SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન એ સંસ્થાને નવયુગ “મધ્યમ કક્ષા' એવું ઉપનામ આપશે. એ સંસ્થાના જોડાનાર સભ્યોને આદર્શ સેવાને રહેશે. પિતાની જાતથી સમાજની અનેક પ્રકારે સેવા કરવા તે તત્પર રહેશે. સેવાનાં અનેક ક્ષેત્રે તે ઊભાં કરશે. માંદાની માવજતથી માંડીને રાષ્ટ્રસેવા ધર્મસેવા, સાહિત્યસેવા, શોધળ, ઉપદેશ, ભાષણ, જનતામાં કેળવણ, કેળવણું કેમ આપવી તેને માટે શિક્ષકે તૈયાર કરનારી સંસ્થા, પ્રસૂતિ સમયની સેવા, પુસ્તકપ્રચાર, જ્ઞાનસેવા, નાનાં મેટાં પુસ્તક દ્વારા સાહિત્યની અભિવૃદ્ધિ, વૃદ્ધોને આશ્વાસન, દીન અનાથને ઉદ્ધાર, અપંગ ઢેર માટે પાંજરાપોળ, દીન દુઃખી માટે આશ્રમે, પત્તિયા ખહીવાળા માટે આશ્રમે, આરેગ્યભવન, આદિ અનેક જનાઓ નવયુગ જશે. એને સમાજસેવાની તમન્ના લાગશે. તે ખાતર તે નીચે પ્રમાણે લેજના કરશે. જેણે આ મધ્યમ કક્ષામાં સભ્ય તરીકે જોડાવાની ઈચ્છા હેય તેણે આજીવન સેવાભાવ સ્વીકાર પડશે. તેણે આજીવન બ્રહ્મચારી રહેવું પડશે. તેણે સેવાને કોઈ પ્રકારને બદલે સેવાના ઉદ્દેશ તળે લેવાને નહિ. તેણે સેવા કેવા પ્રકારની ક્યાં અને ક્યારે કરવી તે તેને સંસ્થા તેની આવડત શક્તિ અને પરિસ્થિતિ અનુસાર વખતોવખત મુકરર કરી આપશે. તેને નિર્વાહ અને મુસાફરી ખર્ચ માટે સર્વ વ્યવસ્થા સંસ્થા કરી આપશે. તેણે ધનસંચય કોઈ પણ પ્રકારનો કરવાને નહિ, પણ જરૂરી ખર્ચ કરવા પૂરતી રકમ પોતાની પાસે આગળપાછળ રાખવાની તેને છૂટ રહેશે. તેણે મધમાંસથી સર્વથા દૂર રહેવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy