SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ સુ વ્યાવહારિક તૈયારીઓને ધર્મના ભાગ ગણવામાં આવશે અને તે પૂરતું એ વિષયને અત્ર સ્થાન છે. ૧૯૭ નવયુગ ઉચ્ચ વ્યવહારને ધર્મનું અંગ ગણશે એટલે ઉપરના દેખાતા વિરાધ તેમની નજરમાં મહત્ત્વના નહિ લાગે. સાધારણુ ખાતામાંથી ભાષણગૃા, પુસ્તકાલયા અને સભાસ્થાન પણ બનશે. નવયુગ આવા પ્રકારના શિક્ષણને ધર્મનું અંગ માનશે. એ સાધારણ દ્રવ્યથી વ્યાયામશાળાએ સ્થાપશે, શરીરની મજબૂતીને હૃદયમજબૂતીની સાથે સંબંધ કેટલેા છે. તેને અભ્યાસ કરી તે આ બાબતને નિર્ણય કરશે. જૈન સમાજની સમુચ્ચયે અને વ્યક્તિગત પ્રત્યેક જૈન પુરુષશ્રીની ઉન્નતિના રસ્તા કરવાના કામાં આ સાધારણુદ્રવ્યના ઉપયાગ કરવામાં આવશે. સાધારણુદ્રવ્યને વ્યય કરવા માટે એકાદ ધનપતિના હાથમાં સત્તા નહિ રહે, પણ મતાધિકાર પ્રમાણે ઠામ ઠામ એની વ્યવસ્થા કરનાર વિચારમ’ડળ અથવા વ્યવસ્થાપક મ`ડળ નિમાશે. એ મંડળ પોતાનાં ગામ કે શહેર પૂરતી વિચારણા કરી દ્રવ્ય ઉત્પત્તિના અને ખર્ચનાં માર્યાં નિર્માણ કરશે. નવયુગ એકહથ્થુ સત્તાની વિરુદ્ધ રહેશે. પ્રત્યેક સભ્યને જુદા જુદા વિભાગીય ક્ષેત્રા સાંપવામાં આવશે અને તેના નિવેદન ઉપર વ્યવસ્થાપક મંડળ છેવટના નિણૅય કરશે. આ ઉપરાંત એક કેંદ્રસ્થ સાધારણુ—પંચાયત ખાતું સ્થાપવામાં આવશે. તે સમસ્ત જૈન ક્રામના સામાન્ય હિતના પ્રશ્નેાને નિકાલ કરશે. વિશ્વવિદ્યાલય, કેંદ્રસ્ય કેળવણીમ`દિર જેવાં ખાતાંએની વ્યવસ્થા આ કેંદ્રસ્થમ`ડળ કરશે. આવા ખાતાનું ભડાળ લાખા અને કરેાડા સુધી વધારવામાં આવશે અને તે દેખાવ કરતાં ઉપયાગિતા અને ઉપર ઉપરની ટાપટીપ કરતાં જૈન સમષ્ટિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy