SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~~ ~ પ્રકરણ ૩ જું ~~ ~ ~~~~~~ આ ઝઘડે અકથ્ય જણાય છે. સેંકડે વર્ષથી ચાલતા આ ઝઘડાને મુદ્દો, સાર્થકત્વ, હેતુ કે ઉપન્યાસ નવયુગને માત્ર ખેદ ઉત્પન્ન કરે તેવો છે. ૨, દિગમ્બર વેતાંબરને ઝઘડો આના કરતાં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરનાર ઝઘડો દિગંબર અને તાંબર શાખાઓને છે. એનું મૂળ છેલ્લાં સાત વર્ષથી પણ પૂર્વકાળમાં છે, પણ જરા ઊંડા ઉતરતાં એ ઝઘડામાં દમ જેવું લાગશે નહિ. મુદ્દાના તફાવત બને શાખાઓ વચ્ચે બે છેઃ કેવળીની ભક્તિ અને સ્ત્રીની મુક્તિ. દિગંબરે માને છે કે કેવળજ્ઞાન થયા પછી કેવળી ખાય નહિ, શ્વેતાંબરે માને છે કે કેવળી આહાર કરે. દિગંબરે માને છે કે સ્ત્રી સ્ત્રી તરીકે તે ભવમાં મોક્ષ ન જાય, ત્યાર પછી તે એક ભવ કરી પુરુષને અવતાર લઈ લે ત્યારે એની મુકિત શક્ય છે. કિતાંબરે માને છે કે સ્ત્રી તદ્દભવમુક્તિગામી થઈ શકે. આ બન્ને મુદ્દામાં જૈન દર્શનના મૂળ સિદ્ધાન્તને કોઈ પ્રશ્ન નથી. દિગંબર રચિત અનેક આદર્શ ગ્રંથ પર વેતાંબર આચાર્યોએ ટીકા રચી છે, વેતાંબર તત્ત્વની પરબે દિગંબરેએ પાણી પીધાં છે અને તત્ત્વને જ પણ તફાવત બને શાખામાં નથી. અને ઉપરની બન્ને ગૂંચવણે આ કાળમાં ઊભી થાય તેમ પણ નથી. પાંચમા આરામાં – વર્તમાન યુગમાં કેવળજ્ઞાન કે મુક્તિ આપણા ક્ષેત્રમાંથી શક્ય નથી એમ બને શાખાવાળા માને છે. તે પછી કેવળજ્ઞાન થયા પછી આપણે ખાશું કે નહિ અને આપણો સ્ત્રી વર્ગ મેલે અહીંથી સીધો જઈ શકશે કે નહિ એ પ્રશ્ન સીધી રીતે ઉદ્ભવતા નથી. અને કેવળજ્ઞાન થયા પછી ખાવાનું હશે તે ખાશું અને નહિ હોય તે ત્યાગ કરશું. આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy