SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું સાવીએ સાધ્વીને પ્રશ્ન ઉપરના જ ધોરણે પતશે. સાધ્વીનું કાર્ય શ્રાવિકા વર્ગને ઉપદેશ આપવાનું અને તેમને શ્રદ્ધાળુ બનાવવાનું રહેશે. પવિત્ર સાધ્વીઓ જાહેરમાં ભાષણ પણ આપશે અને તેની નૈસર્ગિક છટાથી એ ખૂબ સુંદર પરિણામ નીપજાવી શકશે. એના ભાષણમાં સ્ત્રી અને પુરુષો ભાગ લેશે. ખરું કાર્ય સાધ્વીઓ પવિત્રતાના, સ્વચ્છતાના, સેવાના, સુઘડતાના, જીવરક્ષાના સંદેશા ફેલાવવાનું કરશે. એના આદર્શો વિશુદ્ધ રહી શકશે અને શ્રાવકગૃહ સરકારી ઉન્નત વિશિષ્ટ દિવ્ય કેવી રીતે બને અને કઈ ચાવીઓ દ્વારા આદર્શ ગૃહિણીઓ મારફત ધર્મ, અર્થ અને કામ ત્રણે પરસ્પર અવિરેધપણે સાધી શકાય એની યુક્તિઓ તે બતાવશે. સ્ત્રીવર્ગને સેવાભાવ તે પિષશે અને અનેક પ્રકારે સંસારને ઉજજવળ કરવા છતાં પોતે તદ્દન અલિપ્ત રહી શકશે. એનામાં જ્ઞાનને પ્રકાશ ખૂબ જામશે અને એનું લક્ષ્ય સેવાભાવ તરફ વધારે મક્કમપણે, દઢપણે અને સાપેક્ષ સ્વરૂપે રહેશે. - સાધુઓને તૈયાર કરવાની, મધ્યમ કક્ષા માટે તૈયાર કરવાની અને સાધ્વી યોગ્ય થવાની વિશાળ આકર્ષક પેજના નવયુગ કરશે. એ કટિમાં જે પસાર થાય તેને જ સાધુ કે અન્ય કોઈ પણ વર્ગમાં જોડાવાની પરવાનગી મળી શકશે. સમાજસંરક્ષણ, સંપ્રદાય જ્ઞાનની આવશ્યકતા, બાળપણમાં સંસ્કાર છીપની સુકરતા, વર્તમાન કાયદા અને સમાજનું હિત લક્ષ્યમાં રાખી દીક્ષાની વય નવયુગ મુકરર કરશે અને અસાધારણ સંગમાં વિશિષ્ટ લાભને હેતુ તપાસણીને અંગે પ્રાપ્ત થશે તે તેમાં અપવાદ કરવાને અધિકાર એના સૂત્રધારને કુલ સ્વાધીન રાખશે. એ નિર્ણયમાં સમાજહિત અને દર્શન પ્રગતિના લક્ષ્યો જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy