SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગના જૈન આવે છે. કેટલીક જગાએ લગ્નને વિવાહ કહેવામાં આવે છે. સ્પષ્ટતા ખાતર આ ઉલ્લેખમાં લગ્ન અને વેવિશાળ શબ્દપ્રયોગ કર્યાં છે. વેવિશાળ એટલે પિતા નિણૅય કરે તેની સાથે લગ્નસંબંધ કરવાના જાહેર નિય, એમાં જ્ઞાતિને સંબંધ નોંધ કરવા પૂરતા આવે છે. એ વાગ્યાન છે, ભવિષ્યમાં લગ્ન કરવાના નિણૅય છે. પ્રચલિત રીતિ પ્રમાણે એમાં વરકન્યાને પૂછ્તામાં આવતું નથી. એ ઉપરાંત અસલ તા ઘણી નાની વયે ધાડિયામાં બાળા પોઢેલાં હાય ત્યારે આ સંબંધને નિણૅય કરી નાંખવામાં આવતા હતા. ૨૨૮ આ વેવિશાળની પ્રથાથી ઘણું નુકસાન થતું હતું. બાળવયથી લગ્ન થતાં સુધીમાં શરીરસ્થિતિ કેવી રહેશે તેનું અચેાક્કસપણું, શાળી, એરી આદિથી થતી ધાતક શારીરિક વિડંબનાઓ, અભ્યાસ અને આવડત વરકન્યાના કેવાં થશે તેને વિકલ્પ અને વિકાસની તરતમતાને કારણે અનેક જાતની ગૂંચવણ થતી હતી; છતાં ઉધતા વરને ચાંટિયાભરી માંયરામાં ખેસાડી તેના ગળામાં ધુંસરી નાંખવામાં આવતી હતી. લગ્ન ધુંસરી તુલ્ય જ થઈ ગયાં હતાં, એમાં વરકન્યાના હૃદયમિલન કરતાં માબાપની કહેવાતા હાવા લેવાની વૃત્તિ, પેાતાનું ગૌરવ બતાવવાને પ્રસંગ અને અવ્યવસ્થિત વિચારણાને સ્થાન મળતાં હતાં. બાળપણના વેવિશાળથી થયેલ અનિષ્ટ સંબંધેાના પાર વગરના દાખલા નાંધાયલા છે. વેવિશાળથી એક પણ પ્રકારના લાભ જણાતા નથી. અભણ અથવા અક્ષરજ્ઞાનવાળા યુગમાં તે નભી ગયાં હોય, પણ પસંદગી લગ્ન, પ્રેમલગ્ન અને દાંપત્ય યોગ સમજનાર જ્ઞાનયુગમાં વેવિશાળને સ્થાન જ નથી. જ્યાં માબાપના હાથમાંથી લગ્ન સંબંધ કરવાની આખી વાત Ο ઉડી જતી હેાય ત્યાં વેવિશાળના સવાલ જ અશકય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy