SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ મું મુદ્દો ખાસ લક્ષ્યમાં રાખવામાં આવશે. સમાજમાં મગજના બળવાનને સ્થાન છે અને સમાજ હૃદય બળવાનના ઉપર જ નભે છે એ વાત આગળ આવશે. અનેક કુમારિકાઓ આદર્શ સેવાભાવી થશે, અનેક યુવકે ધર્મ અને સમાજસેવામાં પિતાની જાતને લગભગ વીસરી જશે અને લગભગ પચીસસે વર્ષથી બેઠેલે ભસ્મગ્રહ ઉતારવાના મને રથ નવયુગના વિચાર, વર્તન અને આચારમાં રહેશે. સામાજિક બાબતે આગળ આવશે ત્યાં જરૂરી સૂચનાઓ થશે, પણ ઘણાખરા મુદ્દાઓ મુખ્યતયા અત્ર ચર્ચાઈ ગયા છે. આ વિષય બંધ કરતાં એક બાબત પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે. - ધનવ્યય સામાજિક બાબતેને અંગે નવયુગ દ્રવ્યવ્યય કઈ રીતે કરશે, એ મુદ્દો સામાજિક બાબતે સાથે ખાસ સંબંધ ધરાવે છે, તેથી નવયુગનું તેને અંગેનું વલણ સીધી રીતે ચર્ચવાનું આ સ્થાન છે. તમે સને ૧૯૦૦ ની સાલ પહેલાંનાં હાઈકોર્ટમાં રજીસ્ટર થયેલાં વિલે વાંચે અને વશમી સદીનાં વિલે (વસીયતનામા) વાંચે તે કહેવા મુદ્દો બરાબર સમજાઈ જશે. એ બનેમાં ઘણે મોટા તફાવત છે અને તે દાનના પ્રકાર અને રીતિને અંગે છે. ૧. ભસ્મગ્રહની વાત એવી છે કે શ્રી વીર ભગવાનના નિર્વાણુ વખતે તેમના માથા પરથી ભસ્મગ્રહ જતો હોવાનું જાણું ઇદ્ર ભગવાનને બે ઘડી આયુષ્ય વધારવા કહ્યું. તે વાત કોઈથી બની શકતી નથી એ ભગવાને ઉત્તર આપે. આ ભસ્મગ્રહને કાળ ૨૦૦૦ વર્ષને અને એની છાયા પાંચશે વર્ષની. એ સર્વ સંવત ૨૦૩૦ માં ઉતરી જાય છે. અત્યારે આપણે ભસ્મગ્રહ અને તેની અસર ઉતરી જવાના કાંઠા પર બેઠા છીએ. આ સબંધી વધારે હકીક્તના જિજ્ઞાસુએ શ્રી દિવાળી કલ્પગ્ન જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy