SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - નવયુગને જૈન લેવરાવી, ગાળો દેવામાં ધર્મ મનાય અને મિથ્યાત્વી નરકગામી કહેવામાં ધર્મના રક્ષક હોવાને એણે દાવો કરાવ્યું. આ આખી વાત એવી બની છે કે એના પર જેમ જેમ વિચાર કરવામાં આવશે તેમ જૈન કેમ કેટલી હદ સુધી ઉતરી ગઈ છે અથવા એને ઉતારી દેવામાં આવી છે અને એને મૂળ માર્ગ કેટલો ભૂલાઈ ગયું છે એનો ખ્યાલ આવે. જે ધર્મના પ્રવેશદ્વારનાં લક્ષણમાં શમ, સંવેદ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા હેય અને જેના અનુયાયીઓમાં એ પાંચમાંનું એક પણ ન દેખાય અને છતાં પાંચમા ગુણસ્થાનક પર હોવાનો દાવો કરે અને તેના એ દાવાને છ સાતમા ગુણસ્થાનકને દાવો કરનારા સ્વીકારે – જ્યાં વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યાં ઊભા રહેવાને રસ્તે પણ કયાં રહે? આ સ્થિતિ પંચમકાળમાં થઈ છે કે હાથે કરીને અથવા વગર વિચાર કરી છે એને નિર્ણય કરવાનું કાર્ય નવયુગ કરશે ત્યારે આપણા વડિલે શો જવાબ આપશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને એ જવાબ સીધો અને સરળ જોઈએ. મૂળ મુદ્દાને ઉડાવનાર સરકારી જવાબ જેવા જવાબ આપવાને યુગ ચાલ્યો ગયો છે. અત્યારે તે નગદનાણું અને સરળ વ્યવહારને જ માન મળે છે અને નવયુગ દંભ, ઢેગ, ઉપર ઉપરના સ્વાંગને તિરસ્કાર કરનાર થવાનું છે તે સમજી શકે તેવા જવાબ દેવા એટલી વિજ્ઞપ્તિ છે. નરકને રસ્તો દેખાડો કે વ્યવહાર બંધ કરવાની કનિષ્ટ સજા કરાવવી એ જવાબ ન કહેવાય, એ તે દલીલની ગેરહાજરીને સ્વીકાર કહેવાય. અત્યાર સુધી કામના વિચારક વર્ગે ઉઠાવેલા સવાલેને જે ફેજ કરવામાં આવ્યું છે તે સત્તાબળે નભ્યો તેમાં વિશિષ્ટતા મનાણી હોય તે આવતો યુગ જુદી જ જાતને આવવાનો છે તે ધ્યાનમાં રહે આ મુદ્દા પર આગળ વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy