SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮મું ૨૩૫ - 4 * - - - - લગ્નના ઉપરના સર્વ પેટા વિષય સંબંધમાં મહાસભાપરિષદ વિચારણા કરી માર્ગદર્શન કરાવશે અને મહાસભાના નિર્ણય નવયુગને–સમસ્ત જૈન સમાજને માન્ય થશે. જમણવાર લગ્નના પ્રશ્નની સાથે જમણવારને સવાલ ગાઢ સંબંધ ધરાવે છે. સામાજિક પ્રશ્નને વિચાર ચાલે છે ત્યારે જમણવારની વાત કરી નાખીએ. પ્રથમ લગ્નને અંગે વિવેક વગરને વધારે પડતું ખર્ચ થાય છે અને લગ્નની ગંભીરતામાં વધારે કરવાને બદલે નાટક ફારસનું રૂપ લે છે તે નવયુગ ચર્ચા દ્વારા અટકાવી દેશે. જમણવારને અંગે તેને બહુ વિચારે થશે. તમે કઈ જમણવારમાં ગયા છે? અંતરંગને પૂછજો. ત્યાં આપણે માણસની જેમ જમીએ છીએ? ત્યાં જે રીતનું વર્તન થાય છે તે જૈનને યોગ્ય થાય છે? ખાનાર માને છે કે લૂંટાઈ જશે માટે ખાઈ નાખે, ખવરાવનાર પોતાની કલ્પનામાં માનેલી આબરૂના વિચારમાં રહે છે. એને થાય છે કે આ લૂંટનારા મારી ટીકા કર્યા વગર ઘેર જાય તે સારું. ખાનારને ખાતાં આવડતું નથી, પંગતે બેસતાં આવડતું નથી, ઉડીને દેડાદોડ કરવામાં સભ્યતા રહેતી નથી, ઉચ્છિષ્ટ (એઠું) મૂકવામાં ધર્મને લેપ દેખાતું નથી, બેસવાની જગ્યા કેટલી ગલીચ છે તેને ખ્યાલ નથી, આરોગ્યને એક નિયમ જળવાતું નથી, વરસાદ હોય તે ઉભડક બેસવામાં વાંધો નથી, એક થાળીમાં ચાર પાંચ સાથે જમે એની અડચણ નથી, વાતાવરણમાં શાંતિ નથી. અવ્યવસ્થિત હકારા, ખાનારની લપાલપ, પીરસનારાના ઘાંટા અને પાંચસોને નેતર્યા હોય ત્યાં એક હજાર આવી શકે એવી સમાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy