SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન - - - - - સર્વ સાહસના પ્રકાર છે. પુરાણકાળથી જાવાસુમાત્રા જવાના સાહસે વણિકપુ કરતા હતા. નવયુગમાં તેના પ્રકારે ફરશે પણ એને પ્રેરનાર સાહસવૃત્તિ દૂરદર્શિતા અને સફરને મોહ એ સર્વ આગળ આવશે. હવે પછી જે વાત થવાની એમાં ગણતરી, અભ્યાસ અને દીર્ઘ નજરને ખાસ સ્થાન મળશે અને તેથી વ્યાપારના લાભ સાથે આનુષંગિક લામે ઘણુ થશે. જગતભરમાં શાંતિ અને અહિંસાના સંદેશા આ વ્યાપારીઓ વહેવાર રીતે પહોંચાડશે, સ્થાને સ્થાને શાંત ભાવનાના પ્રરૂપક પરમાત્માના સ્થાને બિરાજમાન કરશે અને વિશ્વબંધુત્વ ખીલવવા દ્વારા પોતાનો વ્યાપાર પણ આગળ વધારશે, ધપાવશે અને આગળ આણશે. વ્યાપારી બાબતના મુખ્ય મુદ્દા જ નવયુગની દષ્ટિએ અત્ર ચર્ચા છે. પ્રત્યેક ધંધાની વિગતમાં ઉતરવું અશક્ય છે. પણ ઉપરનું ધારણ લક્ષ્યમાં રાખી નવયુગનું નિશાન નિર્ધારાશે એટલું કહેવું પ્રસ્તુત અને પૂરતું ગણવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy