SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું અને સ્ત્રી જાતિની સત્કીર્તિ અનેક કાર્યક્ષેત્રમાં જામશે. માંદાની માવજત, અકસ્માતના ઇલાજો, પ્રાથમિક મદદ, બાળઉછેર આદિ કાર્ય સ્ત્રીવર્ગ સુવાંગ ઉપાડી લેશે જ્યારે સમાજપ્રવૃત્તિના બીજાં અનેક કાર્યોમાં એ પુરુષની બાજુએ રહી સાથે સાથે કામ કરશે અને છતાં બ્રહ્મચર્યના વાસ્તવિક સ્વરૂપને વિશિષ્ટ સ્થાન મળશે અને તે ઉત્તરોત્તર વધારે જળવાતું જશે. નવયુગમાં જાહેર સ્ત્રીને વર્ગ સદંતર નાશ નહિ પામે. તે સંસ્થા પણ ચાલ્યા કરશે, પણ ધર્મભાવનાવાળે નવયુગને જૈન એ વર્ગની સ્ત્રીઓનાં સ્થાને તરફ નજર પણ નહિ કરે. સામ્યવાદના વિચારે સમાજમાં સ્થિર થવા લાગ્યા છે. તે ઉપરાંત કેઈ પણ વ્યક્તિને પિતાની જરૂરિયાતથી વધારે સંચય કરવાને હક નથી એવા વિચારોને પ્રચાર થવાની શરૂઆત થવા માંડી છે. જનતાનો મોટો ભાગ ધનીક વર્ગને અસ્પૃશ્ય ગણે તે સમય પાછો આવતે જાય છે. ફેશિયાનું બેલ્શવિઝમ–મજૂર વર્ગનું રાજ્ય કદાચ હિંદમાં ચાલશે કે નહિ તે વાત બાજુએ રાખીએ, પણ પરિગ્રહને અંગે તે નવયુગ ભારે પ્રગતિ જરૂર કરશે. સમાજ ધનસંચયની વિરૂદ્ધ થતું જાય છે, કાયદાઓ ધનવાનને વધારે ચૂસે તેવા થતા જાય છે, આવકના કરે મોટા થતા જાય છે, મરણ પછી આપવાને કર (ડેથ ડયુટિ) ઘણે વધતું જાય છે અને આવતા યુગનું આખું અર્થશાસ્ત્ર ધનસંચય વિરૂદ્ધ જનાર હોવાનાં સર્વ કારણે દિગંતમાં સ્પષ્ટ દેખાય છે એટલે પરિગ્રહની બાબતમાં નવયુગ ન ધારી શકાય તેટલી પ્રગતિ બતાવશે. આ સંબંધમાં રૂશિયાને યુવાન વર્ગ અત્યારે શું કરી રહ્યો છે તેને ખ્યાલ કરવાથી પરિગ્રહવ્રત કેટલું લોકપ્રિય થઈ પડશે તેને કસ આવે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy