________________
૧૪૮
નવયુગને જૈન
સમવસરણમાં વૈર વિરોધ ન હોય તે ન્યાયે સર્વ વિધિ ટળી જશે અને કઈ કચવાટનું કારણ રહેશે તે તેને અંદર અંદર પ્રેમભરી ચર્ચાથી નિકાલ લાવશે અને ખાસ જરૂર જણાશે ત્યાં છેવટે લવાદીથી નિકાલ લાવશે. કે દરબાર સર્વ બંધ થઈ જશે.
સ્થાનક્વાસી ભાઈઓમાં જેને ફાવે તે મંદિરે જાય, ન મરછમાં આવે તે આત્મસાધન કરે. એમાં પરસ્પર પ્રેમ એ છે ન થાય એવી તો ચિંતવના કરવામાં આવશે.
આ અંદર અંદરની એકતા થતા એક વ્યાસપીઠ પર સર્વ જૈને આવશે. ત્યાં સર્વથી પહેલું ધ્યાન સંખ્યાબળ ઉપર જશે, તેઓને એમ લાગશે કે છેલ્લાં સેંકડે વર્ષથી આપણે અંદર અંદર લડી પરસ્પરને હૃાસ કર્યો છે. રત્નપ્રભસૂરિએ લા ક્ષત્રિયને જૈન બનાવ્યા અને હેમચંદ્રાચાર્યે અનેક બ્રાહ્મણોને ભોજક-પૂજક બનાવ્યા. ત્યાર પછી મોટા પાયા ઉપર જૈન ધર્મને પ્રેમથી સ્વીકાર કરાવવાનાં પગલાં પદ્ધતિસર લેવાયાં નથી એમ તેમને લાગશે. ઇતિહાસની આરસીમાં તેમને દેખાશે કે કુમારપાળથી શ્રી હીરવિજયસૂરિ સુધી જે જૈન કેમની ગણના ઓછામાં ઓછી બે કરોડની હતી તેની સંખ્યા બાર લાખ આસપાસ આવી પડી અને પ્રત્યેક ગણતરીમાં હિંદની વસ્તી વધતી જાય છે ત્યારે આપણે વીસ લાખથી ઘટીને ૪૦ વર્ષમાં બાર લાખે આવી પહોંચ્યા તેનું કારણ શું?
આ ભડકામણ આંકડા જ સંગઠન કરવામાં સહાયભૂત થશે. પણ પછી જે વિચારણું થશે તે ખાસ અગત્યની છે. જૈનેને માટે એ મરણજીવનને પ્રશ્ન છે અને એના વ્યવસ્થિત નિકાલમાં
એના દીર્ધદષ્ટિપણાનું મૂલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com