________________
પ્રકરણ ૧૬ મું
૧૭૭
જૈનના મંદિરમાં કેઈ આવી શકે નહિ, પૂજન કરી શકે નહિ–એ વિચાર પણ નવયુગને હાસ્યાસ્પદ લાગશે, એ ખ્યાલ પણ એને અજૈન લાગશે અને એ વિચારને અમલ તે પૂરતી વ્યવહારૂ રીતે કરશે. એ પ્રત્યેક આત્માને મેક્ષને રસ્તે પ્રગતિ સાધવાને અધિકાર જૈન આદર્શને અનુરૂપ માનશે અને એ વિશાળતા દાખવ્યા પછી આવા પ્રશ્નમાં જૈન શું કરે તેને નિર્ણય કરવામાં તેને બહુ સમય પણ નહિ લાગે અને તેવી ચર્ચાને નિકાલ તે સત્વર લાવી શકશે. આમ કરવામાં એ સનાતન મૂળ આશયને ઉપયોગ કરશે અને કેઈ જિજ્ઞાસાભાવે મંદિર જેવા કે મૂર્તિને અભ્યાસ કરવા આવવા માગે છે તેને પણ અમુક શરતે ઘણી ખુશીથી દાખલ કરશે. એને મંદિરના અભંગ કારને આશય એ આ રીતે વ્યવહારમાં મૂકશે અને તેનાથી બીજી અન્ય રીતે તેને નિર્ણય થઈ શકે એમ તેની વિવેકદષ્ટિમાં નહિ આવે.
આ રીતે દેવદ્રવ્યને પ્રશ્ન છણવામાં અનેક પ્રશ્નોને નિકાલ નવયુગ સનાતન જૈનત્વને લક્ષ્યમાં રાખી કરશે અને તેમાં કેદ જગાએ ચર્ચા કરવી પડશે તે શાંતિથી જૈનને શોભે તેવી ભાષામાં અને સત્યશોધકની દષ્ટિએ સર્વ એ કરશે. વિશાળ નજરે સત્ય શોધવું હોય, અસલ પૂર્વ સ્વરૂપ ખડું કરવું હોય અને આદર્શને અનુરૂપ પરિસ્થિતિને ઝળકાટ કરે હોય ત્યાં કોઈ વાતની મુશ્કેલી નથી, કોઈ આશય પાર પાડવાને મુદ્દો નથી અને કઈ ઘટના દુશષ્ય કે અશક્ય નથી એમ એનું જ્ઞાન કેળવણું એને શીખવશે.
સાત ક્ષેત્ર માટે પ્રકીર્ણ સાત ક્ષેત્રો પૈકી હવે જ્ઞાનક્ષેત્રની ચર્ચા બાકીમાં રહે છે. શાસ્ત્રતર્ગત એને ક્રમ નીચે પ્રમાણે છે:
૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com