SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧લું વિશાળતા બતાવવાને રસ્તે અનેક વાર વ્યવહારમાં અમલ કરાયેલે દેખાય છે. સાધનધર્મોને અંગે આટલી વિશાળતા બતાવવામાં આવી છે તે જ જૈનદર્શનના અનેકાન્ત સ્વરૂપને આગળ કરે છે. વિધિમા અને નિષેધમાન અંગે જે એકાંત પ્રરૂપણ કરે તે જૈન નથી એ મહાન વિશાળ સૂત્રને ભૂલી જવાથી વચ્ચેના વખતમાં કેટલી અવદશા થઈ છે તે આ પુસ્તકમાં અનેક પ્રસંગે જોવામાં આવશે. અત્રે પ્રસ્તુત વાત એ છે કે કિયાવિભાગને અંગે જે વિશાળ દષ્ટિ જૈન શાસ્ત્રકારે ઠામ ઠામ બતાવી છે, તેને લઈને સનાતનતાની ગૂંચવણ ઊભી કરી સાચી જરૂરી પ્રગતિ અટકાવવી એ જૈનધર્મની સાચી સેવા ન ગણાય. તેથી નવયુગની સર્વ પ્રવૃત્તિ સાપેક્ષ દષ્ટિએ હોય તે તેમાં સનાતનતાની ગૂંચવણે પ્રાચીન અને નવીન વચ્ચે સંગ સંબંધ તૂટી જવાના ભયનું કાંઈ પણ કારણ રાખવા જેવું નથી. આ વિષય પર આગળ અનેક વાર ચર્ચા કરવાની છે, પણ શરૂઆતમાં આ પુસ્તકની વ્યર્થતા એ કારણે સિદ્ધ થાય તેમ નથી તેટલું બતાવી આપણે રસ્તે સાફ કરીએ. બને વચ્ચે ભેદ છે જ નવીન અને પ્રાચીન ભેદ છે જ. તે હોવા છતાં, દેખવા છતાં આંખ આડા કાન કરવા અને ભેદ કાંઈ નથી એમ કહેવું એ માત્ર બેલવા જેવું જ છે, વસ્તુતઃ તેમ નથી. પ્રાચીન અને નવીને વચ્ચે અનેક ભેદ છે. કેટલીક બાબતમાં તે આકરા ભેદ છે અને તે સકારણ છે, પણ સમજવા ગ્ય છે અને ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રાચીનનાં શુભ તને બરાબર સંગ્રહ કરે, પ્રગતિને અટકાવવી નહિ, નવયુગની સર્વ પ્રવૃત્તિઓને વિચાર કર્યા વગર ઉચ્છેદી નાખવી નહિ અને બન્નેના સંકર દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy