SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ નવયુગને જૈન , , , , , , , , , 4 * *, *, * * * * * * * * * * * * * * * * * * - - - - - તેમને ઉદ્દેશીને કેટલીક વાત લખાઈ હોય કે હવે લખાય છે તેને અંગે અન્ય બહાદુરએ ક્ષમા આપવાની છે. જે મનુષ્ય પિતાનું રક્ષણ ન કરી શકે, જે પિતાના આશ્રિતનું રક્ષણ ન કરી શકે, જે પિતાના ઘરની સ્ત્રીઓની મર્યાદા સાચવી ન શકે અને જે “પડે ઉગમણી બુમ, આપ આથમણે ધાયે” એ સ્થિતિમાં હોય તે મહા આકરી જવાબદારીઓ કેવી રીતે વહન કરી શકે એ માટે કેયડે છે. આને પરિણામે જનતામાં એક કહેવત થઈ પડી છે એ બનીએ કે ખેતર હૈ– લૂંટ લે; એ મિયાભાઈકા ખેતર હૈ–જાને દે.” નાના ગામડામાં શેઠ કે સાહુકારના નામથી પ્રસિદ્ધ થયેલે એ બધું જ્યારે ધીંગાણું થાય છે ત્યારે ક્યાં અને કેવો સંતાઈ બેસે છે એ એની શારીરિક સંપત્તિ અને હૃદયની હિંમત બતાવે છે. અને એને વિદ્યાર્થીવર્ગ એકંદરે શક્તિહીન માયકાંગલો જ જણાશે, એ રમતગમતમાં ઉતરશે જ નહિ અને ઉતરશે તે નામ કાઢશે નહિ. અત્યાર સુધી ક્રીકેટ ટેનીસ આદિ અનેક જગે થયા છે એમાં એના કોઈ સાહેબજાદાએ નામ કાઢયાં જાણ્યાં નથી. એ અખાડામાં જશે નહિ, કસરતશાળાને લાભ લેશે નહિ અને પછી “મેટ્રીક માંદા ના મટે, બી, એ. થયા બેહાલ; એમ, એ. મરણ પથારીએ, એ વિદ્યાના હાલ” જેવું થાય એમાં નવાઈ નથી. સ્વર્ગસ્થ અમૃત કેશવ નાયકે “એમ, એ. બનકે કર્યું મેરી મિટ્ટી ખરાબ કયા?” નામક સુપ્રસિદ્ધ પુસ્તકમાં માણેકચંદ નામનું મુખ્ય પાત્ર મૂકી તેને ઈસ્તેહામચંદ આદિ ઉપનામે આપ્યા છે તે વાણુઓ જ છે. તે જૈન છે. આવી શારીરિક સ્થિતિ થઈ ગઈ છે. એક તે સમસ્ત પ્રજા નિઃશસ્ત્ર અને તેમાં વાણીઆની જાત એટલે એને ચારે તરફથી બરકુટ થાય તેમાં નવાઈ નથી. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy