, વિચારબળમાં અને વિશિષ્ટ પ્રગતિમાં પાછું પડયું છે. ઝઘડાને પરિણામે આખા જૈનસિદ્ધાન્તને વિરૂપ દેખાડનાર વર્ણભેદના પ્રસંગે જૈન કેમમાં ઘૂસી ગયા છે અને અંદર અંદરના કલેશને પરિણામે જૈન કેમ પ્રગતિ કરવાને બદલે પ્રત્યેક યુગે પાછી પડતી ચાલી છે. એક સત્તરમી સદીમાં માત્ર તપગચ્છમાં બાવન પંડિત મહા જબરદસ્ત થઈ ગયા, છતાં તે વખતના ઐતિહાસિક ઝઘડાઓ જોઈએ અને એના રીસો તથા ઉલ્લેખ વાંચીએ તે આપણે શરમાઈએ એવી એ કર્મકથા છે. આ સર્વ સાહિત્ય નવયુગને જૈન વાંચી, વિચારી, પચાવી જૈન કેમને ચેતવશે, એને વર્તમાન કદાગ્રહમાંથી છોડાવવા દિવ્ય દર્શન કરાવશે અને જૈનને સાચે માર્ગ કયો હોઈ શકે અને ક્યાંથી ભૂલા પડ્યા છીએ એ સર્વને રજૂ કરવા પોતાના જ્ઞાનને ઉપયોગ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy