SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫મું પ૭. એ સંસ્થાના આત્મત્યાગી નિયામક આદર્શ રૂ૫ થશે અને તે કાર્ય માટે સેવાભાવે કામ કરનારા અનેક નરવીરે નીકળી આવશે અને તેઓ ઉપર જણાવ્યું તેમ મધ્યમ કક્ષાના વિભાગમાં ઉચ્ચ સ્થાન લેશે. તેમના કાર્યમાં મદદ કરનાર, અભ્યાસ કરાવનાર, સ્વચ્છતા રખાવનાર, વિશુદ્ધ વાતાવરણ રખાવનાર અનેક અનેક વિષયના નિષ્ણાત પૃથફ પૃથફ કાર્યવાહકે તેમની સાથે મદદગારરૂપે જોડાશે અને આ રીતે એક અભિનવ તંત્ર સબળ લક્ષ્યવેધી અને સેવાભાવને સર્વસ્વ માનનાર ઊભું થશે જેની સરખામણી કરવા રોગ્ય અત્યારે કોઈ સંસ્થા કે વ્યક્તિ નથી. આવાં ગૃહો ધીમે ધીમે કેળવણી આપનાર સંસ્થાનું રૂપ પણ લેશે, અનેક સંસ્થાઓ મળીને વિશ્વવિદ્યાલય પણ બનાવશે અને શાંતિથી કાર્યસાધક થઈ કેળવણીના પ્રશ્નને નિકાલ કરશે. એના નિર્ણયમાં સંકુચિત વૃત્તિને સ્થાન નહિ હોય. કેળવણી કેવા પ્રકારની આપવામાં આવશે તે આગળ વિચારવાનું છે, પણ એક મુદ્દો ખાસ આગળ કરવામાં આવશે કે જ્ઞાનના માર્ગમાં કોઈ પણ પ્રકારને અંતરાય કે ઉપઘાત ન થઇ જોઈએ. એ આખા કેળવણીના પ્રશ્નને આગળ છણશે ત્યારે એના જુદા જુદા આવિર્ભા દેખાઈ આવશે. નવયુગના જૈનના ધર્મ સંબંધી વિચારો કેવા પ્રકારના થશે એ જાણવાની સર્વથી વધારે ઈચ્છા–જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તેથી આપણે ધર્મક્ષેત્રને પ્રથમ હાથ ધરીએ. આ ધર્મક્ષેત્રની વિચારણા કરતાં નવયુગનાં કેટલાંક મુખ્ય લક્ષણ બરાબર જણાઈ આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy