SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ સુ અંતર્ધાન કરવાની કળા શીખી જશે. સમાજવાદના વાતાવરણમાંથી એ વ્યક્તિત્વને બાદ કરવાનું શિક્ષણ મેળવશે અને બહુમતને માન આપતાં શીખશે. આ રીતે આખા સમાજ આગળ ચાલશે અને પરિષદ નવા નવા પ્રશ્ના લઈ તે પર પૂરતા વિચાર કરી કામને નેતૃત્વ આપશે. આ રીતે સામાજિક પ્રતાની વિચારણા થશે અને વિચારવિનિમયને પરિણામે જરૂર હોય ત્યાં તપાસ નિવેદન કમીશન સમિતિ આદિ નવયુગનાં સાધના દ્વારા પૂરતી માહિતી મેળવી સમાજપ્રગતિના પ્રસંગેા ઉભા કરશે અને તેના ભવ્ય અમલ કરશે. પરિષદ અને સમિતિમાં ધનવાન કરતાં વિચાર કરનાર અગ્રસ્થાન મળશે, અહુમતવાદના સાર્વત્રિક સ્વીકાર થશે, પોતાના અભિપ્રાયતે બહુમત આગળ છોડી દેવાની સરળતા સમાજજીવનને અંગે લેાકાને આવડી જશે અને કાર્ય કર સમિતિમાં નામ ખાતર નામ લખાવવાને બદલે સાચી સેવા કરનાર અને નિરંતર હાજર રહેનારને સ્થાન મળશે. પ્રત્યેક અધિકારની જવાબદારી હૈ।દ્દેદારા સમજતા થઈ જશે અને શીઘ્રતાથી ચપળતાથી કામ કરવાની આવડત કામની ધાટીમાં પડતાં સહેજે પ્રાપ્ત થઈ જશે. ૫૫ મિલકત નવયુગમાં મિલકત (પ્રેાપટી )તેા પ્રશ્ન તદ્દન નવા આકારમાં સામાજિક દૃષ્ટિએ પ્રાપ્ત થશે. સમાજવાદ, સમૂહવાદ, વિશ્વબંધુત્વવાદ આદિ જે નવયુગના સામાજિક વિચારો નવા જ ઉત્પન્ન થયા છે તેની અસર હીંદ ઉપર તુરત આવી પહોંચશે. એના મુખ્ય મુદ્દો એ છે કે મિલકત–ધનની – ઉત્પત્તિ કરનાર મજૂરવર્ગ – શ્રમજીવીઓ છે, પણ ધનપતિએએ પેાતાના ધનના બળથી સમાજની વ્યવસ્થા એવા પ્રકારની કરી છે કે એને લઈ તે ખરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy