SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ - -- નવયુગને જૈન છે. રંગની ઉત્પત્તિ, રસાયણોની ઉત્પત્તિ, અને એથી અનેક મોટા પાયા ઉપરની ઉત્પત્તિથી સાબુ રમકડાં જેવી નાનીનાની ચીજો ઉપર પણ એ પહોંચી જશે. આ સંબંધમાં આરંભ સમારંભના વિચારમાં મેટ ફેરફાર થશે અને જૈને મોટી જવાદારીઓને પહોંચી વળવા અને સમાજમાં સ્થાન જાળવી રાખવા અપવાદને માર્ગ પણ સ્વીકારશે. ઉત્પત્તિનાં ક્ષેત્રોની-વ્યાપારની કે તેની પદ્ધતિની વિગતે અત્ર સ્થળ સંકોચથી આપી નથી. એ સર્વમાં જે મુદ્દો કામ કરશે તેની ચર્ચા નવયુગની નજરે થઈ છે. વ્યાપારી કેળવણી નવયુગ વ્યાપારી કેળવણી તરફ ખાસ ધ્યાન આપશે. એની નજરમાં વ્યાપારનાં ક્ષેત્રમાં ચાલતી સખત હરીફાઈને પહોંચવાના પ્રશ્નને નિકાલ વ્યાપારી શિક્ષણમાં આવશે. એક મહાપ્રયાસે મીલનો ઉદ્યોગ જમાવનારને છોકરે બાપની ગાદી પર બેસતાં પહેલાં નાના કારકુનની જગ્યાથી માંડી ખરીદી ખાતાં, વેચવાનાં ખાતાં, યંત્રોનું જ્ઞાન આદિ અનેક અભ્યાસમાંથી પસાર થવો જોઈએ. આ અગત્યની બાબત વીસરી જવાથી અનેક ધંધાઓ ખોઈ બેઠા છીએ. ઉત્તરોત્તર ચાલ્યો આવતે બંધ કરનારને તે બહુદેશીય શિક્ષણ જરૂર મળવું જોઈએ. એને કાગળની પ્રેસપી સુદ્ધાં હાથે કાઢતાં આવડવી જોઈએ, નહિ તે કઈ અટીકટીના પ્રસંગે સિપાઈ કે કારકુન હાજર ન હોય તે કામ અટકી પડે. સર્વથી શરૂઆતમાં જરૂરી સામાન્ય જ્ઞાન તે માનસિક વિકાસ માટે જોઈએ. ભાષા મારફત કે પરભાષા મારફત અત્યારે મેટ્રીક્યુલેશન સુધીને અભ્યાસ ગણાય છે તેટલા પૂરતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy