SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૧૩૯ www . આવે તે બન્ને વર્ગ તિપિતાની માન્યતામાં કાયમ રહે તે તેમાં પણ સંગઠન કરવામાં વધે આવે તેમ નથી. વાત એટલે સુધી છે કે તત્ત્વના ગ્રંથ અને સિદ્ધાંત સામાન્ય છે અને બન્ને પક્ષને માન્ય છે. દિગંબરના ગ્રંથ ઉપર વેતાંબર વિદ્વાનોએ ટીકાઓ રચી છે અને એકબીજાના ગ્રંથેના આધાર લીધા છે. શ્રી ઉમાસ્વાતિ વાચકના “તત્વાર્થધિગમ' સૂત્રને બન્ને વર્ગ માન્ય કરે છે. એ આચાર્ય દિગંબર હતા કે શ્વેતાંબર હતા તે ભાંજગડમાં આપણે નહિ ઉતરીએ, પણ એમાંથી એક રહસ્ય તારવીએ કે તત્વની બાબતમાં બન્ને વચ્ચે મુદ્દાને એક પણ તફાવત નથી. આખા તત્વાર્થમાં નગ્ન પરીષહ કહેવાય કે અચેલક પરીષહ પરીષહ કહેવાય એ સિવાય એક પણ મુદ્દાને તફાવત જોવામાં આવતું નથી. ત્યારે ઝઘડા શેના? અને કેણે અંતરે વધાર્યા જ કર્યો છે? અને જૈન જેવી સમજુ કેમે એ વિષને અત્યાર સુધી કેમ પડ્યું છે? આ પ્રખ્ખો નવયુગને માટે સ્વાભાવિક છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક શ્વેતાંબરે વચ્ચે તે માત્ર મૂર્તિપૂજાની તકરાર છે. એ સાધનધર્મને અંગેને ઉઘાડે પ્રશ્ન છે, તત્ત્વને ને એ પ્રશ્નને લેવાદેવા નથી. છતાં અછાજતી ભાષામાં અરસપરસ ટીકાઓ થઈ છે, પુસ્તકે લખાયાં છે અને ગૃહસ્થના મુખમાં ન શોભે તેવાં કવિને એકબીજાને ઉતારી પાડવા લખાયાં છે અને જળવાયાં છે. આ તફાવત–અંતર તે માત્ર પ્રેમ દ્વારા તરત જીતી શકાય તેમ છે. ખરી રીતે દેત્પાદક ભાષા વાપરી વિષને વધારવામાં સમય, બુદ્ધિ અને સાધનને દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ગામેગામ પ્રેમના ઉમળકાને બદલે ઝેરના પમરાટ પાથર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com માત્ર પ્રેમ વામાં સમય . જરી રીતે છે
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy