SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગના જૈન સ્વરૂપ, એની ન્યાય—તર્ક પર આખી રચના, ભાષણ, લેખ અને અન્ય પ્રસંગા સાધી જનતા પાસે રજૂ કરવામાં આવશે. છેદત્રા જેવા ગ્રંથે ચર્ચાપૂર્વકની તેાંધા સાથે જાહેર પાસે વિસ્તાર રૂપમાં અને સંક્ષેપ રૂપમાં રજૂ કરવામાં આવશે. જૈનશાસ્ત્ર એ ઉધાડુ શાસ્ત્ર છે, સ જનગ્રાહી વિશ્વામુખ શાસ્ત્ર છે અને એના જે ઉપયાગ કરે તેને અહીં અને આગળ લાભ કરનાર છે એ વાત સ્પષ્ટ કરવામાં આવશે. ૧૫૮ ખાસ કરીને આખા જૈન શાસનમાં પરસ્પર વિરાધ થાય તેવું એકે સૂત્ર નથી, એમાંથી દ્વૈત પણ નીકળે અને અદ્વૈત પણ નીકળે એવી એક પણ અચોક્કસ વાત જૈનના મૂળ ગ્રંથામાંથી નીકળે તેમ નથી, એ બતાવવામાં આવશે અને પછી જે મતભેદ થયા છે તે ક્રિયાવાદને અંગે કે સાધનધર્માંના અંગે જ થયા છે, પણ આત્મા, તેનું અનાદિવ, સૃષ્ટિકર્તૃત્વ, ચેતનના મેાક્ષ—માક્ષની સ્થિતિ આદિ અંતિમ મહા પ્રશ્નેને અંગે જરા પણ મતભેદ થયે નથી કે આખા શાસનમાં એને અંગે અરાજકતા થઈ નથી એ બતાવશે. જૈન ધર્મ સંબંધી થયેલી ગેરસમજુતીઓ અનેક પ્રમાણેાથી દૂર કરવામાં આવશે. એનું મૂળ સ્વરૂપ કેવું છે, એને ઇતિહાસ કેટલા પુરાણા છે અને એને વેદ સાથે સંબંધ કેવા પ્રકારના છે, ઔને અને એને ક્યાં સામ્ય અને પરસ્પરના સંબંધ છે એ સંબંધી અનેક પુરાવા સિદ્દ હસ્તે રજૂ કરવામાં આવશે, આક્રમણની ભાષા, ભાંગતાડ કરવાની વિવાદ વૃત્તિ અને તુમ્બંગાળીપ્રદાન જેવા અથવા અદગ્ધ શબ્દપ્રયોગ રદ કરવામાં આવશે અને રચનાત્મક પદ્ધતિએ, પ્રતિપાદક શૈલીએ, સમજાવટની રીતે સત્યશેાધનને માગે અને હાય તેટલું જ બતાવવાની રીતે લેખન અને ભાષણ દ્વારા ધ`પ્રસાર કરવામાં આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy