SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું રહેશે. પ્રકૃતિ-મિજાજ ઠંડા રાખશે, પણ દરેક પ્રાણી સૌમ્ય દેખાવને રહેશે એમ તે ન જ કહી શકાય. સમાજને અંગે ધગશપૂર્વક અનેક કાર્યો જેને કરવાનાં હોય છે તે દેખાવમાં તદ્દન ઠંડે રહે તે તેની ભલમનસાઈને ઘણે ગેરલાભ લેવાય છે તેવા સંજોગોમાં તે મજબૂતીથી કામ લેનાર પણ થશે. એકંદરે અંદરની શાંતિ હોવા છતાં પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે સાપેક્ષ દૃષ્ટિએ એ સખ્ત પણ થશે. એને બાહ્ય દેખાવ સાથે કામ જ નહિ રહે, અંદરથી એ તદ્દન શાંત રહેતાં શીખશે. બાહ્ય દેખાવ તેના કાર્યક્ષેત્ર પર આધાર રાખશે. છતાં એકંદરે અંદરની દૃષ્ટિએ જોતાં સૌમ્ય-સમભાવ તેનામાં જામતે જશે. નવયુગના કાળક્ષેત્રને વિસ્તાર ઘણે મેટ હોવાથી એની સૌમ્યપણાની વ્યાખ્યા જુદાં જુદાં રૂ૫ લેશે એવો આભાસ થાય છે. (૩૨) પરોપકાર કરનાર–આ ગુણ માત્ર વ્યાખ્યાનમાં કે પુસ્તકમાં નહિ રહે. અનેક દિશાએ એને સક્રિય વ્યવહાર થશે નવયુગમાં અનેક રને ખાસ સેવાભાવી નીકળશે. આખી મધ્યમ કક્ષા નીકળશે. સેવા કરવામાં આખું જીવન આપનાર નીકળશે. સેવાનાં ક્ષેત્રે તદ્દન અભિનવ, વ્યવસ્થિત અને જીવતાં માલૂમ પડશે. દાખલા તરીકે જેલના કેદીઓને સુધારવાનો વિચાર પણ કદિ નહિ આ હેય ત્યાં એ પહોંચી જશે અને દુનિયાથી તજાયેલાને એ ઉપદેશ આપી કામે ચઢાવશે અને એનામાં એ જીવનપલટ કરવાના પ્રયત્નો ફતેહમંદ રીતે કરશે. આ તે દાખલા તરીકે એક પરોપકારનાં નવાં ક્ષેત્રને દાખલો આપો, પણ એવાં તો પાર વગરનાં નવાં ક્ષેત્રે એ ખોલશે અને ખેલીને તેમાં કામ કરનારાઓના મોટા સમૂહને નાનાં મોટાં કાર્યો માટે આકર્ષશે અને તેમાં જોડાશે. નવયુગ એક માણસને લક્ષ્મી એકઠી કરવાને હકક જ સ્વીકારશે નહિ અને છતાં લક્ષ્મી કે બીજી સગવડ આવડત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy