SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ - નવયુગને જૈન નીકળશે. એ ક્રિયા અનુષ્ઠાનમાં પરિપૂર્ણતા માનશે નહિ, પણ જ્ઞાનમાર્ગે મુક્તિ સાધવા પ્રયત્નશાળી થશે અને તેને અંગે જરૂરી અનુષ્ઠાને જરૂર કરશે. એ ક્રિયા કરતાં જ્ઞાનને અને સમજીને ક્રિયા કરવાનો આગ્રહ રાખશે અને વીર પરમાત્માના આદર્શ શ્રાવક થવાના અભિલાષ કરશે. એ ધર્મપ્રભાવક થશે. જૈનધર્મને વિશ્વધર્મ તરીકે સ્વીકાર કરાવવા માટે તે યોગ્ય પગલાં ભરશે, સાહિત્યરસ તેના જીવનને ભાગ બનશે અને શોધળના કાર્યને અને અસલ શુદ્ધ જૈનત્વને ફરી ઉદ્ધાર કરવા તે ખૂબ યત્ન કરશે. એની ભાવના વિશેષ ઉન્નત, જગતમાં શાંતિ પ્રસરાવનારી અને સાપેક્ષ્ય થશે. એને આદર્શ જગતમાં મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થના વિચારે ફેલાવવાને અને તે પિતાના દષ્ટાંતથી સફળ કરવાનું રહેશે અને એનામાં કેમીવાદ નામ પણ નહિ રહે, સહિષ્ણુતા અસાધારણ આવશે અને સત્યની શોધ ચારે બાજુથી કરશે. એમાંના કેટલાક ઉત્કૃષ્ટ ગૃહસ્થજીવન જીવનારા અને ત્યાગીની કેટી સુધી આદર્શ રાખનારા પણ થશે. * એ નવીન રૂપમાં અત્યંત વિશાળતા સાથે અનેક સંસ્થા નવયુગને અનુરૂપ સ્થાપશે અને ત્યાં કેળવણી, તત્વજ્ઞાન, નીતિ, વેગ આદિ અનેક બાબતને આકર્ષક આકારમાં વિજ્ઞાનને અનુરૂપ બનાવશે. એને એક મુદ્દો કેળવણી માટે આગ્રહપૂર્વકનો રહેશે. સર્વત્ર કેળવણી વધે, ભવિષ્યને જૈન અતિ વિશાળ કક્ષાને થાય અને ધર્મને આભૂષણ રૂપ બને, વ્યવહારમાં જૈન નામને દીપાવે, ગૃહસ્થ તરીકે આદર્શમય થાય અને ગૂંચવણવાળા પરસ્પર વિઘાતક પ્રસંગે વખતે બરાબર આરપાર નીકળી જાય તેવાને ઉત્પન્ન કરવાના કાર્ય પાછળ તે પિતાનાં ધન, આવડત અને શક્તિનો વ્યય કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy