SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રર મું ૨૯૭ થાય તેવો પ્રબંધ થશે અને કથા, રાસ, પદે, સ્તવન, સઝાયોથી એને વધારે રસપ્રદ કરવામાં આવશે. એમાં અભ્યાસને આ ક્રમ ગોઠવાશે અને અભ્યાસ નિપ્રાણ ન થતાં ઉપયોગી થશે, અરૂચિકર ન થતાં આકર્ષક થશે અને ભણતર અને જીવતરને સંબંધ નથી રહી શકતે તેને બદલે માત્ર જીવનને ઉપયોગી થાય તેવું જ જ્ઞાન તદ્દન નવીન પદ્ધતિએ આપવામાં આવશે. પાઠશાળા એ આળસુને આશ્રમ કે નવરાને વિનેદ નહિ રહી શકે. એ જીવતી સંસ્થાઓ રહેશે. એના અધ્યાપકે ઉત્તમ ચારિત્રવાન અને શિક્ષિતે પર છાપ પાડે તેવા થશે અને અનેક સેવાભાવી યુવકે એમાં રસ લઈ વગર વેતન–અલ્પ વેતને પિતાને સમય આવા વિદ્યાવિલાસના કાર્યમાં આપશે. નવયુગ જેમ બદલે આપવા ઉત્સુક રહેશે તેમજ સેવાભાવીને શેધી યોજવામાં અને કાર્યકરને જોડવામાં પણ ઉઘુક્ત રહેશે. કેળવણુગ્રહ આ વિષય ચર્ચાતાં (જુઓ પૃ. પર-૫૭) એ બાબતનું સ્વરૂપ કાંઈક નોંધ્યું છે. નવયુગનું વિશિષ્ટ કાર્ય તે આ વિદ્યાર્થીગૃહ થશે. ત્યાંથી નવયુગના સંદેશા નીકળશે. ત્યાંથી જે વિદ્યાર્થીવર્ગ બહાર પડશે તે ધર્મની અને સમાજની સેવા કરનાર નીકળશે. કોલેજમાં તેમને અનેક માનસિક તથા વ્યવહારૂ વિષયનું જ્ઞાન મળશે તેની નૈતિક અને ધાર્મિક વિષયની પૂરવણી આ વિદ્યાર્થીગૃહોમાં કરવાની યોજના નવયુગ કરશે. આ વિદ્યાર્થીગૃહોને એવી રીતે સુસજજ કરવામાં આવશે કે ત્યાંથી ઊંચામાં ઊંચા વર્તનશાળી આદર્શ જૈને ઉત્પન્ન કરવાનું તે કેદ્ર બનશે. માતાપિતાના સંસ્કારમાં કુટુંબપ્રેમને લાભ મળે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy