SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન જશે અને પરિણામે અરાજકતા નહિ રહે, તેમજ એકહથ્થુ સત્તા કે સ્થાપિત હકોને સ્થાન નહિ રહે. સમાજનું સુકાન ગણ્યાગાંડ્યા શેઠિયાઓની પાસેથી ચાલ્યું જશે અને વ્યવસ્થિત બંધારણવાળી સમિતિઓના હાથમાં આવશે. તેઓ ઘણી કુનેહથી કામ લેશે. તેની નિમણુકમાં જ્ઞાનને સ્થાન મળશે અને ગરીબ તથા મધ્યમ વર્ગને અવાજ પૂરતા જોશથી નીકળશે; તે વર્ગને પ્રાચીનકાળમાં દબાવી દેવામાં આવ્યું હતું તેને બદલે તે પ્રકટી નીકળશે અને તેને પૂરતો અવકાશ જાતે અથવા તેણે નીમેલા પ્રતિનિધિ દ્વારા મળી આવશે. આ પ્રશ્નમાં સ્ત્રીઓનું સ્થાન આ સર્વ પ્રશ્નની ચર્ચામાં સંસ્થાના સંચાલકમાં, વિચારણામાં અને મંત્રણામાં સ્ત્રીઓને પૂરતું સ્થાન મળશે. તેઓના આદર્શ અને સેવાભાવ વગેરે અનેક બાબતે એમના પ્રકરણમાં આવશે અને અગાઉ કેટલીક બાબતે ચર્ચાઈ ગઈ છે. સ્ત્રીઓને અવાજ નવયુગમાં કોઈ ગૂંગળાવી શકશે નહિ અને કોઈ તે પ્રયત્ન કરવા જશે તે તે નવયુગમાં ફાવશે નહિ. સ્ત્રીઓ સેવાભાવી અનેક નીકળશે, વિચારક પાર વગરની નીકળશે, વક્તાને પાર નહિ રહે અને તે પોતાનું સ્થાન પુરુષોએ આપેલું નહિ લે, પણ તે સ્થાન જાતે જ પ્રાપ્ત કરશે. પુરાણપ્રિયને આ પલટાયલે આ રંગ તરંગ જેવો લાગશે, પણ નવયુગમાં તે તરતમાં સિદ્ધ થશે. સ્ત્રીઓમાં આખા આદર્શો જ બદલાઈ જશે અને તેને લઇને સામાજિક પરિવર્તન તદ્દન વિલક્ષણ પ્રકારનું થશે. અને એ સર્વ વ્યવસ્થામાં ધર્મને સન્મુખ રાખવામાં આવશે. મૂળ મુદ્દાને જરા પણ વિરોધ ન આવે અને અત્યારની માયકાંગલી નિર્માલ્ય પ્રજા ભિખારી કે ગુલામેની સંખ્યામાં વધારે ન કરે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy