SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન ત્યાંથી જ મળી શકે એ એને દઢ નિર્ણય રહેશે. એની ટીકાઓ વગેરે ઉપર યુગની અસરે ક્યાં ક્યાં થઈ છે તે એ બરાબર જોઈ શકશે. એ દષ્ટિવાદ કે ચૌદ પૂર્વ ભૂલાઈ ગયા તે માટે દિલગીર થશે, પણ પૂર્વ કાળની પરા વિદ્યાને એ મૂળ સ્વરૂપે નિહાળવા અખલિત પ્રયાસ કરી વિશ્વને ચકિત કરે એવાં રહસ્યો નીતારી કાઢશે. અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં આગમને, એના સંબંધમાં યુરેપના સ્કેલની શોધખોળાને, અપ્રસિદ્ધ રહસ્ય ગ્રંથોને, ચરિત્રને એ ખૂબ ઉથલાવશે અને પ્રત્યેક વિષય પર નવીન પ્રકાશ પાડશે. એને ખરે રસ અનેકાંતવાદને એના યથાર્થ સ્વરૂપે રજૂ કરવામાં રહેશે. એ ન્યાયની ઝીણી કટિઓમાં ઝીણવટથી ઉતરશે અને દુનિયાને શાંતિ અહિંસા અને ખરા સ્વરાજ્ય – આત્મરાજ્યના ઝરણાં ભરી ભરીને પાશે. એને દેખાશે કે વચ્ચેના વખતમાં જૈન જનતા ખૂબ અંધકારમાં ઉતરી ગઈ છે. એને લાગશે કે ક્રિયા માર્ગ ઉપર અણઘટતે વધારે પડતે ભાર મૂકાય છે. ક્રિયાનું ઉપયોગીપણું એ જરૂર સ્વીકારશે પણ ક્રિયાને એ સાધનરૂપ છે એમ સમજશે અને એને જૈન દર્શનની ઈતિ કર્તવ્યતાની કક્ષામાં કદી નહિ મૂકે. સાધનધર્મોને એ યથાસ્થિત સ્થાન આપશે, પણ માર્ગભેદ એને ગૂંચવી નહિ દે. એ માર્ગભેદના મતભેદને વધારે પડતું સ્થાન નહિ આપે અને તેમ કરવું તે જ જૈનના મૂળ સિદ્ધાંતને અનુરૂપ છે એમ બતાવવા તે અનેક આધારે રજૂ કરશે. અત્યારે અમુક તિથિએ અમુક પદાર્થ—લીલી વનસ્પતિ વગેરે ન ખાનાર કે જિનપૂજા કરનાર કે રાત્રિભોજન ન કરનાર અથવા કંદમૂળ ન ખાનાર – મુખ્યતયા આ ચાર નિયમ જાળવનાર જૈન છે અને એમ ન કરનાર જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy