SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નવયુગને જૈન અતિ વૃદ્ધ અથવા શારીરિક ખેડવાળો આ વર્ગમાં દાખલ નહિ થાય. દેવાદાર કુટુંબકબીલાવાળે આ વર્ગમાં જોડાવા પહેલાં પિતાનું દેવું આપીને અને કુટુંબીઓની સંમતિ મેળવીને આ વર્ગમાં જોડાઈ શકશે. સેવામંડળ આવા અને આને મળતા નિયમે કરી એક સેવામંડળ નવયુગ ઊભું કરશે. એને ઉદ્દેશ સેવાકાર્ય અનેક દિશાએ કરવાને રહેશે અને તેની સાથે વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ વ્યવસ્થા કરવાની તેને જરૂર લાગશે. એ ખાવાપીવાના, વસ્ત્રાદિના અને મુસાફરીના નિયમ મુદ્દામ હેતુ લક્ષ્યમાં રાખીને ઘડશે અને તેથી સેવાભાવી સાધુઓને ઘણી વાર જે અગવડ પડે છે તે આ રીતે નવયુગ દૂર કરશે. આ મધ્યમ કક્ષાને ઉદ્દેશ સેવકસમાજ ઊભે કરવાનું હોઈ તે સંસારથી અમુક અંશે વિરક્ત રહેશે અને અમુક બાબતમાં સંસારમાં પણ રહેશે. એને લાયક થવાની કોટિ સન્ડે રાખવામાં આવશે અને ગમે તેવા સગવડને લાભ લેનારા પણ સેવાભાવિ નહિ હોય તેને દાખલ કરવામાં નહિ આવે. આવા મંડળને તૈયાર કર્યા બાદ અનુભવથી એમ જણાશે કે એ મંડળના અમુક સભ્યને પરણવાની જરૂર છે અથવા પરણેલા સ્ત્રી સહિત સભ્યને મંડળમાં દાખલ કરવાની આવશ્યકતા છે તે પરણેલ ન હોય તેના મનની સ્થિરતા આદિ કેવા રહે છે તેને ખ્યાલ કરી બારીક તપાસ કરી ખાસ જરૂર લાગશે તે નિયમમાં સુધારાવધારા પણ કરશે. એનું ધ્યેય સેવાનું હોઈ તે જે માગે વધારે ઉપયોગી, વધારે અસરકારક અને સર્વોત્કૃષ્ટ પરિણામ જે રીતે લાવી શકનાર નીવડશે તે પ્રમાણે તેની યોજના થશે. આ બાબતને છેવટને નિર્ણય શું થશે તે કહેવું મુશ્કેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy