SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ૨૧મું રજ હિસાબ નામાની કુશળતા, બજારે પસંદ કરવામાં વ્યવહારૂતા, ઘરાકને રીઝવવાની કળા અને બજારેનો અભ્યાસ કરવાની ગણતરીની કળાને વારસે નવયુગ મેળવશે અને તેને ઉપયોગ ઉત્પત્તિના ક્ષેત્રમાં પણ સારી રીતે કરશે. વચગાળના વખતમાં બીન આવડત અનભ્યાસ અને પ્રમાદથી જે સ્થાન ગુમાવવા માંડયું છે તે પુનઃ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય નવયુગને મળશે. વ્યાપારમાં આર્થિક પ્રશ્નમાં, નાણાના વિષયમાં, બજારેના અભ્યાસમાં મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં, મોટા ખાતાઓ ચલાવવામાં, છે ખરચે વહીવટ ચલાવવામાં અને નાણાના હિસાબ સરવૈયા નવીન ધરણે રાખવાની બાબતમાં અનેક નિષ્ણાત-દક્ષે નીકળી આવશે અને તેઓ સમાજને તદ્દન નવા ધોરણ પર સુવ્યવસ્થિત કરશે. વ્યાપારમાંથી સદા કે જુગારનું તત્ત્વ બીલકુલ કાઢી નાખશે, વાયદાના તૈયાર માલના પ્રમાણિક સદા પણ જરૂર પૂરતા જ કરશે, પણ ભાવના ફેરફાર કરી વહેંચણીને બદલે ઉત્પત્તિને ઝોક આપી અને પ્રમાણિકપણાને આશ્રય કરી છે નકે કામ કરવાને વ્યવહારમાર્ગ લઈ વ્યાપારને અનેક દિશાએ નવયુગ ખીલવશે, વધારશે અને આજે ન કલ્પી શકાય તેવા સાહસે ખેડશે. સાહસ વ્યાપારને અંગે સાહસના પ્રકારે લખવાની કે તેની પદ્ધતિઓ વર્ણવવાની ભાગ્યેજ જરૂર હોય. દૂર દેશ ખેડવા, ત્યાંની બજારેને અભ્યાસ કરે, ત્યાં વેપારની કેઠી (પેઢી) નાખવી એ તે એનું પ્રકટ સ્વરૂપ છે. તે ઉપરાંત વ્યાપારના અભ્યાસ માટે દૂર દેશ અભ્યાસીઓને મોકલવા, મેટા પાયા ઉપર વ્યાપારને અંગે ઉત્પત્તિ કરવી અને ખાસ કરીને મેટાં ખાતાંઓ ચલાવવાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy