SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ == ======= === પ્રકરણ ૨૨ મું ૩૦૩ દેલવાડાના સુંદર ચિત્ર, કારીગરીના અસાધારણ નમુના, રાણકપુરની બાંધણીના રમ્ય પ્રસંગે, અતિવિશાળ સ્થાપત્યના તારંગા શત્રુજ્ય પરના નમુનાઓ, બેટી ટુંક જેવા મારવાડ મેવાડના ભવ્ય દેરાસરોનાં ચિત્રોની ઘેરઘેર આમે રહેશે અને ચિત્રપટથી ફેટોગ્રાફથી ઝીંકેલેટની પ્રતિકૃતિથી આશાતનાને ખ્યાલ છે તેની લાલદષ્ટિએ તુલના કરી મોટા ફેરફાર તેને અંગે નવયુગ કરશે અને પરિણામે અનેક માસિક અને પોસ્ટકાર્ડ પર આ મહાન કારીગરીઓ સ્થાયી સ્થાન લેશે. આશાતનાને આ ખ્યાલ નવયુગમાં ફરી જશે અને નવા ધરણે આ સર્વ બાબતમાં મૂળમાર્ગને આધારે વિચારી શ્રાવક અધિકારીની મર્યાદા વિચારી તેને અંગે નિર્ણય કરવામાં આવશે. ટુંકામાં અનેક પ્રકારે ફેટા અને ચિત્રપટનો પ્રચાર શિક્ષણદૃષ્ટિએ અને કલાવિકાસની દષ્ટિએ થશે. આ તે કેળવણીનાં જરા આડકતરાં સાધને છે, પણ તેને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી એ બહુ લાભપ્રદ બનાવી શકાય છે એવો ઉપરની સર્વ બાબતેને અંગે નવયુગને વિચારનિર્ણય થશે. બાળકને માટે ભાગ આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે રીતે અપાયેલું જ્ઞાન ઊંડી અસર કરી શકે છે એવા નિર્ણયને પરિણામે સહજ અપવાદ સેવે પડતે હશે તે તેટલા પૂરતું જોખમ ખેડીને પણ નવયુગ ઉપર પ્રમાણે નિર્ણય કરશે. કેળવણીનાં સાધનો પૈકી પ્રયોગશાળા અને વેધશાળાને ઉપયોગ નવયુગ ખાસ કરશે. ભગળના સંબંધમાં એ પોતાની જાતને સમજવા માટે ખુલ્લી રાખશે અને પ્રયોગો અને અવલોકન વિશાળ પાયા પર કરી સત્યનું શોધન કરવા પ્રયત્ન કરશે. જે પૂર્વપુરુષે હજારો વર્ષ પહેલાં પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy