SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન એમાં હજાર વર્ષ પહેલાંની પરિસ્થિતિના વિચારે તે વિચારશે ખરે પણ તેને માર્ગદર્શક તરીકે નહિ ગણે. અહીં તે સમયધર્મને પ્રબંધ ગઠવશે અને દેશકાળના સિદ્ધાન્તોને માન આપશે. (૭) - સદાચારી સાથે એ સંગ કરશે. એને મજા જ એવા પ્રસંગમાં આવશે. માતાપિતાની પૂજા કરનારે એ થશે. (૮) પણ માતાપિતાની સાથે ચર્ચા કરવામાં તે વડિલનું માનભંગ નહિ માને અને પ્રમાણિક મતભેદ પડશે તે માતપિતાને મૂકી દેશે. એનું લક્ષ્ય એનાં સંયમ, રાષ્ટ્રધર્મ અને આત્મોન્નતિનું જ રહેશે. (૯) ઉપદ્રવવાળા સ્થાનને એ તછ નહિ દે. એ મરકી કે કોલેરા હોય ત્યાંથી નાસી નહિ જાય. રોગીની સેવા કરવી, એનાં દવાદારૂ કરવાં, એમને ફેરવવા, ઉપાડવા અથવા એમને દુઃખ ઓછું થાય તેમ કરવા તે પિતાને સર્વ પ્રકારને ભેગ આપવામાં ઉત્કૃષ્ટ સંયમ માનશે. માંદાની માવજત માટે ઇસ્પિતાલે, આરોગ્યગૃહે એ નવયુગનાં મંદિરે થશે. એને પોતાની કોઈ નિત્યક્રિયા અને માંદાની માવજત વચ્ચે પસંદગી કરવાની હશે તે બીજી વાતને મુખ્ય સ્થાન આપશે. માંદા પાસે બેસવું, તેને ઉપદેશ આપ, તેની નિઝામણી કરવી, એવાં એવાં કાર્યમાં એ જીવન સાફલ્ય સમજશે અને તે બાબતમાં જૈન શાસ્ત્રકારને મૂળ મુદ્દો છે હેવો જોઈએ તે ભાવદયાનાં આદર્શ ચિત્રો આલેખી બતાવી આપશે. (૧૦) નિંદનીય કાર્યમાં તે પ્રવૃત્તિ નહિ કરે. એની નિંદનીક કાર્યની વ્યાખ્યા બહુ વિશાળ થશે અને તેમાં તે બરાબર માનશે. (૧૧) આવક પ્રમાણે ખરચ રાખવાની તે જરૂર ઈચ્છા કરશે અને બનશે ત્યાં સુધી પિતાની જરૂરિયાતને તે એટલી સાદી, ઓછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy