SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - * ' . . ૨૪૦ નવયુગને જૈન . . - - - - -- . * - - ------ - રૂ, 5 - વિષયો ભોગવવાથી તૃપ્તિ થતી નથી પણ સંયમમાં તૃપ્તિ છે એ વાત બહુ મર્મભેદક રીતે શાંતિથી, સમજાવટથી ગળે ઉતારવામાં આવશે. મનુષ્યભવની દુર્લભતા, સેવાની વિશિષ્ટતા, પરોપકારની આદેયતા અને ઘસારામાં ચળકાટતાનું લાક્ષણિક ચિત્ર એવી સફાઈથી રજૂ કરવામાં આવશે કે સ્ત્રીઓ હોંશથી–પ્રેમથી આદર્શને વળગી રહી જીવન સફળ કરશે. મે ફેરફાર વિધવા તરફ સમાજની ભાવનાના ફેરફારને થશે. અત્યારે એને તિરસ્કૃતા, નિંદ્યા અને સાસરાપિયરમાંથી ઘરબાર વગરની અપશુકનિયાળ માનવામાં આવે છે તેને બદલે એને સેવિકા, બ્રહ્મચારી, ધર્મની વિમળજ્યોતિ, આર્યઆદર્શની ઉચ્ચ ભૂમિકા માનવામાં આવશે. એની પાસે તિલક કરાવવામાં અહેભાગ્ય માનવામાં આવશે, એને હાથે અપાયેલી વિજયમાળા ખરેખરી વિજયવાહિની ગણાશે. શુભ પ્રસંગે એને અત્યારે દૂર રાખવામાં આવે છે તેને બદલે તેને હાજર રહેવા આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ અને આમંત્રણ થશે. એનાં સાદાઈ, સેવાભાવના, બ્રહ્મચર્ય, વર્તન એને સ્ત્રીવર્ગના મોખરા ઉપર મૂકશે અને એ સાંસારિક, રાજકીય અને નૈતિક તેમજ ધાર્મિક બાબતમાં ખૂબ પ્રગતિ કરશે. જૈન વિધિ પ્રમાણે લગ્ન અત્ર લગ્નને વિષય પૂરે થાય છે. પ્રસંગોપાત એક બાબત અહીં લગ્નને અંગે કહી નાંખવા જેવી છે. જૈન વિધિ પ્રમાણે લગ્ન થશે. એને હેતુ મુખ્ય એક છે. પરણનાર દંપતીને ધર્મભાવના બરાબર રહેવા માટે એક લક્ષ્ય રાખવાની જરૂર સ્વીકારવામાં આવશે. જૈન આગમમાં માત્ર સંન્યાસ જ પિષ્ય છે અને ગૃહસ્થધર્મની વાત જ નથી એ ભ્રમણ દૂર કરવાની જરૂર માનવામાં આવશે. યતિધર્મ જેટલું મહત્ત્વ બીજે નંબરે ગૃહસ્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy