SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન - 11... ત્રણ ગુણવ્રતે પૈકી દિવિરતિ વ્રત. અમુક દિશાએ અમુક હદ સુધી જ જવું. આ વ્રત નવયુગમાં લેકપ્રિય થવું અસંભવિત છે. નવયુગ એને ઉપયોગી ગણશે નહિ. (આમાં કાંઈ કેટલું પ્રમાણ રાખવું તે નિણિત નથી.) ભોગપભોગમાં ભારે ચર્ચાઓ થશે. એક વાર ભગવાય તે ભોગ” વસ્તુ કહે છે. એનાં દૃષ્ટાંતમાં તાંબૂલ, ધૂપ, આદિ છે. એમાં “સ્ત્રી ને ભગની ચીજ ગણે છે જે સંબંધમાં નવયુગ ખાસ વાંધો બેંધાવશે. નવયુગના મારથ રાષ્ટ્રને સાધનસંપન્ન કરવાના, અન્ય દેશે સાથે હરીફાઈમાં ઉતરવાના અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોવાના હેવાથી કર્માદાનની હકીકત સ્વીકારવા છતાં નિર્ણય ઘણે શિથિળ રહેશે. એની નજરમાં દેશની ઔદ્યોગિકતા મુખ્ય ધ્યાન ખેંચશે તેથી હિંસાના પ્રસંગને એ બનતી રીતે દૂર રાખશે, પણ મંત્રાદિકને એ ત્યાગ કરી શકશે નહિ. આ બાબતમાં નવયુગ પાછળ પગલાં ભરશે. સાતમા વ્રતને અંગે એ ઉપરાંત બીજો પ્રશ્ન રાત્રિભેજનને આવશે. એ રાત્રિભોજનનાં ધૂળ ગેરલાભ સમજશે, પેટને બાર કલાક રાહત આપવાના લાભો સમજશે, છતાં સમાજબંધારણ, કસરત રમતને સમય, ભાષણ વ્યાખ્યાનના લાભો આદિ કારણે રાત્રિભોજનને અંગે નવયુગ શિથિળ થતું જશે. એને છઠ્ઠા મહાવ્રત જેટલું મહત્ત્વ આપવાનું કારણ તેના ધ્યાનમાં ઉતરશે નહિ, છતાં ત્યાગ તરીકે એ વાતને તે સ્વીકારશે અને તેનું મૂલ્ય પણ કરશે, પણ જૈન શબ્દની વ્યાખ્યામાં ન છેડી શકાય એ એ ધર્મ છે એમ તે નહિ માને. આ બે બાબત સિવાય ભોગપભેગની બાબતમાં નવયુગ સુંદર પરિણામ બતાવી શકશે. મધમાંસને એ છેડશે અથવા એને સ્વીકાર નહિ કરે. એને દારૂ કઈ પણ આકારમાં વૃણા ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy