SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ નવયુગને જૈન અંતર દહાડેદિવસે વધતું જ ગયું છે અને ધાર્મિક લાગણીઓ ઝનૂનનું રૂપ લીધું છે. એક જ પિતાના પુત્રો છીએ, એક જ શાસનના સેવક છીએ, એક જ મહાન વૃક્ષની ડાળીએ છીએ – એ ખ્યાલ જ થયો નથી અને ઝઘડાઓએ નવા નવા આકાર એટલા ધારણ કર્યો છે કે એ ઝઘડામાં આપણે જુગના જુગ કાઢી, નાંખ્યા છે અને તેને લઈને ખાસ મહત્ત્વનું કાર્ય આપણે કરી શક્યા નથી. એ ખાસ મહત્ત્વનું કાર્ય જૈન સંખ્યાબળ વધારવાનું છે તે મુદ્દા પર તરતમાં આવશું. ઝઘડાનું મૂળ જોઈએ તે જરા પણ તત્ત્વ વગરનું છે. કોઈ પણ ફરકા વચ્ચે તત્ત્વને ઝઘડો નથી, જીવ, જગત કર્તૃત્વ, મોક્ષ, કર્મ, ન નિક્ષેપ આદિ કોઈ પણ મહત્વની બાબતમાં વધે કે મતભેદ નથી. ત્યારે આ સર્વ કયા કારણે ચાલ્યું? જરા હસવા જેવું લાગે તેવી વાત છે પણ તદ્દન સત્ય છે અને તે એ છે કે તફાવતના મુદ્દા તદ્દન સાદા, સાધનધર્મોને અંગેના અને વસ્તુતઃ દૈવત વગરના છે. દિગંબર શ્વેતાંબરની માન્યતા પર અગાઉ લખાઈ ગયું છે. કેવળીને ભક્તિ કે સ્ત્રીને મુક્તિ એમાં કોઈ મુદ્દો નથી અને આ કાળમાં, આ ક્ષેત્રમાં કોઈને કેવળજ્ઞાન થવાનું નથી, અહીંથી સ્ત્રી કે પુરુષ કેઈમેક્ષ જનાર નથી. ત્યારે ઝઘડા શેના? મૂર્તિ પર આભૂષણ ચડાવવાં કે નહિ, મૂર્તિ ને એની બનાવટમાં હેય તે ઉપરાંત ચક્ષુ ટીલાં લગાડવાં કે નહિ. આ મતભેદ વેતાંબરદિગંબને. એક મોટા કેસમાં એક વિધાન બેરિસ્ટર પાસે આ તફાવતે વિગતથી સ્પષ્ટ કર્યો, તે વખતે તે હસી પડ્યા ત્યારે જૈન કેમ કેટલી શરમાવનારી સ્થિતિએ ઉતરી પડી હતી એ ખ્યાલથી નીચું જોવું પડ્યું હતું. બીજા છેડા તફાવતે છે તે મુદ્દાના નથી, ઉપલકિયા છે અને શાંત પતાવટને આધીન થઈ જાય તેવા છે. અને પતાવટ એ માન્યતાના વિષયમાં ન ચાલે એમ ધારવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy