SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ મું તે કઈ રાત્રીશાળા, કોઈ આંધળાંની શાળા તે કઈ મૂંગાબહેરાને શિક્ષણ, કોઈ ચુંટણી કાર્યમાં સહાય તે કાઈ પુસ્તક પ્રકાશનને ઉત્તેજન – આવી સેંકડે સેવાભાવી સંસ્થાઓ નીકળશે અને તેમાં અનેક યુવકે, બાળક અને વૃદ્ધો પિતાની આવડત, ઉત્સાહ અને શક્તિ પ્રમાણે ભાગ લેશે. આ પ્રમાણે નવયુગ સંસ્થાને આખો ન યુગ સ્થપાશે અને પ્રાચીનેમાં વ્યવસ્થા, ધરણ, બંધારણ અને શિસ્તની મોટી ખામી તેમની નજરમાં જડી આવશે તે દૂર કરશે અને તેની પાછળ વિચારશક્તિ અને ધનનો વ્યય કરવાની ખાસ જરૂરિયાત સ્વીકારશે અને તેને માટે જરૂરી પ્રચારકાર્ય પણ કરશે. સામાજિક કાર્યક્ષેત્રોને પાર નથી. સામાજિક રૂઢિબંધનેમાંથી આવશ્યક હોય તેને સુધારવાના અને નિરર્થક હોય તેને ઉછેદવાના પ્રસંગને પાર નથી. નાની નાની બાબતે લઈને આ વિષયને હવે વધારે લંબાવે જરૂરી નથી. નવયુગ અનેક સામાજિક બાબત ઉપાડશે, સુધારશે અને બિનજરૂરીને ફેંકી દેશે અને જરૂરીને કાયમ કરશે તે તેને નવયુગ એપ આપશે. તે પ્રત્યેકનું ધોરણ કેવું રહેશે તેના મુદ્દા અને ચર્ચા છે. નવયુગ પાશ્ચાત્ય ધોરણોને તથા તેની સમાજ પર થયેલી અસરને અભ્યાસ કરી આખા સમાજશરીરને તદ્દન નવો ઝોક આપશે. મુખ્ય મુદ્દાઓ અત્ર ચર્ચાઈ ગયા છે. બાકીના મુદ્દાઓ એ મિસાલે સમજી લેવા. વિચારનિર્ણય કેમ થશે? ઉપરની સર્વ બાબતને વિચારનિર્ણય મહાપરિષદની શાખાઓમાં, પ્રાંતિક સમિતિઓમાં અને ગ્રામ્ય સમિતિઓમાં થશે. બહુમતિનું ધોરણ સ્વીકારવામાં આવશે. એ ધોરણથી સમાજ કેવો સુવ્યવસ્થિત થાય છે તે સમજી તેને માન આપવામાં આવશે. કોઈ બાબતમાં બે મત થાય તે પણ અંતે બહુમતીને માન આપતાં જનતા શીખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy