SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ નવયુગને જૈન શોધવા જવું નહિ પડે અને આ જીવનપ્રવાહ એને થયેલા અન્યાયથી સણસણતે હોઈ માત્ર એને તે કોઈ કાર્ય ઉપાડવાની જ વાત રહેશે. સ્ત્રી પિતાની સત્કીર્તિને અને પ્રગતિને લગતું ગમે તે નાનું કે મોટું કામ હાથ ધરશે તેમાં તેને પાછા પડવાને પ્રસંગ નહિ આવે. સ્ત્રીના આગમનને વધાવવા નવયુગ ઉઘુક્ત રહેશે અને કોઈ કાઈ રહ્યાહ્યા પ્રાચીને બૂમ પાડશે તે તે અરણ્યરૂદન જેવું થશે. ઉચ્ચ અભ્યાસમાં સહશિક્ષણને તેમ જ અલગ શિક્ષણને ક્રમ ગોઠવાશે. અનુકૂળતા પ્રમાણે બનેને લાભ સ્ત્રીવર્ગ લઈ શકશે. મોટાં મોટાં વિદ્યાર્થીગૃહો સ્ત્રીઓ માટે અલગ કાઢવામાં આવશે. ત્યાં ગૃહપતિ તરીકે સેવાભાવી સ્ત્રીઓ જ રહેશે અને સર્વ આંતર વહીવટ સ્ત્રીઓ જ ચલાવશે. એ ઉપરાંત મેટી હોસ્પીટલો પણ સ્ત્રીઓ નભાવશે અને ચલાવશે. ત્યાં માંદાની માવજત એ તેને વિશિષ્ટ અને અંગત વિષય રહેશે. પ્રસૂતિગૃહે આદર્શ બનશે. સુવાવડમાં અથવા સુવાવડને પરિણામે મરણસંખ્યા નહિવત થઈ જશે. વ્યાપાર આદિ જાહેર સર્વ સ્થાનમાં સ્ત્રીઓને પૂરતો અવકાશ મળશે અને તેને તે પૂરતો લાભ પણ લેશે. જ્ઞાનથી વંચીત રહેલી સ્ત્રીઓ જ્યારે એકવાર અભ્યાસ કરશે, કેળવણીની આરપાર ઉતરી જશે, એટલે સેવાના તથા ધંધાના, કરીના તથા અમલદારીના સર્વ કાર્યમાં એ દાખલ થશે. જાહેર સેવા અને જાહેર જીવનમાં સ્ત્રીઓને મળવાના અવકાશ પૂરતી વાત સામાન્ય પ્રકારે નવયુગની દષ્ટિએ થઈ. હવે ગૃહજીવન કેવું થશે તે પર નવયુગ ખાસ ધ્યાન આપશે અને સ્ત્રીઓ સ્વતઃ જ નવીન પરિસ્થિતિ ઉભી કરી લેશે. તેને નિર્દેશ નીચે પ્રમાણે પ્રાપ્ત થયો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy