SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૧૧C -- * ખટપટી સાધુઓ પણ જે સાધુઓ માત્ર ખટપટ કરવા ખાતર સાધુવેશમાં ગયા હોય, જે જૈનધર્મને આદેશ સમજ્યા ન હય, જે ખટપટ કરવામાં રસ લેનાર હોય, જે વાડા બાંધવામાં મલકાતા હોય, જે ફિરકાઓને લડાવવામાં ધર્મ સમજતા હય, જેને અસત્ય કે ભળતું બોલવામાં વ્રતને હાનિ અને પદને પતનશીલતા ન લાગતાં હોય, જેને જીવનને આદર્શ જ કાંઈ ન હોય, જે ઉપર ઉપરની વાત કરવામાં ભારે પક્કા હેય પણ જેના જીવનવ્યવહારમાં સરખાઈ ન હેય એવા મોહથી કે દુઃખથી વેશપલટ કરાયેલા સાધુઓને માટે આવતા યુગમાં સ્થાન નહિ રહે. સાધુમાં જ્ઞાન વિશિષ્ટ હોવું કે અલ્પ વધારે હોવું એ એના કબજાની વાત નહિ ગણાય, પણ ચારિત્ર તે મુદ્દામ હોવું જોઈએ એમ નવો યુગ માગશે. અને સાધુમાં સંકુચિત દૃષ્ટિ હેય, અસહિષ્ણુતા હોય, મારાતારાને રાગદ્વેષ હોય, સમાજને છિન્નભિન્ન કરવાની ઉચ્છેદક આવડત હોય તે તેની જાતને ભારે કરે છે એટલું જ નહિ પણ સમાજની પ્રગતિને વર્ષો સુધી અટકાવે છે અથવા પ્રગતિને બદલે પશ્ચાગતિ કરે છે એમ સમાજ માનતે થતું હોવાથી એવા પ્રકારના સાધુને સમાજનું અંગ ગણવામાં નહિ આવે. ગમે તેવી ઓછી આવડત કે ત્યાગવાળે હેય અને કોઈ જાતની કસોટિમાંથી પસાર થયે ન હાય અને સાધુ થવા પહેલાં આદર્શ જીવનની ગંધ પણ ન બતાવી શક્યો હોય તે અમુક વેશ પહેરે માટે સાધુ કહેવાય અને શ્રાવકોએ તેની સર્વ ગ્ય જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ અને તેને નમવું જોઈએ એ જાતની માન્યતા નવયુગ કબૂલ નહિ કરે. એ સાચા આદર્શને નમશે અને તેની ઉપર વારી જશે, પણ ધમાલ, ધામધુમ, બાહ્ય દેખાવ. પ્રચંડવાદ અને ખળભળાટને જરા પણ અવકાશ નહિ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy