SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ૧૪૯ સંખ્યા ઘટવાનાં કારણે પ્રથમ સંખ્યા ઘટવાનાં કારણે તપાસશે. ત્યાં નીચેનાં કારણે નવયુગની નજરમાં મુખ્ય લાગશે. સંગઠનને અભાવ. લગ્ન સંસ્થાના પ્રશ્નને નિકાલ કરવાની બિનઆવડત. એકતા ખીલવવાને બદલે પ્રતિસ્પર્ધીત્વનો ખ્યાલ. વર્તુળના કેદ્ર થવાની પ્રત્યેકની ભાવના. વિશાળ પ્રશ્ન વિચારવાને, જીરવવાને, ઉકેલવાને જોઈએ તેટલી વિચારશક્તિ, છનાવટ અને દીર્ધદર્શિતાને અભાવ. આ પ્રશ્નની વિચારણામાં પ્રાચીને તરફ ગૌરવ નહિ જળવાય, અને તેઓ (નવયુગ) ખુલ્લી રીતે કહેશે કે જે પ્રાચીને એ વારસો ગુમાવ્યો છે અથવા સદંતર ગુમાવવાની અણી પર મૂકી દીધો છે તેને જે પ્રકારનું ઘટે તેટલું જ અને તે પ્રકારનું જ સન્માન અપાય. અંદર અંદરની લડતમાં પચી રહેલા પૂર્વજોને કેમ કે ધર્મનું નિઃસંતાન થઈ જાય તેની કેદી પરવા હતી! આવા આવા વિચારે તે બતાવશે. દાખલાદલીલ તેઓ દાખલા દલીલથી બતાવશે કે અમદાવાદ અને આણંદ વચ્ચે ૨૫૦૦૦થી વધારે પાટીદારે જૈન હતા. ૪૦ વર્ષમાં હવે તે ઘટીને હજાર બે હજાર આસપાસ આવી ગયા છે. તેનું કારણ સમાજે કઈ દિવસ વિચાર્યું હતું? તપાસ કરશે તે જણાશે કે દીકરાદીકરીના વેવિશાળ લગ્ન ક્યાં કરવાં તેની અગવડે ઘણાં ઘરે જૈન મટી ગયાં. આવી વાત કરશે ત્યારે પ્રાચીને કહેશે કે તે તેઓની આસ્થા–શ્રદ્ધા પાકી નહિ. જ્યાં તત્ત્વજ્ઞાન લગાડવાનું હોય ત્યાં ન લગાડે, પણ વ્યવહારનાં કૂટ પ્રશ્નોમાં તેને દુરૂપયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy