SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ નવયુગને જૈન તદન પ્રમાણિક વ્યાપારી જોઈએ તે તે જૈન જ હોય, ઓછા તેલ, એાછાં માપ, બે ભાવ, નામામાં ગોટાળા, સાચા ખોટા હવાલા એ જૈનની પેઢી પર ન હોય. આવી છાપ એ જરૂર પાડશે. એ ઉપરાંત એની કૃપા, દયા, કૃતજ્ઞતા અને પરગુણ સમજવાની શકિત વધતી જ જશે. એને સત્ય માટે અહિંસા એટલે જ આગ્રહ રહેશે. ભગવાન મહાવીરના શ્રાવકથી અસત્ય બોલાય જ નહિ. અને તેનું પ્રમાણિકપણું હાઈકોર્ટના જજના પ્રમાણિકપણાથી ઓછું તે ન જ હોય, એટલું જ નહિ પણ એ માટે એની પ્રતિષ્ઠા પણ એટલી જ હોય. એ તે જૈન છે એવા શબ્દ સાથે એ સત્ય અને પ્રમાણિકપણને આદર્શ છે એવી પ્રતિષ્ઠા જમાવવાને નવયુગને આદર્શ રહેશે. એ પિતાની બુદ્ધિને ઉપયોગ આ પ્રાથમિક ગુણેને અંગે જરૂર કરશે. આપણે જરા ઉપગુણોને અંગે તેનું વલણ જોઈ લઈએ એટલે આખા સંયમમાર્ગ તરફનું નવયુગનું વલણ જણાઈ આવશે. સંયમમાર્ગ તરફ નવયુગનું વલણ ન્યાય સંપન્ન વિભવ સંબંધી ઉપર ચર્ચા આવી ગઈ. (૧) શિષ્ટાચારની પ્રશંસા તે ખૂબ કરશે, પણ આચારને અંગે એનું મુખ્ય લક્ષ્ય અંતર્વતન તરફ વધારે રહેશે. બાહ્યાચારને એ માત્ર સાધન તરીકે ઉપયોગી ગણશે, પણ એને મદાર અંતર્ધર્મ ઉપર સવિશેષ રહેશે. (૨) ૧. આ માર્ગાનુસારીને પાંત્રીશ ગુણ છે. એની વ્યાખ્યા શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાંથી લીધી છે. (૧. ૪૭-૫૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy