SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = નવયુગને જૈન સબંધ, કર્મના અનેક પ્રકારે આદિ એ એવા સુંદર આકારમાં રજૂ કરશે અને ન નિક્ષેપ સપ્તભંગીને એ એવી સુંદર રીતે નૂતન યુગને બતાવશે કે ઘડીભર દુનિયા ચકિત થઈ જશે અને ત્યાં એની ઉચ્ચ કેળવણીને ખરે ઉપયોગ કરી બતાવી નવયુગની પદ્ધતિના આવકારદાયક માર્ગોને એ સાક્ષાત્કાર કરાવશે. જૈન ધર્મના સર્વ પ્રદેશો અનેક રીતે ખેડાશે, ખેડવામાં શ્રાદ્ધો મદદ કરશે અને જાતે કરશે, અન્ય પાસે કરાવશે અને જનતાને અનેક નવાં લક્ષ્યબિંદુએ વિચાર માટે આપશે. એને આદર્શ ધનપ્રાપ્તિને બદલે સેવાને રહેશે. એ જનતાને પિતાની શક્તિને લાભ આપવામાં જીવનસાફલ્ય માનશે અને એને જીવનક્રમ સાથે, સરળ નિર્દભ અને છતાં નવયુગને અનુકૂળ બનશે. એ રાજદ્વારી, નૈતિક, વ્યાપારી આદિ અનેક બાબતમાં કેવી રીતે કામ લેશે તે આ પુસ્તકમાં અન્યત્ર આવ્યું છે અથવા આવવાનું છે. ટૂંકામાં જૈનના ડંકા વાગશે અને તે નવયુગ વગાડશે અને છતાં તે એકદેશીય નહિ થાય, ટીકાપાત્ર નહિ થાય, અવ્યવસ્થિત નહિ થાય, કંટાળો આપનાર નહિ થાય. શ્રાવિકા અને શ્રાવિકાઓ નવયુગમાં ભારે પ્રગતિ બતાવશે. એ ઘરમાં જ નહિ રહે. એ જાહેરમાં ભાગ લેશે, સેવાક્ષેત્રને પિતાનું બનાવશે અને ખાસ કરીને નમ્રતાના સદ્ગુણોનું કેંદ્ર બનશે. અનેક ઘરગથ્થુ દવાઓને અંગે, અકસ્માત વખતે, સેવાને અંગે, માંદાની માવજતને અંગે, પ્રસુતિ કર્મની અધિષ્ઠાત્રી તરીકે અને એવા એવા સેવાના અનેક માર્ગોમાં એ અનુકૂળતા પ્રમાણે ભાગ લેશે. એક ટકે સ્ત્રીઓ પણ ભણ્યા વગરની નહિ રહે અને કેળવણીના પ્રસાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy